Book Title: Namo Arihantanam Mantra
Author(s): Osho
Publisher: Upnishad Charitable Trust

View full book text
Previous | Next

Page 163
________________ ૧૫૮. તપ એટલે આપણી ઊર્જ...... આવવા લાગી. છેવટે એમની હાલત એવી થઈ ગઈકે પોતાની જાતને કોરડા માર્યા વિના એ લોકો સંભોગ કરી શકતા નહોતા. પહેલાં પોતાની જાતને કોરડા મારે પછી સંભોગ કરે. જ્યાં સુધી કોરડા નવાગે ત્યાં સુધી કામવાસના પૂરી તીવ્રતાથી જાગતી નહોતી, માણસના મનની આવી જાળ છે. તો હવે જે માણસ રોજ સવારે પોતાની જાતને કોરડા મારે છે તેની પડોશમાં રહેતા લોકો એનો ત્યાગ જોઈ એને નમસ્કાર કરે છે, કેવો મહાનત્યાગી છે. મધ્યયુગમાં યુરોપમાં આ સંપ્રદાયમાં લાખો માણસો હતા. એ સંપ્રદાયના સાધુની મહાનતા તો કેટલા વધુ કોરડા પોતાને મારી શકે છે તેના પરથી અંકાતી. લોહીલુહાણ થઈ જતા એ સાધુ. શરીરથી લોહી વહેતુ હોય અને લોકો આશ્ચર્યચકિત અહોભાવમાં એમની મહાનતપશ્ચર્યાનાં ગુણગાન કરતા. પરંતુ નવાઈની વાત એ છે કે એમની એ મહાનતા એમના ચહેરા પર એવો મગ્નભાવ દેખાડતી જેવો સંભોગરતયુગલોના ચહેરા પર દેખાતો હોય લોકો એમનોચરણસ્પર્શ કરતા હતા. પરંતુ એ સાધુપૂરીકામવાસનામાં ઊતરી, પોતાના શરીર પર કોરડા મારવામાં રત હતો, કોરડા મારવાની ક્રિયા અને કામવાસના જોડાઈ ગયાં. કંડિશનિંગ થઈ ગયું. આમ આપણે દુઃખમાં સુખની કોઈ આભા જોડી શકીએ છીએ. દુઃખમાં સુખની આભા જોડાઈ જાય, તો દુઃખને પોતાની આસપાસ ઘણા લોકો એકઠું કરી શકે છે. પરંતુ તપ'નો અર્થનથી. “તપ” એ દુઃખવાદીની દષ્ટિથી દૂર છે. દુઃખવાદ ગહેરાઈથી જોતાં સુખની ચાહ જ છે. “તપ”ની આસપાસ જે જાળ ઊભી કરાઈ છે તે જાળ સમજાઈ જાય તો કહેવાતા તપસ્વીઓની ભીતરમાં કેવો અને કયો રસ વહી રહ્યો છે તે સમજાઈ જશે. જો કોઈ દુઃખચાહી રહ્યું હોય તો એના મનના કોઈને કોઈ ખૂણામાં સુખ અને દુઃખ જોડાઈ ગયેલાં દેખાયાં વિના રહેશે નહીં. ભૂખે મરવામાં પણ મજા આવી શકે. કાંટાની શય્યા પર સૂવાની પણ મજા આવે છે. ઉનાળાના તાપમાં ઊભા રહેવાની પણ મજા આવે. એક વાર તમારી ભીતરમાં વાસના સાથે દુઃખ જોડાઈ જાય તો જે વાસનાથી તમે મુક્ત થવા માગો છો તેની સાથે જ સુખ જોડાઈ જશે. આપણે પોતાનેદુઃખ એટલા માટે આપવા માગીએ છીએ કે એવાસનાથી મુક્ત થવાય પરંતુ પરિણામ ઊલટું આવે છે. એક માણસને પોતાનું શરીર શણગારવામાં સુખ મળે છે એને થાય છે કે શણગાર પણ એક વાસના છે. એટલે શણગારથી મુક્ત થવા માગે છે. એટલે બધાંવત્ર છોડીએનગ્ન થઈ જાય છે, પોતાના શરીર પર રાખચોળે છે અને પોતાના શરીરને બને તેટલુંકુરૂપ કરવા પ્રયત્ન કરે છે. પરંતુ એને એ સમજાતું નથી કે નગ્ન થવાનું, રાખ ચોળવાનું અને શરીરને કુરૂપ કરવાનું, એ બધું શરીર સાથે જ સંબંધિત છે. એ પણ એક પ્રકારનો શણગાર છે. તમે કદાચ કુંભમેળામાં ગયા હશો તો તમને ત્યાં કેટલાય સાધુરાખચોળી બેઠેલા દેખાશે. એ લોકો પણ એક નાનો અરીસો પોતાની ઝોળીમાં છુપાવી રાખે છે. સવારે સ્નાન કરીને જ્યારે રાખલગાડે

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210