________________
૧૯૮
તપ : ઊર્જા શરીરના અનુભવ
ભોગ જીતી જશે. કારણકે તપનું સૂત્રનિષેધાત્મક થઈ ગયું. જ્યાંનકાર છે ત્યાં તમને ઊભા રહેવા માટે નક્કર ભૂમિ મળતી નથી. શૂન્યમાં કોઈ ઊભું રહી શકતું નથી. ઊભા રહેવા માટે જમીન જોઈએ, વિધેય જોઈએ. જ્યારે તમે કહો છો કે “શરીર છું ત્યારે તમારી પકડમાં કાંઈક આવે છે.
જ્યારે તમે કહો છો કે “હું શરીર નથી” ત્યારે તમારી પકડમાં કાંઈ આવતું નથી. માટે તપનું બીજું સૂત્ર છે. હું ઊર્જા શરીર છું.’ ‘હું ભૌતિક શરીરનથી.' એ સૂત્ર સાથે, તુરત જ બીજું સૂત્ર આવીને ઊભું રહેવું જોઈએ કે હું ઊર્જા શરીર છું, પ્રાણ શરીર છું.' આમ જો ન બનેતો તમે વિચાર્યા કરશો કે “હું આ શરીર નથી, એ તો પદાર્થ માત્ર છે.” છતાં આખો દિવસ વ્યવહારતો એ જ શરીર સાથે કરે છે.એટલે સમજવાની વાત એ છે કે કોઈ પણ વિધાયક સંકલ્પને, નકારાત્મક સંકલ્પથી તોડી શકાતો નથી. વિધાયક સંકલ્પવધારે બળવાન હોવો જોઈએ. હુંઆ શરીર નથી એ અડધો સંકલ્પ છે એ બરાબર છે. પરંતુ એની સાથે હું ઊર્જાશરીર છું એ બીજો અડધો વિધાયક સંકલ્પજોડાય ત્યારે એ સંપૂર્ણ સત્ય બનશે. તો હવેબેકામ કરવાનાં છે. આ શરીર સાથેનું તાદામ્ય છોડવાનું છે અને પ્રાણઊર્જા સાથે તાદાત્મ સ્થાપિત કરવાનું છે. હું ઊર્જા શરીર છું એ ભાવ પર જે વિધાયક છે તેના પર જોર હોવું જોઈએ. હું ભૌતિક શરીરનથી' એ ભાવ પર જોર હશે તો મોટી ભૂલ થઈ જશે. “હુંઊર્જા શરીર છું.” એ ભાવદૃઢ થતાં, “હું ભૌતિક શરીર નથી’ એ ભાવ છાયા બની જશે, પરિણામ માત્ર બની રહેશે. એટલે સંકલ્પ કરીએ ત્યારે જોર હું ઊર્જા શરીર છું એ સૂત્ર પર રહેવું જોઈએ. આમ થતાં તપની ભૂમિકાનું સર્જન થશે. મહાવીરતપનાબેરૂપનું વર્ણનર્યું છે, અન્તર-તપઅને બાહ્ય-તપ. અન્તર-તપના છ હિસ્સાનું વર્ણન કર્યું છે અને છ બાહ્ય-તપના હિસ્સાનું વર્ણન ક્યું છે. આ તપની પ્રક્રિયાઓ ખાલમાં આવી જાય, સંકલ્પમાં દૃઢ થઈ જાય તો જીવન અમૃતની યાત્રા પર નીકળી પડશે. આપણે જ્યાં છીએ ત્યાં વારંવાર મૃત્યુનો અનુભવ થશે, કારણકે આજ સુધી આપણે જે નથી, આપણે જે ભૌતિક શરીર નથી, તે ખ્યાલ સાથે આપણે આપણી ચેતનાને જોડી રાખી છે એના કારણે આપણે વારંવાર નષ્ટ થઈએ છીએ, મરીએ છીએ અને છતાં વારંવાર એ ખોટાખ્યાલ સાથે આપણી જાતને જોડ્યા કરીએ છીએ. જે હું નથી એની સાથે જોડાઈ જવાથી આપણે હંમેશા મૃત્યુનાં દ્વાર જ ખોલીએ છીએ.