Page #1
--------------------------------------------------------------------------
________________
नमो अरिहंताराम्
भत्र
(महावीर - वाशीनो अनुवाघ) ઓશો
Page #2
--------------------------------------------------------------------------
________________
| નમો અરિહંતાણમાં
મંત્ર
ઓશો
અનુવાદક
સ્વામી આનંદ વીતરાગ
UPNISHAD
Page #3
--------------------------------------------------------------------------
________________
NAMO ARIHANTANAM: MANTRA
Original Published in English under the title: Mahaveer Vani Vol. 1 (Ch.1-9) Fist publication Copyright © 1976 by Osho International Foundation. All rights reserved. Copyright © all revisions 1953-2008 Osho International Foundation. OSHO is a registered trademark of Osho International Foundation, used under license. For more information: www.osho.com
| નમો અરિહંતાણમ્ |
મંત્ર
અનુવાદક
: સ્વામી આનંદ વીતરાગ
આવરણ : જગત વ્યાસ ટાઈપ સેટીંગ : સંવાદ પ્રથમ આવૃત્તિ : એપ્રીલ-૨૦૦૮
કિંમત
: રૂ. ૧૪૦=૦૦
પ્રકાશક
દક્ષા પટેલ ઉપનિષદ ચેરિટેબલ ટ્રસ્ટ
તથાતા', ૩૩/બી, નંદિગ્રામ સોસાયટી-૨, સિંધવાઈ માતા રોડ, પ્રતાપનગર, વડોદરા-૩૯૦૦૦૪ (ગુજરાત-ભારત) ટેલિફોન : ૯૧:૨૬૫:૨૬૩૮૨૬૯ / ૨૫૮૦૩૩૬ E-mail: book@unpnishad.org Website:www.upnishad.org
મુદ્રક
:
મુકેશભાઈ પુરોહિત સૂર્યા ઓફસેટ, આંબલી ગામ, સેટેલાઇટ-બોપલ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૫૮. ફોનઃ (૦ર૭૧૭)૨૩૦૧૧૨
Page #4
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
નં
છે
»
ક
નવકાર મંત્ર મંગળ અને લોકોત્તમની ભાવના શરણાગતિ ધર્મનો મૂળ આધાર ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર રહેવું તે
અહિંસા એટલે જીવેષણાનું મૃત્યુ • સંયમ એટલે મધ્યમાં રહેવું તે
સંયમની વિધાયક દ્રષ્ટિ તપ એટલે આપણી ઊર્જા (શક્તિ)ની દિશાનું પરિવર્તન તપ: ઊર્જા શરીરના અનુભવ
૧૦૭
$
૧૩૧
$
૧૫૫
$
૧૭૯
Page #5
--------------------------------------------------------------------------
________________
पंच नमोकार सूत्र
नमो अरिहंताणं। नमो सिध्दाणं। नमो आयरियाणं। नमो उवज्झायाणं।
नमो लोए सव्वसाहूण । एसो पंच नमुक्कारो, सव्वपावप्पणासणो। मंगलाणं च सव्वेसिं, पढम हवइ मंगलं ।।
અરિહંતોને (અહંતોને) નમસ્કાર, સિધ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયોને નમસ્કાર, સંસાર લોકમાં સર્વ સાધુઓને નમસ્કાર, આ પાંચ નમસ્કાર બધા પાપોનો નાશ કરનાર છે. તેમજ બધા મંગલ કાર્યોમાં પ્રથમ મંગલ સ્વરૂપ છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
૧. નવકાર મંત્ર: દિવ્યલોકની ચાવી : મહાવીરની અપ્રતિમ ભેટ
સવારે સૂર્યોદય થાય ત્યારે કોઈ પક્ષી, આકાશમાં ઊડતાં પહેલાં, પોતાની પાંખોને પોતાના માળા પર ફફડાવે, વિચાર કરે કે ઊડવાનું સાહસ કરું કે નહીં અથવા કોઈ નદી સાગરમાં સમાઈ જવા ટાણે, પોતાની ખોવાઈ જવાની પળે, જરા પાછું વળીને જુએ અને વિચાર કરે એકાદ ક્ષણ માટે, એજ રીતે મહાવીરની વાણીના ગુઢ્યાર્થમાં પ્રવેશતાં પહેલાં બે પળ વિચાર કરી લેવાની જરૂર છે. પર્વતોમાં જેમ હિમાલય છે અથવા શિખરોમાં ગૌરીશંકર છે તેમ વ્યક્તિઓમાં મહાવીર છે. ઊંચા છે ચઢાણ. જમીન પર ઊભા ઊભા પણ ગૌરીશંકરનું હિમાચ્છાદિત શિખર જોઈ શકાય છે. પરંતુ જેને શિખર પર પહોંચવા ચઢાણ આદરવાં છે અને શિખર પાસે પહોંચીને શિખરનું દર્શન કરવું છે તેને ઘણી મોટી તૈયારી કરવાની જરૂર છે. મહાવીરને દૂરથી પણ જોઈ શકાય છે, પરંતુ દૂરથી જે પરિચય થાય છે તે વાસ્તવિક પરિચય હોતો નથી. મહાવીરમાં તો છલાંગ લગાવીને જ વાસ્તવિક પરિચય મેળવી શકાય છે. એવી છલાંગ લેતાં પહેલાં થોડી જાણી લેવા જેવી વાતો તમને કહી દઉ. ઘણી વાર એમ બને છે કે આપણા હાથમાં નિષ્કર્ષ (Conclusions) રહી જાય છે, પરંતુ નિષ્કર્ષ પર પહોંચતાં પહેલાં કરવી પડેલી પ્રક્રિયાઓની જાણકારી ખોવાઈ જાય છે. મંજિલની જાણકારી બચી જાય છે, ત્યાં પહોંચવાનો રસ્તો ભૂલાઈ જાય છે; શિખર તો દેખાયા કરે છે, પરંતુ ત્યાં પહોંચવાની પગદંડી જડતી નથી. એવું જ બન્યું છે નવકાર મંત્ર વિષે. નવકાર મંત્રતો નિષ્કર્ષ છે, જેનું પચીસસો વર્ષથી લોકો રટણ કર્યા કરે છે. એ તો શિખર છે, પરંતુ જે પગદંડી આ નવકાર મંત્રના શિખર પર પહોંચાડે, તે પગદંડીયારનીય ખોવાઈ ગઈ છે. નવકાર મંત્ર વિષે ચર્ચા કરતાં પહેલાં, એ પગદંડી પરનો થોડોરસ્તો સાફ કરવો જરૂરી છે. કારણકે જ્યાં સુધી પ્રક્રિયાની જાણકારી ન મળે ત્યાં સુધી, નિષ્કર્ષ વ્યર્થ છે. જ્યાં સુધી માર્ગન દેખાય ત્યાં
Page #7
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર
સુધી મંજિલ સમજાશે નહીં. જ્યાં સુધી ઉપર ચઢવાની પગથી ન દેખાય ત્યાં સુધી દૂર દેખાતાં શિખરોનું કાંઈ મૂલ્યનથી, એ સ્વપ્ન જેવાં બની રહે છે. ખરેખર એ શિખર છે કે નહીં તેનો નિર્ણય લેવાનું પણ શક્ય નથી તો બે ચાર રીતે નમોકારના માર્ગને સમજવાનો પ્રયત્ન કરીએ. ૧૯૩૭ની સાલમાં ચીન અને તિબેટ વચ્ચે આવેલા બોકાન પર્વત પરની ગુફામાં ૭૧૬ પત્થરની રેકોર્ડ (ગ્રામોફોનની રેકોર્ડ જેવી) મળી. મહાવીરથી દસ હજારવર્ષ પહેલાંની આરેકોર્ડ છે. આજથી લગભગ બાર હજાર વર્ષ પહેલાંની આ રેકોર્ડ આશ્ચર્યમુગ્ધ કરે તેવી છે. દરેક રેકોર્ડની વચમાં એક કાણું છે અને પત્થરની સપાટી પર રેખાઓ કોતરેલી છે. ગ્રામોફોનની રેકોર્ડ જેવી જ. ક્યા અને કેવા યંત્ર પર આ રેકોર્ડ સાંભળી શકાતી હશે તેનું રહસ્ય આજ સુધી ખુલ્યું નથી. રશિયાના એક વૈજ્ઞાનિક ડૉ.સર્જીએવે વર્ષો સુધી સંશોધન કરી એ વાત પુરવાર કરી છે કે એ રેકોર્ડ તો છે જ, પણ એની કેવી સોય હશે, જેના વડે રેકોર્ડ સાંભળી શકાય અને કેવાયંત્ર દ્વારા તે વગાડી શકાય તે હજી સમજાયું નથી. એકાદ પત્થરનો ટુકડો હોય તો સમજી શકાય કે એ કોઈ સાંયોગિક ઘટના હશે, પરંતુ એક જેવા ૭૧૬ ટુકડા પર રેખાઓ અને વચમાં એક કાણું હોય, તે સાંયોગિક કેમ ગણી શકાય ? એના પરની ધૂળ વગેરે સાફ કરી વિદ્યુત યંત્રોથી પરીક્ષણ કરતાં એની રેખાઓમાંથી હરપળ વિદ્યુતનાં કિરણો બહાર ફેલાતાં દેખાયાં. તો શું બાર હજાર વર્ષ પહેલાં માનવી પાસે એવી કોઈ વ્યવસ્થા હશે કે જેનાથી આવા પત્થરો પર રેકોર્ડિંગ થઈ શકે? એવું જો હોય તો આપણો ઈતિહાસ જે આપણે કોઈ અલગ રીતે લખવો પડશે. જાપાનના એક પર્વતના શિખર પર પચીસ હજાર વર્ષ પહેલાંની મૂર્તિઓનો એક સમૂહ છે. એ મુર્તિઓનું નામ “ડાબૂ. એ મૂર્તિઓને આજ સુધી સમજવાનું શક્ય નહોતું, પરંતુ જે દિવસે આપણા અવકાશયાત્રીઓ આકાશમાં ઊડ્યા ત્યારે એમણે જેવાં વસ્ત્રો પહેર્યા હતાં, તેવાં જ વસ્ત્ર આ મૂર્તિઓ પર કોતરાયેલાં જોયાં. આ મૂર્તિઓ પચીસ હજાર વર્ષ પુરાણી છે. તો રશિયન અને અમેરીકન અવકાશયાત્રીઓની જેમ પચીસ હજાર વર્ષ પહેલાંના માનવીએ પણ, અવકાશના અન્ય કોઈ ગ્રહો પરથી પૃથ્વીની મુલાકાત લીધી હશે એવું માનવાનું મન થાય છે ? આજે માનવી જે કાંઈ જાણે છે તે પહેલીવાર જ જાણી રહ્યો છે એવી ભૂલમાં પડવાનું કોઈ કારણ નથી. માનવી ઘણી વાર જાણે છે, ઘણી વાર માનવસભ્યતાઓ, જ્ઞાનનાં ચરમ શિખરને સ્પર્શી લે છે ને પછી એ જ્ઞાન જેમ આવ્યું તેમ એક લહેરની જેમ વિલીન થઈ જાય છે. મહાવીર એક ખૂબ લાંબી સંસ્કૃતિના અંતિમ વ્યક્તિ હતા. એ સંસ્કૃતિ ઓછામાં ઓછી દસ લાખ વર્ષ પુરાણી છે. એ હતા જૈન પરંપરાના ચોવીસમા તીર્થંકર-જૈન પરંપરાની એ આખરી ઊંચાઈ મહાવીરે સર કરી અને પછી સભ્યતા અને સંસ્કૃતિ ધીમે ધીમે એક લહેરની જેમ વીખરાઈ ગયાં. આજે આ પરંપરાનાં સૂત્રો સમજવાં મુશ્કેલ થઈ ગયાં છે, કારણ કે એ જે વાતાવરણમાં સાર્થક હતાં, તે વાતાવરણ આજે નથી.
Page #8
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
ધારો કે (એમ સમજવું જોઈએ) કાલે ત્રીજું વિશ્વયુદ્ધ-અણુયુધ્ધ થાય અને આખી માનવસંસ્કૃતિનો નાશ થઈ જાય, ત્યાર બાદ જે કોઈ થોડા માનવોના વંશજો બચ્યા હોય તેમની એવી એક યાદ જળવાઈ રહે કે વર્ષો પહેલાં માનવીઓ હવાઈજહાજમાં ઊડતા હતા. આ યાદ હજારો વર્ષટકી રહે, ને તે સમયનાં બાળકો આવી વાત પર હસે અને મજાક પણ કરે છે કે કેવું હવાઈ જહાજ? શેની તમે વાત કરો છો? લાગે છે આ બધી પુરાણ કથાઓ છે. જૈન તીર્થકરોનાં શરીરની ઊંચાઈ બહુ કાલ્પનિક લાગે છે. તેમાં મહાવીરની ઊંચાઈ માણસ જેવી લાગે છે, પરંતુ તે અગાઉના ત્રેવીસ તીર્થકરોનાં શરીરની ઊંચાઈ ઘણી વધારે હતી. વૈજ્ઞાનિકો કહે છે કે જેમ જેમ પૃથ્વી સંકોચાતી ગઈ તેમ તેમ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ વધતું ગયું. એવો નિયમ છે કે ગુરુત્વાકર્ષણ જેટલું વધુ થતું જાય તેમ લોકોની ઊંચાઈ ઘટતી જાય. આજે આપણા ઘરમાં છત પર ગરોળી ફરતી દેખાય છે તેનું કદ, દસ લાખ વર્ષ પહેલાં હાથી કરતાં પણ મોટા જાનવર જેવું હતું. એવાં મોટાં જાનવરની હયાતીનષ્ટ થઈ ગઈ. હવેનાનકડીગરોળી, એ જાતિમાં બચી છે. એટલા મોટાં જાનવર અચાનક ક્યાં અદશ્ય થઈ ગયા? હવે વૈજ્ઞાનિકો કહે છે કે જમીનના ગુરુત્વાકર્ષણમાં કોઈ રહસ્ય રહેલું લાગે છે? જેમ જેમ ગુરુત્વાકર્ષણ વધતું જશે, તેમ તેમ માનવીનું કદનાનું થતું જશે. જો ભવિષ્યમાં માનવી ચંદ્ર પર રહેવા લાગશે તો એનું કદ પૃથ્વીના માનવી કરતાં ચારગણું મોટું હશે, કારણકે ચંદ્ર કરતાં, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ચારગણું છે. જો આપણે કોઈ એવા ગ્રહ અને તારા શોધી લઈએ કે જયાં ગુરુત્વાકર્ષણ હજુ પણ ઓછુ હોય તો ઉંચાઈ હજુ વધી શકે. જૈન પરંપરાએ નમોકારને મહામંત્ર કહ્યો છે. નમોકારની બરોબરીના, આ પૃથ્વી પર પાંચ-દસ મંત્રો છે. ખરેખર તો દરેક ધર્મ પાસે એક મહામંત્ર હોવો અનિવાર્ય છે, કારણ કે એવા મંત્રની આસપાસ જ એ ધર્મનું આખું ભવન નિર્માણ થાય છે. એવા મહામંત્રનો ઉપયોગ શું છે? એનાથી મળે છે શું?આજે ધ્વનિવિજ્ઞાન (SOUND-ELECTRONICS) નવાં તથ્યોનું ઉદ્દઘાટન કર્યું છે. એક એવું તથ્ય સાબિત થયું છે કે આજે આ જગતમાં પેદા થયેલો કોઈ પણ ધ્વનિનષ્ટ થતો નથી. અનંત આકાશમાં આ ધ્વનિનો સંગ્રહ થઈ જાય છે. આપણા આકાશમાં પણ ધ્વનિમુદ્રિત રેકોર્ડની જેમ, રેખાઓ અંકિત થઈ જાય છે. કોઈ સૂક્ષ્મ સપાટી પર ખાંચેદારરેખાઓ પડી જાય છે. રશિયામાં છેલ્લાં પંદર વર્ષોથી આ વિશે ઘણું સંશોધન થઈ રહ્યું છે. આ બાબતમાં બે ત્રણ વાત
ખ્યાલમાં લેવા જેવી છે. રશિયન વૈજ્ઞાનિક કામિનિયેવે અને અમેરિકન વૈજ્ઞાનિક રુડોલ્ફ કરે, પ્રયોગો કરીને સાબિત કર્યું છે કે સભાવ અને મંગળકામનાઓથી ભરેલી કોઈ વ્યક્તિ જળથી ભરેલું પાત્ર, પોતાના હાથમાં રાખી, આંખો બંધ કરીને થોડી મિનિટ સુધી સદ્ભાવ, મંગળ આકાંક્ષાઓ અને ભાવનાઓ કરતી રહે તો એ પાત્રમાં ભરેલા જળમાં એક ગુણાત્મક પરિવર્તન આવે છે. એ જળમાં કોઈ રાસાયણિક પરિવર્તન થતું નથી. પરંતુ સદ્ભાવથી ભરેલા એ માનવીના હાથના સ્પર્શથી, જળમાં કોઈ એવા
Page #9
--------------------------------------------------------------------------
________________
૪
નવકાર મંત્ર
ગુણ પ્રવેશે છે કે જો એ જળ બીજ પર છાંટવામાં આવે તો એ બીજમાં જલદી અંકુર ફુટે છે, એમાં મોટાં ફૂલ આવે છે, મોટાં ફળ લાગે છે. સાધારણ પાણીથી (પોષિત થયેલાં) ઊછરેલાં છોડ કરતાં, આ સદ્ભાવથી સ્પર્શ પામેલાં પાણીથી ઊછરેલો છોડ વધારે તંદુરસ્ત દેખાય છે.
કામિનિયેવે બીજો પ્રયોગ કરી, અત્યંત રુગ્ણ, વિક્ષિત, નિષેધાત્મક ભાવથી ભરેલા, હત્યાના, ક્રુરતાના, કોઇને નુકસાન પહોંચાડવાના વિચારો અને ભાવનાઓથી ભરેલા માનવીના હાથમાં પણ, જળથી ભરેલું પાત્ર થોડી મિનિટો સુધી રાખ્યું. એ જળ જે બીજ પર છાંટવામાં આવ્યું તે બીજ કાં તો અંકુરિત ન થયાં ને જે અંકુરિત થયાં તે રોગગ્રસ્ત હતાં.
પંદર વર્ષ સુધી આ પ્રયોગો કરી એવા નિર્ણય પર પહોંચી શકાયું કે પાણીનું રાસાયણિક સ્વરૂપ જ મહત્ત્વનું નથી, સાદું પાણી, સદ્ભાવના ને મંગળકામનાઓથી પોષાયેલું પાણી અને નિષેધાત્મક ભાવનાઓથી દુષિત થયેલા પાણીમાં, કોઇ રાસાયણિક તફાવત ન હોવા છતાં, કોઇક એવાં તત્ત્વો માનવીની ભાવનાઓ અને વિચારો દ્વારા પાણીમાં દાખલ કરી શકાય છે કે જેનાં પરિણામો અલગ અલગ આવે છે. રાસાયણિક રીતે તો પાણી એનું એ જ રહે છે. પરંતુ આ પાણીના આત્મામાં કોઇ રૂપાંતર થાય છે. જેમ જળમાં રૂપાંતર કરી શકાય છે. મંગળ ભાવનાઓથી ભરેલું આપણું મન, આપણી ચારે તરફ ફેલાયેલા આકાશમાં ગુણાત્મક પરિવર્તન લાવે છે. એવી ભાવનાઓથી ભરેલો માનવી જ્યારે આપણી પાસેથી પસાર થાય છે ત્યારે તેની એ અસર આપણામાં પણ થાય છે. એવી મંગળ ભાવના ભરેલી વ્યક્તિની આસપાસ એક જુદા જ પ્રકારનાં અવકાશ કે હવામાન પેદા થતાં હોય છે.
એક બીજા રશિયન વૈજ્ઞાનિક કિરિલિયાને હાઇ ફ્રિકવન્સી ફોટોગ્રાફીનો વિકાસ કર્યો છે. કદાચ ભવિષ્યમાં આ કિરિલિયાન કેમેરાથી લીધેલાં ચિત્રો જુદાં જ રહસ્યો છતાં કરશે. બહુ સંવેદનશીલ પ્લેટ પર આ કેમેરાથી ચિત્ર લેવાય છે. મારા હાથનું ચિત્ર જો લેવાય તો, મારા હાથનું જ ચિત્ર માત્ર ઊપસતું નથી, પરંતુ મારા હાથની આસપાસ જે વિદ્યુત કિરણો બહાર નીકળી રહ્યાં છે તેનું ચિત્ર પણ આવે છે. આશ્ચર્યની વાત એ છે કે જો ચિત્ર લેતી વખતે હું નિષેધાત્મક વિચારોથી ભરેલો હોઉં તો, મારા હાથની આસપાસનાં વિદ્યુતકિરણોની પ્રતિકૃતિ, જે ચિત્રમાં દેખાય છે તે અત્યંત રુગ્ણ, અસ્વસ્થ, વેરવિખેર, અરાજક અને વિક્ષિપ્ત હોય છે. પરંતુ હું જો મંગળ ભાવનાઓથી, શુભ વિચારોથી ભરેલો હોઉં અને આનંદિત હોઉં ત્યારે લીધેલા કિરિલિયાન ચિત્રમાં, મારા હાથમાંથી નીકળતાં કિરણોની પ્રતિકૃતિ, લયબદ્ધ, સુંદર, સપ્રમાણ અને વ્યવસ્થિત દેખાય છે.
ત્રીસ વર્ષ સુધી કરેલા પ્રયોગો પછી કિરિલિયાન એમ કહે છે કે હવે કોઇ વ્યક્તિ કોઇ ખાસ રોગથી પીડાવાની હોય, તો તેના છ મહિના પહેલાં, એના શરીરનાં વિદ્યુત કિરણોના ચિત્ર પરથી એનો રોગ પારખી શકાશે. કારણકે ભૌતિક શરીર પર બીમારી ઊતરે તે પહેલાં એના વિદ્યુત શરીર પર છ મહિના પહેલાં ઊતરે છે. એના શરીરનાં વિદ્યુતવર્તુળો રોગિષ્ટ થવાનું છ મહિના પહેલાં શરૂ થઇ
Page #10
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ઃ મંત્ર
જાય છે. કોઇની હત્યા કરવાનો વિચાર કોઇ માનવી કરે છે ત્યારે એ હત્યાનાં લક્ષણો વિદ્યુતવર્તુળમાં દાખલ થવા લાગે છે. કોઇ વ્યક્તિ કોઇ બીજા પ્રત્યે કરુણાથી ભરાઇ જાય ત્યારે એનાં વિદ્યુતવર્તુળોમાં કરુણા પ્રવાહિત થવાનાં લક્ષણ પ્રગટ થાય છે.
૫
કિરિલિયાન કહે છે કે આપણે કેન્સર રોગ પર ત્યારે વિજય મેળવી શકીશું, જ્યારે કેન્સર શરીરમાં પ્રસરે તે પહેલાં, એના શરીરના વિદ્યુત ચિત્ર પરથી આપણે કેન્સરને ઓળખી શકીશું. એમાં હવે પ્રયોગોના વિસ્તારની જરૂર છે. દરેક મનુષ્ય પોતાની આસપાસ એક આભામંડળ લઇને ફરે છે. આપણે એકલા નથી ચાલતા, આપણું વિદ્યુતક્ષેત્ર (elctro-dynamic field) પણ આપણી સાથે ચાલે છે. આવું વિધુતક્ષેત્ર માત્ર માનવીની આસપાસ જ નહીં, પશુઓ અને વનસ્પતિની આસપાસ પણ હોય છે. રશિયન વૈજ્ઞાનિક એટલે સુધી કહે છે કે જીવ અને અજીવ વચ્ચે માત્ર એક જ તફાવત છે. જેની પાસે આભામંડળ છે તે જીવિત છે અને જેની આસપાસ આભામંડળ નથી તે મૃત છે.
માણસ મરે છે તે પહેલાં એની આસપાસનું આભામંડળ ધીમે ધીમે મરવાનું શરૂ કરે છે. એક આશ્ચર્યકારક અને સંયોગની વાત એવી છે કે જ્યારે માનવી મરે છે, તે પછી એના આભામંડળને વિસર્જિત થતાં ત્રણ દિવસ લાગે છે. હજારો વર્ષથી મરણ પછીના ત્રીજા દિવસનું મોટું મૂલ્ય છે, કારણકે ખરું મૃત્યુ ત્રીજા દિવસે ઘટે છે. આ ત્રણ દિવસો દરમિયાન કોઇ વૈજ્ઞાનિક ઉપાય થકી રોગમુક્ત થવાય તો માનવીને સજીવન કરી શકાય ખરો. જ્યાં સુધી આભામંડળ તિરોહિત ન થાય ત્યાં સુધી જીવન સમાપ્ત નથી થતું. ગયા મહાયુદ્ધ વખતે રશિયામાં છ વ્યક્તિઓને હૃદયના ધબકારા બંધ થયા પછી પણ જીવિત કરી શકાઇ હતી. શરીરની ચારે બાજુ જ્યાં સુધી આભામંડળ જીવે છે ત્યાં સુધી કોઇ સુક્ષ્મ સ્તર પર માનવી જીવતો હોય છે અને તે પાછો જીવિત થઇ શકે છે. હજી સુધી એનો પાછા આવવા માટેનો સેતુ કાયમ છે.
માનવી જેટલો વધુ જીવંત અને જાગ્રત હોય તેટલું વધુ ધનિષ્ટ એનું આભામંડળ હોય છે. મહાવીર, કૃષ્ણ, રામ કે જિસસના ચિત્રોમાં એમના મુખમંડળની આસપાસ,ચિત્રકારો જે આભામંડળનું નિર્માણ કરે છે તે માત્ર કલ્પના નથી. આવાં આભામંડળ જોઇ શકાય છે. આજ સુધી તો જે સંતો પાસે એક ઊંડી સૂક્ષ્મ દૃષ્ટિ હતી તે સંતો જ આભામંડળને જોઇ શકતા હતા. પરંતુ ૧૯૩૦ માં એક અંગ્રેજ વૈજ્ઞાનિકે એવી રાસાયણિક પ્રક્રિયાનું નિર્માણ કર્યું એક યંત્ર દ્વારા, કે જેની મદદથી કોઇના પણ આભામંડળને જોઇ શકાય.
અહીં તમે બેઠા છો, તમારું દરેકનું આભામંડળ છે. જેમ તમારા અંગુઠાની છાપ અલગ છે તેમ દરેકનાં આભામંડળ પણ અલગ અલગ અને વ્યક્તિગત વિધુતક્ષેત્રોવાળાં છે. તમને જેની જાણ નથી તેવી તમારા વિશેની વાતો, તમારું આભામંડળ જ જાણે છે. ભવિષ્યમાં બનનાર ઘટનાઓ વિશે પણ તમારું આભામંડળ કહે છે. જે બાબતો તમારા ગહન અચેતનમાં, એક બીજની જેમ
Page #11
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર
નિર્માણ થઈ રહી છે, જે આવતી કાલે ઊઘડીને પ્રગટ થશે તે વાત તમારું આભામંડળ અગાઉથી કહી શકે છે. મંત્ર આભામંડળને બદલવાની મૂળભૂત પ્રક્રિયા છે. તમારી આસપાસનાં વિદ્યુતક્ષેત્રને બદલવા માટે મંત્રનો ઉપયોગ છે. દરેક ધર્મ પાસે પોતાનો આગવો મંત્ર છે. જૈન પરંપરા પાસે આવો નમોકાર મંત્ર છે આશ્ચર્યકારક ઉદ્દઘોષણા છે. “એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, સર્વ પાપોનો નાશ કરે એવો મહામંત્ર છે. આ કાંઈ સાચું હોય એવું લાગતું નથી. નમોકારથી પાપ નાશ કેવી રીતે થઈ જાય? નમોકારથી સીધાં પાપ નાશ થઈ જાય છે એવું નથી. પરંતુ નમોકારથી તમારી આસપાસનું વિધુતક્ષેત્ર બદલાય છે, રૂપાંતરતિ થાય છે, જેને કારણે પાપ કરવાનું અસંભવ બની જાય છે. કારણકે પાપકરવા માટે તમારી પાસે એક ખાસ પ્રકારનું આભામંડળ જોઈએ. આ મંત્રને આપણે સીધે સીધો સાંભળીએ, તો એમ થાય કે આવો મંત્ર, પાપોનો નાશ કેવી રીતે કરી શકે? કોઈ એક ચોર નમોકાર મંત્રનું રટણ કરે તો શું થાય? કોઈ હત્યા કરનાર આ મંત્રનું રટણ કરે તો તેથી શું થાય? કેવી રીતે પાપનો નાશ થાય? તમે પાપ કરો છો તે પહેલાં, તમારામાં એક વિશેષ પ્રકારનું આભામંડળ નિર્મિત થાય છે. અને એટલે જ તમે પાપ કરી શકો છો, એવું આભામંડળ તમારામાં હયાત ન હોય તો તમે પાપ ન કરી શકો માટે તમારા આભામંડળને જ અગાઉથી રૂપાંતરિત કરી દેવાયું હોય, નમોકારના મંત્રજાપથી તો તમારા માટે પાપકરવાનું અશક્ય થઈ જશે. તો આ નમોકારમંત્ર આભામંડળને કેવી રીતે બદલતું હશે? આ મંત્ર નમસ્કાર, નમનનો ભાવ જગાડે છે. નમનનો અર્થ છે સમર્પણ. એ માત્ર શાબ્દિક ઉચ્ચાર નથી, પરંતુ એ એક જાગ્રત ભાવ છે. નમો અરિહંતાણં, હું અરિહંતોને નમસ્કાર કરું છું. એ માત્ર શાબ્દિક નહીં, પણ તમારા પ્રાણનો સઘન થયેલો ભાવ છે, અરિહંતોને નમસ્કાર કરું છું એનો એવો અર્થ છે કે જેઓએ જાણ્યું છે, તેમનાં ચરણોમાં, મારું મસ્તક મૂકું છું; જેઓ શિખર પર પહોચી ગયા છે તેમનાં ચરણોમાં હું સમર્પિત થઈ જાઉં છું; જેઓને પ્રાપ્ત થઈ ગયું છે, તેમના દરવાજા પર યાચક બનીને ઊભા રહેવા હું તૈયાર છું. કિરિલિયાન ફોટોગ્રાફીએ ભૌતિક રીતે એ બતાવવાની કોશિશ કરી છે કે જ્યારે તમારી અંદર ભાવ બદલાતા હોય છે ત્યારે તમારી આસપાસનું આભામંડળ પણ બદલાતું હોય છે. હવે તો એનો ફોટોગ્રાફ તમારી સામે હાજરાહજૂર છે. જ્યારે તમે ચોરી કરવાનો વિચાર કરતા હો છો ત્યારે તમારું આભામંડળ કોઈ જૂદા જ પ્રકારનું ઉદાસ, રોગી, ખૂની રંગોથી ભરેલું બની જાય છે. જ્યારે તમે કોઈ પડી ગયેલા માણસને ઉઠાડવાની કોશિશ કરો છો ત્યારે તમારા આભામંડળના રંગતરત જ બદલાઈ જાય છે. આજથી ચાલીસ વર્ષ પહેલાં અમેરિકામાં એડગર કાયેસી નામે એક મોટો પ્રોફેટ-રહસ્યદર્શી થઈ ગયો. એ અમેરિકાનો “ઊંઘતો રહસ્યદર્શી' (sleeping prophet) કહેવાતો. એ સમાધિ જેવી
Page #12
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
ગહન નિદ્રામાં ચાલી જાતો અને તે વખતે એ ભવિષ્યવાણી કરતો રહેતો. એણે એક નહીં, દસ હજાર ભવિષ્યવાણી કરી છે. એમાંની બધી આજ સુધી સાચી પડી છે. ચાલીસ વર્ષ પહેલાં એણે કરેલી એક ભવિષ્યવાણી એ હતી કે ચાલીસ વર્ષ પછી, રશિયામાં એક નવા વૈજ્ઞાનિક ધર્મનો જન્મ થશે. આ વાત એડગરકાયેસીએ એવે સમયે કરી હતી કે જ્યારે રશિયામાં ધર્મનો નાશ કરાઈ રહ્યો હતો, ચર્ચો તોડી પડાતાં હતાં, પાદરી-પુરોહિતોને સાઈબેરિયામાં દૂર ધકેલી દેવાતા હતા. એ દિવસોમાં કલ્પના પણ ન કરી શકાય, કે રશિયામાં ધર્મનો જન્મ થશે. રશિયા એકલો દેશ આ પૃથ્વી પર હતો જ્યાં સર્વપ્રથમ ધર્મનો ખૂબવ્યવસ્થિત રીતે નાશ કરાઈ રહ્યો હતો. નાસ્તિકતા જેટલા આગ્રહપૂર્વક રશિયામાં દાખલ કરી દેવાઈ તેટલા પ્રમાણમાં આસ્તિક્તા, ભૂગર્ભ માર્ગોમાં રશિયામાં સ્થાપિત થઈ ગઈ. જીવનનો આ એક સનાતન નિયમ છે કે તે હંમેશાં પોતાનું સંતુલન નિર્માણ કરી લે છે. સ્ટાલીનના મરણ સુધી આ ભૂગર્ભ પ્રવૃત્તિ છૂપી ચાલુ રહી. પરંતુ તે પછી
ધ્યાનના પ્રયોગો પ્રગટ થવા લાગ્યા. રશિયામાં, નેલ્યા માઈખાલાવા નામે એક વ્યક્તિ સ્ટાલીન પછીનાં પંદર વર્ષ દરમિયાન ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ. માઈખાલાવા માત્ર ધ્યાન દ્વારા વસ્તુઓને દૂરથી ગતિમાન કરી શકતી હતી.હાથ કે શરીરના કોઈ ભાગથી અડીને નહીં, પરંતુ છ ફૂટ દૂર રાખેલી કોઈ ચીજ પર એકાગ્ર ચિત્ત થઈ, તેને પોતાની તરફ ખેંચી શકતી હતી કે હલાવી શકતી હતી. લોહચુંબકવાળી સોય લટકાવી હોય તેને ફેરવીને પોતાના તરફ કરી શકતી હતી. સાધારણ રીતે એ સોય ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ સ્થિર રહે છે, પરંતુ માઈખાલાવા તેની દિશા બદલી શકતી હતી, દૂરથી જ પોતાની એકાગ્રદષ્ટીથી. પરંતુ નવાઈની એક વાત એવી બનતી કે જે એની આસપાસ સંપૂર્ણ શંકાશીલ વ્યક્તિઓ ઊભી હોય, તો એને આ રીતે સોયને આકર્ષિત કરવામાં ચાર પાંચ કલાક લાગી જતા હતા. એની આસપાસ મિત્ર સમુદાય સહાનુભૂતિપૂર્ણ વ્યક્તિઓનો હોય તો માત્ર અર્ધા કલાકમાં સોયને ફેરવી શકાતી હતી. જ્યારે જ્યારે એને પાંચ કલાક લાગી જતા ત્યારે એક બીજી ઘટના પણ બનતી હતી. માઈખાલાવાનું વજનદસ પાઉન્ડઘટી જતું હતું. સોયને હલાવતાં અર્ધો કલાક લાગતો ત્યારે ત્રણ પાઉન્ડ વજન ઘટતું હતું પરંતુ જ્યારે માત્ર પાંચ જ મિનિટમાં એ હલાવી શકાતી ત્યારે એના શરીરનું વજનબિલકુલ ઓછું થતું નહીં. આ પ્રયોગો નોબેલ ઇનામ જીતનાર વૈજ્ઞાનિક ડૉ. વસિલિએવ અને કામિનિયેવ તેમ જ અન્ય ચાલીસ વૈજ્ઞાનિકોની હાજરીમાં પુરવાર કરાયા અને એમણે જાહેર કર્યું કે માઈખાલીવાજે કરી રહી છે તે સત્ય હકીકત છે. હવે એવાં વિદ્યુત ચુંબકીય યંત્ર વિકસિત થયાં છે કે જેમાં માઈખાલોવા
જ્યારે ધ્યાનમાં એકાગ્ર થાય છે ત્યારે એનું આભામંડળ સંકોચાઈને એક ધારામાં વહેતું હોય છે તેનો ગ્રાફ અંક્તિ થાય છે. જે વસ્તુ તરફ એ ધ્યાન કરે છે તેના તરફ, એક લેસર કિરણની જેમ એની શક્તિ, તરંગો દ્વારા પ્રસરીને એ વસ્તુને હટાવે છે કે ચુંબકીય આકર્ષણ પેદા કરી પોતાની તરફ ખેંચે છે. માત્ર એનો દઢ શ્રદ્ધાપૂર્વકનો ભાવ થાય કે વસ્તુ એના તરફ ખેંચાય. તુરત જ વસ્તુ ખેંચાઈ આવે છે; વસ્તુ હટી જાય, એવો ભાવ કરવાથી વસ્તુ હટી જાય છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર
આથીવધુ આશ્ચર્ય ઊપજાવે તેવી વાત તો એ છે કે જે ઊર્જા પેદા થાય છે તેને, રશિયન વૈજ્ઞાનિકોના મત પ્રમાણે સંગ્રહ થઈ શકે છે. જો એ ખરેખર કોઈ પ્રકારની ઊર્જા હોય તો તેનો સંગ્રહશક્ય છે. તો આ ઊર્જા જેને યોગશાસ્ત્ર પ્રાણ” ઊર્જ કહે છે તેને જે યંત્રમાં સંગ્રહિત કરી શકાયતો એ ઊર્જમાં જે મૂળભાવ વ્યક્તિએ આરોપિત કર્યો હતો, તે ભાવ પણ એ સંગ્રહિત ઊર્જામાં કાયમ રહે છે. મોઈખાલાવાનું વજન ઘટી રહ્યું હતું, ત્રણથી દસ પાઉન્ડ સુધી, તે પણ ભૌતિક શરીરનું ઊર્જમાં રૂપાંતર થવાથી ઘટતું હતું, જે ઓરડામાં આવાં યંત્રમાં ઊર્જા સંગ્રહ કરેલી હોય તે ઓરડામાં તમે દાખલ થાવ ત્યારે જો માઈલોવાનો ભાવ વસ્તુને દૂર હટાવવાનો હોય તો તમને ઓરડામાંથી ભાગી જવાનું મન થશે. એનો ભાવ જો વસ્તુને પોતા તરફ ખેંચવાનો હશે તો તમને એ યંત્ર તરફ આગળ વધવાનું મન થશે. માઈખાલોવાત્યાં હાજર હોતી નથી, પરંતુ યંત્રમાં સંગ્રહ કરેલી એની શક્તિ તમારા પર અસર કરતી હોય છે. આ શું પુરવાર કરે છે? આ પ્રયોગથી એ પુરવાર થાય છે કે આપણા મનોભાવ શબ્દમાં, વિચારમાં, તરંગમાં પ્રવિષ્ટ થઈ જાય છે અને સંગ્રહિત થઈ જાય છે. નમો અરિહંતાણં મંત્ર, ભાવપૂર્વક કોઈ વ્યક્તિ જ્યારે ઉચ્ચારે છે ત્યારે એ વ્યક્તિ એવો ભાવ કરે છે કે જે વ્યક્તિઓએ પોતાના દુશ્મનોને જીત્યા અને જાણ્યાત વ્યક્તિઓને શરણે, હું મારી જાતને ધરી દઉં છું. આમ બને છે ત્યારે એ મંત્રજાપ કરનાર વ્યક્તિનો અહંકાર ઓગળવા લાગે છે. જે જે લોકોએ આ જગતમાં પોતાની જાતને અરિહંતોના શરણમાં છોડી દીધી છે, તેમની શક્તિ આવી વર્ષોથી નિર્માણ થતી આવતી મહાધારામાં મળી જઈ એનો હિસ્સો બની જાય છે. આકાશનાં અવકાશમાં, ચારે બાજુ આ અરિહંત ભાવના મંત્રના તરંગોથી જે શક્તિ સંગ્રહિત થયેલી છે તેમાં તમારી ભાવઊર્જાના તરંગ પણ સંમિલિત થઈ જાય છે. તેથી તમારી ચોતરફ એક દિવ્યતા અને ભગવત્તાનું વાતાવરણ નિર્માણ થઈ જાય છે. તમે પણ આ ભાવતરંગોના પ્રભાવથી એક અલગ વ્યક્તિ બની જાવ છો. આ મંત્ર-મહામંત્ર-સ્વર્યાની આસપાસના આકાશને અને સ્વયંના આભામંડળને બદલવાનો કીમિયો છે. જે દિવસ રાત કોઈ વ્યક્તિ આ નમોકાર મંત્રના સ્મરણમાં ડૂબતો રહે તો એ થોડા સમયમાં જુદી જ વ્યક્તિ બની જશે. એ એ વ્યક્તિ નહીં રહે છે તે હતો. હવે “નમો અરિહંતાણં મંત્રને સમજીએ. પાંચનમસ્કાર છે. અરિહંતનો અર્થ છે કે જેના બધા શત્રુઓનો નાશ થયો, જેનામાં એવો કોઈ ક્યાંય બચ્ચો નથી જેની સામે લડવું પડે, બધી લડાઈ સમાપ્ત થઇ ગઈ. હવે ક્રોધનથી જેની સામે લડવું પડે, હવે કામ નથી જેની સામે લડવું પડે, હવે લોભ કે અહંકાર નથી જેની સામે લડવું પડે. જેની સામે લડવું પડતું હતું તે બધાં અજ્ઞાન નાશ પામ્યાં. હવે એક ર્નિદ્રઢ સંઘર્ષહીન (non-conflicting) વ્યક્તિત્વ, જેનું નામ અરિહંત છે તે શરૂ થયું, અરિહંત આખરી પડાવ છે, શિખર છે, મંજિલ છે. હવે કાંઈ કરવાનું, મેળવવાનું, છોડવાનું બચ્યું
Page #14
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
નથી. બધું સમાપ્ત થઈ ગયું. જ્યા માત્ર શુદ્ધ અસ્તિત્વ(pure existence) બચ્યું છે, બ્રહ્મમાત્ર, હોવાપણું રહ્યું છે તેનું નામ “અરિત”.
એક અદ્ભુત વાત એ છે કે “નમો અરિહંતાણં મંત્રમાં કોઈ વ્યક્તિનું નામ નથી. મહાવીર, પાર્શ્વનાથ કે કોઈ બીજા તીર્થકરનું નામ નથી-જૈન પરંપરાનું કોઈ નામ નથી. કારણકે જૈન પરંપરા એ સ્વીકારે છે કે “અરિહંત માત્ર જૈન પરંપરામાં જ નથી થયા, બીજી પરંપરાઓમાં પણ અરિહંત થયા છે. તો આ નમોકાર કોઈ ખાસ અરિહંતને નહીં, બધા અરિહંતોને છે. આ એક વિરાટનમસ્કાર છે, વિશ્વના બીજા કોઈ ધર્મમાં, આવો સર્વાગીણ, આવો સર્વસ્પર્શ મહામંત્ર વિકસિત થયો નથી. એનો જાણે કોઈ વ્યક્તિ કેન્દ્રિત ખ્યાલ નથી, શક્તિ તરફ ધ્યાન છે. આ મંત્રમરૂપ પર ધ્યાન નથી, જે અરૂપ સત્તા છે તેના તરફ ધ્યાન છે. અરિહંતોને નમસ્કાર! મહાવીરના જે પ્રેમી હોય તેમણે કહેવું જોઈએ ‘મહાવીરને નમસ્કાર', બુદ્ધને જે પ્રેમ કરે તેણે કહેવું જોઈએ બુદ્ધને નમસ્કાર. રામને પ્રેમ કરનાર કહે કે રામને નમસ્કાર, પરંતુ બીજી કોઈ પરંપરામાં આવો મંત્રનથી, જે કહે છે કે “અરિહંતોને નમસ્કાર”. તે બધાને નમસ્કાર, જે મંજિલ પર પહોંચી ગયા છે. ખરેખર તો મંજિલને નમસ્કાર.
અરહિંત’ શબ્દનકારાત્મક (negative) છે. એનો અર્થ છે જેના શત્રુ સમાપ્ત થઈ ગયા. એ શબ્દ વિધાયકpositive) નથી. કારણકે આ જગતમાં જે કાંઈ શ્રેષ્ઠતમ અવસ્થા છે તેને નિષેધથી જ પ્રગટ કરી શકાય છે. એવો એક બીજો શબ્દ છે નેતિ-નેતિ' એનું પણ કોઈ વિધાયક રૂપ નથી. વિધાયક શબ્દોને સીમા હોય છે. નિષેધમાં સીમા હોતી નથી. “આ આવું છે” એવું કહેવામાં એક સીમા છે. પરંતુ “આવુ નથી” એમાં કોઈ સીમા હોતી નથી. ‘નહીં ને સીમા નથી. છે” ને સીમા છે. ‘છે નાનો શબ્દ છે “નહીં વિરાટ છે. એટલે અરિહંત શબ્દ પરમ શિખરનો સૂચક છે. એમ કહેવાયું છે કે જેના બધા શત્રુ સમાપ્ત થઈ ગયા, જેનાં બધાં અંતર્દઢ વિલીન થઈ ગયાં, જેનામાં લોભ નથી. કામ નથી. મોહનથી. ‘શું છે તે નથી કહેવાયું. “શું નથી તે કહેવાયું છે. એટલે અરિહંત શબ્દ બહુ માનવીય છે, ભાવાત્મક (abstract) છે, જલદી પકડમાં આવે તેવી નથી. માટે એની પછીના બીજ મંત્રમાં વિધાયકતાનો ઉપયોગ કરાયો ‘નમો સિદ્ધાણં'. “નમો સિદ્ધાણં મંત્રમાં સિદ્ધ' શબ્દનો અર્થ છે જેમણે મેળવી લીધું. આ બહુવિધાયક શબ્દ છે. સિદ્ધિ, ઉપલબ્ધિ, કાંઈક મેળવી લીધું achievement) એવો ભાવ છે. કાંઇક છોડ્યું, નાશ થયો, એવા “અરિહંત' શબ્દના ભાવ એમાં નથી. એક વાત ખ્યાલમાં રાખવાની છે. જેમણે ખોયું છે, છોડ્યું છે, એમને પ્રથમ સ્થાન અપાયું છે. જેમણે મેળવ્યું છે,’ એમને બીજનંબરે રખાયા છે, કેમ? સિદ્ધ અરિહંતથી કોઈ રીતે ઓછા નથી હોતા. સિદ્ધ પણ ત્યાં જ પહોંચ્યા છે, જ્યાં અરિહંત પોંચ્યા છે. પરંતુ ભાષામાં વિધાયક ને બીજા સ્થાન પર રખાય છે. ‘શૂન્ય’ પ્રથમ છે. હોવું તે દ્વિતીય છે. સિદ્ધ વિશે માત્ર એટલી જ
Page #15
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર
સૂચના છે કે એ પહોંચી ગયા. બીજુ કોઈ વિશેષણ જોડાયું નથી. પહોંચી ગયા એટલે શું? એ કાંઈ આપણી સમજમાં આવતું નથી. “અરિહંત’ તો એથી વધારે અગમ્ય છે, ‘શૂન્ય થઈ ગયા, ‘નિર્વાણ પામી ગયા’, ‘મટી ગયા જે હવે નથી. સિદ્ધોએ શું મેળવ્યું છે? એ કાંઈ કહેતા નથી, એમની સિદ્ધીના કોઈ પ્રમાણ કે કોઈ મૂર્તરૂપ આપણી સમક્ષ રજૂ થતાં નથી. શું મેળવ્યું છે તે વિશે સિદ્ધ કાંઈ અભિવ્યકત કરતાં નથી. બુદ્ધને કોઈએ પુછ્યું કે તમારા દસ હજાર શિષ્ય છે, એમાં બુદ્ધત્વકેટલાને મળ્યું? તમે તો બુદ્ધ થઈ ગયા, પરંતુ કેટલા શિષ્યોએ બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું? બુદ્ધે કહ્યું કે હું તો પ્રગટ બુદ્ધ છું, બીજા ધણા અપ્રગટ બુદ્ધ છે. એ બુદ્ધ પોતાનામાં છુપાયા છે, જેમ બીજમાં વૃક્ષ છુપાયું હોય તેમ. તો સિદ્ધ બીજ જેવા છે. ઘણી વાર એવું બને છે કે જે કાંઈ મેળવવાનું છે તે મળી ગયું હોય છે. પરંતુ એ મળવાની ઘટના એવી ગહન હોય છે કે એને શબ્દમાં અભિવ્યક્ત કરવાનું મન થતું નથી. એટલે બધા સિદ્ધ બોલતા નથી. તેમ બધા અરિહંત પણ બોલતા નથી. બધા સિદ્ધ સિદ્ધ થયા પછી જીવંત રહેતા પણ નથી. એમની ચેતના એ સિદ્ધિની ઉપલબ્ધિમાં એટલી લીન થઈ ગઈ હોય છે કે શરીર તત્પણ છૂટી જાય છે, સિદ્ધિ મળતાંની સાથે જ. માટે સિદ્ધ ને પણ આપણે ઠીક ઠીક સમજી નથી શક્તા. પરંતુ મંત્ર તો એવો હોવો જોઈએ કે પહેલા પગથિયા પરથી છેલ્લા પગથિયા સુધી, જે કોઇ ઊભા છે તે બધાને, જ્યાં ઊભા હોય ત્યાંથી, જે કાંઈ સમજાઈ જાય ત્યાંથી, એમની યાત્રા શરૂ થઈ જાય. એટલે ત્રીજું સૂત્ર છે “નમો આયરિયાણં.’ આચાર્યોને નમસ્કાર. ‘આચાર્ય 'નો અર્થ છે જેમણે મેળવ્યું અને જે મળ્યું તે પોતાના આચરણમાં પ્રગટ પણ કર્યું. ‘આચાર્ય નો અર્થ છે જેમનાં જ્ઞાન અને આચરણ એક છે, એમાં ભેદનથી. એવું નથી કે સિદ્ધનાં જ્ઞાન અને આચરણમાં ભેદ હોય છે. પરંતુ સિદ્ધનું આચરણ શૂન્ય હોઈ શકે છે, આચરણ પ્રગટ જ ન થાય. અરિહંતનું આચરણ પણ જ્ઞાનથી ભિન્નનથી હોતું, પરંતુ અરિહંત એવા નિરાકાર થઈ જાય છે કે એમનું આચરણ પણ આપણને દેખાતું નથી. કાંઈક સમજવા માટે, આપણને કોઈ મૂર્તિની, સીમાઓની જરૂર રહે છે. એક ચોકઠું(Frame)જે ચારસીમાઓને બાંધતું હોય એની જરૂર પડે છે. એટલે ‘આચાર્ય' શબ્દમાં એક પ્રકારની આપણી સાથેની નિકટતા દેખાય છે. આચાર્યનો અર્થ છે જેનું જ્ઞાન આચરણ છે. કારણકે જ્ઞાનને તો આપણે ઓળખી શકતા નથી, આચરણ આપણને દેખાય છે, આપણે ઓળખી શકીએ છીએ. પરંતુ એમાં એક મોટું જોખમ સમાયેલું છે. આચરણ એવું પણ હોઈ શકે જે જ્ઞાનની નીપજ ન હોય. માત્ર બાહ્ય દેખાવ હોય. કોઈ માનવી અહિંસકન હોય, પરંતુ અહિંસક હોવાનો દેખાવ કરી શકે. પરંતુ કોઈ વ્યક્તિ અહિંસક હોય, તો તે હિંસાનું ક્યારેય આચરણ કરીનશકે. એક માણસ લોભી હોય, પરંતુ અલોભી હોવાનું આચરણ કરી શકે. એથી ઊલટું અલોભી હોય, તે લોભી હોવાનું આચરણમાં મૂકી ન શકે.
Page #16
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
એટલે “આચાર્ય આપણને સમજાય છે, પણ ત્યાંથી જ એક જોખમ પણ શરૂ થાય છે. કોઈ માણસ આચરણ એવું કરી શકે કે જેથી તે આપણને આચાર્ય છે એમ લાગે. એટલે આ એક આપણી મર્યાદા છે. સીમા બનવાનું શરૂ થાય છે ત્યાંથી આપણને દેખાવા લાગે છે અને જ્યાંથી દેખાવા લાગે છે ત્યાંથી આપણું અંધત્વ પણ શરૂ થાય છે. પરંતુ “આચાર્યને નમસ્કાર એટલે આપણે તેમને નમસ્કાર કરીએ છીએ, જેમનું જ્ઞાન એમનું આચરણ બને છે. અહીં પણ કોઈ વિશેષણ કે વિશેષ વ્યક્તિ તરફ ઈશારો નથી. કોઈ પણ ‘આચાર્ય હોઈ શકે. એક ઈસાઈ ફકીર જાપાન ગયો હતો ત્યાં એની મુલાકાત એક ઝેન ભિક્ષુ સાથે થઈ, ઈસાઈ ફકીરે ઝેન ભિક્ષુને પૂછ્યું કે જિસસ વિશે એમનો શું અભિપ્રાય છે. ઝેન ભિક્ષુએ કહ્યું કે જિસસ વિશે તમે કાંઈ કહો તો મને ખ્યાલ આવે, કારણકે મને જિસસ વિશે કાંઈ ખબર નથી. તો એ ફર્કરે કહ્યું કે જિસસે એમ કહ્યું છે કે જો કોઈ તમને એક તમાચો મારે તો તમારો બીજો ગાલ એની સામે ધરી દેજે. આ સાંભળીનઝેન ‘ભિક્ષુ એ કહ્યું કે “આચાર્યને નમસ્કાર ઈસાઈ ફકીર કાંઈ ન સમજ્યો. એણે આગળ કહ્યું જિસસે કહ્યું છે કે જે પોતાના વ્યક્તિત્વને ભૂંસી નાખશે, વ્યક્તિત્વનો નાશ કરશે, તેને બધું પ્રાપ્ત થશે. ભિક્ષુએ કહ્યું ‘સિદ્ધને નમસકાર’ ફકીર હજી કાંઇ ન સમજ્યો. એણે આગળ કહ્યું કે જિસસને ફાંસી પર લટકાવ્યા ત્યારે એ શૂન્ય થઈ ગયા, મૃત્યુને ચુપચાપ સ્વીકારી લીધું. ઝેન ભિક્ષુએ જવાબમાં કહ્યું “અરિહંતને નમસ્કાર'. આચરણ અને જ્ઞાન જેનાં એક છે તે ‘આચાર્ય'. એ સિદ્ધ પણ હોઈ શકે, અરિહંત પણ હોઈ શકે. આચરણથી જ આચાર્ય આપણને સમજાય છે. પરંતુ આચરણ બહુ સૂક્ષ્મ વાત છે અને આપણી બુદ્ધિ બહુ સ્થળ છે, જાડી છે. એટલે આચરણ પરથી નક્કી કરવું બહુ મુશ્કેલ છે. દાખલા તરીકે, મહાવીર નગ્ન થઈ ગયા. એ ચોક્કસ વાત છે કે ઘણા લોકોને એ નહીં ગમ્યું હોય. ગામેગામથી મહાવીરને ભગાડવામાં આવ્યા. ગામેગામ મહાવીર પર પત્થર ફેંકાયા. એ પત્થર ફેંકનાર આપણે જ હતા. એમ ન સમજતા કે પત્થરમારનાર કોઈ બીજા માણસો હતા. મહાવીરની નગ્નતા લોકોને ન સમજાઈ, કારણકે લોકોએ કહ્યું કે નગ્નતા આચરણહીનતા છે. આ કેવું આચરણ! મહાવીરનું નગ્ન થવું એટલું નિર્દોષ આચરણ હતું કે જેનો કોઈ હિસાબ લગાવવો શક્ય નથી. મહાવીર એટલા સરળ થઈ ગયા હતા કે એમના માટે છુપાવવા જેવું કાંઈ બચ્યું ન હતું. મહાવીરને હાડકાં અને ચામડીથી બંધાયેલો દેહબાંધી ન શક્યો. રશિયન વૈજ્ઞાનિકો જેને વિદ્યુત-ચુંબકીય ક્ષેત્ર (electro magnetic field) કહે છે તે શરીર-પ્રાણશરીર એટલું સધન બની ગયું હતું કે એને કપડાં તો ઢાંકી શકે તેમ ન હતાં. એટલે કપડાં સરી કહ્યાં. એવું પણ નથી કે કપડાં મહાવીર છોડયાં, કપડાં સરી પડ્યાં એ જ હકીકત છે. એક વાર જંગલના રસ્તા પરથી પસાર થતા એમની ચાદર ઝાડીમાં ભરાઈ ગઈ. મહાવીરને થયું કે
Page #17
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર
ચાદર ખેંચીશ તો ઝાડીમાં લાગેલાં ફૂલ ખરી પડશે, પાંદડાં તૂટશે, કાંટા હશે તો તે પણ તૂટશે. એટલે અર્ધી ચાદર ફાડીને ત્યાં જ છોડી દીધી. પછી શરીર પર જે અર્ધી ચાદર રહી હતી તે પણ ક્યારે સરી પડી એની મહાવીરને ખબર ન પડી. લોકોએ જોયાતો મહાવીર નગ્ન ઊભા હતા. આવું આચરણ સહન કરવાનું લોકો માટે મુશ્કેલ થઈ ગયું. આચરણના રસ્તા ઘણા સૂક્ષ્મ અને મુશ્કેલ છે. આચરણના સંબંધમાં આપણા ખ્યાલ બંધિયારને વારસામાં મળેલા છે. જે લોકો આપણા કહેવા મુજબ કરવા રાજી હોય છે તેઓ લગભગ મુડદાલ લોકો છે. આપણું કહ્યું માનીને આચરણ કરનાર સાધુઓની આપણે ઘણી પૂજા કરી છે. એમાં આચાર્યને નમસ્કાર” ની વાત ક્યાં આવી! તમે એમનું આચરણ નક્કી કરો કે એમનું જ્ઞાન એમનું આચરણ નક્કી કરે? જ્ઞાન એક પરમ સ્વતંત્રતા છે. માટે જે વ્યક્તિ આચાર્યને નમસ્કાર કરે છે તે એવો ભાવકરતી હોવી જોઈએ કે હું નથી જાણતો શું છે જ્ઞાન કે શું છે આચરણ ? પરંતુ જેનું પણ આચરણ એના જ્ઞાનમાંથી પેદા થતું હશે, વહેતું હશે, તેને હું નમસ્કાર કરું છું. આત્રીજા મંત્ર સુધી પણ વાત ઘણી સૂક્ષ્મ છે. ચોથાનમોકારમાં ‘નમો ઉવર્ઝાયાણં' ઉપાધ્યાયને નમસ્કાર. ઉપાધ્યાયનો અર્થ છે, એવી વ્યક્તિ કે જે જ્ઞાન આપે છે, આચરણમાં જ્ઞાન ઉતારે છે અને એ જ્ઞાન વિશે ઉપદેશ પણ આપે છે. તે જાણે છે, જાણીને એવું જીવે છે કે જે એના જ્ઞાનમાંથી પેદા થયું હોય અને જેવું જીવે છે અને જાણે છે તેવું જ બતાવે છે, ઉપદેશે છે. આપણે મૌન તો સમજાતા નથી, આચાર્ય મૌન રહી શકે છે. કારણકે એ જાણે છે કે મારું આચરણ જ પર્યાપ્ત છે, છતાં તમે આચરણ ન સમજી શક્તા હો તો તમે જાણો.” પરંતુ ઉપાધ્યાયતમારા પર વધુ દયાવાન છે. તે તમને શબ્દોમાં કહીને સમજાવે છે. ધર્મની સીડી પર ઊભેલી વ્યક્તિઓ માટે, આ ચાર પ્રકારની જ્ઞાની વ્યક્તિઓની સ્પષ્ટ રેખાઓ આંકી. પરંતુ આ ચાર પ્રકારના જ્ઞાનીઓ સિવાય પણ બીજા જાણકારો હશે જે આ ચાર પ્રકારની બહાર છૂટી જાય છે. એટલે આ મંત્ર બહુ આશ્ચર્ય ઉપજાવે તેવો છે. પાંચમાં ચરણમાં એક સામાન્ય નમસ્કાર છે નમો લોએ સવ્વસાહૂણં, લોકોમાં જે પણ સાધુ છે તે સૌને નમસ્કાર.’ જગતમાં જે પણ સાધુ છે તે સૌને નમસ્કાર. ચાર પ્રકારના શાનીઓ સિવાય, જે અન્ય જ્ઞાની રહી ગયા હોય તેમને નમન કરવાનું અમે ન ચૂકી જઈએ. જીવન ઘણું રહસ્યપૂર્ણ છે. બધી વ્યક્તિઓના ઢાંચા ચોક્કસપણે નક્કી થઈ શક્તા નથી-એટલે જે શેષ રહી ગયા હોય તેમને માત્ર સાધુ કહ્યા કે જે સરળ છે. એટલા સાદા અને સરળ કે ઉપદેશ આપવામાં પણ સંકોચ કરે. એટલા સરળ કે પોતાનું આચરણ પણ છુપાવે. એમને પણ અમારા નમસ્કાર. એટલે આનમસ્કાર અરિહંતો માટે નથી, અરિહંતો પ્રતિ છે. અને આપણે માટે છે. એનમસ્કારનાં જે પરિણામ થશે તે આપણા પર થશે. જે ફળ મળશે તે આપણને જ મળશે. ખરેખર જે કોઈ આ
Page #18
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૧૩
રીતે નમન કરે તો પણ એનો અહંકાર ટકી શકે એવું તમને લાગે છે? નહીં. અહંકાર ટકી રહેવો અસંભવ છે. પરંતુ આપણે એવા અદ્ભુત મણસો છીએ કે આપણી નજર સામે અરિહંતો ઊભા હશે તો પણ આપણે પહેલાં ખાતરી કરવા ઈચ્છીશું કે ખરેખર અરિહંત છે કે નહીં? મહાવીર તીર્થકર છે કે નહીં, એ નક્કી કરવામાં કેટલીય વ્યક્તિઓનાં જીવન સમાપ્ત થઈ ગયાં! મહાવીરના સમયમાં, મહાવીર તીર્થકર હતા કે નહીં, અરિહંત હતા કે નહીં, એ વિશે મોટા વિવાદ ચાલતા હતા. મહાવીરના સમયમાં અલગ અલગ જૂથ હતાં. એક ટોળું માનવું કે “મહાવીર અરિહંત નથી, બીજું કોઈ છે. ગોશાલક અરિહંત છે. મહાવીર તીર્થકર હોવાનો એમના અનુયાયીઓનો દાવો ખોટો છે.' મહાવીરનો પોતાનો તીર્થંકર હોવાનો કોઈ દાવો ન હતો. પરંતુ જેઓ મહાવીરને માનતા હતા તે મહાવીર વિશે દાવો કરવામાંથી બચી શકે તેમ પણ ન હતા, એમની પોતાની મુશ્કેલીઓ હતી. ચારે તરફ વિવાદ ચાલતો હતો. લોકો આ બાબત પરીક્ષા કરવા પણ આવતા હતા. ખરા આશ્ચર્યની વાત એ છે કે મહાવીર તીર્થકર નથી, મહાવીર ભગવાનનથી એમ સિદ્ધ કરી શકાય તો પણ તેનાથી આપણને શું લાભ થાય? મહાવીર ભગવાનન પણ હોય છતાં એમનાં ચરણોમાં માથું નમાવીને તમે કહી શકો ‘નમો અરિહંતાણં, તો એનાથી તમને તો લાભ થશે જ થશે. મહાવીર ભગવાન હોવાથી કાંઈ વધુ ફરક નહી પડે. મૂળ સવાલ મહાવીર ભગવાન છે કે નહીં તે નથી. પરંતુ મૂળ સવાલ તમને ક્યાંય ભગવાન દેખાય છે કે નહીં તે છે. તમને ક્યાંય પણ પત્થરમાં, પહાડમાં જે ભગવાન દેખાય તો તમે નમન કરી શકશો, ખરું રહસ્યનમનમાં છે, ઝૂકી જવામાં છે. જે ઝુકી શકે છે તેનામાં કાંઈક બદલાઈ જાય છે, એ પોતે અલગ વ્યક્તિ બની જાય છે. સિધ્ધ છે કે નહીં તે પારખવું મુશ્કેલ છે. બીજું કોઈ સિદ્ધન પણ હોય એ વાત જ અસંગત છે. કોઈ મહાવીરન પણ હોય. પરંતુ એ જો તમારા મૂકવા માટે નિમિત્ત બને તો વાત પૂરી થઈ ગઈ. કોઈ એવો ખૂણો મળી જાય જ્યાં તમારું મસ્તક ઝૂકી જાય તો તેથી તમને નવું જીવન પ્રાપ્ત થશે. નમોકાર મંત્ર બધા ખૂણા આવરી લે છે. જ્યાં જ્યાં તમારું મસ્તક ઝુકાવી શકાય તેવા બધા અજ્ઞાત, અજાણ્યા, અપરિચિત ખૂણા આ મંત્રમાં આવરી લેવાયા છે. ખબર નથી કોણ સાધુ છે. કોણ અરિહંત છે. આ જગતમાં જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે, પ્રકાશ પણ છે અને અંધારું પણ છે. જેમ સૂર્ય અસ્ત થાય છે, તેમ સૂર્ય ઊગે પણ છે. આ અસ્તિત્વવંદ્વથી ભરેલું છે. જ્યાં આટલું ઘનિષ્ટ અજ્ઞાન પ્રવર્તે છે ત્યાં ઘનિષ્ટ જ્ઞાન પણ હોવું જોઈએ. આ એક શ્રદ્ધામાં તરબોળ વ્યક્તિ આ નમોકારના પાંચ મંત્ર બોલી શકે ત્યારે સાચે એ પણ કહી શકે કે ખરેખર આ નમોકાર સૂત્ર મંગળમય છે, એનાથી બધાં પાપોનો નાશ થશે. આ મંત્ર તમારા માટે છે. મંદિરમાં જ્યારે કોઈ મૂર્તિનાં ચરણોમાં તમે શીશ નમાવો છો ત્યારે એ
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૪
નવકાર મંત્ર
ચરણો પરમાત્માનાં છે કે નહીં એ સવાલ નથી, શીશ ઝૂકી રહ્યું છે કે નહીં એ સવાલ છે. ચરણ તો નિમિત્ત છે. કોઈ મૂકવા માટેની વ્યવસ્થા છે. ખરી વાત એ છે કે ઝૂકવામાં જ પીડા છે. જે કોઈ આપણને ઝૂકાવે, તેના પ્રતિ ક્રોધ આવે છે. કોઈના પણ ચરણમાં મૂકવાની મજબૂરી ક્રોધ પેદા કરે છે, પછી ભલે તે મહાવીર હોય કે બુદ્ધ હોય, પરંતુ જે મહાવીર આપણાં ચરણોમાં ઝૂકી જાય તો આપણું ચિત્ત પ્રસન્ન થઈ જાય. આવું બને તો આપણે પછી મહાવીરને પત્થર શું કામ મારીએ, એના કાનમાં ખીલા શું કામ ઠોકીએ? પરંતુ મહાવીર જે તમારા ચરણમાં મૂકશે તો તમને કોઈ લાભ નહીં થાય, ઊલટું નુકસાન થશે. તમારો અહંકાર વધી જશે અને તમે વધારે અક્કડ ચાલવા લાગશો. મહાવીરે એમના સાધુઓને સલાહ આપી છે કે એમણે જે કોઈ સાધુન હોય તેને નમસ્કાર નકરવા. બહુ આશ્ચર્ય ઊપજાવે એવી આ સલાહ છે. સાધુ તો વિનમ્ર હોય. એટલો નિરહંકારી કે બધાંનાં ચરણોમાં શિર ઝુકાવી શકે. તો ગૃહસ્થ અને સાધુન હોય તેવાને નમસ્કાર નકરવાની આ વાત ઠીક નથી લાગતી. પરંતુ આ સલાહમાં મહાવીરની કરુણા છે તમારા પર. સાધુતમને નમસ્કાર કરશે તો તમારાં અહંકાર અને અસ્મિતા વધારે મજબૂત થશે. સાધુઓનું તો લક્ષણ જ એ છે કે એનું માથું બધાં ચરણોમાં ઝૂકે. પરંતુ એ તમારી આધ્યાત્મિક પ્રગતિમાં નિમિત્ત બનવા ચાહે છે. પરંતુ કોઈ સાધુ આગ્રહપૂર્વક તમને એનાં પોતાનાં ચરણોમાં મૂકવવાની કોશિશ કરે તો માનજે કે એ સાધુ આત્મહત્યા તરફ જઈ રહ્યો છે. એનર્કનો રસ્તો છે. આમ છતાં નર્ક તરફ જનાર વ્યક્તિ પણ તમને સ્વર્ગ તરફ ઈશારો કરવામાં નિમિત્ત બને, તમને મૂકવામાં સહાય કરે તો એમાં તમારું ભલું છે. પરંતુ આપણે જ્યાં જઈ રહ્યા છીએ તેની ચિંતા આપણે કરતા નથી, બીજા ક્યાં જઈ રહ્યા છે તેની ચિંતા કરીએ છીએ. નમોકાર-નમનનું સૂત્ર છે. જેઓએ કાંઈક જાણ્યું છે, મેળવ્યું છે, જેઓ જીવનનાં અંતરતમ ગૂઢ રહસ્યોથી પરિચિત થયા છે, જેમણે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેમણે આ ભૌતિક શરીરની પાર શું છે તે જાણ્યું છે, તેવી આ જગત સમસ્તની પાંચ પ્રકારની વ્યક્તિઓનાં ચરણોમાં નમન કરવાનું સૂત્ર છે. જગતસમસ્તમાં એટલે સમય અને ક્ષેત્ર બન્નેમાં, જે ગઈ કાલે હતા અને આવતી કાલે પણ હશે એવા સવ્ય લોએ સાણં.” સર્વલોકમાં વસતા સાધુઓને નમન. આ નમસ્કાર કરતાં આવડશે તો મહાવીરની વાણીને સમજવામાં સરળતા થશે. આ નમન પછી તમારી ઝોળી ખૂલશે અને એમાં મહાવીરની સંપત્તિ પ્રવેશ પામશે. નમન છે એક ગ્રહણશીલતા (receptivity). જેવા તમે નમન કરો છો કે તમારું હૃદય ખૂલે છે અને તેમાં તમે કોઈને પ્રવેશ આપવા તૈયાર થાવ છો. કારણકે જેના ચરણોમાં તમે ઝૂકી ગયા એને તમારામાં પ્રવેશવા દેવામાં તમે અડચણ ઊભી નહીં કરો, બલકે આમંત્રણ આપશો, તમારા દરવાજા ખુલ્લા મૂકી દેશો. પરંતુ જો તમારી શ્રદ્ધા નહીં હોય તો નમન અસંભવ બની જશે. નમન સાથે તમારી સમજનો જન્મ છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ: મંત્ર
૧૫
આગ્રાહકતા વિશે એક ખૂબ ઉપયોગી વાત કહું. ડૉ.વાસિલિયેવનામે એક અદભુત વિદ્વાન મોસ્કો યુનિર્વસિટીમાં ૧૯૬૬ માં, પ્રયોગો કરતો હતો. માનવીના મગજની ગ્રહણશીલતા કેટલી હોઈ શકે છે તેના પર પ્રયોગો કરતો હતો. એ પ્રયોગનું નામ હતું કૃત્રિમ પુનર્જન્મ (articicial reincarnation). વાસિલિયેવ પોતાના એક સાથીની મદદથી, એક વ્યક્તિને સંમોહન દ્વારા ઊંડી બેહોશીમાં લઈ જતા. એમની પાસે એક યંત્ર હતું જેનું E.E.G નામ હતું. આજે ડૉક્ટરો E.C.G. (electro cardiogramm) હૃદય પરીક્ષા માટે વાપરે છે તેવું જ માનસિક પરીક્ષણ માટેનું એ યંત્ર હતું. આ યંત્ર પર, ઊંઘતા માણસની નિદ્રાની ગુણવત્તાનો ગ્રાફ (graph) દોરાતો હતો. જ્યારે વ્યક્તિનું ચેતન મન ઊંઘમાં પ્રવેશે છે ત્યારે એક પ્રકારનાં આલ્ફા વેડ્ઝ (Alpha waves) પેદા થવાનાં શરૂ થાય છે. મન ચેતનમાંથી અચેતનમાં પ્રવેશ કરે છે ત્યારે એ વ્યક્તિ સ્વપ્ન જુએ છે તેનો, સ્વપ્ન બંધ થઈ જાય તેનો, ગાઢ નિદ્રામાં હોય તેનો અને અતલ ઉંડાણમાં ડૂબી જાયતેનો, જુદો જુદો નકશો (graph) એ યંત્ર પર દોરાય છે. જ્યારે એ વ્યક્તિ પ્રગાઢ નિદ્રામાં પ્રવેશે છે ત્યારે વાસિલિયેવ એક સૂચન કરે છે; એ વ્યક્તિ જે નાની મોટી ચિત્રકાર હોય તો વાસિલિયેવ કહે છે “તું” માઈકલ એંજેલો છે તારા ગયા જન્મનો, કે તું વાનગોગ છે પાછલા જન્મનો. એ જો કોઈ કવિ હોય તો તેને કહે છે કે “તું શેકસપીઅર હતો કે બીજો કોઈ મહાન કવિ હતો,ત્રીસ દિવસ સુધી આ રીતે રોજ, એ વ્યક્તિની આલ્ફા વેલ્શવાળી પ્રગાઢ નિદ્રાના સમયે, આ પ્રકારનાં સૂચનો આપ્યાં કરતાં. એ વ્યક્તિનું ચિત્ત ત્રીસ દિવસમાં સંમોહનમાં સાંભળેલી સૂચનાઓ ગ્રહણ કરી લેશે. ત્રીસ દિવસ પછી જે બન્યું તે ઘણું આશ્ચર્યકારક હતું. એક વ્યક્તિ જે સાધારણ ચિત્રકાર હતી, તેને પોતાને એવો ભરોસો આવી ગયો કે તે માઈકલ એજેલો છે. એ એક વિશિષ્ટ ચિત્રકાર બની ગયો. જે સાધારણ જોડકણાં કરનાર કવિ હતો, તેને વિશ્વાસ આવી ગયો કે એ શેકસપીઅરની કક્ષાની કવિતાઓ રચવા લાગ્યો. આ ઉપરથી વાસિલિયેવ એવા તારણ પર આવ્યો કે આપણે સૌ એક નાની બારીમાંથી જગતને જોતી વ્યક્તિઓ છીએ. આપણે માની લીધું છે કે આટલી જ જોવા-જાણવાની આપણી ક્ષમતા છે. બારી જેટલી ખુલ્લી છે, એટલું જ જોઈને આપણે જીવી રહ્યા છીએ. આપણી ચેતના એટલું જ સીમિત કામ કરે છે. વાસિલિયેવ કહે છે કે આપણાં બાળકો, સોમાંથી નવાણું બાળકો, એક પ્રતિભા (genius) ની ક્ષમતા લઈને પેદા થાય છે. ઘણી મોટી ક્ષમતાના વિકાસની શક્યતા છે. પરંતુ આપણાં માબાપ, શિક્ષણ, સમાજ, આપણી ક્ષમતાની બારી નાની ક્ય કરે છે. વીસપચીસ વર્ષ સુધીની ઉમરમાં, આપણને એક સાધારણ માણસ બનાવી દે છે. ખૂબ મોટી ક્ષમતા લઈને જે જન્મ્યા હતા, તેનાં દ્વાર નાના થતાં જાય છે અને એનો સ્વીકાર આપણે કરેલો હોય છે. વાસિલિયેવ કહે છે કે બધાં બાળકો પ્રતિભાવાન જન્મે છે. કેટલાંક આપણી કરામતોમાંથી છટકી જાય છે. તે પ્રતિભાવાન બની જાય છે, બાકી બધાં સાધારણ ઢાંચામાં જીવન પૂરું કરે છે. એટલે
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૬
નવકા૨ મંત્ર
વાસિલિયેવ એમ કહે છે કે મૂળ સૂત્ર ગ્રહણશીલતાનું છે. આપણું ચિત્ત જેટલું ગ્રહણશીલ રહેવું જોઇએ એટલું રહેતું નથી. પરંતુ એ ગ્રહણશીલતા અખંડ રહે તો એને જે કાંઇ કહેવામાં આવે તે એના ચિત્તના ઊંડાણમાં પ્રવેશી જાય. મોટી વાત વિશ્વાસની છે, શ્રદ્ધાની છે.
મહાવીરે આ વિશે ભારતમાં ઘણાં પ્રયોગો કર્યા હતા. પરંતુ મહાવીરની દિશા અલગ હતી. મહાવીરે જાતિસ્મરણના પ્રયોગ ર્યા હતા. કોઇ વ્યક્તિએ આધ્યાત્મમાં આગળ ઝડપી પ્રગતિ કરવી હોય તો એના પાછલા જન્મોનું એને જ્ઞાન થવું જોઇએ. જો આ પાછલા જન્મોનું સ્મરણ (જાતિસ્મરણ) બરાબર થઇ જાય તો ભવિષ્યની યાત્રામાં ભૂતકાળમાં પાછલા જન્મોમાં કરેલી ભૂલો ફરીથી કરવામાં સમય વેડફાતો બંધ થઇ જાય, આગળની યાત્રા ઝડપી બને અને સહેલી બને.
હવે આ નમોકાર મંત્રથી આપણે મહાવીરની વાણી પરની ચર્ચા શરૂ કરીશું. આ માર્ગ ખૂબ ગહન અને સૂક્ષ્મ છે. તમે જો ગ્રહણશીલ હશો, નમન અને શ્રદ્ધાથી ભરેલા હશો તો ઇ.ઇ.જી. જેવા કોઇ યંત્રની સહાયતા વિના પણ તમારામાં ‘આલ્ફ્રા વેવ્ઝ’ પેદા થશે. જ્યારે પણ કોઇ શ્રદ્ધાથી તરબતર હોય છે ત્યારે એનામાં જે ‘આલ્ફા વેવ્ઝ’ પેદા થાય છે તેનો ગ્રાફ (graph), ઇ.ઇ.જી. યંત્ર પર અંકિત થતાં, ગહન સંમોહનમાં પ્રગાઢ નિદ્રામાં તેમ જ ઊંડા ધ્યાનમાં અંકિત થતા ગ્રાફ જેવો જ હોય છે. શ્રદ્ધાથી ભરેલું ચિત્ત, ઊંડા ધ્યાન વેળાની અવસ્થા જેટલું જ, શાંત હોય છે. એવી જ શાંત અવસ્થા પ્રગાઢ નિદ્રામાં પણ હોય છે.
વાસિલિયેવ એક ‘નિકોલિયેવ નામના યુવક પર પ્રયોગો કરતો હતો. એ યુવક પર એણે વર્ષો સુધી પ્રયોગ કર્યા. નિકોલિયેવમાં બે હજાર માઇલ દૂરથી મોકલાતા વિચારોને ગ્રહણ કરવાની ક્ષમતા આવી ગઇ હતી. સેંકડો પ્રયોગો કરવામાં આવ્યા, જેમાં નિકોલિયેવે બે હજાર માઇલ દૂરના વિચારો પકડયા, જ્યારે એને પૂછવામાં આવ્યું કે તું આ કેવી રીતે કરી શકે છે? ત્યારે એણે જવાબ આપ્યો કે એકમાત્ર તરકીબ છે. અર્ધો કલાક પહેલાં હું સંપૂર્ણ શાંત-શિથિલ અવસ્થામાં પડયો રહું છું. બહારની તેમ જ ભીતરની બધી સક્રિયતાને છોડી દઇ એકદમ નિષ્ક્રિય (passive) થઈ જાઉં છું. પુરૂષની જેમ નહીં, પણ સ્ત્રીની જેમ નિક્રિય બની જાઉં છું. કાંઇ કરતો નથી, પરંતુ કાંઈ આવતું હોય, તો તે ગ્રહણ કરવા તૈયાર રહું છું. અર્ધા કલાક પછી જ્યારે મારી સાથે જોડાયેલા ઇ.ઇ.જી. યંત્રમાં ‘આલ્ફ્રા વેવ્ઝ’ દેખાવાનાં શરૂ થાય છે ત્યારે બે હજાર માઇલ દૂરથી મોકલાતા વિચારો પકડવામાં હું સમર્થ થઇ જાઉં છું. પરંતુ જ્યાં સુધી પૂરેપૂરો ગ્રહણશીલ થઇ જતો નથી ત્યાં સુધી આ વિચારો મારાથી પકડી શકાતા નથી.
વાસિલિયેવ બે પગલાં આગળ વધ્યો. અનેક રીતે વિકૃત થયેલા માનવીને બાજુએ રાખી એણે ઊંદર પર પ્રયોગ કર્યા. એને એમ થયું કે આવી ક્ષમતા પશુઓમાં વધારે શુદ્ધ હોઇ શકે છે. સદીનો એક અત્યંત અનૂઠો પ્રયોગ વાસિલિયેવે કર્યો. એક ઊંદરડીને દરિયાકિનારે રખાઇ અને એનાં આઠ બચ્ચાંને એક સબમરીનમાં દરિયામાં હજારો ફૂટ ઊડે લઇ જવામાં આવ્યાં. સબમરીનનો
આ
Page #22
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
ઉપયોગ એટલા માટે કરાયો કે એ પાણીમાં ઊંડે હોય ત્યારે એમાંથી રેડિયો વેલ્ટ બહાર નીકળી શકતાં નથી, તેમ બહારથી રેડિયો વેડ્ઝ અંદર જઈ શક્તાં નથી. કોઈ પણ કિરણ ઊંડે સુધી પાણીમાં પ્રવેશી શક્તાં નથી એવું વૈજ્ઞાનિકો કહે છે. સૂર્યનાં કિરણ અમુક ઊંડાઈ સુધી જ દરિયાનાં પાણીમાં પ્રવેશી શકે છે. કિનારા પર રાખેલી ઊંદરડીના માથા પર ચારે બાજુ ઈલેક્ટ્રોડ્ઝ લગાવી તેને ઈ.ઈ.જી. યંત્ર સાથે જોડી દેવાયા. ઈ.ઈ.જી. યંત્ર ઉંદરડીના મસ્તિષ્કમાં જે કાંઈ બને, તેનો ગ્રાફ દોર્યા કરે. એક અદ્ભુત વાત બની... હજારો ફૂટ નીચે સબમરીનમાં છ કલાકમાં, સમયે સમયે એનાં આઠે બચ્ચાંને મારી નાખવામાં આવ્યાં. સબમરીનમાં રહેલા વૈજ્ઞાનિકે જે જે સમયે એ બચ્ચાંને માર્યા હતા તેની નોંધ રાખી. કિનારા પર રહેલાં ઈ.ઈ.જી. યંત્ર પર, બરાબર તેતે સમયે જ, ઊંદરડીના મસ્તિષ્કમાંથી એક એક ધક્કો આવ્યો તેનોંધાયો. ઊંદરડીને હજાર ફૂટ ઊડે આ બચ્ચાંને, મરતાં હોવાની ખબર ટેલીપથી દ્વારા મળી. જાનવરોમાં ટેલીપથીક સંદેશા ઝીલવાની ક્ષમતા સહજ છે. માનવીની આ ક્ષમતા ખોવાઈ ગઈ છે. જાનવરો હજી પણ ટેલીપથીક જગતમાં જીવી રહ્યાં છે. નવકાર મંત્રનો ઉપયોગ છે, તમને ફરીથીટલીપથીક જગતમાં લઈ જવાનો. જો તમે તમારી જાતને હૃદયપૂર્વક શરણાગતિમાં છોડી શકો. તમે તમારા અચેતન ઉંડાણમાં ડૂબીને કહી શકો ‘નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં તો તમે તમારા પોતાના અનુભવથી કહી શકશો. સવ્વપાવપણાસણો કે આ સર્વ પાપોનો નાશ કરનાર મંત્ર છે. આજે આટલું જ. હવે આપણે આ મહામંત્રનો ઉદ્દધોષ કરીશું. એમાં આપણે બધા સામેલ થઈએ. કોઈ અહીંથી બહાર નહીં જાય. જે લોકોને ઊભા રહીને આમંત્ર બોલવો હોય તેઓ ખુરશી છોડી બહાર આવી ઊભા રહે. સંન્યાસી હવે નાચશે અને આ મંત્રના ઉદ્ઘોષમાં ડૂબશે. આ મંત્રને તમારા પ્રાણોમાં ઉતારીને જ અહીંથી બહાર જજે. જેને બેસીને સાથ આપવો હોય તે તાળીના તાલે ઉદ્ઘોષ કરશે. બધા સામેલ થઈ જાવ, કોઈ ખાલી બેઠું ન રહે, કોઈ વ્યર્થ બેસી ન રહે.
Page #23
--------------------------------------------------------------------------
________________
मंगल-भाव सूत्र
अरिहंता मंगलम् सिद्धा मंगलं
साह मंगलं केवलिपन्नतो धम्मो मंगलं
अरिहंता लोगुत्तमा सिद्धा लोगुत्तमा
साहू लोगुत्तमा केवलिपन्नतो धम्मो लोगुत्तमा
અરિહંત શુભ છે. સિધ્ધ શુભ છે. સાધુ શુભ છે. કેવલી પ્રરૂપિત ધર્મ શુધ્ધ છે. (કેવલી પ્રરૂપિત એટલે આત્મા કથિત) અરિહંત લોકોત્તમ છે. સિધ્ધલોકોત્તમ છે. સાધુલોકોત્તમ છે. કેવલી પ્રરૂપિત ધર્મલોકોત્તમ છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
૨. મંગળ અને લોકોત્તમની ભાવના
મહાવીરે કહ્યું છે કે જે મેળવવું છે તેને જોવાનું શરૂ કરી દેવું જોઈએ. જેને આપણે જોવામાં સમર્થ બનીએ છીએ તેને જ આપણે મેળવી શકીએ છીએ. જેને આપણે જોયું નથી તેને મેળવવાનો કોઈ ઉપાય નથી. જેને મેળવવું છે તેની ખેવના કરવાનો પ્રારંભ કરવો જોઈએ. મળતાં પહેલાં જેને માટે આપણે આપણા હૃદયમાં જગ્યા ઊભી કરી હોય છે તે જ આ જગતમાં મળે છે. અતિથિ ઘેર આવવાનો હોય તો તેના સ્વાગતની તૈયારી કરીએ છીએ. જે પોતાનામાં અરિહંતનું નિર્માણ કરવું હોય, સિદ્ધને ક્યારેક પામવા હોય, કોઈ ક્ષણે સ્વયંકેવલી બનવું હોય તો એને જોવાની, એની ભાવના કરવાની, એની આકાંક્ષા અને અભીપ્સા તરફ આપણે ડગલાં ભરવાનું શરૂ કરવું જોઈએ. મહાવીરથી અઢી હજાર વર્ષ પૂર્વે એક કહેવત પ્રચલિત હતી. લાઓત્સ દ્વારા એ કહેવાઈ અને એમાં ચિંતનની ધારાનો પૂરો સાર આવી જાય છે. એ કહેવત છે superior physician cares the illness, before it is manifested. જે શ્રેષ્ઠ ચિકિત્સક છે તે બીમારીને પ્રગટ થતા પહેલા જ ઠીક કરી દે છે. The inferior physician, only cares for the illness which he was not able to prevent. જે સાધારણ ચિકિત્સક છે, તે જે બીમારીને રોકી શકવા માટે એ અસમર્થ હતો, તે બીમારીને દૂર કરવામાં થોડી સહાયતા માત્ર આપે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મહાવીરથી પાંચ હજાર વર્ષ પહેલાં ચીનમાં બીમારી ઠીક કરવા માટે ચિકિત્સકને કાંઈ પુરસ્કાર આપવો પડતો ન હતો. એનાથી ઊલટો જ રિવાજ હતો. ચિકિત્સકને પગાર આપવો પડતો હતો, જેથી કુટુંબમાં કોઈ બીમાર ન પડે. પરંતુ ક્યારેક કોઈ બીમાર પડી જાય તો ચિકિત્સકે એને સાજો કરવો પડતો અને સામેથી દર્દીને પૈસા પણ આપવા પડતા હતા. જ્યાં સુધી દર્દી સાજો ન થાય ત્યાં સુધી ચિકિત્સકએને પૈસા આપતો. આ ચિકિત્સા પદ્ધતિનું નામ
Page #25
--------------------------------------------------------------------------
________________
RO
મંગળ અનેલોકોત્તમની ભાવના
ચીનમાં ‘એક્યુપંકચર’ હતું. હવે આ પદ્ધતિને વૈજ્ઞાનિકો તરફથી પણ સમર્થન મળી રહ્યું છે. રશિયામાં આ પદ્ધતિથી પ્રયોગો થઈ રહ્યા છે અને ત્યાંના કેટલાક લોકોનું એવું માનવું છે કે આ સદીના અંત સુધીમાં રશિયામાં પણ બીમાર પડનારને ચિકિત્સકે પૈસા આપવા પડશે. કોઈ બીમાર પડશે તો ચિકિત્સક જવાબદાર ગણાશે. “એક્યુપંકચર’ એમ માને છે કે શરીરમાં માત્ર લોહી વહેતું નથી, માત્ર વિદ્યુત વહેતી નથી, પરંતુ પ્રાણ ઉર્જા ‘alanvital' નો ત્રીજો પ્રવાહ પણ વહે છે. શરીરમાં આ પ્રવાહ ચામડીને સાતસો સ્થાને સ્પર્શ કરે છે. એટલા માટે ચામડી પર જે જે સ્થાનો પર પ્રવાહ અસંતુલિત થઈ ગયો હોય ત્યાં સોય ખોંસીને તે પ્રવાહને વ્યવસ્થિત કરવામાં આવે છે. બીમારી આવવાના છ મહિના પહેલાં આ પ્રવાહ અસંતુલિત થઈ જાય છે. તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે નાડી ચિકિત્સામાં પણ લોહીના પ્રવાહને સમજવાનો નહીં, પરંતુ જીવપ્રવાહ-પ્રાણઊર્જાને સમજવાનો જ પ્રયત્ન હોય છે. નાડી પણ બીમારી આવતાં પહેલાં છ મહિનાથી અસ્તવ્યસ્ત થઈ જાય છે. આપણામાં જે પ્રાણશરીર છે (etheric body) તેમાં પહેલાં બીજરૂપે બધી ચીજો પેદા થાય છે અને પછી તે વૃક્ષોરૂપે આખા શરીર પર પ્રસરી જાય છે. શુભને પેદા કરવું હોય કે અશુભને, સ્વાથ્ય પેદા કરવું હોય કે બીમારી, સૌથી પહેલાં પ્રાણશરીરમાં બીજ રોપવાં પડે છે. આ અરિહંત મંગળ છે તે સ્તુતિ, પ્રાણશરીરમાં એક બીજ આરોપવાનો પ્રયત્ન છે. કારણકે જે કાંઈ મંગળ છે તેની કામના સ્વાભાવિક છે. આપણે બધા મંગળ ઈચ્છીએ છીએ, કોઈ અમંગળ ચાતું નથી. આ સ્તુતિમાં કોઈ ચાહની, ઈચ્છાની વાત નથી, માત્ર મંગળનો ભાવ છે. અરિહંત મંગળ છે, સિદ્ધ મંગળ છે, સાહૂમંગળ છે, કેવલીપન્નતો ધર્મમંગળ છે. જેમણે જાણ્યું છે અને મેળવ્યું છે એમના દ્વારા ઉપદેશાવેલો પ્રરૂપિત ધર્મ મંગળ છે. માત્ર મંગળનો ભાવ છે, સમગ્ર પ્રતિ મંગળની ધારણાને પેદા કરવાની છે. આકાંક્ષાનો કોઈ સવાલ નથી. આકાંક્ષા, મંગળની ધારણાની પાછળ છાયાની જેમ ચાલી આવે છે. પાતંજલિ યોગનાં આઠ અંગોમાં કીંમતી અંગ છે ‘ધારણા(concentration) જ્યાંથી અંર્તયાત્રા શરૂ થાય છે. ધારણા છઠું અંગ છે, તે પછી છે ધ્યાન અને સમાધિ. પતંજલિનું છઠું સૂત્ર, મહાવીરનું પહેલું સૂત્ર છે. કારણકે મહાવીર એમ માને છે કે ધારણાથી બધું શરૂ થાય છે, જેવી આપણામાં ધારણા ગહન થાય છે કે તરત જ આપણી ચેતના રૂપાંતરિત થાય છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તમે માત્ર તમારી ધારણાઓથી જ નહીં, બીજાની ધારણાઓથી પણ પ્રભાવિત થાઓ છો.તમારી નજીકથી ધારણાઓનો પ્રવાહ વહ્યા કરે છે, એનાથી પણ તમે પ્રભાવિત થાઓ છો. એટલે મહાવીરે કહ્યું કે અજ્ઞાનીથી દૂર રહેવામાં મંગળ છે, જ્ઞાનીની નજીક રહેવામાં મંગળ છે. જેની
Page #26
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
ચેતના રોગિષ્ટ હોય તેનાથી દૂર રહેવામાં મંગળ છે. જેની ચેતના સ્વસ્થ છે તેની નિકટ રહેવામાં મંગળ છે. સત્સંગનો એટલો જ અર્થ છે કે જ્યાં શુભધારણાઓ વહેતી હોય એવા વાતાવરણમાં રહેવામાં મંગળ છે. રશિયાનો એક વિચારક ડૉ. સિરાવ એક્યુપંચરના પ્રયોગો કરી રહ્યો છે. એકતંત્ર દ્વારા, પડોશીની ધારણા ક્યારે અને કેવી રીતે તમને પ્રભાવિત કરે છે તેની એ પરીક્ષા કરે છે. તમે આખો વખત પડોશીઓની ધારણોથી પ્રભાવિત થયા કરો છો. તમને એ ખ્યાલ નથી કે તમને જે ક્રોધ આવ્યો તે તમારો જ હોય, તેમ તે તમારા પડોશીનો પણ હોઈ શકે. મોટાં ટોળાંમાં આવી ચીજનો ખ્યાલ આવતો નથી. ટોળામાં બેઠા હોને કોઈ બગાસું ખાય તે જ ક્ષણે અલગ અલગ ખૂણામાં બેઠા હોય તેવા માણસો પણ બગાસાં ખાવા માંડે. સિરોવ એમ કહે છે કે તમારામાં જે ધારણા પેદા થાય છે તેનાં વર્તુળ પેદા થઈ આસપાસ ફેલાઈ જાય છે અને બીજાઓ તે પકડી લે છે. સિરોવે જે યંત્ર બનાવ્યું છે, તે તમારામાં બીજા કોઈની ધારણા ક્યારે અને કેવી રીતે પ્રવેશે છે તે બતાવે છે. આપણી પોતાની ધારણાથી તો આપણું પ્રાણશરીર પ્રભાવિત થાય છે જ, પરંતુ બીજાની ધારણાથી પણ પ્રભાવિત થાય છે. આ વિશે એક બે ધટનાઓ તમને કહું જેથી તમને સહેલાઈથી સમજાશે. ૧૯૧૦માં જર્મનીમાં એક પંદર-સોળ વર્ષનો છોકરો ટ્રેનની બેઠકનીચે છુપાઈને બેઠો હતો. એની પાસે ટ્રેનની ટિકિટ ન હતી. એ ઘરમાંથી ભાગીને આવ્યો હતો. એની પાસે કાંઈ પૈસા પણ ન હતા. પાછળથી આ છોકરો બહુ મોટો માણસ બની ગયો, જેનું માથું કાપીને લાવનારને હિટલરે બે લાખ માર્ક આપવાની ઘોષણા કરી હતી. આ વ્યક્તિનું નામ હતું વુલ્ફઐસિંગ. સ્ટાલિન, આઈન્સ્ટાઈન અને ગાંધી બધા એને મળીને આનંદિત અને પ્રભાવિત થયા હતા. ૧૯૧૦માં એને કોઈ જાણતું ન
હતું.
વુલ્ફ મૈસિંગે પોતાની આત્મકથા લખી છે જે રશિયામાં પ્રસિદ્ધ થઈ. એમાં એણે લખ્યું છે કે જે દિવસે ટ્રેનમાં બેઠક નીચે છુપાઈને, ટિકિટ ન હોવાને કારણે, બેઠો હતો તે દિવસના બનાવે એની આખી જિંદગી બદલી નાખી. મૈસિંગે લખ્યું છે કે જ્યારે મારા ડબ્બામાં ટિકિટ ચેકર દાખલ થયો,
જ્યારે એના બૂટનો અવાજ મને સંભળાયો અને જ્યારે મારા ગભરાટને કારણે મને પસીનો છૂટી રહ્યો હતો અને મારો શ્વાસ અટકી ગયો હતો ત્યારે એ ઠંડીના દિવસોમાં એ ટિકિટ ચેકરે આવીને મને પૂછ્યું યંગમેન, તમારી ટિકિટ? એ શબ્દો મારાથી ક્યારેય ભુલાતા નથી. ઐસિંગ પાસે ટિકિટ તો હતી નહી. એણે અચાનક જમીન પર પડેલા એક કાગળના ટુકડાને ઉઠાવ્યો અને આંખ બંધ કરી સંકલ્પ કરી કહ્યું આ રહી ટિકીટ’ ટિકિટ ચેકરે તે હાથમાં લીધી ત્યારે મૈસિંગના મનમાં ગહન ભાવ હતોકે “ઓ ભગવાન એને આ કાગળમાં ટિકિટ દેખાય’ ટિકિટ ચેકરે ટિકિટ લઈ એમાં કાણું પાડ્યું અને પાછી ટિકિટ આપતા કહ્યું, “તારી પાસે ટિકિટ છે તો પછી બેઠક નીચે છુપાઈને શું કામ સૂતો છે? પાગલ થયો છે કે શું?' મૈસિંગને પોતાને પણ આ બનાવ
Page #27
--------------------------------------------------------------------------
________________
મંગળ અનેલોકોત્તમની ભાવના
પર વિશ્વાસ ન આવ્યો. પરંતુ આ ઘટનાથી એની આખી જિંદગી બદલાઇ ગઇ. આ ઘટના પછીનાં પચાસ વર્ષ દરમિયાન જગતમાં એ જ એક સૌથી મહત્ત્વપૂર્ણ માણસ હતો જેને ‘ ધારણા’ વિષે સર્વાધિક અનુભવ હતો.
૨૨
મૈસિંગની પરીક્ષા દુનિયાના મોટા મોટા લોકોએ કરી. ૧૯૪૦ માં એક થિયેટરમાં લોકોમાં તે વિચારો સંક્રમિત કેવી રીતે કરી શકે છે તેના પ્રયોગો કરતો હતો ત્યારે અચાનક પોલીસે આવીને મંચનો પડદો પાડી દીધો અને બહાર આવી પ્રેક્ષકોને કહ્યું કે કાર્યક્રમ સમાપ્ત થઇ ગયો છે. મૈસિંગને ગિરફ્તાર કરી તરત બંધ ગાડીમાં ક્રેમલિન લઇ જઇ સ્ટાલિન સામે ઊભો કરી દેવામાં આવ્યો. સ્ટાલિને કહ્યું, ‘ કોઇ વ્યક્તિ બીજાની ધારણાને, માત્ર પોતાની આંતરિક ધારણા દ્વારા પ્રભાવિત કરી શકે તે વાત હું માનતો નથી. જો એમ બની શકતું હોય તો માનવીમાત્ર પદાર્થ નથી રહેતો. તને એટલા માટે પકડીને અહીં લાવવામાં આવ્યો છે કે જેથી તું આ વાત મારી સામે સિદ્ધ કરી બતાવે.’
મૈસિંગે કહ્યું, ‘જેવી તમારી ઇચ્છા.’ સ્ટાલિને કહ્યું, ‘કાલે બે વાગ્યા સુધી તને અહીં પૂરી રાખવામાં આવશે. બે વાગે મારા માણસો તને મૉસ્કોની બેંકમાં લઇ જશે. તારે માત્ર ધારણા દ્વારા, બેંકના કલાર્ક પાસેથી એક લાખ રૂબલ લઇ આપવાના છે”.
આખી બેંકને મીલીટરીએ ઘેરી લીધી. બે માણસો મૈસિંગને પાછળ પિસ્તોલ સાથે, બરાબર બે વાગે પેલી બેંકમાં લઇ ગયા. એને ખબર ન હતી કે ક્યા કાઉન્ટર પર એને લઇ જવામાં આવશે. એને સીધો ટ્રેઝરર પાસે લઇ જઇને ઊભો કરી દેવાયો. મૈસિંગે પેલા માણસ સામે, એક કોરો કાગળ ખિસ્સામાંથી કાઢી થોડી વાર એ કોરા કાગળ પર ધ્યાન કર્યું અને ટ્રેઝરરને તે કાગળ આપતાં કહ્યું કે એક લાખ રૂબલ. ટ્રેઝરરે તે કાગળને થોડી વાર જોયો ચશ્મા પહેર્યા, ફરીથી ઐસિંગ સામે ધ્યાનપૂર્વક નજર કરી, અને લાખ રૂબલ મૈસિંગને ગણીને આપી દીધા. મૈસિંગે તે પૈસા લઇ બેગમાં રાખ્યા. સ્ટાલિન પાસે જઇને તે પૈસા એણે બતાવ્યા. આશ્ચર્ય ! પછી તરત એ બેંકમાં પાછો ગયો. વેંઝરરને પૈસા આપ્યાને કહ્યું કે ‘મારો કાગળ પાછો આપો.’ ટ્રેઝરરે તે કાગળ પાછો આપતાં જોયો, તો તે સાવ કોરો હતો. એમાં કાંઇ લખેલું ન હતું. એને તુરત જ હાર્ટએટેક આવ્યો. એ નીચે ઢળી પડયો ને બેહોશ થઇ ગયો. જે બનાવ બન્યો હતો તે ટ્રેઝરરની બીલકુલ સમજબહાર હતો.
પરંતુ સ્ટાલિનને આટલાથી ખાતરી ન થઇ. કોઇ ચાલકી પણ હોઇ શકે. કોઇ ટ્રેઝરર સાથે એને કાંઇ મેળ હોઇ શકે . સ્ટાલિને એને ઓરડામાં પૂરી દીધો અને સેંકડો સૈનિકોનો પહેરો લગાવી દીધો. પછી સ્ટાલિને કહ્યું કે ‘ બરાબર બારને પાંચ મિનિટે, બધા સૈનિકોના પહેરામાંથી બહાર નીકળીને તું મને આવીને મળ.’ બરાબર એ જ સમયે, મૈસિંગ સૈનિકોને પહેરો ભરતા રાખીને, એમને કાંઇ ખબર ન પડે તેમ, સ્ટાલિન સામે આવીને ઊભો.
ન
આ વાત પર પણ સ્ટાલિનને વિશ્વાસ ન બેઠો. એને ભરોસો આવે તેમ ન હતો. કારણકે સ્ટાલિનની આખી ફિલસૂફી, એનું પુરૂં ચિંતન, પૂરા કોમ્યુનિઝમની ધારણા, બધું જ, આ બનાવથી કડકભૂસ
Page #28
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
તૂટી પડતું હતું. આ માણસ ચાલાકી કે ફરેબીથી માર્કસના આખા ચિંતનનો પાયો તોડી પાડે એ બની શકે તેમ હતું. સ્ટાલિન એનાથી પ્રભાવિત જરૂર થયો, પરંતુ એણે એક ત્રીજો પ્રયોગ કરવા માટે સંમતિ માગી. સ્ટાલિને ફરીથી કહ્યું કે, કાલે રાત્રે બાર વાગે મારા ઓરડામાં આવીને તું હાજર થઈ જા, મારી રજાચિઠ્ઠી વિના. આ વાત અત્યંત મુશ્કેલ હતી. સ્ટાલિન જાણતો હતો કે એ શક્ય નથી. સ્ટાલિન પોતે એટલા જબરજસ્ત પહેરામાં રહેતો હતો, કે દુનિયામાં કોઈ પણ માણસ નહિ રહ્યો હોય. કેમલિનનાક્યા ઓરડામાં એ હશે તેની કોઈને ખબર ન રહેતી. એનો ઓરડો રોજ બદલાતો, જેથી કોઈ જોખમ ન રહે, કોઈ બોમ્બન ફેકે, કોઈ હમલો ન કરે, સૈનિકોની પહેલી હરોળને ખબર હોય કે એ પાંચ નંબરના ઓરડામાં છે. બીજી હરોળ જાણે કે એ છ નંબરના આરેડામાં છે અને ત્રીજી હરોળ જાણતી હતી કે એ આઇનંબરના ઓરડામાં છે. પોતાના સૈનિકોથી પણ સાવધાન રહેવાની એને જરૂર હતી. એની પત્નીને પણ એ ક્યા ઓરડામાં છે તેની ખબર ન રહેતી. ક્રેમલિનના બધા ઓરડા, જેમાં સ્ટાલિન રહેતો હતો તે બધા એકસરખી સજાવટના હતા. સ્ટાલિન પણ અલગ અલગ ઓરડામાં કોઈને ખબર ન પડે તેમ જઈ શકતો. બધી જાતની વ્યવસ્થા દરેક ઓરડામાં હતી. બરાબર બાર વાગે, બધા પહેરેદાર સૈનિકો પહેરો ભરતા રહ્યાને ઐસિંગ, સ્ટાલિન બેઠો હતો તેમજ સામે આવીને ઊભો રહ્યો. સ્ટાલિન એને જોઈને ધ્રુજી ઊઠ્યો. એણે મૈસિંગને પૂછ્યું તે આકેવી રીતે કર્યું? આ અસંભવ છે.” મૈસિંગે કહ્યું કે હું બીજું કાંઈ જાણતો નથી. હું દરવાજા પાસે આવ્યો ને મે કહ્યું બેરિયા છું.' બેરિયા રશિયન જાસૂસનો સૌથી મોટો અધિકારી હતો. સ્ટાલિન પછી એનો બીજો નંબર હતો. “મેં માત્ર એવો ભાવ ક્યોં કે હું બેરિયો છું, ને તમારા સૈનિકે મને સલામ ભરી અને કોઈ રોકટોક વિના હું તમારી સામે આવી ગયો.” સ્ટાલિને માત્ર આ એક વ્યક્તિને આખા રશિયામાં ક્યાંય પણ રોકટોક વિના ફરવાની પરવાનગી આપી. સ્ટાલિને કહ્યું. ‘આ માણસ પ્રામાણિક છે.” ૧૯૪૦ પછી આવા લોકોની હત્યાનકરાઈ હોય તો તે માત્ર ઐસિંગને કારણે. ૧૯૪૦ સુધી આવા દાવા જે લોકોએ કર્યા હતા, તે બધાને
સ્ટાલિને મરાવી નાખ્યા હતા. કાર્લ ઓટોવિસનામના એક આવા માણસની સ્ટાલિનના કહેવાથી હત્યા કરવામાં આવી હતી. કારણકે એમાણસ એવો હતો કે એને કારણે કોમ્યુનિઝમની ભૌતિકવાદી (materialist) ધારણા તૂટી પડે એમ હતી.
ધારણા આટલી મહત્વની છે એમ સાબિત થતાં સ્ટાલિને તે પછી પોતાના વૈજ્ઞાનિકોને મૈસિંગની વાતને સમજવાની પૂરી કોશિશ કરવાનો આદેશ આપ્યો. કારણકે હવે આ શક્તિનો ઉપયોગ યુદ્ધમાં પણ કરી શકાય તેમ હતો. નામોવ નામનો વૈજ્ઞાનિક, જે ઐસિંગનો તે પછી અભ્યાસ કરતો
Page #29
--------------------------------------------------------------------------
________________
મંગળ અનેલોકોત્તમની ભાવના
રહ્યો, તેણે કહ્યું કે યુદ્ધ માટેનું જે છેલ્લું શસ્ત્ર ઘડાશે, તે મૈસિંગના અભ્યાસમાંથી પેદા થશે. જે રાષ્ટ્રના હાથમાં ધારણાથી પ્રભાવિત કરવાનું શસ્ત્ર આવી જશે, તેને અણુની શક્તિથી હરાવવાનું શક્ય નહીં બને. સાચી વાત તો એ છે કે જેના હાથમાં અણુબોંબ હોય તેને પણ ધારણાશક્તિથી પ્રભાવિત કરી શકાય છે, એને એમ કહેવામાં આવે કે એ બોંબ એણે પોતાની ઉપર જ ફેંક્યો. એક હવાઈ જહાજમાં અણુબોંબ લઈને ફેંકવા જનાર પાઈલટને પ્રભાવિત કરીને કહી શકાય કે એ પાછો જાય અને પોતાની રાજધાની પર જઈને, એ બોંબ ફેંકી દે. નામોને કહ્યું કે યુદ્ધમાં છેલ્લું શસ્ત્ર, માનસિક શક્તિ(psychicpower) જ બની રહેશે. ‘ધારણાની શક્તિ જ છેવટનું શસ્ત્ર બની રહેશે. આ દિશામાં ઘણું કામ થઈ રહ્યું છે. સ્ટાલિન જેવી વ્યક્તિઓ તો વિનાશ માટે જ ઉત્સુક રહેવાની. જ્યારે મહાવીર જેવી વ્યક્તિઓની ઉત્સુકતા નિર્માણ અને સર્જન પ્રતિ રહેવાની. એટલે મહાવીરે કહ્યું છે કે સ્વપ્નમાં પણ કોઈ ખરાબ ધારણા ન કરશો, કારણ એ પણ પરિણામ લાવી શકે છે. હંમેશા મંગળનો જ ભાવ અને ધારણા કરવાં જોઈએ. તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હો. તમને લાગે કે તમે કાંઈ કર્યું નથી. પરંતુ મનમાં પણ તમને ખ્યાલ આવે કે કોઈની હત્યા કરું કે આ દુકાનમાંથી કાંઈ ચોરી લઉ. તો તમે ચોક્કસપણે નહીં કહી શકો કે તમારા વિચાર કોઈ બાજુમાંથી પસાર થતા ચોરે નહીં પકડી લીધા હોય? તમે ભલે ચોરી નકરી હોય. એથી કાંઈ ફરક પડતો નથી. માનેન નામે એક વૈજ્ઞાનિક, મોસ્કોના રસ્તા પર પ્રયોગ કરી રહ્યો હતો. આ વાત આખા મૉસ્કોમાં જાહેર થઈ ચૂકી હતી કે ધારણાશક્તિથી, માનેન તમને ડોક પાછળ ખંજવાળ ઊભી કરે છે. તમને ડોકપાછળ ખંજવાળવાનું મન થાય, ને તમે ત્યારે મૉસ્કોના રસ્તા પરથી પસાર થતા, મનમાં જ ધારણા કરીને, તમને પછી ખંજવાળવા લાગશો. માનેન રસ્તા પરથી પસાર થતાં, મનમાં જ ધારણા કરીને, તમને કહે છે તમને ગરદન પર ખંજવાળ આવે છે. જલદી ખંજવાળો, તમારી ગરદન પર કોઈ કીડો ચઢી રહ્યો છે તમને શંકા છે કે માનેન તમારા પર પ્રયોગ તો નથી કરતોને ? એટલે તમેં ભોંઠા પડો, કારણવિના ખંજવાળો, એવું તમે ઈચ્છતા હો છો. એટલે તમે ચારે તરફ જોઈને, કોઈ તમને જોતું નથીની ખાતરી કરીને પછી ખંજવાળો છો. માનેને આવા ઘણા પ્રયોગો, ચોકડી પર ઊભા રહીને, હોટલમાં બેસીને, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કર્યા હતા. એ ૯૮ ટકા વ્યક્તિઓને ખંજવાળવાની ફરજ પાડવામાં સફળ નિવડ્યો હતો. સાચેસાચ કીડો તમારા પર ચડ્યો હોય ને તમને ખંજવાળવાનું મન થાય તો પણ તમે ચારે બાજુ પહેલાં જોઈને, ખાતરી કરવા ઈચ્છશો કે ક્યાંક માનેન છુપાઈને ઊભો તો નથી ને? આ પ્રયોગ પરથી માનેને એ વાત પુરવાર કરી છે કે આપણા મગજનો આગળનો ભાગ જેટલો સંવેદનશીલ છે તેના કરતાં આપણી ડોકનો પાછળનો ભાગ ચારગણો વધારે સંવેદનશીલ છે. મૈસિંગ અને નેલ્યા માઈલોના નામની મહિલાની મેં જે વાત ગઈ કાલે કરી હતી જે વસ્તુઓને
Page #30
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
ર૫
પોતાની ધારણાશક્તિથી આગળ પાછળ સરકાવી શકે છે, તેઓનાં મગજના અધ્યયન પરથી આ વાત સિદ્ધ થઈ છે કે જેટલી શક્તિ, મગજના આગળના ભાગમાં છે, તેથી ઘણી વધારે શક્તિ મગજના પાછલા ભાગમાં છે. યોગની પણ એવી ધારણા છે કે આપણું ખરું મગજ આપણી ડોકના પાછળના હિસ્સામાં છે. એ પાછળનો હિસ્સો જ્યાં સુધી સક્રિય ન બને ત્યાં સુધી માનવી પોતાની પૂરી ગરિમા પ્રાપ્ત નહીં કરી શકે. બીજી એક આશ્ચર્યની વાત એવી છે કે જ્યારે પણ તમે ખોટા વિચારો કરતા હશો ત્યારે તમારા મગજના આગળના ભાગમાંથી તે કરતા હશો. માણસના મગજના અલગ ભાગ, અલગ અલગ કામ કરે છે. તમારે કોઈની હત્યા કરવી હોય તો તે વિચારો મગજના આગળના ભાગમાં જ ચાલતા હોય. તમારે કોઈને કાંઈ સહાય કરવાના વિચારો કરવાના હોય તો તે મગજના પાછળના હિસ્સામાં ચાલતા હોય છે. પ્રકૃતિએ અગાઉથી જ શુભ કરવા માટે વધારે શક્તિ આપી છે અને અશુભ કરવા માટે ઓછી શક્તિ આપી છે. પરંતુ જગતમાં વધારે અશુભ જ બનતું દેખાય છે, શુભ બનતું દેખાતુ નથી, કારણકે આપણે શુભ કરવાની કામના જ કરતા નથી. ક્યારેક શુભની કામના કરીએ ત્યારે સાથોસાથ એનાથી વિપરીતકામના કરીને એ શુભના ભાવને કાપી નાખીએ છીએ. એક મા પોતાના બાળકના લાંબા આયુષ્યની કામના કરતી હોય છે, પરંતુ કોઈ ક્રોધી ક્ષણોમાં, એમ પણ કહી દે છે કે તુ તો મારે પેટે જન્મતાં જ મરી ગયો હોત તો સારું થાત. શુભ ભાવના ચાર વખત કરી હોય અને એક વખત પણ અશુભ ભાવ પેદા થઈ જાય તો તે શુભની કામનામાં ઝેર ભેળવી દે છે. મહાવીર પોતાના સાધુઓને હંમેશા કહેતાકે ચોવીસ કલાક મંગળની ભાવનામાં જ ડૂબેલા રહો. ઊઠતાં, બેસતા, શ્વાસ લેતાંને છોડતાં, માત્ર મંગળની જ ભાવના કરો. સ્વાભાવિક રીતે મંગળની કામના, જે મંગળમયતાનું શિખર છે – ‘અરિહંત' - ત્યાંથી જ શરૂ કરવી જોઈએ. એટલે પ્રથમ ‘અરિહંત' મંગળ છે. જેના બધા રોગ અને બધા શત્રુ સમાપ્ત થઈ ગયા, તે મંગળ છે, પછી સિદ્ધ મંગળ છે, સાધુ મંગળ છે, અને જેઓએ બધું જ જાણી લીધું છે તેવા કેવલી’ મંગળ છે જૈન પરંપરામાં કેવલી તેમને કહેવાય છે જેઓ એવી પરિસ્થિતિ પર પહોંચી ગયા કે જ્યાં જાણનાર (જ્ઞાતા) તેમજ જાણવાની વાત (જોય) બન્ને વિસર્જિત થઈ ગયા છે અને બચે છે માત્ર જ્ઞાન, જે ‘કેવળ જ્ઞાન” (only knowing) તરીકે ઓળખાય છે. માત્ર જ્ઞાન રહી ગયું. જ્યાં મારાપણાનો કોઈ ભાવ ન બચ્યો, જ્યાં જાણવાવાળો ન બચ્યો, જાણવાની શુદ્ધ ક્ષમતા માત્ર બચી એનું નામ ‘કેવલી’. જૈન પરંપરાનો કેવલી એક આગવો શબ્દ છે. એક બીજી રીતે આ વાત સમજીએ તો વધારે સ્પષ્ટ થશે. એક ઓરડામાં અંધારું છે ત્યાં આપણે દીવો સળગાવ્યો અને પ્રકાશ કર્યો. પ્રકાશને પ્રગટ થવા માટે દાવો છે (પ્રકાશનું સાધન), દીવામાં તેલ છે (ઇંધન) અને દીવાની જ્યોતિ છે. દીવાના પ્રકાશમાં ઓરડાનું બધું ફરનિચર અને વસ્તુઓ
Page #31
--------------------------------------------------------------------------
________________
મંગળ અનેલોકોત્તમની ભાવના
દેખાય છે. જે કાંઈ ઓરડામાં છે તે બધું દેખાય છે. હવે આપણે એવી કલ્પના કરીએ કે ઓરડો શૂન્ય થઈ ગયો. ઓરડો જ ન રહ્યો ઓરડાને કોઈ દીવાલો નથી, છત નથી, એમાં કોઈ ફનિચર કે ચીજ વસ્તુઓ નથી. પરંતુ જે પ્રકાશ હતો તે જ માત્ર રહી ગયો. ઓરડાના સ્થાન પર કોઈ દીવો રહ્યો નથી, દીવાનું તેલ રહ્યું નથી, તેલની વાટ રહી નથી. પણ માત્ર પ્રકાશ જ રહી ગયો છે. એ પ્રકાશ એક આલોક છે, જે કોઈ વસ્તુ પર પડતો નથી, માત્ર શૂન્યમાં ફેલાઈ રહ્યો છે. આ સ્ત્રોતરહિત પ્રકાશ છે. દીવાનો દેહ કે જેમાં તેલ ભરીએ છીએ તે દેહ પણ બચ્યો નથી. આવા સ્ત્રોતરતિ પ્રકાશને જેન ચિંતનમાં કેવલી’ શબ્દથી ઓળખાવાય છે. જે પરમજ્ઞાનને પ્રાપ્ત કરી લે છે, તેના જ્ઞાનને કોઈ કારણ હોતું નથી. જે જ્ઞાનનું કોઈ ઉદ્ગમ બિંદુ નથી હોતું, કોઈ મૂળ કારણકે પ્રમાણ કે આધાર હોતાં નથી, એ કેવળજ્ઞાન”. જે વસ્તુનું કોઈ મૂળ હોય, સ્ત્રોત હોય, તે ગમે તેટલો અગાધ હોય, છતાં ક્યારેક તો નાશ પામશે જ. લાખો વર્ષોથી જે આપણને પ્રકાશ આપી રહ્યો છે તે સૂર્ય પણ એક વાર ઓલવાઈ જશે. વૈજ્ઞાનિકો તો કહે છે કે સૂર્યમાંથી પ્રગટ થતા પ્રકાશનો પણ દસ વીસ હજાર વર્ષ પછી અંત આવશે. મહાવીર કહે છે કે જે “ચેતના છે તે અનન્ત છે, તેનો ક્યારેય અંત નહીં આવે.એ સ્ત્રોતરહિત છે. એમાં જે પ્રકાશ છે તે કોઈ ખાસ માર્ગથી આવતો નથી, એ માત્ર છે” is just is. ક્યાંકથી આવતો હોય, એ પ્રકાશ તો ક્યારેક ખલાસ થઈ જાય. મહાસાગર પણ ચમચા ભરીને ઉલેચી શકાય તેમ છે, ગમે તેટલો સમય લાગે. એક એક ચમચો દર વખતે દરિયાનું પાણી થોડું ઓછું તો કરે જ છે. પરંતુ મહાવીર કહે છે કે જે ચેતના છે તે અનન્ત છે. માટે જ મહાવીરે ઈશ્વરને માનવાની પણ સાફ ના કહી દીધી. કારણકે જે ઈશ્વરને માનીએ તો ઈશ્વર જ બધી વસ્તુઓનો, સર્વસ્વનો સ્ત્રોત બની જાય છે અને આપણે પણ એના જ પ્રકાશથી સળગતા દીવા બની જઈએ છીએ તો આપણે ક્યારેક તો ઓલવાઈ જઈશું જ. એ વાત સાચી છે કે મહાવીરે જેટલી ઊંચી પ્રતિષ્ઠા આત્માને આપી છે એટલી આ પૃથ્વી પર કોઈએ આપી નથી. એટલી બધી પ્રતિષ્ઠા આપી કે એમણે કહ્યું, “પરમાત્મા અલગ નથી, આત્મા જ પરમાત્મા છે.’ આત્માનો સ્ત્રોત અને પ્રકાશ “સ્વયંભૂ’ છે, સ્વયં સ્ત્રોત છે. આપણામાં જાગતું જે જીવન છે, તે બીજે ક્યાંયથી શક્તિ પ્રાપ્ત કરતું નથી, સ્વયં શક્તિવાન છે. એ કોઈનાથી - નિર્માણ થયું નથી, એ કોઈનાથી નષ્ટ થશે નહીં. એ કોઈ પર નિર્ભર નથી. એ કોઈનામાંથી કાંઈ મેળવતું નથી, સ્વયં સમર્થ અને સિદ્ધ છે. જ્યારે જ્ઞાન એવી સીમા પર પહોંચે, જ્યાં એ સ્ત્રોતરહિત (sourceless) પ્રકાશ પ્રાપ્ત કરે ત્યારે એ વ્યક્તિ સ્વયં મૂળ પ્રાપ્ત હોય છે. એવી વ્યક્તિને જૈન પરંપરા કેવલી કહે છે. આવી વ્યક્તિ ક્યાંય પણ પેદા થાય ત્યાં તે ક્રાઈસ્ટ, બુદ્ધ, કૃષ્ણકે લાઓસે હોઈ શકે છે. એટલા માટે આ સૂત્રમાં મહાવીર મંગળ એમ કહેવાયું નથી. જૈન ધર્મ મંગળ છે એમ પણ કહેવાયું નથી.
Page #32
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
‘હિંદુ ધર્મ મંગળ છે.’ એમ પણ કહેવાયું નથી. એમ કહેવાયું છે કે ‘કૈવલી પન્નતો ધમ્મો મંગલ,’ કેવલી દ્વારા પ્રરૂપિત ધર્મ ‘મંગળ છે.’ એ ‘કેવલી’ ક્યાંય પણ હોય, જેણે પણ શુદ્ધ જ્ઞાન, કેવળજ્ઞાન મેળવ્યું છે તેમણે જે કહ્યું છે, તે મંગળ છે. આ મંગળની ભાવના જેટલી ગહન બને, પ્રાણોના ઊંડાણમાં ઊતરી જાય તેટલી ‘અમંગળ’ની સંભાવના ઓછી થતી જાય છે. માણસ જેવી ભાવના કરે છે તેવો તે ધીરેધીરે બની જાય છે. જેવું આપણે વિચારીએ છીએ તેવા આપણે થઇએ છીએ. જે આપણે માગીએ છીએ તે આપણને મળી જાય છે.
૨૭
૪
આપણે હંમેશા ખોટું જ માગીએ છીએ એ આપણું દુર્ભાગ્ય છે. આપણે એની સામે જ આંખ માંડીને જોઇએ છીએ, જેવા આપણે બનવું હોય છે. જ્યારે આપણે કોઇ રાજનેતાની આસપાસ ચક્કર મારીએ છીએ ત્યારે આપણે પણ રાજનેતા થવું છે, એવા પદ પર પહોંચવું છે, એવી કોઇ ગહન ઇચ્છા છે એ જ વાતનું સૂચન છે. આપણે જેવા થવું હોય છે, એવા માણસને જ આપણે આદર આપીએ છીએ કારણકે એ આપણા ભવિષ્યનો આદર્શ, પ્રતિમા (Model) બની જાય છે. આપણને એમ થાય છે કે ‘ઇશ્વર કરે હું એવો થઇ જાઉં’ કોઇ અભિનેતા-કલાકારની પાછળ આપણે ફરતા હોઇએ તો આપણી એવા અભિનેતા-કલાકાર બનવાની આકાંક્ષાનું જ એ લક્ષણ છે.
એટલે મહાવીર કહે છે કે તમે અરિહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહુ મંગલ એમ કહેતા રહો. તમે આવું ત્યારે જ કહી શકશો જ્યારે તમારામાં અરિહંત બનવાની આકાંક્ષા જાગશે તમે એવું કહેવાનું શરૂ કરશો કે તરત અરિહંત બનવાની તમારી યાત્રા શરૂ થઇ જશે. મોટામાં મોટી યાત્રા પણ નાનાં નાનાં પગલાંથી જ શરૂ થાય છે. પહેલું પગલું છે મંગળની ધારણા.
તમે ક્યારેય વિચાર્યુ છે કે તમારે શું થવું છે? તમે સચેતનરૂપે એવું કાંઇ નહીં વિચાર્યું હોય, તોપણ અચેતનરૂપે તો તમારે જે બનવું છે તેના તરફ તમારી ગતિ ચાલુ હોય છે. જેવા તમારે થવું હોય છે તેવી વ્યક્તિઓ પ્રત્યે તમારા મનમાં ખૂબ આદર હોય છે. માત્ર આદર જ નહીં, જેવા થવા માગતા હોઇએ તેના સંબંધમાં આપણા મનમાં કાંઇને કાંઇ વિચાર વર્તુળ ચાલ્યા જ કરતાં હોય છે. એ જ તમારાં સ્વપ્નોમાં ઊતરે છે, એનું જ તમારા શ્વાસોશ્વાસમાં રટણ થતું હોય છે, એ જ તમારા લોહીમાં પ્રવેશી જાય છે. જ્યારે હું કે એ તમારા લોહીમાં પ્રવેશી જાય છે ત્યારે હું કોઈ સાહિત્યની ભાષા વાપરતો નથી, હું બીલકુલ શારીરિક તથ્યની વાત કરું છું.
ઓફસફર્ડ યુનિવર્સિટિની ડિલાવાર પ્રયોગશાળામાં, આપણા વિચારોનો આપણા લોહી પર કેવો પ્રભાવ પડે છે તેના પ્રયોગો થયા છે. આપણા વિચારોનો પ્રભાવ તો પડે છે જ. પરંતુ બીજાની ધારણાઓનો પણ કેવો પ્રભાવ આપણા લોહી પર પડે છે તે જાણવાના અખતરા થયા છે. આપણી અપ્રગટ ધારણાઓનો પણ પ્રભાવ આપણા લોહી પર પડે છે. કોઇ વ્યક્તિ તમારા પ્રતિ મંગળ અને શુભની ભાવનાથી ભરેલી હોય જે તમારા માટે શુભ અને મંગળ સિવાય બીજું કાંઇ
Page #33
--------------------------------------------------------------------------
________________
મંગળ અનેલોકોત્તમની ભાવના
વિચારી શકતી જ ન હોય, તેની નજીક જ ક્ષણે તમે જાવ, તે ક્ષણે તમારા લોહીમાંના સફેદ કણ (whitecorpuscles) પંદરસો જેટલાં વધી જાય છે. આ ડિલાવાર પ્રયોગશાળામાં દસ વર્ષના પ્રયોગો પછી પુરવાર થયેલું તથ્ય છે. તમે તમારા માટે મંગળની ભાવનાઓથી તરબતર વ્યક્તિને મળવા જાવ તે પહેલાં તમારા લોહીના નમૂના સાથે, તમે મળીને બહાર નીકળો તે વખતના લોહીના નમૂનાને સરખાવવામાં આવે તો એ વધારાનાં પંદરસો સફેદ કણ જે તમારા લોહીમાં પેદા થયાં, તેનું બીજું શું કારણ હોઈ શકે? તમારા પ્રત્યે દુર્ભાવ રાખનાર વ્યક્તિની હાજરીમાં તમારા લોહીનાં સોળસો સફેદ કણ ઓછાં થઈ જાય છે. આરોગ્યશાસ્ત્ર એમ કહે છે કે તમારા સ્વાથ્યના રક્ષણનો આધાર સફેદ કણોની અધિકતા પર છે. જેટલાં વધુ સફેદ કણ હોય તેટલું વધારે સારું સ્વાથ્યનું સંરક્ષણ. સફેદ કણ પહેરેદાર છે. તમને ક્યાંક વાગ્યું હોય અને ત્યાં પાક થવાથી જે સફેદ પરું નીકળે છે તે મૃત્યુ પામેલાં સફેદ કણ છે. તમારા ઘાને ચારે તરફથી ઘેરી લઈને, બીજાં કીટાણુંને શરીરમાં પ્રવેશવા દેવા માટે એ સફેદ કણ પહેરેદારનું કામ કરે છે. સફેદ કણ તમારા રક્ષક છે. ડિલાવર પ્રયોગશાળાના પ્રયોગોએ વૈજ્ઞાનિકોને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા. શુભ અને મંગળની ભાવનાથી ભરેલી વ્યક્તિઓનો શું એટલો બધો પ્રભાવ છે કે જેથી તમારા લોહીની ગુણવત્તા સુધરી જાય, તમારા લોહીની ગતિ, હૃદયની ગતિ, લોહીનું દબાણ બધું જ બદલાઈ જાય! ડૉ. જગદીશચંદ્ર બોઝ પછી એક બીજું મોટું નામ છે, એક બીજા અમેરિકન વૈજ્ઞાનિક શ્રી કલીબ બેકસ્ટરનું. જગદિશચંદ્ર તો કહ્યું હતું કે વનસ્પતિમાં પ્રાણ છે. બેકસ્ટરે એ સિદ્ધ ક્યું કે વનસ્પતિમાં ભાવના પણ છે. વનસ્પતિના છોડ પોતાના મિત્રોને અને શત્રુઓને ઓળખી શકે છે. છોડપોતાના માલિકને તેમજ પોતાના માળીને પણ ઓળખે છે. છોડનો માલિક મરણ પામે છે ત્યારે છોડની પ્રાણધારા પણ ક્ષીણ થઈ જાય છે. એ બીમાર પડી જાય છે. છોડવાઓને સ્મૃતિ હોય છે, એવું પણ બેકસ્ટરે પુરવાર કર્યું છે.
જ્યારે તમે એક ગુલાબના છોડ પાસે પ્રેમપૂર્વક આવીને ઊભા રહી જાવ છો ત્યારે બીજે દિવસે એ જ સમયે એ છોડતમારી પ્રતિક્ષા કરતો હોય છે. તમે આજે નથી આવ્યા તે એને યાદ રહે છે. વળી એ ગુલાબના છોડ પાસે પ્રેમથી તમે રોજ ઊભા રહેતા હો અને અચાનક કોઈ વાર એનું ફુલ તોડી લો છો ત્યારે એ છોડ મૂંઝવણ અનુભવે છે. બેકસ્ટરે એવું યંત્ર વિકસિત કર્યું છે કે જે બધાંની પ્રાણધારાનું માપ અંકિત કરે છે. એ ગુલાબનો છોડ પણ જ્યારે મૂંઝવણ અનુભવે છે Confuse થઈ જાય છે ત્યારે એની પ્રાણધારા વિક્ષિપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ મારા પર આટલો પ્રેમ રાખતી હતી તેણે એકદમ મારું ફૂલ કેમ તોડી લીધું? છોડને લાગે છે કે કોઈ બાળક ખૂબ વહાલું લાગતું હોય એની સાથે પ્રેમ કરતાં કરતાં, અચાનક એની ગરદન મરડીનાખીએ તો એ બાળકને જે આઘાત લાગે એવો જ આઘાત છોડને લાગે છે. અચાનક શું થઈ ગયું તે છોડને સમજાતું નથી.
Page #34
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ: મંત્ર
ર૯
બેકસ્ટર કહે છે કે હજારો છોડને આ રીતે અમે પરેશાન કર્યા. જે મિત્ર છે, એવો અનુભવ થયો હતો તે અચાનક શત્રુ જેવું વર્તન કેમ કરે છે? બેકસ્ટરે એ પણ કહ્યું કે જે છોડવાઓ સાથે આપણે પ્રેમ કરીએ છીએ તે આપણા પ્રત્યે અનેક વિધાયક ભાવનાઓ પ્રસરાવે છે. બેકસ્ટરનું માનવું છે કે જે છોડવાઓને પ્રેમપૂર્વક જતનથી, શુભ ભાવનાથી, સંગીત દ્વારા, પ્રાર્થનાથી, પ્રાણવાન બનાવી દેવાય તો રોગી વ્યક્તિઓને આવા છોડવા પાસે જવાથી, રોગીઓને સાજા કરી શકવાની શક્યતા છે. અમેરિકન મેડિકલ એસોસિયેશનને આ બાબતમાં એમણે આ સૂચન કર્યું છે. દરેક છોડ પાસે પોતપોતાની આગવી પ્રાણઊર્જાની વિશેષતા છે. દાખલા તરીકે લાલ ગુલાબ, ક્રોધી માણસો માટે ઘણા ગુણકારક છે. પંડિત નહેરુને કદાચ એટલા માટે જ લાલ ગુલાબગમતાં. બેકસ્ટર કહે છે કે લાલ ગુલાબ ક્રોધનું શમન કરે છે. ગુલાબનો છોડ અક્રોધી ધારણા ચારે બાજુ ફેલાવે છે. ગુલાબના છોડનું પોતાનું આભામંડળ ક્રોધ શમાવે છે. છોડવાઓ પાસે પણ હૃદય છે. તે અશિક્ષિત ભલે હોય, પરંતુ એમની પાસે હૃદય છે. માનવી જેટલો શિક્ષિત થતો જાય છે તેટલો પોતાનું હૃદય ગુમાવતો જાય છે. મંગળની ધારણા હૃદયને જન્મ આપવાનું કામ કરે છે. આપણે એટલાકમર છીએ કે અમંગળની ધારણા આપણા માટે સહજ બની ગઈ છે. અરિહંત પર પણ મંગળની ધારણા આપણે કરી શકીએ તો એક ચમત્કાર લેખાય. ‘પત્થર મંગળ છે એમ કહેવું કઠણ છે, ‘દુશ્મન મંગળ છે” એમ કહેવું તો અતિશય કઠણ છે. મહાવીર આપણને સારી રીતે જાણે છે. એટલે જે શ્રેષ્ઠતમ છે તે મંગળ છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને જેઓએ જાણ્યું છે તેમના દ્વારા સમજાવાયેલો, પ્રરૂપિત, ધર્મ મંગળ છે એમ કહ્યું. જૈન પરંપરામાં ધર્મશબ્દનો અર્થ શું છે? જૈન પરંપરામાં ધર્મ શબ્દનો અર્થ અંગ્રેજીના ‘religion' શબ્દ કે ઉર્દૂના મઝહબ શબ્દ જેવો નથી. જેવો ‘હિંદુ ધર્મનો અર્થ છે તેવો પણ નથી. જૈન પરંપરામાં ‘ધર્મ' નો અર્થ વિશિષ્ટ છે. જૈનદષ્ટિને એ એક નવું પરિમાણ બક્ષે છે, નવા પરિમાણમાં ફેલાવે છે. “મઝહબ” નો અર્થ તો છે એક મત, એક પંથ, એક creed. અંગ્રેજીના religion શબ્દનો અર્થ લગભગ ‘યોગ શબ્દના અર્થ એવો થાય છે. Religion શબ્દનું મૂળ Religair છે, જેનો અર્થ છે જોડવું તે વ્યક્તિને પરમાત્મા સાથે જેવી તેનું નામધર્મ. યોગનો અર્થ પણ થાય છે માનવીને પરમાત્મા સાથે જોડવો યુક્ત કરવો તે. પરંતુ જૈન ચિંતનમાં પરમાત્માનું કોઈ સ્થાન નથી. એટલે તમને જાણીને આશ્ચર્ય થશે કે જૈન ‘યોગ’ શબ્દને બહુ આદર નથી આપતા. જેન કહે છે કેવલી અયોગી હોય છે. યોગી નહી. કેટલાક સમજ વિનાના જૈન ભૂલકરે છે, જ્યારે તેઓ મહાવીરને ‘મહાયોગી કહે છે. ત્યારે જૈન પરંપરાના ‘અયોગી’ શબ્દના અર્થનું એમને ભાન નથી. મહાવીર કહે છે, કોઇની સાથે જોડાવાનું નથી, જે ખોટું છે, ગલત છે, તેનાથી તૂટવાનું છે. અલગ થવાનું છે. “અયોગ એટલે સંસારથી અયોગ,
Page #35
--------------------------------------------------------------------------
________________
મંગળ અનેલોકોત્તમની ભાવના
જેથી સ્વરૂપનું જ્ઞાન મળે. “યોગ કહે છે પરમાત્મા સાથે મિલન થાય તો સ્વરૂપનું ભાન થાય,
સ્વરૂપ સમજાય. મહાવીર કહે છે, જે આપણે મેળવવાનું છે, તે આપણને મળેલું જ છે, પરંતુ આપણે ખોટી વસ્તુ સાથે, આસક્તિના કારણે, ચીપકી રહ્યા છીએ, એટલે આપણને સ્વરૂપ દેખાતું નથી. ગલતને છોડી દો, એનાથી અયુક્ત થઈ જાવ, અલગ થઈ જાવ તે “અયોગ.’ એટલે જૈન પરંપરામાં ‘અયોગ' નું એ જ મૂલ્ય છે, જે હિંદુ પરંપરામાં યોગ” નું છે. ‘ધર્મ” શબ્દનો બહુ વિશિષ્ટ અર્થ જૈન પરંપરામાં છે. મહાવીર કહે છે, વસ્તુનો જે સ્વભાવ છે, તે જ ધર્મ છેnature. ‘ધર્મ' શબ્દનો મહાવીરનો અર્થલાઓત્સના તાઓ’ જેવો છે. વ્યક્તિનો જે સ્વભાવ છે તે એનું પોતાનું સ્વયંનું પ્રફુલ્લન (flowering) છે. બીજાથી (વસ્તુ કે વ્યક્તિથી) પ્રભાવિત થયા વિના કોઈ વ્યક્તિ પોતાની પસંદગી કરી શકે, ચયન કરી શકે, તો તે વ્યક્તિ ધર્મને પામે છે-“પ્રભાવિત થયા વિના શબ્દો બહુ મહત્વના છે. કોઈથી પ્રભાવિત થવું તે ઉચિત છે એમ મહાવીરમાનતા નથી. કોઈનાથી પણ પ્રભાવિત થવું તે એક પ્રકારનું બંધન છે. બધા પ્રકાર-પ્રભાવ આપણને બાંધે છે. પૂર્ણતઃ અપ્રભાવિત થઈ જવું એ નિજ થઈ જવું છે, એ ‘સ્વયં થઈ જવું છે. એ નિજતાને, એ સ્વયંને, મહાવીર ધર્મ કહે છે. કેવલી પ્રરૂપિત ધર્મનો અર્થ છે કોઈ વ્યક્તિમાં માત્ર કેવળજ્ઞાન રહી જાય, ચેતના માત્ર રહી જાયને એ વ્યક્તિ જેવું જીવે છે તે ધર્મ છે. ત્યારે એ વ્યક્તિનું ઊઠવું, બેસવું, એનાં હલનચલન, એનું સૂવું, જે કાંઈ પણ એ કરે છે તે ધર્મ-એની આંખનું ઊઘડવું અને હાલવું, એના સમસ્ત અસ્તિત્વમાં પ્રગટ થતાં જે પણ કિરણ છે તે ધર્મ. દાખલા તરીકે જ્યારે અગ્નિ પોતાના શુદ્ધ સ્વરૂપમાં સળગે છે ત્યારે ધુમાડો પેદા થતો નથી. તમે કહેશો કે જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો પેદા થાય છે. વળી તર્કશાસ્ત્રમાં પણ લખ્યું છે કે જ્યાં
જ્યાં ધુમાડો, ત્યાં ત્યાં અગ્નિ.’ એટલે જ્યાં ધુમાડો દેખાય ત્યાં અગ્નિ છે એમ માની લેવું. પરંતુ ધુમાડો અગ્નિમાંથી પેદાનથી થતો, ધુમાડો બળતણમાં રહેલા પાણીને કારણે પેદા થાય છે. કહેવું જોઈએ કે ધુમાડો પાણીમાંથી પેદા થાય છે, અગ્નિમાંથી નહીં. જો બળતણ એકદમ સૂકું હોય, જરીકે પાણી વિનાનું તો ધુમાડો પેદા નહિ થાય. જે થોડો પણ ધુમાડો થતો હોય તો સમજવું કે બળતણમાં હજી થોડું પાણી છે. અગ્નિ જ્યારે પોતાના શુદ્ધ સ્વરૂપમાં હોય, જ્યારે એમાં કોઈ વિજાતીયતત્ત્વનથી હોતું ત્યારે એમાં ધુમાડો થતો નથી. મહાવીર કહે છે કે જ્યારે અગ્નિ પોતાના ધર્મમાં હોય છે ત્યારે કોઈ ધુમાડો હોતો નથી. જ્યારે ચેતના બિલકુલ શુદ્ધ હોય છે ત્યારે પદાર્થ નો અભાવ હોય છે, શરીરનું કોઈ ભાન પણ હોતું નથી. ત્યારે સમજવું કે ચેતના પોતાના ધર્મમાં સ્થિર છે. એટલે જ મહાવીર કહે છે કે, પ્રત્યેકને પોતાનો ધર્મ છે. અગ્નિનો, પાણીને, પદાર્થનો, ચેતનાનો પ્રત્યેકને પોતપોતાનો ધર્મ છે. પોતપોતાના ધર્મમાં શુદ્ધ થઈ જવું તે આનન્દ છે. પોતાના ધર્મમાં અશુદ્ધ રહેવું તેમાં દુઃખ છે. એટલે ધર્મનો અર્થ અહીં સ્વભાવ એમ થયો. પોતાના સ્વભાવમાં ચાલ્યા જવું તેનું નામ ધાર્મિક થઈ જવું
Page #36
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૩૧
તે છે. પોતાના સ્વભાવની બહાર ભટકતા રહેવું તે અધાર્મિક બની રહેવા બરાબર છે. અરિહંત, સિદ્ધ, સાહુ, કેવલીને મંગળ છે એમ કહ્યા પછી, તેઓ ઉત્તમ છે એમ પણ કહેવાયું છે. મંગળ છે” એમ કહ્યા પછી ‘ઉત્તમ છે” એમ કહેવાની શું જરૂર ? એનાં કારણ આપણી અંદર છે. આપણા માનસનું ગહન અધ્યયન કર્યા પછી આવું કહેવામાં આવ્યું છે. આપણે એવાનાસમજ છીએ કે જે ઉત્તમન હોય, તેને પણ મંગળ છે' એમ માની શકીએ છીએ. આપણી વાસનાઓ જે નિકૃષ્ટ છે તેના તરફ જ વહે છે. એમ પણ કહી શકાય કે વાસનાનો અર્થ જ છે “નીચેની તરફનું વહેણ. જે ગમતું હોય, પ્રિય હોય, તેને મંગળ છે, એમ આપણે માની શકીએ, પરંતુ તે આપણા માટે શ્રેયકે કલ્યાણકારી ન પણ હોય. એટલે અરિહંત મંગળ છે અને ઉત્તમ પણ છે એમ મહાવીરે કહ્યું. રામકૃષ્ણ કહેતાકે ગીધ આકાશમાં ઊડે તેથી એમન માનતા કે ગીધનું ધ્યાન આકાશમાં હોય છે. ગીધનું ધ્યાન તો નીચે ગંદકી અને કચરામાં પડેલા માંસના ટુકડા પર કે કોઈ સડેલી માછલી પર જ હોય છે. ઊડે છે આકાશમાં પણ નજર નીચે ગંદવાડ પર છે. માટે રામકૃષ્ણ કહેતા હતા કે આકાશમાં ગીધ ઊડી રહ્યું છે, તેથી ભૂલમાં પડશો, એનું ધ્યાન ગંદવાડ પર જ છે. મંગળસૂત્ર પછી તરત જ મહાવીર કહે છે ‘અરિહંત લગુત્તમાં અરિહંત ઉત્તમ છે, સાહૂઉત્તમ એમ કહેવામાં માત્ર ઇશારો છે, જીવનનાં શિખર ક્યાં છે તે તરફ આંગળી ચીંધવાનો. એ બધાં મેળવવાયોગ્ય, ઈચ્છવાયોગ્ય અને એવા બનવાયોગ્ય છે. કોઈએ સ્વાઈઝરને પૂછયું કે “મેળવવાયોગ્ય છે? આનન્દશું છે?’ સ્વાઈ—રે જવાબ આપ્યો,
જે છીએ તેનાથી વધુને વધુ, ઊંડાને ઊંડા, અંદર ને અંદર ઊતરવું અને હંમેશાં કાંઈક વધારે શ્રેષમાં રૂપાંતરિત થતા જવું તેમાં આનન્દ છે.’ પરંતુ આપણે વધુ શ્રેષ્ઠ, વધુ ઉત્તમ ત્યારે થઈ શકીએ જ્યારે આપણે શ્રેષ્ઠ કે ઉત્તમ શું છે તે જાણતા હોઈએ કે તેની ધારણા આપણા ખ્યાલમાં હોય. શિખર દેખાતું હોય તો એના તરફયાત્રા થઈ શકે છે. પરંતુ શિખર જ ન દેખાતું હોય તો યાત્રાનો કોઈ સવાલ ઊભો થતો નથી. ભૌતિકવાદ કહે છે, આત્માજેવું કાંઈ નથી. આવી વાત તો શિખર જ તોડી નાખે છે. આત્મા જ નથી, એમ કોઈ માની લે તો એને મેળવવાનો સવાલ પેદા થતો નથી. ફોઇડ કહે છે કે માનવી વાસના સિવાય બીજું કાંઈ નથી. માનવી આ વાત તત્કાળ માની લે તો બીજું કાંઈ કરવાપણું રહેતું નથી. એક માણસ કહેતો હતો કે એ ઘણી પરેશાન હતો. કારણકે એ ચોરી કરે, જૂઠું બોલે કે કોઈ સ્ત્રી તરફ નજર કરે તો એનું અંતઃકરણ એને ડંખ્યા કરતું હતું. છેવટે એ એક મનોચિકિત્સક પાસે ગયો ને ઈલાજ કરાવ્યો. બે વર્ષમાં એ સારો થઈ ગયો. એના મિત્રે પૂછ્યું. તો શું હવે ચોરીનો ભાવ ઊઠતો
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૨
મંગળ અને લોકોત્તમની ભાવના
નથી? સ્ત્રીને જોઈને વાસના જાગતી નથી? સુંદર ચીજ જોઈ તે મેળવવાનું મન થતું નથી?' એણે કહ્યું કે તમે મને ખોટી રીતે ન સમજતા. બેવર્ષમાં એમનો ચિકિત્સકે મારા અંતઃકરણથી છુટકારો અપાવી દીધો. હવે કોઈ પીડા, ચિંતા કે અપરાધના ભાવ જાગતા નથી. છેલ્લાં પચાસ વર્ષોમાં મનોચિકિત્સકો માનવીને અપરાધ કરતાં રોકી શક્યા નથી પરંતુ એનામાં અપરાધનો ભાવના જાગે તે માટે એના માનસને રાજી કરી રહ્યા છે. મનોચિકિત્સકશીખવે છે કે ચોરી કરવી, જૂઠું બોલવું, સ્ત્રી તરફ નજર જવી વગેરે. બધું સ્વાભાવિક છે. એમાં કાંઈ ખોટું નથી. આમ કરવાથી પશ્ચિમના દેશોમાં જીવન વધારે ને વધારે નીચે ઉતરતું જાય છે, નીચે સરકી રહ્યું છે. એની જવાબદારી આ મનોચિકિત્સકોની છે. કારણકે તેઓ એમ કહે છે કે નીચે સરકવું એ સ્વભાવ છે. નીચે સરકવાનો આપણો સ્વભાવ છે એમ માની લેવાનું આપણને પણ સહેલું લાગે છે. નીચે સરકતા રહેવાનો આપણો અનુભવ છે એટલે આવી દલીલ ગળે ઊતરી જાય છે.
જ્યારે મહાવીર કહે છે “અરિહંતા લાગુત્તમાં ત્યારે આપણી સમજમાં એ આવતું નથી. કારણકે અરિહંત કે સિદ્ધને આપણે જાણતા નથી. કોણ છે એ લોકો? આપણો અરિહંત કે સિદ્ધનો કોઈ અનુભવનથી, એવી કોઈ ક્ષણ જીવનમાં આવી નથી, જ્યારે અરિહંત જેવી કોઈ લહેરનો આપણને સ્પર્શ થયો હોય. કેવલી પ્રરૂપિત ધર્મમાં આપણે ક્યારેય પ્રવેશ કર્યો નથી. આ બધી વાતો આપણને તરંગ લાગે છે. આવી વાતો આપણે ક્યારેક મજબૂરીમાં માની લઈએ છીએ. એ મજબૂરીનું નામ જ આપણે ધર્મ રાખ્યું છે. કોઈ જૈનના ઘરમાં જન્મ્યા એ આપણી મજબૂરી છે. એ કાંઈ આપણું કૃત્ય નથી. પર્યુષણ છે તો મજબૂરી છે, મંદિરમાં જવું પડશે, ઉપવાસ કરવો પડશે, વ્રત લેવું પડશે, સાધુને નમસ્કાર કરવા પડશે. એમાં બીજા કોઈનો વાંક નથી, પેદા થઈ ગયા જૈન કુટુંબમાં, તો શું થાય? નાનપણથી જ અમુક વાતો ખોપરીમાં ભરી દેવામાં આવી છે, તે ચલાવી લઈએ છીએ. એમાં કોઈ અંત ફુરણા જેવું છે નહિ. કોઇ સહજ ભાવ જાગતો નથી. તમને ક્યારેય એવું ખ્યાલમાં આવ્યું છે કે મંદિર તરફ જતી વખતે અને સિનેમાગૃહ તરફ જતી વખતે જે આપણી ચાલ હોય છે તેમાં કોઈ ફરક હોય છે? એ બન્ને ચાલમાં ગુણાત્મક (qualitative) ભેદ છે. મંદિર તરફ જાણે પગ ઘસડાતા જાય છે, પરંતુ સિનેમાગૃહ તરફ તો આપણે જાતે જઈએ છીએ. મંદિર તો જાણે એક મજબૂરી છે, ફરજ છે, એક કામ છે. એ તરફ જતી વખતે આપણા પગમાં કોઈ આનંદ કે થનગનાટ નથી હોતો. કોઈ રીતે એ કામ પૂરું કરવાનું છે. આવી રીતે આપણું જીવન નિકૃષ્ટ પ્રતિ સહજ વહ્યા કરે છે. મુલ્લા નસરૂદીન જે દિવસે મરણ પથારી પર હતો ત્યારે એના ધર્મગુરુ એની પથારી પાસે આવી, એને પરમાત્માની પ્રાર્થના કરવા કહેવા લાગ્યા. એણે કહ્યું કે મુલ્લા પશ્ચાત્તાપકર, જે પાપત ક્યાં
Page #38
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
છે તે માટે.’ મુલ્લાએ આંખ ખોલીને કહ્યું ‘હું તો જે પાપો નથી કર્યાં, તેનો પસ્તાવો કરી રહ્યો છું . જે પાપ હું કરી શક્યો નથી, તે માટે હવે પસ્તાઉં છું. હવે મરી રહ્યો છું ત્યારે થાય છે, કેટલાંક એવાં પાપ હતાં, જે કરવાનું મન હતું પણ ન કરી શક્યો.’
૩૩
ધર્મગુરુ મુલ્લાની વાત ન સમજી શક્યા. કારણકે આ પૃથ્વી પર આવા ધર્મગુરુથી ઓછી સમજવાળા માનવી મળવા મુશ્કેલ છે. એટલે મુલ્લાને ધર્મગુરુએ પૂછ્યું, ‘તું શું કહે છે? તને ફરીથી જન્મ મળે તો ફરીથી આવાં જ પાપો કરીશ, આવું જ જીવન જીવીશ?”
મુલ્લાએ કહ્યું, ‘નહિ, જીવનપદ્ધતિમાં ઘણા ફેરફાર કરીશ. આ જિંદગીમાં પાપ કરવાનું મેં ખૂબ મોડું શરૂ કર્યું. આવતી જિંદગીમાં થોડી વહેલી શરૂઆત કરીશ.’
દરેક માનવી વિષે, મુલ્લાનો આ વ્યંગ ઘણું ઘણું કહી જાય છે. આપણી આવી મનોદશા છે. મરતી વખતે આપણને પશ્ચાત્તાપ થશે, એવી સ્ત્રીઓમાટે જે આપણને ન મળી, એટલા ધન માટે જે આપણે ન મેળવી શકયા, એવાં ઊંચાં પદ ને પ્રતિષ્ઠા માટે જે આપણે ચૂકી ગયા. આવું જે કાંઇ નિકૃષ્ટ હતું, જે મેળવવા યોગ્ય ન હતું, તેનાં માટે ન મળ્યાનો પસ્તાવો થશે. એવો પસ્તાવો થવાનો શક્ય છે ખરો કે અરિહંત ન મળ્યા કે સિદ્ધ ન મળ્યા કે કેવલી પ્રરૂપિત ધર્મમાં પ્રવેશ ન થઇ શક્યો?
નહીં, એવું બન્યું હશે કે નમોકાર મંત્ર તમારી આસપાસ ભણાતો હશે, પરંતુ તમારી અંદર, ભીતરમાં એ નહીં પ્રવેશી શકે. કારણકે જેણ આખું જીવન આવા મંત્રના પ્રવેશની તૈયારી ન કરી, તેનામાં શું છેલ્લી ક્ષણોમાં એનો પ્રવેશ થઇ જશે ? એવું જો કોઇ માનતું હોય તો એ અજ્ઞાન છે. જીવનભર જે મહેમાનના સત્કાર માટે તૈયારી ન કરી, તે શું આમ અચાનક તમારામાં પ્રવેશી જશે ? આવી ખોટી આશા કરીએ તો હતાશા જ હાથ લાગશે.
પરંતુ જે વ્યક્તિ નિરંતર ‘અરિહંત’ મંગળ છે, લોકોમાં ઉત્તમ છે, શ્રેષ્ઠ છે એવું રટતો હોય અને જીવનમાં એ મેળવવા પ્રયત્નશીલ હોય તે ખરેખર માત્ર પોપટિયું રટણ કરતો હોય તોપણ, એ મંત્રની રેખાઓ એનામાં અંકિત થઇ જાય છે. માત્ર ફરીફરી આવા સૂત્રનું રટણ કરતો હોય તોપણ એના ચિત્ત પર એ શુભની, મંગળની ઉત્તમની રેખાઓ અંકાય છે. કોઇ પ્રકાશની ક્ષણોમાં એ રેખાઓ સક્રિય બની શકે છે, જેણે ‘અરિહંત લોકોમાં ઉત્તમ છે ' એમ નિરંતર મનન કર્યું છે, એણે પોતાની અંદર એક ધારા, ગમે તેવી ક્ષીણ હોય તોપણ, વહાવી છે. એટલે જ્યારે એનામાં કોઇ અરિહંતથી વિપરીત જવાનો ભાવ જાગશે ત્યારે એના અંતરતલમાંથી અવાજ ઊઠશે કે તું જે કરવા જઇ રહ્યો છે, તે તારે માટે ઉત્તમ નથી, શ્રેષ્ઠ નથી.
જોણે જીવનભર રટણ કર્યુ છે કે ‘સિદ્ધ લોકોમાં શ્રેષ્ઠ છે' તે ક્યારેક આડે રસ્તે જઇ રહ્યો હશે ત્યારે એને એની ભીતરમાંથી આવાજ સંભળાશે કે સિદ્ધ તો પોતાને પામે છે, તું તો તારી જાતને ખોઇ રહ્યો છે. જેણે કહ્યું હશે ‘સાધુ લોકોત્તમ’ છે તેને એની કોઇ નબળી ક્ષણોમાં, અસાધુ બનતા એ
Page #39
--------------------------------------------------------------------------
________________
મંગળ અને લોકોત્તમની ભાવના
સ્મરણ રોકશે. જાણીને જે કર્યું હોય, સમજપૂર્વક જે કર્યું હોય તે તો પરિણામકારક બને જ છે, પરંતુ સમજ્યા કે જાણ્યા વિના કરેલું પોપટિયું રટણ પણ આપણા ચિત્તમાંરેખાઓ અંકિત કરે છે. એ રેખાઓ ભલે મૃત હોય તોપણ, કોઈ પ્રકાશની ક્ષણોમાં તે સક્રિય થઈ શકે છે. આટલી વાત નિયમિત પાઠ માટે, નિયમિત ભાવ અને ધારણા માટે સમજવા જેવી છે. હવે મહાવીરે આત્મા અને ઈશ્વર વિષેજે વાતો કરી છે તે સમજીએ. જૈન પરંપરા કે વિચારધારાનો મહાવીરે ઉપયોગર્યો છે, તેમાં માનવીના જ શુદ્ધ આત્માને શ્રેષ્ઠત્તમ સ્થાન પર બિરાજમાન ક્ય છે, મનુષ્યના શુદ્ધ આત્માને પરમાત્મા માન્યો છે. એટલે મહાવીરના હિસાબે આ પૃથ્વી પર જેટલા લોકો છે તે બધા ભગવાન થઈ શકે છે, માત્ર માનવી જ નહિ, જેટલી ચેતનાઓ છે તે બધી ભગવાન થઈ શકે છે. મહાવીરની દષ્ટિમાં એક જ ઈશ્વર છે.” એવો ખ્યાલ નથી. દુનિયાના બધા ધર્મોમાં ભગવાનની જે ધારણા છે તે અભિજાત (aristocratic) ઉચ્ચભુ છે, માત્ર એક ભગવાનની છે. જ્યારે એકલા મહાવીરના ધર્મમાં ભગવાનની ધારણા લોકતાંત્રિક (Democratic) છે. પ્રત્યેક વ્યક્તિ સ્વભાવથી જ ભગવાન છે. એ વ્યક્તિ જાણે કે ન જાણે, એ ભગવાન બનેન બને, જન્મોજન્મભટકે, અનન્ત જન્મો સુધી ભટકે છતાં એથી કાંઈ ફરક પડતો નથી, એ ભગવાન છે. કોઈને કોઈ દિવસે એનામાં જે છુપાયેલું છે તે પ્રગટ થશે. કોઈ ને કોઈ દિવસે એનામાં જે બીજરૂપે છે તે વૃક્ષ બનશે. જે આજે સંભાવના છે, તે સત્ય બનશે. મહાવીર અનન્ત ભગવત્તાઓમાં માને છે. પ્રત્યેક માનવી દિવ્ય છે. જે દિવસે આખું જગત અરિહંત સુધી પહોંચી જશે ત્યારે જગતમાં અનન્ત ભગવાન હશે. મહાવીર ભગવાનનો એવો અર્થ કરે છે કે જેણે પોતાના સ્વભાવને પામી લીધો. સ્વભાવ ભગવાન છે. ભગવાન વિષે આ એક અનૂઠી ધારણા છે. જગતને બનાવનાર કે ચલાવનાર કોઈ ભગવાન જેવી સત્તાનથી. મહાવીર કહે છે કોઈ બનાવનારનથી. જગતને બનાવવાની ધારણા જ બાલિશ છે. બાલિશ એટલા માટે કે ભગવાને જગત બનાવ્યું છે એમ કહેવાથી આપણામાં પ્રશ્ન ઊઠવાના બંધ થતા નથી. પ્રશ્ન થાય છે કે ભગવાને જગતને બનાવ્યું તો ભગવાનને કોણે બનાવ્યા? તો જે પ્રશ્ન છે તે ત્યાંની ત્યાં જ રહે છે. ભગવાને જગતને બનાવ્યું છે એમ કહેનારને કહેવું પડે છે કે ભગવાનને કોઈએ બનાવ્યા નથી. મહાવીર કહે છે જે ભગવાનને કોઈએ બનાવ્યા નથી એમ માનવું પડે તો એ માનવું જ પડે કે જગતમાં એવું કાંઈક છે જેનું સર્જન કોઈએ કર્યું નથી, એવું કાંઈક છે જેuncreated છે. તો પછી આખું જગત પણ કોઈએ બનાવ્યું નથી. એમ માનવામાં શું અડચણ છે? મનને તો એકમાત્ર અડચણ હતી કે બનાવ્યા વિના કોઈ ચીજ બને કેવી રીતે? એટલે મહાવીર પાસે નાસ્તિક માટે જે જવાબ છે તેવો કોઈ કહેવાતા ઈશ્વરવાદી પાસે નથી. નાસ્તિક તો ઈશ્વરવાદીને એ જ પૂછે કે “ભગવાને જગતને શું કામ બનાવ્યું?’ જવાબ આપવો મુશ્કેલ છે. છતાં પણ ઈશ્વરવાદી જવાબ આપે છે કે ઈશ્વરમાં જગત બનાવવાની ઇચ્છા-વાસના
Page #40
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ: મંત્ર
જાગી. જો ભગવાનમાં સુદ્ધાં વાસના જાગતી હોય તો માનવીને વાસનાથી મુક્ત કરવો મુશ્કેલ છે. ભગવાનને ઈચ્છા થઈ “એકોડહં બહુસ્યામ. જો ભગવાન પણ કાંઈ ઈયા વિના રહી નથી શક્તાતો માનવીને ઈચ્છારહિત કેવી રીતે બનાવી શકાશે ? શું જગત નહોતું, તેથી ભગવાનને ગમતું નહતું ? ભગવાનને કોઈ સંવેદન થતું હતું? જેવું સંવેદનકોઈ ચિત્રકારને ચિત્રનબનેને થાય તેવું? એક કવિને કવિતાનરચાય ત્યારે થાય તેવી પીડા થતી હતી ? શું ઈશ્વરમાં પણ કોઈ ચિંતા અને તનાવ રહેલાં છે? ઈશ્વરવાદીને આ સવાલોના જવાબ આપવામાં મુશ્કેલી થાય. એણે તો એ સ્વીકારવું જ પડે કે ભગવાને ચાહ્યું.' આ એક સ્વીકારને કારણે ઘણી બેહૂદી પૌરાણિક કથાઓ માનવી પડે છે. બ્રહ્માએ સ્ત્રીને જન્મ આપ્યો. એ જ સ્ત્રીને બ્રહ્માએ ચાહી. બ્રહ્મા અને ચાહનાએ બે વચ્ચે સંબંધ કેવી રીતે સ્થાપવો? ત્યારે એક હાસ્યાસ્પદ ઘટના બની બ્રહ્માએ જે સ્ત્રીને પેદા કરીને એની દીકરી થઈ. તો દિકરીની પાછળ બ્રહ્માજી દોડ્યા, સંભોગ માટે આતુર બન્યા. દીકરી બ્રહ્માથી ભાગવા લાગી. બ્રહ્માથી બચવાદીકરી ગાય બની તો બ્રહ્મા બળદબન્યા. બળદથી બચવા દીકરી બીજું કાંઈ બની. જે જે દીકરી બની તેતે જાતના બ્રહ્માનર બન્યા, બનતા જ ગયા. આવી વાસનાને કારણે બ્રહ્મા ભાગતા હોય તો તમે પણ સિનેમાગૃહમાં જાવ છો ત્યારે તમે પણ બ્રહ્મસ્વરૂપ છો. તમે જે કાંઈ છો તે યોગ્ય છે. જે સ્ત્રીને ચાહી, તે ફિલ્મ અભિનેત્રી બની ગઈ તો તમે ફિલ્મના પ્રેક્ષક બની ગયા. તમે પણ વાસના પાછળ ભાગતા રહો છો તો આખું જગત વાસનાનો જ ફેલાવ બની રહે છે. ભગવાન વિષે આવી હાસ્યાસ્પદ દલીલો થતી અટકાવવા મહાવીરે મૂળથી જ વાત કાપી નાખી. મહાવીરે કહ્યું કે જે લોકોને ભગવત્તા તરફ લઈ જવાના હોય તો ભગવાનની કલ્પનાને શૂન્યકરો. લોકોને ભગવાન બનાવવા હોય તો ભગવાનની ધારણાને જ દૂર કરો. ભગવાનમાં ઈચ્છા પેદા થઈ એમ કહેશો તો પછી માનવીને ઈચ્છાઓથી મુક્ત કરવાનો સવાલ જ પેદા થતો નથી. જગત અનિર્મિત છે. કોઈએ બનાવ્યું નથી, છતાં છે. વિજ્ઞાનને પણ આ વાત તર્કયુક્ત દેખાય છે. કારણકે વિજ્ઞાન માને છે કે કોઈ ચીજ બનાવાઈ હોય એવું લાગતું નથી. કોઈ ચીજ નષ્ટ થતી નથી. કોઈ ચીજ નિર્મિત થતી હોય એમ લાગતું નથી, પરંતુ ચીજોમાં સતત રૂપાંતર થતું હોય છે. એટલે મહાવીરે પદાર્થની જે પરિભાષા કરી છે તે આખા જગતમાં સર્વાધિક વૈજ્ઞાનિક છે. પદાર્થ mater) માટે એક અદ્ભુત શબ્દ પુલ એમણે વાપર્યો. આવોશબ્દ પદાર્થ માટે બીજી કોઈ ભાષામાં નથી. પુદ્ગલ’નો અર્થ છે જે બને છે, બદલાતો રહે છે, અદશ્ય થતો રહે છે, પરંતુ છે. પ્રત્યેક પળે બદલાતો રહે છે. નદી જેમ પ્રત્યેક ક્ષણે વહી રહી છે, ભાગી રહી છે, બની રહી છે અને
ત્યાં જ હાજર છે. મહાવીરે કહ્યું કે બધી ચીજો બની રહી છે, નાશ થઈ રહી છે. રૂપાંતર થઈ રહ્યું છે, બદલાઈ રહી છે. કોઈ ચીજનું રૂપાંતર થવાથી એનું સર્જન થાય છે એમનકહી શકાય. કોઈ ચીજ ક્યારેય બદલાતાં સમાપ્ત થતી નથી. આ બનતા રહેવાની (becoming) ની પ્રક્રિયા સતત ચાલુ
Page #41
--------------------------------------------------------------------------
________________
મંગળ અનેલોકોત્તમની ભાવના
રહે છે. પુદ્ગલનો અર્થ છે (becoming) હંમેશા બન્યાકરવું તે. પરંતુ ક્યારેય પુદ્ગુલનું સ્થિર ભાવે હોવું (being) શક્ય નથી. કોઈ ચીજ ક્યારેય છે ની સ્થિતિમાં આવતી જ નથી કે જ્યાં બનવાપણું પરું થઈ ગયું હોય. મહાવીર કહે છે પુલ એ ચીજ છે જે પ્રત્યેક ક્ષણે જન્મે છે અને મરે છે, ફરી નિર્મિત થાય છે, ક્યારેય સમાપ્ત થતી નથી. પદાર્થ એ મૃત શબ્દ છે. અંગ્રેજી ભાષાનો “મેટર - mater" શબ્દમૃત શબ્દ છે. “મેટરનો અર્થ છે જે માપી શકાય. measure શબ્દ પરથી એ બન્યો છે. સંક્ત અથવા હિંદી શબ્દ પદાર્થ નો અર્થ, અર્થવાન કે અસ્તિત્વવાન જેવો છે. “પુલ’ શબ્દનો અર્થ છે જે બની રહ્યો છે, પ્રક્રિયામાં છે. એ પ્રક્રિયાનું નામ જ પુદ્ગલ છે. ક્રિયા સતત ચાલુ છે. જેમ આપણે ચાલી રહ્યા છીએ. એક પગલું ભર્યું, પછી બીજું ભર્યું. ક્યારેય બન્ને પગલાં એકી સાથે નથી ઉઠતાં. એક પગલું ઉઠે છે ત્યારે બીજું સ્થિર રહે છે. એક પગલું પૂરું થાય છે ને બીજું ઊપડી રહ્યું હોય છે. એવી જ રીતે પદાર્થનું પણ એક પગલું ભરાઈ રહ્યું હોય છે ત્યારે આગલું, પહેલાનું પગલું મટી રહ્યું હોય છે. તમે જે ખુરસી પર બેઠા છોતે ધીમેધીમેનાશ થઈ રહી છે. જે એમનથતું હોય તો પચાસ વર્ષ પછી એ ખુરસી રાખ કેવી રીતે બનશે ? જે શરીરમાં તમે હાલ બેઠા છો તે પણ ધીમે ધીમે નાશ થઈ રહ્યું છે. પરંતુ એ શરીરને તમે બનાવી પણ રહ્યા છો. ચોવીસ કલાક એને હવા, પાણી અને ખોરાક આપ્યાં કરવાં પડે છે. એમાંથી એ બની રહ્યું છે, ઘસાતું પણ રહ્યું છે, જર્જરિત થતું રહ્યું છે. જીવન અને મૃત્યુ જાણે એકીસાથે (simulatneous) બે પગલાંની જેમ ચાલી રહ્યાં છે. મહાવીરે કહ્યું કે આ જગત પુદગલ છે. એમાં ચીજો બની રહી છે, નાશ થઈ રહી છે. ફરીથી રૂપાંતર પામી રહી છે. કોઈ ચીજ નવી નથી, નવું રૂપાંતર છે. કોઈ ચીજ કદી નાશ પામતી નથી, માત્ર એનું રૂપાંતર થતું હોય છે. માટે કોઈ નિર્માતાની, ભગવાનની જરૂર નથી. ઈશ્વર કારણ છે કે પરિણામ છે (cause or effect)? બધા ધર્મો ઈશ્વરને પરમાત્માને જગતની પહેલાં રાખે છે. મહાવીર પરમાત્માને જગતની અંતમાં રાખે છે. આ ફરક સમજવા જેવો છે. બધા ધર્મો કહે છે કે, પરમાત્મા કારણ છે. આદિકારણ (cause) છે. મહાવીર કહે છે કે પરમાત્મા પરિણામ છે, અંતિમ પરિણામ (effect) છે. મહાવીર માટે અરિહંત અંતિમ મંજિલ છે. જ્યારે
વ્યક્તિ બધું મેળવી ચૂકે છે ત્યારે ભગવાન બને છે; જ્યારે વ્યક્તિ એ સ્થાને પહોંચે છે, જેની - આગળ કોઈ યાત્રા નથી. બીજા ધર્મોના ભગવાન, જગતની શરૂઆત (beginining) માં છે.
જ્યાંથી દુનિયા શરૂ થાય છે. જ્યારે મહાવીરની ધારણા એવી છે કે જ્યાં દુનિયા સમાપ્ત થાય છે, ત્યાં ભગવત્તા શરૂ થાય છે, દુનિયાનું અતિક્રમણ કરી પાર જનાર ભગવાન છે. એટલે મહાવીર ભગવાનને પ્રથમ નહિ, અંતિમ રાખે છે; કારણ નહિ, પરિણામ ગણે છે. દુનિયાના બીજા ધર્મોના) ભગવાન બીજ જેવા છે, જ્યારે મહાવીરના ભગવાન ફૂલ જેવા છે. દુનિયા કહે છે કે ભગવાનમાંથી બધું પેદા થાય છે. મહાવીર કહે છે જ્યાં પહોચીને બધું સમજાઈ
Page #42
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૩૭
જાય છે, પ્રગટ થઈ જાય છે. ખિલી હદ છે તે ભગવત્તા છે. એટલે મહાવીરની અરિહંતની, સિદ્ધની, ભગવાનની ભગવત્તાની ધારણા એ ચેતનાનું પુરું ખિલી ઊઠવું તે, ચેતનાનું પ્રફુલ્લનું છે. એવાં ખિલી ઊઠલાલમાંથી ઝરતી જે સુવાસ છે, તે છે કેવલી પન્નતો ધમ્મો, કેવલીએ ઉપદેશેલો ધર્મ. એને જ મહાવીર લોકોમાં ઉત્તમ કહે છે. જે ફૂલની જેમ અંતમાં ખિલે છે, એ શિખર છે. શાસ્ત્રોમાં લખેલો ધર્મ ઉત્તમ છે એમ મહાવીર કહેતા નથી. નહિ તો એ એમ જ કહેત, ‘શાસ્ત્ર પ્રરૂપિત ધર્મ.” વેદમાં માનવાવાળા કહે છે, કે વેદમાં પ્રરૂપિત ધર્મ છે તે લોકોમાં ઉત્તમ છે. બાઈબલને માનવાવાળા કહે છે, બાઈબલમાં પ્રરૂપિત ધર્મ ઉત્તમ છે. કુરાનને માનવાવાળા કહે છે કે કુરાનમાં પ્રરૂપિત ધર્મ ઉત્તમ છે, ગીતાને માનવાવાળા કહે છે કે ગીતામાં વર્ણવેલો ધર્મ ઉત્તમ છે. પરંતુ મહાવીર કહે છે, “કેવલી પન્નતો ધમ્મો, કેવળજ્ઞાનની ક્ષણોમાં, જે ઝરી રહ્યો છે તે જીવંત ધર્મ ઉત્તમ છે. લખેલાનું શું મૂલ્ય છે? લખાયેલું બધું શબ્દોમાં બંધાતાં મર્યાદિત બને છે, સંકોચાઈ જાય છે. જીવંત ધર્મ-એના હવે ઘણા અર્થથઈ ગયા છે. હવે કેવલી પ્રરૂપિત ધર્મશાસ્ત્રોમાં લખાઈ ચૂક્યો છે. તો જૈનો એ શાસ્ત્રને માથા પર લઈને ધૂમે છે, જેમ કોઈ કુરાનને, ગીતાને કે બાઈબલને લઈને ધૂમતો હોય છે. પરંતુ આ મહાવીરને આપણે કરેલો અન્યાય છે. અન્યાય એટલા માટે કે મહાવીર શાસ્ત્ર પ્રરૂપિત ધર્મ એવું કહ્યું નથી. એમણે એમ પણ નથી કહ્યું કે મારા શાસ્ત્રમાં કહેલો ધર્મ. ખૂબ મોટી મુશ્કેલી છે. મહાવીરે તો કોઈ શાસ્ત્ર નિર્મિત કર્યું જ નથી. મહાવીરે કાંઈ લખ્યું નથી કે કાંઈ લખાવ્યું નથી. મહાવીરનાં દેહાંતનાં સેંકડો વર્ષો પછી, મહાવીરનાં વચન શિષ્યોની સ્મૃતિમાંથી લખાયાં છે. એક બીજી પણ મુશ્કેલી છે. મહાવીરે કહ્યું નથી, એમ કહેવું ઘણું મુશ્કેલ છે. મહાવીર તો મૌન રહ્યા હતા. મહાવીર તો કાંઈ બોલ્યા નથી. તો મહાવીરની જે વાણી છે તે કહેવાયેલી નથી, પરંતુ સંભળાયેલી છે. મહાવીરનું જે ધર્મ પરૂપણ છે તે, દૂરસંવેદી સંપ્રેષણ (Telepathjic Transmis sion) છે. એટલે એક પૌરાણિક કથા જેવી લાગતી વાત છે, જેને હવે વૈજ્ઞાનિક સમર્થન મળી રહ્યું છે તે મુજબ મહાવીર જ્યારે બોલતા ત્યારે બોલતા નહોતા. એ બેસતાશાંતિપૂર્વક ત્યારે એમના અંતર આકાશમાં એક ધ્વનિનું ગૂજન થતું-હોઠનો પણ એ ઉપયોગ નહોતા કરતા, કંઠનો પણ ઉપયોગ નહોતા કરતા. મૈસિંગ જેવો માણસ જે એક સાધારણ વ્યક્તિ છે, કોઈ અરિહંત નથી તે એક કાગળના ટુકડાને પોતાની અંતર્વાણી દ્વારા કહી શકે છે ‘આ ટિકિટ છે.” એ કાંઈ બોલ્યો નથી, માનસિક ભાવ કર્યો છે. પરંતુ ટિકિટચેકર તો સમજો અને સાંભળ્યું કે “આ ટિકીટ છે. માત્ર એક કોરા કાગળ પર લાખ લાખ બલ મેળવી શકાય છે. જે લખાયું નથી તે વંચાય છે. ટ્રેઝરરે વાંચ્યું કે લાખ રૂબલ આપવાના છે. તો આવો જ કોઇ પ્રયોગ – Telepathic પ્રયોગ મહાવીરે કર્યો હશે. એમના શબ્દો
Page #43
--------------------------------------------------------------------------
________________
મંગળ અનેલોકોત્તમની ભાવના
બોલાયા નથી, સંભળાયા છે. એમની બાજુમાં મૌન બેઠા હશે તેમણે એ શબ્દો સાંભળ્યા હશે. એટલે જે એવી ટેલીપથિક ભાષા સમજી શક્તા હતા, તેમણે એ ભાષામાં સાંભળ્યું. એમાં એક વાત બીજી સમજવા જેવી છે. આપણે જે ભાષાન સમજતા હોઈએ તેમાં કેવી રીતે સાંભળીએ? જે ભાષા સમજી શકીએ તેમાં સાંભળી શકીએ. મહાવીરે જ્યારે પ્રથમ મૌનમાં સંભાષણ ક્યું ત્યારે જાનવર હાજર હતાં, પક્ષી હાજર હતાં, વનસ્પતિ હાજર હતી-કથા કહે છે એ સૌએ પણ સંભાષણ સાંભળ્યું. એટલે બેકસ્ટર કહે છે કે છોડવાઓને પણ ભાવ હોય છે. તેઓ આપણાં ભાવ અને લાગણીઓ સમજે છે. છોડને પ્રેમ કરનાર જ્યારે દુઃખી થાય છે ત્યારે છોડ પણ દુઃખી થાય છે. જ્યારે પ્રેમીના ઘરમાં ઉત્સવ હોય ત્યારે છોડ પણ પ્રફુલ્લિત બને છે. એમની પાસે ઊભા રહેતા એમનામાં આનંદની ધારા વહેવા લાગે છે. જ્યારે એ જ ઘરમાં કોઈ મૃત્યુ પામે છે ત્યારે છોડ પણ શોક મનાવે છે. હવે જ્યારે આ બધી બાબતોનાં વૈજ્ઞાનિક પ્રમાણ મળ્યાં છે ત્યારે મહાવીરનો હૃદયનો સંદેશો છોડવાઓની સ્મૃતિ સુધી પહોંચ્યો હશે એમ માનવામાં શું મુશ્કેલી છે? હવે આખી દુનિયામાં પ્રયોગો થઈ રહ્યા છે, જે પુરવાર કરે છે કે આપણા અચેતન (Unconscious) માં આપણે કોઈ પણ ભાષા સમજી શકીએ છીએ. તમને જો સંમોહન (hypnotism) દ્વારા બેહોશ કરવામાં આવે અને તમને તમારી હસ્તીનું ભાનન રહે ત્યારે કોઈ પણ ભાષામાં તમારી સાથે વાતચીત કરાય તો તે તમે સમજી શકશો. એકઝેકોસ્લોવાકિયાનો વૈજ્ઞાનિક ડૉ. રાજ ડેક ભાષા અને અચેતન પર પ્રયોગ કરતો હતો. એક મહિલા જે ઝેક જાણતી ન હતી તેને બેહોશ કરીને ઘણા દિવસો સુધી એણે ઝેક ભાષામાં વાતો કરી. મહિલા એ સમજતી હતી. એ બેહોશ હોય ત્યારે ઝેક ભાષામાં એને કહેવામાં આવે કે “એક ગ્લાસ પાણી આપો તો એ ઉઠીને પાણી લઈ આવતી. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે એ હોશમાં આવતી ત્યારે એ જ વાક્ય ‘એક ગ્લાસ પાણી આપો એ સાંભળતી પણ સમજતી નહોતી. વૈજ્ઞાનિકે એ મહિલાને પૂછ્યું કે આમ કેમ થાય છે? તું બેહોશ હોય છે ત્યારે ઝેક ભાષા સમજે છે અને હોશમાં આવે છે, ત્યારે નથી સમજતી મહિલાએ જવાબ આપ્યો, મને બેહોશીમાં થોડો ખ્યાલ આવતો હતો કે હુંઝેક ભાષા સમજુ છું, પરંતુ જેમજેમ હોશમાં આવતી જાઉં છું, તેમ તેમ તમારા એ ઝેક ભાષાના શબ્દો, ચાચા ચાચા જેવા અર્થહીન માલુમ પડે છે. પરંતુ બેહોશીમાં મને પણ થોડી સ્મૃતિ રહે છે કે હું તમારી વાત સમજું છું. આ અભ્યાસ ઉપરથી માનવીની ભાષા વિષે એના અચેતનના અભ્યાસ પછી રાજ ડેક એવા નિર્ણય પર આવ્યો કે આપણે બધા મહાસાગરમાંથી નીકળેલા નાના નાના બેટ જેવા છીએ, ઉપરથી દેખાઈએ છીએ અલગ અલગ, પરંતુ ભીતરમાં જમીનથી જોડાયેલા. ઉપર આપણી ભાષાઓ અલગ અલગ પરંતુ જેટલા અચેતનમાં ઊંડા ઉતરીએ એટલી ભાષાઓ એક બનતી
Page #44
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્રી
જાય છે. માત્ર માનવીની જ નહીં, પરંતુ અચેતનમાં ઊંડા ઊતરતાં પશુની પણ એક; એથી વધુ ઊંડા વનસ્પતિની પણ એક; એથી વધુ ઊંડે પત્થરની પણ એક જ ભાષા રહે છે. જેટલા વધુને વધુ ઊંડા ઊતરતા જઈએ, એટલાં આપણે બધાં, જોડાયેલાં છીએ. આપણે એક મહાદ્વીપcontinent ના જીવન સાથે જોડાયેલાં છીએ ત્યાં આપણે બધું સમજીએ છીએ. એટલે મહાવીરનો આ નિઃશબ્દ-વિચાર-સંચરણ (telepathy) નો પ્રયોગ, આવતા થોડાં વર્ષોમાં વૈજ્ઞાનિકો સાચો સાબિત કરશે. આ વિષય પર બહુ તીવ્ર ગતિથી કાર્ય ચાલી રહ્યું છે અને ઘણી બધી અંધારી ગલીઓમાં પ્રકાશ પથરાઈ રહ્યો છે. એનો અર્થ એ થયો કે જે કોઈને બીજી ભાષા શીખવવી હોય તો રાજ ડેક ના કહેવા મુજબ, તો ચેતન રૂપથી શીખવવાની, આપણે નકામી મહેનત કરીએ છીએ. રાજડેકે એક સંસ્થા ખોલી છે જેનું નામ છે Institute of Suggestology. એનો જો ઠીક અનુવાદ કરીએ તો તે મંત્ર મહાવિદ્યાલય થાય.Suggestolog નો અર્થ છે મંત્રશાસ્ત્ર. તમે જાણતા હશો કે આપણને સલાહ આપનારને આપણે ‘મંત્રી કહેએ છીએ. મંત્રનો અર્થ છે સુઝાવ, suggéstion-રાજડેક સાથે જોડાયેલા છે ડૉ. લૌજનોવ. બન્નેની આ સંસ્થાને બબ્બેરિયન સરકાર, જે સામ્યવાદી છે તે મદદ કરે છે. એમાં લૌજાનો સાથેત્રીસ વૈજ્ઞાનિકો કામ કરે છે. લૌજાનોવ કહે છે કે બે વર્ષ ચાલે એટલો પાઠયક્રમ અમે માત્ર વીસ દિવસમાં પૂરો કરીએ છીએ. જે ભાષા ચેતનરૂપે શીખતાં બે વર્ષ લાગે, તે લોનોવ તમને સંમોહિત કરીને માત્ર વીસ દિવસમાં શીખવી દે છે. લૌજેનોવ એક નવી શિક્ષણ પદ્ધતિ વિકસાવી રહ્યા છે. આજની શિક્ષણ પદ્ધતિથી સાવ ઊલટી એ પદ્ધતિ છે. મને લાગે છે કે આવતાં થોડા વર્ષોમાં એ શિક્ષણપદ્ધતિ આખી દુનિયા અપનાવી લેશે. મને પણ એ પદ્ધતિ ઠીક લાગે છે. લેજોનો એક શાળા ખોલી છે. એમાં બાળકોને બેસવા માટે ખુરસી નહીં, પણ આરામ ખુરસીઓ છે. હવાઈજહાજમાં જેવી આરામદાયક ખુરસી હોય છે તેવી ખુરસીઓમાં બાળકો સૂઈ જાય છે. વિમાન ઊપર ઊડવા માંડે પછી પ્રકાશને આછોકરી દેવાય છે, તેવો આ ઓરડામાં પણ પ્રકાશ એકદમ આછો કરી દેવાય છે. એમાં એક ખાસ પ્રકારનું સંગીત ચાલ્યા કરે છે. આ તે કાંઈ સ્કૂલ કહેવાય? બધું ઊલટું જ થઈ રહ્યું છે. આખો વખત ધીમું સંગીત સંભળાયા કરે છે. વિદ્યાર્થીઓને કહેવાય છે કે એમણે આંખો પૂરી કે અર્ધી બંધ કરી દેવી, માત્ર સંગીત પર જ ધ્યાન આપવું. શિક્ષક જે ભણાવી રહ્યા છે તેના તરફ ધ્યાન આપવાનું નહિ. તમે માત્ર સંગીત જ સાંભળ્યા કરો. શિક્ષકને સાંભળવાની જરૂર નથી. આમાં તો બિલકુલ ઊલટું બની રહ્યું છે. આપણે તો સ્કૂલમાં શિક્ષક જે બોલતા હોય તેના પર જ પૂરું ધ્યાન આપવાનું હોય છે બાળક બારીની બહાર જતું હોય, પક્ષીના અવાજ સાંભળતું હોય કે કાંઈ બીજું કરતું હોય તો શિક્ષક બૂમ મારીને કહે છે મારા તરફ ધ્યાન રાખો અને સાંભળો. તો
Page #45
--------------------------------------------------------------------------
________________
મંગળ અને લોકોત્તમની ભાવના
આજે હજારો વર્ષોથી શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો ઝઘડો જે ચાલી રહ્યો છે તેનો આ રીતે અંત આવી જશે. આ ઝઘડાને કારણે જ વધુ સમય શિક્ષણમાં વેડફાઈ જાય છે. બબ્બે વર્ષ લાગી જાય છે, જે માત્ર વીસ દિવસમાં શીખવી શકાય તે શીખવામાં. લૌનોવ કહે છે કે સચેતનરૂપે જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણું ઉપરનું બાહ્ય મન જ સાંભળે છે. એટલે લૌજોનોવ કહે છે કે આઉપરના બાહ્ય સંગીત સાંભળવામાં મન લગાવી દેવું જોઈએ. તે પછી એનું જે આંતર-અંદરનું અચેતન મન છે તે સાંભળવાનું શરૂ કરશે. આ રીતે જે ભાષા શીખતાં બે વર્ષ લાગે તે વીસ દિવસમાં શીખીને બોલી શકાય છે. એનું શું કારણ છે? વાત માત્ર એટલી છે કે આપણા અચેતન ઊંડાણમાં ઘણી બધી ક્ષમતાઓ છુપાયેલી છે. તમે તમારે ઘેરથી અહીં આવ્યા છો. તમે પગે ચાલીને આવો, તો તમે કહી શકશો કે રસ્તામાં કેટલા વીજળીના થાંભલા હતા? તમને થશે કે હું શું પાગલ છું કે એ થાંભલાઓની ગણતરી કરું? પરંતુ જો તમને બેહોશ કરીને પૂછવામાં આવે તો તમે સાચી સંખ્યા કહી શકશો. જ્યારે તમે ચાલી રહયા હતા ત્યારે તમારું બાહ્ય મન તો અહીં આવવામાં લાગેલું હતું. હોર્ન વાગી રહ્યું છે. કોઈ અથડાઈ ન જાય તેનું ધ્યાન રાખવાનું છે. પરંતુ તમારું આંતર મન, બીજી બધી ચીજોનો પણ સંગ્રહ કરતું રહે છે અને એની નોંધ કરે છે. રસ્તામાં આવેલા લેમ્પ પોસ્ટ, ગાડીનું હોર્ન, સામેથી આવતી ગાડીનો નંબર, એવું બધું નોંધી લે છે. તમારા ચેતનને આ વાતનો કાંઈ ખ્યાલ નથી. તમને કાંઈ ખબર જ નથી. એમ કહેવું જોઈએ પાણીની સપાટી ઉપર દેખાતા ટાપુને કાંઈ ખબર નથી પરંતુ નીચે જોડાયેલી ભૂમિનો જે વિસ્તાર છે ત્યાં બધું જ નોંધાય છે. એટલે મહાવીર બોલ્યા નથી. ચૂપચાપ બેઠા છે. આ જ કારણે મહાવીરનો ધર્મ વ્યાપક ન બન્યો, બહુ લોકો સુધી એમનો સંદેશોને પહોંચી શક્યો. મહાવીર જો બોલ્યા હોત તો બધાની સમજમાં વાત આવી જાત. મહાવીરીન બોલ્યા, એટલે એ લોકો જ સમજી શક્યા, જેઓ એટલા અચેતન ઊંડાણમાં ઊતરવા તૈયાર હતા. એટલા માટે મહાવીરને સમજનારા, પસંદગી પામેલા થોડા જ શ્રેષ્ઠતમ શિષ્યો હતા, તે સમજી શક્યા. એવા શ્રેષ્ઠતમમાં ભલે તે પશુમાં હોય, છોડમાં હોય, માનવીમાં હોય તેથી કાંઈ ફરક પડતો નથી. મહાવીરને સાંભળવા માટે એક મોટા પ્રશિક્ષણમાંથી પસાર થવું પડ્યું હતું. ધ્યાનની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હતું. આ પ્રક્રિયાઓમાંથી પસાર
ચ્યા પછી, મહાવીર સામે તમે બેસો ત્યારે, તમારું જે વાચાળમન છે, જે નિરંતર ઉપદ્રવોથી ભરેલું બીમાર મન છે તે શાંત થઈ જાય અને તમારો જે ગહન આત્મા છે તે મહાવીરની સમક્ષ આવી જાય, જેથી તમારા એ આત્મા સાથે સંવાદ થઈ શકે. એટલા માટે જ મહાવીરનીવાણીની પાંચસો વર્ષ સુધી કશી જ નોંધ ન લેવાઈ. પાંચસો વર્ષ સુધી એવી વ્યક્તિઓ અસ્તિત્વમાં હતી, જે મહાવીરના દેહાંત પછી પણ મહાવીરના સંદેશા મેળવવા સક્ષમ હતી. જ્યારે એવા લોકોની સંખ્યા ઘટવા લાગી ત્યારે એક ગભરાટ ફેલાયો અને મહાવીર
Page #46
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
વાણીનો લેખિત સંગ્રહ કરવાનો પ્રયત્ન થયો. એટલે જૈનોમાં જે દિગંબર સંપ્રદાય છે તે મહાવીરની કોઈ વાણીને પ્રમાણિત માનતો નથી. દિગંબરોનું માનવું છે કે જે લોકોએ મહાવીરનીવાણી સંગ્રહિત કરી છે તેઓને પણ એક શંકા પેદા થઈ ગઈ હતી કે હવે મહાવીર સાથે સંબંધ સ્થાપિત થઈ શકે તેમ નથી. જે કાંઈ નોંધ થઈ છે તેને પ્રમાણિત કેવી રીતે કહી શકાય? એટલે દિગંબર જૈનો પાસે કોઈ શાસ્ત્ર નથી. તેઓ એમ કહે છે કે બધું મહાવીર સાથે જ ખોવાઈ ગયું. શ્વેતાંબરો પાસે પણ જે શાસ્ત્ર છે, તે અધુરાં છે, કારણકે જેમણે સંગ્રહ કર્યો, તેમણે જ કહ્યું કે હવે અમે થોડી જ વાતો પ્રામાણિત લખી શકીએ છીએ. બાકી બીજાં અંગો ખોવાઈ ગયાં છે. એમને જાણવાવાળું કોઈ બચ્યું નથી, એટલે એ શાસ્ત્ર અધુરાં
પરંતુ મહાવીરની સંપૂર્ણ વાણી ફરીથી પ્રાપ્ત થઈ શકે તેમ છે. જે ગ્રંથો લખાયા છે તેમાંથી તે નહિ મળી શકે. એનો એક જ રસ્તો છે. થોડી એવી વ્યક્તિઓનાં સમૂહ-સ્કૂલ-ઊભાં થાય, જેમની ચેતના એટલા ઊંડાણમાં ઊતરી શકે, જ્યાં આજે પણ મહાવીર સાથે સંબંધ સ્થાપી શકાય. એટલે જ મહાવીરે કહ્યું, ‘કેવલી પન્નતો ધમ્મ શાસ્ત્ર નહીં, એ જ ધર્મ ઉત્તમ છે, જે તમે કેવલી સાથે સંબંધિત થઈને જાણી શકો, શાસ્ત્રથી સંબંધિત થઈને નહીં. કેવલી સાથે સંબંધિત થવા માટે બહુ મોટી કિંમત ચૂકવવી પડે તેમ છે. સ્વયંની ભીતરમાં ઘણું બધું રૂપાંતરિત કરવું પડે તેમ છે. મોટી વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો એટલી મોટી કિંમત ચૂકવવી જ પડે.
જ્યારે મહાવીર કહે છે કે અરિહંત ઉત્તમ છે, સાધુ ઉત્તમ છે, કેવલી પ્રરૂપિત ધર્મ ઉત્તમ છે ત્યારે સાથેસાથે એ પણ કહે છે કે ઉત્તમને પ્રાપ્ત કરવા માટે, બધું જ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. જે મૂલ્યવાન છે, તે મત મળતું નથી. આપણે બધું મફત લેવા ટેવાયેલા છીએ. આપણે કાંઈ પણ ચૂકવવા તૈયાર નથી. બજારમાંથી ભળતી ચીજો ખરીદતાં ઘણું બધું ચૂકવીએ છીએ, કારણ આપણે તે લેવા માટે આગ્રહ રાખીએ છીએ. ધર્મતો મફ્ત મળવો જોઈએ. જે વધારેમાં વધારે મૂલ્યવાન છે, તે મેળવવાનો આગ્રહ નથી. પછી એની કિંમત કેવી રીતે ચૂકવાય? મહાવીર કહે છે, જે ઉત્તમ છે, લોકોમાં સર્વશ્રેષ્ઠ છે તેના માટે સ્વયંને ખોઈ નાખવાની, સર્વસ્વ ચૂકવવાની તૈયારી જોઈએ. તો જ કેવલી પ્રરૂપિત ધર્મ સાથે સીધો સંબંધ, કોઈ મધ્યસ્થી વિના, સ્થાપી શકાશે.
Page #47
--------------------------------------------------------------------------
________________
शरणागति-सूत्र
अरिहंते सरणं पवजामि। सिद्धे सरणं पवज्जामि।
साहू सरण पवज्जामि। केवलिपन्नत्तं धम्म सरणं पवजामि।
હું અરિહંતનું શરણ સ્વીકારું છું. હું સિધ્ધોનું શરણ સ્વીકારું છું. હું સાધુઓનું શરણ સ્વીકારું છું. હું કેવલી પ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છું.
Page #48
--------------------------------------------------------------------------
________________
૩. શ૨ણાગતિ: ધર્મનો મૂળ આધાર
કૃષ્ણે ગીતામાં કહયું છે : સર્વ ધર્માન્ પરિત્યજ્ય, મામેકં શરણં વ્રજ... અર્જુન, તું બધા ધર્મો છીડીને મારે એકને શરણે જ આવી જા.
કૃષ્ણે જે યુગમાં આ કહ્યું હતું તે યુગ અત્યંત સરળ, નિર્દોષ અને શ્રદ્ધાનો યુગ હતો. કૃષ્ણની વાત તે સાંભળીને કોઇને એવું પણ ન થયું કે કૃષ્ણ કેવી અહંકારભરી વાત કરી રહ્યા છે કે ‘બધું છોડીને મારા એકને શરણે આવી જા.’ આથી વધારે અહંકારથી ભરેલી ધોષણા કોઇ હોઇ શકે? ખરેખર એ યુગ અત્યંત શ્રદ્ધાનો યુગ હશે, જ્યારે જરા પણ ખચકાયા વિના કૃષ્ણ સરળતાથી આવી વાત કરી શક્યા. અર્જુને પણ વાંધો ન ઉઠાવ્યો, એમ પણ ન કહ્યું કૃષ્ણને કે, ‘તમારે શરણે હું આવી જાઉં?’ આ તમારી બહુ અહંકારભરી વાત છે.
પરંતુ બુદ્ધ અને મહાવીરના સમય સુધીમાં માનવીના ચિત્તમાં ઘણો ફરક પડી ગયો. જ્યાં હિંદુ ચિંતન, ‘મામેકં શરણં વ્રજ’ને કેન્દ્રમાં રાખીને ઊભું હતું ત્યાં બુદ્ધ અને મહાવીરના યુગ સુધીમાં મૂળભૂત દષ્ટિ પરિવર્તન કરવું પડયું. મહાવીરે કે બુદ્ધે એમ ન કહ્યું કે ‘તુ બધું છોડીને મારે શરણે આવી જા.’ એમણે બન્નેએ આ સુત્રને એના બીજા છેડા પરથી કહેવરાવ્યું. મહાવીરનાં અને બુદ્ધનાં સૂત્રોમાં શરણાગતિ સાધક તરફથી સ્વીકારાઇ છે : ‘હું અરિહંતનું, સિદ્ધનું, સાધુનું, કેવલી પ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છુ.’ આ સાધક તરફથી બોલાય છે. શરણું સાધક ચાહે છે અને સ્વીકારે છે. બે જ રસ્તા છે કહેવાના : કાં તો સિદ્ધ કહે કે ‘મારે શરણે આવી જા’, કાં સાધક કહે કે ‘હું તમારે શરણે આવું છું.”
હિંદુ અને જૈન વિચારધારાનો આ એક મૌલિક ભેદ છે. હિંદુ વિચારધારા મુજબ સિદ્ર કહે છે કે ‘મારે શરણે આવી જા,’ જૈન વિચારધારા મુજબ સાધક કહે છે કે ‘હું તમારે શરણે આવું છું.” કૃષ્ણ
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૪
શરણાગતિ:ધર્મનો મૂળ આધાર
બોલી રહ્યા હતા ત્યારે મોટો શ્રદ્ધાનો યુગ હતો, જ્યારે મહાવીર બોલી રહ્યા હતા ત્યારે મોટો તર્કનો યુગ હતો. મહાવીર જો એમ કહે કે મારે શરણે આવી , તો તરત જ લોકોને લાગે કે મહાવીર અહંકારભરી વાતો કરી રહ્યા છે. માટે મહાવીરને બીજા છેડાથી જ સૂત્ર બોલવું પડશે. બૌદ્ધ પરંપરાનું સૂત્ર છે, “બુદ્ધ શરણં ગચ્છામિ, સંઘ શરણં ગચ્છામિ, ધમ્મ શરણં ગચ્છામિ બુદ્ધને શરણે જાઉ છું, સંઘને શરણે જાઉ છું, ધર્મને શરણે જાઉ છું. મહાવીર અને બુદ્ધનાં સૂત્રોમાં પણ થોડો ફરક છે તે સમજી લેવા જેવો છે. ઉપર ઉપરથી તો બન્ને સૂત્ર એકસરખાં લાગે છે. ગચ્છામિ કહો કે “પવજામિ’ કહો, શરણે જાઉ છુંકે શરણ સ્વીકારું છું, એક જેવાં જ સૂત્ર દેખાય છે, પરંતુ એમાં સૂક્ષ્મ ભેદ છે. જ્યારે કોઈ કહે કે “બુદ્ધ શરણં ગચ્છામિ...બુદ્ધને શરણે જઉ છું ત્યારે એ શરણે જવાની શરૂઆત છે. એ પહેલું પગલું છે, જ્યારે કોઈ કહે કે અરિહંત શરણં પહજજામિ.. અરિહંતનું શરણ સ્વીકારું છું.' એ શરણે જવાની અંતિમ સ્થિતિ છે, વિચારપૂવર્ક શરણનો સ્વીકાર છે. એની આગળ બીજી કોઈ ગતિ નથી. જ્યારે કોઈ કહે કે હું શરણે જાઉ ત્યારે એ એનું પ્રથમ પગલું છે. એનો વિચાર બદલાયતો આગળની ગતિ બંધ કરી શકે છે. જ્યારે શરણ સ્વીકારું છું એમ કહેવામાં વિચારપૂર્વક લેવાયેલું પગલું છે, પાછા ફરવાનો કોઈ પ્રશ્ન નથી. વિચાર બદલવા માટે કોઈ કારણ નથી, પુખ્ત વિચાર પછી જ ભરાયેલું પગલું છે. બુદ્ધના સંન્યાસી માટે યાત્રાનો પ્રારંભ છે. યાત્રામાં વચ્ચે કોઈ વિચાર બદલાય, અડચણ આવે, તર્ક કે અકાર શરણ સ્વીકારવાના પાડે, એ શક્ય છે. કારણકે તર્ક હમેશાં શરણે જવાનો વિરોધ કરે. બુદ્ધિ કોઈને શરણે જવાની વિરુદ્ધ છે. બુદ્ધિ કહે છે, તમે શું કોઈને શરણે જશો? તમે તો કોઈ બીજાને શરણમાં લાવો એવા છો! શરણે જવામાં અહંકારને બહુ મોટી પીડા છે. પરંતુ મહાવીરનું સૂત્ર છે, હું અરિહંતનું શરણ સ્વીકારું છું કોઈ પણ વાતનો સ્વીકાર કરવો એ એક અંતિમ પ્રતિબદ્ધતા છે, commitment છે. એમાં પાછા ફરવાનો કોઈ ઉપાય નથી. એમાં એક છલાંગ છે, એક પૂર્ણતા છે, એમાં ફેરવિચારને અવકાશ નથી. અરિહંતને આપેલું એક વચન છે. ‘હું શરણે જાઉ છું એ સૂત્રમાં જાણે હમણાં શરણે જવાનો વિચાર આવ્યો છે, થોડો સમય તો લાગશે, પહોંચતા પહોંચતાં. ‘શરણે જાઉ છું,’ ખબર નથી પહોંચવામાં એક જન્મ લાગે, અનેક જન્મ લાગે. મારી ગતિ અને મતિ પ્રમાણે આગળ વધાશે. મતિ કદાચ બદલાઈ જાય તો, બુદ્ધને કોઈ વચન આપ્યું નથી. અધવચ્ચેથી પાછો ફરી શકું છું. જેણે શરણનો સ્વીકાર કર્યો એણે તે જ ઘડીએ પોતાનો અસ્વીકાર કર્યો, બે વાત સાથે બની શકતી નથી. જો તમે તમારી જાતનો સ્વીકાર કરશો તો કોઈના શરણનો સ્વીકાર નહીં કરી શકો. જે શરણનો સ્વીકાર કરશો તો તમારી જાતનો અસ્વીકાર કરી શકશો. શરણનો સ્વીકાર અહંકારનો અંત છે. ચેતનામાં ધર્મનો જે વિકાસ છે, તે અહંકારના વિસર્જનથી જ શરૂ થાય છે. અશ્રદ્ધાનો,
Page #50
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૫
બુદ્ધિ અને તર્કનો યુગ હોય, તેમાં સાધકે જ કહેવું પડે કે હુ તમારા શરણનો સ્વીકાર કરું છું. મહાવીર તો ચુપ છે, એકાંઈ કહેતા નથી. મતવીર એમ પણ કહેકે ઠીક તું મારે શરણે આવ્યો છે, તો હું તારો અંગીકાર કરું છું તોપણ મહાવીર વચમાં આવી જાય છે. આ તો એકતરફી, સાધક તરફથી જ નિર્ણય છે. તર્કના યુગમાં, સાધક આવીને કહે કે, હું તમારું શરણ સ્વીકારું છું, ત્યારે મહાવીર કાંઈ બોલ્યા વિના, હકારમાં માત્ર માથું હલાવે તોપણ સાધકનો અહંકાર જાગ્રત થઈ જાય. સાધકને થાય, જોયું કેવું માથું હલાવ્યું ? એમને પણ મારી જરૂર છે. એટલે મહાવીર કોઈ પણ પ્રતિક્રિયા વિના ચુપ રહે છે. એટલેકૃષ્ણનાયુગમાં, શ્રદ્ધાના યુગમાં, સત્યને પામવું જેટલું સહેલું હતું, તેટલું મહાવીરના સમયમાં સહેલું નહોતું. સાંપ્રતયુગમાં તો વધારેમાં વધારે મુશ્કેલી છે. ન સિદ્ધ કહી શકે કે “મારે શરણે આવ,” ન સાધક કહી શકે કે “તમારે શરણે આવું છું.” આજે કદાચ સાધક કોઈ સિદ્ધના શરણે જાય અને સિદ્ધ કહે કે “નહીં કોઈને શરણે જવાની જરૂર નથી” (એવું કૃષ્ણમૂર્તિએ કહ્યું, આપણી વીસમી સદીમાં) તો આજના સાધકને ગમે. આજે તો સિદ્ધ ચુપ રહેતોતે, “મૌન સંમતિનું લક્ષણ છે, તમે મારો સ્વીકાર કરો છો’ એમ માની લેવાય. અત્યારે તર્ક વધુ રોગગ્રસ્ત બની ગયો છે. આજે તો મહાવીર ચુપ બેસી રહે અને તમે એમને શરણે જાઓ છો એમ કહો ત્યારે એનો અર્થ તમે તો ભળતો જ કરો. તમે ઘેર પાછા આવી વિચાર કરો કે મહાવીર ચુપ રહ્યા. કાંઈ ન બોલ્યા એનો એટલો જ અર્થ કે મહાવીર હું શરણે જઉ તેની પરીક્ષા કરતા હતા. મૌન તો સંમતિનું લક્ષણ છે. તો મહાવીર તો અહંકારી ગણાય, એ અરિહંત કેવી રીતે હોઈ શકે? આ પરિસ્થિતિમાં મહાવીર જેવાને એક પગલું વધારે નીચે ઊતરવું પડે. મહાવીરે કહેવું પડે કે તમે કોઈના શરણે ન જશો. ભારપૂર્વક મોટેથી ઈનકાર કરવો પડે કે નહીં, ‘તમારે શરણે જવાની જરૂર નથી.’ આમ મહાવીર કહે તો સાધક સમજે કે મહાવીર અહંકારી નથી પરંતુ આ સાધકને એ વાત સમજાતી નથી કે મહાવીરના અસ્વીકારમાં સાધકનાં ધર્માભિમુખ થવાનાં દ્વાર બંધ થઈ જાય છે. જે કૃષ્ણમૂર્તિ આ યુગમાં એટલે જ પ્રભાવી રહ્યા છે. એ કહેતા નથી કે બધા ધર્મ છોડી મારે શરણે આવો. તેમ જ્યારે કોઈ સાધક કહે કે હું તમારે શરણે આવું છું ત્યારે કૃષ્ણમૂર્તિ ઇનકાર કરીને કહે છે કે મારે પગે ન પડશો, દૂર રહો' ત્યારે અહંકારી સાધક પ્રસન્ન થાય છે. એની અસ્મિતા ઘેરી બને છે, એવા સાધકને કશી મદદ કરી શકાતી નથી. આજનો યુગ એવો છે કે કોઈએ સહાય કરવી હોય તો પણ ન કરી શકાય. આપણો યુગ આધ્યાત્મિક દષ્ટિએ કોઈને સહાય કરવાનું મુશ્કેલ બનાવે છે. કૃષ્ણ જે સામેથી બોલાવીને સહાય આપે છે તે વાત તો બાજુએ રહી, પણ આજે સામે આવેલાને પણ સહાય આપવાનું મુશ્કેલ થઈ જાય છે. થોડા દિવસો પછી સિદ્ધોને સાધક પાસે આવીને હું તમારે શરણે આવું છું, મારો સ્વીકાર કરો એમ કહેવું પડે તો નવાઈ પામવા જેવું નહી રહે! આ એક
Page #51
--------------------------------------------------------------------------
________________
શરણાગતિ:ધર્મનો મૂળ આધાર
આધ્યાત્મિક વિકૃતિ છે. શરણાગતિનું આટલું મૂલ્ય કેમ છે તે સમજીએ. બેત્રણ દિશાએથી આસમજવાની કોશિશ કરીએ. ગઈ કાલે મેં તમને ડૉ.લોજાનોવના ઈન્સ્ટિટ્યુટ
ઓફ સજેસ્ટોલોજી (Institute of suggestologu) ની વાત કરી હતી. ડૉલોજાનો બાળકોનાં શિક્ષણ પર જે અનૂઠા પ્રયોગો કર્યા હતા તે વિષે એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં એને પ્રશ્ન પુછ્યો કે તમે જે શિક્ષણ વિષે ક્રાંતિકારી પ્રયોગો કર્યા તેની પ્રેરણા તમને કેવી રીતે મળી ? લોજાનોવે જવાબ આપ્યો કે ભારતીય યોગશાસ્ત્રમાં વર્ણવેલા “શવાસન” ના પ્રયોગો કરતો હતો, તેમાંથી એ પ્રેરણા મળી. શવાસનમાંથી પ્રેરણા મળી? શવાસનની ખૂબી શું છે? શવાસનનો અર્થ છે શરીરની પૂર્ણ સમર્પણ અવસ્થાજ્યારે તમે શરીરને સંપૂર્ણ શિથિલતામાં છોડી દો છો. સાષ્ટાંગ પ્રણામની જે પુરાણી પદ્ધતિ છે, તેવી શરીરની સ્થિતિમાં પડીનેજ, શરીરને પૂરું છોડી શકાય છે. એ શરણાગતિની સ્થિતિ છે. જમીન પર તમે હાથપગ ઢીલા કરી. માથું જમીનને અડાડી, બધાં અંગ જમીનને સ્પર્શ એ રીતે સૂઈ જાવ, તો એ માત્રનમસ્કારની વિધિ જ નથી, એ ઘણાં અદ્ભુત વૈજ્ઞાનિક સત્યોથી ભરેલો પ્રયોગ છે. લોજાનવ કહે છે કે રાત્રે ઊંઘમાં આપણને જે વિશ્રામ અને શક્તિ મળે છે તેનું મૂળ કારણ, આપણે પૃથ્વી સાથે સમથળ, સમાનાન્તર સૂઈ જઈએ છીએ તે છે. જ્યારે એ રીતે પૃથ્વી સાથે સમાનાન્તર, સમથળ સૂઈ જઈએ છીએ ત્યારે જગતની શક્તિઓ આપણામાં સહજપ્રવેશી શકે છે. જ્યારે આપણે ઊભા થઈએ છીએ ત્યારે આપણી સાથે આપણો અહંકાર પણ ઊભો થાય છે. જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે આપણો અહંકાર પણ સાથોસાથ સૂઈ જાય છે ત્યારે આપણી રક્ષણવ્યવસ્થાનું જે કાંઈ આયોજન હોય છે તે સક્રિય રહેતું નથી. પ્રાગની ઝેક યુનિવર્સિટીમાં એક રોબર્ટ પાવેલેટા નામે વ્યક્તિ છે તેણે માનવીમાં ફરીથી શક્તિ ભરવાના પ્રયોગો કર્યા છે. કોઈ માણસ ખૂબ થાકી ગયેલો શક્તિહીન થઈ ગયો હોય તેને એ એક ઊભેલી સ્વસ્થ ગાયની નીચે જમીન પર સૂવાડી દે છે. એ કહે છે કે તમે બિલકુલ શિથિલ થઈને ગાયની નીચે શાંત પડી રહી પાંચ મિનિટ ભાવ કરો કે એ સ્વસ્થ ગાયમાંથી, તમારામાં શક્તિ દાખલ થઈ રહી છે. પાંચ મિનિટમાં બાજુમાં મૂકેલું તમારી સાથે જોડાયેલું યંત્ર બતાવે છે કે તમારો થાક દૂર થઈ ગયો છે અને તમે તાજા થઈને ગાયની નીચેથી બહાર આવી જાવ છો. કોઈએ પાવલેટાને પૂછયું કે સૂવાને બદલે ગાયનીચે બેસીએ તો શું થાય? પાપલેટાએ કહ્યું જે કામસૂઈ જવાથી થોડી મિનિટોમાં બની શકે છે તે બેસવાથી કલાકો સુધી બનતું નથી. પાવલેટા કહે છે કે આપણી ચારે બાજુ આપણી એક પ્રતિરોધ શક્તિ છે જેના વડે આપણા સંરક્ષણ માટે જે દિવાલો
Page #52
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
આવવા દેતા નથી સિવાય કે એ પ્રિયજન હોય.)
વૈજ્ઞાનિકો કહે છે કે મનુષ્યની બુદ્ધિ, એ ઊભો થઇ શકવાને કારણે ખિલી છે એ વાત સાચી છે. બધાં પશુ પૃથ્વીની સમાનાન્તર જીવે છે. માત્ર માનવી જ સીધો ઊભો થઇ ગયો છે. માનવીના ઊભા થઇ જવાથી એની કહેવાતી બુદ્ધિનો તો વિકાસ થઇ ગયો, પરંતુ સાથે સાથે જીવનની કેટલીક જાગતિક શક્તિઓ સાથેના અને જીવનની કેટલીક અંતરતમ માનસિક શક્તિઓ સાથેના સંબંધો પણ ક્ષીણ અને શિથિલ થઇ ગયા. એટલે માનવીને સૂઇ જઇને એ સંબધો ફરીથી સ્થાપિત કરવા પડે છે. મંદિરમાં મૂર્તિઓ સામે, મસ્જિદોમાં, ગિરિનઘરોમાં ઝૂકી જઇને અને જમીન પર સૂઇ જઇને જે પ્રણામ કરે છે તેનો વૈજ્ઞાનિક અર્થ છે. એ રીતે માનવી સૂઇ જતાં એનું સુરક્ષા આયોજન તૂટી પડે છે.
૪૭
અમેરીકાના કેટલાક બીજા મનોચિકિત્સકો આ કોચ (coach) ની વિરુદ્ધ આંદોલન ચલાવી રહ્યા છે. એ લોકોનું એમ કહેવું છે કે આ રીતે કોચ પર સૂવરાવીને ફ્રોઇડ દર્દીને એકદમ અસહાય અવસ્થામાં લાવે દે છે. એમની વાત સાચી છે, પરંતુ એમનું આંદોલન બરાબર નથી. સૂવાથી અસહાય બને છે એ નક્કી–એટલા માટે અસહાય બની જાય છે, કે એની પોતાની સુરક્ષા કરવાની જે વ્યવસ્થા છે તેને ગુમાવી દે છે.
શરણાગતિનું આપણે ત્યાં મોટું મૂલ્ય અંકાયું છે. જો એ શરણાગતિ પરમાત્મા પ્રતિ, અરિહંત પ્રતિ, સિદ્ધ પ્રતિ હોય તો એ વિભૂતિઓ તો પડદાની પાછળ છે, દ્રશ્ય નથી. મહાવીર સ્વયં હાજર હોય તો મહાવીરનું શરીર પડદો બની જાય છે, મહાવીરની ચેતના તો એ પડદા પાછળ જ હોય છે. પરંતુ જ્યારે કોઇ પોતાનું સર્વથા સમર્પણ કરી દે છે ત્યારે જેમ કોઇ નદીના પ્રવાહમાં પોતાની જાતને વહેતી મૂકી દે છે તેમ, એ પ્રવાહ એને લઇ જાય છે પોતાની સાથે. એમાં તરવાનું નથી, માત્ર વહેવાનું છે, એક પ્રકારનું વહ્યા કરવાનું (floating) છે. એવા શરણાગતના ચિત્તની બધી ચિંતાઓ છૂટી જાય છે.
એક બોવિસ નામે ફ્રેન્ચ શોધક, ઇજીપ્તના પિરામિડો વિષે દસ વર્ષ સુધી અભ્યાસ કરી રહ્યો હતો. એ પોતે વૈજ્ઞાનિક અને એન્જિનિયર હતો. એણે નિરીક્ષણ કર્યું કે જ્યારે કોઇ ઊંદર કે બિલાડી ભૂલથી પિરામિડમાં ઘુસી જાય અને તે બહાર નીકળવાનો માર્ગ ભૂલી જાય ત્યારે પિરામિડમાં મરી જાય. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એનો મૃતદેહ જરા પણ સડતો નથી કે ગંધાતો નથી. એ સૂકાઇને એક પ્રકારનું પરૂરક્ષિત શબ (mummy) બની જાય છે. આ ખૂબ આશ્ચર્યજનક ઘટના છે. પિરામિડમાં આવું બનવા માટે કોઇ કારણો જડતાં નથી. એવાં પણ પિરામિડ છે જે સમુદ્રના કિનારે આવેલાં છે. ત્યાં તો ભેજવાળી હવા જ હોય. ત્યાં દરિયાકિનારે તો કોઇ પણ ચીજ મરી જાય તો એની દુર્ગંધ ફેલાય. પરંતુ પિરામિડ કોઇ અદ્ભૂત રીતે મરેલી ચીજને સડવા નથી દેતું. માંસનો ટુકડો પિરામિડમાં રાખી દેવાય તો તે પણ સૂકાઇ જાય છે, ગંધાતો નથી. છેવટે વૈજ્ઞાનિકને
Page #53
--------------------------------------------------------------------------
________________
४८
શરણાગૃત: ધર્મનો મૂળ આધા૨
એવું ખ્યાલમાં આવ્યું કે પિરામિડનો જે આકાર છે તેની સાથે આ ઘટનાને સંબંધ છે.
શું આકાર કાંઇ કરી શકે? બોવિસે આ ખ્યાલની ચકાસણી કરવા એક નાનો ત્રણચાર ફૂટનો પાયો (base) લઇને પિરામિડનો નમૂનો બનાવ્યો. એ પિરામિડમાં એણે એક મરી ગયેલી બિલાડી મૂકી. થોડા દિવસો પછી જોયું તો એ બિલાડી mummy થઇ ગઇ, એનું સૂકાયેલું શબ મળ્યું. એ પોતે આશ્ચર્યચકિત થઇ ગયો. ત્યારે એક વિજ્ઞાનના નવા સિદ્ધાંતનો જન્મ થયો. ભૂમિતિની આકૃતિઓને જીવનઉર્જાઓ સાથે ધણો સંબંધ છે. હવે તો બોવિસની સલાહ મુજબ, એવી કોશિશ થઇ રહી છે કે દુનિયાની બધી હોસ્પિટલોને પિરામિડ આકારમાં બાંધવામાં આવે જેથી એમાં દર્દીઓ જલદી સાજા થઇ જશે.
સરકસમાં જે ડાગલો (joker) હોય છે, તેની ટોપી (clown's cap) જોઈ છે? એનો આકાર ખાસ શંકુ, અણીદાર ટોચવાળો,(conical) હોય છે. બોવિસ કહે છે કે એક જમાનામાં બુદ્ધિમાન લોકો (wise men) આવી ટોપી પહેરતા હતા. એ ટોપીનો આકાર પિરામિડ જેવો છે. જે લોકોનું માથું વારંવાર દુઃ ખતું હોય તેઓ, પિરામિડ આકારની ટોપી પહેરે તો, એમનું માથું દુ:ખવાનું બંધ થઇ જાય છે. જેની માનસિક ચિકિત્સા કરવાની હોય તેમને ‘બોવિસ’ ટોપી પહેરાવવાથી લાભ થાય છે એવું હવે પ્રમાણિત થઇ રહ્યું છે.
તો શું ટોપીની અંદરના આકારથી આટલો ફાયદો થઇ શકે? હા, હું એમ માનું છું કે જો આવી પિરામિડ કે ટોપી જેવી બહારની આકૃતિ, ફાયદો પહોંચાડતી હોય, તો આંતરિક આકૃતિઓ પણ ફાયદા પહોંચાડે. શરણાગતિ આંતરિક આકૃતિને બદલવાની કોશિશ છે. આપણે જ્યારે ઊભા હોઇએ છીએ ત્યારે આપણી ચિત્તની આકૃતિ જુદી હોય છે. આપણે પૃથ્વી પર શરણાગતિમાં નમન ભાવે સૂઇએ છીએ ત્યારે આપણી ચિત્તની આકૃતિ જુદી હોય છે. ચિત્તમાં ભૌમિતિક આકૃતિઓનું જે યોગદાન છે, તે સમજવા જેવું છે. આપણે જ્યારે ઊભા હોઇએ છીએ ત્યારે જમીન સાથે આપણે ૯૦ નો ખૂણો બનાવીએ છીએ. એટલે આપણે સૂઇએ છીએ ત્યારે જમીન સાથે સમાન્તર (parallel) ૧૮૦°ને ખૂણે હોઇએ છીએ. એટલે પરિપૂર્ણ ભાવથી કોઇ ‘અરિહંતને શરણે જાઉં છું, ધર્મને શરણે જાઉં છું,’ એમ કહે ત્યારે એની આંતરિક ચિત્તની આકૃતિ એ બદલે છે, એનો અહંભાવ વિસર્જિત થાય છે, એનામાં રૂપાંતરણ શરૂ થાય છે. આપણે જેવા ભાવ કરીએ છીએ તેવી આકૃતિ આપણું ચિત્ત ધારણ કરે છે.
બધા પાશ્ચિમાત્ય દેશોના વૈજ્ઞાનિકોને ચાર વર્ષ પહેલાં એક ઘટનાથી માનસિક આંચકો લાગ્યો, જે કદાચ પાછલાં બસો વર્ષમાં નહિ લાગ્યો હોય. વિનિત્રિ દોજોનોવ નામનો એક ખેડૂત, જમીનથી ચાર ફૂટ ઊંચે, દસ મિનિટ સુધી અદ્ધર રહી શક્યો, ગુરુત્વાકર્ષણના ખેંચાણની વિરુદ્ધ જમીનથી ઉપર ચાર ફૂટ અદ્વર, પાંચ મિનિટ સુધી રોકાઇ રહેવાનો પ્રયોગ એણે સેંકડો વૈજ્ઞાનિકોની હાજરીમાં ઘણી વાર કર્યો. એની ઘણી રીતે પૂછપરછ કરાઇ. એમાં કોઇ કરામત કે છેતરપિંડી ન થાય તેની
Page #54
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
પૂરી કોશિશ કરવામાં આવી. દોજોનોવે સાબિત કર્યું કે એમાં કોઈ તરકીબ નથી.
દોજોનોવને પૂછવામાં આવ્યું કે તે આ કેવી રીતે કરી શકે છે? એણે કહ્યું કે એનું રહસ્ય બે બાબતમાં છે. એણે સમજાવ્યું કે એક તો એનો પૂર્ણ સમર્પણ ભાવ અને બીજું પરમાત્મા પ્રત્યે નિવેદન કે ‘હું મારી જાતને તારા હાથમાં સોંપુ છું, તારે શરણે આવું છું.’ એણે કહ્યું કે ‘હું મારી તાકાતથી ઉપર ઊઠતો નથી, પરમાત્માની તાકાત પર ઉપર ઊંડું છું.’ જ્યાં સુધી મારાપણાનો ભાવ અદશ્ય થતો નથી ત્યાં સુધી હું ઉપર ઊઠી શકતો નથી.
૪૯
બે ત્રણ વખત એના પ્રયોગ નિષ્ફળ પણ ગયા. એને પરસેવો વળી ગયો. સેંકડો લોકો એને દૂર દૂરથી જોવા આવ્યા હતા અને એ ઉપર ઊઠી ન શક્યો. આખરે એણે બધાને કહ્યું કે, ‘મને માફ કરો.’ આજે તે કેમ ઉપર ઊઠી શકતો નથી એમ પૂછતાં એણે કહ્યું કે, ‘આજે હું મારી જાતને ભૂલી શકતો નથી. જ્યાં સુધી મને મારો જરાસરખો ખ્યાલ બની રહે છે. ત્યાં સુધી ગુરુત્વાકર્ષણ કામ કરે છે, ત્યાં સુધી જમીન મને નીચે પકડી રાખે છે, જ્યારે હું મારી જાતને ભૂલી જાઉં છું, જ્યારે હું છું એની યાદ પણ રહેતી નથી, માત્ર પરમાત્માનું સ્મરણ રહે છે, ત્યારે તરત જ હું ઉપર ઊઠવા લાગું છું.’ શરણાગતિનો અર્થ છે સમર્પણ. વિનિત્રિના કહેવા મુજબ શું પરમાત્મા પર બધું છોડી દેવાથી જીવનના સાધારણ નિયમો પણ કામ કરવાનું છોડી દે છે? શું જમીન પણ પોતાનું ગુરુત્વાકર્ષણ ગુમાવી દે છે? જો જમીન પણ પોતાનું ગુરુત્વાકર્ષણ છોડી દે તો અરિહંતને શરણે જનાર શું જાતીય આકર્ષણથી પણ મુક્ત થઈ જાય? જીવનના સામાન્ય નિયમો કામ કરતા બંધ થઇ જાય? શરીરની ભૂખ છે તે છૂટી જાય? શું શરીર ભોજન માગવાનું બંધ કરે? શું એવું થઇ શકે, વર્ષો સુધી શરીર ભોજન વિના જીવી શકે? જો જમીન પોતાનો ગુરુત્વાકર્ષણનો પ્રાકૃતિક નિયમ તોડી શકે તો પછી બધા નિયમ તૂટી શકે છે.
વિનિત્રિ એક બીજી વાત પણ કહે છે. ‘જ્યારે હું ઉપર ઊઠું છું ત્યારે મારા શરીરની જે આકૃતિ હોય તેમાં શરીરનાં જે અંગ જે સ્થિતિમાં હોય છે તેમાં, હું કાંઇ ફેરફાર કરી શકતો નથી. આખું શરીર એક આકૃતિમાં બંધાઇ જાય છે. જો મેં હાથ છાતી પર રાખ્યો હોય તો ત્યાંથી તે હટાવી શકતો નથી, મારું માથું વાંકુંચૂકું હલાવી શકતો નથી. મારું શરીર જ નહીં, મારી ચેતના પણ એક આકૃતિમાં બંધાઇ જાય છે.’
તમને કદાચ ખ્યાલ નહીં હોય કે યોગમાં ‘સિદ્ધાસન'નું જે વર્ણન છે તે, આપણા શરીરની પિરામિડની આકૃતિ બનાવવાની રીત છે. બુદ્ધની અને મહાવીરની મૂર્તિઓનો આકાર જે આસનમાં છે તે પિરામિડ જેવો છે. આપણા બે પગથી બનતી જમીન સાથેનું બેઝ (base) મોટું થઈ જાય છે. એક ત્રિકોણાકાર આકૃતિ રચાય છે. આ આસનને સિદ્ધાસન કહેવાય છે. શા માટે? કારણકે આ આસનમાં સરળતાથી પ્રકૃતિના પોતાના નિયમ કામ છોડી દે છે અને પ્રકૃતિના પારના, પરમાત્માના જે ગહન, સૂક્ષ્મ નિયમો છે તે કામ કરવાનું શરૂ કરે છે. આ આકૃતિ મહત્ત્વની છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
શરણાગતિ:ધર્મનો મૂળ આધાર
વિનિત્રિ કહે છે કે જમીન પરથી ઉપર ઉઠ્યા પછી, આકૃતિ બદલવાનો કોઈ ઉપાય નથી, મારું એમાં કાંઈ ચાલતું નથી. જમીન પર પાછો આવ્યા પછી જ આકૃતિ બદલી શકું છું. આશરણાગતિની પોતાની આકૃતિ છે. અહંકારની પણ પોતાની આકૃતિ છે. અહંકારને જમીન પર સૂઈ ગયેલો કોઈ કલ્પી શકે છે? અહંકારને હંમેશાં ઊભો હોય એવું જ વિચારીને કલ્પી શકાય. એ રીતે જ શરણના ભાવને ઉભો હોય એવું કલ્પી કે વિચારી શકાતું નથી. શરણનો ભાવ સૂઈ જવાનો જ ભાવ છે. કોઇ વિરાટ શક્તિ સામે પોતાને ધરી દેવાનો આ ભાવ છે. “હું નહીંતું એવી એમાં ગહન ભાવના છે. મેં કહ્યું કે જો આપણે પરમાત્માના નિયમો સાથે એકરૂપ થઈ જઈએ તો પ્રકૃતિના નિયમો કામ કરવાનું બંધ કરે છે. આ વિષે એક બે બીજી વાતો કહેવી જરૂરી છે. મહાવીર વિષે એમ કહેવાય છે કે મહાવીરે બાર વર્ષમાં માત્ર ૩૬૫ દિવસ ભોજન ક્યું. મહાવીરના અનુયાયીઓમાંથી, આ પચીસસો વર્ષમાં, કોઈ આ વાતનું રહસ્ય સમજાવી શક્યું નથી. એનો અર્થ એમ કે અગિયાર વર્ષ મહાવીરે ભોજનન ક્યું. ક્યારેક ત્રણ મહિનામાં એક દિવસ ભોજન ક્યું, ક્યારેક ક્યું મહિના પછી એક દિવસ. બાર વર્ષમાં, બધું થઈને માત્ર ૩૬૫ દિવસ ભોજન ક્યું. સરેરાશ બાર દિવસે એકવાર ભોજન ક્યુ, અગિયાર દિવસ ભૂખ્યા રહ્યા. છતાં મહાવીરથી વધારે સ્વસ્થ શરીર ખોળવું મુશ્કેલ છે. મહાવીર જેવું શક્તિશાળી શરીર પણ મળવું મુશ્કેલ છે. બુદ્ધ, કૃષ્ણ, ક્રાઈસ્ટ કે રામસ્વાથ્યની દષ્ટિએ, મહાવીર સાથે ઉભા રહી શકે. આ એક બહુ નવાઈની વાત છે મહાવીરે શરીરના કુદરતી નિયમોની વિરુદ્ધ કાર્યું છે. જે માણસ બાર વર્ષમાં માત્ર ૩૬૫ દિવસ ભોજન કરે, એનું શરીર તો મૃત થઈ જવું જોઈએ. પરંતુ એવું શું બન્યું જેથી મહાવીરનું શરીર ટકી રહ્યું? રોબર્ટ પાવલેટાવિષે અગાઉ વાત કરી. એની પ્રયોગશાળામાં ઘણા અનોખા પ્રયોગો થઈ રહયા છે. એમાં સંમોહનદ્વારા, ભોજનવિના જીવતા રહેવાનો એક પ્રયોગ છે. પાવલેટાની પ્રયોગશાળામાં કેટલાક લોકોને દસ દસ વર્ષ સુધી સંમોહિત દશામાં રાખવામાં આવ્યા છે. એવી સંમોહિત પરિસ્થિતિમાં જ તેઓ ઊઠે છે, બેસે છે, ખાય છે, પીએ છે, કામ કરે છે, પરંતુ એમનું સંમોહન તોડવામાં આવતું નથી. ઘેરી સંમોહનની અવસ્થા ચાલુ રહે છે. કેટલાક લોકોએ પોતાનું આખું જીવન એ રીતે સંમોહિત રહેવા માટે સોંપી દીધું છે. જીવનભર એમનું સંમોહન ચાલુ રહેશે, તોડવામાં નહી આવે. એ પ્રયોગશાળામાં એકબરફિલાવનામે વ્યક્તિ છે. એને ત્રણ અઠવાડિયા માટે સંમોહિત કરવામાં આવ્યો. એ સંમોહિત અવસ્થામાં એને વારંવાર દરરોજ જૂઠું ભોજન આપવામાં આવ્યું. એની અભાન અવસ્થામાં એને કહેવામાં આવ્યું કે તને એક બગીચામાં લઈ જઈ રહ્યા છીએ. જે આ બગીચામાં કેટલાં સુગંધી ફૂલ છે અને કેટલાં ફળ લાગેલાં છે એની સુગંધ આવી રહી છે. એણે એક
Page #56
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ: મંત્ર
૫૧
ઊંડો શ્વાસ ખેચીને કહ્યું, કે “અદભૂત સુગંધ છે. લાગે છે કે સફરજન પાકી ગયાં છે.” પાવલેટાએ એ ખોટાં કાલ્પનિક ફળ બગીચામાંથી તોડ્યાં અને તે બરફિલાવને આપતાં કહ્યું કે “લે ખા આ ફળ.બહુ સ્વાદિષ્ટ છે. બરફિલાવશૂન્યમાં (પોતાના અભાન) એ શૂન્યમાંથી લીધેલાંશૂન્યસફરજન ખાધાં. ખરેખરતો સફરજન હતું જનહિ. બરફલાવે તે ફળસ્વાદપૂર્વક ખાધાંઅને આનંદિત થયો. પંદર દિવસ સુધી એને આ રીતે ભોજન અપાયું-જૂઠું પાણી અને જૂઠું ભોજન. દરરોજ દસડોક્ટરો એનું અનેક રીતે અધ્યયન કરી રહ્યા હતા. ડોક્ટરોએ કહ્યું કે દિવસે દિવસે એનું શરીર વધારે સ્વસ્થ થતું ગયું. પાંચ દિવસ પછી બધી શારીરિક તકલીફો મટી ગઈ. રાત દિવસ પછી શરીર પોતાની પૂર્ણ તંદુરસ્તીમાં આવી ગયું. શરીરની સામાન્ય ક્રિયાઓ બંધ થઈ ગઈ. મળ-મૂત્ર વિસર્જનની જરૂર ન રહી. કારણકે શરીરમાં તો કાંઈ જતું ન હતું. ત્રણ અઠવાડિયાં પછી, જે સૌથી વધુ ચમત્કારની વાત હતી તે એ કે બરફલાવ પરિપૂર્ણ સ્વસ્થ, પોતાની બેહોશીની બહાર આવી ગયો, એનું સંમોહન દૂર કરાયું. એથી મોટા આશ્ચર્યની વાત એ બની કે આ ત્રણ અઠવાડિયામાં એનું વજન વધ્યું. આ તો અશક્ય વાત છે. ડૉ. રેજલિવ જે એનું અધ્યયન કરતો હતો તેણે કહ્યું કે “This is scientifically impossible આ વાત વૈજ્ઞાનિક સિદ્ધાંત મુજબ શક્ય નથી.” પરંતુ એ વાત હકીકત હતી. રેજલિવની હાજરીમાં આ બધું બન્યું. બધા દિવસો દરમિયાન બરફિલાવની આગળ પાછળ, ચોવીસે કલાક પહેરો રહેતો, જેથી એને કોઈ તરકીબથી કાંઈ ખવરાવી ન દે, કોઈ ઇંજેક્શનન આપી દે, કોઈ દવાન આપી દે કે એના શરીરમાં કાંઈ પણ કોઈ દાખલ ન કરી દે. આ વિષયમાં રેજલિવ એક વર્ષથી પ્રયોગ કરી રહ્યો હતો. એણે કહ્યું કે કોઈ અજાણી (અદીઠ) શક્તિ કામ કરી રહી છે એવું માનવું પડશે. કોઈ એસ ફોર્સ અજ્ઞાત શક્તિકામ કરી રહી છે. જે આપણે વૈજ્ઞાનિક રૂપે જાણીએ છીએ, તેમાંની કોઈ શક્તિઓ સિવાયની, કોઈ શક્તિ કામ કરી રહી છે. એ શક્તિને ભારતમાં આપણે “પ્રાણશક્તિ' કહીએ છીએ. આ પ્રયોગ પરથી મહાવીરને સમજવાનું સહેલું થઈ પડશે. હું એટલા માટે કહું છું કે જે લોકોને ઉપવાસ કરવા હોય તેઓ જૈન સાધુઓને સાંભળી સમજીને ઉપવાસ કરવાનું પાગલપણું ન બતાવે. એમને આ બાબતમાં કાંઈ ખબર નથી. એ લોકો માત્ર અનુયાયીઓને ભૂખે મારે છે. અનશનને (કાંઈ પણ ન ખાવું તેને) ઉપવાસ કહે છે ઉપવાસની તો પૂરી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જે મુજબ ઉપવાસ કરવાથી વજન ઘટતું નથી, ઊલટું વધી શકે છે. મહાવીરનાં રહસ્ય ખોવાઈ ગયાં છે. સંભવ છે કે રેજલિવ જેવી વ્યક્તિઓ ઝેકોસ્લોવાકિયામાં ફરીથી એનાં તથ્યો પુરવાર કરે. ભારતમાં પણ એ પ્રયોગો થઈ શકે છે, પરંતુ આપણે અભાગી છીએ. વ્યર્થ વાદવિવાદોમાં એટલો સમય નષ્ટ કરીએ છીએ અને કરાવીએ છીએ કે આપણી પાસે સાર્થક કરવા માટે સમય અને સુવિધા બચતાં નથી. આપણે એવી મૂઢતાઓને માની લઈએ છીએ
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૨
શરણાગતિ ધર્મનો મૂળ આધાર
કે જે મૂઢતાઓ વિદ્વતાનાં વસ્ત્રો પહેરીને બેઠેલી છે. આપણે બંધિયાર અંધારી ગલીઓમાં ફરી રહ્યા છીએ, જ્યાં પ્રકાશનાં કિરણ દાખલ થઈ શકે તેમ નથી. પ્રકૃતિના નિયમોની પાર જવાની મહાવીરની શું તરકીબ હશે? મહાવીર તો કોઈ સંમોહિત કે બેહોશ વ્યક્તિ નહતા. પાવલેટા અનેરેજલીવતો બેહોશ અને સંમોહિત વ્યક્તિઓ પર પ્રયોગ કરે છે. મહાવીર તો જાગ્રત પુરુષ હતા. મહાવીરતો એવા જાગ્રત પુરષોમાંના એક હતા, જેઓ નિદ્રામાં પણ જાગતા રહેતા, જેઓ નિદ્રામાં પણ એટલા હોશમાં રહેતાકે આંગળી ચીંધીને બતાવી શકે કે “આ રહી ઊંઘ’ ઊંઘ પણ એમની આસપાસ ફરતી, ક્યારેય ભીતરમાં પ્રવેશ કરી શક્તી નહતી. એ તો ઊંઘની પણ પરીક્ષા કરતા અને સંદેવ જાણતા કે ઊંઘની હાજરીમાં પોતે જાગી રહ્યા છે. તો મહાવીરે આ કેવી રીતે કર્યું હશે ? મહાવીરનું રહસ્ય શું છે ? ખરેખર તો સંમોહનમાં અને મહાવીરના સૂત્રમાં એક આંતરિક સંબંધ છે. એ જ સમજવાની કોશિશ કરીએ. સંમોહિત વ્યક્તિ પણ સમર્પિત થઈ જાય છે, પરંતુ એ એની બહોશીમાં હોય છે અને વિવશ હોય છે. એનો અહંકાર પણ ખોવાઈ જાય છે. એ પોતે જાણી સમજીને અહંકાર છોડી શકતો નથી, માટે એને બહોશ કરવો પડે છે. બહોશીમાં તે અહંકાર ગુમાવે છે. જ્યારે મહાવીરનાં અહંકાર અને અસ્મિતા એમના પૂરા હોશમાં, વિસર્જિત થઈ જાય છે, પોતે પૂરા સમર્પિત થઈ જાય છે. જે તમે ભાનપૂર્વક, જાગૃતિમાં સમર્પિત થઈ શકો અને કહી શકો, ‘અરિહંત શરણં પહજુ જામિ,’ તો તમે એ જ રહસ્યલોકમાં પ્રવેશી જશો. પાવલેટા અને રજલિવ જે પ્રયોગો કરે છે તેમાં, કાંઈ બને છે તે બધું બહોશીમાં બન્યું હોય છે. હોશમાં આવતાં તો બરફલાવને પણ ભરોસો નથી આવતો કે એ કેવી રીતે ત્રણ અઠવાડિયાંકાંઈ ખાધા વિના જીવી શક્યો. એણે કહ્યું કે કોઈ ગરબડ થઈ હોવી જોઈએ. એ પોતે પ્રયોગ દરમિયાન બનેલી વાતને માની શકતો નથી. હોશમાં આવ્યા પછી તો એક દિવસ પણ એ ભોજન વિના રહી શકતો નથી. હોશમાં આવતાં તો એને તુરત ભૂખનું ભાન થયું, એનો અહંકાર પાછો આવી ગયો. અહંકાર પોતાની સુરક્ષાનું આયોજન કરવામાં લાગી ગયો. એને ડૉક્ટરો સમજાવી રહ્યા છે કે એકવીસ દિવસતો અમે પ્રત્યક્ષ જોઈ શક્યા છીએ કે તારું સ્વાસ્થ વધારે સુધર્યું છે. પરંતુ બરફલાવ કહે છે મને કાંઈ ખબર નથી. મને ભોજન આપો એને મૃત્યુનો ભય પાછો આવી ગયો. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ચિત્તમાં જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી ભય હોય છે, ભય અને અહંકાર એક જ શક્તિનાં નામ છે. જેટલો ભયભીત માણસ, એટલો જ વધારે અહંકારી હોય છે. તમે એમ સમજાતા હોકે અહંકારી માણસ નિર્ભય હોય છે તો તમે ભૂલમાં છો. અહંકારી વ્યક્તિ અત્યંત ભયભીત હોય છે. જોકે પોતાનો ભય પ્રગટ ન થઈ જાય તે માટે નિર્ભયતાનાં કવચ એણે પહેરેલાં હોય છે. મહાવીર તો કહે છે કે જે અહંકારી નથી હોતો તે જ નિર્ભય હોય છે. અહંકાર વિસર્જિત થતાં ભયભીત થનાર માણસ પણ વિસર્જિત થઈ જાય છે. મહાવીર કહે છે જે પોતાની
Page #58
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
જાતને નિર્ભય હોવાનું દેખાડી રહ્યો છે, તે ભયભીત જ હોય છે. જે શરણાગત અને સમર્પિત છે, તેને જ અભય પ્રાપ્ત થઇ શકે છે.
૫૩
આ સૂત્ર શરણાગતિનાં છે. આ સૂત્ર સાથે નમોકાર પૂરો થાય છે. નમસ્કારથી શરૂ કરી શરણાગતિ પર નમોકાર પૂરો થાય છે. નમોકાર આ અર્થમાં પૂરા ધર્મની યાત્રા બની જાય છે, પહેલાં સૂત્રથી છેલ્લા સૂત્ર દરમિયાન, ક્યાંય પણ, કોઇ પણ ચરણમાં, શરણાગતિ પૂર્ણ થઇ જાય અને બધું છૂટી જાય, એ મહત્ત્વનું છે.
શરણાગતિથી થતા લાભ
તો શરણાગતિનો પહેલો સંબંધ છે આંતરિક ભૂમિતિ સાથે, જે તમારી અંદરની ચેતનાની આકૃતિ બદલે છે. શરણાગતિને બીજો સંબંધ છે, તમારી પ્રકૃતિના સાધારણ નિયમોનું અતિક્રમણ કરાવવાનો. કોઇ ગહન અર્થમાં શરણે જતાં જ તમે દિવ્ય બની જાઓ છો. સાધારણ કહેવાતા નિયમો, જે આપણને બાંધી રહ્યા છે તેનાથી આપણે ઉપર ઊઠીએ છીએ. શરણાગતિનો ત્રીજો ફોયદો એ છે કે આપણા જીવનના દ્વારને ઇશ્વરની પરમ ઊર્જાના પ્રવેશ માટે ખુલ્લાં કરી દે છે.
સૂરજ તરફ પીઠ કરીને ઊભા રહેવાની આપણને સ્વતંત્રતા છે. સૂરજની સામે ઊભા રહીને પણ, આપણી આંખ બંધ રાખી શકીએ છીએ. સૂરજ નો અનંત પ્રકાશ વરસતો હશે અને આપણે તેનાથી વંચિત રહી જઇશું. પરંતુ એક વ્યક્તિ, સૂરજમુખી ફુલની જેમ, સૂરજ તરફ વળી જાય, આંખ ખોલી નાખે ને દરવાજા ખુલ્લાં મૂકી દે તો સૂરજનો પ્રકાશ એના રોમરોમમાં શરીરના પ્રત્યેક અંગના છિદ્રોમાં પ્રવેશ કરી જશે. એના હૃદયના અંધારા ખૂણામાં પ્રકાશ પથરાતાં એ નવો, તાજો અને પુનર્જીવિત બની જશે. એ જ રીતે વિશ્વશક્તિના મૂળ સ્રોત તરફ પોતાની જાતને ઉઘાડવી હોય તો, શરણમાં ગયા વિના કોઇ છુટકારો નથી.
એટલે અહંકારી પોતાને દીન-દરિદ્ર બનાવે છે. એ પોતાને બધાં શક્તિકેન્દ્રોથી અલગ કરી દે છે. એને માત્ર પોતાની ઉપર જ ભરોસો છે. એ એવું ફૂલ છે, જે પોતાના મૂળ સાથેના સંબંધો તોડી બેઠું છે, જાણે સૂરજ તરફથી પોતાનું મોં ફેરવી લેવાની હઠ બતાવી છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે એ અહંકારી ફૂલ પોતાની પાંખડીઓ બંધ કરી દે છે. એમ થતાં એનું જીવન સડવા માંડશે. એનું જીવન મરવાની એક પ્રક્રિયા બની જશે. એનું જીવન પરમ ઊર્જા પ્રાપ્ત કરવા માટેનો માર્ગ નહીં બને. ફૂલને જે રસ હંમેશાં મળે છે, તે એના મૂળમાંથી, સૂરજમાંથી, ચંદ્ર અને તારામાંથી મળે છે. પ્રકાશ અને જીવન, બધા દરવાજા તોડી નાખવાથી મળે છે. એટલે શરણાગતિ જીવનના ગહનતમ્ સ્રોત પ્રત્યે આપણી જાતને ખોલી નાખવાની પ્રક્રિયા છે.
પાવલેટાની અગાઉ આપણે વાત કરી, એણે એક યંત્ર બનાવ્યું છે જેનું નામ છે પાવલેટા જનરેટર. અત્યંત સંવેદનશીલ પદાર્થોમાંથી એ યંત્ર બનાવ્યું છે. પાવલેટા કહે છે કે આ યંત્ર સામે આંખને કેન્દ્રિત કરીને, પાંચ મિનિટ તમે ઊભા રહી જાવ, તો એ યંત્ર તમારી શક્તિને ગ્રહણ કરી લેશે. જે
Page #59
--------------------------------------------------------------------------
________________
શરણાગતિ ધર્મનો મૂળ આધાર
કામ તમારું મન કરી શકે છે તે કામ આયંત્રમાં સંગ્રહ થયેલી શક્તિ કરી શકશે. પાંચ મિનિટ પહેલાં જે યંત્રમાં કાંઈ પ્રાણ નહતો, નિર્જીવ હતું તેમાં તમારી ધ્યાનઊર્જા દાખલ થઈ ગઈ. હવે એ યંત્રને તમારા પ્રેમીના હાથમાં આપશો, તો એયંત્રમાંથી બહાર નીકળતી તમારી ઊર્જાને એ પ્રેમીઓળખી શકશે. તમે જો ક્રોધ અને ધૃણાથી ભરેલા હશો અને એ યંત્ર તમારી તે સમયની ઊર્જાનો સંગ્રહ કર્યો હશે, તો તમારો પ્રેમી યંત્રને તુરત છોડી દેવાની ઈચ્છા કરશેતમારામાં પ્રેમ, દયાઅને સહાનુભૂતિ ભરેલાં હશે અને એ યંત્રમાં શક્તિ ભરશો તો તમારો પ્રેમી એ યંત્રને સંભાળીને રાખવાની ઈચ્છા કરશે. પાવલેટાએ તો એટલે સુધી કહ્યું છે કે કોઈ સ્થળેતોફાની ટોળું ભેગું થયું હોય તો તેને વિખેરવા માટે લાઠી ચલાવવાની કે ગોળી છોડવાની જરૂર નહીં પડે. આપણે એવાં યંત્ર બનાવી શકીશું કે જેમાં આવાં હિંસક, ઘણાથી ભરપૂર લોકોના ટોળાની શક્તિ, પંદર મિનિટમાં સંગ્રહ થશે અને તે હિંસક, ધૃણાથી ભરપૂર લોકોના ટોળાને વિખેરી નાખશે. એક નવું એવું યંત્ર પાવલેટાએ બનાવ્યું છે કે એની અમુક હદની અંદર પ્રવેશતાં એ તમને પકડી લેશે. કાર્લ ઓટોવિચ ઝીલીંગનામે એક વ્યક્તિ રશિયામાં થઈ ગઈ. એની કેટલીક અદ્દભૂત શક્તિઓને કારણે સ્ટાલિને એને ૧૯૩૭ માં મારી નખાવ્યો. પાવલોટાની જેમ, એ પણ પ્રયોગો કરતો હતો. ઝીલીંગ એવો માણસ હતો કે જે હાથમાં ઇંડુ પકડીને કહી શક્તો હતો કે એમાંથી મરધી પેદા થશે કે મરઘો. ક્યારેય એની ભૂલ નહોતી નથી. પરંતુ આ વાત કાંઈ બહુ મોટી નથી. સ્ત્રી અને પુરુષમાંથી નીકળતાં વિદ્યુતકિરણોમાં ફરક હોય છે, એ ફરક જ બન્ને વચ્ચેનું આકર્ષણ બને છે. કોઈ સંવેદનશીલ વ્યક્તિ ઇંડાં પર હાથ રાખે તો એમાંથી વિદ્યુતકિરણો નિકળે છે તેના પરથી, એ કિરણો નેગેટિવ છે કે પોઝિટિવ તેના પરથી એ સ્ત્રીશક્તિનાં કિરણો છે કે પુરુષશક્તિનાં છે, તે કહી શકાશે. પરંતુઝીલીંગ તો એથી આગળ વધીને ઢાંકેલા ચિત્ર પર હાથ મુકીને કહી શકતો કે એ ચિત્ર સ્ત્રીનું છે કે પુરુષનું છે. ઝીંલીંગ એમ કહેતો કે જેનું ચિત્ર-ફોટો લેવાય, તે કેમેરા-કોન્શિયસ થઈ જાય છે. ત્યારે એનું ધ્યાનકેમેરા તરફ કેન્દ્રિત થઈ જાય છે અને એનાં વિદ્યુત કિરણોનીધારા ચિત્રમાં પ્રવેશી જાય છે. કોઈની તરફ ધ્યાનપૂર્વક જોતાં, આપણી ઊર્જા, તેના તરફ વહેવા લાગે છે. એ જ રીતે કેમેરાની સંવેદનશીલ ફિલ્મ તરફ પણ આપણી ઊર્જા વહેવાથી એમાં તે અંકિત થઈ જાય છે. એ ઊર્જા સ્ત્રીની છે કે પુરુષની, તે સંવેદશીલ વ્યક્તિ પકડી શકે છે. એનાથી વધુ આશ્ચર્યકારક ઝીલીંગની વાત, જે વધારેમાં વધારે અભૂત હતી તે એ કે, ઝીલીંગ અરીસા પર હાથ મુકી કહી શકતો હતો કે એ અરીસા પાસેથી પસાર થનાર છેલ્લી વ્યક્તિ સ્ત્રી હતી કે પુરુષ. કારણ કે અરીસાની સામે પણ માણસ એવો એકાગ્ર અને સભાન (conscious) થઈ જાય છે કે કદાચ બીજે ક્યાંય એવો સભાન હોતો નથી. એવો સમય આવશે કે જ્યારે તમારી
Page #60
--------------------------------------------------------------------------
________________
૫૫
નમો અરિહંતાણમ્: મંત્ર
નહાવાની ઓરડી ( bath room) માં મુકાયેલો અરીસો, તમારી ઘણી ખાનગી વાતો જાણતો હશે અને તે પકડી શકાશે. તમારાં બધાં રહસ્ય જે તમે કોઇને નકહ્યાં હોય તે ખુલી ન જાય તે માટે તમારે આવા અરીસાને સંભાળવો પડશે. જેટલા ધ્યાનમગ્ન થઇને તમે અરીસામાં જોતા રહો છો તેટલા કદાચ તમે બીજી કોઇ ચીજને નહિ જોતા હો. એમાં તમારી ઊર્જા પ્રવિષ્ટ થશે જ, થશે.
બીજો સવાલ એ ઊભો થાય છે કે જો ધ્યાનમગ્ન થવાથી આપણી ઊર્જા આપણામાંથી બીજી કોઇ ચીજમાં પ્રવેશી જતી હોય તો શું એથી ઊલટું ન બની શકે? જ્યારે તમે ધ્યાનમગ્ન બનો છો ત્યારે તમે એક ઊર્જાનું કેન્દ્ર હો છો. તો તમારી ઊર્જા જો તમે જેના પ્રતિ ધ્યાનમગ્ન બનો તેમાં દાખલ થઇ જતી હોય તો તમે જ્યારે શરણાગતિ સ્વીકારીને પરમશક્તિ તરફ સમર્પિત થઇ જાવ ત્યારે એ પરમશક્તિની ઊર્જા તમારામાં ન પ્રવેશી શકે ? ઊર્જાનો પ્રવાહ બન્ને દિશામાં હોય છે. જો ઊર્જા તમારામાંથી વહી શકતી હોય તો ઊર્જા તમારા તરફ પણ વહી શકે છે. જો ગંગા સાગર તરફ વહેતી હોય તો સાગર ગંગા તરફ ન વહી શકે ? સવાલ કઇ તરફ નીચાણ છે તેનો છે. શરણાગતિ એટલે પ્રવાહને આપણા તરફ વહેતો કરવાની પ્રક્રિયા. શરણાગતિ સાગરને ગંગાની ગંગોત્રી તરફ વહેતો ફરવાની પ્રક્રિયા.
આપણે તો તરવાની કોશિશ કરીને, સાગર સાથે બાથ ભીડીને, પોતાની જાતને બચાવવાની કોશિશ કરીએ છીએ. પરંતુ જિસસે કહ્યું છે કે જે બચાવશે પોતાની જાતને તે મટી જશે. જે પોતે મટી જશે, તેને મિટાવવાનું કોઇનામાં સામર્થ્ય નથી. ગંગા તો સાગર તરફ જતાં જતાં સાગરમાં ઠલવાતાં પહેલાં, લડતી હશે, ઝઘડતી હશે, ભયભીત થતી હશે. મોતનો ભય એટલે જ લાગે છે. મોત એટલે સાગર સુધી પહોંચી ગયેલી ગંગા. મરવાથી બચવાની કોશિશમાં, જે સાગરમાં લીન થઇ જવાની મજા છે, તેનાથી પણ વંચિત રહી જવાય છે ને દુ:ખી પણ થવાય છે.
શરણાગતિ કહે છે કે લડો નહીં સમર્પિત થઇ જાઓ તો તમને અનુભવ થશે કે શરણમાં તમે ઝુકી ગયા છો, તેથી તમને કંઇક મળ્યું છે. તમે કાંઇ ગુમાવ્યું નથી. જાણે સાગર આવ્યો, ગંગોત્રી તરફ– જાણે તમને મળી ગયો અમૃતનો સ્ત્રોત, જાણે ચારે બાજુ ફરી વળ્યો જીવનના રહસ્યનો સ્ત્રોત. તો અરિહંત, સિદ્ધ, સાધુ એ બધા પ્રતીકાત્મક શબ્દો છે. એ અનન્ત સ્ત્રોતની, આપણી નિકટ આપણી સામે ઊભેલી આકૃતિઓ છે, જેને આપણે ઓળખી શકીએ છીએ. પરમાત્મા તો નિરાકારમાં ઊભો છે, એને ઓળખવો મુશ્કેલ છે. નિરાકારમાં પરમાત્માને ઓળખી શકે તે તો
ધન્ય છે.
પરંતુ આકારમાં પણ પરમાત્માની છબી ઘણી વાર આપણને દેખાય છે. ક્યારેક એ છબી મહાવીરમાં, ક્યારેક કોઇ બુદ્ધમાં, કયારેક કોઇ ક્રાઇસ્ટમાં, એ પરમાત્માની, એ નિરાકારની છબી દેખાય છે. પરંતુ એ છબીમાંના નિરાકારને ત્યારે પણ આપણે ચૂકી જઇએ છીએ. કારણકે એ છબીમાં આપણે ખોડ કાઢીએ છીએ. કહીએ છીએ કે આ છબીમાં જિસસનું નાક થોડું ઓછું
Page #61
--------------------------------------------------------------------------
________________
શરણાગતિ: ધર્મનો મૂળ આધાર
લાંબું છે, તો એ પરમાત્માનું કેવી રીતે હોઇ શકે ? અથવા મહાવીરને બીમારી લાગુ પડે છે તો થાય છે કે મહાવીર પરમાત્મા કેવી રીતે હોઇ શકે ? બુદ્ધ પણ મરે છે તો એ પરમાત્મા કેવી રીતે હોઇ શકે? આમ આકૃતિની ભૂલો કાઢતા રહીએ અને આકૃતિની મધ્યમાં જે મોજૂદ છે, તે પરમાત્માને ચૂકી જઇએ છીએ.
૫૬
આપણે એવી વ્યક્તિઓ છીએ કે જે કોડિયાની માટીની ભૂલો કાઢીએ છીએ, તેલની ભૂલો કાઢીએ છીએ, પરંતુ દીવામાં જે જ્યોત ચમકી રહી છે, તેને ચૂકી જાઇએ છીએ. દીવાની બનાવટમાં ભૂલ હોઇ શકે છે. દીવો ના પણ બની શક્યો હોય, સુંદર અને સુઘડ. એની સુંદરતા અને સુઘડતાનું શું પ્રયોજન છે? એ દીવામાં તેલ ભરી શકાય છે, એમાં તેલ રહે છે. એ જ મોટી સગવડ છે. દીવામાં જે જ્યોતિ ચમકી રહી છે, જે નિરાકાર જ્યોતિ છે, તેનો ઉદ્ગમ જોવો મુશ્કેલ છે. એ ઉદ્ગમ જોઇ શકાય તેમ છે. પરંતુ આધ્યાત્મ પ્રતિ ભરાતા પ્રથમ ચરણમાં જ એ જ્યોતિને, અરિહંતમાં, સિદ્ધમાં, સાધુમાં જેમણે જાણ્યું છે તેમનામાં અને તેમના દ્વારા કહેવાયેલા ધર્મમાં, જોવાની કોશિશ કરવી જોઇએ પરંતુ આપણે એવા છીએ જે કૃષ્ણ કહી રહ્યા હોય ત્યારે એમણે શું કહ્યું તેની ઓછી ફિકર કરીએ છીએ. આપણે એની ભાષામાં વ્યાકરણના ક્યાં દોષ રહી ગયા છે, તે જોવાની વધારે ફિકર કરીએ છીએ.
આપણે જાણે ચૂકી જવાની જીદ લઇને બેઠા છીએ અને આપણે ચૂકયા જ કરીશું. જેને આપણે બુદ્ધિમાન કહીએ છીએ, તેમના કરતાં વધારે બુદ્ધિહીન ખોળવા મુશ્કેલ છે. કારણકે તેઓ ચૂકી જવામાં ઘણા કુશળ છે. તેઓ મહાવીર પાસે જાય છે ત્યારે ગણતરી કરે છે કે એમની મૂર્તિમાં બધાં લક્ષણ અંકિત થયાં છે કે નહી ? જે લક્ષણો શાસ્ત્રમાં લખેલાં છે તે મૂર્તિમાં મોજૂદ છે કે નહીં ? આ તો દીવાને માપવા-જોખવાની વાતો છે. તેલ કેવું છે તે જાણવાની વાતો છે. એ બધું કરતા રહીશું ત્યાં સુધીમાં દીવો ઓલવાઇને જ્યોતિ અદ્રશ્ય થઇ જશે. દીવો બરાબર છે, એમ નક્કી થતાં સુધીમાં દીવો ઓલવાઇ ગયો હશે. પછી હજારો વર્ષ સુધી એ માત્ર દીવાની જ પૂજા કરતાં રહીશું. એટલે જ આપણે મરી ચૂકેલા દીવાઓનો જ આદર કરી શકીએ છીએ. જ્યોત બુઝાયા પછીના દીવાને ઠીક હોવાનું પ્રમાણપત્ર મળે છે, ત્યારે ઘણું મોડુ થઇ ગયું હોય છે.
આ જગતમાં જીવંત તીર્થંકરોનો ઉપયોગ થતો નથી. માત્ર મૃત તીર્થંકરોનો ઉપયોગ થાય છે. મૃત તીર્થંકરની ભૂલચૂક કેવી રીતે કાઢી શકાય ? પરંતુ જો તમે જીવંત મહાવીર સાથે પ્રવાસ કરતા હો અને જુઓ કે મહાવીર થાકીને વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા છે તો તમને શંકા જાગશે. અરે ! મહાવીર તો કહેતા હતા કે એમનામાં અનંત ઊર્જા છે, અનંત શક્તિ છે, અનંત વીર્ય છે. ક્યાં ગઇ એ ઊર્જા ? એ તો થાકી ગયા ! દસ માઇલ ચાલ્યા એટલામાં થાક લાગી ગયો, પરસેવો વળી ગયો? સાધારણ માણસ છે. મહાવીરનું શરીર તો થાકશે, એ તો દીવો છે. મહાવીર જે અનંત ઊર્જાની વાત કરે છે તે તો જ્યોતિની વાત છે, દીવા તો બધા થાકી જશે અને તૂટી જશે. પરંતુ આવા વિચારો આપણને કેમ આવે છે ? આ રીતે વિચારીને તર્ક અને સમજાવટને સહારે
Page #62
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૫૭
આપણે શરણાગતિથી બચવા માગીએ છીએ. જાણે ખોળી રહ્યા છીએ, કોઈ કારણ મળી જાય, જે શરણે જતાં આપણને રોકે. બુદ્ધિમાન હંમેશાં કારણો શોધે છે, શરણે જવા માટે તેમજ શરણે જતાં પોતાની જાતને રોકવા માટે, મહાવીર જે ગામમાંથી પસાર થાય છે ત્યાંના બધા લોકો કાંઈ મહાવીરના ભક્તનથી બની જતા. એ ગામોમાં પણ એમના શત્રુ હોય છે. તેઓ કારણ શોધતા હોય છે, મહાવીરનો ઈનકાર કરવા માટે. એ લોકો કહે છે કે મહાવીર જ્ઞાનને ઉપલબ્ધ થઈ ગયા છે, સર્વા છે તો એમને એટલી ખબર નથી પડતી કે જે ઘરમાં કોઈ નથી, ત્યાં ભિક્ષા ન માગવી જોઈએ ? સર્વજ્ઞ હોય તો એટલી ખબર તો હોવી જોઈએને કે ઘરમાં કોઈ નથી? અમે એમને જોયા છે, એવા નિર્જન ખાલી ઘેર ભિક્ષા માગતા. અમને નથી લાગતું કે એ સર્વજ્ઞ હોય. બસ, વાત પૂરી થઈ. એમને શરણે ન જવા માટે કારણ મળી ગયું! લોકો કહે છે વળી શાસ્ત્રોમાં એમ પણ કહેવાયું છે કે જે તીર્થકર હોય તેનાં અમુક લક્ષણ હોય છે. તીર્થકર જ્યાંથી પસાર થાય તે સ્થળથી અમુક ગાઉ સુધી, કોઈ પણ વ્યક્તિમાં વૃણાકે શત્રુતાનો ભાવ રહેતો નથી. તો મહાવીરના કાનમાં કોઈ ખીલા કેમ ઠોકી શકે? એનો અર્થ એમ જ છે કે મહાવીર તીર્થકર નથી. કારણકે એમની આગળ પાછળના, આજુબાજુના ક્ષેત્ર-વિસ્તારમાં, શત્રુતાનો ભાવ તો ટકી રહ્યો છે, નહીં તો એમની આટલી નજીક આવીને, કોઈ કાનમાં ખીલા કેમ ઠોકી શકે? ખીલો ઠોકવા માટે તો ઘણું નજીક આવવું પડે. એટલા નજીક આવ્યા પછી, શત્રુતાનો ભાવ કેવી રીતે ટકી રહ્યો હોય, જે મહાવીર તીર્થકર હોય તો? એટલે બધી શંકાસ્પદ વાતો છે. મહાવીર તીર્થકર હોય એમ લાગતું નથી. શરણે ન જવા માટે કારણ મળી ગયું! મહાવીર તીર્થકર છે કે નહીં એ નક્કી કરવાથી તમને શું મળી જશે ? હા, મહાવીર ખરેખર જ્ઞાની હોય તો પણ તમને એમને શરણે જવાથી બચવાનું બહાનું મળી જાય. જાણે તમારા મહાવીરને શરણે જવાથી, મહાવીરને કાંઈ લાભ મળી જવાનો હોય!તમે તે લાભથી મહાવીરને વંચિત કર્યા તમે ભૂલી જાઓ છો કે મહાવીરને શરણે જવાથી તમારું જ કલ્યાણ થવાનું હતું તે તમે ચૂકી ગયા. પરંતુ માનવીની મૂર્ખતા એટલી પ્રગાઢ છે કે એ બહાનાં ખોળવામાં ઘણો કુશળ છે. એવા પણ લોકો છે જે બુદ્ધ પાસે જઈને કહે છે : જો તમે ભગવાન હો તો, ચમત્કાર બતાવો. કહેવાય છે કે ભગવાન તો મડદાંને પણ જીવતા કરી શકે છે, તો મડદાને જીવતું કરી બતાવો!
જ્યારે જિસસને શૂળી પર ચઢાવાયા હતા ત્યારે ત્યાં જે લોકો ઊભા રહીને જોતા હતા તેમને એમ લાગતું હતું કે, જિસસને ખીલા ઠોકવામાં આવે, છતાં જિસસ ન મરે તો માનીએ કે જિસસ ભગવાન છે. જિસસના હાથ પગ કાપી નાખવામાં આવે, છતાં જિસસને કાંઈ ન થાય તો માનીએ. પરંતુ જિસસ તો શૂળી પર જ મરી ગયા. કેટલાય લોકો રાજી થયા. અમે તો કહેતા જ હતા પહેલેથીકે આ માણસ આપણને છેતરી રહ્યો છે, ચાલબાજ છે. એ કાંઈ ઈશ્વરનો પુત્ર નથી.
Page #63
--------------------------------------------------------------------------
________________
શરણાગતિ: ધર્મનો મૂળ આધાર
ઈશ્વરનો પુત્ર હોય તે કાંઈ આમ શૂળી પર મરી જાય? આવાતની પરીક્ષા લેવા માટે જ્યારે જિસસને શૂળી પર લટકાવાયા ત્યારે સાથે સાથે બે ચોરને પણ એમની બે બાજુ શૂળી પર ચઢાવાયા. ત્રણેને એકી સાથે શૂળીની સજા કરી. જેમચોર શૂળી પર મરી ગયા, તેમ જિસસ પણ મરી ગયા શું ફરક હતો એના મરવામાં? કાંઈક તો ચમત્કાર થવો જોઈએને? આ બુદ્ધિમાનીથી એક તક હતી શરણે જવાની તે સુકાઈ ગઈ. તક હતી જિસસને, પોતે ભગવાન છે તે પુરવાર કરવાની, તે જિસસ ચૂકી ગયા! શા માટે જિસસ ઈશ્વરના પુત્ર છે કે નહિં, તેની પરીક્ષા લેવાના વિચારો આપણને આવે છે? જો ખરેખર જિસસ ઈશ્વરના પુત્ર હોય તો એમના શરણે જઈએ, નહીં તો શું કામ એમને શરણે જઈએ? પરંતુ તમારે જો શરણે નહિ જ જવું હોય તો તમને ઘણાં કારણ મળી જશે. તમારે જે શરણે જવું હશે તો એક પત્થરની મૂર્તિમાં પણ તમને શરણે જવાનું કારણ મળી જશે. પત્થરની મૂર્તિ પણ શરણે જવાયોગ્ય દેખાશે તો પત્થરની મૂર્તિ પણ તમારે માટે પરમ સ્ત્રોતના દરવાજા ખોલી નાખશે. તમારે શરણે નહી જવું હોય તો મહાવીર સ્વયં તમારી સામે ઊભા હશે તો પણ દરવાજા બંધ રહેશે. હું એવા માણસને ધાર્મિક કહું છું, જે શરણે જવા માટેનાં કારણ ખોળતો રહે છે. એને શરણે ન જવાનાં કારણ ખોળવા નથી. ક્યાંય પણ એને શરણે જવા જેવું લાગે ત્યાં શરણે ચાલી જાય છે. એવી તક ગુમાવતો નથી. એ પોતાના અહંકારને, પોતાની જાતને તોડવા, મિટાવવા માટે હંમેશા તૈયાર હોય છે. એક વાર જરૂર એની ગંગોત્રીમાં સાગર આવીને ઠલવાઈ જશે. જ્યારે એ સાગર ઠલવાય છે ત્યારે ખબર પડે છે કે શરણાગતિનું પૂરું રહસ્ય શું હતું. શરણાગતિનો પૂરો કીમિયો શું હતો, જેણે ચમત્કાર સર્યો. એક છેલ્લી વાત, જે જિસસ શૂળી પર જીવતા રહીને ચમત્કાર કરી બતાવે અને તમે શરણે જાઓ તો એ શરણાગતિ નથી. જો બુદ્ધ કોઈ મડદાંને સજીવન કરે અને તમે એના ચરણ પકડી લો તો એ શરણાગતિ નથી. કારણકે એ શરણાગતિ માટે કારણ બુદ્ધ છે, તમે નથી. એ માત્ર ચમત્કારને નમસ્કાર છે, એમાં શરણાગતિ નથી. શરણાગતિ તો ત્યારે જ છે, જ્યારે એનું કારણ તમે હો-બુદ્ધ નહીં. શરણાગતિ તો ત્યારે છે જ્યારે તમે શરણે જાઓ છો. શરણાગતિ એટલી માત્રામાં વધુ ગહન હોય છે, જેટલી માત્રામાં શરણે જવાનું તમારી પાસે કારણ ન હોય. તમે કોઈ કારણોસર શરણે ગયા હો તો એ તો એક વ્યાપાર બની જાય છે, એક સોદો થઈ જાય છે. એમાં તો કોઈ ફાયદા માટે શરણાગત થાય છે. જો બુદ્ધ ખરેખર મડદાંને ઊભાં કરી દેખાડે તો તમારે નમસ્કાર કરવા પડશે. એમાં તમારી કોઈ વિશેષતા નથી; એમાં કોઈ વિશેષતા હોય તો તે બુદ્ધની છે, એમાં તમારું કાંઈ નથી. એવા અદ્ભુત લોકો હતા જે વૃક્ષોને નમસ્કાર કરતા હતા, એક પત્થરને નમસ્કાર કરતા હતા ત્યારે તો ખૂબી એ વ્યક્તિઓની હતી. જેટલી કારણ વિના શરણની ભાવના જાગે, તેટલી વધારે ગહન
Page #64
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૫૯
એ બને, જેટલી સકારણ એ ભાવના જાગશે તેટલી તે ઉપર ઉપરની રહેશે. જ્યારે કોઈ તર્કયુકત સાફ કારણો હોય ત્યારે એ શરણાગતિમાં કોઈ છલાંગ નથી હોતી, અકારણ શરણાગતિમાં છલાંગ છે. તતૂલિયનનામે એક ઈસાઈ ફકીર હતો. એ કહેતો કે હું પરમાત્મામાં માનું છું, કારણકે એને માનવા માટે કોઈ પણ કારણ નથી, કોઈ પ્રમાણ કે પુરાવા નથી કે કોઈ તક નથી. જો કોઈ માનવા માટે તર્ક કે પ્રમાણ હોય તો જેમ કોઈ ઓરડામાં ખુરસી પડી હોય તો તે છે એમ માનીએ છીએ, એટલું જ મૂલ્ય, પરમાત્માને માનવા માટેનું રહે છે. પરમાત્માની હયાતી દેખાય છે કે એ તર્કબદ્ધ છે, માટે એ માનીએ છીએ. માર્કસ મશ્કરીમાં કહેતો હતો કે જ્યાં સુધી પ્રયોગશાળામાં, ટેસ્ટટ્યુબમાં પરમાત્માને પકડીને કોઈ સિદ્ધ ન કરી બતાવે ત્યાં સુધી પરમાત્મા છે એમ હું માનવાનો નથી. જ્યારે આપણે પરમાત્માને પ્રયોગશાળામાં, થર્મોમીટર લગાવીને, માપી તોળીને, ત્રાજવામાં જોખીને, માપ લઈને, એકસરેકાઢીને, અંદર બહાર તપાસીને જોઈ લઈશું ત્યારે એ પરમાત્માનહિ રહે, એ એક વસ્તુ, સાધારણ વસ્તુ બની જશે. કારણકે આપણે જે રીતે વસ્તુઓને પ્રમાણિત કરીએ છીએ તે રીતે પરમાત્માને પ્રમાણિત કરવાનો એ પ્રયત્ન છે. એવા પ્રયત્નોથી શું વળશે? મહાવીરની સામે ઊભા રહીએ ત્યારે એમનું શરીર તો પૂરું દેખાય છે. એમની હયાતીનું પૂરું પ્રમાણ, એમનું શરીર દેખાય છે. પરંતુ એ શરીરની ભીતર જે જ્યોતિ પ્રકાશી રહી છે, તે એટલી પ્રમાણભૂત દેખાતી નથી. એ જોવા માટે તો તર્કની બહાર, કારણોની પાર છલાંગ લગાવવી જ પડશે. એ જ્યોતિ દશ્યમાન ન હોવા છતાં, જેટલી માત્રામાં છલાંગ લગાવવાનું સામર્થ્ય તમે બતાવો છો, તેટલી માત્રામાં તમારી શરણાગતિ ગહન બને છે, નહીં તો એ માત્ર સોદો બની જાય છે. કોઈ માણસ તમારી સામે આવીને મડદાં બેઠાં કરી દે, બીમારોને સાજા કરે, માત્ર ઈશારાથી કોઈ ઘટનાઓ મૂર્તિમાન કરે, તો એનાં ચરણોમાં તો આપણે જરૂર ઝુકી જઈશું. પરંતુ એ શરણાગતિ નથી. પરંતુ તમારી સામે મહાવીર આવીને માત્ર ઊભા રહે તો એમાં કાંઈ ચમત્કાર નથી. એ એવું કાંઈ નથી કરતો જેનાથી તમારું ધ્યાન એમના તરફ ખેંચાય. એમનામાં એવું કાંઈ નથી જેનાથી તત્કાલ લાભ મળે. એમનામાં એવું કાંઈ નથી જેમાં તમારા લાભનું કોઈ પ્રમાણ દેખાય. મહાવીરની સંવેદનશીલ, અદશ્ય ક્યાતીને પિછાનીને, જો તમે શરણે ચાલી જાઓ તો તમારામાં એક ક્રાંતિ ઘટિત થાય છે. ત્યારે તમે તમારા અહંકારથી નીચે ઊતરો છો. બધા તર્ક, બધા પ્રમાણ, બધી બુદ્ધિમત્તાની વાતો તમારા અહંકારની આસપાસ ઘૂમી હોય છે. તર્કની પાર, વિચારની પાર, અકારણ સમર્પણ, શરણાગતિ છે. બુદ્ધની પાસે એક યુવક આવ્યો. આવીને બુદ્ધનાં ચરણોમાં પડયો. બુદ્ધે પૂછ્યું શા માટે મારા
Page #65
--------------------------------------------------------------------------
________________
શરણાગતિ ધર્મનો મૂળ આધાર
ચરણમાં મૂકે છે? યુવકે કહ્યું, “ચરણોમાં પડવાનું મોટું રહસ્ય છે.' તમારાં ચરણમાં પડતો નથી. તમારાં ચરણ તો એક બહાનું માત્ર છે. હું પડી રહ્યો છું, કારણકે ઊભા રહીને ઘણું બધું જોઈ લીધું, પીડા અને દુઃખ સિવાય બીજું કાંઈ મળ્યું નથી.' બુદ્ધે પોતાના ભિક્ષુઓને આ ઘટનામાંથી બોધ આપ્યો: ‘ભિક્ષુઓ! જુઓ, તમે મને ભગવાન માનીને મારાં ચરણોમાં ઝૂકતા હશો તો તમને એટલો લાભ નહિ મળે જેટલો આ યુવક મને ભગવાન માન્યા વિના લાભ ઉઠાવી રહ્યો છે. એ કહે છે કે હું ચરણોમાં મૂકી રહ્યો છું, કારણ ઝુકવામાં આનંદ છે. મારું એટલું સામર્થ્ય નથી કે હું શૂન્યસામે ઝૂકી શકું, એટલે મેં તમને નિમિત્ત બનાવ્યા છે. એવો દિવસ પણ આવશે જ્યારે મારામાં એટલું સામર્થ્ય પેદા થશે કે હું શૂન્યનાં ચરણોમાં મૂકી શકીશ. એ એવાં ચરણ હશે કે જે દેખાતાંનહિ હોય, એવાંચરણ હશે કે જેનો સ્પર્શ થઈ નહીં શક્તો હોય. છતાં એવાં ચરણ ચારેતરફ હયાત છે.એવે સમયે હું બ્રહ્મના વિરાટ ચરણમાં, નિરાકાર ચરણોમાં, ઝૂકી શકીશ. આજે તો મને માત્ર મૂકવાનો આનંદ લેવા દો. તમારા આ દેખાતાં ચરણોમાં મૂકવાનો આટલો આનંદ છે, જેનો મને સ્વાદ આવી જાય તો એ વિરાટ ચરણોમાં પછીથી ઝૂકી જઈશ.' બુદ્ધનાં જે શરણસૂત્રો છે ‘બુદ્ધ શરણં ગચ્છામિ તે બુદ્ધથી શરૂ થાય છે, બુદ્ધ જેવી વ્યક્તિથી શરૂ થાય છે. પછી આગળ વધીને સંઘશરણં ગચ્છામિ કહેતાં, સંઘનાબધા સાધુઓનાં ચરણોમાં અને પછી “ધમ્મ શરણં ગચ્છામિ સુધી વિસ્તરે છે. સમૂહથી સંધથી હટીને, ધર્મમાં, સ્વભાવમાં, નિરાકારમાં, શરણ ગ્રહણ કરે છે. એ જ રીતે “અરિહંત શરણં પરામિ’– અરિહંતનું શરણ
સ્વીકારું છું, અરિહંતનાં ચરણોમાં પડું છું, ‘સિદ્ધ શરણં પવન્જામિ’ સિદ્ધનું શરણ સ્વીકારું છું, સિદ્ધનાં ચરણોમાં પડું છું, ‘સાહુ શરણે પવનજામિ’ સાધુનું શરણ સ્વીકારું છું, સાધુનાં ચરણોમાં પડું છું, અને છેલ્લે કેવલિપન્નત ધમ્મ શરણં ૫વામિ ધર્મનું શરણ, જેમણે જાણ્યું છે, એમણે બતાવેલા જ્ઞાનનું શરણ સ્વીકારું છું. આખી વાત માત્ર આટલી જ છે કે હું મારી જાતનો (મારાપણાનો) અસ્વીકાર કરું છું. જે પોતાની જાતનો અસ્વીકાર કરે છે તે સ્વયંને પામે છે. જે પોતાની જાતને પકડીને બેસી રહે છે તે સ્વયંને પામી શકતો નથી. સ્વયંને પામવાની આ પ્રક્રિયા ઘણી પરસ્પર વિરોધી (paradoxical) દેખાય છે. સ્વયંને છોડવું પડશે. બે પ્રકારનાં સૂત્ર આજ સુધીમાં વિકાસ પામ્યાં છે. એક પ્રકારનાં સૂત્ર, સિદ્ધ તરફથી કે મારે શરણે આવી જાઓ. બીજા પ્રકારનાં સૂત્ર, સાધક તરફથી કે હું તમારે શરણે આવું છું. ત્રીજા પ્રકારનું કોઈ સૂત્ર નથી. પરંતુ એક ત્રીજા તરફ આપણાં ચરણ આગળ વધી રહ્યાં છે. જીવનમાં જે શુભ છે તે તરફ, જીવનમાં જે સુંદર છે તે તરફ જીવનમાં જે સત્ય છે તે તરફ. એનાથીય પાર જવાનું છે. શુભ, સુંદર અને સત્યની પણ પાર જવા માટે ચરણોને આગળ ધપાવવાનાં છે. ત્યારે શુભ, સુંદર અને
Page #66
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
સત્યની ધારણાઓ પણ છોડવી પડશે. રહી જશે માત્ર સમર્પણ, શરણાગતિ, શ્રદ્ધા, અહંકાર વિસર્જન. ત્યાંનમોકાર પૂર્ણ થાય છે. કાલથી આપણે મહાવીરની વાણીમાં પ્રવેશ કરીશું. પરંતુ એ લોકો જ એમાં પ્રવેશ કરી શકશે જેમની પોતાની ભીતરમાં શરણની આકૃતિ નિર્મિત થઈ શકી છે. જ્યારે પણ ખ્યાલ આવે ત્યારે નમોકારનું રટણ ચાલુ રાખવાનું છે. સૂતી વખતે, સવારે ઊઠતી વખતે, કાલે અહીં આવતી વખતે, આ મંત્રનું વારંવાર રટણ કરતા રહેજો. એનાથી શરણની એવી આકૃતિ ભીતરમાં આકાર લેશે કે જેના કારણે, મહાવીરની વાણીમાં આપણે કોઈ અલગ ઢંગથી પ્રવેશ કરી શકીશું કે જેવું છેલ્લાં ૨૫૦૦ વર્ષમાં સંભવ નથી બન્યું. આજે આટલું જ.
Page #67
--------------------------------------------------------------------------
________________
धम्म-सूत्र
धम्मो मंगलमुक्किठें, अहिंसा संजमो तवो । देवा वि तं नमंसन्ति, जस्स धम्मे सया मणो ॥
धर्भ सर्वश्रेष्ठ भंग छे. (ज्यो धर्म?) अहिंसा, संयम, भने त५३४ा धर्मभंगण छे. १ મનુષ્યનું મન આવા ધર્મમાં સદા સલંગ્ન રહે છે, તેને દેવતા પણ નમસ્કાર કરે છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
૪. ધર્મ એટલે સ્વભાવમાં સ્થિ૨ ૨હેવું તે
ધર્મસર્વશ્રેષ્ઠ મંગળ છે તો અમંગળ શું છે? દુઃખ શું છે? માનવીનાં પીડા અને સંતાપ શું છે? એ જેન સમજાય તો ધર્મ મંગળ છે, શુભ છે, આનંદ છે, એ વાત સમજાશે નહિ. મહાવીર કહે છે: ધર્મ સર્વશ્રેષ્ઠ મંગળ છે. એનો અર્થ એ છે કે જીવનમાં જે આનંદ મળવાની સંભાવના છે તે ધર્મનાદ્વારથી પ્રવેશ કરે છે. જીવનમાં જે સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે, જે સૌંદર્યનાં ફૂલ ખિલે છે, તે ધર્મના જ આકાશમાં પરિભ્રમણ કરતાં, ધર્મના મૂળમાંથી જ પોષણ પ્રાપ્ત થતાં શક્ય બને છે. મારું જે અસ્તિત્વ છે તેનાથી બહાર જતાં જ હું સીમાનું ઉલ્લંઘન કરું છું. હું જે છું તેનાથી ભિન્ન, વિજાતીય તત્ત્વો સાથે સંબધિત થાઉ છું. ત્યારે દુઃખનો પ્રારંભ થાય છે. જે બીજ છે. મારાથી અલગ છે, તેને હું ગમે તેટલું ઈચ્છું કે ચાહું તોપણ તે મારું થઈ શકતું નથી, માટે જ દુ:ખ પેદા થાય છે. ગમે તેટલી મહેનત કરું તોપણ, અંતે એ મારું સિદ્ધ થવાનું નથી, માટે જ દુઃખ પેદા થાય છે. ગમે તેટલી મહેનત કરું તોપણ, અંતે એ મારું સિદ્ધ થવાનું નથી. પરિણામે બધી મહેનત, ચિંતા અને આયુષ્યનો એટલો અપવ્યય થશે અને અંતે લાગશે કે હું ખાલી જ રહી ગયો. હું માત્ર એને જ પામી શકું છું, જે પ્રથમથી જ સદાને મળેલું જ છે. હું તેનો જ માલિક શઈ શકું, જેનો હું જાણે અજાણે અત્યારે પણ માલિક છું. મૃત્યુ જેને છીનવી શકતું નથી તે જ મારું છે. આ દેહ પડી જશે ત્યારે પણ જે મરશે નહી તે જ માત્ર મારું છે. બધું જ રોગી બની જાય, દીન બની જાય, પરંતુ જે ક્યારેય કરમાતું નથી તે મારું છે. ચારે તરફ અંધારું છવાઈ જાય, જીવનમાં ચારે તરફ અમાવાસ્યાનું અંધારું છવાઈ જાય ત્યારે પણ જે પ્રકાશ ઝળહળતો રહેશે એ જ મારો પ્રકાશ છે. પરંતુ આપણે જે હું નથી ત્યાં સ્વયંને શોધવાની ચેષ્ટા કરીએ છીએ. એના કારણે જ વિફળતા, વિષાદ અને હતાશા જન્મે છે. આપણી જાતને છોડીને બીજું બધું આપણે ચાહીએ છીએ. આ
Page #69
--------------------------------------------------------------------------
________________
ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર રહેવું તે
દુનિયામાં બહુ ઓછા માણસો છે જે સ્વયંને ચાહતા હોય છે, એ નવાઈની વાત છે. કદાચ આપણે એ વિચાર્યું જ નથી કે આપણે હંમેશા કોઈ વ્યક્તિ કે કોઈ બીજી વસ્તુને કેમ ચાહી છે? આપણે આપણી જાતને ક્યારેય ચાહી નથી. એ કોઈ અન્ય વ્યક્તિ, વસ્તુ, પદકે સ્થિતિ હોઈ શકે જેને આપણે ચાહીએ છીએ. હંમેશાં એ કોઈ બીજું જ હોય છે. સ્વયંને આપણે ક્યારેય ચાહતા નથી. પરંતુ આ જગતમાં આપણે માત્ર સ્વયંને પ્રાપ્ત કરી શકીએ એવી સંભાવના છે, એ સિવાય બીજું કાંઈ મળે તેમ નથી. આપણે ભલે દોડી લઈએ, પણ બીજું કાંઈ મળશે નહીં એનાથી આપણો ભ્રમતૂટશે, દુઃખ મળશે અને પાનાંનો મહેલ વિખરાઈ જશે. ક્યારેક તો એનાયડૂબશે જ, કારણકે એ કાગળની હતી. ક્યારેક સ્વપ્નો વીખરાઈ આંસુ બની જશે, કારણકે એ સ્વપ્ન જ હતાં. સત્ય માત્ર એક જ છે કે હું સ્વયંસિવાય બીજું કાઈ મેળવી શકે તેમ નથી, મેળવવાની કોશિશ કરું, મહેનત કરું, આશાના મિનારા ચણું, સ્વપ્નો જોઉ અને ભ્રમમાં રહું કે હું લગભગ મેળવી ચૂક્યો છું, પહોંચી ગયો છું. પરંતુ એ રીતે કોઈ કયારેય પહોંચી શક્યું નથી. સ્વયંને છોડીને બીજાને મેળવવાનો પ્રયાસ કરવો એમાં અધર્મ છે. બીજા પર દ્રષ્ટી રાખવામાં જ અધર્મ છે. આપણે બધા પરલક્ષી, પરાભિમુખ (the other oriented) છીએ. આપણે આપણું મોં પણ અરીસામાં એટલા માટે જોઈએ છીએ કે કોઈ બીજાને સારા દેખાઈશું કે નહીં ? જે કોઈ આપણને જોવાનું હોય તેના માટે આપણે તૈયારી કરીએ છીએ. સ્વયંને આપણે સીધા ક્યારેય ચાહતા નથી. જ્યારે ધર્મ તો પોતાની જાતને સીધી ચાહવામાંથી જ પેદા થાય છે. ધર્મનો અર્થ છે, આખરીસ્વભાવ (ultimate nature) જે અંતતઃ મારું હોવાપણું છે. સાસ્ત્રનું એક કીમતી સૂત્ર છે, જે બીજું છે તે નર્ક છે. the other is hell) સાર્ચે આ વાક્ય એક અર્થમાં કહ્યું છે, મહાવીર પણ એક બીજા અર્થમાં રાજ છે. મહાવીરનું જોર ધ અધર ઈઝ હેલ' પર નથી, પરંતુ મહાવીરનું જોર વનસેલ્ફ ઈઝ હેવન (onceself is heaven)' પર છે. બીજું બધું નર્ક છે.’ એમ કહેવામાં પણ બીજાને ચાહવાની આકાંક્ષા અને બીજામાંથી મળેલી વિફલતા છુપાઈ છે. મહાવીર એટલે જ કહે છે. કે “સ્વયંમાં રહેવું તે મોક્ષ છે. ધર્મ મંગળ છે.” સાસ્ત્રના આ સૂત્રને બરાબર સમજવા જેવું છે. સાસ્ત્રનું જોર છે બીજુ નર્ક છે.” એમ કહેવા પર. પરંતુ શા માટે બીજે નર્ક જણાય છે, તે કદાચ સાર્વે પણ વિચાર્યું નહીં હોય. આપણે બીજાને સ્વર્ગ માનીને એની શોધ આદરી, માટે આપણને એ નર્મદેખાયું. ભલે તે બીજું હોય, પત્ની હોય, પતિ હોય, દીકરો હોય કે દીકરી હોય, મિત્ર હોય, ધન હોય કે પ્રતિષ્ઠા હોય પરંતુ અંતે તે નર્ક સિદ્ધ થાય છે. સ્વર્ગ માનીને એની પાછળ દોડ્યા પછી એ અંતમાં નર્કમાલુમ પડે છે. એટલે મહાવીર બીજુ બધું નર્ક છે એમ કહેતા નથી, પરંતુ ધમ્મો મંગલ મુઠિ ' ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. એમ કહે છે. એ કહે છે કે સ્વયંમાં રહેવું તે મંગળ છે, મોક્ષ છે, પ્રેયસ છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ: મંત્ર
“બીજામાં સ્વર્ગ છે એમ માનવાથી, “બીજામાં નર્ક છે' એવો અનુભવ થાય છે. હું બીજા કોઈને ન ચાહે, તો બીજામાંથી દુઃખ મળવાનો સંભવ નથી. આપણી અપેક્ષાઓ જ દુઃખ બને છે. અપેક્ષા ભ્રમ છે (expectation is illusion) અપેક્ષાઓનો ભ્રમ તૂટે ત્યારે વિપરીત સમજાય છે. મહાવીરને જો બરાબર સમજીએ તો સાર્થને કહેવું પડશે કે બીજું કોઈ નર્ક નથી,' પરંતુ તમે બીજાને સ્વર્ગ માન્યું માટે એ નર્ક છે, એમ કહેવું પડ્યું. પરંતુ તમે સ્વયં સ્વર્ગ છો. સ્વયંને સ્વર્ગમાનવાની જરૂર નથી, સ્વયંનું સ્વર્ગ હોવું એ એનો સ્વભાવ છે. બીજાને સ્વર્ગમાની લેવાથી, બીજાનો નર્ક હોવાનો અનુભવ લેવો પડે છે. એ આપણો જ ભાવ છે. કોઈ રેતીમાંથી તેલ કાઢવા પ્રયત્ન કરે તેમાં રેતીનો કાંઈ વાંક નથી. કોઈ દીવાલને દરવાજે સમજી એમાંથી નીકળવાની કોશિશ કરે તો તેમાં દીવાલનો કાંઈ વાંક નથી. દીવાલદરવાજો સિદ્ધ ન થાય અને તમારું માથું ફૂટે અને તમે લોહીલુહાણ થઈ જાય, તો શું તમે દીવાલને ગાળ આપશો? સાત્ર એવું જ કહે છે કે બીજું નર્ક છે. એમાં બીજા પ્રત્યે દુભાવું, નિન્દા અને ક્રોધ છુપાયાં છે. એટલે મહાવીરનું વચન અત્યંત વિધાયક છે. મહાવીર કહે છે કે ધર્મ મંગળ છે, સ્વભાવમંગળ છે, સ્વયંમાં રહેવું તે મોક્ષ છે. સ્વયંમાં રહેવુતે મોક્ષ છે એ માનવાની જરૂર નથી. માનવું એટલે પડે છે કે એ સત્યહોતું નથી. સ્વયંને સત્યકે સ્વયંને ધર્મ કે સ્વયંને આનંદ માનવાની જરૂર નથી, સ્વયં આનંદ છે જ. પરંતુ આપણી દ્રષ્ટિ હંમેશાં બીજા પર બંધાયેલી છે, એટલે સ્વયં ક્યાં છે તેની ખબર પડતી નથી. આપણું જેના પર ધ્યાન હોય તે જ આપણને દેખાય છે. ધ્યાનની ધારા, ધ્યાનનો પ્રકાશ જ્યાં પડે છે, તેઆપણી દષ્ટિ સમક્ષ પ્રગટ થાય છે. બીજા પાછળ આપણે દોડીએ છીએ, આપણું ધ્યાન ટેકવીએ છીએ ત્યારે નર્ક પ્રગટ થાય છે. સ્વયં પર ધ્યાનનો પ્રકાશ પડે ત્યારે સ્વર્ગ પ્રગટ થાય છે. બીજામાં સ્વર્ગ માનીએ છીએ, એટલે જ એક દિવસ ભ્રમતૂટે છે. ભ્રમને ક્યાં સુધી ખેંચી શકાય ? બુદ્ધિમાનનો ભ્રમ ક્ષણભરમાં તૂટે છે, જ્યારે બુદ્ધિહીનનો ભ્રમ તૂટતાં લાંબો સમય લાગે છે. વળી આપણો એક ભ્રમ તૂટે છે તો તાત્કાલિક કોઈ બીજો ભ્રમ પકડવાની કોશિશમાં આપણે લાગી જઈએ છીએ. એક ભ્રમ તૂટે એનો અર્થ એવો નથી કે હવે કોઈ બીજા ભ્રમમાંથી સ્વર્ગમળશે. આવા ભ્રમ જન્મો સુધી ફરી ફરી થયા જ કરે છે. ધ્યાનની ધારા જ્યારે બીજા પરથી હટી, સ્વયં પર પડે ત્યારે સ્વયંમાં મોક્ષ છે એ સત્ય સમજાય છે. જ્યાં જ્યાં અમંગળદેખાય, ત્યાંથી વિપરીત દિશામાં ધ્યાનને લઈ જવાથીધર્મમંગળ છે એ વાત સમજાય છે. જો ધનમાં, મિત્રમાં, પતિપત્નીમાં, બહારની દુનિયામાં સ્વર્ગન દેખાય, તો કોઈ બીજી ચીજમાં સ્વર્ગ ખોળવાન લાગી જશો. આ પત્નીમાં સ્વર્ગન મળ્યું તો કોઈ બીજી પત્નીમાં મળશે. એમ ન માનશો. આ મકાનમાં સ્વર્ગ અનુભવાતું નથી તો બીજા મકાનમાં સ્વર્ગ મળશે એમ ન માનશો. એક વસ્ત્રમાં આનંદન મળે તો બીજા વસ્ત્રમાં મળશે એમ ન માનશો. આ પદ પર આનંદ નથી મળતો તો બીજાં વધુ પગથિયાં ચડવાથી મળશે એમ ન
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૬
ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર રહેવું તે
માનશો. આ બધા માત્ર વિકલ્પો છે, ચીજોને બદલવાની પ્રક્રિયા છે. કાગળની એક હોડી ડૂબે તો કાગળની બીજી હોડી પણ ડૂબશે જ એવી પાકી સમજ આવવી જોઈએ. એક પત્નીમાંથી ન મળ્યું તો પત્નીમાત્રમાં નહીં મળે એ સમજાવું જોઈએ. એક પુરુષથી સુખ ન મળ્યું તો પુરુષમાત્રથી નહીં મળે એ સમજાવું જોઈએ. એક હોદ્દાથી સુખ ન મળ્યું. તો હોદ્દામાત્રથી નહીં મળે એ સમજાવું જોઈએ. મહાવીરની “ધર્મ મંગળ છે એ ઘોષણા કોઈ પરિકલ્પનાત્મક સિદ્ધાંત (hypothetical principle) નથી. કોઈ દાર્શનિક (philosophic) વક્તવ્યનથી. મહાવીર કોઈ દાર્શનિકનથી. હિગલ, કાન્ટકેબઢ઼ન્ડ રસેલ જે અર્થમાં દાર્શનિકો છે એવા કોઈ પશ્ચિમાત્ય અર્થમાં મહાવીર દાર્શનિક નથી. મહાવીરની ઘોષણા એક અનુભવ છે, એક તથ્યની સૂચના છે. મહાવીરે ધર્મમંગળછે. એમ વિચારીને કહ્યું નથી, એ પોતે જાણતા હતા કે ધર્મ મંગળ છે.' મહાવીરનું આ વક્તવ્ય કોઈ વિચારોના પરિણામરૂપે કહેવાયું નથી. પૂર્વના મહર્ષિઓનાં વક્તવ્યોનો પશ્ચિમની ભાષાઓમાં પહેલી વાર અનુવાદ થયો ત્યારે ત્યાંના વિચારકોને આશ્ચર્ય થયું. એરીસ્ટોટલથી લઈને આજ સુધીના પશ્ચિમી વિચારકોની વિચારવાની પદ્ધતિ મુજબ, તમે જે કાંઈ કહો તેનું તમારે કારણ આપવું જોઈએ. તમે જે વિધાન કરો તેનાં કારણો આપવાં જ પડે. મહાવીરે તો માત્ર કહી દીધું કે “ધર્મમંગલ છે.' પશ્ચિમી દાર્શનિકે આવું કહ્યું હોત તો એને એનાં કારણ આપવાં જ પડે. પરંતુ મહાવીર તો તુરત જ બીજું વિધાન કરે છે - ધર્મ મંગળ છે.' ક્યો ધર્મ? અહિંસા, સંયમ અને તપવાળો ધર્મ મંગળ છે. મહાવીરની જગ્યાએ એરીસ્ટોટલે આવુ વિધાન કર્યું હોત તો તરત જ એ ધર્મ મંગળ છે' એમ શા માટે કહે છે તે કહેવું પડત. મહાવીર તો કોઈ કારણ આપતા નથી, કોઈ પ્રમાણ રજુ કરતા નથી. અનુભૂતિ માટે કોઈ પ્રમાણ હોતું નથી. સિદ્ધાંતો રજૂ કરવાના હોય તો તેનાં પ્રમાણ આપવાં પડે. સિદ્ધાંતો તર્કબદ્ધ હોવા જોઈએ. અનુભૂતિ સ્વયં પોતાનો તર્ક છે. જો અનુભૂતિ દ્વારા જાણવું હોય કે અમુક વાત સાચી છે કે ખોટી તો અનુભૂતિમાં ઊતરવું પડે. સિદ્ધાંત ખોટો છે કે સાચો એ સમજવું હોય તો સિદ્ધાંતની તર્કસરણીમાં ઊતરવું પડે. પરંતુ એવું બને કે તર્કસરણી બરાબર સાચી હોય છતાં એના પરથી તારવેલો સિદ્ધાંત ખોટો હોઈ શકે. ખોટી વાતો માટે જ આપણે મજબૂત પ્રમાણ શોધવાં પડે છે. કારણકે ખોટી વાતો પોતાના પગ પર ક્યારેય ઊભી રહી શકતી નથી. ખોટી વાતોને પ્રમાણોની સહાયતાની હંમેશા જરૂર રહે છે. મહાવીર જેવી વ્યક્તિઓ પ્રમાણ નથી આપતી, માત્ર કહે છે કે તે ધર્મ મંગળ છે.’ એમનું વિધાન કોઈ આઈન્સ્ટાઈન કે અન્ય વૈજ્ઞાનિક જેવું હોય છે. કોઈ આઈન્સ્ટાઈનને પૂછોકે હાઈડ્રોજન અને ઓકસીજન ભેગાં મળતાં પાણી કેમ બને છે? તો આઈન્સ્ટાઈન કહેશે કે કેમ બને છે એ સવાલ અસંગત છે. અમે જાણતા નથી કેમ પાણી બને છે તે, પરંતુ પાણી બને છે એ હકીકત છે. જેમ આઈન્સ્ટાઈન કહે છે કે પાણી એટલે 'H20' બે અણુ હાઈડ્રોજન અને એક અણુ ઓકસીજનની જોડ છે, તેમ મહાવીર કહે છે કે ધર્મ-અહીંસા, સંયમ અને તપની જોડ છે. આ બન્નેનાં વિધાન
Page #72
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્:મંત્ર
એકસરખાં છે. વૈજ્ઞાનિક કોઈ બહારની વસ્તુ વિષે વિધાન કરે છે. એ વિધાન સમજવા માટે તર્ક કામ નથી આવતો, એના માટે પ્રયોગશાળામાં જવું પડે છે. સ્વાભાવિક રીતે વૈજ્ઞાનિકની પ્રયોગશાળા બહાર છે, કારણકે એનાં વિધાન બીજી વસ્તુઓના સંબંધમાં હોય છે. મહાવીરનાં વિધાનોની ચકાસણી માટે પણ પ્રયોગશાળામાં જવું પડે, પરંતુ મહાવીરની પ્રયોગશાળા પ્રત્યેક વ્યક્તિની ભીતરમાં છે. છતાં આપણે થોડું ઘણું તો સમજીએ છીએ કે મહાવીર જે કહેતા હશે તે ઠીક જ કહેતા હશે. આપણને તો ખબર નથી કે ધર્મમંગળ છે. પરંતુ આપણને એનો ચોક્કસ ખ્યાલ છે કે “અધર્મ અમંગળ છે. ઓછીમાં ઓછી એટલી તો ખબર છે જ. માત્ર આટલા જ જ્ઞાનથી બુદ્ધિમાન વ્યક્તિ પરમ જ્ઞાન સુધી પહોંચી શકે છે. ધર્મ મંગળ છે એનોતો આપણને ખ્યાલ નથી, પરંતુ અધર્મ આપણે કર્યો હોય છે તેની આપણને ખબર હોય છે, એ અમંગળ છે તેની આપણને ખબર છે. આ વિષે આપણે થોડો વિચાર કરીએ. શું આપણને ખબર છે કે જ્યારે પણ આપણા જીવનમાં દુઃખ આવે છે ત્યારે આપણને તે કોઈ બીજા તરફથી, કોઈ બીજાને કારણે આવતું હોય એવું લાગે છે? જ્યારે પણ આપણને કોઈ ચિંતા સતાવે છે ત્યારે તે આપણી અંદરથી નહિ, પરંતુ બહારના કોઈ કેન્દ્ર તરફથી આવતી દેખાય છે. હંમેશાં ચિંતાનું કેન્દ્રબહાર છે, પછી તે ધન હોય, બીમાર મિત્ર હોય, ડૂબતો ધંધો હોય, હારવાની શક્યતાવાળી ચૂંટણી હોય, કાંઈ પણ હોય. આપણા સિવાયનું કોઈ બીજું જ આપણા દુઃખનું કારણ બને છે. પરંતુ આપણા મનમાં એક બ્રાંતિ છે; એ તુટવાની જરૂર છે. ક્યારેક એમ પણ લાગે છે કે સુખ પણ બીજાને કારણે મળે છે. એટલી વાત તો ચોક્કસ લાગે છે કે દુઃખ કોઈ બીજાને કારણે મળે છે. પરંતુ એમ પણ બને છે કે કોઈ બીજુંઆપણા સુખનું કારણ બને.ચિંતા બીજાને કારણે આવે છે, દુઃખ પણ બીજાને કારણે આવે છે, પરંતુ સુખ પણ બીજામાંથી મળે છે, એવી આપણી ભ્રાંતિ છે. આ ભ્રાંતિ એટલા માટે ઊભી થાય છે કે આપણે માનીએ છીએ કે સુખ બીજામાંથી આવી શકે છે. એવી ભ્રાંતિ છે કે સુખ બીજામાંથી આવશે, એવી સંભાવના છે, પરંતુ એ સંભાવના હંમેશા ભવિષ્યમાં છે વળી બીજામાંથી દુ:ખ પણ એટલે જ મળે છે કે એ ભ્રાંતિમાં આપણે જીવી રહ્યા છીએ કે બીજામાંથી સુખ મળી શકે છે. જરા વધુ ઊંડા ઊતરીએ તો આ વાત સમજાશે. ક્યારેક કોઈ ક્ષણે બીજામાંથી સુખ મળી રહ્યું છે એવું તમે અનુભવ્યું છે? સુખબીજામાંથી મળશે એવું લાગે છે, પરંતુ સુખ ક્યારેય મળતું નથી. જે મકાન મળી જવાથી આપણને સુખ મળશે એમ લાગ્યું હોય, તે મકાન જ્યાં સુધી મળ્યું નથી ત્યાં સુધી મળશે એવી આશા છે પરંતુ જે દિવસે એ મકાન મળી જશે તે જ દિવસે એને લગતી ચિંતાઓ શરૂ થશે. હજી સુધી મકાનનું સુખ ભોગવ્યું નથી, પરંતુ મકાનને લગતા ઉપદ્રવોનું એક લિસ્ટ-યાદી-નજર સામે આવવાની શરૂ થશે. થોડા જ દિવસોમાં તમને ભાન થશે કે કેટલું બધું
Page #73
--------------------------------------------------------------------------
________________
ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર રહેવું તે
સુખ મળશે એવું વિચાર્યું હતું, પરંતુ એવું કાંઈ મળ્યું નહીં. પરંતુ મન બહુ ચાલાક છે, એ પાછું વળીને જોતું નથી અને વિચારતું નથી કે જે જે ચીજોથી સુખ મળશે એવું માન્યું હતું તે ચીજો મળી ગઈ, પરંતુ સુખ તો મળ્યું નહીં. એટલે ક્યારેક જે જે સુખ આ પૃથ્વી પર મળશે એવું ઈછ્યું હોય તે બધાં સુખ જે તત્કાલ મળી જાય તો આ પૃથ્વી એટલી દુઃખી થઈ જશે, જેટલી પહેલાં ક્યારેય નહોતી. એટલે જે દેશમાં જેટલાં સુખ-સુવિધા વધી જાય છે, તેટલાં તે દેશમાં દુઃખ પણ વધી જાય છે. ગરીબ દેશ ઓછાદુઃખી થાય છે. તવંગર દેશ વધારે દુઃખી થાય છે. ગરીબ માણસ ઓછો દુઃખી થાય છે એમ જ્યારે કહીએ ત્યારે તમને આશ્ચર્ય થશે, કારણકે આપણે એમ માનીએ છીએ કે ગરીબ બહુ દુઃખી હોય છે, પરંતુ હું કહું છું કે ગરીબ ઓછો દુઃખી હોય છે, કારણકે એની આશાઓની ઈમારત હજી પૂરેપૂરી ઊભી છે. ગરીબ આશાઓમાં જીવી શકે છે, સ્વપ્નો જોઈ શકે છે. એની કલ્પના હજી નષ્ટ થઈ નથી, કલ્પના એને સંભાળી રાખે છે, જિવાડ્યા કરે છે. પરંતુ ઈચ્છેલું બધું જ એને મળી જાય તો બધી આશાઓના કિલ્લા તૂટી પડશે, ભવિષ્ય નષ્ટ થઈ જશે. સમજવા જેવી એક ઊંડી વાત છે. બીજાઓ સાથે વર્તમાનમાં હંમેશા દુઃખહોય છે, પરંતુ બીજાઓ સાથે ભવિષ્યમાં સુખ હોય છે. જે ધારેલું બધું મળી જતાં, આખું ભવિષ્ય નષ્ટ થઈ જાય તો પછી કરવાનું શું બચશે? તો આત્મહત્યા સિવાય બીજું કાંઈ કરવાનું બચતું નથી. જેટલું સુખ દુનિયામાં વધી રહ્યું છે, એટલી આત્મહત્યાઓ વધી રહી છે. જેટલું સુખ વધી રહ્યું છે એટલા પાગલ વધી રહ્યા છે. પરંતુ વૈજ્ઞાનિક લોકો આથી ઊલટીવાત જ કરે છે. તેઓ એમ કહે છે કે જેટલાં સુખનાં સાધન વધશે તેટલો મનુષ્યવધારે સુખી થશે. પરંતુ અનુભવ કાંઈ જુદું જ કહે છે. આજે અમેરિકા જેટલો દુ:ખી દેશ બીજો કોઈ નથી. રાજમહેલમાં જન્મેલા મહાવીર જેટલા દુઃખી થઈ ગયા હતા તેટલો એમના મહેલની બહાર ભીખ માગતો ભિખારી દુઃખી નહોતો. જેટલું સુખ મહાવીરના સમયમાં મળી શકે તેમ હતું તે બધું મળવા છતાં, મહાવીર દુ:ખી હતા. કારણકે મહાવીર માટે કોઈ ભવિષ્ય જ ન બચ્યું. જો ભવિષ્યન બચે તો મનુષ્ય સ્વપ્ન શેના પર ઊભાં કરે ? જો ભવિષ્ય ન બચે તો કાગળની હોડી ક્યા સાગર પર ચલાવી શકાય ? કાગળની હોડી તો ભવિષ્યના સાગરમાં જ ચલાવી શકાય. ભવિષ્યના પાયા ઉપર જ પત્તાનો મહેલ રચી શકાય. એટલે મહાવીરનો જે ત્યાગ છે તે ત્યાગ ખરેખર તો ભવિષ્યની સમાપ્તિમાંથી પેદા થયો છે. કોઈ ભવિષ્ય ન હોય તો મહાવીર શું કરે ? ક્યા પદ પર ચઢે તો સુખ મળે? કેવી બીજી સ્ત્રી મેળવે જેનાથી સુખ મળે? એમને માટે બધા પ્રકારની સ્ત્રીવર્તમાનમાં હાજર હતી. કેવા બીજા ધનરાશિ પર મહાવીર ઊભા થઈ જાય કે જેથી એમને સુખ મળે? એ બધું તો મહાવીર પાસે છે જ. મહાવીરનાં હતાશા અને વિષાદ આપણને સમજાય છે? આપણે મહાવીરની પાછળ, દૂર સુધી જઈને મહાવીરને સમજાવવાની કોશિશ કરનારાનાસમજ માણસો વિષે પણ વિચાર કરીએ. એ
Page #74
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
બધા કહેતા મહાવીરને કે આટલું સુખ છોડીને ક્યાં જઇ રહ્યા છો? એવું પૂછનારા એવા લોકો હતા કે જેમનું ભવિષ્ય હજી કાયમ છે. એ લોકો મહાવીરને પાગલ સમજે છે. જે મહેલ પાછળ એ લોકો દીવાના છે, તે મળી જતાં જાણે તેઓને મોક્ષ મળી જશે એવું માનનારા પૂછી રહ્યા છે મહાવીરને કે, પાગલ થઇ ગયા છો, આવો સુંદર મહેલ છોડીને કેમ જઇ રહયા છો? કહેવાતા ડાહ્યા માણસોએ મહાવીરને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો– પરંતુ એમની અને મહાવીરની વચ્ચે, જાણે ભાષાનો સંબંધ તૂટી ગયો હોય એવું બન્યું. બન્ને એક જ ભાષા બોલી શકતા ન હતા કારણકે એ લોકોનું ભવિષ્ય હજી બાકી હતું અને મહાવીરનું કોઇ ભવિષ્ય બચ્યું ન હતું.
૬૯
જે વ્યક્તિ ભવિષ્ય તરફ નજર રાખીને જ આગળ વધે છે, તે કદી ધાર્મિક બની શક્તી નથી, કારણકે એ વ્યક્તિ અનુભવનો લાભ નહીં લઇ શકે. ભવિષ્યમાં કોઇ અનુભવ નથી. અનુભવ તો ભૂતકાળમાં હોય છે. પાછળ ભૂતકાળમાં નજર નાખતી વખતે આપણે એ ભૂલી જઇએ છીએ કે જ્યારે તે ભૂતકાળમાં, તે જ સ્થળો પર આપણે હતા ત્યારે શું વિચારતા હતા? માણસની યાદદાસ્ત ખૂબ પાંખી છે. આપણને ખ્યાલ નથી રહેતો કે જે સુંદર કપડાં આજે આપણે પહેર્યાં છે, તે ગઇકાલે આપણી પાસે નહોતાં ત્યારે આખી રાત ઊંઘ આવી ન હતી. કોઇ બીજાએ એવાં કપડાં પહેર્યાં હતાં અથવા કોઇ દુકાનમાં કે ‘શો-વિન્ડો’માં હતાં અને એવાં કપડાં પહેરવાની આપણી
ઇચ્છા જાગી હતી. એટલે રાત્રે ઊંઘ આવી ન હતી. મનમાં એ કપડાંની કલ્પના એક પ્રકારની ગલીપચી ઊભી કરતી અને જાણે એ કપડાં શરીર પર પહેરાશે ત્યારે તો કોઇ ક્રાંતિ થઇ જશે ! જાણે કોઇ સ્વર્ગ ઊતરી આવશે પરંતુ આજે જ્યારે એ કપડાં પહેર્યા છે ત્યારે એ બધી કલ્પના વીસરાઇ ગઇ છે. કોઇ સ્વર્ગ ઊતર્યું નથી, કોઇ ક્રાંતિ પેદા થઇ નથી. તમે એટલા જ દુ:ખી છો આજે. હાં, કદાચ બીજી કોઇ ‘શો-વિન્ડો’માં તમારું સુખ લટકતું હશે ! હવે તે કપડાં તમારી ઊંઘ ખરાબ કરી રહ્યાં હશે!
પાછું વળીને ધ્યાનથી જોતાં એમ સમજાશે કે જે સુખો મળશે એવું વિચાર્યું હતું તે બધાં દુઃખ સિદ્ધ થયાં. એવું એક પણ સુખ નહીં બતાવી શકો કે જે સુખ આપશે એમ વિચાર્યું હતું ને તેણે સુખ આપ્યું હોય. છતાં અપાણે રોજેરોજ આવતી કાલ માટે કલ્પનાઓ ઘડીએ છીએ અને આયોજન કરીએ છીએ. આવા માનવીને મહાવીર મૂઢ કહે તો એમાં તથ્ય છે, બીજી મૂઢતા શું હોઇ શકે? જે ખાડામાં હું ગઇ કાલે પડયો હતો, તેવા જ બીજે રસ્તે આવેલા ખાડાની હું શોધમાં છું. એવું પણ નથી કે ગઇ કાલે એક જ વાર ખાડામાં પડયો હતો, વારંવાર પડું છું.
મેં સાંભળ્યું છે કે મુલ્લા નસરુદ્દીન એક રાત્રે જરા વધારે દારૂ પીને ઘેર પાછો ફરી રહ્યો હતો. રસ્તા પર પોતાનું ઘર શોધવા ફાંફાં મારતો હતો. કોઇ ભલા માણસે એનો હાથ પકડીને એક મકાન બતાવી પૂછ્યું, ‘શું અહીં જ રહો છો ?”
મુલ્લાએ કહ્યું, ‘હા.’ ‘કેટલામે માળે રહો છો ?’ એણે કહ્યું ‘બીજે માળે.’ એ ભલો માણસ ઘણી
Page #75
--------------------------------------------------------------------------
________________
ધર્મ એટલૅસ્વભાવમાંસ્થિર રહેવું તે
મુશ્કેલીથી એને ઘસડતો ઘસડતો બીજા માળ સુધી લઈ આવ્યો. પછી એણે વિચાર્યું કે કદાચ મુલ્લાની પત્ની જાગતી હશે અને મને જોઈને વિચારશે કે આ પણ એનો સાથી લાગે છે, એટલે નકામી કોઈ ભાંજગડ ઊભી થશે, એમ ધારી એણે મુલ્લાને પૂછ્યું, “આ જ તારા ઘરનો દરવાજો છે ને?” મુલ્લાએ કહ્યું, “હા.” એટલે એણે દરવાજામાં મુલ્લાને ધક્કો માર્યો અને દાદર ઊતરી ગયો. જેવો એ નીચે પહોંચ્યો તો એણે જોયું કે મુલ્લા જેવો જ કોઈ માણસ મુલ્લા જેવી જ હાલતમાં ફરીથી દરવાજો ખોળી રહ્યો છે. એવો જ માણસ જોઈ એને આશ્ચર્ય થયું. પોતાની આંખો ચોળીને ખાતરી કરી લીધી કે એ પોતે તો નશામાં નથીને? પરંતુ મુલ્લા જેવી જ હાલતમાં એ માણસ હતો. એની નજીક જઈ એણે પૂછ્યું, “શું તમે પણ ખૂબ દારૂ પીધો છે?' પેલા માણસે કહ્યું, “હા. “આ જ મકાનમાં રહો છો?' પેલાએ કહ્યું, “હા.” “કેટલામે માળે રહો છો?' પેલાએ કહ્યું, “બીજે માળે.” સાંભળી, પેલો ભલો માણસ ખૂબહેરાન થયો. પૂછ્યું કે, શું ઉપર જવું છે?” પેલાએ કહ્યું, “હા.” આ વખતે ઉપર બીજે માળે પહોંચાડવામાં જરા વધારે તકલીફ પડી. કારણકે પેલા માણસ કરતાં આ માણસ વધારે ઢીલો થઈ ગયો હતો. ઉપર પહોંચીને પૂછ્યું, “આ જ દરવાજો છે તમારા ઘરનો?” પેલાએ કહ્યું, “હા.' પેલા ભલા માણસને થયું કે, શું હું પણ આદાડિયાઓના સંસર્ગથી થોડીવારમાં નશામાં આવી ગયો? એણે ફરી એક ધક્કો મારી પેલાને દરવાજામાં ઘકેલી દીધો અને ઝડપથી નીચે ઊતરી ગયો. નીચે ઊતરીને જોયું તો એક એવો જ ત્રીજો માણસ, જરા વધારે ખરાબ હાલતમાં, રસ્તો ખોળતો ફાંફાં મારી રહ્યો છે. બિલકુલ એવો જ, એવાં જ કપડાં પહેરેલો. એને થયું કે આ તો બહુઝંઝટનું કામ છે, એ પરેશાન થઈ ગયો. એણે પૂછ્યું, “ભાઈ તમે આ જ મકાનમાં રહો છો?' પેલાએ કહ્યું,
હાં.” “કેટલામે માળે રહો છો?” “બીજે માળે.” “બીજે માળે જવું છે?' પેલાએ કહ્યું, “હા.” પેલા ભલા માણસને થયું કે આ કેવી મુશ્કેલીમાં હુંફસાયો! છતાં એને પણ, એ ઊપર લઈ ગયો. દરવાજો જોઈ એમાં ધક્કો માર્યો અને દાદર ઊતરી ગયો, એજ વિચારમાં કે હવે કોઈ ચોથોન મળી જાય! પરંતુ ચોથો નીચે હાજર હતો. એનામાં તો હવે હાલવા-ચાલવાની પણ શક્તિ ન હતી. એની પાસે જઈને જોયું તો પેલા માણસે મોટેથી બૂમ મારી, “બચાવો, બચાવો, આમાણસ મને મારી નાખશે.” ભલા માણસે કહ્યું કે, હું તને મારવા નથી માગતો. પણ તું છે કોણ?' પેલાએ કહ્યું કે, “તું મને વારે ઘડીએ લિફ્ટના દરવાજામાં ધક્કો મારી નીચે ફેંકી રહ્યો છે.' પેલા ભલા માણસે કહ્યું કે, “તને ત્રણ વાર ફેંક્યો, પણ તું બોલ્યો કેમ નહીં?’ મુલ્લાએ કહ્યું કે, ‘એમ વિચારીને કે હવે આ વખતે તું ધક્કો નહીં મારે.”
જ્યારે કોઈ બીજું પટકાતું હોય ત્યારે આપણે હસીએ છીએ. પરંતુ આપણે આપણી જાતને વારંવાર પટકીએ છીએ. એના એ જ આપણે, દરવખતે, થોડી વધારે ખરાબ હાલતમાં, પટકાઈએ
Page #76
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમુક મંત્ર
૭૧
છીએ. આખી જિંદગી એવું ચાલ્યા કરે છે. દુઃખના ભાવ સિવાય, બીજો કોઈ અનુભવ છેવટે બચતો નથી. એના એ જ ઘા અને એની એ જ પીડા ભોગવીએ છીએ. આપણે એટલું જાણીએ છીએ કે અધર્મઅમંગળ છે. અધર્મનો અર્થ માત્ર એટલો જ છે કે બીજામાં સુખ ખોળવાની આકાંક્ષા.આ જ દુઃખ છે અને આ જ અમંગળ છે. તમને જ્યારે પણ દુઃખ મળે ત્યારે સમજજો કે કોઈ બીજામાંથી સુખ મેળવવાની ઇચ્છા કરી હતી. તમે તમારા શરીર દ્વારા સુખ મેળવવા ઈચ્છો છો ત્યારે પણ તમે શરીરમાંથી સુખ મેળવવાની ઈચ્છા કરો છો. પણ શરીર તમે નથી. કાલે શરીર બીમાર પડશે, વૃદ્ધ થશે, પરમ દિવસે મરી જશે. આ શરીર પણ, ગમે તેટલું આપણું અને આપણી નજીક લાગે છે, પણ છે પારકું. મહાવીરને જો આપણે પૂછીએ તો એ કહેશે કે, જેનાથી સુખ મળવાની આશા છે તે પરાયું છે. આ જ નિયમ છે, માપદંડ છે કે જેનાથી દુ:ખ મળે છે, તે પણ તમે નથી, એ કાંઈ બીજું જ છે.' સુખનો આપણને પરિચય નથી. કારણકે આપણો પરિચય હંમેશાં બીજી વસ્તુઓનો અને વ્યક્તિઓનો છે. પરિચય હંમેશાં બીજાનો છે. સુખ કલ્પનામાં છે, દુઃખ આપણો અનુભવ છે. પરંતુ એદુઃખના અનુભવને આપણે હંમેશાં ભૂલવા માગીએ છીએ અને સુખ જેકલ્પનામાં છે તેની પાછળ દોડતા રહીએ છીએ. મહાવીરનું આ સૂત્ર, આપણી સમગ્ર ધારણાને બદલવા માગે છે. મહાવીર કહે છે કે “ધમો મંગલમ્ ઉકિકટષ્ઠ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. આનંદની શોધ એ આપણો સ્વભાવ છે. ક્યારેક તમારા જીવનમાં આનંદનું કોઈ નાનું મોટું કિરણ ઊતર્યું હોય, તો તે ઊતર્યું હશે ત્યારે જ, જ્યારે જાણે-અજાણે કોઈ ક્ષણે તમે તમારા સ્વયં સાથે સંલગ્ન થયા હશો. છતાં આપણામાં એવી ભ્રાંતિ છે કે એવા આનંદ માટે પણ, આપણે કોઈ અન્યને કારણભૂત સમજીએ છીએ. સાગરને કાંઠે આપણે બેઠા છીએ. સાંજ થઈ ગઈ છે, સૂર્યાસ્ત થઈ રહ્યો છે. એ આથમતા સૂર્યની પશ્ચાદ્ભૂમાં, સાગરના તરંગોના અવાજ સાંભળતાં, એ સાગર કાઠ, એક ક્ષણે લાગે છે કે સુખનું કોઈક કિરણ ઊતરી રહ્યું છે. તે ઘડીએ વિચાર આવે છે કે કદાચ આ સાગર અને આ આથમતા સૂર્યમાં સુખ છે. બીજે દિવસે ફરીથી આવીને બેસીએ છીએ, પરંતુ ત્યારે પહેલા દિવસ જેટલું સુખ નથી લાગતું. જો રોજ રોજ આવીને બેસીએ સાગરકાંઠે તો સાગરનો ઘુઘવાટ સંભળાતો પણ બંધ થઈ જવો, સૂર્યાસ્તનાં રંગીન કિરણો પણ દેખાતાં બંધ થઈ જશે. પહેલે દિવસે જે સુખ અનુભવ્યું હતું તે સાગર અને સૂર્યને કારણે ન હતું. એ તો માત્ર અજાણ પરિસ્થિતિમાં, સૂર્ય અને સાગર સાથે ઠીકઠીક સંબંધમાં ન આવતાં, થોડી ક્ષણ માટે તમારા સ્વયંની સાથે તમારો સંબંધ બંધાઈ ગયો, એનું સુખ હતું. આવાત સમજવા જેવી છે. કોઈ પણ પરિવર્તન થાય ત્યારે એક ક્ષણ માટે તે આપણને સારું લાગે છે. કારણકે એ પરિવર્તનની ક્ષણે, એ બદલાતી પળોમાં, કોઈ બીજા સાથે સંલગ્ન થતાં પહેલાં અને એ પહેલાંની ભૂતકાળની ક્ષણોથી છૂટતાં પહેલાં, વચમાં જે એક ગાળો આવે છે તે દરમિયાન,
Page #77
--------------------------------------------------------------------------
________________
ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર રહેવુંતે
આપણે આપણી પોતાની જાતમાંથી, સ્વયંમાંથી પસાર થઇએ છીએ. એક મકાન બદલીને બીજા મકાને જઇ રહયા છીએ. આ મકાન બદલીને, બીજા મકાનમાં ઠરીઠામ થતા પહેલાં, કેટલીક ક્ષણ આપણે અવ્યવસ્થિત થઇ જઇએ છીએ. નથી આ મકાન હોતું, નથી હોતું બીજું મકાન. વચમાં થોડી ક્ષણો એ મકાનમાં પહોંચી જઇએ છીએ જે આપણી ભીતર બિરાજમાન છે. ત્યારે એ વચલી ક્ષણોમાં, થોડી સુખની ઝલક મળી જાય છે.
ર
ત્યારે તમે એમ વિચારો છો કે આ સુખની ઝલક નવા મકાનમાં આવવાને કારણે મળી છે કે આ નવા ‘હવા ખાવાના’ સ્થળે આવેલી ગિરી કંદરાઓના એકાંતને કારણે મળી છે, કે કોઇ સંગીતની ધૂન સાંભળીને મળી છે. કોઇ નાટક જોવાથી સુખની ઝલક મળી હોય તો તે પણ ભ્રમ છે. એક ને એક નાટક બે ત્રણ વાર જુઓ. ચોથે દિવસે સુખ નહીં મળે કારણકે તમે નાટકથી ટેવાઇ ગયા હશો, પરિચિત થઇ ગયા હશો. હજી વધુ વખત નાટક જોવા લાગશો તો તમને લાગશે કે હવે તમે તમારી સાથે હિંસા આદરી રહયા છો. એક પત્નીને બદલી બીજી પત્ની મળતાં જે ક્ષણિક સુખનો અનુભવ થાય છે, તેનું મુખ્ય કારણ એક ફેરફાર છે. જ્યારે જ્યારે કોઇ ચીજ બદલીએ ત્યારે એક ક્ષણ માટે આપણે આપણા ભાનમાંથી પસાર થવું પડે છે. આપણા ભીતરમાંથી પસાર થવું પડે છે. એ જ એકમાત્ર કારણ આપણા ક્ષણિક સુખનું છે.
જ્યારે હું કોઇ એક ચીજથી છૂટું અને બીજી સાથે જોડાઉ ત્યારે એ વચલી ક્ષણમાં હું મારા પોતાનામાં જ રહી શકું. એ આપણા પોતાનામાં રહેવાની ક્ષણ સુખ આપે છે, પરંતુ તે સુખ લાગે છે એવું કે જાણે બીજામાંથી મળ્યું હોય. બધું પરિવર્તન સારું લાગે છે, એમાં આપણે થોડા વધુ જાગ્રત હોઇએ છીએ. માટે જ માણસ શહેરથી કંટાળી જંગલમાં જાય છે, જંગલનો માણસ શહેરમાં આવે છે ભારતમાં રહેનાર યૂરોપ જાય છે, યૂરોપમાં રહેનાર ભારતમાં આવે છે. બન્નેને એ પરિવર્તનની ક્ષણમાં મઝા આવે છે. પરંતુ જ્યારે ભારતીયો, કોઇ પશ્ચિમીને ભારતમાં પોતાની વચમાં આવેલો જુએ છે ત્યારે આશ્ચર્ય પામે છે કે અહીં ભારતમાં, સુખની શોધમાં પશ્ચિમી આવે છે ? વૈજ્ઞાનિક કહે છે કે કોઇ પણ નવી ચીજથી પરિચિત થવામાં સમય લાગે છે. એ પરિચિત થવાની પ્રક્રિયામાં જાગૃતિ વધુ રહે છે. પરિચિત થઇ જતાં એક પ્રકારની યાંત્રિકતા આવે છે. કંટાળાની, દુ:ખની શરૂઆત થાય છે.
ગોકલિને એક પુસ્તક લખ્યું છે, જેનું નામ છે ‘ધી કોસ્મિક ક્લોક’. એણે લખ્યું છે કે આખું અસ્તિત્વ એક ઘડિયાળની જેમ ચાલે છે. માનવીનું વ્યક્તિત્વ પણ એક ઘડિયાળની જેમ ચાલે છે. કાંઇ પણ પરિવર્તન થાય છે ત્યારે એ ઘડિયાળ ડામાડોળ થઇ જાય છે. તમે પૂર્વમાંથી પશ્ચિમમાં જાવ છો ત્યારે તમારા શરીરના સમયની ઘડિયાળ અસ્તવ્યસ્ત થઇ જાય છે ત્યાં બધું બદલાઇ જાય છે. સૂર્યનો ઊગવાનો અને આથમવાનો સમય બદલાય છે. એ એટલી તેજ ગતિથી બદલાય છે કે આપણા શરીરને એની ખબર નથી પડતી, એટલે એક પ્રકારની અરાજકતાની ક્ષણો ઊભી થાય છે અને એ ક્ષણોમાં તમે અનિવાર્યરૂપે, થોડા વખત માટે, તમારા અંતરમાંથી પસાર
Page #78
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
થાઓ છો. પરિણામે, તમને જે નવો અનુભવ થાય છે તેમાંથી ક્ષણભર સુખ મળતું હોય એવું લાગે છે. પરંતુ જેઓ હંમેશા માટે પોતાના અંતરમાં જીવતા હોય છે, ‘તેઓ માટે મહાવીર કહે છે કે તેઓ પરમ મંગલ અને પરમ આનંદને પ્રાપ્ત થાય છે.'
૭૩
આપણે જેને જીવન સમજ્યા છીએ તે દુ:ખ છે, અનુભવ જો પ્રગાઢ થઇ જાય તો જેની પાછળ આપણે દોડી રહ્યા છીએ, તે આપણને માત્ર નર્કમાં લઇ જશે, એ સ્પષ્ટ થઇ જાય છે. મહાવીરવાણીનું અર્ધું સત્ય આપણા અનુભવમાં આવી જશે. પરંતુ એટલું ખ્યાલમાં રાખજો કે કોઇ પણ સત્ય અ હોતું નથી. સત્ય તો હંમેશાં પૂરું જ હોય છે. જો અર્ધું સત્ય સમજાય જાય તો બાકીનું અર્ધ સત્ય આજે નહી તો કાલે, જરૂર અનુભવમાં આવી જશે.
અર્ધું સત્ય આપણે જાણીએ છીએ તે એ છે કે બીજી વ્યક્તિ કે બીજી વસ્તુ દુઃખ આપે છે. કામના દુઃખ છે, વાસના દુઃખ છે કારણકે કામના અને વાસના હંમેશા બીજાની પાછળ દોડનાર ચિત્તનું નામ છે. વાસનાનો અર્થ છે, બીજા તરફ દોડતી ચેતનધારા, ભવિષ્યોન્મુખ જીવનનૌકા. બીજામાંથી જો દુ:ખ જ મળતું હોય તો એના તરફ દોરી જનાર નર્કનો સેતુ છે. એને જ મહાવીરે વાસના નામ આપ્યું છે. એને જ બુદ્ધ તૃષ્ણા કહે છે. આપણે ગમે તે નામ આપીએ, પરંતુ બીજી વ્યક્તિઓ અને વસ્તુઓ પાછળ દોડવાનું, જે આપણી શક્તિનું વર્તન છે, તેનું નામ જ વાસના છે, તે જ દુ: ખ છે. આનંદ અને મંગલ એ ધર્મનો સ્વભાવ છે. જ્યારે આપણી વાસના ક્યાંય નહી દોડતી હોય ત્યારે આનંદ મળશે. વાસનાની દોડ અટકી જવામાં આત્માનું અસ્તિત્વ છે. વાસનાની દોડમાં આત્માનું ખોવાપણું છે. જે ક્યાંય દોડતી નથી જે સ્વયંમાં સ્થિર છે. તે શક્તિનું નામ છે આત્મા.
સૂત્રના બીજા હિસ્સામાં મહાવીર કહે છે, કયો ધર્મ ? અહિંસા, સંયમ અને તપ. ચારે બાજુ દોડતી ઊર્જાને સ્થિર કરવાની વિધિનાં નામ છે, અહિંસા, સંયમ અને તપ. જે વાસના બહાર દોડી રહી છે, તે કેવી રીતે બીજા તરફ દોડતી અટકી જાય ? દોડતી બંધ થઇ જાય ત્યારે તે સ્વયંમાં સ્થિર થઇ જશે, સ્વયંમાં રમણ કરશે. જાણે કોઇ જ્યોતિ હવામાં પણ નિષ્કપ બની ગઇ.
ધર્મ એ સ્વભાવ છે. બીજો અર્થ ધર્મ વિધિ છે, સ્વભાવ સુધી પહોંચવાની. આપણે આપણા સ્વભાવથી વ્યુત થઇ ગયા છીએ, ભટકી ગયા છીએ. માટે ફરી તે તરફ પાછા વળવાની વિધિ એ ધર્મ છે. આપણે જો સ્વભાવમાં સ્થિર હોઇએ તો પાછા વળવાનો પ્રશ્ન ઊભો થતો જ નથી. સ્વસ્થ માણસ ચિકિત્સકને પોતે સ્વસ્થ છે કે નહીં તે પૂછવા જતો નથી. સ્વસ્થ માણસ જો પૂછવા જાય તો એમ સમજવું કે એ બીમાર થઇ ચૂક્યો છે. ખરેખર તો જ્યાં સુધી બીમારી આવતી નથી ત્યાં સુધી સ્વાસ્થ્યનો ખ્યાલ આવતો નથી.
કન્ફ્યુશિયસ લાઓત્સેને મળવા આવ્યો ત્યારે એણે પૂછ્યું, ‘ધર્મને પ્રાપ્ત થવાનો ઉપાય બતાવો.’ લાઓત્સેએ કહ્યું, ધર્મને લાવવાનો ઉપાય ત્યારે કરવો પડે જ્યારે અધર્મ આવી ચૂક્યો હોય. તમે અધર્મને છોડવાનો ઉપાય કરો તો ધર્મ એની મેળે આવી જશે. સ્વાસ્થ લાવવાને કોઇ ઉપાય થઇ શક્તો
Page #79
--------------------------------------------------------------------------
________________
ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર રહેવું તે
નથી, બીમારીને છોડવાનો ઉપાય થઇ શકે છે. બીમારી છૂટી જાય તો જે બચે છે તે સ્વાસ્થ છે..
ધર્મનું છેવટનું સૂત્ર તો સ્વભાવ જ છે. પરંતુ એ સ્વભાવ ખોવાઇ ગયો છે. એટલે મહાવીર ધર્મનો બીજો અર્થ કરે છે જે પ્રયોગાત્મક છે, જે પ્રક્રિયાનો છે, જે સાધન છે. મહાવીરે ધર્મની પહેલી પરિભાષા કરી કે ધર્મ સ્વભાવ છે. એ પરિભાષા છે સાધ્યની, મંજિલની. ધર્મની બીજી પરિભાષા કરી સાધનાની. યાં સાધન, કયો ધર્મ ? અહિંસા, સંયમ અને તપ. આટલું નાનકડું સૂત્ર ધર્મ માટે, કદાચ જગતમાં કોઇએ કહ્યું નહીં હોય, જેમાં પૂરો ધર્મ સમાઇ જાય. તો અહિંસા, સંયમ અને તપની વ્યવસ્થા પહેલાં આપણે સમજીએ, પછીથી એની આંતરિકતામાં પ્રવેશ કરી શકીશું.
૭૪
અહિંસા ધર્મનો આત્મા છે, કેન્દ્ર છે. તપ એ ધર્મની પરિધિ(circumference) છે અને સંયમ કેન્દ્ર અને પરિધિને જોડનાર એક સેતુ છે. એમ સમજીએ કે અહિંસા આત્મા છે, તપ શરીર છે અને સંયમ પ્રાણ છે, આત્મા અને શરીરને જોડનાર પ્રાણ છે, શ્વાસ છે. જે પળે શ્વાસ છૂટી જશે, ત્યારે શરીર તો હશે, આત્મા પણ હશે, પરંતુ તમે નહીં હો. સંયમ તૂટે તો તપ હોઇ શકે, અહિંસા પણ હોઇ શકે, પરંતુ ધર્મ નહીં હોય. આખું વ્યક્તિત્વ વીખરાઇ જશે. સંયમ શ્વાસ જેવો છે.
મહાવીરની દૃષ્ટિએ અહિંસા આત્મા છે. મહાવીરને ધર્મની વ્યાખ્યા એક જ શબ્દમાં કહેવાનું કહીએ તો મહાવીર જવાબ દેશે, અહિંસા. મહાવીરે કહ્યું જ છે કે અહિંસા પરમ ધર્મ છે. શા માટે અહિંસા પર મહાવીર આટલું જોર આપે છે? કોઇએ મહાવીર જેટલું જોર અહિંસા પર આપ્યું નથી. કોઇએ ધર્મની વ્યાખ્યા કરી પરમાત્મા, કોઇએ કહ્યું આત્મા, કોઇએ કહ્યું સેવા, કોઇએ કહ્યું ધ્યાન. કોઇ કહે છે સમાધિ, કોઇ કહે છે યોગ; કોઇ કહે છે પ્રાર્થના તો કોઇ કહે છે પૂજા. પરંતુ મહાવીરને પૂછીએ તો એમના અંતરતમમાં એકમાત્ર શબ્દ ગુંજી રહ્યો છે, તે છે અહિંસા.
મહાવીરને માનવાવાળા ‘અહિંસા’નો જેવો અર્થ કરે છે, એવો જ સંકુચિત અર્થ જો ‘અહિંસા’નો હોય તો તેઓ ભૂલ કરે છે. તેઓ એવો બાલિશ અર્થ કરે છે કે ‘અહિંસા એટલે બીજાને દુઃખ ન આપવું તે.` મહાવીરને આવો અર્થ અભિપ્રેત નથી. ધર્મની પરિભાષા કરવામાં ‘બીજાને’ વચમાં લાવવાની વાત મહાવીર સહન નહીં કરે. આ થોડું બારીકાઇથી સમજીએ.
ધર્મની પરિભાષા સ્વભાવ છે, પણ ધર્મની પરિભાષા, બીજાને વચમાં લાવીને કરવી પડે કે બીજાંને દુ:ખ ન આપો એ ધર્મ છે, તો આવો પનિર્ભર ધર્મ, જે બીજા પર કેન્દ્રિત થઇ જાય, તે મહાવીરને પસંદ નહીં પડે. મહાવીર તો ‘બીજાંને સુખ આપો એ ધર્મ છે.' એમ પણ નહીં કહે. કારણકે એમ કહેવામાં પણ બીજું હાજર રહે છે. મહાવીર તો કહે છે, ધર્મ ત્યાં છે, જ્યાં ‘બીજું’ કોઇ છે જ નહીં. એટલે બીજાં પર આધાર રાખનારી વ્યાખ્યા બરાબર નથી.
વળી આ સંદર્ભમાં એક બીજી વાત પણ સમજી લઇએ. બીજાને દુ:ખ ન આપો એવી ધર્મની પરિભાષા થઇ શક્તી નથી. કારણકે મહાવીર માનતા નથી કે તમે કોઇને દુ: ખ આપી શકો છો જ્યાં સુધી કોઇ દુઃખ લેવા ચાહતું ન હોય. આપણી એક ભ્રાંતિ છે કે આપણે બીજાને દુ:ખ આપી શકીએ
Page #80
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
છીએ. આ ભ્રાંતિનો આધાર એક બીજી ભ્રાંતિ પર છે કે આપણે બીજા થી દુ:ખ પામી શકીએ છીએ કે બીજાથી સુખ પામી શકીએ છીએ કે આપણે બીજાને સુખ આપી શકીએ છીએ. આ બન્ને ભ્રાંતિ એક જ આધાર પર ઊભી છે. જો તમે બીજાંને દુ: ખ આપી શકતા હો, તો શું તમે એમ માનો છો કે તમે મહાવીરને પણ દુ: ખ આપી શકો ?
૭૫
ના, તમે મહાવીરને દુ:ખ ન આપી શકો. કારણકે મહાવીર દુ: ખ લેવા માટે રાજી નથી. તમે તેને જ દુઃખ આપી શકો, જે દુઃખ લેવા તૈયાર હોય. તમને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે તમે દુ: ખ લેવા માટે એટલા ઉત્સુક છો કે જેનો કોઇ હિસાબ નથી. તમે જાણે પ્રાર્થના કરી રહ્યા છો કે તમને કોઇ દુ:ખ આપે. આ વાત સીધેસીધી સમજાય તેવી નથી. એને માટે અંતરમાં થોડી ખોજ કરવી પડશે. કોઇ માણસ તમારી ચોવીસે કલાક પ્રશંસા કરે તો તમને ખાસ કાંઇ સુખ નહીં મળે, પરંતુ જો કોઇ તમને એક ગાળ આપે તો તે તમને તમારી આખી જિંદગીભર યાદ રહેશે અને દુઃખ આપ્યા કરશે. કોઇ માણસ તમારી વર્ષો સુધી સેવા કરે તો તેનું તમને ખાસ સુખ નહીં મળે, પરંતુ તે તમારી વિરુદ્ધ કોઇ ફરિયાદ કે ખરાબ શબ્દો વાપરશે તો તમને એનું એટલું બધું દુઃખ થશે કે અગાઉ મળેલું થોડું સુખ પણ વ્યર્થ થઇ જશે એનાથી શું સિદ્ધ થાય છે ?
એનાથી એ જ સિદ્ધ થાય છે કે તમે જેટલા સુખ લેવા માટે આતુર નથી તેટલા દુ: ખ લેવા માટે આતુર છો. એટલે કે તમારી ઉત્સુકતા જેટલી દુ:ખ લેવામાં છે એટલી સુખ લેવામાં નથી. કોઇએ મને ઓગણીસ વાર નમસ્કાર કર્યા હોય પણ એક વાર નમસ્કાર ન કર્યા હોય તો મેં ૧૯ વાર થયેલા નમસ્કારમાંથી જેટલું સુખ નહીં લીધું હોય તેનાથી અનેકગણું દુ:ખ હું એક વાર નમસ્કાર ન મળ્યાથી ભોગવીશ. આશ્ચર્યની વાત છે ! ખરેખર તો તમને એ વ્યક્તિ વીસ વાર નમસ્કાર ન કરે, ત્યારે હિસાબ બરાબર થાય. એટલે વીસ વાર નમસ્કાર ન કરે ત્યાં સુધી તો દુ: ખ લેવાને કોઇ કારણ જ નથી. પરંતુ નાની નાની વાતો દુ:ખ આપી જાય છે.
આપણે દુ:ખ લેવા માટે આટલા બધા સંવેદનશીલ કેમ છીએ? એનું એક જ કારણ છે કે આપણે બીજા પાસેથી એટલું બધું સુખ મેળવવા ઇચ્છીએ છીએ કે એ ઇચ્છા જ આપણા માટે દુઃખ પ્રાસ થવાનો દરવાજો બની જાય છે. બીંા પાસેથી સુખ તો મળતું જ નથી, મળી શકતું નથી, પરંતુદુ:ખ મળી શકે છે જે આપણે લીધા કરીએ છીએ. બીજાંને દુઃખ ન દેવું એવો અહિંસાનો અર્થ છે એમ મહાવીર નથી કહેતા. બીજો દુ:ખ લેવા ન માગતો હોય તો એને દુ:ખ કેવી રીતે આપી શકાય; અને જે દુ:ખ લેવો માગતો હોય અને એને કોઇ દુ:ખ નહી આપે તોપણ એ લઇ લેશે. એવી વ્યક્તિ તમારી રાહ જોઇને બેસી નહીં રહે. જેને દુઃખ લેવું છે તે આકાશમાંથી પણ દુઃખ લઇ લેશે. એવા લોકો અતિ કલ્પનાશીલ હોય છે. તેઓ એવા અવિષ્કાર કરે છે જેનો કોઇ જોટો નહીં મળે. તેઓ તમારા ઊઠવામાંથી, બેસવામાંથી, ચાલવામાંથી, કોઇ પણ ચીજ માંથી દુ:ખ ગ્રહણ કરી લેશે. તમે નહીં બોલો તોપણ દુ:ખી થશે, તમે ચુપ રહેશો તો ય દુ:ખી થશે કે તમે ચુપ કેમ બેઠા છો ?
Page #81
--------------------------------------------------------------------------
________________
ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર રહેવું તે
એક મહિલા મારી પાસે આવી કહે છે કે મારા પતિનું હું શું કરું? જો હું બોલું છું તો વિવાદ ઊભો થાય છે, જો નથી બોલતી તો પૂછે છે, શું થયું છે તને? નબોલું તો એમને એમ થાય છે કે હું નારાજ છું. જો હું બોલું તો થોડી વારમાં નારાજી પેદા થવાની જ છે. તો હું શું કરું? બોલું કે ન બોલું? એ મહિલાને હું શું સલાહ આપું? જેટલાં દુઃખતમને મળી રહ્યાં છે તેના નવાણું ટકાતમારી શોધનાં પરિણામ છે. જરા વિચાર કરો કે તમે દુઃખની શોધ કરવામાં કેવી કેવી તરકીબો કરો છો. કારણકે દુઃખી થયા વિના તમે રહી શક્તા નથી. માણસ સુખી હોય તો જીવી શકે છે, અથવા દુ:ખી હોય તો જીવી શકે છે. બન્ને વિના જીવી શકતો નથી. જીવવા માટે દુઃખ સારું બહાનું છે. દુઃખી માણસ પોતાની કથા, રસપૂર્વક, વધારી ચઢાવી મોટી કરે છે. એક સોયલાગી ગઈ હોય તો તલવારથી ઓછું દુઃખએને થતું નથી. તમે કોઈ ડૉક્ટર પાસે જવ અને એ તમને કહી દકે આજે તમે બિલકુલ બીમાર નથી, તો તમને દુઃખ થશે, તમને ડૉક્ટરની આવડત પર શંકા આવશે. કોઈ બીજા મોટા ડૉકટર ખોળવા પડશે. તમારા જેવા મોટા માણસને કોઈ બીમારી નથી એવું કેવી રીતે બને? અથવા કોઈ ડૉક્ટર તમને કહી દે કે ‘ખાસ કોઈ બીમારી નથી, તમે ઘેર જઈ માત્ર ગરમ પાણી પી લેજે તો એનાથી તમારા મનને સંતોષનહીં થાય. એટલા માટે જ ડૉક્ટરો એમની દવાઓનાં નામ લેટિન ભાષામાં લખે છે, ભલેને પછી તેનો અર્થ થતો હોય અજમાનું પાણી, પરંતુ લેટિન ભાષામાં લખેલી દવાનું લિસ્ટ લઈને દર્દીએક એંટથી ઘેર આવે છે. દુઃખન હોય તો જિવાયકેવી રીતે? જીવવાનું કારણ હોવું જોઈએ. જો આનંદન હોયતો દુઃખતો હોવું જોઈએ. માર્ક ટવેન એક ઘણી અનુભવી માણસ હતો. માનવી અને એના મનનાં ઊંડાણમાં ઉતરવાની એની એક આગવી દષ્ટિ અને શક્તિ હતી. એણે કહ્યું છે કે કાંતો તમે મારી પ્રશંસા કરો અથવા મારી ટીકાકરો કે મારું અપમાન કરો, પરંતુ તમે તટસ્થનરહેતા. તટસ્થ રહેશો તો મને દુઃખ થશે. જોઈએ તો મને ગાળ આપો. એનાથી ઓછામાં ઓછું મને એમ તો લાગે છે કે હું પણ કંઇક છું! પરંતુ તમે મારી સામે નજર પણ નકરો અને પસાર થઈ જાવ, તમે મને ગાળન આપો. મારું સન્માન ન કરો તો એનાથી મને તમે એવી ચોટ પહોંચાડો છો કે જેનો હું બદલો લીધા વિના નહીં રહું. આવી ઉપેક્ષાનો બદલો લોકો જેટલો લે છે તેટલો કોઈ દુ:ખી કરે તેનો લેતા નથી. તમે ખ્યાલ કરશો તો તમને સમજાશે કે જે માણસ તમારી ઉપેક્ષા કરે છે, તમારી સામે જોતો પણ નથી તે તમને વધારે દુઃખ પહોંચાડે છે. જિસસ અને મહાવીર જેવી વ્યક્તિઓની આપણે આટલી સતામણી એટલા માટે કરી કે એ લોકોએ આપણી પરવાનકરી, આપણા પ્રત્યે ધ્યાન ન આપ્યું. આપણે એમને પત્થર માર્યા તો એ લોકો એમ જ ઊભા રહ્યા, કે જાણે કાંઈ બન્યું જ નથી. તો એમના આવા વર્તનથી પણ આપણને પીડા થાય છે. નીત્સ નામે વિચારક થઈ ગયો. માનવઇતિહાસમાં એના જેવી બહુ થોડી વ્યક્તિઓ છે જે
Page #82
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્રી
૭૭
માનવીના મનની ઊંડી ગહેરાઈમાં ઊતરી શકી. નીત્સએ કહ્યું છે કે કોઈ તમારા ગાલ પર તમાચો મારે અને તમે સામે બીજો ગાલ ધરી દો તો એનાથી બહુ મોટું અપમાન સામેની વ્યક્તિનું થાય છે. એણે જિસસ માટે કહ્યું કે જિસસે બીજો ગાલ ધરી દેવાની લોકોને સલાહ આપવામાં ભૂલ કરી છે. નીત્સએ કહ્યું કે જે તમને તમાચો મારે તેને સામે એક સમસમતો તમાચો તમે મારશો તો એને એક પ્રકારની ઇજ્જત મળશે.જ્યારે તમે બીજે ગાલ એની સામે ધરી દેશો તો એ માણસને તમે કીડામકોડાની કક્ષા પર ઉતારી દેશો. એનું મોટું અપમાન થઈ જશે. એ તે સહન નહી કરે, એ તમને ફાંસી પર લટકાવશે. આવી રીતે આપણે ક્યારેય વિચારતા નથી, પણ આ વાત સાચી છે. સત્ય એવું અજબ હોય છે, વિચિત્ર હોય છે કે એની આપણે કલ્પના કરી શકતા નથી. કોઈ તમારી ઉપેક્ષા કરે તો એ તમને શત્રુથી પણ વધારે ભયાનક લાગે કારણકે તમારો શત્રુ તમારી ઉપેક્ષા નથી કરતો. એ તમને શત્રુ બનાવવા જેટલી માન્યતા-યોગ્યતા બક્ષે છે. આપણે દુઃખ માટે પણ ઉત્સુક છીએ. છેવટે થોડું દુઃખતો આપો, સુખ ન આપી શકો તો? કાંઈ પણ આપો, દુઃખ આપશો તો પણ ચાલશે, પણ આપો.આપણે એટલા સંવેદનશીલ છીએ કે આપણી બધી ઈન્દ્રિયો સજાગપણે ક્યાંકથી દુ:ખ મળતું હોય તો તેને ચૂકી ન જવાય એવો અવસર ચાલીન જાય, એની કાળજી રાખીએ છીએ. દુઃખતો આપણા જીવનનું કારણ છે ! એટલે મહાવીરની અહિંસાનો અર્થ “બીજાને દુઃખન આપો એવો નથી, કારણ કે મહાવીર જાણે છે કે કોઈ કોઈને દુઃખ આપી શકતું નથી, તેમ કોઈ કોઈને સુખ આપી શકતું નથી. મહાવીરની અહિંસાનો એમ પણ અર્થ નથી કે કોઈને તમે મારશો નહીં કે મારી નાખશો નહીં. કારણકે મહાવીર બહુ સારી રીતે સમજતા હતા કે આ જગતમાં કોઈ કોઈને મારી નાખી શકતું નથી. મહાવીરથી વધુ કોણ જાણતું હશે કે મૃત્યુ અસંભવ છે, કે કોઈ મરતું નથી. મહાવીર તો આ વાત બહુ સારી રીતે સમજતા હતા. પરંતુ મહાવીરના અનુયાયીઓએ ‘અંહિસા શબ્દના બહુ સાધારણ અર્થક્ય, અહિંસાને સામાન્ય અર્થોમાં સમજાવવી. એમણે અર્થો કર્યા કે અહિંસા એટલે મોં પર પટ્ટી બાંધી રાખવી, કે સંભાળીને રસ્તા પર ચાલવું જેથી કોઈ જીવજંતુન મરી જાય, કે રાત્રે પાણી પીવું જેથી હિંસા થઈ જાય. આ બધી વાતો ઠીક છે. મોં પર પટ્ટી બાંધી રાખવાનું સારું છે. પાણી ગાળીને પીવાનો કાંઈ વાંધો નથી, સ્વચ્છ પાણી પીવા મળશે. જમીન પર પગ સંભાળીને મૂકવા તે પણ સારું છે, પણ એથી એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે તમે કોઈને મારી શકો છો. કોઇને દુ:ખન દેવું તે સારું છે, પરંતુ તમે કોઈને દુઃખ આપી શકો છો, એવું માનવું તે ભ્રમ છે. આ બાબતને બહુ બારીકાઈથી સમજવા જેવી છે. હું એમ નથી કહેતો કે કોઈને જઈને મારો કે ઈજા પહોંચાડો. કોઈ કોઈને મારી નાખી શકે તેમ તો છે જ નહીં. મહાવીરની અહિંસાનો અર્થ ઘણો
Page #83
--------------------------------------------------------------------------
________________
-
ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર ૨હેવું તે
ઊંચો છે, બુદ્ધની ‘તથાતા” ના અર્થ જેવો –‘તથાતા” નો અર્થ છે કે જે કાંઈ છે તેનો સંપૂર્ણ સ્વીકાર (total acceptability) જે જેવું છે તેનો સ્વીકાર છે. અમે એમાં કાંઈ પણ ફેરફાર કરવા માગતા નથી. એક કીડી રસ્તા પર ચાલી રહી છે. એના રસ્તામાં રુકાવટ ઊભી કરનાર આપણે કોણ છીએ? મારો એના પર પગ પણ પડી જાય, તો હું એના રસ્તામાં ફેરફાર કરનારું કારણ નિર્માણ કરું છું. રસ્તાઓ અનેક છે. કીડીહમણાં પોતાના બચ્ચાં માટે ભોજન એકઠું કરવા જઈ રહી હોય, આપણને ખબર નથી કે કીડીના જગતનું પણ એક આયોજન છે. હું એની વચ્ચે શા માટે આવું? એવું પણ નથી કે હું એના માર્ગમાં આવવાથી બચી જ શકીશ. પરંતુ મહાવીર કહે છે કે હું મારા તરફથી એટલી કાળજી રાખું કે હું કોઈના માર્ગની વચમાં ન આવું. જરૂરી નથી કે એવી કાળજી રાખી જ શકીશ. જરૂરી નથી કે હું કીડી પર પગ મૂકું, તો એ મરી જ જાય. કીડી પોતે પણ હું ચાલતો હોઉ ત્યારે મારા પગ નીચે જાતે દોડી આવીને પણ કરી શકે છે. એ કીડી પોતે જાણે, એનું આયોજન શું છે તે ? મહાવીર જાણે છે કે આ જીવનના માર્ગ પર બધા પોતપોતાની યોજનામાં વ્યસ્ત છે. એ આયોજન પણ કાંઈ નાનું નથી, બહુ મોટું છે, જન્મોજન્મથી ચાલ્યું આવે છે. કર્મોનો બહુ મોટો વિસ્તાર છે. એનાં પોતાનાં કર્મોની, ફળોની લાંબી યાત્રા છે. હું કોઈની યાત્રાના માર્ગમાં, કોઈ પણ કારણસર બાધારૂપનનીવડું. હું મારી પગદંડી પરમારી મેળે ચૂપચાપ ચાલતો રહું. મારા કારણે કોઈના માર્ગ પર કાંઈ પણ અડચણ ઊભી ન થાય. હું એવો થઈ જાઉં કે જાણે છું જ નહીં. એટલે “અહિંસા'નો મહાવીરનો અર્થ છે કે હું એવો થઈ જાઉકે જાણે છું જ નહીં. આકડી આરસ્તે એવી રીતે પસાર થઈ જાય કે જાણે હું એના માર્ગ પર ક્યારેય ચાલ્યો જ નહોતો.આ પક્ષીઓ આ વૃક્ષો પર એમ જ બેઠાં રહે, તે જાણે હુંએ વૃક્ષનીચે ક્યારેય બેઠોનહતો. આગામના લોકો એમ જ જીવ્યા કરે કે જાણે હું એમના ગામમાંથી પસાર જ ન થયો હોઉ. જાણે મારું કોઈ અસ્તિત્વ નથી. મહાવીરની અહિંસાનો ઊંડામાં ઊંડો અર્થ છે મારી અનુપસ્થિતિ, મારી ગેરહાજરી. મારી ઉપસ્થિતિ ક્યાંય પણ એટલી પ્રગાઢ ન બની જાય, કે જેથી મારી ક્યાતી કોઈ માટે જરાસરખી અડચણ ઊભી કરે કે બાધારૂપ નીવડે. હું એવું જીવું કે જાણે છું જ નહીં, મારા જીવવા છતાં હું મારી જાઉં. આથી ઊલટું આપણે કેવી રીતે જીવીએ છીએ? આ વાત અનેક દિશાઓથી સમજવી પડશે. આપણો પ્રયત્ન શું છે? આપણો પ્રયત્ન હંમેશા એવો છે કે આપણે છીએ તેની બધાને ખબર હોવી જોઈએ. આપણી જીવનપદ્ધતિ એવી હોય છે કે આપણી હયાતીનો બધાને અનુભવ થાય. એટલા માટે જ રાજનીતિ આપણા પર આટલો પ્રભાવ પાડે છે. રાજનૈતિક ઢંગથી આપણી હયાતીની જેટલી જાણ આપણે બીજાને કરાવી શકીએ છીએ તેટલી બીજી કોઈ રીતે શક્ય નથી. માટે જ આખા જીવન પર રાજનીતિ છવાઈ જાય છે. રાજનીતિનો ખરો અર્થ કરીએ તો તે એટલો જ કે બધાને આપણી હાજરીની જાણ થવી જોઈએ. હું કાંઈક છું. લોકોને હું ડંખું, મારા કાંટાનો દરેક સ્થળે અનુભવ થાય, મારી હાજરીનો બધાને ખ્યાલ આવે. કોઈ મારી નોંધ લીધા વિના પસારના
Page #84
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ:મંત્ર
થઈ જાય. એનાથી તદ્દન વિરુદ્ધ મહાવીર કહે છે કે હું એવો જવું કે મારી હાજરીનો કોઈને ખ્યાલન આવે, એવો પસાર થઈ જાઉં કે જાણે હું હતો જ નહીં. એક બીજી રીતે સમજીએ તો આપણી હાજરીનો અનુભવ કરાવવાની કોશિશનું નામ હિંસા છે. બીજાને આપણી હાજરીની નોંધ લેવી પડે એવું કાંઈ કરવામાં હિંસા છે. પતિ, પોતાની પત્નીને, પોતાની હાજરીનો ખ્યાલ રહ્યા કરે એ રીતે વર્તે અથવા પત્ની એવું વર્તે કે તમે ઓરડામાં એકલા, છાપું વાંચી રહ્યા હો, ત્યારે પણ તમને ખ્યાલ રહે કે પત્ની ઘરમાં છે. પત્ની છાપાંની દુશ્મન બની શકે છે, કારણ કે છાપું પત્નીની ઉપસ્થિતિની આડે આવે છે. એટલે એ તમારું છાપું ઝૂંટવી, ફાડીને ફેંકી દઈ શકે છે. તમારી ચોપડીઓ દૂર કરી શકે છે. રેડિયો સાંભળતાં તમને અટકાવી શકે છે. બિચારો પતિ એટલા માટે રેડિયો વગાડતો હોય છે અને છાપું આડું રાખતો હોય છે કે જેથી એને પત્નીની હાજરીની નોંધન લેવી પડે. આપણે બધા એવા પ્રયત્નમાં સંલગ્ન છીએ કે આપણી હાજરીની બધાને જાણ થાય. પરંતુ બીજાની હાજરીનો આપણને અનુભવન થાય, આ હિંસા છે. આ એક જ સિક્કાની બે બાજુઓ છે. જ્યારે મારી ઈચ્છા એવી હોય કે મારી હાજરીની તમને ખબર પડે ત્યારે સાથેસાથે મારી એ પણ ઈચ્છા હોય છે કે તમારી હાજરીની મને ખબર ન પડે. આ બન્ને વાત બનાવી શક્ય નથી. માત્ર મારી જ હાજરીની તમને ખબર પડે, એવું ત્યારે જ બની શકે કે જ્યારે હું તમારી હાજરીને એવી હતી નહતી કરી દઉ કે જાણે તમે છો જ નહીં. આપણી બધાની એ જ કોશિશ છે કે આપણી હાજરી એકદમ સઘન બની જાય, ઘટ્ટ બની જાય અને બીજાની હાજરી મટી જાય. આ હિંસા છે. અહિંસા આથી તદ્દન ઊલટી છે. બીજા બધા હાજર રહે અને તે એવી રીતે રહે કે મારી હાજરીનું એમને ભાન ન થાય. હુંએવી રીતે પસાર થઈ જાઉ કે કોઈને ખબર પણ ન પડે કે હું હતો. અહિંસાનો ઊંડો અર્થ છે અનુપસ્થિત વ્યક્તિત્વ. આપણે એમ કહી શકીએ અને મહાવીરે એમ કહ્યું છે કે અહંકાર હિંસા છે અને નિરહંકાર અહિંસા છે. અહંકાર પોતાની ઉપસ્થિતિનો પ્રભાવ પાડવા ચાહે છે. ગમે તે રીત હોય, પરંતુ આપણે બધા આપણા અહંકારનું પ્રદર્શન કરવાનો જ પ્રયત્ન કરી રહ્યા છીએ. કોઈ હીરાનો હાર પહેરીને ઊભા છે, તો કોઈ કિંમતી સુંદર વસ્ત્રો પહેરીને ઊભા છે, કોઈ નગ્ન-વસ્ત્રહીન ઉભા છે. એક જ કોશિશ છે કે બીજાને ખબર પડે કે “હું છું.' હુ કોઈને શાંતિથી બેસવા દેવા માગતો નથી. તમારે કબૂલ કરવું જ પડશે કે હું છું. નાનાં નાનાં બાળકો પણ આવી હિંસામાં નિષ્ણાત બની જાય છે. તમને કદાચ ખ્યાલ હશે કે
જ્યારે ઘરમાં મહેમાન હોય ત્યારે બાળકો વધારે તોફાન કરે છે. કોઈ ઘરમાં ન હોય ત્યારે બાળકો શાંતિથી કાંઈક કરતાં હોય છે, પરંતુ જેવું કોઈ ઘરમાં આવે છે કે તરત તેઓ તમારી સામે પચીસ સવાલ ઊભા કરે છે, વારંવાર તમારી પાસે આવે છે, કેટલીક ચીજો પાડી નાખે છે. બાળક કેમ આમ કરે છે? એ માત્ર ધ્યાન દોરી રહેલ છે, કે એ પોતે પણ છે. એ કહે છે કે, હું પણ છું, અને તમે એને કહો છો કે ‘શાંત બેસ, તોફાનન કરીશ.' તમે એમ કહો કે એ હાજર ન હોય તેમ બેસે. વૃદ્ધ
Page #85
--------------------------------------------------------------------------
________________
૮૦
ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર રહેવું તે
માણસ પણ એમ કહે છે અને બાળક પણ એમ કહે છે. બાળકને પણ આશ્ચર્ય થાય છે કે જ્યારે ઘરમાં કોઈ મહેમાન નથી હોતા ત્યારે તો એને શાંત રહેવાનું કોઈ કહેતું નથી. તમે દોડાદોડી કરો, બૂમો પાડો તો પણ ત્યારે બાળકોને પિતા શાંત રહેવાનું કહેતા નથી. પરંતુ જ્યારે કોઈ મહેમાન આવે છે ત્યારે જ કેમ શાંત રહેવાનું કહેવામાં આવે છે? બાળકને થાય છે કે મહેમાન ઘરમાં આવે તો તેને તે પોતાની હાજરી કંઈ કરીને બતાવી શકે. બાળકને આગ્રહપૂર્વક મહેમાનને કંઇક જણાવવાનું મન છે, જેથી એ પોતે છે તેની નોંધ લે. એ ઘોષણા કરવા માગે છે કે “હું છું. ક્યારેક મહેમાનોની હાજરીમાં બાળકો એવી જીદ પકડે છે કે માબાપ પણ હેરાન થઈ જાય છે. કે કોઈ વાર નહીંને આજે કેમ આટલી જીદ એમનું બાળક પકડે છે! જાણે બાળક મહેમાનને બતાવી દેવા માગે છે કે આ ઘરમાં માલિક કોણ છે? કોનું ચાલે છે? છેવટે નિર્ણાયક કોણ છે? નાનાં બાળકો પણ રાજનીતિ શીખી જાય છે કારણકે આપણો આખો સમાજ, આપણું બધું આયોજન, આપણી આખી સંસ્કૃતિ, અહંકારની, અધર્મની સંસ્કૃતિ છે, આખી દુનિયામાં આવું છે. માનવી આજ સુધી ધર્મમય સંસ્કૃતિનો વિકાસ કરી શક્યો નથી. આજ સુધી આપણે આપણા અહંકારને કબૂલ નથી કરી શક્યા, આપણે મહાવીરની વાત સાંભળતા જ નથી. મહાવીર ધર્મની સંસ્કૃતિના એક સ્ત્રોત બની શક્યા હોત. મહાવીર તો કહે છે કે જેટલી તમારી ઉપસ્થિતિ ઓછી ખબર પડે, એટલું મંગળ છે. તમે છો જ નહીં એવાથઈ જશો, તમારું તેમ જ બીજાનું કલ્યાણ જ છે. ' મહાવીરને ઘર છોડીને જવું હતું. એમની માએ કહ્યું, ‘જશો નહી, જશો તો મને દુઃખ થશે.” મહાવીર ના ગયા. કારણકે જવા માટે પણ જીદ રાખવાથી, એમની થાતીનું બીજાને ભાન થતું હતું. મહાવીરને બદલે બીજું કોઈ હોત તો એનો ત્યાગ ફંફાડા મારત અને જોશમાં આવીને કહેત કોણ મા અને કોણ બાપ? બધા સંબંધ નકામા છે-આ તો સંસાર છે.’ જેટલું સમજાવવામાં આવત, એટલા વધુ જોશમાં આવી જાત. તમારા સમજાવવાના કારણે અધિક લોકો સન્યાસી અને ત્યાગી બની જાય છે. ભૂલેચૂકે સમજાવવાની કોશિશ ન કરશો. કોઈ કહે કે “હું જાઉં ,’ તો કહો ‘ભલે જઈ શકો છો, અમારા નમસ્કાર.’ તો એ માણસ જતા પહેલાં પચીસ વાર વિચાર કરશે. પરંતુ તમે એને રોકવાનો જેટલો પ્રયત્ન કરશો, એટલું વધારે ઘર છોડીને એનું જવું મહત્વનું બની જશે. આથી વ્યક્તિત્વની લડાઈ શરૂ થાય છે. આસપાસના લાગતા વળગતા લોકો, રોકવાનો આગ્રહ ન કરે તો ત્યાગી લોકોની સંખ્યા ઓછી થઈ જશે. નવાણું ટકા જતા રોકાઈ જશે. એમાં જ દુનિયાનું હિત છે. જે દસ ટકા લોકો ખરેખર ઘર છોડીને જશે, એમનો ત્યાગ ગરિમાપૂર્ણ બની રહેશે. મહાવીર રોકાઈ ગયા. માને પણ આશ્ચર્ય થયું. આ કેવો ત્યાગ ! મહાવીરે ફરી એક પણ વાર ન પૂછુયું. વાત જ છોડી દીધી. માનાં મરણ સુધી ફરીથી તેણે વાત ન ઉચ્ચારી, પછી જ્યારે એમની માતાનું મરણ થયું ત્યારે ઘેર પાછા ફરતાં એમના મોટા ભાઈને મહાવીરે પૂછ્યું, ‘હવે હું જઈ શકું
Page #86
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
છું ? જવાથી માને દુ:ખ થાય એમ હતું. હવે તો એ છે નહીં.’
મહાવીરના મોટા ભાઇએ કહ્યું, ‘અમારા પર દુ:ખનો મોટો પહાડ તૂટી પડયો છે, માનું મરણ થયું છે અને તું અમને છોડીને જવાની વાત કરે છે? ભૂલેચૂકે પણ એવી વાત ફરી ન કરીશ.” મહાવીર ચૂપ થઇ ગયા. બે વર્ષ સુધી એમના ભાઇને પણ થયા કર્યું કે આ તે કેવો ત્યાગ? ફરીથી પૂછ્યું જ નહીં. પોતાની હાજરીને આટલી બધી હટાવી લેવાનું નામ છે અહિંસા.
૮૧
એ બે વર્ષ દરમિયાન કુટુંબના સભ્યોને પણ થોડી ચિંતા થવા લાગી કે અમે મહાવીર પર કોઇ જુલમ તો નથી કરતાને ? ભાઇને પણ ચિંતા થવા લાગી કે મહાવીર આ ઘરમાં છે પરંતુ એ તો એવી રીતે રહે છે કે જાણે છે જ નહીં. બાજુમાંથી એવી રીતે પસાર થઇ જાય છે કે એનાં પગલાંનો અવાજ સુદ્ધાં ન સંભળાય. ઘરમાં કોઇને કાંઇ કહેતો નથી, કે જેથી કોઇને ખબર પણ ન પડે કે મહાવીર ઘરમાં છે. કોઇને કાંઇ સલાહ આપતો નથી. બેઠાબેઠા જે બની રહ્યું તે જોયા કરે છે. સર્વે કોઇનો સાક્ષી બની રહ્યો છે. દિવસોના દિવસો સુધી આટલા મોટા મહેલમાં મહાવીર કયાં છે તેની ખબર નહોતી પડતી, તો પછી તપાસ કરાવવામાં આવતી ત્યારે મહાવીર જડતા હતા. એટલે એમના મોટા ભાઇ અને બીજાઓએ બેસીને વિચાર કર્યોકે મહાવીર તો અમારા કહેવાથી રોકાઇ ગયા છે.
અમને કોઇ દુઃખ કે આઘાત ન લાગે માટે રોકાયા છે. અમારી ઇચ્છાનું ઉલ્લંઘન કરી, અમને દુ:ખ પહોંચાડવાની એમને જરા પણ ઇચ્છા નથી, એટલે છેવટ એ બધાએ ભેગા થઇ મહાવીરને કહ્યું : ‘એક અર્થમાં તમે તો ઘરની બહાર જ જઇ ચૂકયા છો, હવે તો એવું લાગે છે કે માત્ર તમારું પાર્થિવ શરીર અહીં પડી રહ્યું છે. તમે તો આ ઘરમાં છો જ નહીં, તો હવે અમે તમારા માર્ગમાંથી હટી જઇએ છીએ. કારણકે અમારે તમને કોઇ કારણ વિના રોકવા નથી. તમે જઇ શકો છો.’ આટલું સાંભળ્યું ને તરત મહાવીર ચાલી નીકળ્યા.
આનું નામ અહિંસા. અહિંસાનો અર્થ છે ગહનતમ અનુપસ્થિતિ-એટલે જ મેં કહ્યું કે બુદ્ધનો જે તથાતાનો ભાવ છે તે જ મહાવીરનો અહિંસાનો ભાવ છે. તથાતાનો અર્થ છે જેવું છે તેનો સ્વીકાર. અહિંસાનો એ અર્થ છે બહારની કોઇ પણ ચીજવસ્તુને બદલવાનો જરા પણ પ્રયત્નન કરવો. જે કાંઇ બની રહ્યું છે તે ઠીક છે. અમારી હિંસા શેમાંથી પ્રગટ થાય છે? બની રહ્યું છે તેમ બનવું જોઇએ, અમે ઇચ્છીએ છીએ તેમ ન બનવું જોઇએ. તો એવા આગ્રહને કારણે હિંસા પેદા થશે, એટલે આ યુગમાં પરિવર્તનની આકાંક્ષા અને આગ્રહ જેટલાં વધે છે એટલા લોકો વધારે હિંસક થતા જાય છે.
મહાવીરની અહિંસાનો ઊંડામાં ઊંડો એ અર્થ છે કે જે કાંઇ બની રહ્યું છે તે માટે અમે રાજી છીએ. હિંસાનો કોઇ સવાલ નથી. કાંઇ પરિવર્તન કરવું નથી. તમે એક તમાચો મારી દીધો-ઠીક છે, અમારે કાંઇ કરવું નથી. અમે રાજી છીએ. વાત પૂરી થઇ ગઇ. જિસસ જેટલી પણ પ્રત્યુત્તર આપવાની અમારી ઇચ્છા નથી. જિસસે તો કોઇ તમાચો મારે તો બીજો ગાલ ધરી દેવાની સલાહ આપેલી. બીજો ગાલ ધરી દેવો એ પણ એક ઉત્તર છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર રહેવું તે
મહાવીર કહે છે કે કાંઇ પણ’કરવું એ જ હિંસા છે. અકર્મ અહિંસા છે. કોઇએ તમાચો મારી દીધો, ઠીક છે, જાણે એક વૃક્ષનું સૂકું પાન ખરી પડયું. તમે તમારા રસ્તે ચાલી ગયા. કોઇએ ગાળ આપી, તમે સાંભળીને આગળ વધી ગયા, ક્ષમા આપવાનો પણ પ્રશ્ન ઊભો થતો નથી કારણકે ક્ષમા આપવી એ પણ એક કૃત્ય છે. પાણીમાં ઉઠેલી લહેર એની મેળે શમી જશે. ચારે બાજુ કર્મોની લહેરો ઊઠયા કરે છે, આપોઆપ શમી જવા દેવાની છે. તમારે કાંઇ કરવાનું નથી. તમારે ચુપચાપ પસાર થઇ જવાનું છે.
૮૨
જગતમાં જે કાંઇ તમારી આસપાસ બની રહ્યું છે તેને બનવા દેવાનું છે. એ એની મેળે ઉઠશે અને શમી જશે. એના ઊઠવાના નિયમ છે, શમી જવાના નિયમ છે. કારણ વિના તમારે વચમાં આવવાની જરૂર નથી. તમે ચુપચાપ દૂર ઊભા રહેજો. તટસ્થ રહેજો. એમ જ સમજજો કે તમે છો જ નહીં. કોઇ તમાચો મારે તો એમ સમજજો કે તમે છો જ નહીં, તો કોણ જવાબ આપે? ગાલ કોણ ધરશે, સામી ગાળ કોણ આપશે, ક્ષમા પણ કોણ આપશે? આવી તમામ ગેરહાજરીમાં કર્મની ઊઠેલી ધારા, પોતાની મેળે પાણીની લહેરની જેમ શમી જશે. તમે એને અડવા પણ ન જતા.
હિંસાનો અર્થ છે, હું જેવું ચાહું છું તેવું જગત બને.
ઉમર ખય્યામે કહ્યું છે કે મારું ચાલે અને પ્રભુ તું મને શક્તિ આપે તો હું આખી દુનિયાનો નાશ કરીને બીજી બનાવી દઉં. તમારું ચાલે તો તમે પણ દુનિયાને છે તેવી રહેવા દો ? દુનિયા તો બહુ મોટી ચીજ છે, તમે નાની મોટી બધી ચીજોને બદલી નાખો, ઉમર ખય્યામના આ વક્તવ્યમાં આખી માનવ જાતિની કામના પ્રગટ થઇ છે અને હિંસા પણ પ્રગટ થઇ છે. મહાવીરને જો પૂરી શક્તિ આપવામાં આવે તો એ તો બધું જેવું છે તેવું જ રહેવા દે કાંઇ પણ ના કરે.
ન
લાઓત્સેનું વચન છે કે પ્રજાને જેની હાજરીનો ખ્યાલ પણ ન આવે તે શ્રેષ્ઠતમ સમ્રાટ છે. મહાવીરની અહિંસાનો અર્થ છે, એવા થઇ જવું કે તમારી હાજરીનો કોઇને ખ્યાલ ન આવે. પરંતુ આપણો તો એવો પ્રયત્ન છે કે આપણી હાજરીનો બધાને ખ્યાલ હોવો જોઇએ. જાણે બધાનું ધ્યાન આપણા પર જ કેન્દ્રિત રહે, જાણે બધી આંખો આપણા તરફ મંડાઇ જાય ! આ હિંસા છે.
આપણે આખો વખત ઇચ્છા કર્યાં કરીએ છીએ કે આવું જ બને, આવું ન બને. શા માટે આવી ઇચ્છા થયાં કરે છે? આપણે દોડી રહ્યા છીએ, આ મકાન મળે, આ ધન મળે, આ પદ મળે. તો બધું મેળવવા માટે હિંસા આચરવી પડે. હિંસા વિના વાસનાતૃપ્તિ થતી નથી. વાસના પાછળની દોડ હિંસા વિના પૂરી થતી નથી. આપણે એમ સમજી શકીએ છીએ કે વાસના પૂરી કરવા માટે જે શક્તિની જરૂરત છે તે શક્તિ હિંસાનું રૂપ ધારણ કરે છે. માણસ જેટલો વાસનાગ્રસ્ત હશે તેટલો એ વધારે હિંસક બનશે. જેટલો વાસનામુક્ત માણસ રહેશે તેટલો અહિંસક રહેશે. મહાવીર એમ કહેતા હતા કે તમે અહિંસક રહેશો તો તમને મોક્ષ મળી જશે. મોક્ષ પામવાની આ વાસના હશે તો તમારી અહિંસા પણ હિંસક બની જશે. કેટલાય લોકો એટલા બધા અહિંસાની પાછળ લાગી જાય છે કે એ અહિંસાની વાસના એમને હિંસક બનાવ્યા વિના છોડતી નથી. અહિંસક સાધકો અહિંસક રહી
Page #88
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
શકતા નથી, એ તો એટલા બધા આગ્રહી હોય છે કે બધું દાવ પર લગાડી દે છે. એક એવી હઠ પર ચડી ગયા છે કે અહિંસક બનીને જ જંપીશું, આવા ભાવમાં ઊંડે ઊંડે હિંસા ભરી પડી છે.
૮૩
મહાવીર કહે છે કે જે મેળવવા જેવું છે તે મળેલું જ છે. આપણે કાંઇ બદલવાનું નથી. જગત એના નિયમ પ્રમાણે બદલાયા કરે છે. ક્રાંતિ કરવાનું કોઇ કારણ નથી. ક્રાંતિ આપોઆપ થઇ રહી છે. પરંતુ ક્રાંતિકારીઓને એવું લાગ્યા કરે છે કે તેઓ ક્રાંતિ કરી રહ્યા છે. આ તો એવું છે કે સાગરના પ્રવાહમાં વહેતું કોઇ તણખલું, પાણીના મોજાનાં શિખર પર પહોંચી વિચારેકે આ મોજું મેં ઉઠાવ્યું છે.
આ
મેં સાંભળ્યું છે કે એક વાર જગન્નાથનો રથ મંદિરની બહાર યાત્રા કરી રહ્યો હતો ત્યારે એક કૂતરું એ રથની આગળ થઇ ગયું–ચારે બાજુ જગન્નાથ પર ફૂલ વરસી રહ્યાં હતાં. અનેક લોકો પ્રણામ કરી રહ્યા હતા. લોકો રસ્તા પર સૂઇ જઇને પ્રણામ કરી રહ્યા હતા. કૂતરાને આ બધું જોઇને થયું કે હા ! કેવું આશ્ચર્ય ! મને લોકો માત્ર પ્રણામ કરે છે, એટલું જ નહીં, મારી પાછળ સુવર્ણનો રથ પણ આવી રહ્યો છે.’ કૂતરા જેવા આપણા હાલ છે.
ચીજૈવસ્કી નામે એક વૈજ્ઞાનિકને સ્ટાલીને કેદમાં પૂરી દીધો અને પછી મરાવી નાખ્યો. ચીજૈવસ્કીએ એવું વિધાન કર્યું હતું કે પૃથ્વી પરની ઋતુઓ અને હવામાનમાં ક્રાંતિકારી ફેરફારોનું મૂળ કારણ, સૂર્યમાં થયા કરતું વૈદ્યુતિક પરિર્વતન છે. દર અગિયાર વર્ષે એવા ફેરફાર સૂર્યમાં થાય છે અને એના પરિણામે, પૃથ્વી પર રોગચાળો, યુદ્ધો અને અનેક પ્રકારના ઉપદ્રવ થયા કરે છે. એણે બધાં યુદ્ધની ઘટનાઓને, સુર્યમાં થતા ફેરફારો સાથે, વૈજ્ઞાનિક અભ્યાસ પછી જોડી દીધી.
ઝેકોસ્લોવકિયાના પ્રાગ શહેરમાં એક મોટી પ્રયોગશાળા છે. એમાં એસ્ટ્રોનોમિકલ બર્થ કન્ટ્રોલખગોળશાસ્ત્રના આધારે સંતતિ નિયમન-પર વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પંદર વર્ષોમાં સંતતિ નિયમન માટે કોઇ પણ પ્રકારની ગોળી ખાવાની કે કોઇ કૃત્રિમ સાધન વાપરવાની જરૂર નહીં પડે. સ્ત્રી જે દિવસે પેદા થઇ, કે જે દિવસોમાં એ સ્ત્રીના સ્વયંનું ગર્ભ ધારણ થયું હતું, તે તારીખોમાં, સૂર્ય અને ચંદ્ર પર થતા ફરેફારોના હિસાબ લગાવી એ વૈજ્ઞાનિક નક્કી કરે છે, કે ક્યા ક્યા દિવસોએ, એ સ્ત્રી ગર્ભ ધારણ કરી શકશે. એ દિવસો જો છોડી દેવામાં આવે તો આખા જીવનમાં એ સ્ત્રી ક્યારેય ગર્ભ ધારણ નહીં કરી શકે. દસ હજાર સ્ત્રીઓ પર થયેલા પ્રયોગથી આ પુરવાર થયું છે. એ વૈજ્ઞાનિક એમ પણ કહેતો કે સ્ત્રીને, સ્ત્રી કે પુરૂષ બાળક જોઇતું હોય તો તેની તારીખો પણ એ ખૌગોલિક પ્રભાવ પરથી નક્કી કરી શકાય છે. તમારા પ્રભાવોથી નહીં, પરંતુ ખૌગોલિક પ્રભાવોથી બાળકની જાતિ નક્કી થઇ શકે છે. જ્યોતિષ ફરીથી પ્રભાવી બને એવી સંભાવના છે.
મહાવીર કહે છે કે ઘટનાઓ ઘટી રહી છે. તમે નાહક કર્તા ન બનો. અહિંસાનો અર્થ છે અકર્મ. અહિંસાનો અર્થ છે હું કાંઇ બદલીશ નહીં, હું કાંઇ ઇચ્છીશ નહીં. હું છું જ નહીં.
Page #89
--------------------------------------------------------------------------
________________
धम्म-सूत्र : १ (अहिंसा)
धम्मो मंगलमुक्किठें, अहिंसा संजमो तवो। देवा वि तं नमसन्ति, जस्स धम्मे सया मणो ॥ .
धर्म सर्वश्रेष्ठ भंगण. (इयो धर्म?) अहिंसा, संयम, अने त५३पी धर्भ भंग छे. મનુષ્યનું મન આવા ધર્મમાં સદા સલંગ્ન રહે છે, તેને દેવતા પણ નમસ્કાર કરે છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
૫. અહિંસા એટલે જીવેષણાનું મૃત્યુ
धम्मो मंगलमुक्किठें, अहिंसा संजमो तवो.
અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મ મંગળ છે. ધર્મ મંગળ છે, ક્યો ધર્મ? અહિંસા, સંયમ અનેતપરૂપ ધર્મ મંગળ છે. અહિંસાધર્મનો આત્મા છે. ગઈ કાલે અહિંસા પર થોડી વાતો કરી. આજે અહિંસાને થોડાંવધુ પરિમાણો દ્વારા સમજીએ. હિંસા પેદા કેમ થાય છે? હિંસા જન્મ સાથે કેમ જોડાઈ ગઈ છે? જીવનના અંગેઅંગમાં, દરેક સ્તર પરફેલાઈ ગઈ છે. જેને આપણે જીવન કહીએ છીએ તે જાણે હિંસાનો જ વિસ્તાર છે એમ કેમ છે? સૌથી વધુ આધારભૂત કારણ જો કોઈ હોય તો તે છે જીવેષણા. આપણી જીવવાની આકાંક્ષામાંથી હિંસા જન્મે છે. આપણે બધા જીવવા માટે આતુર છીએ. જીવનમાંથી કાંઈક ફલિત ન થતું હોય તોપણ અકારણ જીવવા માગીએ છીએ. જીવનમાંથી કાંઈ મળે નહિ, માત્ર રાખહાથમાં બચતી હોય તોપણ જીવનનેં ખેંચવા માગીએ છીએ. વિન્સેન્ટ વાનગોગના જીવન પર એક અદ્ભુત પુસ્તક લખાયું છે, એનું નામ છે LUST FOR LIFE-જીવેષણા જે મહાવીરના જીવન પર પુસ્તક લખવું હોય તો એનું નામ આપવું પડે *NO LUST FOR LIFE જીવેષણાશૂન્ય.” જીવવાનો એક પાગલ ભાવ છે, આપણા મનમાં. મરવાની આખરી ક્ષણ સુધી આપણે જીવવા માગીએ છીએ. પાગલપણું જેટલું વધારે, જીવવાની જેટલી કોશિશ વધારે, તેટલા આપણે બીજા લોકોના જીવનના ભોગે પણ જીવવા માગીશું. ક્યારેક એવી પરિસ્થિતિ પેદા થાય કે આ જગતનો ભોગ ભલે લેવાય, પણ હું જો જીવી શકું તો જીવવાને માટે રાજી છું. બધાનો વિનાશ ભલે થાય, પરંતુ હું જીવવા તૈયાર છું. ઝવેષણાના આ
Page #91
--------------------------------------------------------------------------
________________
અહિંસા એટલે જીવેષણાનું મૃત્યુ
પાગલપણામાંથી હિંસાનાં અનેક રૂપ જન્મે છે. મરવાની છેલ્લી ઘડી સુધી માનવી જીવનને જોરથી પકડી રાખે છે. પૂછતો નથી કે શા માટે જીવવું ? જીવવાથી શું મળશે ?
૮૬
મુલ્લા નસરૂદ્દીનને ફાંસીની સજા થઇ હતી. ફાંસીના માંચડા પાસે એને લઇ જવાયો. ત્યાં એક સીડી હતી જેના પર ચઢીને માંચડા સુધી પહોંચવાનું હતું-નસરૂદીને સાથે આવેલા સિપાઇને કહ્યું કે ‘હું આ સીડી ઉપર નહી ચડું.” સિપાઇને ઘણું આશ્ચર્ય થયું. એણે પૂછ્યું કેમ નથી ચડવુ? નસરૂદ્દીને કહ્યું કે મને લાગે છે કે આ સીડી ઘણી કમજોર છે. એ મારો ભાર સહન કરી શકે તેવી નથી. ચઢતાં ચઢતાં પડી જાઊં, તો મારા હાથ-પગ તૂટી જાય ! ફાંસીના માચડે ચડવાનું છે ! એને સીડી કમજોર લાગે છે !
પેલા સિપાઇએ કહ્યું, ‘નસરૂદીન પાગલ થઇ ગયો છે કે શું ?’ જેને ફાંસી પર લટકી જવાનું છે થોડી ક્ષણોમાં, એણે શરીરની આટલી દરકાર કરવાનું શું કારણ છે?
નસરૂદ્દીને કહ્યુ ‘આવતી ક્ષણોનો શું ભરોસો ! કાંઇ પણ બની જાય અને કદાચ ફાંસીમાંથી બચી જવાય ! તો લંગડા થઇને મારે જીવવું નથી. એક વાત નક્કી છે કે જ્યાં સુધી હું મરી ન જાઉં ત્યાં સુધી જીવવાની પૂરી કોશિશ કરીશ. આવી કમજોર સીડી નહી જોઇએ !’
નવી સીડી લાવવામાં આવી. પછી નસરૂદીન માંચડા પર ચઢયો. ખૂબ સંભાળીને ચઢ્યો. એના ગળામાં ફાંસીનું દોરડું ભેરવાયું, ત્યારે મેજિસ્ટ્રેટ એને પૂછ્યું, ‘નસરૂદીન તારી કોઈ આખરી ઇચ્છા છે ? તારે કાંઇ કહેવું છે ?’
નસરૂદ્દીને કહ્યું કે ‘હા મારે એક વાત ખાસ કહેવી છે. મારે માટે ફાંસી જીવનનો પાઠ સિદ્ધ થશે.’ મેજિસ્ટ્રેટ સમજ્યો નહીં. એણે કહ્યું ‘કે આટલો મોડો આ પાઠ શીખવાનો શો ફાયદો ?’
નસરૂદ્દીને કહ્યું, ‘જો બીજું જીવન મળશે તો,જે કારણસર મને ફાંસીની સજા થઇ છે, તેવું કામ ફરીથી સંભાળીને કરીશ. મારે માટે આ એક અગત્યનો પાઠ શીખવાનો છે.’
ગળામાં ફાંસી લાગી ગઇ હોય ત્યારે પણ માનવી બીજા જીવન વિશે વિચાર કરતો હોય છે. બીજું જીવન મળે ત્યારે આવી રીતે ભૂલચૂકમાં પકડાઇ ન જવાય એની કાળજી રાખવાની છે.
આવું આપણું મન છે. કોઇ પણ કિંમતે જીવવું છે, મહાવીર તો પૂછે છે, ‘જીવવું શા માટે છે ? ’ બહુ મોટો ગહન પ્રશ્ન છે. જે લોકોએ પૂછ્યું છે કે ‘આ જગત કેમ સર્જાયું ? આ સૃષ્ટીની રચના કોણે કરી ? મોક્ષ શું છે ?’ એમના સવાલ કાંઇ ખાસ ઊંડા નથી, બહુ ઉપર ઉપરના છે. મહાવીર તો પૂછે છે ‘જીવવું છે શા માટે ? શા માટે છે આ જીવેષણા.’ આ પ્રશ્નોમાંથી મહાવીરનાં સમગ્ર ચિંતન અને સમગ્ર સાધનાનો જન્મ થયો છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
એટલે મહાવીર કહે છે કે જીવવાની આકાંશા જ એક પાગલપણું છે. આ જીવવાની આકાંક્ષાને કારણે જીવન જિવાય છે એવું નથી, પરંતુ આ આકાંક્ષાને કારણે બીજાના જીવનના ભોગ લેવા માટે દોડ પેદા થાય છે. જો આ આકાંક્ષાને કારણે જીવન સચવાતું હોય તોપણ ઠીક, પરંતુ જીવવાની ગમે તેટલી ઇચ્છા હોય તોપણ સામે મોત આવીને ઊભું હોય છે. કેટલાય લોકો આ પૃથ્વી પર જીવવાની કોશિશ કરી ચૂક્યા છે, પરંતુ આખરે મરણ હાથ આવ્યું છે. તો મહાવીર કહે છે કે બીજા લોકોના જીવનનો આપણા માટે ભોગ લેવા આપણે તૈયાર હોઇએ છીએ, છતાં આખરે જો આપણે મરવાનું જ છે તો આ જીવેષણાની ઘેલછા છોડવી જોઇએ. જે વ્યક્તિ જીવેષણા છોડે છે તે જ સાચી અહિંસક છે. કારણકે જો મારો જીવવાનો કોઇ આગ્રહ જ ના હોય તો હું કોઇના જીવનનો નાશ કરવાનો વિચાર જ ન કરું. એટલે મહાવીરના અહિંસા સૂત્રના પ્રાણમાં પ્રવેશ કરવો હોય તો સૂત્ર છે ‘જીવેષણાનો ત્યાગ.’ એનો એવો અર્થ નથી કે મહાવીરની મરવાની આકાંક્ષા છે. હા આવી ભ્રાંતિ આ ચર્ચામાંથી થઇ શકે તેવી છે.
८७
'
આ વીસમી સદીમાં ફ્રોઇડે, માનવીના અંતરમાં પડેલી બે આકાંક્ષાઓને પકડી છે. એક આકાંક્ષા જીવેષણાની અને બીજી છે મૃત્યુની એષણા. ફ્રોઇડે એકનું નામ આપ્યું છે. ‘EROS-જીવનની ઇચ્છા,’ બીજી આકાક્ષાનું નામ આપ્યું છે ‘THANATOS-મૃત્યુની ઇચ્છા.’ ફ્રોઇડ કહે છે કે જીવવાની ઇચ્છા રોગિષ્ટ બને છે ત્યારે તે મૃત્યુની ઇચ્છામાં બદલાઇ જાય છે. આ વાત સાચી છે. લોકો આત્મહત્યા કરે છે. તો શું લોકો આત્મહત્યા કરે તો મહાવીરને ગમશે? જો જીવેષણા ખોટી હોય તો મૃત્યુ લાવવાની કોશિશ ઉચિત લેખવી જોઇએ. ફ્રોઇડે કહ્યું કે જેની જીવેષણારૂગ્ણ બની જાય છે તે મૃત્યુની આકાંક્ષાને કારણે મરે છે. એ લોકો પોતાને મારી નાખવાના પ્રયત્નમાં લાગી જાય છે. લોકોને આત્મહત્યા કરવાની કોશિશ કરતા પણ આપણે જોઇએ છીએ. પરંતુ આ વિશે મહાવીરની સમજ ફ્રોઇડ કરતાં વધારે ઊંડી છે. મહાવીર કહે છે, આત્મહત્યા કરનાર પણ જીવેષણાથી જ પીડાતો હોય છે. આ વાત સમજવા જેવી છે.
એવા માણસો આત્મહત્યા નથી કરતા જેની જીવેષણા નષ્ટ થઇ ગઇ હોય. જીવવું તો છે બધાને, પરંતુ પોતાની શરતો મુજબ જીવવું છે. મને એક સ્ત્રી ગમી છે, તે મળે તો જીવવું છે, નહી તો પ્રાણત્યાગ કરવો છે. એના વિના જીવી નહી શકાય. એ સ્ત્રી જો મળી જાય તો મરવું નથી. મારી ઇચ્છા છે કે અનન્ય યશ અને પ્રતિષ્ઠાપૂર્વક હું જીવું. જો મારી પ્રતિષ્ઠા ને આબરૂનો નાશ થાય તો આત્મહત્યા બહેતર છે. નસીબજોગે પ્રતિષ્ઠા પાછી આવે, આબરૂ પાછી સચવાઇ જાય, તો મોતની છેવટની ઘડીમાંથી પણ પાછો ફરી શકું તેમ છું. કોઇનું ધન સટ્ટા જુગારમાં ખલાસ થઈ જાય, દેવાળું નીકળે, મોટું પદ મળ્યું હોય તે છીનવાઇ જાય, તો માણસ આપઘાત કરવા તૈયાર છે. આનો શું અર્થ છે?
મહાવીર કહે છે કે આવા શરતી આપઘાત કાંઇ મૃત્યુની ઇચ્છામાંથી જન્મતા નથી. આ તો જીવવાનો પ્રબળ આગ્રહે છે કે હું અમુક રીતે જીવીશ, નહિ તો મરી જઇશ. અમુક સ્ત્રી સાથે જ
Page #93
--------------------------------------------------------------------------
________________
L
અહિંસા એટલેઇવેષણાનું મૃત્યુ
જીવીશ, એમાં જીવવાની એષણા માટેનો જ આગ્રહ છે. મને આવું મકાન, આવું પદકે આટલું ધન મળશે તો જ જીવીશ. એન મળે તો નહીં જવું. આકાંક્ષા જીવવાની છે પરંતુ એની શરતો છે. એ શરતો પૂરી ન થાયતો મરવાની પણતૈયારી છે. એનો અર્થ એ છે કે ઊંડેઊડે જીવવાની જ આકાંક્ષા છે. એટલે આ જગતમાં મહાવીર જ એવા ચિંતક છે કે જેમણે કહ્યું કે ‘તમારી જીવેષણા જરા પણ બચી ના હોય તો, હું તમને મરવાની પણ રજા આપું છું.' આ પૃથ્વી પર મહાવીર જ એવા ધર્મચિંતક થયા, જેમણે જે જીવવાની આકાંક્ષા બિલકુલ બચી ના હોય તો મરવાની પણ રજા આપીશ એમ કહ્યું. જેને આકાંક્ષા નહી હોય, તેને મરવાની ઈચ્છા તો હશે જ. મરવાની ઇચ્છા પાછળ પણ ફરી બીજા નવા જીવનની આકાંક્ષા જ હોય છે. બહારનાં લક્ષણોથી બીમારી કઈ છે તે નક્કી કરવાનું સહેલું નથી. સો વર્ષ પહેલાં એલોપથીના ચિકિત્સાશાસ્ત્રમાં એક રોગનું નામ હતું ડ્રોપ્સી’ હવે નવાએલોપથીનાં પુસ્તકોમાં આ નામદેખાતું નથી. જે લક્ષણો માટે ડ્રોપ્સી’ શબ્દ વપરાતો હતો, તે લક્ષણો આજે પણ હયાત છે, પરંતુ હવે અંગોમાં પાણી ભરાઈ જવું, એ અલગ અલગ બીમારીને કારણે છે એ સમજાયું છે. પગમાં, હાથમાં, પેટમાં પ્રવાહી એકઠું થઈને સ્થગિત થઈ જાય, તે માટે પહેલાં ‘ડ્રોપ્સી’ શબ્દ વપરાતો હતો. પરંતુ પાણી ભરાઈ જવું એ એક લક્ષણ છે, રોગનાં નામ અલગ અલગ હોઈ શકે છે. હૃદયની બીમારીના કારણે અને કીડનીની બીમારીના કારણે પણ પાણી એકઠું થઈ જાય છે. એટલે હવે ‘ડ્રોસી” શબ્દ રોગ તરીકે વપરાતો નથી, લક્ષણ માટે વપરાય છે. લક્ષણ એક જ પ્રકારનું હોય, પરંતુ રોગ એક જન હોય. એમ પણ બને કે રોગ બે હોય અને લક્ષણ એક જ હોય. માટે લક્ષણો પરથી બીમારી વિશે ચોક્કસ નિર્ણય લઈ શકાતો નથી. મહાવીરે સંથારો કરવાની અનુમતિ આપી. મહાવીરે કહ્યું કે જેની જીવવાની આકાંક્ષાશૂન્ય થઈ ગઈ હોય, તે મૃત્યુમાં પ્રવેશ કરી શકે છે. એવા સમયે માનવી પાણી અને ભોજન બંને લેવાનું છોડી દે. પરંતુ ભોજન અને પાણી છોડયા પછી પણ, માનવી૯૦ દિવસ સુધી ઓછામાં ઓછું જીવી શકે છે, જે સાધારણ રીતે એ સ્વસ્થ હોય તો. જે વ્યક્તિની જીવવાની આકાંક્ષા બિલકુલ ચાલી ગઈ હોય, તે સાધારણ રીતે સ્વસ્થ ચિત્ત અને સ્વસ્થ શરીરવાળો હોવો જોઈએ, કારણકે આપણી બધી બીમારીઓ જીવવાની આકાંક્ષાથી જ પેદા થાય છે. એટલે૦ દિવસ સુધી એવી વ્યક્તિ મરી શકતી નથી. પાણી અને ભોજનનો ત્યાગ કરે અને સ્વસ્થ ચિત્તે રાહ જુએ. જેટલી આત્મહત્યાઓ થાય છે તે બધીક્ષણિક આવેશમાં થાય છે. આવેશની એવી ક્ષણ કોઇ કારણે ચાલી જાય તો પછી આત્મહત્યા થઈ શકતી નથી. એક ક્ષણનો આવેશહોય છે. એ ક્ષણમાં માનવી એટલો પાગલ થઈ જાય છે કે નદીમાં કૂદી પડે છે, શરીરે આગ ચાંપી દે છે. આગ ચાંપ્યા પછી શરીર બળતું હોય ત્યારે કદાચ એ પસ્તાતો પણ હોય છે. પરંતુ ત્યારે વાત એના હાથમાં રહી હોતી નથી માણસઝેર પી લે છે. જ્યારે ઝેર શરીરમાં ફેલાઈ
Page #94
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ: મંત્ર
જાય છે, શરીર તરફડે છે ત્યારે પસ્તાવો કરવાથી કાંઈ વળતું નથી. મનોવૈજ્ઞાનિકો કહે છે કે આવેશની ક્ષણમાં આત્મહત્યા કરનારને કોઈ રીતે રોકી શકાય તો તે પછી એ આત્મહત્યા કરી શક્તો નથી. કારણકે પાગલપણાની જે તીવ્રતા હોય છે, તે એ ક્ષણ પછી પાતળી પડી જાય છે, નબળી પડી જાય છે. મહાવીર કહે છે કે અન્ન-પાણી છોડીને ધ્યાનપૂર્વક મરવાની હું આજ્ઞા આપું છું. ૯૦ દિવસ સુધી અન્ન પાણી છોડવાનાં છે. માનવીમાં થોડી પણ જીવેષણા બચી હશે તો તે પાછો વળશે. જીવેષણા સહેજે બચી નહોય તો જ તે ૯૦ દિવસ સુધી રોકાશે. ૯૦ દિવસ બહુ લાંબો સમય છે. એક જ અવસ્થામાં ૯૦ દિવસ ટકી રહેવું એ સહેલી વાત નથી. ૯૦ક્ષણ માણસ રોકી શકતો નથી. સવારે માણસ વિચારે છે કે મરી જઈશ અને સાંજે વિચારે છે બીજાને મારી નાખીશ. મન૯૦ દિવસ સુધી, સ્વસ્થ ચિત્ત સિવાય, એક વાત પર ટકી શકતું નથી. ફ્રોઈડમાં માનનાર કેટલાક લોકો એમ કહે છે કે મહાવીરમાં ક્યાંક આત્મહત્યાવાદી તત્વ છુપાયેલું હોવું જોઈએ. પરંતુ હું કહું છું કે મહાવીરમાં આત્મહત્યાવાદી તત્વ છે જ નહીં. મહાવીરમાં જીવેષણાનહોતી અને ભરવાની ઈચ્છા પણ નહોતી. મૃત્યુની ઈચ્છા પણ જીવેષણાનું જ બીજું પાસું છે. મૃત્યુ જીવેષણાની વિરોધની સ્થિતિ નથી, પરંતુ જીવેષણાનું અંગ છે, એટલે મહાવીરે મૃત્યુ માટે કોઈ પ્રયત્ન નથી કર્યો. જેને જીવવાની ચેષ્ટાન રહી હોય એને મૃત્યુની ચેષ્ટા પણ રહેતી નથી. મહાવીર કહે છે કે આપણે એક હિસ્સોકીદઈએ એટલે બીજો હિસ્સો પણ સાથે ફેંકાઈ જાય છે. સંથારાનો અર્થ મહાવીર એવો કરે છે કે જીવેષણા એટલી શૂન્ય થઈ ગઈ કે વ્યક્તિ શૂન્યમાં જ લીન થઈ જાય આત્મહત્યાની ઈચ્છા નથી. કારણકે જ્યાં સુધી ઇચ્છા છે, તો તે જીવવાની ઇચ્છા જ હોઈ શકે. આ બરાબર સમજી લેવા જેવું છે. ઈચ્છા હંમેશાં જીવવાની જ હોય છે મૃત્યુની કોઈ ઈચ્છા હોતી નથી. મૃત્યુની ઈચ્છામાં જીવવાની ઈચ્છા જ છુપાઈ હોય છે. આ બરાબર સમજી લેવા જેવું છે. ઈચ્છા હંમેશાં જીવવાની જ હોય છે મૃત્યુની કોઈ ઈચ્છા હોતી નથી. મૃત્યુની ઈચ્છામાં જીવવાની ઈચ્છા જ છુપાઈ હોય છે. મહાવીર જેવો કોઈ આત્મજ્ઞાનીનથી થયો. આત્મઘાતી હોવાનો સવાલ જ પેદા થતો નથી. હા, એક વાત સાચી છે કે મહાવીરની વાતોમાં ઘણા આત્મઘાતી માણસોને રસ પડ્યો. ઘણા આત્મઘાતી મહાવીરથી આકર્ષાયા. એમણે મહાવીર પાછળ એક પરંપરા ઊભી કરી, જેની સાથે મહાવીરને કાંઈ સંબંધ નથી, એવા લોકોને સંથારા માં રસ પડ્યો. એમને લાગ્યું કે મરવા માટે આવાં સુવિધા અને સગવડ બીજે ક્યાં મળે? એવા લોકોના ચિત્ત રોગી હતાં, એમને તો મરવું હતું. જીવનની આકાંક્ષા ખતમ થઈ ગઈ હોવાને કારણે નહીં, પરંતુ મરવાની આકાંક્ષાને કારણે એમને મરવું હતું. આવા લોકો મહાવીરની નજીક આવી ગયા.લક્ષણ બહારથી એક જ, પરંતુ ભીતરમાં વ્યક્તિ બહુ જુદી જ હતી. જે લોકો મરવાની ઈચ્છાથી આગળ આવ્યા, તે મહાવીરની
Page #95
--------------------------------------------------------------------------
________________
અહિંસા એટલે જીવેષણાનું મૃત્યુ
પરંપરાના આગેવાન બની ગયા. સ્વભાવિક છે કે જે મરવા તૈયાર હોય, તેમને નેતા બનતાં વાર નથી લાગતી. એમને કોઈ અગવડ પણ નથી દેખાતી. એવા માણસો મરવા તૈયાર છે. લાઈનમાં સૌથી આગળ ઊભા રહે છે. જે લોકો સ્વપીડન માટે તૈયાર હોય છે, તેઓ મોટા ત્યાગી જેવા દેખાય છે. એટલે આ વાત ખાસ સમજવા જેવી છે કે આવા લોકોને કારણે જ, મહાવીરના વિચારોનો આજની દુનિયામાં પ્રચાર અને પસાર કરવામાં મોટી અડચણ ઊભી થઈ ગઈ છે. કારણકે મહાવીરના વિચારો, મેસોચસ્ટ’, પોતાને સતાવનાર, આત્મપીડક લોકોના વિચાર જેવા જણાય છે. મહાવીરનો સુદઢદેહ અને એની પ્રફુલ્લતા જોતાં એમનલાગે કે આત્મપીડન કરનારનો એ દેહ છે, મહાવીરનો દેહ ઊઘડેલા કમળ જેવો હતો. એ જોઈને મહાવીરે પોતાના મૂળસાથે કોઈ અત્યાચાર કર્યા હોય એવું માની શકાય નહિ. મહાવીર એક રતિભાર પણ આત્મપીડક નથી. પરંતુ એમની પાછળ આત્મપીડક લોકોની મોટી પરંપરા એકઠી થઈ ગઈ છે. એ હકીકત છે. એવા લોકો માત્ર પોતાને જ નહીં, પણ બીજાને પણ સતાવવામાં રસ લેનારા હોય છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ. આ જગતમાં બે પ્રકારની હિંસાઓ છે. પોતાને સતાવવામાં પણ કેટલાકને એટલી મજા આવે છે, જેટલી બીજાને સતાવવામાં આવતી હોય છે. સાચું પૂછો તો બીજાને સતાવવાનો આપણો કોઈ અધિકાર હોતો નથી. પોતાને સતાવવામાં માણસને ઘણાં સુવિધા અને સ્વતંત્રતા હોય છે. કોઈ વિરોધ કરનાર હોતું જ નથી. તમે કોઈ બીજાનેકાંટા પર સૂવડાવી દો તો તમારા પરકચેરીમાં દાવો દાખલ કરી શકાય, પરંતુ તમે પોતાની જાતને કાંટા પર સુવડાવી દેશો તો, કોઈ કચેરીમાં ફરિયાદ નહી કરે, બલકે એમ કરવાથી તમને મોટું સન્માન મળે એવી સંભાવના ખરી. તમે બીજાને ભૂખ્યો રાખો તો તમે મુશ્કેલીમાં મુકાશો. પરંતુ તમે જાતે ભૂખ્યા રહેશો તો તમારી શોભાયાત્રા અને સરઘસ નીકળી શકે.
ધ્યાનમાં રાખવા જેવી એક વાત છે કે સતાવવાનો જે રસ છે તે એક જ છે. જે પોતાને સતાવી રહ્યો છે, તે બીજાને પણ સતાવી રહ્યો છે, કારણ કે એ પોતાની જાતને બે હિસ્સામાં વહેંચી દે છે. આ શરીર, જે મારાથી દૂર છે, તે પારકું છે. એમાં ભેદનથી. મારું શરીર મારી નજીક છે, એટલે તે માર નથી બની જતું. તમારું શરીર મારાથી દૂર છે, એટલે તે તમારું થઈ ગયું? હું તમારા શરીરમાં કાંટો ભોકું તો હું દુષ્ટ ગણાઉ હું મારા શરીરમાં કાંટો ભોકું તો લોકો કહેશે કે આ માણસ મહાત્યાગી છે પરંતુ શરીર બન્ને પરિસ્થિતિમાં પારકાં છે. મારું શરીર એટલું જ પારકું છે જેટલું તમારું પારકું છે. ફરક માત્ર એટલો કે મારા શરીરને સતાવવામાં કોઈ કાયદો આડો આવતો નથી, તેમનીતિનો કોઈ ભંગ થતો નથી. એટલે જે લોકો ચતુર છે અને કુશળ છે, તેઓ સતાવવાની મજા પોતાના નજીકના શરીર દ્વારા લે છે. પરંતુ સતાવવાની જે મજા છે તે એક જ છે. શું મજા છે એમાં? જેને આપણે સતાવીએ છીએ, તેના જાણે આપણે સ્વામી થઈ ગયા! એટલે મહાવીરની પાછળ આત્મપડક
Page #96
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
લોકોની ભીડ એકઠી થઈ ગઈ. મહાવીરની સમગ્ર પરંપરામાં એમણે ઝેર ઘોળી દીધું. મહાવીરે કહ્યું કે આપણે આપણા જીવન પ્રત્યે આસક્ત છીએ ત્યાં સુધી એક પ્રકારનું આંધળાપણું આપણાંમાં હોય છે. આપણને ખબર નથી રહેતી કે આપણે કઈ રીતે બીજાનાં જીવનને નષ્ટ કરવા માટે આતુર થઈ જઈએ છીએ. પોતાના જીવન માટે પાગલ થઈ જવું નિરર્થક છે. કારણકે જીવનને બચાવી શકાતું નથી. જન્મ સાથે જ મૃત્યુ જોડાયેલું છે. એટલે જેને બચાવી શકાય એમ નથી, તે જીવન પાછળ પાગલ થવાથી તેને બચાવવાના પ્રયત્નમાંથી જ, હિંસાનો જન્મ થાય છે. આટલું જો સમજાય જાય તો જીવેષણા શૂન્ય બનવા લાગે છે. ત્યારે મૃત્યુ માટેની ઇચ્છા પેદા થતી નથી. પરંતુ મૃત્યુ પ્રત્યે સ્વીકારનો ભાવ પેદા થાય છે. આ ભેદ સમજવા જેવો છે. જવેષણાને ધક્કો પહોંચે ત્યારે મૃત્યુ માટેની ઈચ્છા પેદા થાય છે. પરંતુ જીવેષણાક્ષીણ થઈ જાય, શાંત થઈ જાય ત્યારે મૃત્યુનો સ્વીકાર ઉદ્ભવે છે. મહાવીરમૃત્યુનો સ્વીકાર કરે છે. મૃત્યુનો સ્વીકાર કરવામાં અહિંસા છે. મૃત્યુનો અસ્વીકાર કરવામાં હિંસા છે. હું મારા મૃત્યુનો અસ્વીકાર કરું છું ત્યારે બીજાના મૃત્યુનો પણ કરું છું. મારા મૃત્યુનો સ્વીકાર કરું છું. ત્યારે પણ બીજાના જીવનનો સ્વીકાર કરું છું. આ સીધું ગણિત છે. જ્યારે હું મારા મૃત્યુનો ભાવથી સ્વીકાર કરું છું કે ઠીક છે, આ નિર્માણ થઈ ચુકેલું છે, ત્યારે હું બીજા કોઈના જીવનને નુકસાન પહોંચાડવા માટે ઉત્સુક રહેતો નથી. એટલું જ નહીં, જે મારા જીવનને ધક્કો પહોંચાડે છે, તેના જીવનને ધક્કો પહોંચાડવાની ઉત્સુક્તા પણ રહેતી નથી. કારણકે મારા જીવનને ધક્કો પહોંચાડીને બહુ બહુ તો તે મારું મુત્યુ જ લાવી શકે છે. પરંતુ મૃત્યુ તો એક દિવસ આવવાનું જ છે. એ મારા મૃત્યુ માટે નિમિત્ત માત્ર બની શકે છે, મૃત્યુનું કારણ બની શક્તો નથી. મહાવીર એ જ વાત કહે છે કે કોઈ તમારી હત્યા કરે તો એ નિમિત્તમાત્ર છે, એ મૃત્યુનું કારણ નથી. કારણ તો જીવન પાછળ છુપાયેલું મૃત્યુ જ છે. એટલે કોઈ પરનારાજ થવાનું કારણ નથી. મૃત્યુનું નિમિત્ત બનનારને ધન્યવાદ આપવા જોઈએ કે જે થવાનું હતું, તે માટે એનો સહ્યોગ મળી ગયો. મૃત્યુ તો થવાનું જ હતું, એ વાત ખ્યાલમાં આવી જાય તો પછી આપણે કોઈની ઉપર પણ નારાજ થઈ ન શકીએ. મૃત્યુનો સ્વીકાર કે અંગીકાર એટલા માટે નથી કરતાકે મૃત્યુકંઈક મહત્ત્વની ચીજ છે. એક અત્યંત મહત્ત્વની ચીજ છે. જીવન જ્યાં મહત્ત્વપૂર્ણ નથી, ત્યાં મૃત્યુ મહત્ત્વપૂર્ણ કેવી રીતે હોઈ શકે? જેટલું આપણા મનમાં મૃત્યુનું મૂલ્ય હશે, તેટલું જ જીવનનું મૂલ્ય રહેશે. મૃત્યુનું જે મૂલ્ય આપણે આંકીએ છીએ તે ખરેખર તો જીવનના મૂલ્યનું પ્રતિબિંબ છે, reflected value છે. જેટલું મૂલ્ય તમે જીવનને આપશો, તેટલું મૂલ્ય મૃત્યુને મળશે. તમે જ્યારે કહેશો કે કોઈ પણ ભોગે મારે જીવવું છે ત્યારે સાથે સાથે એ પણ કહેવું પડશે કે કોઈ પણ ભોગે મારે મરવું નથી. ગમે તેવી આક્ત આવેતોપણ જીવવું છે, એમ કહેવાની સાથે જ ગમે તેવી આત આવે તો મરવું નથી, એ સ્પષ્ટ થઈ જાય છે. જેટલું મૂલ્ય તમે મૃત્યુને આપશો, તેટલું મૂલ્ય જીવનને મળી જશે. જેટલું વધારે મૂલ્ય મૃત્યુને મળી જશે, તેટલી મુશ્કેલી વધી જશે. જીવનનું કોઈ
Page #97
--------------------------------------------------------------------------
________________
અહિંસા એટલે જીવેષણાનું મૃત્યુ
મૂલ્યનહી હોયતોમુત્યુનું મૂલ્ય પણ સમાપ્ત થઈ જશે. જેના ચિત્તમાં જીવનનું અને મૃત્યુનું મૂલ્ય નથી, તે શું કોઈને મારવા તત્પર થશે? તે કોઈને સતાવવામાં રસ લેશે? જેટલું મૂલ્ય આપણે એક ચીજને આપીએ, તે ચીજ સાચવવાની જવાબદારી આપણે સ્વીકારવી રહી. મેં સાંભળ્યું છે કે એક અંધારી રાતે, મુલ્લા નસરૂદીન એક ગામ પાસેથી પસાર થતો હતો. એવામાં એના પર ચોરોએ હુમલો કર્યો. મુલ્લા નસરૂદીને સમગ્ર જીવનની બાજી લગાવી દીધી. એટલા જોશથી લડ્યા કે જે એ ચાર ચોરો ન હોત, તો કદાચ એકાદ ચોરની એણે હત્યા કરી નાખી હોત. એ ચાર ચોર આક્રમણ કરવાનું ભૂલી ગયા, પોતાની જાતને બચાવવાની કોશિશમાં લાગી ગયા. પરંતુ આખરે એ ચાર જણા હતા, એટલે કલાકો સુધીની લડાઈ પછી મહામુશ્કેલીથી નસરૂદીનને કાબુમાં લઈ શક્યા. જ્યારે નસરૂદીનનાં ખિસ્સાં તપાસ્યાંત્યારે એમાંથી માત્ર એક પૈસો મળ્યો. એ ચાર ચોર ખૂબ અચંબામાં પડી ગયા. એક પૈસાને બદલે નસરૂદીનના ખિસ્સામાં જો એક આનો હોત, તો નસરૂદ્દીન કેટલો વધારે ઝૂઝીને લડ્યો હોત! આપણો કોઈનો જાન સલામત ના રહેત. એમણે નસરૂદીનને કહ્યું કે “અરે! એક પૈસા માટે આટલું લડ્યો! હદ કરી નાખી તે. તારા જેવો બીજો માણસ અમે જોયો નથી. તું ખરેખર એક ચમત્કાર છે!' મુલ્લાએ કહયું કે “લડવાનું કારણ છે. પૈસાનો સવાલ જ નથી. મારે મારી ખાનગી આર્થિક પરિસ્થિતિ તમારા જેવા અજાણ્યા માણસો સામે ખુલ્લી કરવી નહોતી. બીજું કોઈ કારણ નથી. સવાલ છે મારી આર્થિક હાલતનો, તમારા જેવા અજાણ્યા સામે ભારે પ્રગટ કરવી નહોતી. સવાલ એક પૈસાનો નથી, પૈસાના મૂલ્યનો છે. મારા પાસે એક પૈસો છે કે કરોડ રૂપિયા, તે પ્રશ્ન જ નથી. જો પૈસાનું મૂલ્ય હોય તો પછી તે એક પૈસો હોય કે કરોડ હોય, શું ફરક પડે છે? જો કરોડનું મૂલ્ય હોય, તો એકનું પણ છે.” મેં બીજી વાત પણ સાંભળી છે. મુલ્લા એક અજાણ્યા દેશમાં ગયો. ત્યાં એક લિફ્ટમાં એક ઊંચા મકાનમાં ચઢી રહ્યો હતો. લિફ્ટમાં એક સુંદર સ્ત્રી હતી. એણે એ સ્ત્રીને પૂછ્યું કે “તારો શું ખ્યાલ છે, સો રૂપિયામાં તારો સાથ મળી શકે તેમ છે ?' પેલી સ્ત્રી ચમકીને જોઈ રહી, એણે કહ્યું કે “ભલે’, મુલ્લાએ કહ્યું કે “પાંચ રૂપિયા ચાલશે?' પેલી સ્ત્રીએ ખીજાઈને કહ્યું કે “તું મને શું સમજે છે ?' મુલ્લાએ કહ્યું કે “એ તો આપણે નક્કી કરી લીધું. હવે સવાલ માત્ર ભાવનો છે. તું કોણ છે એ તો નક્કી થઈ ગયું. મેં તો સો રૂપિયાની વાત કરીને તું કોણ છે, તે નક્કી કરી લીધું. હવે આપણે તારો ભાવ નક્કી કરીએ. જે સ્ત્રી સો રૂપિયામાં વેચાઈ શકે છે, તો પાંચ રૂપિયામાં કેમ ન વેચાય? તું કોણ છે એ વિશે ચર્ચા કરવાની જરૂર નથી. હવે તો મારે મારા ખિસ્સા તરફ નજર કરીને ભાવનક્કી
કરવાનો છે.”
Page #98
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
આપણા જીવનમાં મૂલ્ય શેનું છે તે નક્કી કરવાનું છે. જો ધનનું મૂલ્ય હોય, તો એક પૈસાનું મૂલ્ય છે અને કરોડનું પણ છે. જો ધનનું મૂલ્ય ન હોય તો એક પૈસાનું પણ નથી અને કરોડ રૂપિયાનું પણ નથી. જો જીવન જ નિર્મૂલ્ય હોય તો મૃત્યુનું કોઇ મૂલ્ય રહેતું નથી. જો જીવન જ નિર્મૂલ્ય હોય તો જીવન સાથે જોડાયેલો જે વિસ્તાર છે, તેનું શું મૂલ્ય? જેનું જીવન નિર્મૂલ્ય છે, એને માટે મહેનતનું કોઇ મૂલ્ય છે? ધનનું બધું મૂલ્ય જીવનની સુરક્ષા માટે છે. જેનું જીવનનિર્મૂલ્ય છે, તેને માટે ધન, પદ, ઇત્યાદીનું કોઇ મૂલ્ય નથી. પદનું મૂલ્ય પણ જીવનની સુરક્ષા માટે જ છે.
૯૩
જીવનનું મૂલ્ય શૂન્ય થઈ જાય તો આખા જીવનના વિસ્તારનું મૂલ્ય પણ શૂન્ય થઇ જાય છે. બધી માયા જ નષ્ટ થઇ જાય. જેટલું જીવન બચાવવાનું જરૂરી લાગે એટલું મૃત્યુથી બચવાનું પણ જરૂરી લાગશે. જ્યારે જીવન અને મૃત્યુ બંનેનું મૂલ્ય શૂન્ય હશે ત્યારે અમૃતનાં દ્વાર ઊઘડી જશે. એક મહાજીવન, એક પરમજીવન કે જેનો કોઇ અંત નથી તે ત્યારે સમજાશે.
એટલે મહાવીર કહે છે કે ‘ અહિંસા ધર્મનો પ્રાણ છે”, અહિંસાથી અમૃતનાં દ્વાર ઉઘડે છે. એનાથી જેનો અંત નથી અને આદિ નથી, જેને કોઇ બીમારી આવતી નથી, જેના પર કોઇ દુઃખ અને પીડા ઊતરતાં નથી અને જ્યાં કદી કોઇ મૃત્યુ આવતું નથી, તે આત્માને જાણી શકાય છે. મહાવીરને મૃત્યુવાદી કહી શકાય તેમ નથી. મહાવીર જેવો અમૃતની શોધ કરનાર કોઇ બીજો છે જ નહીં. અમૃતની શોધ કરતાં કરતાં જ મહાવીરને સમજાયું છે કે અમૃતની શોધમાં જીવેષણા એક મોટી અડચણ છે.
જીવેષણા અડચણ છે, કારણકે જીવવાની ઇચ્છા અને જીવવાની કોશિશમાં, વાસ્તવિક જીવનની શોધ અધુરી રહી જાય છે.
મુલ્લા એક ગામ તરફ ઝડપથી જઇ રહ્યો હતો. એને એક વ્યાખ્યાન આપવાનું હતું. રસ્તામાં એક માણસે એને પૂછ્યું, ‘મુલ્લા ! પેલી મસ્જિદમાં ધર્મ વિશે બોલવાના છો કે ઇશ્વર વિશે. એણે ફરીથી પૂછ્યું, ઇશ્વર સબંધે તમારા શું વિચારો છે?’
મુલ્લાએ કહ્યું, ‘મને હમણાં વિચાર કરવાની ફુરસદ નથી. મને ખોટા બકવાસમાં ન ખેંચી જાવ.’ બોલવાની ફિકરમાં માણસ વિચારવાનું હંમેશાં ભૂલી જાય છે. કેમ-કેટલું દોડવું એ વિચારમાં, માણસ હંમેશાં એને ક્યાં પહોંચવાનું છે તે ભૂલી જાય છે. કમાવવાની ચિંતામાં માણસ શેને માટે કમાવા માગે છે તે ભૂલી જાય છે. જીવવાની કોશિશમાં માણસ શા માટે જીવવું છે તેનો ખ્યાલ કરતો નથી. શા માટે માણસ પૈસા બચાવી રહ્યો છેતે ભૂલી જાય છે, અને બચાવવામાં એટલો મશગુલ થઇ જાય છે કે બચાવવું એ જ ‘END UNTO ITSELF' સ્વયં ધ્યેય બની જાયે છે.
ધન એકઠું કર્યા પછી તે શા માટે કર્યું છે તે ભુલાઇ જાય છે. એકઠું કરવું એ જ લક્ષ્ય બની જાય છે. ધન એકઠું કરતાં કરતાં એ મરણ પામે છે. એને એકઠું કરવામાં જ મજા આવી રહી હતી. એવી જ
1
Page #99
--------------------------------------------------------------------------
________________
અહિંસા એટલે જીવેષણાનું મૃત્યુ
રીતે માણસને જીવવામાં જ મજા આવી રહી છે. શા માટે જીવવું છે અને જીવન શું છે તે વિચારવાનો સમય મળતો નથી.
૯૪
મહાવીર કહે છે, જીવનની વાસ્તવિક તલાશ કરવાનું, જીવેષણાને કારણે ચૂકી જવાય છે. જીવેષણા માત્ર મરવામાંથી બચવાની વ્યવસ્થા બની જાય છે. આપણે હંમેશાં સ્વબચાવ કરવાની ઉપાધિમાં જ ચોવીસ કલાક વ્યસ્ત રહીએ છીએ. અમૃતને જાણવા-સમજવાનો સમય નથી. મરીન જવાય એની જ કોશિશ સતત ચાલી રહી છે, પરંતુ જીવીને શું કરવું છે તે જાણતા નથી. જીવનના વાસ્તવિક રૂપને, પદ્મ રૂપને, જાણવામાં આ જીવન બચાવવાની કોશિશ અડચણ બને છે. માટે મહાવીર જીવેષણાની દોડ રોકવા માગે છે. જેથી પરમ જીવનને જાણી શકાય. પરમ જીવન તો અમર છે, બચેલું જ છે, એને કોઇ મારી શકતું નથી, એને જાણીને માણસ અભય બની જાય છે. જે માણસ અભય બની જાય છે તે બીજાને ભયભીત કરતો નથી.
હિંસા બીજાને ભયભીત કરે છે. તમે બીજાઓમાં ભય પેદા કરીને તમારી જાતને બચાવો છો. બીજાઓને તમે દૂર, એક અંતર પર રાખો છો. તમારી અને બીજાની વચ્ચે તમે જાણે તલવારો લટકાવી રાખી છે. જરા જેટલું કોઇ તમારી સીમાનું ઉલ્લંઘન કરે, કે તમારી તલવાર એની છાતીમાં ઘૂસી જાય છે. કોઇએ તમારી સીમાનું ઉલ્લંઘન ન પણ કર્યું હોય છતાં એવું કર્યું હોવાની શંકા આવે, તો ય તમારી તલવાર એની છાતીમાં ઘૂસી શકે છે. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર બધાં, આ રીતે જ જીવે છે. એટલે જ આખું જગત હિંસામાં, ભયમાં જીવે છે. એટલે મહાવીર કહે છે કે માત્ર અહિંસક માણસ જ ‘અભય’ પ્રાપ્ત કરે છે. જેણે અભયને જાણ્યો નથી તે અમૃતને કેવી રીતે જાણશે? ભયમાં જીવનાર માણસ મૃત્યુમાં જીવી રહ્યો છે.
એટલે મહાવીરની અહિંસાનો આધાર છે, જીવેષણાથી મુક્તિ. જીવેષણાથી મુક્તિ એ એષણાની પણ મુક્તિ બને છે. આમ થતાં જેકાંઇ જીવનમાં બને છે તેને આપણે મૂલ્યવાન માન્યું છે. મહાવીર એક કીડી પર પણ પગ ન પડે તેની સંભાળ રાખે છે. કીડી પર પગ ન મૂકવાનું કારણ એ નથી કે કીડીને બચાવવા મહાવીર ખૂબ ઉત્સુક છે. કોઇને પણ બચાવવાનું આપણા હાથમાં નથી. વળી એ તો કીડી પર, સાપ પર, વીછીં પર કોઇના પર પણ-પગ મૂકતા નથી, કારણકે મહાવીર જાણીજોઇને કોઇને સ્વબચાવ માટે પણ મારવા માગતા નથી. મહાવીર પોતાને બચાવવા પણ બહુ ઉત્સુક નથી. એનો અર્થ એમ કે મહાવીરનો કોઇની સાથે સંઘર્ષ નથી, કોઇની સાથે શત્રુતા નથી. જીવનમાં પોતાની જાતને બચાવવી હોય તો સંઘર્ષ કરવો પડે છે. મહાવીર તૈયાર છે, જીવન, મૃત્યુ, અંધકાર, પ્રકાશ, જે પણ જીવનમાં આવે તે માટે તૈયાર છે. મહાવીરની સ્વીકૃતિ પરમ છે.
જે
૪
એટલે જ મેં કહ્યું કે બુધ્ધે જે પરિસ્થિતિને ‘તથાતા ‘કહી, તેને જ મહાવીરે ‘અહિંસા’ કહી. લાઓત્સે જે પરિસ્થિતિને સર્વસ્વનો સંપૂર્ણ સ્વીકાર કહે છે તે પરિસ્થિતિને મહાવીર ‘અહિંસા’ કહે છે. જેને બધું સ્વીકાર્ય છે, તે હિંસક કેવી રીતે હોઇ શકે? હિંસક ન હોવામાં કોઇ નિષેધ
Page #100
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ:મંત્ર
-
૯૫
કારણભૂત નથી, પરંતુ વિધાયકતા કારણભૂત છે. બધું જ સ્વીકાર્ય હોય, ત્યાં નિષેધ ટકી શક્તો નથી. કોઈ મહાવીરને મારવા આવે તો તે માટે મહાવીર તૈયાર છે. આ તૈયારી માટે પણ મહાવીરનો કોઈ પ્રયત્ન નથી. એટલો પ્રયત્ન પણ જીવનની આંતરિક આકાંક્ષામાંથી પેદા થાય છે. મહાવીર કોઈ વિચારપૂર્વક તૈયારી કરીને કહેતા નથી કે ઠીક છે. હવે મારો. જાણે પોતે હયાત ન હોય એ રીતે મૃત્યુ માટે પણ હંમેશાં મહાવીરતૈયાર રહે છે. આ રીતે તૈયાર હોવાનું એક બીજું પાસું છે. જેટલા બળપૂર્વક આપણે આપણી જાતને બચાવવા ઈચ્છતા હોઈએ એટલા જ બળપૂર્વક, આપણે આપણી વસ્તુઓનો બચાવ પણ કરવા માગીએ છીએ. ઝવેષણા મારાપણાનો વિસ્તાર છે. આ મારું છે, આ પિતા મારા છે, આમા મારી છે, આ ભાઈ મારો છે, આ પત્ની મારી છે, આ મકાન મારું છે કે આ ધન મારું છે. આ મારાપણાનો વિસ્તાર છે. આપણી ચારે તરફ સ્વબચાવ માટે, આપણે એક મોટી જાળ ઊભી કરીએ છીએ. એટલા માટે આ જાળ ઊભી કરીએ છીએ કે મારાપણાનો પહેરો હોય તો આપણો “” બચે. જો મારું કાંઈ ના હોય તો સાવ નિપટ એકલા આપણે ખૂબ જ ભયભીત બની જઈશું. જો મારું કોઈ હોય તો એક સુરક્ષા છે. એટલે જેટલી વધુ ચીજવસ્તુઓ આપણે એકઠી કરીએ છીએ એટલા અક્કડ આપણે ચાલીએ છીએ. લાગે છે કે હવે મારું કોઈ કાંઈ બગાડી શકે તેમ નથી. પરંતુ આપણી માનેલી કોઈ એકાદ ચીજ પણ આપણી પાસેથી છીનવાઈ જાય તો કોઈ ઊંડા અર્થમાં આપણને મૃત્યુનો અનુભવ થાય છે. આપણી મોટરકારને અકસ્માતમાં નુકસાન થાય ત્યારે માત્ર એ મોટરકાર તૂટતી નથી, પરંતુ આપણી અંદર પણ કાંઈ તૂટે છે. પત્ની મરી જાય ત્યારે માત્ર પત્ની મરતી નથી, પતિની ભીતરમાં પણ કાંઈક ઊંડે ઊંડે મરતું હોય છે. એક ખાલીપો પેદા થાય છે. ખરી પીડા પત્નીના મરવાથી નથી, પરંતુ મારો જે વિસ્તાર છે, તે ઓછો થવાથી થાય છે. સુરક્ષામાં એક ગાબડું પડ્યું. સુરક્ષા જે ચારે બાજુ રચાયેલી હતી, તેમાં એક ગાબડું પડવાથી જાણે ત્યાંથી જ હુમલો થવાની શક્યતા વધી ગઈ. મારા એક મિત્ર હતા. એની પત્ની મરી ગઈ, તો આખા મકાનમાં ભીંતો પર, બારી-બારણાં પર, પત્નીનાં ચિત્રો લગાડી દીધાં. કોઈને એ મિત્ર મળતા નહોતા, માત્ર પત્નીની તસવીરો જોયાકરતા હતા. એના એક મિત્રે મને કહ્યું કે “આવો પ્રેમ મેં આ પહેલાં ક્યારેય જોયો નહોતો, ખૂબ અભૂત પ્રેમ છે.” મેં કહ્યું, ‘કોઈ પ્રેમ જેવું છે જ નહીં. આ માણસ ખૂબ ભયભીત છે. કોઈ બીજી સ્ત્રી એના જીવનમાં પ્રવેશ કરી શકે તેમ છે. માટે આ તસવીરો ચારે તરફ લગાવી એક પ્રકારનો પત્નીનો ચહેરો પોતાની આગળ-પાછળ ઊભો કરી રહ્યો છે.” પેલા મિત્રે કહ્યું, ‘તમે કેવી વાત કરો છો ?' મેં કહયું, “ચાલો હું પુરવાર કરું, હું એને ઓળખું છું.”
Page #101
--------------------------------------------------------------------------
________________
અહિંસા એટલેછવેષણાનું મૃત્યુ
પેલા મિત્રને પૂછ્યું, “સાચુ કહે વિચાર કરીને કહે, કે હવે બીજી સ્ત્રીઓનોતને ભયનથી લાગતો? એણે કહ્યું, “એ તને કેમ ખબર પડી? મારા મનમાં એ જ ભય પેસી ગયો છે કે મારી પત્નીનો હું વિશ્વાસઘાતનકરી બેસું. એટલે એની યાદચારે તરફ ઊભી કરીને બેઠો છું. કોઈ સ્ત્રીને મળતાં પણ હુંગભરાઉં છું.” માણસનું મન ખૂબ જટિલ છે. હવે એક હવા ગામમાં ચારે તરફ ફેલાઈ ગઈ કે એનો એની પત્ની પ્રત્યે ખૂબ પ્રેમ હતો. બે વર્ષ પહેલાં એની પત્ની મરી ગઈ હતી, એને એ પોતાના મકાનમાં ચિત્રો દ્વારા જીવતી રાખી રહ્યો હતો. આ જે હવા ફેલાઈ ગઈ તે એની સુરક્ષા બની ગઈ. એ હવા એને રોકશે. એની પ્રેમી તરીકેની પ્રતિષ્ઠા એને રોકશે. પરંતુએ મિત્રને મેં કહ્યું કે આવી સુરક્ષા વધુ લાંબી નહી ચાલે. ખરી પત્ની મરી ગઈ તો આ તસવીરો ક્યાં સુધી જીવશે? હમણાં થોડા દિવસ પહેલા જ એનું ફરીથી લગ્ન થવાનું હતું, તેમાં હાજર રહેવાનું નિમંત્રણ આવ્યું છે. આવો ભયભીત અસુરક્ષિત માણસ વધુ વખત લગ્ન વિના રહી શક્તો નથી. આપણે વસ્તુઓ પર અને વ્યક્તિઓ પરમારાપણાનો વ્યાપ વધારતા જઈએ છીએ. મહાવીર વિસ્તારને પરિગ્રહ કહે છે. પરિગ્રહ હિંસા છે. મહાવીરને વસ્તુઓનો કોઈ વિરોધ નથી. તમારી પાસે કોઈ વસ્તુ છે કે નહીંતેની સાથે મહાવીરને નિસ્બત નથી. પરંતુ એ વસ્તુઓ પ્રત્યે તમારો મોહ કેટલો છે તે સાથે મહાવીરને નિસ્બત છે. તમે એ વસ્તુઓને કેટલી પકડી છે, કેટલી એ વસ્તુઓ તમારી આત્મા બની ગઈ છે એની સાથે મહાવીરને નિસ્બત છે. મુલ્લા નસરૂદ્દીન એક ખૂબ પ્યારો માણસ છે, એના જીવનમાં એક ઘટના બની. એક હૉટલમાં એ ઊતર્યો હતો, એને હોટલ છોડવાનો સમય થયો ત્યારે એનો સરસામાન પેક કરી એણે ટેકસીમાં મૂકી દીધો. ત્યારે એને યાદ આવ્યું કે એ હોટલના રૂમમાં એની છત્રી રહી ગઈ છે. ચાર માળની હોટલ હતી. ચોથા માળ સુધી દાદર ચઢીને પહોંચ્યો. જોયું તો એનો રૂમતો કોઈ પ્રેમી યુગલને ભાડે અપાઈ ગયો હતો. દરવાજો બંધ હતો. અંદર વાર્તાલાપ ચાલી રહ્યો હતો, તે સાંભળતો હતો. હવે એ છત્રી વિના કેમ પાછો ફરે ? વળી વાર્તાલાપ સાંભળવા જેવો હતો. સાંભળ્યા વિના કેમ રહેવાય? એણે ચાવીનાકાણા પર કાનમાંડી સાંભળવા માંડ્યું. પેલો પ્રેમી યુવક પોતાની પત્નીને કહી રહ્યો હતો, ‘આવા સુંદર વાળ, આકાશમાં ઘેરાયેલી ઘટાઓ જેવા તારા વાળ કોના છે?” પત્નીએ કહ્યું, “તમારા જ બીજા કોના હોય?” “આતારી આંખો, માછલી જેવીચંચળ કોની છે,
ઓ દેવી! આ આંખો કોની છે?' પેલા પ્રેમીએ પૂછ્યું. પત્નીએ કહ્યું, ‘તમારી જ બીજા કોની હોય?’ મુલ્લા સાંભળતો ગયો તેમ બેચેન થતી ગયો. એણે મનોમન કહ્યું કે દેવી જરા ઊભી રહે. મને ખબર નથી તું આ બધું કોને કહી રહી છે. પરંતુ જ્યારે મારી
Page #102
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
છત્રી વિશે પૂછવામાં આવે તો ધ્યાન રાખજે કે એ ‘મારી છે’ મુલ્લાની બેચેની સ્વાભાવિક છે. છત્રીનો નંબર પણ આવશે.
આખી જિંદગી સુધી, ઊઠતાં બેસતાં, મારું બધું ક્યાં છે એની ફીકર છે. કોઇ બીજું તો મારી ચીજ પર કબજો જમાવીને બેસી જતું નથી ને ? કોઇ બીજા તો મારી ચીજનો માલિક બની જતો - નથીને? વસ્તુઓ કોની બની જાય છે એ પ્રશ્ન નથી. વસ્તુઓ તો ક્યારેય કોઇની બનતી નથી. વસ્તુઓને તો ખબર જ નથી કે એ કોની છે. મહાવીર કહે છે કે તમે લડો છો, મરો છો, ખતમ થઇ જાઓ છો, પરંતુ વસ્તુઓ ત્યાંની ત્યાં પડી રહે છે. વસ્તુઓ કોઇની હોતી નથી. એક જમીનનો ટુકડો, જેને તમે તમારો માનો છો, તે પહેલાં બીજી કેટલી વ્યક્તિઓનો થઇ ચૂક્યો છે તેની તમને ખબર છે? કેટલાય લોકો એ જમીનના ટુકડા પર પોતાનો દાવો સિદ્ધ કરી ચૂકેલા છે. પરંતુ એ જમીનના ટુકડાને એની કાંઇ ખબર નથી. હક-દાવો કરનારા આવે છે અને જાય છે. જમીનનો ટુકડો ત્યાં પડી રહે છે. બધા હક અને દાવા કાલ્પનિક છે.
૯૭
તમે જ એ જમીનના ટુકડા માટે તમારો દાવો, તમારો અધિકાર જમાવવા માગો છો. તમે બીજા એવો દાવો કરનાર સાથે લડો છો. માથાં ફૂટે છે ને હત્યાઓ પણ થાય છે. કોર્ટ કચેરીમાં વર્ષો સુધી ઝઘડા ચાલે છે. પરંતુ એ જમીનનો ટુકડો તટસ્થ છે, ત્યાંનો ત્યાં પડયો રહે છે. જમીનના ટુકડાને ઝઘડાઓ વિશે કાંઇ ખબર નથી. જો જમીનના ટુકડાને ખબર હોય તો એનો ઢંગ જુદો જ હોય ! એ ટુકડો કહેશે કે આ માણસ મારો છે. જેમ માણસ કહે કે આ જમીન મારી છે, તેમ એ જમીન કહી શકે કે આ માણસ મારો છે ! કોણ જાણે જમીનો પણ આપસમાં લડતી હોય ! જમીનને પણ તે કોની માલિક છે તેની ખબર હોવી જોઇએ !
દરેક વ્યક્તિને પોતે શેની માલિક છે તેની ખબર છે. આપણી માલિકી માટે આપણે એટલા ઉત્સુક છીએ કે કોઇ જીવતો માણસ આપણી માલકીનો સ્વીકાર ન કરે, તો એને મારીને, સજા કરીકરાવીને પણ એના માલિક થવા માગીએ છીએ.
એટલા માટે જ આપણું જીવન હિંસાથી ભરેલું છે. જ્યારે એક પતિ એક સ્ત્રીનો માલિક બની જાય છે, જ્યારે એને પત્ની બનાવી લે છે ત્યારે એ સ્ત્રી તો લગભગ નવાણું ટકા મટી જ જાય છે. એક અર્થમાં માર્યા વિના માલિક બનવું મુશ્કેલ છે. કારણકે દરેકને માલિક થવું હોય છે. જો માણસ જીવતો રહેશે તો માલિક બનવાની કોશિશ ક્યારેક પણ કરશે જ કરશે.
ધ્યાનમાં રાખો કે ભવિષ્યમાં સ્ત્રી પર કે પુરૂષ પર માલિકીપણાની સંભાવના ઓછી થતી જશે. જો સ્ત્રીઓને સમાનતાનો હક અપાશે તો એ પત્ની થવાનું પસંદ નહીં કરે. જ્યાં સુધી સ્ત્રીનો કોઇ હક કબૂલ રખાતો નથી, ત્યાં સુધી જ એ પત્ની બની શકે છે. સ્ત્રીને વ્યક્તિ તરીકે પૂરી મારી નાખ્યા વિના એ પત્ની બની શકતી નથી. એ પોતે નહિવત્ થઇ જાય તો પતિ, માલિક ટકી શકે. પરંતુ જો એને સમાનહક મળે તો પતિ બનવાનો કોઇ ઉપાય નથી. હવે તો પત્ની મિત્રથી વધુ હોવાની
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૮
અહિંસા એટલે જીવેષણાનું મૃત્યુ
સંભાવના ટકશે નહીં. બંને જો સમાન હોય તો માલિકીપણું કેવી રીતે ટકી શકે ?
હવે તો સમય એવો આવી રહ્યો છે કે સ્ત્રી-પુરુષને ગૌણ બનાવી દેશે. એવો ડર છે કે સ્ત્રી પુરુષથી વધુ બળવાન સિદ્ધ થશે. થોડા વખત પછી પુરુષોએ આંદોલન ચલાવવું પડશે કે અમારે સમાન હક જોઇએ છે. સ્ત્રી ઘણા સમય સુધી અસમાન રહી ચૂકી. હવે એની સમાનતાના સ્વીકાર સાથે એ પુરુષથી ઉપર ઊઠવાનું શરૂ કરશે. પુરુષોએ હવે ઠેરઠેર મારેચાઓ કાઢવા પડશે, ઘેરાવ કરવા પડશે અને સ્ત્રીઓ પાસે સમાન હક માગવો પડશે.
સમાનતા લાંબો વખત ટકી શકતી નથી, કારણકે જ્યાં જ્યાં માલિકીપણાના ઝઘડા છે ત્યાં હિંસા ચાલુ રહેશે, કોઇ ને કોઇએ અસમાન થવું પડશે. કોઇ ને કોઇએ નીચી કક્ષા સ્વીકારવી પડશે. મજૂર લડશે તો કારખાનાના માલિકને ખુરસી પરથી નીચે ઉતારી મુકાશે. કાલે મજૂર કારખાનાનો માલિક બની બેસશે. એનાથી કાંઇ ફરક પડતો નથી. મહાવીર કહે છે કે જ્યાં સુધી જગતમાં માલિકીપણાની આકાંક્ષા છે ત્યાં સુધી માનવી માલિક થયા વિના રહી શકતો નથી. માલિકીપણાની આકાંક્ષા જ જીવેષણા, જીવેષણાને કારણે માલિકપણું જરૂરી છે. જ્યાં સુધી માલિકીપણાની આકાંક્ષા જ જીવેષણા છે. જીવેષણાને કારણે જ માલિકીપણું જરૂરી છે. જ્યાં સુધી માલિકીપણાની આકાંક્ષા છે ત્યાં સુધી સમાનતા શક્ય નથી.
એટલે મહાવીર સમાનતા માટે ઉત્સુક નથી, પરંતુ અહિંસા માટે ઉત્સુક છે. મહાવીર કહે છે કે જો અહિંસાનો સ્વીકાર અને ફેલાવો થઇ જાય તો સમાનતાનો સંભવ છે. જો માલિકીપણામાં રસ ન રહે, તો જ આનો નાશ થાય, નહિ તો માલિક બદલાયા કરશે, માલિક બદલાય તેથી શું ફરક પડે છે ? બીમારી તો કાયમ રહે છે. હિંસાનું જે આપણા જીવનમાં સક્રિય રૂપ છે તે માલિકીપણું છે. મહાવીરે જ્યારે મહેલ છોડયો ત્યારે આપણને એમ લાગતું હતું કે મહાવીરે મહેલ છોડયો, ધન છોડયું, પરિવાર છોડયો, પરંતુ ખરેખર તો મહાવીરે હિંસા છોડી. જો ઊંડાણથી વિચારીએ તો ખ્યાલ આવશે કે મહાવીરે હિંસા છોડી, મહેલમાં દરેક દરવાજા પર જે પહેરેદાર ઊભા હતા, મહેલની ચારે બાજુ જે પથ્થરની મોટી દીવાલ હતી, જે ધન અને તિજારીનું આયોજન હતું, તે બધું હિસાનું આયોજન હતું. મારી અને તમારી વચ્ચેનો ભેદ એ જ હિંસાનું આયોજન હતું. જેવા મહાવીર મહેલ છોડી, ખુલ્લા આકાશ નીચે આવી નગ્ન ઊભા થઇ ગયા તે દિવસે મહાવીરે કહ્યું કે ‘હવે હિંસા છોડું છું. બધી સુરક્ષા છોડું છું. હવે બધું આક્રમણ કરવાનું આયોજન છોડુંછું.’ હવે શસ્ત્રહીન, શન્યવત્, આ ખુલ્લા આકાશ નીચે ભટકીશ, હવે મારે કોઇ સુરક્ષા નથી જોઇતી, હવે મારું કોઇ આક્રમણ નથી. હવે મારું સ્વામીત્વ કેવી રીતે બચશે ? અહિંસકની કોઇ મિલકત હોતી નથી. કોઇ પોતાની લંગોટી પર સ્વામીત્વ બતાવે તો મૂર્ખ છે. મહેલ મારો છે કે લંગોટી મારી છે, બંને કહેવું સરખું છે. સ્વામીત્વમાત્ર હિંસા છે. એક લંગોટીના ઝઘડાને કારણે ગળાં કપાઇ શકે છે. સ્વામીત્વ બહુ સૂક્ષ્મ થતું જાય છે. માણસ ધન છોડી દે છે, પરંતુ માણસ કહેવા લાગે છે કે ધર્મ મારો છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૯૯
મારા એક મિત્ર કોઈ જૈન સાધુ પાસે ગયા હશે, બેત્રણ દિવસ પહેલાં હું મહાવીર વિશે જે કહી રહ્યો છું તે વિશે એણે સાધુને કહ્યું હશે. એ સાધુએ તુરત કહ્યું કે એ જે મહાવીર વિશે વાત કરતા હશે તે કોઈ બીજા મહાવીર હશે અમારા મહાવીર ન હોય. માલિકીપણું ધણું સૂક્ષ્મ હોય છે. મહાવીર ઉપર પણ માલિકીપણું આમારો ધર્મ, આમારું શાસ્ત્ર, આ મારો સિદ્ધાંત-એમાં રસ આવે છે. ત્યાં સુધી આપણે હિંસા છોડી શકીશું નહીં. આ રસ ભીતરમાં કોને આવે છે? જ્યાં જ્યાં મારું છે ત્યાં ત્યાં રસ છે અને હિંસા છે. જે મારાપણાને બધી રીતે છોડી દે છે. ધન, ધર્મ, કૃષ્ણ, મહાવીર, બુધ્ધ કાંઈ પણ મારું નથી એમ જે કહી શકે છે તે હું કોણ છું તે જાણી શકે છે, એ પહેલાં મારાપણાના વિસ્તારમાં, પરિધિ પરમાનવી ગૂંચવાયેલો રહે છે. એના કેન્દ્રને એ ઓળખી શકતો નથી. એ સમજવું જોઈએ કે અહિંસા આત્માને જાણવાનો માર્ગ છે. કારણકે મારાપણાનો ભાવ, આકે તે મારું છે એમ સમજવાનો ભાવ, જ્યારે નષ્ટ થઈ જાય છે ત્યારે જે બચે છે તે છે “હું', એકમાત્ર હું', નિપટ હું', ત્યારે બધાં રહસ્યનાં દ્વાર ખુલી જાય છે, ત્યારે હું કોણ છું, શુંછું, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો છું તે વિષે જાણવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. મહાવીરે “અહિંસા પરમો ધર્મનુ જે સૂત્ર આપ્યું તે એટલા માટે આપ્યું કે એ સૂત્રથી, એ ચાવીથી જીવનનાં રહસ્યોનાં બધાં દ્વાર ખૂલી જાય છે. હવે એક ત્રીજી દષ્ટિથી અહિંસક કોને કહેવાય તે સમજી લઈએ. એ સમજતાં અહિંસા વિષેનો આપણો ખ્યાલ વધારે સ્પષ્ટ થઈ જશે. મહાવીરે કહ્યું કોઈ પણ આગ્રહ રાખવો એ હિંસા છે. આ વાત બહુ સૂક્ષ્મ છે. આગ્રહ હિંસા છે. અને અનાગ્રહ અહિંસા છે, મહાવીરની આ એક આગવી દષ્ટિ છે. આમાંથી પેદા થયેલી વિચારસરણીનું નામ છે “અનેકાન્ત.’ વિચારનું જે જગત છે તેમાં અહિંસા વિષેનું યોગદાન વિશિષ્ટ દષ્ટિથી મહાવીરે ક્યું છે. “અનેકાન્ત’ની દષ્ટિ જગતમાં બીજી કોઈ વ્યક્તિ આપી શકી નથી. કારણકે
અહિંસાની દૃષ્ટિથી જ્યારે વસ્તુઓને જોઈ, વિચાર અને ચિંતનનાજગતને જોયું, ત્યારે એમાંથી “પરિગ્રહનો ખ્યાલ પેદા થયો. અહિંસાની દૃષ્ટિથી જ્યારે જીવનને નિહાળ્યું ત્યારે એમાંથી મૃત્યુની પસંદગી કરી. હિંસાચાર કરતાં મૃત્યુ બહેતર. વસ્તુઓનો સંગ્રહ હોય છે, તેવો વિચારોનો પણ સંગ્રહ થાય છે. વિચારનો સંગ્રહ એવો છે, જે ચોર પણ ચોરી શક્તો નથી. વસ્તુઓ તો ચોરચોરી શકે છે. ધન તો સ્થૂળસંગ્રહ છે. ચોરતે ચોરી શકે છે. વિચારોનો સંગ્રહ અત્યંત સૂક્ષ્મ છે, કોઈ ચોર સહેલાઈથી ચોરી શકે તેમ નથી. પરંતુ હવે આ સદી પૂરી થતાં થતાં એવો સમય આવી રહ્યો છે જ્યારે તમારા વિચારો પણ ચોરી શકાશે. તમારું જે મગજ છે તેને, તમારી જાણ વિના વાંચી શકાશે. તમારા મગજના હિસ્સાઓને પણ “સર્જરી’ દ્વારા દૂર કરી શકાશે, જેની તમને જાણ પણ નહી થઈ શકે. તમારા મગજમાં ઈલેક્ટ્રોડ(Electrode)
Page #105
--------------------------------------------------------------------------
________________
અહિંસા એટલે જીવેષણાનું મૃત્યુ
ગોઠવી તમને એવા વિચારો કરાવી શકાશે, જે તમારા નહીં હોય, પરંતુ ‘તમારા’ છે એવું તમને લાગશે. અમેરિકામાં ડૉ. ગ્રીન અને સાથીઓએ, સાંઢની ખોપરીમાં ‘ઇલેક્ટ્રોડ’ ગોઠવ્યાં. આ પ્રયોગ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થયો. સાંઢની ખોપરીમાં ગોઠવેલાં ‘ઇલેક્ટ્રોડ’ દ્વારા એના મગજના ખાસ હિસ્સાઓને દૂરથી, (Eloctrode) ‘બીનતારી’ જોડાણ કરી પ્રભાવિત કરી શકાય છે. જેવા વિચાર સંપ્રેષિત કરવા હોય તેવા કરાવી શકાય છે. જે સાંઢની ખોપરીમાં ‘ઇલેક્ટ્રોડ’ ગોઠવેલ હતો તેને ડાઁ. ગ્રીન પર હુમલો કરવા માટે ઉત્તેજીત કરાય છે. એક હાથમાં લાલ છત્રી લઇને બીજા હાથમાં રાખેલા ‘ટ્રાન્ઝીસ્ટર’ મારફત, સાંઢને ઉશ્કેરવામાં આવે છે. સાંઢ પાગલની જેમ ડૉ. ગ્રીન પર હુમલો કરે છે. લાગે છે કે ડૉ. ગ્રીનની એક ઘડીમાં હત્યા થઇ જશે. સેંકડો લોકોની નજર સામે આ પ્રયોગ થાય છે. સાંઢ એકદમ સામે આવીને હુમલો કરવા માટે નિશાન તાકતો હાય છે ત્યાં ડૉ. ગ્રીન હાથમાંના ટ્રાન્ઝીસ્ટરની બીજી સ્વીચ મારફત એના મગજને ઠંડું પડી જવા માટે આદેશ દે છે અને તુરત જ સાંઢ ઠંડો થઇ પાછો વળી જાય છે. જાણે કાંઇ બન્યું જ નથી !
૧૦૦
આવી જાતના આદેશ માનવીને પણ આપી શકાશે. વૈજ્ઞાનિક રીતે આ વાત સંપૂર્ણતયા સિદ્ધ થઇ ચૂકી છે. આપખુદ સરકાર હોસ્પિટલમાં જ બાળકોનાં મગજમાં નાની ઉમરે ‘ઇલેક્ટ્રોડ’ ગોઠવી દેશે. એ બાળકો કોઇ વિરોધ નહીં કરી શકે. એ બાળકો મોટા થતાં, એમનો બનેલો આખો દેશ, બટન દબાવતાં જ સરકારનો જય જયકાર કરવા લાગશે. સૈનિકોના મગજમાં ‘ઇલેક્ટ્રોડ’ ગોઠવીને જરા પણ ભયભીત થયા વિના, દુશ્મનના લશ્કર સામે હુમલો કરવા માટે એમને હુકમ આપી શકાશે. એમને પોતાના શરીરની બિલકુલ પરવા નહી રહે, બિલકુલ ચિંતા નહીં રહે. સૈનિકોને ખબર પણ નહીં હોય કે યુદ્ધ કરવા માટે કોઇ બીજું હુકમ આપી રહ્યું છે. એમને તો એમ જ લાગશે કે એ પોતે દેશના ભલા માટે બલિદાન આપી રહ્યા છે.
જ
શૌર્ય અને વીરતાના ગુણગાન કરતી વાર્તાઓ સંભળાવી બાળકોને બચપણથી જ દેશભક્તિ શીખવી શકાય છે. દેશ માટે ભોગ આપવાથી સ્વર્ગમાં જવાશે એવી વાતો એની ખોપરીમાં
ઘુસાડી શકાય છે. આ પણ એક પ્રકારની ‘ઇલક્ટ્રોડ’ ઘુસાડવા જેવી જ પ્રક્રિયા છે. એક દિવસ લશ્કરી પોશાક પહેરાવી ચાર પાંચ વરસ સુધી, યુદ્ધકળાનું પ્રશિક્ષણ એ બાળકોને અપાય છે. પરંતુ આ પદ્ધતિ બહુ પુરાણી અને બળદગાડા જેવી ધીમી છે. ધીમેધીમે એ સૈનિકના મનમાં વિચારોનું પરિવર્તન લવાય છે. યુદ્ધના મેદાનમાં એને તો એમ જ લાગે છે કે હું મારા દેશ માટે બલિદાન આપી રહ્યો છું. એ એમ જ સમજે કે આવા બધા વિચારો મારા છે, આ દેશ મારો છે, આ ઝંડાનું મારે રક્ષણ કરવાનું છે, એને ખબર નથી કે આ બધી વાતો એના મગજમાં ઘુસાડવામાં આવી છે. ઘણો બધો સમય લાગે છે આટલી બધી તૈયારી કરવામાં. આવું પ્રશિક્ષણ આપનાર, રાજધાનીમાં સિંહાસન પર બેઠેલા છે, તેઓ કયારેય યુદ્ધ કરવા જતા નથી, પરંતુ એ લોકોએ આટલી બધી મહેનત કરવાની હવે જરૂર નહીં રહે. ‘ઇલેક્ટ્રોડ’ પહેલેથી ખોપરીમાં મૂકી દેવાથી કામ સરળ થઇ જશે, ભૂલચૂક પણ નહિ થાય. આ રીતે વિચારસંપત્તિ પર પણ, રાજકારણીઓ
Page #106
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ:મંત્ર
૧૦૧
કાબુ મેળવી લેશે. વિચારસંપત્તિ આજ સુધી તો સૂક્ષ્મ રહી છે, એને કોઈ આપણી ખોપરીમાંથી સીધી રીતે ચોરી શકતું નથી. પરંતુ કોઈ પણ વિચારોને મારા છે' એમ કહેવામાં પણ મહાવીરના હિસાબે હિંસા છે. કારણકે મારા વિચાર છે એમ કહેતાં જ સત્યથી ચૂકી જવાય છે. વળી મારા વિચાર છે માટે એ ઠીક છે, બરાબર છે. સત્ય છે એમ જ્યારે પ્રગટ કે અપ્રગટ રીતે માનતા હોઈએ છીએ ત્યારે આપણે વિવાદનોતરીએ છીએ. બધા વિવાદ “હું” ના વિવાદ છે. આ જગતમાં સત્યના કોઈ વિવાદ નથી. જ્યારે પણ આપણે કોઈ વિવાદમાં પડીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે મારી વાત સાચી છે. તમારી વાત બરાબર નથી”, સામેની વ્યક્તિ પણ એમ જ કહે છે. જો થોડા ઊંડાણથી આપણી અંદર દષ્ટિ કરીએ તો તરત ખ્યાલ આવશે કે મૂળભૂત રીતે વિવાદ વિચારનો નથી હોતો, વિવાદ “હું ઠીક છું' એનો છે. એટલે મહાવીર કહે છે કે “હુંઠીક છું કે મારી વાત સાચી છે એવા આગ્રહમાં સૂક્ષ્મ હિંસા છે. એટલે મહાવીરે “અનેકાન્ત"ને જન્મ આપ્યો. કોઈ મહાવીર પાસે આવીને મહાવીરના વિચારોથી વિપરીત વાત કરે તોપણ મહાવીર કહેત કે ‘તમારી વાત પણ ઠીક હોઈ શકે છે. આ બાબતમાં એકલા મહાવીર જ એક એવી વ્યક્તિ છે જે પોતાના વિરોધીને પણ કહી શકે કે “તું પણ સાચો હોઈ શકેમહાવીર કહે છે કે “આત્મા છે', છતાં બીજું કોઈ જે ચાર્વાકની વિચારસરણીમાં માનતું હોય તે આવીને કહે કે “આત્માનથી”, તો મહાવીર “તું ખોટો છે” એમ નહીં કહે. મહાવીર એમ જ કહેશે કે, તમારી વાત પણ સાચી હોઈ શકે. મહાવીર તો એટલે સુધી કહે છે કે કોઈ પણ ચીજ એવી ન હોઈ શકે જેમાં સત્યનો અંશ પણ ન હોય. સત્યના અંશ વગર કોઈ ચીજ ન હોઈ શકે. સ્વપ્ન પણ સત્ય છે, એનું અસ્તિત્વ છે એ વાતનો ઈનકાર થઈ શકતો નથી. અસત્યનું તો અસ્તિત્વ હોતું જ નથી. જ્યારે કોઈ કહે કે આત્મા નથી ત્યારે આત્મા ન હોવાની વાતમાં કોઈ એકાંગી દષ્ટિ એ, સત્ય હોઈ શકે. એટલે મહાવીરે કોઈનો પણ વિરોધનકર્યો. એનો અર્થ એમ નથી કે મહાવીરને સત્ય શું છે તેની જાણ ન હતી. મહાવીરને સત્યની બરાબર ખબર હતી, પરંતુ ચિત્ત એટલું બધું અનાગ્રહી હતું કે મહાવીર પોતાના સત્યમાં વિરોધીના સત્યને પણ સમાવિષ્ટ કરી લેતા હતા. મહાવીર કહેતા કે સત્ય એવી મોટી ઘટના છે કે પોતાનાથી વિપરીતને પણ એ પોતાનામાં સમાવિષ્ટ કરી લે છે. સત્ય મોટું છે, અસત્યનાનાં નાનાં હોય છે. અસત્યની સીમા હોય છે. સત્ય એટલું અસીમ છે કે એ પોતાનાથી વિપરીતને પણ સમાવિષ્ટ કરી લે છે. આ કારણે જ મહાવીરના વિચારો બહુ દૂર સુધી ન પહોંચી શક્યા. વધારે મોટી સંખ્યાના લોકો સુધી પહોંચી શક્યા. સામાન્ય રીતે બધા લોકો કાંઈ ચોક્કસ નિશ્ચિત વિધાન, ‘ડોમેટીક (dogmatic) વિધાનને આવકારે છે. કોઈને ઊંડાણથી વિચારવું ગમતું નથી. વિચારવામાં એક અડચણ લાગે છે. તકલીફ લેવી પડે છે. બધાને તૈયાર
સ્પષ્ટ વિધાન જોઈએ છે. જેમાં કોઈ પ્રકારની શંકાન ઊભી રહે. કોઈ તીર્થકર ઊભો થઈને કહી દે કે જે હું કહું છું તે જ સત્ય છે, તો જેમને વિચારવાની તકલીફ લેવી નથી, તે કહેશે કે બરાબર છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦૨
અહિંસા એટલે જીવેષણાનું મૃત્યુ
હવે સત્ય મળી ગયું, ઝંઝટ મટી.
મહાવીર આટલી નિશ્ચિંતતા કોઇને આપતા નથી. મહાવીર પાસે બેઠેલો માણસ સવારે જેટલો ગુંચવણમાં હોય તેટલો જ કે તેથી વધારે ગુંચવણમાં સાંજે હશે. જેટલો પરેશાન સવારે આવ્યો ત્યારે હોય તેટલો પરેશાન સાંજે પાછો ફરશે ત્યારે હશે. કારણકે દિવસ દરમિયાન મહાવીરને એકબીજાથી વિપરીત બાબતો વિષે પણ ‘હા’ કહેતા એ સાંભળશે. એના વિચારોના જે નિશ્ચિત આધારો હતા તે બધા જ સાંજ સુધીમાં ડગમગી જશે. એના વિચારોનું માળખું અને રૂપરેખા બધું ધરાશાયી થઇ જશે. મહાવીર કહે છે કે સત્ય સુધી તમારે જો પહોચવું હોય તો બધા વિચારો પ્રત્યેના તમારા આગ્રહ છૂટી જવાં જોઇએ. તમે જ્યારેકહો છો કે આ જ સત્ય છે ત્યારે તમે હિંસા આચરો છો. ત્યારે તમે સત્ય પર પણ તમારો માલિકી હક હોવાનો દાવો કરો છો; ત્યારે તમે સત્યને નાનું બનાવી દો છો અને એને તમારી સાથે બાંધી લો છો. આ સત્યનો સુદ્ધા, પરિગ્રહ કરવા સુધી તમે પહોંચો છો. એટલે મહાવીર કહે છે કે બીજો જે કાંઇ કહે તે પણ સત્ય હોઇ શકે. તમે ઉતાવળ નકરશો-બીજાને ખોટો છો એમ કહેવાની.
મુલ્લા નસરૂદ્દીનને એના દેશના રાજાએ પોતાની પાસે હાજર થવા હુકમ કર્યો. રાજાને ફરિયાદ કરાઇ હતી કે નસરૂદ્દીન ગજબનો માણસ છે. તમે હજી તમારી વાત પુરી કરો તે પહેલાં જ એ વાતનું ખંડન કરવાનું શરૂ કરી દે છે. રાજાએ કહ્યું કે આ તો જબરજસ્તી છે. બીજાને પોતાની વાત કહેવાની તક મળવી જોઇએ. એટલે રાજાએ નસરૂદ્દીનને બોલાવીને પૂછ્યું : મેં સાંભળ્યું છે કે તમે બીજાની વાત સાંભળ્યા પહેલાં, એની વાત પૂરી સમજ્યા પહેલાં જ, એ વાત ખોટી છે એમ કહેવાનું શરૂ કરી દો છો એ વાત સાચી છે ?
નસરૂદ્દીને કહ્યું, હા, તમે બરાબર વાત સાંભળી છે.
રાજાએ પૂછ્યું કે મારા વિચારો વિશે તારું શું મંતવ્ય છે ? રાજાએ પોતાના શું વિચારો છે તે કહ્યું જ નહોતું ત્યાં તો નસરૂદ્દીને કહી દીધું, તમારા બધા વિચારો બિલકુલ ખોટા છે.
રાજાએ કહ્યું, હજી તમે મારા શું વિચારો છે તે તો સાંભળ્યા નથી!
નસરૂદ્દીને કહ્યું, સાંભળવાનો સવાલ નથી, વિચારો તમારા છે એટલે ખોટા છે. મારા વિચારો જ બરાબર છે. તમે શું વિચારો છે એ વાત અપ્રસ્તુત છે, અસંગત છે. તમે વિચારો છો એટલું જ, એ વિચારો ખોટા હોવા માટે પૂરતું છે. હું જે વિચારું તે સાચું હોવા માટે પૂરતું છે.
આપણે બધા એવા જ છીએ. આપણે એટલા હિંમતવાળા નથી કે સાંભળ્યા પહેલાં જ બીજાના વિચારો ખોટા છે એમ કહી દઇએ. આપણે સાંભળ્યા પછી પણ કાઇના વિચારો ખોટા છે એમ કહી દઇએ ત્યારે આપણને પહેલેથી જ ખબર હતી કે બીજાના વિચારો ખોટા હોવાના જ, એટલે તમે સાંભળો છો અને સાંભળીને કહો છો કે બીજાના વિચારો ખોટા છે. એ વાત પણ સાચી નથી. તમે સાંભળતા જ નથી, તમે પહેલેથી જાણતા જ હતા કે બીજાના વિચારો ખોટા છે. થોડો સંકોચ,
Page #108
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૧૦૩
શિષ્ટતા, ધીરજ રાખવા માટે મજબૂર કરે છે. એમ થાય છે કે ઓછામાં ઓછું કોઈને સાંભળવું તો જોઈને ? એ ખોટો છે એ તો આપણને ખબર છે, મુલ્લા નસરૂદીન એક રીતે આપણાથી વધારે ઈમાનદાર માણસ છે. એ કહી જ દે છે પહેલેથી કે સાંભળવામાં શા માટે સમય બગાડવો. મને ખબર છે જ કે તમે ખોટા છો. કારણકે, હું એકમાત્ર સાચો છું, બાકી બધા ખોટા છે. જગતના બધા વિવાદ આવા છે. રાજા મુલ્લાની વાત સાંભળી રાજી થયો અને કહ્યું કે તમે હવે મારા દરબારમાં જ રહી જાઓ. જે દિવસથી મુલ્લાને રાજા તરફથી પગાર મળવાનો શરૂ થયો તે દિવસથી રાજા પણ હેરાન થઈ ગયો. હવે રાજા જે પણ કહે તો તે વિષે મુલ્લા કહેતાકે બરાબર છે, તમારી વાત એકદમ સાચી છે. એક દિવસ મુલ્લા રાજા સાથે જમવા બેઠો હતો. કોઈ શાક પીરસાયું. રાજાએ કહ્યું, મુલ્લા, આજે શાક બહુ સ્વાદિષ્ટ છે. મુલ્લાએ કહ્યું, અરે, અમૃત છે, સ્વાદિષ્ટ હોય જ, મુલ્લાએ એ જ શાક્ના છૂટેમોએ વખાણ કર્યા, એટલા વખાણ કર્યા કે રાજાએ બીજે દિવસે પણ એજ શાક બનાવરાવ્યું, પરંતુ શાક એટલું સારું બન્યું નહોતું. મુલ્લાએ ફરી વખાણ કર્યા. રસોઈયાને ખબર પડીકે શાકના ખૂબવખાણ થયાં છે, એટલે ત્રીજે દિવસે પણ એ જ અમૃત જેવું શાક ફરી બનાવ્યું. રાજાએ શાકની થાળીને ધક્કો મારી નીચે પાડી નાખી ને કહ્યું કે આ તે કેવી અસભ્યતા ? રોજરોજ એકનું એક શાક બનાવાય છે? જરીકે રાહ જોયા વિના મુલ્લાએ તરત કહ્યું, આશાકઝેર જેવું છે. રાજાએ પૂછ્યું અરે મુલ્લા!ત્રણ દિવસ પહેલાં તો આ શાક અમૃત જેવું છે એમ કહેતા હતા? મુલ્લાએ કહ્યું, હું તમારોનોકર છું, આ શાકનોનોકરનથી. પગાર તમે આપો છો, આશાકનથી આપતું? રાજાએ કહ્યું, થોડા દિવસ પહેલાં જ્યારે તમે પહેલી વાર મળ્યા ત્યારે કહેતા કે દરેક બાબતમાં તમે પોતે જ સાચા છો ? આજે કેમ મારી હો માં હા ભણો છો ? મુલ્લાએ કહ્યું, ત્યારે હજી હું વેચાયો નહોતો. મને ત્યાં સુધી કોઈ પગાર આપતું નહોતું પરંતુ ખ્યાલ રાખજો, જે દિવસથી તમે મને પગાર નહીં આપો, તે દિવસથી સાચો તો જ છું. આ તો તમે પગાર આપો છો એટલે તમારા વિચાર મુજબ ચાલું છું. આપણે બધાનું એક અભિમાન છે. આપણે બીજાને સાચા માનવા તૈયાર નથી. મહાવીર કહે છે, બીજે પણ સાચો હોઈ શકે છે. તમારો વિરોધી પણ સત્યને સાથે લઈને ચાલે છે, માટે કોઈ પણ જાતનો આગ્રહ ન રાખો. અનાગ્રહી બની જાઓ. એટલે મહાવીરે પોતાના કોઈ સિદ્ધાંતો માટે આગ્રહ રાખ્યો. મહાવીરે જેવી અનિશ્ચિત અને પ્રવાહી વાતો કરી એવી બીજી કોઈ વ્યક્તિએ કરી નથી. પોતાનાં બધાં વિધાનો સાથે “ચા” શબ્દ લગાવતા હતા ‘સ્યાત” એટલે કદાચ તમારા
Page #109
--------------------------------------------------------------------------
________________
અહિંસા એટલે જીવેષણાનું મૃત્યુ
વિચાર છે, તે હજી મહાવીરને ખબર ન હોય તોપણ, પોતાના વિધાન સાથે મહાવીર ‘સ્યાત્’ શબ્દ લગાવતા. તમે એમને પૂછો કે, આત્મા છે ? તો મહાવીર કહે ‘સ્યાત્’, કારણ મહાવીરને એમ લાગતું કે કોઇનો અભિપ્રાય એનાથી જુદો હોય તો એને ખોટું ન લાગવું જોઇએ, એને કોઇ રીતે માનસિક આધાત ન લાગવો જોઇએ. તમે પૂછો કે મોક્ષ છે ? તો મહાવીર કહેશે કે ‘સ્યાત્’.
૧૦૪
એવું નથી કે મહાવીરને આ બાબતોની જાણકારી કે જ્ઞાન નહોતાં. મહાવીર બરાબર જાણે છે કે મોક્ષ છે. પરંતુ મહાવીર એ પણ જાણે છે કે કોઇ પણ વિધાન અહિંસક હોય તો એની સાથે ‘સ્યાત્’ શબ્દ લગાવવો જરૂરી છે, એમને એમ પણ થતું કે ‘સ્યાત્' શબ્દ લગાવવાથી સામેની વ્યક્તિના અભિમાનને ધક્કો લાગતો નથી, અને એટલે એ તમારી વાત સમજવા માટે સહેલાઇથી તૈયાર થઇ શકે છે. જો મહાવીર એકદમ ભારપૂર્વક મોક્ષ છે એમ કહે તો સામેવાળામાં અકડાઇ અને અભિમાન જાગે છે. તુરત એ વ્યક્તિ કહેવા લાગે છે કે કોણ કહે છે મોક્ષ છે? મોક્ષ છે જ નહીં, અને તત્કાલ‘હું’ નો સંઘર્ષ શરૂ થાય છે. બધા વિવાદ ‘હું’ ના વિવાદ છે. એટલે મહાવીરનાં બધાં વિધાનોમાં આગ્રહનો અભાવ છે. મહાવીરને પોતાનો પંથ સ્થાપવામાં આ કારણે ઘણી મુશ્કેલી નડી.
કોઇ વ્યક્તિ, ગોશાલક કે જે મહાવીરનો પ્રતિસ્પર્ધીહતો, તેની પાસે જતો, તો ગોશાલક બેધડક કહેતો મહાવીર ખોટા છે, હું જ સાચો છું. એ જ વ્યક્તિ મહાવીર પાસે જાય તો મહાવીર કહેશે ગોશાલક સાચો હોઇ શકે. આવી પરિસ્થિતિમાં એ વ્યક્તિ કોનો અનુયાયી બનશે ? મહાવીરનો કે ગોશાલકનો ? એની જગ્યાએ તમે હો તો તમને પણ ગોશાલકના અનુયાયી બનવાનું વધારે ગમશે કારણ કે, ગોશાલક જે કહે છે તે વિષે નિશ્ચિત તો છે, એની વાત સાફ તો છે. જ્યારે ઉલટું મહાવીર તો કહે છે, ‘ગોશાલક કદાચ સાચો હોય,’ તો જેને પોતાની વાત સાચી છે, એ વાત જ નિશ્ચિત લાગતી નથી, જે વ્યક્તિ પોતે જ સ્પષ્ટતાથી ‘હા કે ના’ કહી શકતી નથી, એની પાછળ કેમ જવાય? એવી વ્યક્તિની પાછળ આપણી નાવ બાંધવાથી ડૂબવાનો ભય છે. એ ક્યાં જાય છે ! કદાચ ક્યાંય જાય છે કે નહીં ! એ પહોંચશે કે નહીં! એવી શંકાઓ પેદા થાય છે.
જ
આ કારણે મહાવીરની પાછળ અત્યંત બુદ્ધિમાન વર્ગ જ આવી શક્યો. હું એવા લોકોને બુદ્ધિમાન કહું છું કે જેઓ સત્ય વિષે આગ્રહી નથી. એ લોકો જ મહાવીરના ‘સ્યાત્’ કહેવાના સાહસને સમજી શક્યા. જેઓને મહાવીર સત્ય જાણતા હોવા છતાં ‘સ્યાત્’ કહીને, પોતાના સત્ય વિષે અનાગ્રહી રહેવાનું સાહસ સમજાયું, તેઓ ખરેખર બુદ્ધિમાન હતા. પરંતુ જેમજેમ સમય પસાર થતો ગયો તેમતેમ, લોકો મહાવીરના સત્યને કારણે નહીં. પરંતુ પોતે જૈન હોવાને કારણે મહાવીરને મનિવા લાગ્યા. એ લોકો અનાગ્રહી ન રહી શક્યા, એમનો આગ્રહ ખતરનાક થવા લાગ્યો.
એક મોટા જૈન પંડિત મને મળવા આવ્યા હતા. એમણે ‘સ્યાતવાદ’ પર એક પુસ્તક લખ્યું હતું. ‘અનેકાન્ત’ જેની આપણે વાત કરી તે વિષય પર પુસ્તક લખ્યું હતું. અમે વાત કરતા હતા. મેં એમને કહ્યું કે ‘સ્યાતવાદ’ નોતો અર્થ જ એ છે, કે ‘કદાચ આ વાત સાચી હોય, કદાચ ન પણ હોય.’ એમણે કહ્યું, ‘હા બરાબર છે.’
Page #110
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
૧૦૫
વાત થોડી આગળ ચાલી. પછી મેં એમને પૂછ્યું, પરંતુ સ્વાતવાદબધી રીતે, પૂર્ણરૂપે સાચો છે એમ લાગે છે ?' એમણેહ્યું સ્વાતવાદ પૂર્ણરૂપે સાચો જ છે. સ્વાતવાદપર પુસ્તક લખનાર પંડિત પણ ધે છે, “એમાં કાંઈ ભૂલ હોઈ શકે જ નહીં.” એતો સર્વશની વાણી છે. મહાવીરની ભૂલચૂક હોઈ શકે જ નહીં! મહાવીર જિંદગીભર કહેતા રહ્યા, “પૂર્ણ સત્યની અભિવ્યક્તિ કયારેય થઈ શકતી નથી. જ્યારે પણ સત્યને બોલવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે સત્ય અધૂરું પકડાય છે.’ ભાષામાં એને વ્યક્ત કરતાં જ, એ અપૂર્ણ, અધૂરું રહે છે. ભાષાની સીમાઓ છે. તર્કની, બોલનારની, સાંભળનારની, એ બધી સીમાઓ છે. એ જરૂરી નથી કે હું જે બોલું છું તે જ તમે સાંભળો. જરૂરી નથી હું જે જાણું છું તે જ હું બોલી શકું. એ પણ જરૂરી નથી કે હું જે કહી શકું તે જ બોલવાની કોશિશ કરી રહ્યો હતો. બોલવાનું શરૂ કરતાં જ સીમાઓ લાગવાની શરૂ થઈ જાય છે કારણકે આપણે જે કહીએ છીએ તે સમયની ધારામાં પ્રવેશ કરી જાય છે, જ્યારે સત્ય સમયની ધારાની પાર હોય છે. આ એના જેવું છે કે આપણે સીધી લાકડી પાણીમાં નાખીએ તો એ તરત વાંકદેખાવા લાગે છે. પાણીમાંથી બહાર કાઢતાં જ લાકડી સીધી દેખાય છે. મહાવીર કહે છે કે જેવું સત્ય આપણે ભાષામાં ઉતારીએ છીએ કે તરત એ વાંકું થઈ જાય છે. જેવું એ સત્ય ભાષાની બહાર, શુદ્ધ, શૂન્યમાં લઈ જઈએ છીએ કે એ પૂર્ણ થઈ જાય છે, એનું વાંકાપણું રહેતું નથી. એટલે જ, મહાવીર
જ્યારેજ્યારે કોઈ વિધાન કરતા ત્યારે સ્યાત” શબ્દ વાપર્યા વિનાન કરતા. કહેતાકે કદાચ મારી વાત સાચી છે. આ વિધાન નિશ્ચયનો અભાવ નથી બતાવતું, કેવળ અનાગ્રહનો ભાવ વ્યક્ત કરે છે. મહાવીર 'uncertain’ નથી. એમને બરાબર ખબર છે. મહાવીરને એટલું સ્પષ્ટ ભાન હતું કે બધાં વિધાન ઝાંખાં પડી જાય છે. મહાવીરનો અહિંસાનો અંતિમ પ્રયોગ છે, અહિંસાનો વિચાર પણ આગ્રહપૂર્ણ નથી. આ વિચાર પણ “મારો નથી એમ કહેતાં જ એમાંથી આગ્રહનું તત્ત્વનીકળી જાય છે. જે કોઈ વિચાર સાથે મારાપણું જોડાઈ જશે તે વિચાર સાથે આગ્રહ જોડાઈ જશે. ના કોઈ ધન મારું છે, નામિત્ર મારા છે, ના પરિવાર મારો છે, ના શરીર મારું છે, ના આ જીવન મારું છે, કાંઈ મારું નથી. આપણી અને મારાપણા વચ્ચે જ્યારે એક અંતરાલ સર્જાય છે, જ્યારે બધા મારાપણાનું વિસર્જન થઈ જાય છે ત્યારે એકલો, ‘alone' બચું છું. આ જે એકલાપણું છે, તેને સમજવાની પ્રક્રિયાનું નામ છે અહિંસા. અહિંસાપ્રાણ છે, સંયમસેતુ છે અને તપ આચરણ છે. કાલે આપણે સંયમ પર વાત કરીશું.
Page #111
--------------------------------------------------------------------------
________________
धम्म-सूत्र : २ (संयम)
धम्मो मंगलमुक्किळं, अहिंसा संजमो तवो। देवा वि तं नमंसन्ति, जस्स धम्मे सया मणो ।।
धर्भ सर्वश्रेष्ठ भंग छे. (ज्यो धर्म?) अहिंसा, संयम, भने त५३पी धर्म भंगण छ.? મનુષ્યનું મન આવા ધર્મમાં સદા સલંગ્ન રહે છે, તેને દેવતા પણ નમસ્કાર કરે છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
9. “સંયમ એટલે મધ્યમાં રહેવું તે.
એક મિત્રે પૂછ્યું છે કે મહાવીર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય, અને રસ્તા પર કોઈ પ્રાણીની હત્યા કરી રહ્યું હોય, તો મહાવીર શું કરે ? કોઈ સ્ત્રી સાથે બળાત્કાર થઈ રહ્યો હોય તો શું કરે? શું મહાવીર જાણે હાજર જ ના હોય એવો વ્યવહાર કરશે? કોઈ અસહ્ય પીડામાં રસ્તા પરતરફડી રહ્યું હોયતો મહાવીર શું કરે ? આ વિશે થોડી ચર્ચા કરી લેવાનું ઉપયોગી થશે. મહાવીર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય અને કોઇની હત્યા થઈ રહી હોય, ત્યારે હત્યાની ઘટનામાં જે આપણે જોઈએ છીએ તેવું મહાવીરને દેખાતું નથી. આ ભેદ સમજવા જેવો છે. આપણે કોઈની હત્યા થતી જોઈએ છીએ તે ઘડીએ આપણને થાય છે કે કોઈ હત્યા કરી રહ્યું છે. પરંતુ મહાવીર જાણે છે કે જે જીવનનું તત્ત્વ છે તેને કોઈ મારી શકતું નથી, જીવનનું તત્ત્વ અમર છે. બીજી વાત, જ્યારે આપણે કોઈ મરાતું જોઈએ છીએ ત્યારે આપણને થાય છે કે મારનાર વ્યક્તિ જ જવાબદાર છે. પરંતુ મહાવીરને એમાં ફરક દેખાશે. જે મરાઈ રહ્યો છે તે પણ, એક ઊંડા અર્થમાં જવાબદાર હોવો જોઈએ અથવા મરનાર પોતાના જ કોઈ કર્મનું ફળ ભોગવતો હોય. જે ઘડીએ આપણે જોઈશું તે ઘડીએ આપણને માર ખાનાર નિર્દોષ લાગશે અને મારનાર ગુનેગાર લાગશે. આપણાં દયા અને કરુણા માર ખાનાર તરફ વહેવા માંડશે. મહાવીર માટે આવું બનવું જરૂરી નથી, કારણકે મહાવીરની દૃષ્ટિ ઊંડાણથી જોઈ શકે છે. એવું બની શકે કે મારનાર એક પ્રતિક્રમ રૂપે મારી રહ્યો હોય. આ જગતમાં કોઈને અકારણ મારવામાં આવતું નથી. જયારે પણ કોઈ મરાય છે, ત્યારે એ પોતાનાં જ કર્મોની શૃંખલાનું ફળ ભોગવી રહ્યો હોય છે. એનો અર્થ એવો નથી કે મારનાર બિલકુલ જવાબદાર નથી, પરંતુ આપણા અને મહાવીરના જોવામાં ફરક છે. જ્યારે
Page #113
--------------------------------------------------------------------------
________________
‘સંયમ’ એટલે મધ્યમાં રહેવું
કોઇ મરાઇ રહ્યું હોય છે, ત્યારે આપણને લાગે છે કે ચોક્કસ કાંઇ પાપ થઇ રહ્યું છે, કાંઇ ખોટું કામ થઇ રહ્યું હોય છે, કારણકે આપણી દૃષ્ટિ એક સીમામાં જુએ છે. મહાવીર જીવનની અનંત શૃંખલાનું એકી સાથે દર્શન કરે છે. આ શૃંખલામાં કોઇ પણ કર્મ અલગ અલગ હોતાં નથી. બધાં કર્મ પાછળ અને આગળ બન્ને તરફ જોડાયેલાં હોય છે.
૧૦૮
જો કોઇ માણસે હીટલરને ૧૯૩૦ પહેલાં મારી નાખ્યો હોત તો એ માણસ હત્યારો સિદ્ધ થાત. આપણને એ વાત દેખાતી નથી કે એવા માણસને મારવામાં આવી રહ્યો છે, કે જે એક કરોડ માણસોની હત્યા કરવાનો હતો. પરંતુ મહાવીર હીટલરની કર્મશૃંખલાને જોઇ શકે છે. એ હીટલરનો હત્યારોખરેખર સારું કામ કરતો હતો કે બૂરું કામ કરતો હતો તે નક્કી કરવાનું મુશ્કેલ થઇ જશે. જો હીટલર મરી જાય તો કરોડો માણસનું જીવન બચી શકે; પરંતુ એનો અર્થ એવો નથી કે હીટલરને જે મારી રહ્યો હતો તે કોઇ સારું કામ કરી રહ્યો હતો. સાચી વાત તો એ છે કે મહાવીર જેવા લોકો જાણે છે, કે આ જગતમાં સારા અને નઠારા વચ્ચે પસંદગી નથી, પરંતુ ઓછા નઠારા અને વધારે નઠારા વચ્ચે પસંદગી છે. ‘Lesser evil’ ની પસંદગી થાય છે. સામાન્ય રીતે આપણે સારા અને ખરાબ, એવા બે વિભાગમાં કર્મોને અલગ પાડીએ છીએ. આપણે જિંદગીનું અંધકાર અને પ્રકાશ જેવા બે હિસ્સામાં વિભાજન કરીએ છીએ. પરંતુ મહાવીર જાણે છે કે આવા સ્પષ્ટ વિભાગ થઇ શકતા નથી. જે કાંઇ આપણે કરીએ છીએ તે ઓછામાં ઓછું ખરાબ છે એમ સમજીને કરીએ છીએ. જે માણસ હીટલરની હત્યા કરવાનો હતો, તે ખોટું કામ જરૂર કરવાનો હતો. પરંતુ હીટલરના જીવવાથી જે હીટલર કરવાનો હતો, તે કામ એટલું ખરાબ હતું, કે એના હત્યારાને ખરાબ કહેતાં આપણને સંકોચ થાય.
એટલે સર્વપ્રથમ હું એ વાત કહેવા માગું છું કે જેવું તમે જુઓ છો એ રીતે મહાવીર જોતા નથી. આ સાથે એ વાતને પણ જોડી દેવાની જરૂર છે કે મહાવીર જાણે છે કે ચોવીસે કલાક અનેક પ્રકારની હત્યાઓ થઇ રહી છે. આપણને એ હત્યાઓ ક્યારેક દેખાય છે. તમે ચાલો છો ત્યારે તમે કોઇની હત્યા કરો છો, તમે શ્વાસ લો છો ત્યારે કોઇની હત્યા કરો છો, તમે ભોજન કરો છો ત્યારે પણ કોઇની હત્યા કરો છો, તમારી આંખની પલક બિડાય છે ત્યારે હત્યા થાય છે. પરંતુ આપણને તો કોઇની છાતીમાં છરી ભોંકાતી હોય ત્યારે જ હત્યા દેખાય છે.
મહાવીર જાણે છે કે જીવનની જે વ્યવસ્થા છે તે હિંસા પર ઊભેલી છે. અહીં ચોવીસે કલાક, દરેક પળે હત્યા થઇ રહી છે. એક મિત્ર મારી પાસે આવ્યા હતા. તે કહેતા કે મહાવીર જ્યાંજ્યાં વિહાર કરતા હતા તેની આસપાસ અનેક લોકો, માઇલો સુધી, બીમાર હોય તો તે સાજા થઈ જતા હતા. મને મન થયું એને કહેવાનું કે એને બીમારીનાં રહસ્યોની કદાચ ખબર જ નહોતી. જ્યારે તમે બીમાર પડો છો ત્યારે તમે તો બીમાર હો છો, પરંતુ અનેક કીટાણું તમારા શરીરમાં ભોજન પામે છે. જો મહાવીરના પસાર થવાથી તમે સાજા થઇ જશો તો અનેક કીટાણું જે તમારા શરીરમાં જીવતા હતા તે મરી જશે. ધ્યાન રાખજો કે મહાવીર આવી કોઇ ઝંઝટમાં પડતા નહોતા. તમે કોઇ
Page #114
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
ખાસ વિશિષ્ટ છો, એવું મહાવીર માનતા ન હતા. મહાવીર માટે પ્રત્યેક પ્રાણનું એક સરખું મૂલ્ય છે. તમારા પર કૃપા કરીને મહાવીર તમને સાજા કરવાનું જોખમ નહી લે, કારણ એમાં બીજા કરાડો જીવ જે તમારા પર નભતાં હતાં તે નષ્ટ થશે. તમે માનો છો એટલાં મૂલ્યવાન તમે છો નહીં. બધા જીવ પોતાને તમારા જેટલા જ મૂલ્યવાન માને છે. માત્ર તમને એ વાતની ખબર નથી. એ જીવોને પણ તમારી હયાતીની ખબર નથી. જે જીવો તમારા પર નભે છે, તેઓને તમે પણ જીવો છો એની ખબર નથી. તમે તો એમનું ભોજનમાત્ર છો.
૧૦૯
તો આપણે જે રીતે હત્યાને જોઇએ છીએ એટલી સરળતાથી એ હત્યાને મહાવીર જોતા નથી. મહાવીર માટે તો જીવેષણા જ હિંસા છે, હત્યા છે. એ કોની જીવેષણા છે તે સવાલ પણ ઊઠતો નથી. જે કોઇ જીવવા માગે છે, તે હત્યા કરશે. એવું પણ નથી કે જે જીવેષણા છોડી દેશે તેનાથી હત્યા થવાનું બંધ થઇ જશે. જ્યાં સુધી એ જીવશે ત્યાં સુધી એનાથી પણ હત્યા થશે. પરંતુ મહાવીર એટલું જરૂર કહેશે કે જેની જીવેષણા છૂટી ગઇ, એનો કૃત્યો સાથેનો સંબંધ છૂટી ગયો. સંબંધ હતો તે માત્ર જીવેષણાને કારણે હતો.
મહાવીર પણ જ્ઞાની થયા પછી ચાલીસ વર્ષ જીવ્યા. એ ચાલીસ વર્ષમાં મહાવીર ચાલશે તો કોઇ મરશે. પરંતુ મહાવીર એટલા સંયમથી જીવે છે કે ઓછામાં ઓછી હત્યા થાય. રાત્રે સૂઇ જાય છે. ત્યારે પડખું પણ બદલતા નથી. એક પડખે આખી રાત સૂઇ રહે છે. એથી ઓછું કરવું મુશ્કેલ છે. બીજુ પડખું બદલતા નથી, કારણ, એમ કરવાથી કોઇ જીવ નષ્ટ થવા સંભવ છે. એકદમ ધીમેથી શ્વાસ લે છે, જેથી ઓછામાં ઓછા હવાનાં જંતુ નાશ પામે, પરંતુ શ્વાસ તો લેવો જ પડે. તો આપણે કહી શકીએ કે આવું બધું કરવું પડે એના કરતાં, કૂદકો મારીને મહાવીર મરી કેમ જતા નથી? પોતાની જાતને જ સમાપ્ત કરી નાખે. પરંતુ એ જો પોતાની જાતનો નાશ કરવા જાય તો જે કરોડો જંતુ એમના શરીરમાં જીવન ભોગવે છે તેમનું શું ? દરેક સ્વસ્થ વ્યક્તિના શરીરમાં સાત કરોડ જીવ પોષાય છે. અસ્વસ્થ બીમાર વ્યક્તિના શરીરમાં તો ઘણાં વધુ જીવ પોષાય છે. મહાવીર જ્યારે હિંસાનું દર્શન કરે છે ત્યારે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. જેટલી ઉપરછલ્લી રીતે તમારી આંખો જુએ છે એટલું સહેલું મહાવીર માટે હોતું નથી.
હત્યા શું છે ? કોને હત્યા કહી શકાય ? મહાવીરની દૃષ્ટિએ તો જીવન જીવવાની કોશિશમાં હત્યા છે અને જીવન જીવવામાં હત્યા છે. દરેક પળે હત્યા થઇ રહી છે. પ્રત્યેક જીવ જીવવા માગે છે. એટલે જ્યારે એના પર હુમલો થાય છે ત્યારે એને એમ લાગે છે કે હત્યા થઇ રહી છે. જંગલમાં જઇને તમે કોઇ સિંહનો શિકાર કરો છો ત્યારે તમારે માટે એ એક રમત છે અને સિંહ જ્યારે તમારો શિકાર કરે ત્યારે એ હત્યા બની જાય છે. ત્યારે સિંહ જંગલી જાનવર બની જાય છે અને તમે એક બહુ સભ્ય જાનવર છો.
એક મજાની સમજવા જેવી વાત છે કે સિંહ ભૂખ ન લાગી હોય, ત્યાં સુધી એ તમારા પર હુમલો નહી કરે. પરંતુ તમે સિંહ પર હુમલો કરશો ત્યારે તમારું પેટ ભરેલું હશે. કોઇ ભૂખ્યા માણસો
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૧૦
સંયમ' એટલે મધ્યમાં રહેવું તે
જંગલમાં શિકાર કરવા જતા નથી. જેને પેટ ભરીને ભોજન મળેલું છે, જેને તે પચાવવાનો બીજો કોઇ ઉપાય જડતો નથી, તેઓ શિકાર કરવા જાય છે. સિંહતો જ્યારે ભૂખ્યો હોય, હત્યા કરવાનું અનિવાર્ય હોય, ત્યારે જ હુમલો કરે છે. એક શહેરમાં એક અદ્ભુત પ્રદર્શન ગોઠવાયું. એક બકરી અને એક સિંહ એક પિંજરામાં રખાતાં. એક મૈત્રીનો નમૂનો રજૂ થયો હતો. લોકો આ ચમત્કાર જોઈ ખુશ થતા હતા. સિંહ અને બકરી શાંતિથી બેઠેલાં દેખાતાં. જૈન લોકો આ જુએ તો ખુશ થાય. પરંતુ એક માણસને પ્રશ્ન થયો કે આ કેવી રીતે બને ? એણે જઈને મેનેજરને પૂછ્યું, તમારું પ્રદર્શન તો અદભુત છે, પરંતુ કોઈ વાર સિંહ-બકરીને સાથે રાખવામાં જોખમ ઊભું નથી થતું? મેનેજરે કહ્યું કોઈ ખાસ અડચણ નથી આવતી. અમારે દરરોજ એકનવી બકરી બદલવી પડે છે. બાકી બધું બરાબર છે. સિંહ ભૂખ્યો નથી હોતો, ત્યાં સુધી બધું બરાબર ચાલે છે. પરંતુ સિંહ ભૂખ્યો થાય છે કે એ બકરીને ખાઈ જાય છે. અમે બીજે દિવસે નવી બકરી ગોઠવી દઈએ છીએ. આ પ્રદર્શનમાં કોઈ સમસ્યા ઊભી થતી નથી. માણસ સિવાય બિનજરૂરી હિંસા કોઈ જાનવર નથી કરતું, પરંતુ માણસે કરેલી હિંસા માણસને હિંસા જેવી લાગતી નથી. માણસે કરેલી હિંસાને આપણે નવાં નવાં નામ આપીએ છીએ. માણસની હત્યાન થવી જોઈએ. એમાં માણસ માણસ વચ્ચે પણ આપણે વિભાજન કરીએ છીએ. માણસ જેટલો આપણી નજીક હોય, એટલી એની હત્યા વધારે ક્રૂર દેખાય છે. પાકિસ્તાની મરાયો હોય તો ઠીક, કોઈ ભારતીય મરાયો તો તકલીફ ઊભી થાય છે. ભારતમાં પણ કોઈ હિન્દુ મરી જાય તો મુસલમાનને કાંઈ તકલીફ થતી નથી. જૈન મરી જાય તો કોઈ હિન્દુને તકલીફ થતી નથી. આથી વધારે નજીકથી જોઈએ. દિગંબર મરી જાય તો શ્વેતાંબરને કોઈ તકલીફ નથી. શ્વેતાંબર મરે તો દિગંબરને કોઈ તકલીફ નથી. એથી વધારે નીચે ઊતરીએ તો આપણાં કુટુંબનું કોઈ મરે તો દુ:ખ થાય છે. બીજા કુટુંબમાં મર્યું હોય તો સહાનુભૂતિ બતાવીએ છીએ, સહાનુભૂતિ હોતી નથી. વળી જો એવો સવાલ પેદા થાય કે કાં તો તમે જીવતા રહો કે તમારા પિતા જીવતા રહે? તો પિતાને મરવું પડે. તમારો ભાઈ બચે કે તમે બચો એવો પ્રશ્ન ઊભો થાય, તો ભાઈને મરવું પડે. એમાં પણ તમારો વધારે ઊંડો હિસાબ છે. તમારે માથાને બચાવવું કે પગને બચાવવો, એવો પ્રશ્ન ઊભો થાય, ત્યારે પગને કપાવું પડે. મુલ્લા નસરૂદીનના ગામમાં એક સૈનિક આવ્યો હતો. એક કોફી હાઉસમાં બેસીને એ પોતાની બહાદુરીની મોટી મોટી વાતો કરતો હતો. એ કહેતો હતો કે યુદ્ધમાં દુશ્મનોનાં મેં એટલાં બધાં માથાં કાપ્યાં...એટલાં બધાં કાપ્યાં... મુલ્લા થોડીવખત સાંભળી રહ્યો. પછી ‘આ તો કાંઈ નથી. એક વાર યુદ્ધમાં ગયો હતો ત્યારે મૅકેટલાય માણસોના પગ કાપી નાખ્યા, એનો કોઈ હિસાબ નથી.” પેલા સૈનિકે કહ્યું, ‘મહાશય, એના કરતાં તો એમનાં માથા કાપ્યાં હોત તો વધુ સારું થાત.”
Page #116
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૧૧૧
મુલ્લાએ કહ્યું, ‘માથાં તો કોઈ પહેલેથી જ કાપી ગયું હતું. એ બધાના પગ કાપીને ઘેર પાછોર્યો, છતાં મારા શરીરને તો એક ઘસરકો સુદ્ધાં નથી લાગ્યો. તારા શરીરને તો કેટલાય ઘા લાગ્યા છે.” માથું પગકરતાં વધારે નજીક લાગે છે. જ્યારે માથું કે પગ બેમાંથી એક કાપવાનો પ્રસંગ ઊભો થાય ત્યારે જે નજીક હોય તેને બચાવી લેવું પડે છે. પગ જ કાપવા જોઈએ માથું બચાવવું જોઈએ. હું આખા જગતનું કેન્દ્ર છું. મારી જાતને બચાવવા આખા જગતને દાવ પર લગાવી શકું છું. આ હિંસા છે. મહાવીરનું દર્શન અત્યંત વ્યાપક છે. પરિપ્રેક્ષ્ય તો આપણું અને મહાવીરનું એક છે, પરંતુ મહાવીર જેટલા ઊંડાણથી જોઈ શકે છે એટલું આપણે જોઈ શક્તા નથી. રસ્તા પર બળાત્કાર થઈ રહ્યો હોય તેને આપણે બળાત્કાર કહીએ છીએ. પૃથ્વી પર સોમાંથી નવાણું પ્રસંગોમાં બળાત્કાર જ થાય છે. પતિ પત્નીની ઇચ્છા વિના સંભોગ કરે તો તે બળાત્કાર ન કહેવાય ? કેટલા પતિ પત્નીની ઇચ્છા અને સંમતિની પરવા કરે છે ? કાયદા દ્વારા એક સુવિધા મળી ગઈ હોય તો બળાત્કાર ન ગણાય, એવું સમાજ માને છે. પરંતુ બળાત્કારનો અર્થ જ એ છે કે કોઈની ઇચ્છા વિના કંઈક બળજબરી કરવી. આપણે તો બીજાની ઇચ્છા વિના ઘણું બધું કરીએ છીએ. સાચી વાત તો એ છે કે બીજાની ઈચ્છા વિના કાંઈક કરવાની આપણને મજા આવે છે. એટલે જે પુરુષે ક્યારેક કોઈ સ્ત્રી પર બળાત્કાર કરી લીધો હશે તેને બીજી કોઈ સ્ત્રી સાથે સહજ સ્વાભાવિક પ્રેમ કરવાની મજા નહીં આવે કારણકે કોઈ ચીજ જબરદસ્તીથી કરી લેવામાં કે મેળવી લેવામાં અકારની જે તૃપ્તિ થાય છે, તે ક્યારેય સ્વાભાવિક અને સહજ હોતી નથી. તમે કોઈ માણસ સાથે કુસ્તી લડવા મેદાને પડો અને એ માણસ એની મેળે જમીન પર પડી જઈ તમને કહે કે, હું હારી ગયો, મારી છાતી પર ચઢી જાઓ તો એ કુસ્તી લડવાની તમને મજા આવશે?
જ્યારે કોઈને મહા-મુશ્કેલીથી કુસ્તીમાં જીતો, માંડમાંડ હારવાની અણી પર આવ્યા પછી, સામેવાળાને પાડીને એની છાતી પર ચઢવાનું શક્ય બને ત્યારે એ કુસ્તીમાં કેટલો રસ આવે છે? જે રસ આવે તે વિજયનો છે. એટલે જ પોતાની પત્નીમાં એટલો રસ નથી આવતો, જેટલો બીજાની પત્નીમાં આવે છે. આપણી પત્નીને તો જીતેલી જ છે, (taken for granted) એમાં કાંઈ વધુ રસ રહ્યો નથી. રસ શું છે? રસ વધારે ને વધારે વિજય મેળવવામાં, પછી તે કોઈ પણ વિષયમાં હોય. કામવાસનામાં હોય, ધનમાં હોય કે પદમાં હોય. જેટલી મુશ્કેલી વધુ તેટલું અહંકારને પોષણ વધારે મળે, એ અહંકાર વિજયી બનીને બહાર આવે છે. આપણે આ વિષે મહાવીરને પૂછીએ અને મહાવીરની વાતને ઊંડાણથી સમજીએ તો મહાવીર કહેશે કે જ્યાં જ્યાં અહંકાર રમત રમે છે ત્યાં ત્યાં બળાત્કાર થઈ જાય છે. બળાત્કારના અનેક રૂપો હોય છે. પરંતુ આપણે જો કોઈ પુરુષને સ્ત્રી સાથે બળાત્કાર કરતો જોઈએ તો આપણને બળાત્કાર કરનાર જ જવાબદાર દેખાશે. પરંતુ આપણને એ વાતનો ખ્યાલ નથી રહેતો, કે સ્ત્રી પણ બળાત્કાર કરાવવા માટે કેટલી ચેષ્ટાઓ કરી શકે છે. કારણ કે જેમ પુરુષને સ્ત્રીને જીતવામાં રસ આવે છે,
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૧ર
“સંયમ એટલે મધ્યમાં રહેવું તે
એટલો જ કોઈ સ્ત્રીને એ વાતમાંરસ આવે છે કે કોઈ પુરુષને એબળાત્કાર કરવાની હાલતમાં લાવી મૂકે. કિર્કગાર્ડે એક અદ્ભુત પુસ્તક લખ્યું છે, “Diary of Seducer એક વ્યભિચારીની ડાયરી, કિર્કગાર્ડ એમાં લખ્યું કે, હું માનતો હતો કે વ્યભિચારીની જે ડાયરી હું લખી રહ્યો છું તે માત્ર એક કાલ્પનિક વાર્તા છે. પરંતુ છેલ્લે, એ વ્યભિચારી પોતાના જીવનનાં અંતમાં નોંધ કરે છે કે હું મોટી ભૂલ કરી રહ્યો હતો. હું એમ સમજતો હતો કે હું સ્ત્રીઓને વ્યભિચાર માટે રાજી કરતો હતો, પરંતુ છેવટે મને ખબર પડી કે એ સ્ત્રીઓએ મારી પાસે વ્યભિચાર કરાવ્યો. એમણે મને આકર્ષીને ફસાવ્યો. સ્ત્રીઓની આ કળા, નિષેધ દ્વારા જીતે છે. મને એટલે જ એક પ્રકારનો ભ્રમ રહ્યો. કોઈ સ્ત્રી પુરુષ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકતી નથી. હંમેશા લગ્નનો પ્રસ્તાવ પુરૂષ પાસે જ મુકાવે છે. બધી જાતની તરકીબો વાપરે છે કે જેથી પુરુષ પ્રસ્તાવ કરે. પોતે ક્યારેય પ્રસ્તાવકરતી નથી. આ પુરુષ અને સ્ત્રીના મનનો ભેદ છે. સ્ત્રીઓના મનનો ભેદ બહુ સૂક્ષ્મ છે. તમે એક પુરુષને રસ્તે જતી સ્ત્રીને ધક્કો મારવા જતો જુઓ છો. તમને ત્યારે જ લાગે કે વાંક આ પુરુષનો છે. પરંતુ એ સ્ત્રી જ્યારે પોતાના ઘરની બહાર નીકળે ત્યારે એવો શણગાર કર્યો હતો કે જો કોઈ એને ધક્કો મારે તો એ ઘેર ઉદાસ પાછી ફરે. કોઈ ધક્કો મારે તો એ મોટી ચીસ પણ પાડે, પરંતુ ચીસ પાડવાનું કારણ એ નથી કે એ ધક્કો મારનાર પ્રત્યે નારાજ થઈ છે. સોમાંથી નવાણુ વખત તો એ જ કારણ હોય છે કે જો ચીસ પાડે, તો કોઈને ખબર કેમ પડે કે ધક્કો મરાયો છે. પરંતુ એ સ્ત્રીને પોતાની આંતરિક ઈચ્છાનો કોઈ ખ્યાલ જ ન હોય, એવું પણ સંભવિત છે. કારણકે સ્ત્રી બનીઠનીને વ્યવસ્થાપૂર્વક બહાર નીકળે છે ત્યારે એ ધક્કો ખાવા પૂરતું નિમંત્રણ આપે છે. એ નિમંત્રણ આપવામાં એનો હાથ છે.પરંતુ આપણો વિચાર કરવાનો ઢગ એવો છે કે આપણે હંમેશાં પક્ષપાતી બની જઈએ છીએ. આપણે એમ જ વિચારીએ છીએ કે આવું કાંઈ બને ત્યારે એમાં પુરુષ જ જવાબદાર હોય છે. આપણને એ વાતનો ખ્યાલ નથી આવતો કે જવાબદારી નક્કી કરવાનું કામ એટલું સહેલું નથી. એ કામ અત્યંત ગૂંચવણભરેલું છે. કોઈ બીજું પણ જવાબદાર હોઈ શકે છે. કોઈ બીજાની જવાબદારી વધારે ઊંડી હોઈ શકે છે. કુશળ અને ચાલાક હોઈ શકે છે. સૂક્ષ્મ પણ હોઈ શકે છે. તો જ્યારે આવો પ્રસંગ મહાવીર જુએ
ત્યારે એની પૂર્ણતામાં જુએ. મહાવીર અને આપણા જોવામાં એટલો જ ફરક પડે છે. મહાવીરનું દર્શન પૂર્ણ હોય છે આપણે અધૂરું જોઈએ છીએ. બીજો સવાલ એ છે કે આવા પ્રસંગે મહાવીર શું કરશે ? મહાવીર ભલે આપણાથી અલગ રીતે જુએ, પરંતુ એ કાંઈ કરશે કે નહીં? તો હું આ વિશે એમ કહેવા માગુ છું કે મહાવીર કાંઈ નહીં કરે, જે થતું હશે તે થવા દેશે. આ ફરક સમજવા જેવો છે. તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છો અને કોઈની હત્યા થઈ રહી છે ત્યારે તમે ઊભા રહીને થોડીવાર વિચાર કરશો કે શું કરી શકાય ? કાંઈ પણ કરવું કે ન કરવું? સામેનો માણસ તાકાતવાળી છે કે કમજોર છે? બચાવવા કુદી પડીશ તો એનું પરિણામ શું આવશે? હત્યા કરનારો કોઈ મિનિસ્ટરનો સગોવહાલો તો નહીં હોય? બચાવવા
Page #118
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૧૧૩
જતાં હું તો નહીંફસાઈ જાઉને? તમે પચીસ વાતનો વિચાર કરશો, પરંતુ મહાવીર પોતાનાથી થઈ શકે કે નહીં એનો વિચાર નહીં કરે. વિચારવાનું વ્યર્થ છે. મહાવીરનું વિચારવાનું તો ક્યારનું બંધ થઈ ગયું છે. વિચારવાનું બંધ થયું એટલે તો મહાવીર બન્યા. હવે વિચાર આવતા નથી. વિચાર હંમેશા પક્ષપાતી હોય છે, જ્યારે દર્શન પૂર્ણ હોય છે. દષ્ટિ, દર્શન હંમેશા પૂર્ણ હોય છે. મહાવીરને પોતાના દર્શનમાં એક પરિસ્થિતિ દેખાય છે. પછી જે થવાનું હોયતે થાય છે. મહાવીર પાછું વળીને જોતા - નથી અને વિચારતા નથી કે મેં શું ક્યું? કારણકે મહાવીરે ખરેખર કાંઈ જ ક્યું નથી. એટલે જ મહાવીરે કહ્યું છે કે કોઈ પૂરૂંકૃત્ય, બંધન બનતું નથી. મહાવીરથી શું બનશે, મહાવીર શું કરશે એ વિષે આપણે ભવિષ્યવાણી કરી શકીએ. મહાવીર પણ પહેલેથી કહી નહી શકે કે એ શું કરશે. એ સંયોગોમાં, એ પરિસ્થિતિમાં, મહાવીરથી શું થશે તે કોઈ જ્યોતિષી પણ નહીં કહી શકે. આપણા વિષે ભવિષ્યવાણી થઈ શકે છે. આ સમજવા જેવી વાત છે. જેટલી સમજ ઓછી હશે, એટલી ભવિષ્યવાણી આપણા વિશે કરી શકાશે. જેટલા નાસમજ આપણે હોઈશું, જેટલા યાંત્રિક જીવનારા આપણે હોઈશું, એટલી વધારે ભવિષ્યવાણી આપણે માટે કરી શકાશે. એક મશીન હોય તો તે કેટલું અને કેવું કામ કરશે તેની ભવિષ્યવાણી કરી શકાય છે. એક જાનવર માટે ભવિષ્ય ભાખવામાં થોડી અડચણ પડે, છતાંય ૯૦% આપણે કહી શકીએ કે ગાય સાંજે આવીને શું કરશે? તે કહી શકાય કે નહીં ? ચોક્કસ કહી શકાય. જેમજેમ જીવનની ચેતનાનો વિકાસ થતો જાય છે તેમતેમ એના વિષે ભવિષ્યવાણી કરવાનું મુશ્કેલ થતું જાય છે. સામાન્ય માણસ માટે કહી શકાય કે એ સવારે શું કરશે ? પરંતુ બુદ્ધ કે મહાવીર જેવી વ્યક્તિઓ માટે તેઓ સવારે શું કરશો તે કહી નહીં શકાય. એમનાથી શું થઈ શકે તે અત્યંત અજ્ઞાત અને રહસ્યથી ભરપૂર છે. કારણકે એમના પૂર્ણ દર્શનમાં એમને શું દેખાશે તે કહી શકાય તેમ નથી. એમને કાંઈક દર્શન થાય છે અને તત્કાલકૃત્ય થાય છે. તેઓ એક દર્પણ જેવા છે. જે ઘટનાઓ એમની ચારે તરફ બની રહી છે તે એમનાદર્પણમાં પ્રતિબિંબિત થઈ જશે. એની કોઈ જવાબદારી માણસ પર છે જ નહીં. જે મહાવીરે કોઈને હત્યા કરતાં રોક્યા હશે કે વ્યભિચાર કરતાં અટકાવ્યા હશો તો મહાવીર કોઈને કહેશે નહીં કે મેં કોઈને વ્યભિચાર કરતાં અટકાવ્યો હતો. મહાવીર કહેશે કે મેં જોયું કે વ્યભિચાર થવાનો હતો અને મેં એ પણ જોયું કે મારા શરીરે એ કાર્યને થતું રોક્યું, હું માત્ર સાક્ષી હતો. મહાવીર માત્ર સાક્ષી બની રહેશે, વ્યભિચારના અને વ્યભિચારને રોકતા કૃત્યના. પણ ત્યારે જ એ કર્મની બહાર રહેશે નહિ તો કર્મની બહાર નહી રહી શકે. વિચારપૂર્વક વાસનાથી, ઈચ્છાથી, અભિપ્રાયથી, પ્રયોજનથી કરેલાં કર્મ ફળ લાવે છે. મહાવીર જ્ઞાની થઈ ગયા પછી, એ જે કાંઈ કરે છે તે બધું પ્રયોજનરહિત, ધ્યેયરહિત, ફળરહિત, વિચારરહિત, શૂન્યમાંથી ઉદ્દભવેલું કર્મ છે. જ્યારે શૂન્યમાંથી કર્મઉદ્ભવે છે ત્યારે તે વિષે ભવિષ્યવાણી કરી શકાતી નથી; એ ભવિષ્યની બહાર હોય છે. એટલે મહાવીર કહી શકતા નથી કે હું પણ કહી નથી શક્તો કે મહાવીર શું કરશે? મહાવીર કહેશે કે શું થઈ રહ્યું છે તે તમે જોશો. હું પણ જોઈશ, શું થઈ રહ્યું છે તે. મહાવીરે કરવાનું બધું છોડી દીધું છે. એટલે
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સંયમ” એટલે મધ્યમાં રહેવું તે જમહાવીર, લાઓત્સ, બુદ્ધ કે કૃષ્ણ જેવા માનવોનાં કર્મ સમજવી એ જગતમાં અત્યંત દુર્ગમકઠિન સમસ્યા છે. આપણે આવા પ્રશ્નોશા માટે કરીએ છીએ ? આપણે એટલા માટે પૂછીએ છીએ કે આવા પ્રસંગોએ મહાવીર શું કરશે તે આપણને બરાબર ખબર પડે તો આપણે પણ એ રીતે જ કરીએ, પરંતુ એ ખ્યાલ રાખવો જોઈએ કે મહાવીર થયા વિના આપણે મહાવીર જેવું નહીં જ કરી શકીએ. આપણે મહાવીર જેવું કરતા દેખાઈ શકીએ, પરંતુ તે મહાવીર જેવું તો નહીં જ હોય. આ મોટી મુશ્કેલી છે. મહાવીર પાછળ પચીસસો વર્ષથી એમના અનુયાયી ચાલી રહ્યા છે. એમણે કોઈ વિશેષ પરિસ્થિતિમાં મહાવીર જે કાંઈ કરતા તે વિશે જે સાંભળ્યું હશે, તેની નકલ કરવાનું ચાલુ રાખ્યું છે. નકલમાં કોઈ આત્માનો અનુભવ મળતો નથી. જે કૃત્ય મહાવીર માટે સહજ હતું તે એમના અનુયાયી માટે પ્રયાસપૂર્વકનું બને છે. મહાવીરની દ્રષ્ટિમાંથી જે પેદા થયું હતું તે અનુયાયી માટે માત્ર ગોઠવેલી આદત બની જાય છે. મહાવીરે કોઈ ઉપવાસર્યો હતો ત્યારે એમને માટે ઉપવાસ નો કોઈક જુદો જ અર્થ હતો. એ ઉપવાસ કરતાં મહાવીરએટલા આત્મલીન હતા કે એમને શરીરનું સ્મરણ જ રહ્યું નહીં હોય. આજે મહાવીરના અનુયાયી ભોજન કરે છે ત્યારે એમના શરીરનું એમને સ્મરણ થતું નથી, પરંતુ જ્યારે ઉપવાસ કરે છે ત્યારે તો ચોવીસ કલાક શરીરનું જ સ્મરણ રહ્યા કરે છે. એના કરતાં તો ભોજન કરી લીધું હોત તો મહાવીરની વધારે નિકટ રહેત, શરીરનું સ્મરણ ન આવવાને કારણે મહાવીરે ચોવીસ કલાક ભોજનનક્યું ત્યારે તેમને શરીરનું સ્મરણ જનરહ્યું, તો ભૂખનો ખ્યાલ ક્યાથી આવે ? ભોજનની ખોજમાં બહાર પણ કોણ જાય? મહાવીર જેવા માનવોની નકલ ન થઈ શકે. નકલ કરીને કોઈ મહાવીર થઈ શકે? પરંતુ અનુયાયીઓની પરંપરા નકલ કરવાનું કામ કરે છે. એ કામવિનાશનું કારણ બને છે. મહાવીરે શુંક્યું તેના તરફ જ નજર છે. બધા ધર્મના ઝગડાઓ આનકલકરવાની વૃત્તિમાંથી પેદા થયા છે. મહાવીરે જે કર્યું તે કૃષ્ણ કર્યું તેનાથી જુદું છે, બુધ્ધ કાંઈ જુદું જ કર્યું, જિસસે પણ કાંઈ જુદું કર્યું. તે બધાની સ્થિતિ અલગ અલગ હતી. મહાવીરે જે ક્યું તે કૃષ્ણ કરતાં અલગ દેખાય તો મહાવીરના અનુયાયીઓ કહેશે કે કૃષ્ણ ખોટું કર્યું. કારણકે મહાવીરે કૃષ્ણ જેવું ક્યારેય કર્યું નહોતું. બુદ્ધ કાંઈ કરે તો તે ખોટું, કારણકે મહાવીરે એવું ક્યું નથી. બુધ્ધને માનવાવાળા કહે છે કે બુધ્ધ જે કાંઇ ક્યુતે જ બરાબર હતું. મહાવીરે બુધ્ધ જેવું ક્યું નથી માટે મહાવીરને જ્ઞાન થયું નથી. આ રીતે આપણે કર્મોથી જ્ઞાન માપવાની ભૂલ કરીએ છીએ. કર્મ જ્ઞાનથી પેદા થાય છે અને જ્ઞાન કર્મથી બહુ મોટી ઘટના છે. સાગરમાં લહેર પેદા થાય છે, પરંતુ સાગરને મોજાંથી માપી શકાતો નથી. વળી હિન્દ મહાસાગરમાં એક પ્રકારનું મોજું હોય, પ્રશાંત મહાસાગરમાં જુદા પ્રકારનું હોય. કારણકે બધે અલગ અલગ પ્રકારના પવન, અલગ દિશાઓમાંથી કાંતા હોય છે. મોજાનો પ્રકોપ
Page #120
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ: મંત્ર
૧૧૫
અલગ હોવાથી કે પાણીનો રંગ જુદો હોવાથી સાગરનું સાગરપણું મટી જતું નથી. મહાવીરની સ્થિતિમાં મહાવીર શું કરે છે તેની આપણને ખબર છે. બુધ્ધની સ્થિતિમાં બુધ્ધશું કરે છે તેની આપણને ખબર છે. એમની પાછળ ચાલનારી અનુયાયી-પરંપરા જડ બની જાય છે. શાસ્ત્રોમાં જેનાં વર્ણન છે, તેવી સ્થિતિમાં મહાવીરે જેવું કર્યું હતું, તેવું અનુયાયી કરવા માગે છે. પરંતુ આજે મહાવીરના કાળ અને સ્થિતિ નથી, અને એ વાત પણ પાકી છે કે આપણે કોઈ મહાવીર નથી. કારણકે મહાવીરે પાછું વળીને ક્યારેય જોયું નથી કે એમની પહેલાં કોઈએ શું કર્યું હતું. મહાવીરે જે કાંઇ ક્યું, તે એમનું કત્યન હતું, એ માત્ર ઘટના હતી, એક happening હતું એ બની રહ્યું હતું, કોઈ ચોક્કસ નિયમના આધારે બન્યું ન હતું. એ બધી નિયમરહિત ચેતનામાંથી ઉદ્દભવેલી ઘટનાઓ હતી. સ્વતંત્ર ઘટના હતી. એટલે કર્મનું એમાં બંધનન હતું. મહાવીરે ઘણું બધું કર્યું હોત. શું કર્યું હોત તે કહીનશકાય, એટલે અમુક પરિસ્થિતિમાં શું કરે તેનો કોઇ ઉત્તર આપી શકાય તેમ નથી. દરેક પળે જીવન બદલાય છે. જિંદગી કોઈ સ્ટીલ ફોટોગ્રાફ જેવી નથી. જિંદગી ગતિમાન છે, ભાગતા દોડતા ચલચિત્ર જેવી. ચલચિત્રમાં બધું આખો વખત બદલાયા કરે છે. હરેક પળે નવું ચિત્ર, નવીન સ્થિતિ રજૂ થાય છે. દરેક નવી સ્થિતિમાં મહાવીરનવાં ઢંગથી પ્રગટ થશે. મહાવીર આજે જે ફરી પ્રગટ થાય તો જેને લોકોને પારાવાર મુશ્કેલી વરતાશે. પચીસસો વર્ષ પહેલાંનું જીવન ટાંકી મહાવીરના અનુયાયી, આજના મહાવીરની કસોટી કરશે કે એ અગાઉના મહાવીર જેવું વર્તન કરે છે કે નહીં. એક વાત નિશ્ચિત છે કે આજના મહાવીર, અગાઉના મહાવીરની જેમનહી જીવે. કારણકે આજની સ્થિતિ જુદી છે. બધું બદલાઈ ગયું છે. એટલે જે શાસ્ત્રોની જડ વાતોને વળગી રહેશે તે આજના મહાવીરનો સ્વીકાર નહી કરી શકે. જો બીજી થોડી વ્યક્તિઓ આજના મહાવીરને મળી જાય તો નવો સંપ્રદાય શરૂ થઈ જાય, પરંતુ જૈન પરંપરા, આજના મહાવીર નહીં સ્વીકારી શકે. એવું જ બુદ્ધની અને કૃષ્ણની બાબતમાં બનશે. કારણકે આપણે કર્મોને પકડીને બેસી ગયા છીએ. કર્મો તો રાખ જેવાં છે, ધૂળ જેવાં છે, કર્મ તૂટી ગયેલાં વૃક્ષના પાંદડા જેવાં છે. એ પાંદડામાંથી વૃક્ષનું માપન કાઢી શકાય. વૃક્ષ પર તો હર પળે નવાં પાન, નવા અંકુર ફુટે એ જવૃક્ષનું જીવન છે. સૂકાં પાન વૃક્ષનો ભૂતકાળ છે, વર્તમાન જીવનનથી. સૂકાં પાન એવું નથી બતાવતાં કે એ હવે વૃક્ષ માટે વ્યર્થ બની ખરી પડ્યાં છે ? બધાં કર્મો સૂકાં પાન જેવાં છે. એ બહાર ખયાં કરે છે. વૃક્ષની ભારતમાં જીવન હરપળનવું લીલુંછમ, ગતિશીલ ધબકી રહ્યું છે. સૂકાં પાન એકઠાં કરીને, આપણે વૃક્ષને સમજી શકીએ છીએ? સૂકાં પાન સાથે વૃક્ષને કાંઈ લેવાદેવા નથી. વૃક્ષનો સંબંધ ભીતર વહેતી પ્રાણની ધારા સાથે છે, જ્યાં નવાં પાનનાં અંકુર હર પળ ફૂટ્યા કરે છે. વૃક્ષ કાંઇ વિચારી વિચારીને પાંદડાને જન્મ આપતુ નથી. વૃક્ષમાંથી પાંદડા જન્મે છે. એ કેવાં હશે તો તેનો આધાર
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૬
“સંયમ' એટલે મધ્યમાં રહેવું તે
પ્રકાશ, હવા, વરસાદ, સૂર્ય, ચંદ્ર, તારા કેવાં હશે એના પર નિર્ભર છે. આ પાંદડા માત્ર વૃક્ષમાંથી નહીં, પરંતુ આસપાસની પ્રકૃત્તિની સમતામાંથી જન્મ લેશે. મહાવીર જેવા લોકો એક પ્રાકૃતિક સમગ્રતામાં આવે છે. એ શું કરશે તે કહીનશકાય. એમ પણ બને કે જે બળાત્કાર કરતું હોય તેને મહાવીર ધમકી પણ આપે. કાંઈ કહી શકાય નહીં. મુલ્લા નસરૂદ્દીન એક ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં એણે જોયું કે એક નાના માણસને, એક મોટો જાડો તગડો માણસ મારી રહ્યો છે. એ જડો માણસ પેલા નાના માણસ પર બેસી ગયો હતો.મુલ્લાને ગુસ્સો આવ્યો. દોડીને મુલ્લા પેલા જાડા માણસ પર તૂટી પડ્યો. મુલ્લા કાંઈ પાછો પડે તેમ ન હતો. ખૂબ મહેનત પછી એ જાડા માણસને નીચે પાડી શક્યો. પછી તો પેલો નાનો માણસ પણ મારવા લાગ્યો. જાડા માણસને સારો એવો માર પડ્યો. પેલો નાનો માણસ જેવો છૂટ્યોકે ભાગી ગયો. પેલો જાડો માણસ મુલ્લાને કહે કે “ભાઈ મારી વાત તો સાંભળો, પરંતુ મુલ્લા પુષ્કળગુસ્સામાં હતો; એ કેવી રીતે સાંભળે! જ્યારે પેલોનાનો માણસ ભાગી ગયો ત્યારે મુલ્લાએ પૂછ્યું, તું શું કહેવા માગે છે, બોલ?' જાડા માણસે કહ્યું: ‘પેલો મારું ખિસું કાપીને ભાગી ગયો છે. એ મારું ખિસું કાપતો હતો એટલે તો ઝપાઝપી થઈ. પેલાને પકડવાને બદલે તે તો મને જ પીટીનાખ્યો. પેલાને તો તેં જવા દીધો!' મુલ્લાએ કહ્યું આ તો ખોટું થયું, તેમને પહેલેથીનકીધું ?' જડા માણસે કહ્યું, “તું મારી વાત સાંભળે તોને? મેં કેટલી વાર કહ્યું કે ભાઈ મારી વાત સાંભળ, તેંતો મને મારવા જ માંડ્યો! જિંદગી બહુ જટિલ છે. અહીં કોણ પીટી રહ્યું છે, કોણ પિટાઈ રહ્યું છે અને જે પિટાઈ રહ્યું છે તે ખરેખર પીટવા યોગ્ય છે કે નહીં, તેની દરકાર કરવાનો સમય નથી હોતો. મુલ્લાએ કહ્યું કે હું પેલા નાના માણસને ખોળી કાઢીશ અને ખરેખર એણે ખોળી કાઢયો. જેવો મુલ્લાને જોયો કે પેલા નાના માણસે જે પાકીટ ચોર્યું હતું તે મુલ્લાને આપી દીધું ને કહ્યું કે “લઈ લો, આ પાકીટના અસલી માલિક તમે જ છો. કારણકે તમે જો ન આવ્યા હોત તો હું તો મરાઈ જ જાત! જિંદગી જટીલ છે. મહાવીર જેવા માણસો જિંદગીની જટિલતાને એની પૂર્ણતામાં જુએ છે. એ રીતે જોયા પછી મહાવીર શું કરશે તે કહેવું સહેલું નથી. પ્રત્યેક ઘટનામાં હકીકતની જટિલતા અલગ અલગ હોય છે. પ્રત્યેક ઘટનાગતિમાન પ્રવાહની જેમ વહ્યા કરે છે. હવે સંયમ વિષે સમજી લઈએ. કારણકે મહાવીર અહિંસા પછી સમયને બીજું મહત્ત્વનું સૂત્ર ગણે છે. અહિંસા, સંયમ અને તપ. સંયમ શ્વાસ છે અને તપ શરીર છે. મહાવીરે સૌપ્રથમ અહિંસાને મૂકી. અહિંસા, સંયમ અને ત૫. સંયમવચમાં રાખ્યો. તપને સૌથી છેલ્લે રાખ્યું. પરંતુ જે છેલ્લે ' રાખ્યું છે, તે આપણને પહેલું દેખાય છે. પછી સંયમ દેખાય છે. અહિંસા તો કદાચ દેખાતી જ
Page #122
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૧૧૭
નથી. અહિંસાનું દર્શન કરવું મુશ્કેલ છે. મહાવીર ભીતરથી બહારની તરફ આવે છે. આપણે બહારથી ભીતર તરફ જઈએ છીએ. એટલે આપણે તપસ્વીની જેટલી પૂજા કરીએ છીએ એટલી અહિંસકની કરી શકતા નથી. કારણકે તપતો આપણને દેખાય છે. એ તો દેહની જે બહાર છે. અહિંસા ઊડે છે, અદ્રશ્ય છે. સંયમનું આપણે અનુમાન કરી શકીએ છીએ. કોઈ વ્યક્તિ તપસ્વી હોય તો આપણને લાગે છે કે એ સંયમી હશે. જે - સંયમી ન હોય તો તપ કેવી રીતે કરે! જ્યારે કોઈ ભોગીને જોઈએ તો એમ લાગે કે એ અસંયમી હશે. કારણકે સંયમી હોય તો ભોગ કેવી રીતે કરી શકે, પરંતુ જો ઊંડાણથી વિચારીએ તો સમજાશે કે તપસ્વી પણ અસંયમી હોઈ શકે અને ભોગી સંયમી પણ હોઈ શકે છે. સંયમ વિષે આપણે માત્ર અનુમાન કરીએ છીએ. કોનો સંયમ કેવો છે, કેટલો છે, એ સદંતર અંગત બાબત છે. એના વિષે ચોક્કસ નક્કી કરવું મુશ્કેલ છે. આપણે રસ્તા ભીના હોય તે જોઇને અનુમાન કરીએ કે વરસાદ પડ્યો હશે. પરંતુ આજકાલ તો મ્યુનિસિપાલિટીની મોટર પણ રસ્તા પર પાણી છાંટી જાય છે. પહેલાના જમાનામાં મ્યુનિસિપાલિટી હતી જ નહીં, ત્યારે પુસ્તકોમાં લખાયેલું, વર્ષા વિષેનું અનુમાન સાચું પડતું હતું. પરંતુ આજે એવું નિશ્ચિતપણે કહી શકાતું નથી. એટલે આપણે તપસ્વીને જોઈને અનુમાન કરીએ કે એ સંયમી પણ છે તો એ અનુમાન સાચું હોવું જરૂરી નથી. તપ કરનાર અસંયમી પણ હોઈ શકે, સંયમનું હોવું જરૂરી નથી. એટલે મહાવીર ભીરતથી આગળ વધે છે. અહિંસાને પ્રથમ મૂકે છે. ભીતરમાં જ્યાં પ્રાણ છે ત્યાંથી આગળ વધવું વધારે યોગ્ય છે. સુદ્રથી વિરાટ તરફ આગળ વધવામાં ભૂલ થઈ જવાનો ભય છે. પરંતુ વિરાટથી શુદ્ર તરફ જવામાં ક્યારેય ભૂલ થતી નથી. શુદ્રથી વિરાટ તરફજતાં, સુદ્રની ધારણાને વિરાટ તરફ લઈ જતાં ભૂલ થાય છે. કારણકે સુદ્રની દષ્ટિ સંકિર્ણ હોય છે. એને ખેંચીને મોટી કરવા જતાં ભૂલ થઈ જાય છે. એટલે સર્વપ્રથમ સંયમનો અર્થ સમજી લઈએ. સામાન્ય રીતે સંયમનો આપણે જે અર્થ કરીએ છીએ તેમાં નિરોધ, વિરોધ, દમન, નિયંત્રણ, કંટ્રોલ વગેરે ભાવ આવી જાય છે. કોઈ માણસ પોતાની જાતને રોકે છે, વૃત્તિઓને દબાવે છે, બાંધે છે. એમના પર નિયંત્રણ રાખે છે એને આપણે સંયમી કહીએ છીએ, એટલે આપણી સંયમ શબ્દની વ્યાખ્યા નિષેધાત્મક છે, નેગેટિવ છે. સંયમનું કોઇ વિધાયક રૂપ આપણા ખ્યાલમાં નથી. કોઈ માણસ ઓછું ખાય છે તો આપણે કહીએ છીએ કે એ સંયમી છે. કોઈ ઓછું ઊંધે તો આપણે કહીએ છીએ કે સંયમી છે. કોઈ માણસ લગ્ન નથી કરતો તો આપણે કહીએ કે સંયમી છે. કોઈ ઓછાં કપડાં પહેરે તો કહીએ છીએ કે સંયમી છે. આમ કોઈ પણ બાબતમાં મર્યાદા નક્કી કરે તેને સંયમી કહીએ છીએ. જેટલો વધારે નિષેધ, જેટલી વધુ મર્યાદા, જેટલું વધું નિયંત્રણ, જેટલી બાધાઓ લઈએ ને આપણી જાતને બાંધીએ એટલા વધુ સંયમી ગણાઈએ. પરંતુ હું બેધડક કહું છું કે મહાવીર જેવી વ્યક્તિ, જીવનને નિષેધ ની પરિભાષા નહીં આપે. જીવન નિષેધથી ચાલતું નથી. જીવન હંમેશા વિધાયકતામાં-પોઝિટિવમાં જિવાય છે. જીવનની સમગ્ર
Page #123
--------------------------------------------------------------------------
________________
‘સંયમ’ એટલે મધ્યમાં રહેવું તે
ઊર્જાવિધાયક છે. મહાવીરની પરિભાષા વિધાયક જ હોઇ શકે, સશક્ત અને જીવંત હોઇ શકે. સામાન્ય રીતે સમજાયેલી સંયમની પરિભાષા મુજબ જે સંયમમાં આગળ વધે છે તેમના જીવનમાં તેજ વધતું હોય એવું દેખાતું નથી. એમની ક્રાંતિ ક્ષીણ થતી હોય એવું લાગે છે. પરંતુ આ વાતની આપણે ફિકર કરતા નથી. મહાવીરે જે સંયમની વાત કરીછે તેથી તો જીવનનો મહિમા વધવો જોઇએ. એનાથી વ્યક્તિની પ્રતિભા આભામંડિત થવી જોઇએ. એના બદલે જેને આપણે તપસ્વી કહીએ છીએ, તેમની બુદ્ધિના આંકની જો તપાસ કરાવીએ તો એ આંક વધતો નહીં પણ ઘટતો દેખાશે. પરંતુ આપણે તપસ્વીની પ્રતિભા ઘટતી હોય છે તેની પરવા કરતા નથી. આપણે તો એ કેટલી રોટલી ખાય છે, અને કેટલા ઓછા ને કેવાં કપડાં પહેરે છે તેના પર નજર રાખીએ છીએ. બુદ્ધિહીનમાં બુદ્ધિહીન સાધુ પણ સમાજમાં ટકી શકે છે, જો એ માત્ર બે રોટલી ખાઇને રાજી થઇ જાય અને માત્ર એક વાર જ ભોજન દિવસમાં કરે તો. એક સાધુ મારી પાસે આવ્યા હતા. મારી વાતો સાંભળીને કહ્યું કે તમારી વાત મને ઠીક લાગે છે. મને આ પરંપરાગત સાધુતા છોડી દેવાનું મન થાય છે. પરંતુ જો હું એમ કરીશ તો મુશ્કેલીમાં મુકાઇ જઇશ. આજે કરોડપતિ માણસ મારાં ચરણસ્પર્શ કરે છે. સાધુતા છોડયા પછી એ વ્યક્તિ મને એની ઓફિસમાં સિપાઇ તરીકે પણ રાખવા તૈયાર નહી થાય. વિચાર કરવા જેવી વાત છે કે જે માણસનો ચરણસ્પર્શ કરીએ છીએ, તે જ માણસ, જો આપણે ઘેર વાસણ માંજવાની નોકરી કરવા આવે તો આપણે એને પૂછવા લાગીએ કે ભાઇ પહેલાં કયાં કામ કરતો હતો, શું અભ્યાસ કરેલ છે, શું આવડે છે, કોઇ સર્ટિફીકેટ છે? કોઇ જગ્યાએ ચોરીચપાટી તો નથી કરીને ? પરંતુ કોઇનાં ચરણસ્પર્શ કરતાં પહેલાં કોઇ પ્રમાણપત્રની જરૂરત આપણને દેખાતી નથી. તમારી બુદ્ધિમાં વાત બેસી જાય કે એ સંયમી છે, તો બીજા કોઇ પણ પ્રમાણપત્રની જરૂર નથી. સંયમનું જાણે આપણે કોઇ ખાસ મૂલ્ય સમજી-રાખ્યું હોય છે અને કોઇ પોતાની જાતને રોકી શકે છે તો તે સંયમી છે એમ માનીએ છીએ. પોતાની જાતને રોકી રાખવાથી જાણે કોઇ ખાસ ગુણ આપણામાં આવી જતો હોય !
૧૧૮
જીવનના બધા ગુણ ફેલાવના છે, વિસ્તારના છે. જીવનના બધા ગુણ કોઇ વિધાયક ઉપલબદ્ધિમાં છે, નિષેધમાં નથી. મહાવીરની સંયમની વ્યાખ્યા જુદી છે. પરંતુ એ સમજીએ તે પહેલાં આપણી સંયમ વિષેની સમજ કેવી છે તે બરાબર સમજી લઇએ.
આપણો સંયમનો અર્થ છે પોતાની જાત સાથે લડતો માણસ. જ્યારે મહાવીરનો અર્થ છે પોતાની સાથે મૈત્રીપૂર્ણ થયેલ માણસ. આપણો સંયમનો અર્થ છે પોતાની વૃત્તિઓને કાબૂમાં રાખનાર માણસ. મહાવીરનો અર્થ છે પોતાની વૃત્તિઓનો માલિક થયેલો માણસ. જે માલિક નથી, તેને સંભાળવું પડે છે, કાબુમાં, નિયંત્રણમાં રાખવું પડે છે. વૃત્તિઓ આપણી માલિક હોય છે. જો આપણે વૃત્તિઓથી વધુ શક્તિશાળી હોઇએ તો વૃત્તિઓ સાથે લડવું પડતું નથી. વૃત્તિઓ એમની મેળે સરી પડે છે. મહાવીરનો સંયમનો અર્થ છે કે વ્યક્તિ આત્મવાન છે, એટલી આત્મવાન કે એની સામે, વૃત્તિઓ અવાજ નથી કરી શકતી, ઊભી નથી રહી શકતી-એનો ઇશારો માત્ર પર્યાસ
Page #124
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
૧૧૯
છે. એવું નથી કે એને ક્રોધને દબાવવો પડે છે, જેને દબાવવા માટે તાકાત વાપરવી પડે, તેનાથી આપણે કમજોર હોવાના. જેને આપણે તાકાત વાપરી દબાવીએ છીએ તેને ગમે તેટલું દબાવીએ તોપણ હંમેશાં માટે દબાયેલું નહીં રાખી શકાય. આજે નહીકાલે, જ્યારે આપણી તાકાત ઓછી થશે ત્યારે એ ફરીથી ફૂટી નીકળશે, આપોઆપવહેવા લાગશે. આત્મવાનવ્યક્તિની સામે ક્રોધની ક્ષમતા નથી કે એ એની જાણ બહાર, બેહોશીમાં પ્રગટ થઈ જાય. હુંએક કોલેજમાં હતો ત્યાં એક મજાની ઘટના ઘટી.એ કોલેજના પ્રિન્સિપાલ બહુ શક્તિશાળી હતા. ઘણાં વર્ષોથી એમણે એ પદ શોભાવ્યું હતું. એમની રિટાયર થવાની ઉમર પણ થઈ ગઈ હતી, પરંતુ રિટાયર થતા નહોતા. ખાનગી માલિકીની કોલેજ હતી. એક કમિટી હતી તે કોલેજ ચલાવતી હતી, પરંતુ કમિટીના માણસો પ્રિન્સિપાલથી ડરતા હતા. બીજા પ્રોફેસરો હતા તે પણ ડરતા હતા. પછી પાંચ દસ પ્રોફેસરોએ ભેગા થઈને, એક થોડો તાકાતવાળો પ્રોફેસર હતો તેને આગળ કર્યો. કહ્યું કે એ સૌથી જૂનો, સિનિયર પોસ્ટવાળો છે, એણે પ્રિન્સિપાલ થવું જોઈએ. મેં એ પ્રોફેસરને કહ્યું કે હું જાણું છું કે તમે બધા કમજોર છો. તમે જબરદસ્તી કોઈને પ્રિન્સિપાલની ખુરશી પર બેસાડવા જશો તો પસ્તાશો. એમણે કહ્યું કે અમારું સંગઠન છે અને સંગઠનમાં શક્તિ છે. બધા પ્રોફેસરોએ એકઠા થઈને પ્રિન્સિપાલની ખુરશી પર એક સજ્જનને બેસાડી દીધા. હું પણ બધો ખેલ જોવા હાજર થઈ ગયો હતો. જે પ્રિન્સિપાલ હતા તેના ઘરે ખબર મોકલી દેવાઈ કે આ રીતે કોઈને એમની ખુરશી પર બેસાડી દેવામાં આવ્યા છે. એમણે કહ્યું, બેસાડવા દો. બરાબર સમયસર, રોજની જેમ, અગિયાર વાગે પ્રિન્સિપાલ પોતાની ઓફિસમાં આવ્યા. જે પ્રોફેસરને એમની જગ્યા પર બેસાડવામાં આવ્યા હતા, તે પ્રિન્સિપાલને જોઈ ઊભા થઈ ગયા અને નમસ્કાર કરી કહ્યું કે, “આવો, બેસો’ પ્રિન્સિપાલ ઓફિસમાં દાખલ થતાં જ, પેલા પ્રોફેસર હટી ગયા. પ્રિન્સિપાલે પોલીસમાં કોઈ ફરિયાદ પણ ન કરી. મેં પૂછ્યું પ્રિન્સિપાલને કે પોલીસમાં કેમ ખબર આપતા નથી? પ્રિન્સિપાલે કહ્યું, પોલીસને ખબર! કાંઈ જરૂર નથી. એમને જે કરવું હોય તે કરવા દો. પ્રિન્સિપાલ શક્તિશાળી હતા. પોલીસની શું મદદ લેવી?
જ્યારે શક્તિ સ્વયંમાં હોય ત્યારે વૃત્તિઓ સાથે લડવું પડતું નથી. વૃત્તિઓ આત્મવાન વ્યક્તિ પાસે માથું ઝુકાવીને ઊભી રહે છે. કોઈ સારથિ ઘરમાં બેસીને, જોતરેલા ઘોડાને લગામ પકડીને કાબૂમાં રાખે એ સારથિનો સંયમનથી. લગામ પકડીને કાબૂમાં રાખવામાં દમન છે. સંયમનો અર્થ દમન કરવું એવો થતો નથી. મહાવીરના હિસાબે સંયમી પોતાની શક્તિમાં પ્રતિષ્ઠિત છે. એની શક્તિમાં પ્રતિષ્ઠિત હોવામાં જ, એની વૃત્તિઓની નિર્બળતા અને નપુંસક્તા છે. મહાવીર પોતાની કામવાસના પર કાબૂ મેળવીને બ્રહ્મચર્યને ઉપલબ્ધ નથી થયા. એમની બ્રહ્મચર્યની શકિત એટલી બળવાન છે કે કામવાસના પોતાનું માથું ઉઠાવી શકે તેમ નથી. આ સંયમનો વિધાયક અર્થ છે, મહાવીર હિંસા સાથે લડીને અહિંસક નથી બન્યા. મહાવીર અહિંસક છે, માટે હિંસા પોતાનું માથું ઉઠાવી શકતી નથી. મહાવીર
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૨૦
“સંયમ એટલે મધ્યમાં રહેવું તે
ક્રોધ સાથે લડીને, ક્ષમાવાનનથી બન્યા. ક્ષમાની એટલી શક્તિ છે કે ક્રોધને ઊઠવાનો અવસર જ નથી. મહાવીર કહે છે કે સ્વયંની શક્તિથી પરિચિત હોવું કે થઈ જવું એનું નામ સંયમ છે. સંયમ શબ્દ બહુ અર્થપૂર્ણ છે. અંગ્રેજીમાં જે પુસ્તકો લખાયાં છે અને સંયમ વિષે જેમણે લખ્યું છે તેઓએ સંયમનો અનુવાદર્યો છે. કન્ટ્રોલ CONTROL', કાબુમાં રાખવું તે. પરંતુ તે અર્થ ખોટો છે. અંગ્રેજીમાં માત્ર એક જ શબ્દ છે જે, સંયમ શબ્દનો અનુવાદ બની શકે છે અને તે છે, ‘ટ્રાન્કવિલિટી-TRANQUILITY', પરંતુ ભાષાશાસ્ત્રીના ખ્યાલમાં એ શબ્દ આવતો નથી. કારણકે ભાષાની દષ્ટિએ એવો અર્થ કરવો બરાબર નથી. સંયમનો અર્થ છે એટલી શાંતિ કે જેને વિચલિત કરી શકાય તેમ નથી. સંયમી એટલે એવી વ્યક્તિ જે પોતે અવિચલિત, નિષ્કપ છે, જે સ્થિર થઈ ચૂકી છે. ગીતામાં જેને સ્થિતપ્રજ્ઞ કહ્યો છે, એવો માણસ મહાવીરના હિસાબે સંયમી છે. જે વ્યક્તિ ડામાડોળ થતી નથી, જે કંપિત થતી નથી જે પોતાનામાં સ્થિર છે, પોતાના પગ જમાવીને બેઠેલી છે એ સંયમી છે. આ વાત આપણે એક બીજી રીતે સમજીએ, સંયમનો અર્થ હમણા જણાવ્યો તેવો જો હોય તો અસંયમનો અર્થ છે, કંપન, ‘વેવરિંગ-wavaringટેમ્બલિંગ-Trembling” આપણું જે ડોલતું મન છે, તે એક છેડેથી બીજે છેડે ભાગ્યા કરે છે. જો મન કામવાસનામાં ચાલ્યું જાય તો એ છેડા પર પહોંચીને એ કંટાળશે, પસ્તાશે અને પરેશાન થશે. કારણકે કોઈ કામવાસનામાં લાંબો સમય ટકી શકતું નથી. બધી વાસનાઓ આખરે કંટાળો આપે છે. થકવે છે. ગભરાવે છે. કારણકે એમાંથી મળતું કાંઈ નથી. જે કાંઈ મળવાના સ્વપ્ન હતાં તે તૂટી જાય છે. વિફલતા અને વિષાદ સિવાય બીજું કાંઈ હાથમાં આવતું નથી. એટલે વાસનાથી ઘેરાયેલું મન જેવું એક છેડે પહોંચે છે કે એ ત્યાંથી બીજે છેડે દોડવા લાગે છે. એ વાસનાનો વિરોધી બને છે, દુશ્મન બને છે. કાલ સુધી જે વધુ ખાતો હતો તે અન્નત્યાગ કરવા લાગે છે. એટલે આ વાત ખ્યાલમાં રાખવા જેવી છે કે અન્નત્યાગ કરવાની ધારણા એવા સમાજમાં પેદા થાય છે જ્યાં ભરપેટ ભોજન મળતું હોય છે. જૈન સમાજમાં અન્નત્યાગ, ઉપવાસ, અનશનનો મહિમા છે. એનું કારણ એ નથી કે જૈનો મહાવીરને બરાબર સમજ્યા છે. અનશનનો મહિમા જૈન સમાજમાં એટલા માટે છે કે જેનો ભરપેટ ભોજન કરી શકે તેટલી એમની પાસે ક્ષમતા છે. જૈન સમાજ ઓવરહેડ-OVERFED સમાજ છે. એ સમાજમાં ગરીબ લોકો બહુ ઓછા છે. કહી શકય કે છે જ નહીં. તમને કદાચ આ વાતનો ખ્યાલ હશે કે ગરીબો ધાર્મિક તહેવારોમાં સારું સારું ભોજન બનાવે છે. પરંતુ જૈનોનાકે અમીર માણસોના ધાર્મિક તહેવારોમાં ઉપવાસ કરવાનો હોય છે. એટલે જેટલા દુનિયામાં ગરીબ ધર્મ છે તેમાં તહેવાર કે ઉત્સવના દિવસો વધારે ભોજનના દિવસો છે. અમીર ધર્મના તહેવારોને ઉત્સવો, ઉપવાસના દિવસો છે. જ્યાં જ્યાં ભોજન વધારે થતું હશે ત્યાં ત્યાં
Page #126
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ: મંત્ર
૧૨૧
ઉપવાસમાં માનનારા વધારે હશે. અમેરિકામાં આજે જેટલી ઉપવાસની, fasting ની ચર્ચા, નેચરોપથીની ચર્ચા ચાલે છે, એટલી ચર્ચા બીજે ક્યાંય ચાલતી નથી. પરંતુ એનો અર્થ એવો નથી કે ઉપવાસ કે અનશન કરનારા મહાવીરને સમજ્યા છે. પર્યુષણ આવે ત્યારે આઠ દિવસ, દસ દિવસ અનશન થાય છે કે ઓછું ખવાય છે ત્યારે એ દિવસોમાં, ઉપવાસ કે અનશન છોડ્યા પછી શું શું ખાઈશું તેનું આયોજન થાય છે, અનશન છૂટતાં, પાગલની જેમ લોકો ખાવા લાગે છે અને બીમાર પડે છે. સાચી વાત તો એ છે કે વધુ જમનાર લોકો જ્યારે ઉપવાસ કરે છે ત્યારે એમને કાંઇ ધર્મલાભ થતો નથી, પરંતુ ભોજનમાં વધારે રસ આવવા લાગે છે. ભૂખ વધારે ઊઘડે છે. આઠ દિવસના ઉપવાસ પછી જીભને સ્વાદ વધારે આવવા લાગે છે. મહાવીર કહે છે કે ઉપવાસથી રસમુકિત થવી જોઈએ, પરંતુ બને છે ઊલટું. ઉપવાસ પછી ભોજનમાં રસપ્રગાઢ બને છે. ઉપવાસ સમયે રસચિંતન ચાલે છે અને રસપ્રતિ માટે આયોજન ચાલે છે. જે ભૂખ મરી ગઈ હતી તે સજીવન થઈ જાય છે. દસ દિવસ પછી ભોજન પરમાણસ જાણે તૂટી પડે છે. મન એક અતિ પરથી બીજા અતિ પર દોડી જાય છે. અસંયમનો અર્થ છે એક અતિ પરથી બીજા અતિ પર ડોલાયમાન થયા કરવું તે. સંયમનો અર્થ છે મધ્યમાં રહેવું તે. આપણે એમ સમજતા હોઈએ કે વધારે ભોજન કરવું તે અસંયમ છે તો અલ્પ ભોજન કરવું તે પણ અસંયમ છે. સમ્યક ભોજન સંયમ છે. સમ્યક આહાર સમજવો મુશ્કેલ છે. વધારે ભોજન કરવું સહેલું છે. બિલકુલ ભોજન ન કરવું પણ સહેલું છે. પરંતુ સમ્યક ભોજન કરવું કઠિન છે. મન ક્યારેય સમ્યક પર સ્થિર રહેતું નથી. મહાવીરની શબ્દાવલિમાં જો કોઈ વધારેમાં વધારે મહત્ત્વનો શબ્દ હોય તો તે છે સમ્યફ. સમ્યફનો અર્થ છે, મધ્યમાં, અતિ પર નહી, સમ રહેવું તે. બધી ચીજો સમ બની જાય,અતિનું કોઈ નહીં રહે, ત્યાં બધી ચીજો સ્થિરતાને શાંતિને tranquility ને પ્રાપ્ત થાય છે. જીવનની સમ-સ્વરતા, પ્રત્યેક દિશામાં પ્રાપ્ત કરી લેવી તેનું નામ સંયમ છે. પરંતુ આપણે નિષેધાત્મક જીવન જીવીએ છીએ. ઘણી બધી ચીજોનો નિષેધ કરીએ છીએ. એટલે નિષેધાત્મક હોઈએ ત્યારે જે કરતા હોઈએ તેનાથી સામેના છેડે જઈએ છીએ. આપણે મધ્યમાં રહેતાનથી, સમ્યકત્વ અને સંયમ સમજાતાં નથી. સાંભળ્યું છે કે મુલ્લા નસરૂદીન એક ચૂંટણીમાં ઊભો રહ્યો. પોતાનું જે ચુટણીક્ષેત્ર હતું તેમાં ફરવા લાગ્યો. એ ક્ષેત્રનું જે મુખ્ય નગર હતું તેમાં એના મિત્રો મળ્યા. મિત્રોએ ખબર આપી કે અમુક માણસ તમારી વિરુદ્ધ ગમે તેમ બોલે છે. મુલ્લા ગાળો આપવામાં હોશિયાર હતો. એણે જેટલી ગાળો જાણતો હતો, એટલી પેલા માણસને ભાંડી કહ્યું કે, “એ માણસ કોઈ શૈતાનનો દીકરો હોવો જોઈએ. એક વાર મને જીતી જવા દો, પછી એને નર્કમાં મોકલાવી દઈશ.” મિત્રોએ કહ્યું કે, ‘તમે ગાળો આપવામાં હોશિયાર છો, માટે આવું કહ્યું, એ માણસ તમારો ચાહક
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૨૨
“સંયમ એટલે મધ્યમાં રહેવું તે
અને પ્રશંસક છે.” મુલ્લાએ કહ્યું, ‘હું જાણતો જ હતો કે માણસ દેવતા જેવો છે. એક વાર હું ચૂંટાઈ આવીશ. પછી એને મંદિરોમાં બેસાડીશ અને એની પૂજા કરીશ.” મિત્રોએ કહ્યું, “મુલ્લા તમે આટલી જલદી બદલાઈ જાઓ છો?” મુલ્લાએ કહયું, “કોણ બદલાતું નથી? મન તો બદલાયા જ કરે છે. આજે સ્ત્રીરૂપની દેવી દેખાય છે, તે કાલે સાક્ષાતકરૂપ પણ દેખાય.’ મન એક અતિ પરથી બીજા અતિ પર દોડી જાય છે. તમે જેને આજે ઊંચા આસને બેસાડો છો એને કાલે જમીન પર પટકી નાખો છો. મન વચમાં રોકાતું નથી. કારણકે મનનો અર્થ છે, તાણ, ટેન્શન. જે વચમાં રોકાઈ જઈએ તો કોઈ પ્રકારની તાણ હોતી જ નથી. મને હંમેશાં અતિ પર જીવે
છે. મધ્યમાં મનનું મૃત્યુ છે. આપણે કોઈ વ્યક્તિ માટે “સંયમી મન વાળો માણસ છે એવો શબ્દપ્રયોગ કરીએ છીએ, પરંતુ એ શબ્દપ્રયોગ એકદમ ખોટો છે. સંયમી માણસ પાસે મન હોતું જ નથી. બુદ્ધ અને જૈન ધર્મના સાચા સાધુઓ તો કહે છે કે જ્યારે અ-મન અવસ્થા પ્રાપ્ત થાય છે, No-mind અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે સંયમ સધાય છે. મન એટલે જ અસંયમ એમ કહીએ તો ખોટું નથી, એમાં અતિશયોક્તિ નથી. મનનો નિયમ છે, એ ખેંચાણમાં, તાણમાં રહો, એક અતિ પર રહો તો જ ચિત્તમાં તાણ રહેશે. તાણમાં રહેવું એને જ આપણે જીવન માન્યું છે, જો ચિત્તમાં તાણ હોય તો લાગે છે કે મરી ગયા, હવે શું કરીશું? મન કાંઈને કાંઈ કરતું રહે તો જ તે જીવી શકે છે. જે લોકો ઊંડા ધ્યાનમાં ઊતરે છે એ મને આવીને કહે છે કે ધ્યાનમાં બહુ ડર લાગે છે. લાગે છે કે મરી તો નહીં જવાય ? મરવાનો સવાલ જ નથી. ધ્યાન કરતાં ડર લાગે છે એ મૂળ સવાલ છે. જેમજેમ ધ્યાનમાં ઊંડા ઊતરીએ છીએ તેમતેમ મન શૂન્ય થતું જાય છે. એટલે મન જ્યારે શૂન્ય થાય છે, ત્યારે આપણે તો આપણી જાતને મન જ સમજી બેઠા છીએ, એટલે લાગે છે કે હવે મરી જવાશે.” જે ભૂતકાળને છોડી દઈશું. તો સમાપ્ત થઈ જઈશું. કોઈ ગતિ જ નહી રહે, તો માત્ર સ્વયંનું જ ભાન રહેશે. અમેરીકામાં ડો. ગ્રીને એક યંત્ર બનાવ્યું છે જે મનની અવસ્થાનું ચિત્ર રેખાંક્તિ કરે છે. Feed back machine એનું નામ છે. એ યંત્ર અત્યંત ઉપયોગી બની શકે છે. એ યંત્ર બધાં મંદિરોમાં, ચર્ચામાં, આજે નહીં તો કાલે ગોઠવવા જેવા છે. આ યંત્રની ખુરશીમાં એક માણસને બેસાડવામાં આવે છે. એના માથાની બન્ને તરફથી તારનું જોડાણ કરાય છે, (હૃદયનો ECG કાર્ડિયોગ્રામ લેતી વખતે જે રીતે જોડાણ થાય છે તે રીતે) અને એ તારને સામે રાખેલા એક સ્કિન-પડદા સાથે જોડવામાં આવે છે. માથામાં જે કાંઈ બનતું હોય છે તે બતાવવાસ્કિન પર, થર્મોમીટરનો પારો જેમ ઉપર-નીચે થતો હોય છે તેમ પ્રકાશની રેખાઓ
Page #128
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ: મંત્ર
૧૨૩
ઉપર નીચે થતી હોય છે. જ્યારે આપણું મન કોઈ પણ વિષયની બંને બાજુ દોડતું હોય છે ત્યારે બે ઉભી પ્રકાશની રેખાઓમાંની એક કૂદકા મારતી આસમાનતરફ ઊંચે વધતી દેખાય છે. જ્યારે બાજુની બીજી રેખા શૂન્ય બનતી જાય છે. તમારી સામે ડૉ. ગ્રીન ઊભા રહીને નગ્ન સ્ત્રીઓનાં ચિત્રો બતાવી તમારી કામવાસના ઉત્તેજિત કરે છે. સાથેસાથે સંગીત પણ સંભળાય છે, તે પણ કામવાસના જગાડે તેવું હોય છે. એક ઊભી રેખા ઊંચે, આસમાન તરફ ઊંચે વધતી દેખાય છે. જ્યારે બીજી શૂન્ય થઈ જાય છે. પછી એ ચિત્રો હટાવી લેવાય છે. પછી એ ચિત્રોના સ્થાને બુદ્ધ, મહાવીર અને જિસસનાં ચિત્રો બતાવાય છે. સંગીતનો પ્રકાર પણ બદલવામાં આવે છે. બ્રહ્મચર્યનું કોઈ સૂત્ર સામે રાખીને તમને કહેવાય છે કે બ્રહ્મચર્ય વિષે ચિંતન કરો. તો પહેલીરેખા જે ઊંચે વધી રહી હતી તે નીચે પડવા લાગે છે, અને બીજી રેખાને શુન્ય થતી જતી હતી તે ઊંચે ચઢવા લાગે છે. આ બીજું સંગીત અને ચિત્રો, તમારી સમક્ષ રજૂ થયેલાં રહે છે. પહેલી રેખા શૂન્યનબની જાય ત્યાં સુધી અને બીજીરેખા પૂરી ઊંચાઈ પર ન પહોંચે ત્યાં સુધી. ડૉ. ગ્રીન કહે છે કે આરેખાઓ તમારા ચિત્તની અવસ્થાનું રેખાંકન કરે છે. એક અતિ પરથી બીજા અતિ પર દોડતું ચિત્ત, ઉપર નીચે દોડતી રેખાઓ દ્વારા રજૂ થાય છે. ત્યાર બાદ ડૉ. ગ્રીન એક ત્રીજો પ્રયોગ કરે છે. એ કહે છે કે તમે વધું વિચારવાનું બંધ કરો, ના કામવાસના વિષે વિચાર કરો, ના બ્રહ્મચર્ય વિષે. તમે સ્ક્રીન તરફ જોતા રહો અને એવો ખ્યાલ કરો કે મારું મન શાંત થઈ જાય અને બન્ને રેખાઓ સમતોલ બની જાય. શાંત થતા જાવ, ધીમેધીમે સ્ક્રીન પર તમને દેખાશે કે એક રેખા નીચે આવી રહી છે અને બીજી ઊંચે વધીને સમતોલ થઈને, સ્થિર થઈ રહી છે. આ યંત્રને ડૉ. ગ્રીન ફીડબેક મશીન Feedback machine કહે છે. શાંત થતું જતું મન ધ્યાન માટે તમારી હિંમત વધારે છે. એટલા માટે જ કહું છું કે બધાં મંદિરોમાં આ યંત્ર ગોઠવવાં જોઈએ જેથી તમને ખબર પડે કે કાંઈ થઈ રહ્યું છે કે નહી. જેમજેમ ધ્યાનમાં ઉતરવાની તમારી હિંમત વધતી જશે તેમતેમ બન્ને રેખાઓ એક સ્તર પર સ્થિર થતી જશે. આ મશીન તમે શાંત થઈ રહ્યા છો તે પ્રત્યક્ષ બતાવે છે. વધારે ને વધારે શાંત થવાની હિંમત વધતી જાય છે. યંત્ર બતાવી રહ્યું છે તમે શાંત થતા જાવ છો. ધીમે ધીમે પંદર, વીસ, ત્રીસ મિનિટમાં, બન્ને રેખાઓ સમાન સ્તર પર સ્થિર થઈ જાય છે. ત્યારે એ માણસને અનુભવ થાય છે, આહા આવી શાંતિ તો આજ સુધી ક્યારેય જાણી નથી! આ પરિસ્થિતિ માટે ડૉ. ગ્રીને એક નવો શબ્દ ઘડ્યો. આ અનુભવને એ કહે છે, “અહા, એસપીરીઅન્સ-Aha Experience” જ્યારે બન્ને રેખાઓ હાલવા-ચાલવાનું બંધ કરી સ્થિર થઈ જાય ત્યારે માણસ કહે છે અહા! આવા અનુભવ એક વાર થઈ જાય તો સંયમ શું છે તે સમજાય : સંયમનો અર્થ છે, જ્યાં ચિત્તકોઈ પણ દિશામાં દોડવાનું બંધ કરી સ્થિર થઈ જાય. એક અહોભાવમાં ધ્યાનપૂર્ણ બની જવાય, અને
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૪
સંયમ' એટલે મધ્યમાં રહેવું તે શાંત મુદ્રાનું દર્શન થાય, એનું નામ સંયમ છે. આ સંયમ એક અત્યંત વિધાયક અવસ્થા છે. બન્ને અતિ એકસ્તર પર સ્થિર થાય છે ત્યારે વ્યક્તિ મુક્ત બની જાય છે. લોભ અને ત્યાગ સમ થઈ જાય ત્યારે વ્યક્તિ ત્યાગી પણ નથી હોતો અને લોભી પણ નથી હોતો. જ્યાં સુધી લોભ હોય છે ત્યાં સુધી બેચેની રહે છે. જ્યાં સુધી ત્યાગ હોય છે ત્યાં સુધી પણ બેચેની રહે છે. કારણકે ત્યાગ શીર્ષાસન કરી ઊલટો ઊભેલો લોભ છે.
જ્યાં સુધી કામવાસના મનને પકડે છે ત્યાં સુધી બેચેની રહે છે અને જ્યાં સુધી બ્રહ્મચર્યનું આકર્ષણ છે ત્યાં સુધી બેચેની રહે છે કારણકે બ્રહ્મચર્ય છે શું? બ્રહ્મચર્ય ઊલટી ઊભેલી કામવાસના છે. બ્રહ્મચર્ય તો ત્યારે સિદ્ધ થાય જ્યારે બ્રહ્મચર્યની યાદ પણ આવતી નથી. વાસ્તવિક ત્યાગ ત્યારે થાય છે જ્યારે ત્યાગનો બોધ પણ રહેતો નથી. કેવી રીતે રહે? જેના મનમાં લોભ જ નથી તેને ત્યાગનો ખ્યાલ કેવી રીતે આવે ? જે ત્યાગનો ખ્યાલ આવ્યા કરે તો લોભ ક્યાંક ખૂણામાં છુપાયેલો ઊભો જ હોય છે. એ લોભ જ ખ્યાલ કરાવે છે ત્યાગનો. કોઈ પણ ચિત્રકે રેખાનો રંગ એનાથી વિરુદ્ધ રંગવાળી પશ્ચાદભૂ પર સ્પષ્ટ દેખાય છે. સફેદ કાગળ પર કાળી રેખા વધુ સ્પષ્ટ દેખાય છે. સફેદ કાગળ પર સફેદરેખાદેખાતી નથી. જ્યાં સુધી તમને લાગે છે કે તમે ત્યાગી છો ત્યાંસુધી ચોક્કસ જાણજો કે તમારી ભીતરમાં લોભમજબૂતીથી ઊભો છે. જ્યાં સુધી તમે બ્રહ્મચારી છો એમ તમને લાગતું હોય ત્યાં સુધી તમારે ચોટલી રાખી, તિલક લગાવી, પગમાં ચાખડીના અવાજ સાથે કહેવું પડશે કે હું બ્રહચારી છું.” આવું બધું તમારે કરવું પડતું હોય, ત્યાં સુધી તમારી ચોટલી જોઈને, તમારી ચાખડીનો અવાજ સાંભળીને, લોકોએ સાવધાન થવું જોઈએ કે આ બ્રહ્મચારી ખતરનાક છે. બ્રહ્મચર્યનો દાવો કરનાર વ્યક્તિ પાછળ કામવાસના છુપાયેલી છે. જે ક્ષણે કામન રહે અને બ્રહ્મચર્ય પણ ન રહે, એ ક્ષણે સંયમ છે, એમ મહાવીર કહે છે. જ્યાંના લોભ રહ્યો, નાત્યાગ રહ્યો, જ્યાં કોઈ પણ અતિ સાથે સંબંધ રહ્યો, જ્યાં અનતિમાં, મૌનમાં, શાંતિમાં સ્થિર થઈ જવાયું ત્યાં સંયમ છે. જ્યાં બન્ને અતિનાંબિન્દુસમાન થઈ ગયાં અને શૂન્ય થઈ જવાયું ત્યાં સંયમ છે. એટલે સંયમસેતુ છે. સંયમના માધ્યમથીજવ્યક્તિ પરમગતિ પામી શકે છે. એટલે સંયમને હું શ્વાસ પણ કહું છું. શ્વાસ કહેવા માટે બીજાં કારણો પણ છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય કે શ્વાસની બાબતમાં પણ તમે અસંયમી હો છો. કાં તો વધારે શ્વાસ લો છો, કાં ઓછો શ્વાસ લો છો. પુરુષ વધારે શ્વાસ લેવાથી પીડાય છે, સ્ત્રી ઓછો શ્વાસ લેવાથી પીડાય છે. જેઓ આક્રમક હોય છે તે વધારે શ્વાસ લેવાથી પીડાય છે, જે સુરક્ષા વિષે ચિંતાતુર છે તે શ્વાસનો અવાજ પણ ન આવે તેમ છુપાઈને રહે છે. તેઓ ઓછોશ્વાસ લેવાથી પીડાય છે. આપણામાં ઓછા લોકો છે જેઓ સંયમપૂર્વક શ્વાસ લેતા હોય. શ્વાસ આપણે લેવો પણ નથી પડતો; એ તો આપોઆપ આવ જા કરે છે, છતાં પણ એ સંયમિત નથી રહેતો. આપણો શ્વાસ પણ આપણી માનસિક તાણ મુજબ ચાલે છે. જ્યારે તમે કામવાસનામાં હો છો ત્યારે તમારો શ્વાસ ત્વરિત ગતિથી ચાલે છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
૧૨૫
સામાન્ય રીતે આપણે શ્વાસ લઈએ ત્યારે એક મિનિટમાં જેટલા શ્વાસ લઈએ તેથી ત્રણગણા શ્વાસ આપણે કામાતુર હોઈએ ત્યારે લઈએ છીએ. એટલે એ પરિસ્થિતિમાં શરીરે પરસેવો વળી જાય છે. શરીર થાકી જાય છે. જ્યારે કોઈ માણસ બ્રહ્મચર્ય સાધવાનો પ્રયત્ન કરશે ત્યારે એનો શ્વાસ ધીમો પડી જશે. કામવાસનાથી ગ્રસિત હોઈએ ત્યારે લેવાતા શ્વાસ કરતાં, બ્રહ્મચર્ય સાધનારના શ્વાસ ધીમા ચાલશે. ખરેખર તો જે બ્રહ્મચારી હશે તે કંજૂસ પણ હશે, બધી બાબતોમાં. એ માત્ર વીર્યશક્તિ ખર્ચવામાં કંજૂસ નથી હોતો, એ શ્વાસ લેવામાં પણ કંજૂસ બની જાય છે. જૈવિકશાસ્ત્રની દષ્ટિએ જોઈએ તો બ્રહ્મચર્યની કોશિશ એક રીતે બંધકોશની Constipationની કોશિશ છે. એ વ્યક્તિ બધી ચીજોને પોતાનામાં રોકી રાખવા માગે છે. એના શરીરમાંથી કાંઈ વધારે બહાર ન નીકળી જવું જોઈએ. એટલે એ શ્વાસ પણ ધીમો લે છે. વધારે શ્વાસ બહાર ન નીકળી જાય! એના વ્યક્તિત્વમાં, એક પ્રકારની રુકાવટ બધી બાબતોમાં દેખાશે. સરળ અને સહજ શ્વાસ એ ક્ષણોમાં હોય છે જ્યારે તમને ખબર પણ નથી હોતી કે તમે શ્વાસ લો છો. જે લોકો ધ્યાનમાં ઊંડા ઊતરે છે તેમને આવી ક્ષણો આવે છે. એવા લોકો મને આવીને પૂછે છે કે શ્વાસ બંધ તો નથી થઈ જતોને? કારણકે ત્યારે શ્વાસ લઈએ છીએ કે નહીં, તેની ખબર નથી રહેતી. શ્વાસ તો ચાલ્યા જ કરે છે. પરંતુ એ એટલો શાંત અને સમતોલ બની જાય છે કે બહાર નીકળતા શ્વાસ અને અંદર જતો શ્વાસ સમાન રહે છે. શ્વાસ ચાલે છે કે નહી એનો ખ્યાલ આવવા માટે, થોડું ઘણું હલનચલન જોઈએ; થોડો-ઘણો, ઓછી-વધારે કે નાનો મોટો શ્વાસ ચાલવો જોઈએ. જ્યારે શ્વાસ સમ હોય, સ્થિર હોય ત્યારે એની ખબર રહેતી નથી. વ્યક્તિ જેટલી વધુ સંયમી, એટલો એનો શ્વાસ વધારે સંયમિત હોય છે. અથવા એમ કહીએ કે જેટલો શ્વાસ સંયમિત થઈ જાય એટલી સંયમ સાધવામાં ક્ષમતા અને સુવિધા વધી જાય. એટલે મહાવીરે શ્વાસ પર ઘણા પ્રયોગ ક્ય. જીવનના બધા પાસાઓમાં સંતુલન એ મહાવીરનું સર્વાધિક મહત્વનું સૂત્ર છે. મહાવીર એટલે જ દરેક બાબતમાં “સમ્યફ શબ્દ વાપરે છે. સમ્યફ આહાર, સમ્યક વ્યાયામ, સમ્યફનિદ્રા,.....બધું સમ્યફ મહાવીર એમનહોતા કહેતા કે ઓછું સૂઓ કે વધુ સૂઓ. એ એમ કહેતાકે એટલું સૂઓ કે જે સમ્યફ હોય. મહાવીર એમનહોતા કહેતા કે ઓછું ખાવ કે વધારે ખાવ. એ એમ કહેતાકે એટલું જ ખાવ જેટલું સમ્યફ હોય, એટલું ખાવ જેથી ભૂખનો ખ્યાલ પણ ન આવે અને ભોજનનો ખ્યાલ પણ ન આવે. જો જમ્યા પછી ભૂખ્યા રહ્યા હોવાનો ખ્યાલ આવે તો તમે ઓછું ખાધું છે અને જો જમ્યા પછી ખાધું છે એમ યાદ આવ્યા કરે તો સમજવું કે વધારે ખવાયું છે. એટલું જ જમવું જોઈએ કે જમ્યા પછી ભૂખનો ખ્યાલ આવે અને પેટનો ખ્યાલ પણ ન આવે. પરંતુ આપણી પરિસ્થિતિ વિપરીત છે. આપણને તો ભોજન પહેલા ભૂખ યાદ આવ્યા કરે છે અને ભોજન પછી પેટ યાદ આવ્યા કરે છે. આપણને બધું યાદ આવ્યા કરે છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧ર૬
સંયમ એટલે મધ્યમાં રહેવું તે
મહાવીર કહે છે કે કોઈ પણ ચીજનું યાદ આવ્યા કરવું એ જ બીમારી છે. ખરેખર તો શરીરનાં જે અંગોમાં બીમારી હોય છે તે સતત યાદ આવ્યા કરે છે. જે અંગ સ્વસ્થ હોય છે તેની યાદ આવતી નથી. માથું દુ:ખતું હોય ત્યારે માથું છે એનું ભાન થાય છે. પગમાં કાંટો વાગે છે ત્યારે પગ છે તેનું ભાન થાય છે. એટલે મહાવીર કહે છે કે સમ્યફ આહાર હોય તો ભૂખનો કે ભોજનનો ખ્યાલ આવતો નથી. સમ્યફનિદ્રા હોયતો ઊંઘનો કે જાગરણ થયાનો ખ્યાલ આવતો નથી. સમ્યફશ્રમ હોય તો એટલો વધારે ન કરીએ કે જેથી વિશ્રામ કરવાનું યાદ આવ્યા કરે. આપણે કાં તો શ્રમ વધુ કરીએ છીએ કાંતો વિશ્રામ વધુ કરીએ છીએ. બધું વધારે કેમ કર્યા કરીએ છીએ ? વધારે કરવાથી આપણને આપણા હોવાનો ખ્યાલ રહે છે. આપણે છીએ એવો ખ્યાલ આપણને રહ્યા કરે એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ. એટલે જ અગાઉ મેં કહ્યું હતું કે “અહિંસાનો અર્થ છે, આપણી ગેરહાજરી. આપણે અનુપસ્થિત થઈ જઈએ. પરંતુ આપણો અહંકાર છે, અને આપણું મન છે કે આપણે છીએ એવું આપણને યાદ રહયા કરે. આપણને જ યાદ રહે, એટલું જ નહીં, બીજાને પણ ખબર રહે કે આપણે પણ છીએ. એના કારણે જ અસંયમ જ આપણે માટે એકમાત્ર માર્ગ બચે છે. જેટલો માણસ વધારે અસંયમી હોય એટલો એને એનો પોતાનો ખ્યાલ રહ્યા કરે છે. એમિલ ઝોલાએ પોતાનાં સંસ્મરણોમાં લખ્યું છે કે દુનિયામાં જે બધા જ સારા માણસો હોય તો કોઈ નવલકથા ન લખી શકાય, કથાનક જ ન મળે. સારા માણસોની જિંદગીમાં લખવા જેવું શું હોય? પરંતુ કોઈ ખરાબ માણસ હોય તો તેની જિંદગીમાં ઘણા બધા બનાવો બન્યા હોય અને એ વિષે વિસ્તારથી લખી શકાય. સારા માણસની જિંદગી સારી જ હોય છે એટલે કથાનક પણ શૂન્ય થઈ જાય છે. વાર્તા બને જ નહીં. જિસસની જિંદગી વિષે ઘણું ઓછું જાણવા મળ્યું છે. ઈસાઈ લોકોને જિસસ વિષે શું લખવું તે સમજાતું નથી. જિસસ પેદા થયા એની ખબર છે. પછી પાંચ વર્ષની ઉમરે એક દેવળમાં દેખાયા હતા એની ખબર છે પછી ત્રીસ વર્ષની ઉમરે ફરીથી જાહેરમાં દેખાયા એની ખબર છે. પછી તેત્રીસમાં વર્ષે શૂળી પર ચઢાવી દેવાયા એની ખબર છે. બસ આટલી જ વાર્તા છે. પૂરા ત્રીસ વર્ષની ઉમર થઈ ત્યાં સુધી જિસસે શું ક્યું તેની કાંઈ ખબર નથી. એક ઈસાઈ પાદરી મને મળવા આવ્યા હતા. એમણે કહ્યું કે તમે મહાવીર વિષે બોલો છો, બુદ્ધ વિષે બોલો છો, પણ જિસસ વિષે ક્યારેય બોલતા નથી. જિસસનાં ત્રીસ વર્ષોની જિંદગીના બનાવો વિષે કાંઈ ખબર નથી તો તે વિષે કાંઈ જણાવો. મેં કહ્યું કે જિસસની જિંદગીમાં કોઈ બનાવ જ નથી, એ જ એકમાત્ર કારણ છે, એમના વિશે કાંઈ કહેવાયું નથી તે માટે. જે જિસસને શૂળી પર ન ચઢાવાયા હોત તો.. એ પણ જિસસની જિંદગીનો બનાવ નથી, તે વખતની પ્રજાની કેવી જિંદગી હતી તેની એમાં વાત છે. લોકોએ શૂળી પર ચઢાવી દીધા, એમાં જિસસ શું કરે. જે જિસસને શૂળી પર ન ચઢાવાયા હોત તો જિસસનું નામ જ ભુંસાઈ જત. જિસસનું નામ પૃથ્વી પર ટકાવી રાખવામાં, એને શૂળી ચઢાવનારાઓનો હાથ છે. નહી તો જિસસ એક કોરા કાગળની
Page #132
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ઃ મંત્ર
જેમ, જન્મીને વિદાય થઇ ગયા હોત. ઘણા લોકો એ રીતે વિદાય થઇ ગયા છે.
મહાવીરની જિંદગીમાં પણ શોધવા જઇએ તો કેટલા બનાવો છે ? ક્યારેક કોઇએ એમના કાનમાં ખીલા ઠોક્યા, એની વાત છે. પરંતુ આ મહાવીરની જિંદગીની ઘટના નથી. એના કાનમાં ખીલા ઠોકનારના જીવનની ઘટના છે. મહાવીરનો એમાં કાંઇ હાથ નથી. કોઇ આવ્યું અને મહાવીરના ચરણમાં ઝૂકી ગયું. આ મહાવીરની જિંદગીની ઘટના છે કે જે વ્યક્તિ ઝૂકી ગઇ એની જિંદગીની ઘટના છે ? કોઇએ મોટેથી બૂમ મારીને, મહાવીરને તીર્થંકર છે એમ કહ્યું. આ પણ જેણે બૂમ મારી ‘તીર્થંકર’ કહ્યું, એની જિંદગીની ઘટના છે. એક રીતે જોઇએ તો મહાવીરની જિંદગી એક કોરા કાગળ જેવી દેખાશે. સારા માણસની કોઇ જિંદગી હોતી નથી એટલે એમના વિષે કાંઇ લખી શકાતું નથી. વાર્તા જ લખવી હોય તો કોઇ ખરાબ માણસને પસંદ કરવો પડશે.
૧૨૭
રાવણ વિના આપણે રામાયણની કલ્પના કરી જ ન શકીએ. રામની જગ્યાએ કોઇ પણ એ.બી.સી. ગોઠવી શકાય તેમ છે. પરંતુ રાવણની જગ્યાએ કોઇ અન્યને મુકી શકાય એમ નથી. રાવણ વિના રામાયણની કથામાં કોઇ રસ નથી રહેતો. લોકો માને છે કે રામ રામાયણનું કથાવસ્તુ કે કેન્દ્ર છે, હું માનું છું કે રામાયણનું કેન્દ્ર રાવણ છે. હંમેશાં ખરાબ માણસ જ વાર્તાનો નાયક બને છે. વાર્તાનો હીરો બનવા માટે ખરાબ હોવું જરૂરી છે.
સંયમી વ્યક્તિના જીવનની બધી ઘટનાઓમાં ‘હું’ ની ગેરહાજરી છે. જ્યાં ‘હું છું’ એમ કહેવાનો ઉપાય ન હોય ત્યાં ઘટના કેવી રીતે બને ? આપણે બધા આપણા વિષે કાંઇ કહેવા માગીએ છીએ કારણકે આપણો ‘હું” પ્રખર છે. ક્યારેક વધારે ખાઇને જાહેર કરીએ છીએ કે ‘હું છું’, અને ક્યારેક ઉપવાસ કરીને જાહેર કરીએ છીએ કે ‘હું છું’, ક્યારેક વેશ્યાલયોમાં જઇને જાહેર કરીએ છીએ કે ‘હું છું’ અને ક્યારેક મંદિરમાં જઇને જાહેર કરીએ છીએ કે ‘હું છું’. આપણું અનેક બાબતોમાં જાહેરાત કરતા રહેવાનું ચાલું રહે છે. મંદિરમાં પણ આપણને કોઇ જોનાર ન હોય, તો મંદિરમાં જવાનું આપણને મન પણ નથી થતું.
આપણે એ જ કરીએ છીએ કે જે લોકો જોતા હોય અને આપણે કાંઇ છીએ એ વાત માનતા હોય. મનોવૈજ્ઞાનિકો કહે છે કે માણસો આ પૃથ્વી પર ખરાબ થઇ જાય છે, તેનું મુખ્ય કારણ પોતાની અસ્મિતાની એમને જાહેરાત કરવી છે. એમાં એમના અહંકારની પુષ્ટી છે. જો બધા જ માણસો સારા હોય એવો સમાજ આપણે બનાવી શકીએ અને જેટલું નામ ખરાબ માણસોને મળે છે એટલું જ નામ સારા માણસોને મળતું હોય તો કોઇ માણસ ખરાબ થવાનું પસંદ કદી નહી કરે. તમે કોઇને જુઓ જ નહીં, એના તરફ ધ્યાન જ ન આપો, એની હાજરીનો સ્વીકાર જ ન કરો, તો એણે કાંઇને કાંઇ કરીને, તમને બતાવવું પડે કે એ પણ છે. સમાચારપત્રો, કોઇ ધ્યાન કરનાર વ્યકિત વિષે લખતા નથી, પરંતુ કોઇની છાતીમાં કોઇએ છરો માર્યો હોય તેના ખરાબ સમાચાર છાપે છે. એક પત્ની પોતાના પતિ પ્રત્યે જીવનભર નિષ્ઠાવાન રહી, એની ખબર કોઇ સમાચારપત્ર છાપતું નથી,
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૮
‘સંયમ’ એટલે મધ્યમાં રહેવું તે
પરંતુ કોઇ સ્ત્રી પતિને છોડીને ભાગી ગઇ તેના સમાચાર છપાય છે.
મુલ્લા નસરૂદ્દીન વૃદ્ધ થવા આવ્યો ત્યારે ગામના લોકોએ એને મેજિસ્ટ્રેટ બનાવી દીધો. પહેલા દિવસે બપોર થઇ ગઇ છતાં, એક પણ મુકદમો મુલ્લાની અદાલતમાં ન આવ્યો. મુલ્લાનો જે કલાર્ક હતો તે પણ ઉદાસ થઇ ગયો, બેચેન બની ગયો. મુલ્લાએ એના કલાર્કને કહ્યું, માણસના સ્વભાવ પર ભરોસો રાખ. સાંજ સુધીમાં કાંઇને કાંઇ ફરિયાદ આવી જશે. કોઇને કોઇ માણસની હત્યા થશે, કોઇની સ્ત્રી ભાગી જશે, કોઇ ચોરી કે મારામારી થશે જ થશે. બેચેન ના થઇશ, માણસ જાત કાંઇને કાંઇ કર્યા વિના નહીં રહે !
બધાં વર્તમાનપત્રો, માણસના સ્વભાવ પર ભરોસો રાખીને જ ચાલે છે. માણસ કાંઇ ને કાંઇ ઉપદ્રવ કર્યા જ કરે છે. કોઇની સ્ત્રી ભાગી જાય છે, કોઇની સ્ત્રી ઉપાડી જવાય છે, કોઇનું ખૂન થઇ જાય છે, કોઇ ચોરી કરે છે, કયાંક લૂંટફાટ થાય છે, કોઇ મિનિસ્ટર કાંઇ ગરબડ કરે છે. કયાંક યુદ્ધ શરૂ થઇ જાય છે. કયાંક ક્રાંતિ થઇ જાય છે, ક્યાંક સૈનિકો મોકલવા પડે છે. માણસનો સ્વભાવ જ એવો છે. વર્તમાનપત્રોમાં સમાચાર છાપવા જગ્યા બચતી નથી, એટલા બધા બનાવો બને છે. સારા માણસોની દુનિયા હોય તો વર્તમાનપત્રને બહુ મુશ્કેલી નડે, એટલે મેં સાંભળ્યું છે કે સ્વર્ગમાં એક પણ વર્તમાનપત્ર નથી, બધાં નર્કમાં છે. સ્વર્ગમાં કોઇ ઘટના બનતી જ નથી. ખબર શું છપાય?
સારા માણસોની જિંદગીમાં કોઇ ઘટનાઓ હોતી નથી. આ પ્રમાણે કાંઇને કાંઇ બનતું હોય છે. આપણી હાજરીની નોંધ થાય એવું આપણે ઇચ્છીએ છીએ, એટલે ઘટનાઓ જરૂરી છે. ઘટનાઓ જોઇએ તો આપણે કાંઇક કરવાની તાણમાં રહેવું પડે. દ્વિધામાં અને દ્વંદ્વમાં અટવાવું પડે, ક્રોધ કરવો પડે અને ક્ષમા પણ આપવી પડે. ભોગ કરવો પડે અને ત્યાગ પણ કરવો પડે. દુશ્મનાવટ કરવી પડે અને દોસ્તી પણ કરવી પડે.
સંયમીનો અર્થ એ કે વ્યક્તિ ક્રંદ્રની બહાર સરકી જાય છે. એ દોસ્તી કરતો નથી અને શત્રુતા પણ કરતો નથી. મહાવીર કોઇની સાથે મિત્રતા કરતા નથી કારણકે મહાવીર જાણે છે કે મિત્રતા દ્વંદ્વનો એક છેડો છે. મહાવીર કોઇ સામે શત્રુતા નથી કરતા, કારણકે મહાવીર જાણે છે કે શત્રુતા દ્વંદ્વનો બીજો છેડો છે. પરંતુ આપણે ઊલટું જ વિચારીએ છીએ. આપણે એમ વિચારીએ છીએ કે દુનિયામાં જો રહેવું હોય તો બધા માણસો સાથે મિત્રતા રાખવી જોઇએ. પરંતુ એમાં તમારી ભૂલ થાય છે. મિત્રતા કરવા જતાં શત્રુતા પેદા થઇ જાય છે. જેટલી મિત્રતા તમે એક તરફ કરો છો, એટલી જ કોઇ બીજા સાથે શત્રુતા પેદા થઇ જાય છે. એક પ્રકારનું સંતુલન ઊભું કરવું પડે છે.
હસન નામે એક મુસલમાન ફકીર હતો. એ પોતાની ઝૂંપડીમાં બેઠો છે. આજુબાજુ એના થોડા સાધકો બેઠા છે. ત્યાં અચાનક કોઇ અજાણ્યો સૂફી ફકીર આવે છે. એકદમ એ હસનના ચરણોમાં ઝૂકી પડે છે અને કહે છે, ‘તમે તો ભગવાન છો. સાક્ષાત ઇશ્વરના અવતાર છો, તમે જ્ઞાનનું એક
Page #134
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
સાકાર સ્વરૂપ છો.” ખૂબ પ્રશંસા કરી હસનની. જ્યારે એની પ્રશંસા પૂરી થઇ ત્યારે ત્યાં બાયઝદ નામે એક બીજો ફકીર પણ બેઠો હતો. એ પણ હસન જેટલો જ ઉત્તમ ફકીર હતો. પેલો સૂફી ફકીર પ્રશંસા કરીને ચાલ્યો ગયો, પછી બાયદ એકદમ ઊભો થઇ ગયો અને એણે હસનને ગાળો આપવાનું શરૂ કર્યું. ત્યાં બેઠેલા બધા સાધકો ચોંકી જાય છે. બાયજીદ જેવો માણસ હસનને ગાળો આપે ! બધાને ખૂબ દુ:ખ થાય છે, પરંતુ કોઇ કાંઇ બોલી શકતું નથી. હસન પણ બેઠો રહ્યો ને સાંભળ્યા કર્યું. બાયજીદ ગાળો દઇને જતો રહ્યો. પછી કોઇ શિષ્યે હસનને પૂછ્યું કે ‘અમારી સમજમાં આ વાત આવતી નથી. બાયજીદ આવો અસભ્ય, અભદ્ર વ્યવહાર કેવી રીતે કરી શકે ?” હસને જવાબ આપ્યો, ‘કોઇ અભદ્ર વ્યવહાર નથી. તમે જોયું નહીં, એક માણસ મને ભગવાન કહી ગયો. એટલી બધી પ્રશંસા કરી ગયો કે કોઇએ એનું સંતુલન કરવું પડે. હવે બધું ફરીથી સંતુલીત થઇ ગયું છે. આપણે બધા આ બનાવ પહેલાં જ્યાં હતા, ત્યાં પાછા આવી ગયા છીએ. હવે આપણું કામ શરૂ કરીએ.
૧૨૯
જિંદગીમાં જેવી મિત્રતા ઊભી કરીએ છીએ, કે બીજે કયાંક શત્રુતા ઊભી થાય છે. અહીં કોઇને પ્રેમ કરીએ છીએ તો બીજું કોઇ ઘૃણા કરવાનું શરૂ કરે છે. જેવા આપણે બેમાંથી એક દ્વંદ્રની પસંદગી કરીએ છીએ કે તરત જ બીજા દ્વંદ્વ તરફ તાકાત પહોંચવાની શરૂઆત થાય છે. આપણી ઇચ્છા-અનિચ્છાનો પ્રશ્ન નથી. જીવનનો આ એક નિયમ છે. માટે મહાવીર કોઇને મિત્ર બનાવતા નથી. પરંતુ જ્યારે મહાવીર કહે છે ‘મારી બધા સાથે મૈત્રી છે’ ત્યારે એનો અર્થ મિત્રતા છે એવો નથી થતો, એનો અર્થ થાય છે કે મારી કોઇ સાથે શત્રુતા નથી અને મિત્રતા પણ નથી.’
જ્યારે મહાવીર કહે છે કે ‘બધા સાથે મારે મૈત્રી છે”, ત્યારે એનો અર્થ આપણા જેવી મિત્રતા છે એવો નથી થતો. એવી ભૂલમાં ન પડશો, આપણી મિત્રતા તો શત્રુતા વિનાની હોતી જ નથી. જ્યારે મહાવીર કહે છે ‘કે બધા સાથે મારે પ્રેમ છે’, ત્યારે એ પ્રેમ આપણા જેવો છે એવા ભ્રમમાં ન રહેશો. આપણો પ્રેમ તો ઘૃણા વિના, ઇર્ષા વિના હોઇ શકતો જ નથી. એટલે મહાવીર જેવી વ્યક્તિઓને સમજવી બહુ મુશ્કેલ છે. જે શબ્દો આપણે વાપરીએ છીએ એ જ શબ્દો મહાવીર પણ વાપરે છે. બીજે કોઇ ઉપાય નથી. શબ્દ એક જ હોવા છતાં આપણા અને મહાવીરનાં અર્થ અને ભાષામાં ઘણો ફરક છે.
જ
સંયમનો વિધાયક અર્થ છે કે, સ્વયંમાં એટલા માટે સ્થિર થઇ જવું કે મન કોઇ પણ અતિ પર ન દોડે, એનું કાંઇ હલનચલન જ ન હોય.
Page #135
--------------------------------------------------------------------------
________________
धम्म-सूत्र
धम्मो मंगलमुक्किळं,
अहिंसा संजमो तवो। 'देवा वि तं नमंसन्ति, जस्स धम्मे सया मणो ॥
धर्भ सर्वश्रेष्ठ भंग छे. (ज्यो धर्म?) अहिंसा, संयम, अने त५३४ा धर्म भंग छ.? મનુષ્યનું મન આવા ધર્મમાં સદા સલંગ્ન રહે છે, તેને દેવતા પણ નમસ્કાર કરે છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
૭. સંયમની વિધાયક દ્રષ્ટી
સૂર્યોદય સમયે કોઇ કળી પોતાની પાંખડીઓ ઉઘાડી નાખે એવો પ્રફુલ્લ છે સંયમ. સૂર્યાસ્ત સમયે પુષ્પ પોતાની પાંખડીઓ બંધ કરી લે એવો સંયમ નથી. સંયમ મૃત્યુ સમયે સંકોચાઇ ગયેલા ચિત્તની રોગી અવસ્થા નથી. સંયમ તો અમૃતની વર્ષામાં પ્રફુલ્લિત થઇ નાચતા ચિત્તની અવસ્થા છે. કોઇ ભયને કારણે ઊભા થયેલા સંકોચનું નામ સંયમ નથી. કોઇ પ્રલોભનમાંથી પેદા થયેલી આદતનું નામ પણ સંયમ નથી. સંયમ તો અભયને કારણે પેદા થયેલો ચિત્તનો ફેલાવ અને વિસ્તાર છે. સંયમ કોઇ આનંદની ઉપલબ્ધિની ક્ષણોમાં અંર્તવીણા પર ગુંજતું સંગીત છે. સંયમ નિષેધ માનીને ચાલે છે, કારણકે કોઇ પણ વાતનો નિષેધ કરવો બહુ સહેલો છે, પરંતુ એનો વિધેયાત્મક અમલ કરવો મુશ્કેલ છે. મરવું બહુ સહેલું છે. જીવવું મુશ્કેલ છે. પરંતુ આપણે જેને જીવવું કહીએ છીએ તે મૃત્યુથી વધારે કાંઇ નથી.
સંકોચાઇ જવું બહુ સહેલું છે. ખીલવું મુશ્કેલ છે, કારણ ખીલવામાં અંતર ઊર્જાના જાગરણની જરૂર છે. સંકોચાવામાં તો કોઇ જાગરણની જરૂર નથી, કોઇ શક્તિની જરૂર નથી. જે કાંઇ શક્તિ છે તે ઓછી થઇ જાય તો સંકોચાવાનું આપોઆપ બને છે. નવી શક્તિ પેદા થયા કરે, ત્યારે ફેલાવ અને વિસ્તાર વધે છે. મહાવીર તો એક ફૂલસરખું ખીલેલું વ્યક્તિત્વ છે. પરંતુ મહાવીરની પાછળ પરંપરા ઊભી થઇ, તેમાં તો સંકોચાઇ ગયેલી ઊર્જાવાળા માણસોની સાંકળ બની ગઇ છે. એટલ મહાવીર પછીના સમયમાં, એમની પાછળ સંકોચાઇ ગયેલા માણસોની ચાલતી હારમાળા જોઇને આપણે મહાવીર વિષે પણ નિર્ણય લેવાની ભૂલ કરીએ છીએ. મહાવીરનું અનુગમન કરનાર લોકો જોઇને જ સાધારણ રીતે આપણે મહાવીર વિષે અનુમાન કરવા પ્રેરાઇએ છીએ.
પરંતુ એમાં બહુ મોટી ભૂલ થઇ જાય છે. અનુયાયી બહારના દેખાવને પકડે છે તેથી ભૂલ થાય
Page #137
--------------------------------------------------------------------------
________________
સંયમની વિધાયકદ્રષ્ટી
છે. બહારના દેખાવ પરથી શું છોડેલું છે, શેનો નિષેધ કરેલો છે તેનો જ ખ્યાલ આવે છે. પરંતુ મહાવીર, બુદ્ધ અને કૃષ્ણ પોતાના અંતરતમમાં જીવે છે, ભીતરમાં જીવવામાં વિધાયકતા છે. જેમના જીવનમાં પરમ આનંદ ફેલાયેલો હોય, એમના જીવનમાંથી જેને આપણે સુખ કહીએ એવી વાતો છૂટી જશે. તેઓ એ સુખ છોડતા નથી. પરંતુ એમને જે મળ્યું છે તે એટલું વિશાળ છે કે એને સમાવવા હાથ ખાલી કરવાની જરૂર છે. જેના જીવનમાં હીરા આવી જાય તે કાંકરા, પત્થરને શાને પકડી રાખે? હાથમાં હીરો આવ્યા પછી પત્થરને પકડી રાખવાની કાંઇ જરૂર નથી. ત્યારે પત્થર આપોઆપ છૂટી જાય છે, છોડવો પડતો નથી. હીરો તો પેદા થશે આંતરિક આકાશમાં. તે આપણને દેખાશે નહીં. પરંતુ હાથમાં જે પત્થર હતા તે છૂટી જતા દેખાશે. સ્વાભાવિક રીતે આપણે વિચારીશું કે આવી રીતે પત્થર છોડવા એ સંયમ છે. બધા જાગ્રત પુરુષોની આસપાસ આવી ઘટના બને છે અને એના ખોટા અર્થ આપણે કાઢીએ છીએ. આપણને લાગે છે કે મહાવીર જે છોડી રહ્યા છે એ સંયમ છે. પરંતુ એમને જે પ્રાપ્ત થયું છે તેની આપણને ખબર નથી. કાંઇ મળ્યા વિના, છોડવાનું સંભવિત નથી. જેઓ કાંઇક શ્રેષ્ઠ મેળવે છે, તે કનિષ્ઠને છોડે છે. પરંતુ કાંઇ મળ્યા વિના છોડનાર રોગી બની જાય છે, અસ્વસ્થ બને છે, સંકોચાઇ જાય છે અને છેવટે મૃત્યુ પામે છે. હું જે કહી રહ્યો છું તે સંયમનું એક જુદું જ રૂપ છે, સંયમનું જુદું જ પરિમાણ છે.
૧૩૨
હું કહું છું કે મહાવીર જેવા માનવો જે મેળવે છે તે એવું વિરાટ હોય છે કે એની સરખામણીમાં, એમના હાથમાં કાલ સુધી જે કાંઇ હતું તે વ્યર્થ અને મૂલ્યહીન બની જાય છે. એક વાત સમજી લેવાની જરૂર છે કે મૂલ્યહીનતા તુલનાત્મક છે. સાપેક્ષ છે. જ્યાંસુધી શ્રેષ્ટતર ન મળે ત્યાં સુધી જે હાથમાં છે તે જ શ્રેષ્ટતર છે. કોઇ એને ગમે તેટલું કહે કે આ શ્રેષ્ડતર નથી, પરંતુ તમારું મન કહ્યા કરશે કે જે હાથમાં છે તે શ્રેષ્ટતર છે. કારણકે જ્યાંસુધી આપણી પાસે છે તેનાથી વધારે શ્રેષ્ઠને આપણે ન જાણીએ, ત્યાંસુધી એને નિકૃષ્ટ કેમ માની શકાય ? જ્યારે શ્રેષ્ટતર હાથમાં આવશે ત્યારે જે હાથમાં છે તે નિકૃષ્ટ બનીને છૂટી જશે. આ એક બહુ મજાની વાત છે કે નિકૃષ્ટને છોડવું નથી પડતું અને શ્રેષ્ઠને પકડવું નથી પડતું. આપોઆપ શ્રેષ્ઠ પકડાઇ જાય છે અને નિકૃષ્ટ છૂટી જાય છે. નિકૃષ્ટને છોડવું પડે ત્યાં સુધી સમજવું કે શ્રેષ્ઠ હજી મળ્યું નથી. શ્રેષ્ઠનો તો એ સ્વભાવ છે કે એ આપણને પકડી લે, નિકૃષ્ટનો એ સ્વભાવ છે,કે આપોઆપ છૂટી જાય.
પરંતુ પરિસ્થિતિ એવી છે કે શ્રેષ્ઠ આપણી પકડમાં આવતું નથી અને નિકૃષ્ટ આપણાથી છૂટતું નથી. આપણે નિકૃષ્ટને છોડવાનો ભારે પ્રયત્ન કરીએ છીએ, એ પ્રયત્નને જ આપણે સંયમ કહીએ છીએ. શ્રેષ્ટને અંધારામાં ફંફોસવાની કોશિશ કરીએ છીએ, પરંતુ એ રીતે શ્રેષ્ઠ આપણી પકડમાં આવતું નથી. માટે સંયમનાં વિધાયક દિશા અને સમજ બરાબર ખ્યાલમાં આવવાં જરૂરી છે. નિષેધાત્મક સંયમ વ્યક્તિને ધાર્મિક બનાવતો નથી, પરંતુ એને માત્ર
Page #138
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ: મંત્ર
૧૩૩
અધાર્મિક બનતાં રોકે છે. જે સંયમ અધર્મને બહાર પ્રગટ થતાં રોકે છે તે સંયમ ભીતરમાં ઝેર બનીને ફેલાઈ જાય છે. નિષેધાત્મક સંયમ ફલ પેદા કરી શકતો નથી, પરંતુ માત્ર કાંટાને ઊગતા રોકે છે. જે કાંટા બહાર પ્રગટ થતા રોકાઈ જાય છે તે ભીતરમાં આત્માને વાગે છે. એટલે આપણે જેને સંયમી કહીએ છીએ તે આપણને આનંદી જણાતા નથી. તેઓ કોઈ પીડામાંથી પસાર થતા હોય એવું દેખાય છે. જાણે કોઈ પત્થર નીચે દબાયેલા હોય, કે જાણે પહાડ જેવો બોજો ઉઠાવી રહ્યા હોય એવું દેખાય છે. એમના પગમાં નર્તકનો થનગનાટ નથી હોતો. એમના પગમાં કેદીને પહેરાવેલી જંજીરો દેખાય છે. બાળક જેવા સરળ ને હલકા, હવામાં ઊડવા માટે તત્પર હોય એવા એ દેખાતા નથી, મોટા બોજા નીચે દબાયેલા ભારેખમ દેખાય છે. જેને આપણે સંયમી કહીએ છીએ તે હસવા માટે અસમર્થ બની ગયા હોય એવા લાગે છે. એમની ચારે તરફ આંસુઓની ધારાઓ વહેતી દેખાય છે. જે સંયમી હસી ન શકે પૂરા મનથી, તેને સંયમી કેમ કહેવાય? જેનું જીવન હાસ્ય અને આનંદમાં તરબોળ ન હોય તેને સંયમી કેમ કહેવાય. નિષેધનો તો નિયમ છે કે જ્યાં જ્યાં મન દોડે તેને ત્યાં ન જવા દેવું. જ્યાં મન ખેંચાતું હોય તે તરફ એને જતાં રોકો. એની વિરુદ્ધ દિશામાં એને ખેંચો, એટલે આવો નિષેધ એક આંતરિક સંઘર્ષ બની જાય છે. એનાથી આપણી શક્તિનો દુર્વ્યય થાય છે. આપણને એમાંથી શક્તિ મળતી નથી. જ્યાં જ્યાં સંઘર્ષ છે ત્યાં ત્યાં શક્તિનો દુર્વ્યય છે. જે તરફ મન ખેંચાતું હોય તે તરફ જતાં એને કોણ રોકશે, કોણ એને પાછું વાળશે? આપણે જ આકર્ષિત થઈએ છીએ, ખેંચાઈએ છીએ અને મનના દુશ્મન બનીએ છીએ. એનાથી આપણું મન વિભાજિત થાય છે. આપણી આંતરિકતા તૂટે છે અને પરિણામે એક વિભાજિત વ્યક્તિત્વની જેમ, જેને વૈજ્ઞાનિકો Schizophernia કહે છે. તેવી માનસિક પરિસ્થિતિ પેદા થાય છે. આપણે ખંડિત થઈ જઈએ છીએ અને આપણા મનના અલગ ટુકડા, અંદરોઅંદર લડવાનું શરૂ કરે છે. એમાં કોઈની છત થતી નથી. મહાવીરનો રસ્તો તો જીતનો છે. જે પોતાની સાથે લડે તે કદી જીતી શકે નહીં. આપણને આ વાત બહુ ઊલટી લાગે છે. આપણને એમ લાગે છે કે લડ્યા વિના છત કેવી રીતે થાય ? પરંતુ જે પોતાના બે હાથને આપસમાં લડાવે તે કેવી રીતે જીતે ? ડાબો હાથ જીતશે કે જમણો હાથ જીતશે ? બન્ને લડશે તેમાં શક્તિ તો પોતાની જ ખર્ચાશે. હું ડાબા હાથને જિતાડું કે જમણા હાથને જિતાડું, બેમાંથી કોઈ જીતતું નથી, કારણકે બન્ને હાથની પાછળ હું જ છું. એમાં તો મારું જ વિભાજન છે. કોઈ એકને જિતાડવામાં હું જ પાગલ બનીશ, કારણકે જે જીતશે ને હારશે તે હું જ છું. હું પોતે જ મારો દુશ્મન બનું છું. આ તો હું મારા પડછાયા સાથે લડતો હોઉ તેવું પાગલપણું છે. મહાવીરની સમજ ઘણી ઊંડી છે. આવા ખંડિત વ્યક્તિત્વ તરફ આપણે ઘસડાઈ જઈએ એવી સલાહ એ કદી આપે નહીં. એ તો
Page #139
--------------------------------------------------------------------------
________________
સંયમની વિધાયકદ્રષ્ટી
અખંડ વ્યક્તિત્વ, INTEGRATED, ઐક્યસભર, કેવી રીતે બને તેની સલાહ આપે. સંયમનો અર્થ જ છે. INTEGRATED સંગઠિત એકત્ર પામેલું વ્યક્તિત્વ.
૧૩૪
એક બીજી સમજવા જેવી વાત છે. જો આપણે જૂઠું બોલીશું તો આપણે અખંડ નહીં રહી શકીએ, આપણે વિભાજિત થઇ જઇશું, કારણકે જ્યારે પણ આપણે જૂઠું બોલીએ છીએ, ત્યારે તે જ ક્ષણે, આપણા અંતરનો એક હિસ્સો સદૈવ હાજર હોય છે, જે ઠપકો આપે છે, ને કહે છે કે જૂઠું બોલવું જોઇતું ન હતું. જૂઠાપણા સાથે કોઇ પણ માણસ પૂરેપૂરો રાજી રહી શકતો નથી. જો તમે ચોરી કરશો તો તમે ક્યારેય અખંડ નહીં રહી શકો. તમારા અંતરનો એક હિસ્સો ચોરી સામે વિરોધ ઉઠાવ્યા કરશે. પરંતુ જો તમે સત્ય બોલશો તો અખંડ રહી શકશો. આપણે જે ચીજો વડે અખંડ રહી શકીએ તેને મહાવીરે પુણ્ય કહ્યું છે; જેનાથી આપણે ખંડિત થઇ જઇએ તેને પાપ કહ્યું છે. અનેક ટુકડામાં વિભાજન થવું એનું નામ પાપ છે. માણસનું એકત્ર, સંગઠિત થઇ જવું, એકઠા થઇ જવું ‘to be one’,એનું નામ પુણ્ય છે.
ન
એટલે મહાવીર લડવાની સલાહ તો આપી જ ન શકે; મહાવીર જીતવાનું જરૂર કહી શકે. જીતવાનો રસ્તો જુદો છે. હું મારી ઇન્દ્રીયો સાથે લડવા માડું એ જીતવાનો રસ્તો નથી. પરંતુ હું મારા અતીન્દ્રીય સ્વરૂપની શોધમાં ડૂબી જાઉં, એ જીતવાનો રસ્તો છે. મારી ભીતર જે છૂપા ખજાના છે તેની શોધમાં સંલગ્ન થઇ જાઉં, એ જીતવાનો રસ્તો છે. જેમ જેમ એ ખજાના હાથ લાગતા જશે તેમ તેમ ગઇ કાલ સુધી જે મહત્ત્વપૂર્ણ હતું, તે બધું મહત્ત્વ વગરનું થઇ જશે. જે ગઇ કાલ સુધી આપણને ખેંચ્યા કરતું હતું તે હવે ખેંચતું નથી. ગઇ કાલ સુધી જે મન બહાર ભટક્યા કરતું હતું, તે હવે ભીતરમાં ગતિ કરી રહ્યું છે.
એક ઉદાહરણ લઇને આ વાત સમજીએ. એક માણસ જે ભોજન માટે આતુર છે, જેને ભોજનમાં બહુ રસ છે અને જે ભોજન વિના તલસે છે એને સંયમની સલાહ આપો તો એ શું કરે ? એ રસનો નિગ્રહ કરે છે. એક પછી એક ભોજનના રસ છોડે ! પરંતુ ભોજનના પરિત્યાગથી રસનો પરિત્યાગ થશે ? ભોજનના પરિત્યાગથી પ્રથમ તો એમાં રસ વધુ પેદા થશે એવો જ સંભવ છે. એ ખરેખર ભોજન ન કરવાની જીદ પકડે, તો ધીમેધીમે રસ કુંઠિત થઈ જાય, પરંતુ રસથી મુક્ત નહીં થઇ શકે. આ કુંઠિત રસ, વ્યક્તિમાં અનેક ગાંઠો પેદા કરશે.
જે વ્યક્તિ ભોજન કરવાની વાતથી ભયભીત બને છે, તે અભયને કેવી રીતે પામશે. એ ક્યારેય નિર્ભય વ્યક્તિ બનશે ? ભોજન સાથેની આવી દુશ્મની સંયમ નથી. પરંતુ જે વ્યક્તિ બહારના રસના પાગલપણામાંથી મુક્ત થઇ જશે, તેને મહાવીર સંયમી કહેશે. મહાવીરે પોતાના અંતરતમમાં એક રસને ખોળી લીધો છે, એવો રસ જે ભોજનમાંથી નથી મળતો. પરંતુ એક બીજો આંતરિક રસ, જે ભીતર સાથે સંબંધ બંધાતા મળે છે. આપણી બહાર જેટલી ઇન્દ્રીયો છે તે બરાબર સમજીએ તો તે માત્ર આપણને જોડનાર કડીઓ છે, સેતુ છે એમ જણાશે. આપણી સ્વાદેન્દ્રીય આપણને ભોજન સાથે જોડે છે, આપણા કાન આપણને ધ્વનિ સાથે જોડે છે. મહાવીરની
Page #140
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
આંતરિક પ્રક્રિયા જો બરાબર સમજીએ તો મહાવીર એમ કહે છે કે જે ઇન્દ્રીય આપણને બહારની ચીજો સાથે જોડે છે, તે જ ઇન્દ્રીયો આપણને ભીતરના જગત સાથે પણ જોડે છે. બહાર ધ્વનિનું જગત છે. કાન આપણને એ બહારના ધ્વનિ સાથે જોડે છે; પરંતુ આપણી ભીતર પણ ધ્વનિનું એક અદ્ભૂત જગત છે, જેની સાથે કાન આપણને જોડી શકે છે. જીભ બહારના રસ સાથે આપણને જોડે છે, પરંતુ એ બહારના રસનું જગત અત્યંત દીન છે. જો આપણને ભીતરના રસની ઓળખ થાય, તો જીભ આપણને ભીતરના રસ સાથે પણ જોડે છે.
૧૩૫
મેં સાંભળ્યું છે અને કદાચ તમે પણ સાંભળ્યું હશે કે કેટલાક યોગી પોતાની જીભ નીચેના એક ભાગને કાપીને જીભને પાછળની તરફ વાળવાની કોશિશ કરે છે, જેથી જીભને બહારના રસને બદલે ભીતરના રસ સાથે, આત્માના રસ સાથે જોડી શકાય. આવી વાતો પ્રતીક માત્ર છે‘Symbolic’ છે. કેટલાક યોગી પોતાની આંખને ઊંચી ચઢાવી દે છે, જેથી એ આંખજે બહારનું જોતી હતી, તે હવે ભીતરનું જોવા લાગે. પરંતુ આ બધું કેટલીક વાર માણસને પાગલપણામાં ધકેલી દે છે. એક વાર તમને ભીતરનો સ્વાદ આવી જાય તો બહારના બધા સ્વાદ બેસ્વાદ બની જાય છે. એને બેસ્વાદ કરવા પડતા નથી. બેસ્વાદ કરવાનો પ્રયત્ન કરવાથી તો સ્વાદ વધારે તીવ્ર થઇ જાય છે. જીદ કરવાથી ઇન્દ્રીયો કુંઠિત થઇ જાય છે. એની સંવેદનશીલતા ઘટી જાય છે. તો ઇન્દ્રીયોને ભીતરની તરફ કેવી રીતે વાળવી ?
અનાહત નાદ સાંભળવાનો પ્રયોગ
ક્યારેક એક નાનો પ્રયોગ કરો તો વાત ખ્યાલમાં આવી જશે. તમે તમારા ઘરમાં શાંતિથી બેસીને, બહારના બધા અવાજો સાંભળવાનું શરૂ કરો. એકદમ જાગ્રત થઇને કોઇ પણ અવાજ છટકી ન જાય, એ રીતે સાંભળો. પ્રત્યેક અવાજ તરફ જાગ્રત થઇ જાવ અને એને સાંભળો. રસ્તા પર ગાડીઓ દોડી રહી છે, હોર્ન વાગી રહ્યાં છે, આકાશમાં હવાઇજહાજ ઊડી રહ્યાં છે, આજુબાજુમાં લોકો વાતો કરે છે, બાળકો કીકિયારી કરતાં રમી રહ્યાં છે. રસ્તા પર પસાર થતા લોકોનું એક સરઘસ અવાજો કરતું અને બૂમો મારતું આગળ વધી રહ્યું છે. આ બધા અવાજો તરફ જાગ્રત બની જાવ અને પછી ખ્યાલ કરો કે એક એવો પણ અવાજ સંભળાઇ રહ્યો છે જે બહારથી આવતો નથી, પરંતુ જે ભીતરમાં પેદા થઇ રહ્યો છે. એ ખ્યાલમાં લીન થઇ, સાંભળતા રહેવાથી, એક અલગ સન્નાટાનો અવાજ તમને સંભળાશે. એ અવાજ બહારનો નથી, એ કોઇ બે ચીજના ટકરાવથી પેદા થયેલો નથી. એ અનાહત નાદ છે. એ અવાજ ભીતરમાં ચોવીસે કલાક ગૂંજી રહ્યો છે.
પરંતુ આપણે બહારના અવાજોની ભીડમાં એટલા બધા વ્યસ્ત અને સંલગ્ન હોઇએ છીએ કે એ ભીતરના સન્નાટાનો અવાજ આપણને સંભળાતો નથી. બધા અવાજોને સાંભળતા રહો, કોઇ પણ અવાજ સાથે લડો નહીં, કોઇ અવાજને હટાવવાનો પ્રયત્ન ન કરો, માત્ર સાંભળતા રહો, સાથેસાથે ભીતરમાં એક શોધ કરતા રહો કે આટલા બધા બહારના અવાજોમાં કોઇ
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૬
સંયમની વિધાયકદ્રષ્ટી
એક એવો અવાજ છે, જે બહારથી આવતો નથી, પરંતુ ભીતરમાંથી પેદા થાય છે. થોડા જ વખતમાં એક સન્નાટાનો અવાજ તમને સંભળાશે, જે ક્યારેક કોઈ નિર્જન વનમાં સાંભળ્યો હોય. એક વાર એ અવાજ સંભળાઈ ગયો, તો પછી તમે ઘોંઘાટભર્યા બજારમાં પણ એ સાંભળવા સમર્થ બની જશો. સાચી વાત તો એ છે કે જંગલમાં સન્નાટાનો જે અવાજ સંભળાય છે તે, જંગલનો નથી હોતો, પરંતુ બહારના બીજા અવાજો બંધ થઈ જતાં, તમારા ભીતરના અવાજનું પ્રતિફલન એ સન્નાટાનો અવાજ છે. એ સાંભળી શકાય છે. એના માટે જંગલમાં જવાની જરૂર નથી. તમારા બન્ને કાન, બે હાથની આંગળીથી બંધ કરી દેશો તો બહારના બધા અવાજ બંધ થઈ જશે અને ભીતરમાં નાના નાના જીવડાં કે તમરાંના જેવો અવાજ સંભળાશે. આ પહેલી પ્રતીતિ છે તમારા ભીતરના અવાજની. જેવી આ સન્નાટાના અવાજની પ્રતીતિ થઈ જશે કે તુરત બહારના અવાજમાં તમારો રસ આછો થઈ જશે. આ ભીતરનું સંગીત તમારા રસને પકડવાનું શરૂ કરશે. થોડા દિવસો પછી જે પહેલાં માત્ર સન્નાટા વો ભીતરી અવાજ સંભળાતો હતો તે સધન બનશે અને એક નવું જ રૂપ ધારણ કરશે. એ સન્નાટો ધીમેધીમે સોડહં' જેવો લાગશો. જે દિવસે એ અવાજ “સોડહં જેવો પ્રતીત થશે તે દિવસથી બહારનાં વાઘોથી પેદા થતું કોઈ ગીત કે સંગીત એ અવાજનો મુકાબલો નહીં કરી શકે. તમારી અંતરની વીણાનું સંગીત તમારી પકડમાં આવવાનું શરૂ થઈ ગયું છે. હવે તમારે તમારા કાનના રસને રોકવો નહીં પડે. પછી હું સિતાર નહીં સાંભળું, કે હવે હું સિતારનો ત્યાગ કરું છું” એમ કહેવાની જરૂર નહીં રહે. નહીં, હવે કાંઈ છોડવાની જરૂર નથી. તમને અચાનક સમજાશે કે કોઈ અલગ ઉચ્ચતર, વિરાટ, ગહન સંગીતની તમને પ્રાપ્તિ થઈ છે. હવે તમે સિતાર સાંભળતાં પણ આ જ સંગીત સાંભળશો, ત્યારે કોઈ વિરોધ કે વિપરીત નહીં રહે, ત્યારે બહારનું સંગીત ભીતરના સંગીતનો એક ફીક્કો પ્રતિધ્વનિ બની રહી જશે. વિરોધનહી રહે, પરંતુ આછો પ્રતિધ્વનિ રહી જશે. ત્યારે તમારામાં એક અખંડ વ્યક્તિત્વ પેદા થશે, જે બહાર અને ભીતર વચ્ચે કોઈ અંતર ઊભું નહીં કરે. એક ઘડી એવી આવે છે જ્યારે આપણે જેમજેમ ભીતરમાં ઊતરતા જઈએ છીએ, તેમતેમ બહાર અને ભીતર વચ્ચેનો ભેદ તિરોહિત થઈ જાય છે. એક ઘડી એવી આવે છે જ્યારે બધું એકાકાર થઈ જાય છે. બહાર અને ભીતર વચ્ચેની દીવાલ તૂટી પડે છે અને જે બહાર છે તે ભીલર રહે છે અને જે ભીતર છે તે બહાર છે એવો અનુભવ થવા લાગે છે. એ ઘડીએ અને એ દિવસે તમે એક એવું સંતુલન પ્રાપ્ત કરશો, જ્યાં બધું “સમ” થવા લાગશે; જ્યાં બધું સ્થિર, શાંત, મૌન બની જશે; જ્યાં કોઈ હલન-ચલન, ભાગદોડ, કંપન વગેરે નહીં રહે. કોઈ પણ ઈન્દ્રીયથી આ પ્રયોગ શરૂ કરો અને ભીતર તરફ આગળ વધતા ચાલો. થોડો વખતમાં તે ઇન્દ્રીય તમારા ભીતર સાથે તમને જોડી દેશે. આંખથી જોવાનું શરૂ કરો. પછી આંખ બંધ કરો. બહારનાં દશ્ય દેખાય તે જોતા રહો, લડશો નહીં, પછી ધીમે ધીમે એવાં દ્રશ્ય
Page #142
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
પ્રત્યે જાગ્રત થાવ, જે દશ્ય બહારથી ન આવેલું હોય. થોડા વખતમાં બહારના દશ્ય સાથે તમને ભીતરનાં દૃશ્યોની ઝલક પણ મળવા લાગશે. ક્યારેક એટલો બધો પ્રકાશ ભીતરમાં ફેલાઇ જશે, જે બહારનો કોઇ સૂર્ય આપવામાં અસમર્થ માલૂમ પડશે. ક્યારેક એવા રંગ ફેલાઇ જશે, જેવા કોઇ ઇન્દ્રધનુષમાં પણ જોવા નહીં મળે. ક્યારેક ભીતરમાં એવાં ફૂલ ખીલી ઊઠશે, જે પૃથ્વી પર કયારેય નહીં ખીલ્યાં હોય, જ્યારે ખ્યાલ આવશે કે આ બહારનાં ફૂલ નથી, આ બહારના રંગ નથી, આ બહારનો પ્રકાશ નથી, ત્યારે પહેલી વાર વિચાર આવશે કે આ બહારનો જે પ્રકાશ છે તેને ભીતરના પ્રકાશની તુલનામાં પ્રકાશ કહેવો કે અંધકાર. બહારનાં પુષ્પ અને બહારના રંગ, ભીતરનાં પુષ્પ અને રંગ આગળ ફીક્કાં લાગશે. ભીતરના રંગને જ્યારે જાણીશું ત્યારે એમ લાગશે કે એ રંગમાં એક જીવંત ગુણવત્તા છે, જે બહારના રંગોમાં નથી. બહારના રંગ ગમે તેવા ચમકતા હોય, પરંતુ સરખામણીમાં એ જડ જણાશે. ભીતરના રંગોમાં એક જીવન, એક પ્રાણ ધબકતો અનુભવો અને તત્કાલ બહારના રંગોનું આકર્ષણ ઓછું થઇ જશે, કદાચ અદ્રશ્ય થઇ જશે.
૧૩૦
દરેક ઇન્દ્રીય આપણને ભીતરમાં લઇ જનારું દ્વાર બની શકે તેમ છે. આપણે સ્પર્શ ધણો કર્યો છે, સ્પર્શનો ધણો અનુભવ છે. આંખ બંધ કરીને બેસી જાવ અને સ્પર્શ પર ધ્યાન કરો. તમે સુંદર શરીરને સ્પર્શ કર્યો હશે, સુંદર વસ્તુઓને સ્પર્શ કર્યો હશે, મુલાયમ ફૂલોને સ્પર્શ કર્યો હશે! તમે કયારેક પ્રાતઃકાળમાં ઘાસ પર છવાયેલી ઝાકળનો સ્પર્શ કર્યો હશે. ક્યારેક ઠંડીની મોસમમાં સવારે સગડી પાસે બેસી હુંફાળી આગનો ચામડીને થતો સ્પર્શ અનુભવ્યો હશે ! કયારેક ચાંદ-તારાના સાનિધ્યમાં, જમીન પર સૂઇ જઇને ચાંદનીને સ્પર્શી હશે ! અને એવી ધ્યાનસ્થ સ્થિતિમાં કોઇ એવા સ્પર્શનો ખ્યાલ કરો કે જે તમને બહારથી ન થયો હોય. થોડી મહેનત અને થોડાં સંકલ્પબળથી તમને એવો કોઇ સ્પર્શ પ્રતીત થશે જે બહારનો નહીં હોય, જે ચાંદ-તારામાંથી ન મળ્યો હોય, જે ફૂલોમાંથી, ઝાકળબિંદુમાંથી, જે સૂર્યની ઉષ્મામાંથી અને જે સવારની ઠંડી હવાના સ્પર્શમાંથી ન મળ્યો હોય ! જ્યારે તમને એ ભીતરના સ્પર્શનો બોધ થશે ત્યારે બહારનાં સ્પર્શ વ્યર્થ બની જશે.
આ રીતે પ્રયોગ કરતાં દરેક વ્યક્તિએ, પોતાની બધી ઇન્દ્રીયોમાંથી કઇ ઇન્દ્રીય સૌથી વધુ તીવ્ર અને સજાગ છે તે ખોળી લેવું જોઇએ, પરંતુ એમ કરતાં એ ખ્યાલ રાખવાની જરૂર છે, કે તમારી સર્વાધિક તીવ્ર ઇન્દ્રીયને, તમે દુશ્મન બનાવી લો. સંયમનું નિષેધાત્મક રૂપ વધારે સંવેદનશીલ ઇન્દ્રીયના દુશ્મન બની જવાનું છે, પરંતુ સંયમનું વિધાયક રૂપ જો સમજાશે તો જે ઇન્દ્રીય સર્વાધિક સક્રિય છે, એ જ તમારી મિત્ર છે એ વાત પણ સમજાશે. કારણકે તમે એ દ્વારા ભીતરમાં વધુ જલદી પહોંચી શકશો.
જે માણસને રંગોમાં કોઇ રસ નથી, જેણે બહારના રંગો જીવી જાણ્યા નથી, તેને ભીતરના રંગો સુધી પહોંચવાનું અત્યંત મુશ્કેલ લાગશે. જે માણસને સંગીતમાં રસ નથી, જેને સંગીતનું
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૮
સંયમની વિધાયકદ્રષ્ટી
કોઈ પ્રયોજન સમજાતું નથી, તેને માટે સંગીત એક ઘોંઘાટ કે અવાજથી વધુ કાંઈ નહીં હોય. એવા માણસને ભીતરના અંતરધ્વનિ તરફ આગળ વધવું મુશ્કેલ લાગશે. જે ઈન્દ્રીય તમને વધારેમાં વધારે પરેશાન કરતી હોય, જેના નિષેધ અને વિરોધમાં તમને લડવાનું મન થઈ જાય છે. એ જ ઈન્દ્રીય તમારી મિત્ર છે, કારણકે એ જ ઈન્દ્રીય તમને તમારી ભીતરમાં વધારે જલદી લઈ જઈ શકશે, માટે દરેકે પોતાની સર્વાધિક સંવેદનશીલ ઈન્દ્રીયને ઓળખી લેવી જોઈએ. ગુર્જએફની પાસે પહેલી વાર કોઈ આવે ત્યારે એ પૂછતા, ‘તમારી વધારેમાં વધારે કમજોરી શી બાબતમાં છે ? તમારી એ કમજોરી મને કહો, તો એને જ હું તમારી વધારે શક્તિમાં રૂપાંતરીત કરી આપું. જો રૂ૫તમને વધારે આકર્ષતું હશે તો ભયભીત થવાની જરૂર નથી. એ રૂપ જ તમારે માટે દ્વાર બની જશે. જો કોઈ સ્પર્શ તમને આમંત્રણ આપતો હશે તો ભયભીત થવાની જરૂર નથી, સ્પર્શ જ તમારો માર્ગ છે. કોઈ સ્વાદ તમને ખેંચીને તમારા સ્વપ્નોમાં પ્રવેશ કરી જાય છે? તો એ સ્વાદને આવકારો. એ તમારા માટે સેતૂ બની જશે. તમારી જે ઈન્દ્રીય સર્વાધિક સંવેદનશીલ હશે, એની સાથે તમે લડશો તો એ ઈન્દ્રીય બહેરી થઈ જશે. તમે તમારે હાથે તમારા સેને તોડવા માટે જવાબદાર ગણાશો. જો તમે વિધાયક સંયમની ધારણાને સમજશો તો તમે ઈન્દ્રીયને તમારો માર્ગ બનાવી ભારતમાં પહોંચી જશો. જે ઇન્દ્રીય આપણને બહાર ઉપયોગ માટે ખેંચી જાય છે એ જ ઈન્દ્રીય દ્વારા તમે ભીતરમાં પણ જઈ શકશો. ધ્યાન રાખો કે જે રસ્તે આપણે બહાર જઈએ છીએ, એ જ રસ્તે પાછા અંદર આવી શકાય છે. રસ્તો એ જ હોય છે, માત્ર આપણા ગન્તવ્યની દિશા બદલાઈ જાય છે. આપણું મોં જે બહારની દિશા તરફ હતું તે ભીતરની દિશા તરફ થઈ જશે. જે રસ્તે આ પ્રવચનસ્થળ પર આવ્યા છો, એ જ રીતે તમે તમારે ઘેર પાછા ફરી શકશો. માત્ર મોંની દિશા બદલવાની જરૂર છે. કોઈ રસ્તો આપણો દુશમન નથી, બધા રસ્તા બન્ને દિશાઓમાં ખુલ્લા છે. જે ઈન્દ્રીય દ્વારા જગતમાં પ્રવેશવાનું તમને સર્વાધિક આકર્ષક લાગે છે અને જેના તરફ તમે ખેંચાયા કરો છો, તે પછી ભલે આંખ હોય, સ્વાદ હોય, ધ્વનિ હોય, જે કાંઈ ઈન્દ્રીય હોય, એની મારફત જ તમે બહાર નીકળશો અને તમારાથી દૂર ચાલી જશો. એ જ ઈન્દ્રીય સંયમની વિધાયક દિશામાં દોરી જવામાં સહયોગી બનશે. એ ઈન્દ્રીય સાથે લડવાનું નથી. એની સાથે લડી એને તમે નુકસાન પહોંચાડશો, તોડી નાખશો, નાશ કરશો, તો પાછા કેમ ફરશો? પરંતુ એમ કરવાથી તમારું પાછા વળવું મુશ્કેલ બની જશે. માર્ગને જ તોડી નાખશો તો પાછા કેમ ફરશો? આ વાતથી તમને બહુ નવાઈ લાગશે. પરંતુ હું ભારપૂર્વક કહેવા માગું છું કે આવી સંવેદનશીલ ઈન્દ્રીયોને કારણે માણસો ખોટે રસ્તે ચડી જતા નથી, પરંતુ ઈન્દ્રીયોના રસ્તાને તોડી નાખે છે, એટલે પાછા ફરવાનો રસ્તો બચતો નથી અને તેઓ ભટકી જાય છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ: મંત્ર
૧૩૯
ઈન્દ્રીયોને કારણે કોઈ ભટકતું નથી, પરંતુ ઈન્દ્રીયોના રસ્તાને તોડવાને કારણે ભટકી જવાય છે. લોકો મારી પાસે આવી ફરિયાદ કરે છે : “અમને બીજી કોઈ તકલીફ નથી, પરંતુ આ જીભનો સ્વાદ અમને પરેશાન કરે છે. આ સ્વાદથી કોઈ રીતે છુટકારો અપાવો’-એ ફરિયાદીને ખબર નથી કે જે ઈન્દ્રીય એને પરેશાન કરે છે એ જ ઈન્દ્રીય એને માટે પાછા ફરવાનો માર્ગ છે. આને હું કહું છું સંયમની વિધાયક દષ્ટિ. આ બાબતને એક બીજા દષ્ટિકોણથી સમજવા જેવી છે. આપણી પાસે જેટલી ઇન્દ્રીયો છે તેનું એક પ્રગટ રૂપ હોય છે જેને આપણે ‘બહિર ઈન્દ્રીય’ કહીએ છીએ. મહાવીરે આત્માની ત્રણ સ્થિતિઓનું વર્ણન ક્યું છે : એક બહિરાત્મા, જે બધી ઈન્દ્રીયોનો બહારની તરફ ઉપયોગ કરે છે, બીજે અંતરાત્મા, જે ઈન્દ્રીયોનો ભીતરમાં ઉપયોગ કરે છે અને ત્રીજાને મહાવીર પરમાત્મા કહે છે, જેનું બહાર અને અંદર એવું વિભાજન મટી ગયું છે, જેને માટે બહાર અંદર જવાની ક્રિયા બચી જ નથી. જે બહાર પણ જતો નથી અને અંદર પણ જતો નથી. એ છે પરમાત્મા, પોતાના સ્વભાવમાં પૂર્ણતયા પ્રતિષ્ઠિત. ઈન્દ્રીયોનું બહારનું રૂપ છે તે આપણને પદાર્થ સાથે જોડે છે. જે જગ્યાએ ઇન્દ્રીય આપણને પદાર્થ સાથે જોડે છે, તે જગ્યાએ ઈન્દ્રીયનું જે રૂપ પ્રગટ થાય છે તે અત્યંત સ્થળ હોય છે, પરંતુ એજ ઈન્દ્રીયો આપણને સ્વયં સાથે પણ જોડે છે. દાખલા તરીકે, જે હું મારો હાથ લંબાવીને તમારો હાથ પકડી લઉં, તો મારો હાથ મને બે જગ્યાએ જોડે છે. એક તો મને તમારા હાથ સાથે જોડે છે અને બીજી બાજુ મારો હાથ મને મારી સાથે જોડે છે. ધ્યાન રાખો કે જ્યાં મારો હાથ તમારી સાથે જોડે છે ત્યાં તમારું શરીર છે, પરંતુ જ્યાં મારો હાથ મને મારી સાથે જોડે છે. ત્યાં મારો આત્મા છે. ઇન્દ્રીયો જ્યારે બહારની તરફ જોડે છે ત્યારે પદાર્થ સાથે જોડે છે, જ્યારે ભીતરની તરફ જોડે છે ત્યારે આપણી ચેતના સાથે જોડે છે. ઈન્દ્રીયોનું બહુ સ્થૂળ સ્વરૂપ જ બહાર પ્રગટ થાય છે, કારણકે જે હાથની ક્ષમતા મને મારા આત્મા સાથે જોડવાની છે, તે બહાર કેવળ શરીર સાથે જ કે અન્ય કોઈ પદાર્થ સાથે જ જોડી શકે છે. ઈન્દ્રીયોની બહારની ક્ષમતા, અત્યંત દીન અને નબળી છે. મારા ચૈતન્ય સભર આત્મા સાથે જોડવાની પણ એમની ક્ષમતા છે. જ્યારે હું મારા હાથને ઉપર ઊઠવાનું કહું ત્યારે એ ઉપર ઊઠે છે. મારો સંકલ્પ મારા હાથ સાથે ક્યાંક જોડાયેલો છે. હું હાથને ઉપર ઊઠવાની ના પાડું તો એ નહીં ઊઠે. એ બતાવે છે કે મારો સંકલ્પ મારા હાથ સાથે ક્યાંક જોડાયેલો છે. અત્યંત આશ્ચર્ય ઉપજાવે એવી વાત છે કે શરીર છે પદાર્થ અને સંકલ્પ છે ચેતના. ચેતના અને પદાર્થ કેવી રીતે જોડાતા હશે ? જોડાણ ખરેખર અત્યંત અદ્રશ્ય હોવું જોઈએ! બહાર તો મારો
Page #145
--------------------------------------------------------------------------
________________
સંયમની વિધાયકદ્રષ્ટી
હાથ પદાર્થ સાથે જ જોડે છે, પરંતુ એટલા ખાતર હાથ સાથે નારાજ થવાની કાંઈ જરૂર નથી, કારણકે ભીતરમાં એ જ હાથ ચેતના સાથે, આત્મા સાથે પણ જોડે છે. જો મારા હાથ દ્વારા મારી ચેતના બહારની તરફ પ્રવાહિત કરું, તો એ ચેતના બીજાના શરીરે જઇને અટકી જાય છે, પરંતુ એ જ ચેતનાને હું પાછી મારી તરફ ખેંચી લઉં, તો ચેતના જાણે ગંગોત્રી તરફ, એના સ્ત્રોત તરફ પાછી ફરે છે, મારા આત્મામાં લીન થઇ જાય છે, ત્યારે એ સાગર તરફ, પદાર્થ તરફ વહેતી નથી. બહાર તરફ વહેતી ચેતના કે ઉર્જા બહિરાત્માનું રૂપ છે. હાથમાં ભીતર તરફ વહેતી ઉર્જા અંતરાત્માનું રૂપ છે. ઉર્જા વહેતી જ નથી ત્યાં પરમાત્મા છે. પરમાત્મા સુધી પહોંચવું હોય તો અંતરાત્મા મારફત જ પહોંચાશે. આપણી આજની સ્થિતિ છે તે બહિરાત્માની છે. પરમાત્મા આપણી સંભાવના છે, આપણું ભવિષ્ય છે, આપણી નિયતિ છે. અંતરાત્મા આપણો યાત્રામાર્ગ છે. એની મારફત પસાર થવું પડશે. જે રસ્તે બહાર જવાય છે, તે જ રસ્તે ભીતરમાં પણ જવાશે. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. જે ઇન્દ્રીયો ચેતનાને બહાર લઇ જાય છે તે ઇન્દ્રીયો આપણને સ્થૂળ સાથે જોડે છે અને એજ ઇન્દ્રીયો ભીતરમાં ચેતનાને કેન્દ્રીત કરે છે, ત્યારે તે આપણને સ્થૂળ સાથે જોડે છે. ઇન્દ્રીયોનાં બે રૂપ છે. એક રૂપ જેને આપણે ઇન્દ્રીયોની શકિત કહીએ છીએ તે, બીજું જે રૂપ છે તેને આપણે અતિન્દ્રીય કહીએ છીએ.
૧૪૦
પેરાસાઇકોલોજી જેનું અધ્યયન કરે છે, તે છે પરામનોવિજ્ઞાન. યોગે આ વિષે ઘણું અધ્યયન કર્યું છે. યોગ એ શક્તિને ‘સિદ્ધિ’ અથવા ‘વિભૂતિ’ કહે છે. રશિયામાં આજે આ શક્તિને બીજું નામ અપાયું છે, ‘Psychotronics, સાઇકોટ્રોનિકસ’. આ છે મનોશક્તિનું જગત. જેમજેમ આપણો સંયમ વધતો જાય તેમતેમ આપણે આપણા અતીન્દ્રીય રૂપનો અનુભવ કરતા જઇએ છીએ, કોઇ પણ એક ઇન્દ્રીયનો સહારો લઇ તેની અતીન્દ્રીય રૂપનો અનુભવ કરવાનું શરૂ કરો. તમે ચકિત થઇ જશો.
દસ વર્ષ પહેલાં ૧૯૬૧ માં રશિયાની એક અંધ છોકરીએ પોતાના હાથના સ્પર્શથી વાંચવાનું શરૂ કર્યું. અત્યંત આશ્ચર્ય ઊપજાવે એવી વાત છે. સતત પાંચ વર્ષ સુધી એ છોકરી સાથે પ્રયોગો કરવામાં આવ્યાં. રશિયાની જે સૌથી મોટી વૈજ્ઞાનિક એકેડેમી છે, તેણે પાંચ વર્ષ સુધી છોકરીનું અધ્યયન કર્યા પછી ઘોષણા કરી કે હાથના સ્પર્શથી આ છોકરી વાંચી શકે છે. બીજી આશ્ચર્ય ઊપજાવે એવી વાત એ કરી કે હાથ, આંખોથી પણ વધુ ગ્રહણશીલ બનીને અધ્યયન કરી શકે છે. બ્રેઇલ લિપિમાં અંધ વ્યક્તિઓ માટેની ભાષામાં લખાયું હોય તો તે તો સ્પર્શ વડે વાંચી શકાય છે. પરંતુ આપણી ભાષામાં જે આપણે આંખથી વાંચીએ છીએ, તેવું જ લખેલા કાગળ પર પોતાનો હાથ ફેરવી છોકરી વાંચી શકે છે. તમે લખેલા કાગળ પર એક કપડુ ઢાંકી દો તોપણ એ કપડા પર હાથ ફેરવીને એ વાંચી શકે છે. લોખંડનું પતરું ઢાંકી દો તોપણ એ વાંચી લે છે. આપણી આંખ પણ આવું કામ કરી શકતી નથી. જે
Page #146
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
વૈજ્ઞાનિકો અભ્યાસ કરતા હતા, તેઓ પણ પોતાની આંખથી, કપડા પાછળ લખાયેલું વાંચી શકતા નથી.
૧૪૧
વાસિલિયેવ નામે વૈજ્ઞાનિક પ્રયોગ કરતો હતો એને ખ્યાલ આવ્યો કે એક વ્યક્તિમાં જો આવી આંતરિક શક્તિ પેદા થઇ હોય, તો તેવી જ શક્તિ, કોઇને કોઇ રસ્તે, કોઇને કોઇ રૂપમાં દરેક માનવીમાં પેદા થવાની સંભાવના છે. પછી એણે બીજાં બાળકોને આ બાબતમાં પ્રશિક્ષણ આપવાનું શરૂ કર્યું. અંધ વિદ્યાર્થીઓની એક શાળામાંથી એણે વીસ બાળકો પસંદ કર્યાં અને તેમના પર બે વર્ષ સુધી પ્રયોગ કર્યા. વાસિલિયેવ એ જોઇ ચકિત થઇ ગયો કે વીસમાંથી સત્તર બાળકો હાથ વડે અભ્યાસ કરવામાં સફળ થયાં. એના કહેવા મુજબ ૯૭ ટકા મનુષ્યોમાં, હાથ વડે વાંચી શકવાની સંભાવના છે. બાકી જે ત્રણ ટકા ન કરી શક્યા, તેઓ માટે એમ કહી શકાય કે એમના હાથ પણ આંધળા છે. સંવેદન શૂન્ય છે. એમના હાથનાં યંત્રમાં કાંઈક ખરાબી હોઇ શકે. જ્યારે આ સમાચાર વર્તમાનપત્રમાં છપાયા ત્યારે લોકોએ પોતાના અંધ બાળકો પર પ્રયોગ કરવાનું શરૂ કર્યું. તે પછી મોસ્કો યુનિવર્સિટીની આસપાસમાંથી, અમુક અમુક અંધ બાળકોએ હાથ વડે વાંચી બતાવ્યું છે.
હાથ કેવી રીતે વાંચી શકે ? હાથ પાસે કોઇ આંખ તો છે જ નહીં, હાથ માત્ર સ્પર્શથી જ વાંચી શકે, એના પર ચાદર ઢંકાય તોપણ વાંચી શકે તો એનો અર્થ કે આ શક્તિ હાથની નથી, પરંતુ અતીન્દ્રીય શક્તિ ‘Parapsychic-પેરાસાઇકિક નું આ કામ છે. એ છોકરી સાથે પછી પગ મારફત વાંચવાની કોશિશ કરવા માટે પ્રયોગ થયા. બે મહિના પછી એ છોકરી પગથી પણ વાંચવા લાગી. દીવાલની બીજી બાજુ લખાયેલું લખાણ એ છોકરી વાંચી શકતી હતી. એ શક્તિ એટલી બધી ખીલી કે માઇલો દૂર ઉઘાડી રાખેલી ચોપડી પોતે બેઠી હોય ત્યાંથી વાંચવા લાગી. હવે તો સ્પર્શની વાતનો જ છેદ ઉડી ગયો ! વાસિલિયેવે છેવટે કહ્યું કે આપણે જેટલી શક્તિઓ વિષે જાણીએ છીએ, તેથી તદ્દન જુદી જ કોઇ શક્તિ કામ કરી રહી છે.
યોગ હંમેશા આવી અતીન્દ્રીય શક્તિઓની વાત કરે છે. મહાવીરની જે સંયમની પ્રક્રિયા છે તેમાં આ અતીન્દ્રીય શક્તિને જગાડવાનો પ્રયત્ન છે. જેમજેમ આ શક્તિ ખીલતી જાય છે તેમ તેમ સ્થૂળ ઇન્દ્રીયો ફિક્કી પડતી જાય છે. આપણે કોઇ નવલકથા વાંચી રહ્યા હોઇએ અને અચાનક ટેલિવિઝન પર એ નવલકથા બતાવાતી હોય, તો નવલકથાનું પુસ્તક તમે બંધ કરી દેશો. એ નવલકથાનું પુસ્તક ફીક્કું થઇ ગયું. કથા એની એ જ છે, પરંતુ વધારે જીવંત માધ્યમ તમારી સામે આવી ગયું. હવે વધુ લાંબો સમય પુસ્તકોનું ચલણ ટકશે નહીં. પુસ્તક ખોવાઇ જશે અને એનું સ્થાન ટેલિવિઝન ને સિનેમા લઇ લેશે. જે શિક્ષણ ટેલિવિઝન મારફત આપી શકાશે તેમાટે હવે પુસ્તક વધુ સમય કામ નહીં આપી શકે. જાણે પુસ્તક મડદાલ અને ફિક્કું થઇ ગયું !
Page #147
--------------------------------------------------------------------------
________________
A
સંયમની વિધાયકદ્રષ્ટી
જો એક નવલકથા પુસ્તકમાંથી વાંચવાની અથવા એ જ નવલકથા પર તૈયાર થયેલી કિલ્મ જોવાની બાબતમાં પસંદગી કરવાનું તમને કહેવામાં આવે, તો તમે પુસ્તકને બાજુમાં મૂકી દઇ, ટેલિવિઝન કે ફિલ્મ જોવાનું પસંદ કરશો. એમાં પુસ્તકનો ત્યાગ નથી, પરંતુ બેમાંથી શ્રેષ્ઠ માધ્યમ પસંદ કરવાનો સવાલ છે. હંમેશાં જે શ્રેષ્ઠતમ છે તેને જ માણસ પસંદ કરી લે છે. જો તમારામાં ઇન્દ્રીયોનું અતીન્દ્રીય રૂપ પ્રગટ થવાનું શરૂ થશે, તો તમને તમારી સ્થૂળ ઇન્દ્રીયોમાં રસ નહીં રહે. તમે એક નવા રસમાં પ્રવેશ કરી જશો. જે લોકોની સમજ એમની બહારની ઇન્દ્રીયો સુધી વિસ્તરેલી છે તેઓ તમને ‘મહાત્યાગી’ છો એમ કહેવા લાગશે, પરંતુ તમે તો ભોગની એક ગહનતમ અને અન્તરતમ દિશામાં આગળ વધી ગયા છો તેની એમને ખબર જ નથી. ઇન્દ્રીયોમાં જ જીવનારી વ્યક્તિઓને આ નવા રસ વિષે કાંઇ ખબર જ નથી. અતીન્દ્રીય સંભાવનાઓનો વિકાસ કરવામાં સંયમની વિધાયક દષ્ટિનો ઉપયોગ છે.
૧૪૨
મહાવીરે અતીન્દ્રીય સંભાવનોઓનો વિકાસ કરવા માટે ઘણા ગહન પ્રયોગા કર્યા છે. મહાવીરની સાધનાને આ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું તો બીજી ઘણી વાતોનાં રહસ્ય પ્રગટ થઇ જશે. મહાવીર વર્ષો સુધી ભોજન વિના રહી શક્યા, એનું કારણ શું ? એનું એક જ કારણ છે કે મહાવીરે પોતાના ભીતરમાંથી કોઇ ભોજન મેળવી લેવાનું શરૂ કરી દીધું. જો મહાવીર સીધા પત્થર પર જ સૂઇ જાય અને ગાદલાની એમને જરૂર જ ન રહેતી હોય, તો એમણે ભીતરમાં જ, કોઇ સ્પર્શનું નવું જગત શરૂ કરી દીધું. મહાવીર તે પછી તો કોઇ પણ પ્રકારના ભોજનમાં સ્વાદ ઊપજાવી શકે છે. ભીતરનું ભોજન, બહારના ભોજન પર છવાઇ જાય છે. એટલે જ મહાવીર દુબળા થઇ ગયા હોય એવું દેખાતું નથી. એ તો જાણે ફેલાઇ ગયા હોય એવા લાગે છે. સંકુચિત થયા હોય એવું લાગતું નથી. એમના વ્યક્તિત્વમાં ક્યાંય સંકુચિતતા દેખાતી નથી. પોતે ખૂબ આનંદમાં છે. કહેવાતા તપસ્વીઓ જેવા એ દુ: ખી નથી.
બુદ્ધથી આ ન બની શક્યું. એ સમજવું જરૂરી છે કે બુદ્ધે પણ મહાવીરે કરી હતી તેવી જ સાધના કરી, પરંતુ બુદ્ધને, ભોજનત્યાગ પછી પોતે વધારે નબળા પડી જતા હોય તેવું લાગ્યા કર્યું. એમને થયું કે આ રીતે તો કાંઇ મળતું નથી. એટલે છ વર્ષની તપશ્ચર્યા પછી બુદ્ધે આ બધું છોડી દીધું. બુદ્ધે એવો સ્વાભાવિક નિર્ણય લીધો કે આવી શારીરિક તપશ્ચર્યા વ્યર્થ છે. બુદ્ધબુદ્ધિમાન અને પ્રામાણિક હતા, એટલે જ આ નિર્ણય પર આવી શક્યા. અનેક નાસમજ લાકો એવી દિશાઓમાં ચાલી ન્રીકળે છે, જે એમને માટે નકામી હોય છે. એ દિશામાં જવાની એમની ક્ષમતા હોતી જ નથી. એ દિશામાં એમના વ્યક્તિત્વનો વિકાસ ન થતા, તેઓ પોતાની જાતને સમજાવે રાખે છે કે કદાચ પાછલા જન્મોનાં કર્મોને કારણે આવું બની રહ્યું છે, કે કદાચ પૂર્વજન્મમાં કરેલા પાપોને કારણે આવું બની રહ્યું છે, કે કદાચ હું પૂરો પ્રયત્ન જ નથી કરતો માટે આવું બની રહ્યું છે. યાદ રાખવું જોઇએ કે જે તમારી દિશા નથી, તેમાં તમે કયારેય પૂરો પ્રયાસ કરી નહીં શકો, છતાં તમારો ભ્રમ ચાલુ રહેશે કે હું પૂરો પ્રયાસ કરી શકતો નથી.
Page #148
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
બુધ્ધ છ વર્ષ સુધી એ જ કર્યું જે મહાવીર કરી રહયા હતા. પરંતુ એ કર્યા પછી મહાવીરને જે મળ્યું તે બુધ્ધને ન મળ્યું. મહાવીર આનંદથી અભિભૂત થઇ ગયા, બુધ્ધ અત્યંત પીડાને પ્રાપ્ત થયા. મહાવીર શક્તિમાન બની ગયા, બુધ્ધ નિર્બળ બની ગયા. નિરંજના નદીને પાર કરતી વખતે ઉપવાસ કરી કરીને બુધ્ધ એટલા નિર્બળ થઇ ગયા હતા કે કિનારો પકડીને ઉપર ચઢવા જેટલી શક્તિ પણ બચી ન હતી. આ જોઇ બુધ્ધને થયું કે આ વૃક્ષની ડાળ પકડીને ઉપર ચઢી શકું એટલી - શક્તિ પણ જો ન બચી હોય તો આવા ઉપવાસથી શો લાભ? આટલી નદી પાર નથી કરી શકતો, તો આ ભવસાગરને કેવી રીતે પાર કરી શકીશ. આ તો પાગલપણું છે. એટલી બધી નબળાઇ આવી ગઇ હતી કે એમનાં બધાં હાડકાં બહાર દેખાઇ રહયાં હતાં. બુધ્ધનું તે સમયનું કોઇએ દોરેલું ચિત્ર છે તે એવું છે, જે કહેવાતા તપસ્વીઓ કેવી મુસીબતમાં ફસાઇ ગયા છે તે બતાવે છે. એક જૂની તામ્ર પ્રતિમા મળી છે જેમાં બુધ્ધના તે સમયના કૃશ શરીરનું ચિત્રણ છે. બધાં હાડકાં છાતી અને પીઠ પર દેખાઇ રહ્યાં છે. પેટ પીઠ સાથે ચીપકી ગયું છે. આંખો માત્ર જીવંત દેખાય છે. બાકી આખું શરીર સુકાઇ ગયું છે. જાણે શરીરમાંથી લોહીનું અભિસરણ બંધ થઇ ગયું હોય એવું મડદાલ શરીર બની ગયું છે. આવી પરિસ્થિતિમાં નિરંજના નદી પાર કરતાં બુધ્ધને ખ્યાલ આવ્યો કે ઉપવાસ વ્યર્થ છે. પરંતુ જે બુધ્ધ માટે વ્યર્થ લાગ્યું, તે મહાવીરને મહાશક્તિ પ્રદાન કરતું લાગ્યું. ખરેખર તો બુધ્ધને ઉપવાસ કરવાની જેમણે સલાહ આપી હતી તે બધી નિષેધાત્મક હતી. આ છોડો, પેલું છોડો. જે જે એમને છોડવાનું કહેવામાં આવ્યું તે બુધ્ધ છોડયું. ગુરુએ જેવું બતાવ્યું તેવું કર્યું. પરંતુ બધું છોડયા પછી સમજાયું કે બધું છોડયું ખરું, પણ મળ્યું કાંઇ નહીં. બદલામાં આ દીનહીન શરીર રહ્યું. બુધ્ધનો આ માર્ગ ન હતો. બુધ્ધના વ્યક્તિત્વનો ઢાંચો અલગ હતો. એટલે બુધ્ધે બધા પ્રકારના ત્યાગનો જ ત્યાગ કરીને જોઇ લીધું કે કાંઇ મળ્યું નથી અને જ્યારે ત્યાગનો પણ ત્યાગ કર્યો; ભોગનો ત્યાગ કરી દીધો, ત્યારે બુધ્ધને જ્ઞાન થયું.
૧૪૩
મહાવીરની અને બુદ્ધની પ્રક્રિયા તદ્દન ઊલટી છે, એટલે એક જ સમયમાં બન્ને જીવ્યા છતાં બન્નેની પરંપરાઓ જુદી પડી ગઇ. બુદ્ધને પણ મળ્યું જે મહાવીરે ત્યાગથી મેળવ્યું, બુદ્ધને ત્યાગથી કાંઇ ન મળ્યું, કારણકે ત્યાગની જે ધારણા બુદ્ધના મનમાં પ્રવેશ કરી ગઇ તે નિષેધાત્મક હતી. એ જ ભૂલ થઇ ગઇ. મહાવીરની ધારણા વિધાયક હતી Positive. જેઓ ત્યાગ દ્વારા નિષેધમાં પ્રવેશી જાય છે, તેઓ ભટકી જશે, દુર્બળ બની જશે, ક્યાંય પહોંચશે નહીં. આત્મબળ તો નહીં જ મળે, શરીર બળ ખતમ થઇ જશે. નિષેધાત્મક મનને કારણે અતીન્દ્રીયનું જગત ખુલશે નહીં, ઇન્દ્રીયોનું ભૌતિક જગત બીમાર થઇ સંકોચાઇ જશે. અંતરધ્વનિ સંભળાશે નહીં, કાન બહેરા બની જશે. આંતરદશ્ય દેખાશે નહીં, આંખો ધૂંધળી બની જશે. આન્તરસ્પર્શનો તો કોઇ ખ્યાલ નહીં આવે, હાથ એવા જડ થઇ જશે, જે બહારનો સ્પર્શ પણ નહીં અનુભવી શકે.
નિષેધમાં આવી ભૂલ થઇ જાય છે. પરંપરા કેવળ નિષેધ શીખવે છે. આપણે જે જે ચીજો પકડીએ છીએ, જેનો પરિગ્રહ કરીએ છીએ, તે તે ચીજો છોડી હોય, એવું પરંપરાને દેખાય છે. જે મળ્યું છે
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૪
સંયમની વિઘાયકદ્રષ્ટી
તે એને દેખાતું નથી. એટલે મહાવીરને જે બરાબર સમજવા હોય, એમના ગરિમાપૂર્ણ સંયમને સમજવો હોય, એમના સ્વસ્થ વિધાયક સંયમને સમજવો હોય, તો અતીન્દ્રીયને જગાડવાના પ્રયોગો કરવા જોઈએ. દરેક વ્યકિતની કોઈ એક ઈન્દ્રીય એવી સંવેદનશીલ હોય છે જે તત્કાલ અતીન્દ્રીયમાં પ્રવેશ કરવાની ક્ષમતા ધરાવે છે. થોડા પ્રયોગો કરવાથી, કઈ ઈન્દ્રીય સંવેદનશીલ છે તે ખ્યાલમાં આવશે. એનાથી તમને તમારી કઈ દિશા છે તે સમજશે. કેવી રીતે આપણે જાણી શકીએ કે આપણી કઈ ઈન્દ્રીયની અતીન્દ્રીય બનવાની ક્ષમતા છે. આપણને ઘણી વાર તક મળે છે, પરંતુ તે આપણે ગુમાવી દઈએ છીએ. કારણકે એ દિશામાં આપણે ક્યારેય વિચાર્યું હોતું નથી. તમે બેઠા હો, તમને કોઈ મિત્રની યાદ આવે અને તમે આંખ ઊંચી કરી જુઓ તો એ મિત્ર તમારી સામે આવીને ઊભો હોય! તમે વિચારો છો કે આ એક સંયોગ છે. તમે એક તક ચૂકી ગયા. ક્યારેક તમે વિચારો છો કે નવ વાગ્યા હોવા જોઈએ, તમે ઘડિયાળ બરાબર જુઓ છો તો એમાં નવ વાગ્યા હોય છે. આ પણ સંયોગ છે એમ તમે વિચારો, કે ચૂકી ગયા, આ અતીન્દ્રયની ઝલક હતી. જે તમને આવી ઝલકનો અનુભવ અવારનવાર થતો હોય તો એના ઉપર પ્રયોગ કરો, એને માત્ર સંયોગો ન કહો. વારંવાર ઘડિયાળ જોતાં પહેલાં તમારી જાતને પૂછો કેટલા વાગ્યા હશે ? નક્કી કરો કે આટલા વાગ્યા હશે, પછી ઘડિયાળ જુઓ. જો તમારી અટકળ સાચી હશે, તો સંભાવના છે કે તમે અતીન્દ્રીયક્ષમતા પ્રાપ્ત કરી શકો. અડધી રાતના ઊઠી જાઓ. પહેલાં વિચાર કરો કેટલા વાગ્યા હશે ? ખરેખર ‘વિચારો એમ કહેવું પણ ઠીક નથી કારણકે વિચાર કરવામાં ભૂલ થઈ જવાનો સંભવ છે. માત્ર ખ્યાલ કરો કેટલા વાગ્યા હશે અને જે પહેલો ખ્યાલ આવે તે ઘડિયાળના સમય સાથે સરખાવો, જે સૌપ્રથમ ખ્યાલ આવ્યો તે મહત્વનો છે. બીજો ખ્યાલ તમારા મનમાંથી આવે છે, એમાં વિચાર પ્રવેશી ગયો હોય છે. બહાર દરવાજા પર કોઈ પગલાં સંભળાય છે. કોઈ મિત્રના આવવાનો ખ્યાલ છે. દરવાજા પર ઘંટડી વાગે છે. ખ્યાલ કરો આંખ બંધ કરીને કોણ હશે ? જે સર્વપ્રથમ ચહેરો યાદ આવે, તે ધ્યાનમાં લઈ દરવાજો ખોલો. તમે ધારેલો મિત્ર સામે ઊભો હોય છે. આ સાંયોગિક નથી એમ થોડા વખતમાં સમજાશે. આ તમારી ક્ષમતાની ઝલક છે. કોઈ એક દિશામાં પણ તમારી અતીન્દ્રીય શક્તિ ખુલવાની શરૂ થશે, તો તમારી બધી ભૌતિક ઈન્દ્રીયો ફીક્કી પડવાનું શરૂ થઈ જશે. એટલું જ નહીં, સંયમનો વિધાયક માર્ગ તમારે માટે સ્પષ્ટ અને સાફ થવા લાગશે. જીવન દરમિયાન કેટલાય અવસરો જે સમજવા જેવા હોય છે તે આપણે ચૂકી જઈએ છીએ.
Page #150
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
ચૂકી જવાનું મુખ્ય તાર્કિક કારણ એ છે કે દરેક ચીજને ‘સંયોગ’ કહીને છોડી દઇએ છીએ. એ વાત સાચી કે સંયોગોવશાત કાંઇ બનતું નથી. પરંતુ પુરો વિચાર કર્યા વિના ‘સંયોગ’ તરીકે માની લઇ, આપણે આપણી અતીન્દ્રીય શક્તિને સમજવાનું ચૂકી જઇએ છીએ. ખરેખર જો ‘સંયોગ’ ન હોય, તો તમને તમારી સંભવિત શક્તિનું અનુમાન કરવાનું સહેલું થઇ પડશે. આપણી શક્તિનું આ સૂત્ર, એક વાર ખ્યાલમાં આવી જાય તો એનો ધીમેધીમે વિકાસ કરી શકાય છે. એનું પ્રશિક્ષણ થઇ શકે છે. સંયમ એ જ એનું પ્રશિક્ષણ છે.
૧૪૫
એક દિવસ તમે ઉપવાસ કર્યો અને તમને ભોજનની યાદ ન આવી, પરંતુ ત્યારે તમે તે દિવસે તમારી જાતને ભૂલવાની કોશિશ ન કરતા. સામાન્ય રીતે ઉપવાસ કરનાર વ્યક્તિઓ મંદિરમાં જઇને બેસી જાય છે. ભજન, કીર્તન, ધૂન, જાપ વગેરે કરવા બેસી જાય છે. શાસ્ત્રમાંથી સૂત્રો બોલે છે, સાધુનાં પ્રવચન સાંભળે છે વગેરે વગેરે, પરંતુ એમ કરવામાં એ ચૂકી જાય છે. જે દિવસે ભોજન ન કર્યું હોય તે દિવસે બીજું કાંઇ ન કરો. માત્ર બેસી રહો અને તમારા સ્વયંનું નિરીક્ષણ કરો. જો ચોવીસ કલાકમાં તમને ભોજનની યાદ ન આવે તો સમજજો કે તમારે માટે ઉપવાસનો માર્ગ ઉપયોગી થઇ શકે તેમ છે. તો તમે મહાવીરની જેમ લાંબા ઉપવાસની દુનિયામાં પ્રવેશ કરી શકશો. એ માર્ગ તમને લક્ષ્ય પર પહોંચાડશે. પરંતુ એ ચોવીસ કલાક દરમિયાન તમને વારંવાર ભોજન યાદ આવે તો સમજજો કે ઉપવાસનો માર્ગ તમારો નથી તમારે માટે એ યોગ્ય નથી.
આપણી સામે ચોવીસ કલાક અનેક દિશાઓ ઊઘડતી રહે છે. જે જાણે છે તેઓ કહે છે કે દરેક ક્ષણે આપણે એક ચોરાહા પર ઊભા હોઇએ છીએ, જ્યાં બધી દિશાઓ ખૂલી હોય છે. પોતાને અનુકૂળ દિશા શોધી લેવાનું સાધક માટે અત્યંત જરૂરી છે, નહી તો એ અટવાઇ જશે. બીજા કોઇને ન પૂછો, અંતરમાં જ શોધ કરો. તમારો સમય, તમારો ઢાંચો, તમારા વ્યકિતત્વનું રૂપ, બધું ધ્યાનપૂર્વક સમજો. નહિ તો ભૂલ થઇ જશે. મહાવીરને માનનારા પરિવારમાં તમે જન્મ્યા હો, એટલે મહાવીરનો જ માર્ગ તમારે માટે અનુકૂળ છે, એવું માની લેવાની જરૂર નથી. કોઇ બીજું નહીં કહી શકે કે તમારે માટે મુહમ્મદનો માર્ગ ઠીક છે, કોઇ નહીં કહી શકે કે તમારે માટે કૃષ્ણનો માર્ગ ઠીક નથી. તમે કૃષ્ણને માનનારા કુટુંબમાં જન્મ્યા હો તો કૃષ્ણની બંસરીમાં તમને રસ પડે જ, એવું નક્કી નથી, જરૂરી પણ નથી. શક્ય છે કે તમારે માટે મહાવીર વધારે સાર્થક બને, જે મહાવીરને બંસરી સાથે ક્યાંય જોડી શકાય એવી શક્યતા જ નથી, કૃષ્ણના હાથમાંથી વાંસળી ઝુંટવી લો, તો ૯૦ ટકા કૃષ્ણ મટી જશે, કૃષ્ણ જેવું કાંઇ બચશે જ નહીં. કૃષ્ણના હાથમાં વાંસળી ન હોય, તો કૃષ્ણને ઓળખવા મુશ્કેલ બની જાય. હા, વાંસળી એકલી પડી હોય તો કૃષ્ણનો ખ્યાલ આવી પણ જાય. વ્યક્તિત્વના ભેદ છે. દાખલા તરીકે એક એવો સમય હતો કે જ્યારે આપણે સમગ્ર ભારતની વસ્તીનું ચાર વર્ણોમાં વિભાજન કર્યું હતું. સમજવા જેવી વાત એ છે કે આ ચાર વર્ણ, મૂળ મનુષ્યની ચાર
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૬
સંયમની વિધાયકદ્રષ્ટી
અલગ પ્રકૃતિનાં જ રૂપ હતાં. કેટલીક વાર આશ્ચર્ય ઊપજાવે એવી ઘટનાઓ બને છે. હમણા હમણાં રશિયામાં એક વૈજ્ઞાનિક વિદ્યુત (electricity) ના આધારે માનવીનું ચાર હિસ્સામાં વિભાજન કર્યું. દરેક વ્યક્તિના વિદ્યુતપ્રવાહઅલગ પ્રકારના હોય છે. એ વિદ્યુત પ્રવાહનો પ્રકાર અને બીજી વ્યક્તિઓથી અલગ પાડે છે. શરીરના વિદ્યુત પ્રવાહ બધાંના અલગ છે. હું માનું છું કે મહાવીરનો વિદ્યુતપ્રવાહ “positive-વિધાયક હતો. એટલે જ મહાવીર સક્રિય સાધનામાં કૂદી શક્યા. બુધ્ધનો વિદ્યુતપ્રવાહપ્રભાવ negative-નિષેધાત્મક હતો, જેને કારણે બુધ્ધને સક્રિય સાધનામાંથી કાંઈ ન મળ્યું. એક વખત બુધ્ધને બિલકુલ નિષ્ક્રિય અને શૂન્ય થવું પડ્યું. એ નિષ્ક્રિયતામાંથી બુધ્ધનો માર્ગ ખૂલ્યો. આ વ્યક્તિત્વના ભેદ છે, સિદ્ધાંતના ભેદનથી. આખી માનવજાતિ આજ સુધી ઘણા ઉપદ્રવમાં અટવાઈ ગઈ છે. કારણકે આપણે વ્યક્તિત્વના ભેદોને, સિદ્ધાંતના ભેદ સમજ વ્યર્થ વિવાદકરી રહ્યા છીએ. દરેકે પોતાના વ્યકિતત્વને ઓળખવું રહ્યું. દરેકે પોતાની વધુમાં વધુ સંવેદનશીલકઈ ઈન્દ્રીય છેતે શોધી લેવું જોઈએ. આપણી ક્ષમતાનો પ્રકાર અને આંકન કરી લેવાથી આપણો માર્ગ આપણને સ્પષ્ટ દેખાશે. સંયમના માર્ગ પર મહાવીર કામ આવશે. એ માર્ગે જનાર સાધક આસાનીથી આગળ વધી શકશે, પરંતુ પોતાની ક્ષમતાને સમજ્યા વિના, આંક્યા વિના, કોઈ અન્યની ક્ષમતાનું અનુકરણ કરવાની કોશિશ તમને રોજ મુશ્કેલીમાં મૂકશે, કારણકે એ તમારો માર્ગનથી, એ તમારું દ્વાર નથી. એટલે આ જગતમાં જો કોઈ મોટું દુર્ભાગ્ય હોય, તો તે એ છે કે આપણે જે કુટુંબમાં જન્મા હોઈએ તેના ધર્મને પોતાનો માની લીધો છે. ધર્મ આપણી શોધ કે પસંદગી નથી, પરંતુ મહાવીરના સમયમાં, મહાવીરના વિચારોએ જેમના જીવનમાં ક્રાંતિ આણી અને જેટલી મોટી સંખ્યામાં એ ક્રાંતિ લોકોમાં ઊતરી, તેટલી મહાવીર પછીનાં પચ્ચીસો વર્ષ દરમિયાન, એટલા લોકોમાં ક્રાંતિન થઈ. એનું એકમાત્ર કારણ એ છે કે મહાવીર પાસે ખેંચાઈને જે લોકો આવ્યા, તે બધાએ સભાન રીતે, મહાવીરનો માર્ગ જ પોતાનો માર્ગ છે એવી સમજપૂર્વકની પસંદગી કરી હતી, એ બધા જન્મ જૈનનહતામહાવીર પાસે આવ્યા તે પોતાની પસંદગીના આધારે આવ્યા હતા. એ એમની સ્વતંત્ર પસંદગી હતી. એમના વ્યક્તિત્વ અને મહાવીરના વ્યક્તિત્વ વચ્ચે એક ખાસ ખેંચાણ, એકચુંબક જેવું આકર્ષણ હતું, જેનાથી ખેંચાઈને તેઓ મહાવીર પાસે આવ્યા હતા. પરંતુ એમના પુત્રોનું શું? એમનો પુત્ર માત્ર એ કુટુંબમાં પેદા થયો તે કારણે મહાવીર પાસે જાય તો એ મહાવીર સુધી નહીં પહોંચી શકે. એટલે મહાવીર, બુધ્ધ, કૃષ્ણકે જિસસના જીવનકાળ દરમિયાન એમની પાસે જે ખેંચાઈને આવ્યા એમના જીવનમાં રૂપાંતર થયું. એ વિભૂતિઓની ગેરહાજરીમાં એવી જ ઘટના ફરી વાર બનતી નથી. પછી તો દરેક પેઢીનો ધર્મ, ધીમેધીમે ઔપચારિક બની જાય છે, ફોર્મલ રહી જાય છે. આ કુટુંબમાં પેદા થયા માટે એ કુટુંબના મંદિરમાં આપણે જવું રહ્યું. ઘર અને
Page #152
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
મંદિર વચ્ચે કોઇ અતૂટ સંબંધ હોઇ શકે ? સાચી વાત તો એ છે કે દરેકે પ્રથમ પોતાનું વ્યક્તિત્વ કેવું છે, પોતાની દિશા કઇ છે, પોતાની સંભાવના શું છે તે નક્કી કરવું જોઇએ. ક્યું ચુમ્બક તમને આકર્ષે છે અને ક્યા ચુમ્બકનો તમને અણગમો છે તે દરેક વ્યક્તિએ સ્વયં શોધવાનું છે.
૧૪૭
આપણે એક ધાર્મિક દુનિયા બનાવવામાં ત્યારે સફળ થઇશું જ્યારે આપણે દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પસંદ કરવાની સ્વતંત્રતા આપીશું. નહિ તો દુનિયામાં ધર્મનો લોપ થશે, અધર્મનો પ્રસાર થશે. ધાર્મિક લોકોનો ધર્મ, માત્ર ઔપચારિક રહેશે અને અધાર્મિક લોકો સાચા લાગશે. એક બહુ સમજવા જેવી વાત છે. કોઇ વ્યક્તિ ક્યારેક નાસ્તિકતા સભાનપણે પસંદ કરે છે? એને નાસ્તિકતા પસંદ કરવી પડે છે. કોઇ કહે છે કે ‘ઇશ્વર નથી’ તો એ એનું સ્વતંત્ર મંતવ્ય છે, પસંદગી છે. જે કહે છે કે ઇશ્વર છે તો એના પૂર્વજોની પસંદગી છે, એટલે નાસ્તિક સામે આસ્તિક હંમેશા હારી જાય છે. એનું કારણ છે કે આસ્તિકની પસંદગી સભાન કે સ્વતંત્ર નથી. તમે આસ્તિક, જન્મ્યા ત્યારથી છો. જે નાસ્તિક બન્યો છે તે સ્વતંત્ર વિચારણાથી. એટલે નાસ્તિકતામાં એક પ્રકારનાં બળ, ગતિ અને ત્વરા હોય છે અને પ્રાણનો પ્રભાવ હોય છે. તમારી આસ્તિકતા ઔપચારિક છે. તમારા હાથમાં એક કાગળનો ટુકડો પકડાવાયો છે. એ ચબરખીમાં લખ્યું છે કે તમે ક્યા ધર્મમાં પેદા થયા છો. એમ જ બની રહ્યું છે. નાસ્તિકથી આસ્તિક હારી જાય છે, પરંતુ એવું લાંબો સમય નહિ ચાલે. આજસુધી એ થયું છે. કેમકે નાસ્તિકતા પણ ધર્મ બની ગઇ છે.
૧૯૧૭ની રશિયન ક્રાંતિ પછી નાસ્તિકતા પણ ધર્મ લેખાય છે. એટલે રશિયામાં પણ નાસ્તિક કમજોર પડી ગયો છે. રશિયનો બધા જન્મથી જ નાસ્તિક હોય છે. એનો બાપ નાસ્તિક હતો એટલે દીકરો પણ નાસ્તિક છે. એટલે નાસ્તિકતા પણ દુર્બળ, નપુંસક થઇ ગઇ છે. એટલે હવે એમાં બળ રહ્યું નથી. બળ હંમેશાં માણસની સ્વતંત્ર પસંદગીમાં છે. જો હું મરવા માટે જ ખાડામાં પડું અને એ જો મારો સ્વતંત્ર નિર્ણય હોય, તો મારા મૃત્યુમાં પણ જીવનની એક આભા હશે. મને કોઇ ધક્કો મારીને સ્વર્ગમાં ધકેલી દે, કોઇ ઔપચારિકતાથી સ્વર્ગમાં પહોંચાડી દે, તો હું સ્વર્ગની ગલીઓમાં પણ ઉદાસપણે ભટક્યા કરીશ. એ સ્વર્ગ મારે માટે નર્ક બની જશે, એની સાથે મારા આત્માનો કોઇ મેળ નહીં હોય.
માટે સંયમને પસંદ કરો. પોતાના સ્વયંને શોધો. સિદ્ધાંતોનો બહુ આગ્રહ ન રાખો. તમારી જાતને, તમારી ઇન્દ્રીયોની ક્ષમતાને સમજવા પ્રયત્ન કરો. તમારું પોતાનું વહન કઈ દિશામાં છે, તમારી ઊર્જા કઇ દિશામાં વહી રહી છે, તેનું નિરીક્ષણ કરો. એની સાથે લડો નહીં, એ જ માર્ગ બતાવશે ને માર્ગ બની રહેશે. એથી પણ વધુ ઊંડા ઊતરો અને વિધાયક રૂપે અતીન્દ્રીયના અનુભવ મેળવવાના પણ પ્રયત્ન કરો. પ્રત્યેક વ્યક્તિ પાસે અતીન્દ્રીય માટેની ક્ષમતા છે. એને ખબર હોય કે ન હોય, તોપણ પ્રત્યેક વ્યક્તિ અતીન્દ્રીય પ્રતિભાથી એક ચમત્કારિક રૂપે ભરાયેલી છે. નિષ્ઠાપૂર્વક માત્ર દ્વાર ખખડાવવાની જરૂર છે, ખજાનો ખૂલવાનો શરૂ થઇ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સંયમની વિધાયક દ્રષ્ટી જશે. જેવું આ બનશે કે ભૌતિક ઈન્દ્રીયોનું જગત ફિ પડી જશે. એક-બે બીજી વાતો સંયમ વિષે સમજી લઈએ. કાલે આપણે તપની વાત શરૂ કરવાની છે. માણસ, ભૂલો પણ એકની એક ર્યા કરે છે, જૂનીપૂરાણી ભૂલો ફરી ફરી કરે છે. જડતાનું એનાથી વધુ મોટું પ્રમાણ શું હોઈ શકે ? તમારી જિંદગીમાં પાછા વળી તમે તમારી ભૂલોની ગણતરી કરો તો બહુ બહુ તો દસબાર ભૂલોથી વધારે નહી ગણાવી શકો. હા એની એ જ ફરી ફરી કરી હશે. લાગે છે કે અનુભવમાંથી આપણે કાંઈ શીખતા નથી, પરંતુ જે અનુભવથી નહીં શીખે, તે ‘સંયમંમાં પ્રવેશ નહી કરી શકે. સંયમમાં પ્રવેશનો અર્થ એ છે કે અનુભવથી જાણ્યું કે અસંયમ ખોટો હતો કે અસંયમ એક દુઃખ હતું. અનુભવે બતાવ્યું કે અસંયમ માત્ર પીડા હતી, નર્ક હતું, પરંતુ આપણે તો અનુભવમાંથી કાંઈ શીખતા નથી. તમને મુલ્લા નસરૂદીનની એક વાત આ સંદર્ભમાં કહ્યું. મુલ્લાની ઉંમર સાઠ વર્ષની થઈ ગઈ છે. એક સાંજે મિત્રો સાથે કોફી હાઉસમાં બેસીને મુલ્લાગપ્પાં મારતો હતો. ગપ્પાં મારતાં મારતાં જાતજાતની વાતોમાંથી વાત નીકળી. એક મિત્રે મુલ્લાને પૂછ્યું, નસરૂદ્દીન, તારી જિંદગીમાં કોઈ એવો પ્રસંગ બન્યો છે કે જ્યારે તારે શરમાવું પડ્યું હોય અને તું પરેશાન થઈ ગયો હોય ?’ બેઠેલા બધા મિત્રો ઘરડા હતા. નસરૂદીન જેટલા જ. પ્રશ્ન પૂછનારે ફરી પૂછ્યું ‘એવી કોઈ કઢંગી હાલતમાં મૂકાયો હોય, એવું બન્યું છે ?’ મુલ્લાએ કહ્યું, ‘બધાની જિંદગીમાં એવું બને છે, પરંતુ પહેલાં તું તારી જિંદગીની વાત કર, પછી હું મારી વાત કરું !' પછી બધા બુટ્ટાઓએ, પોતપોતાની જિંદગીમાં એવી ક્ષણો આવી હતી, કે જેમાં તેઓ કઢંગી પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા અને એમાંથી બહાર નીકળવાનો રસ્તો જડતો નહતો, તેનું વર્ણન કર્યું. કોઈએ ચોરી કરી હતી અને માલ સાથે પકડાઈ ગયો હતો. કોઈ જૂઠું બોલ્યો હતો અને એનું જૂઠાણું એકદમ નગ્નપણે પકડાઈ ગયું હતું. પછી નસરૂદીને કહ્યું, ‘મને પણ યાદ છે, ઘરની નોકરાણી સ્નાન કરી રહી હતી, અને હું દરવાજાની ચાવીના છેદમાંથી જોઈ રહ્યો હતો. ત્યાં અચાનક મારી માએ મને પકડ્યો ત્યારે મારી એવી ખરાબ હાલત થઈ ગઈ હતી...” બીજા બુદ્દાઓ હસ્યા. કોઈએ આંખ મારી. એકે કહ્યું, ‘એમાં કાંઈ એટલા પરેશાન થવાની જરૂર નહોતી. બધાની જિંદગીમાં બચપણમાં આવા બનાવો બને છે.' નસરૂદીને કહ્યું, ‘બચપણમાં અરે આતો હજી ગઈ કાલની વાત છે. શું બચપણની વાત કરે છે?' બચપણ પછી બુઢાપામાં, કદાચ ચાલાકી થોડી વધતી હશે, પરંતુ ભૂલો તો એની એ જ થાય છે. હા, બુટ્ટા જરા વધુ હોશિયાર થઈ જાય છે. મોટે ભાગે પકડાતા નથી, એ અલગ વાત છે. બચપણમાં બાળક જલદી પકડાઈ જાય છે. બચપણમાં હજી એટલી ચાલાકી ખીલી હોતી નથી. ભૂલ કરનાર
Page #154
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્:મંત્ર
૧૪૯
બાળકોને પકડનાર લોકો મળી આવશે, પરંતુ બુટ્ટાને પકડનાર લોકો મળતા નથી. પરંતુ બાળકો અને બુટ્ટા બન્નેના અનુભવોમાં ખાસ કાંઈ ભેદ હોતો નથી. નસદ્દીન મરી ગયો. સ્વર્ગનાં દ્વાર પર પહોંચ્યો. સો વર્ષની ઉંમરે મર્યો હતો. ઘણું જીવ્યો. એવી કથા છે કે સ્વર્ગનાં દ્વાર પર સેંટ પીટર પહેરો ભરતા હતા. તેમણે નસરૂદ્દીનને પૂછ્યું, ‘ઘણા વર્ષ જીવ્યા, બહુ લાંબુ જીવ્યા, એ સમયમાં કયાં ક્યાં પાપ ક્યાં છે પૃથ્વી પર?' નસરૂદ્દીને કહ્યું “પાપ! પાપર્યા જ નથી.” સેંટ પીટરને લાગ્યું કે કદાચ “પાપ” શબ્દ બહુ સામાન્ય છે, બુટ્ટો માણસ છે. એને કાંઈ સમજાયું નહીં હોય. એટલે ફરી પૂછ્યું, ‘ક્યારેક ચોરી કરી છે?' નસરૂદીને કહ્યું ના, કયારેય જૂઠું બોલ્યા છો?’ નસરૂદીને કહ્યું “ના ‘કયારેય દારૂ પીધો છે? નસરૂદીને કહ્યું ‘ના’ ‘ક્યારેક સ્ત્રીની પાછળ પાગલની જેમ ભટક્યા છો?’ નસરૂદીને કહ્યું ‘ના’. સેંટ પીટરને આશ્ચર્ય થયું. તો આટલો બધો લાંબો, સો વર્ષ જેટલો સમય તેંપસાર કેવી રીતે કર્યો? શું કરી રહ્યો હતો ત્યાં? નસરૂદીને કહ્યું, “હવે તમે મને પકડ્યો. તમારો સવાલ બહુ ઝંઝટમાં નાખે તેવો છે. પરંતુ એનો જવાબ આપું તે પહેલાં મારે તમને એક સવાલ પૂછવો છે. તમે અહીં શું કરી રહ્યા છો? હું તો જાણે સો વર્ષથી પૃથ્વી પર હતો, પરંતુ તમે તો અહીં અનન્તકાળથી ઊભા છો. શું કરો છો આખો વખત?’ પાપ જેવું કાંઈ ન હોય તો માણસને લાગે છે કે જીવનમાં છે શું? અસંયમન હોય તો ભોગવીએ શું? મહાવીર જેવા માનવો કેવી રીતે જીવી ગયા હશે તે આપણી સમજમાં આવતું નથી. એનાં કારણો બૌદ્ધિક રીતે સમજાય તેવાં નથી. જે ફરક છે તે આપણા જીવનનાં ઢંગનો છે. આપણને એ નથી સમજાતું કે દરેક બાબતમાં સંયમ કરવાનો હોય તો શું અને કેમ જીવીશું? ના કોઈ સ્વાદમાં રસ લેવાય, ના કોઈ ભોજનની સુગંધ આકર્ષે, ના કોઈ સુંદર વસ્ત્રો પહેરાય, ના કોઈ સંગીતમાં રસ લેવાય, ના કોઈ રૂપ આકર્ષે...જે કોઈ મહત્ત્વાકાંક્ષા જ બાકી ન રહે તો શેના માટે જીવવાનું? મારી પાસે લોકો આવે છે ને પૂછે છે કે જો કોઈ મહત્ત્વાકાંક્ષા જ ન રહે, કોઈ મોટું સુંદર મકાન બનાવવાનો ખ્યાલ જ મટી જાય, કોઈ દેહની સુંદર સજાવટનો ખ્યાલ પણ ન આવે તો એ કાંઈ જીવન છે? ધન પ્રાપ્ત કરવા માટેની દોડધામ બંધ થઈ જાય તો કેવી રીતે જીવન પસાર થશે ? આપણને એમ લાગ્યા કરે છે કે પાપ એજ જીવનની વિધિ છે, અસંયમ એ જીવનનો તંગ છે. એટલે સંયમની વાતો આપણે સાંભળી લઈએ છીએ; આપણને સારી લાગે છે પરંતુ તે આપણા જીવનને ક્યાંય અડકતી નથી. આપણા અનુભવોમાં સંયમનો કોઈ મેળ ખાતો નથી. કારણકે જ્યારે
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૫૦
સંયમની વિધાયકદ્રષ્ટી
પણ આપણને કોઈ સંયમનો ખ્યાલ આવે છે કે તરત જ લાગે છે, કે કોઈ ચીજનો નિષેધ કરવો પડશે. આ છોડો, પેલું છોડો, બધું છોડો. અરે, એ તો આપણું જીવન છે. બધું છોડી દઇશું તો એમાં જીવન ક્યાં રહ્યું ? આ નિષેધાત્મક સંયમની ધારણાએ જ તકલીફ ઊભી કરી છે. હું ક્યારેય નથી કહેતો કે આ છોડો કે પેલું છોડો, હું કહું છું કે આ પણ મળી શકે તેમ છે, બીજું પણ મળી શકે તેમ છે. જે મેળવવાની આકાંક્ષા છે તેને પૂરી નિષ્ઠાપૂર્વકની મહેનતથી મેળવો, પરંતુ એ હાથમાં આવશે ત્યાં સુધીમાં એની નિરર્થકતાનો તમને બોધ થઈ જશે અને એ હંમેશા માટે છૂટી જશે, ત્યારે કાંઈ કરી ચૂક્યાના અનુભવમાંથી પસાર થતાં મન ભરાઈ જશે. પૂરી જાગૃતિમાં થયેલો અનુભવ મુક્ત કરે છે. આપણી બધી ઈન્દ્રીયો એક ખાસ વ્યવસ્થા મુજબ વર્તે છે. જે તેમને કોઈ અતીન્દ્રીય દ્રશ્ય દેખાવા લાગે તો એવું નથી કે હવે તમારી આંખને બહાર જોવામાંથી છુટકારો મળી ગયો.
જ્યાં સુધી અતીન્દ્રીય દર્શન નથી થયું, ત્યાં સુધી બહાર જોયા કરીશું. પરંતુ અતીન્દ્રીય દર્શન થતાં, બહારના દશ્ય ફીક્કા પડી જશે. આંખનું એક નવું ભીતરી રૂપ ખ્યાલમાં આવી જશે. આંખથી છુટકારો મળતાં કાનથી છુટકારો મળવાનું પણ શરૂ થઈ જશે. કારણકે અનુભવના ભીતરી જગતનો ખ્યાલ આવતાં સમજાશે કે જે આંખના જગતમાં ભીતરનું દર્શન છે, તો કાનના જગતમાં પણ ભીતરનો ધ્વનિ હોવો જોઈએ, ભીતરનો નાદ સંભળાવો જોઈએ. પછી સ્પર્શના જગતમાં પણ ભીતરના જગતનો સ્પર્શ થશે. સંભોગના જગતમાં પણ ભીતરી સમાધિનો અનુભવ થશે. આ બધું તરત ખ્યાલમાં આવવા લાગે છે. એક વાર અસંયમમાં જીવતી એક ઈન્દ્રીયનો ઢાંચો તૂટી જાય તો એક પછી એક બીજી ઈન્દ્રીયોના જગતની દીવાલો પણ તૂટવાની શરૂ થઈ જાય છે. પ્રત્યેક ચીજ એક બીજાને સથવારે આવતી હોય છે. એક ઢાંચામાં આવતી હોય છે. એક ઇંટ ખેંચી લેતાં, બધું જ ધરાશાયી થઈ જાય છે. નસરૂદીનના ગામમાં જનગણના, વસતિ ગણતરી થઈ રહી હતી. એક અધિકારી નસરૂદીનના ઘેર આવ્યો. પૂછ્યું, ‘તમારા પરિવારમાં કોણ કોણ છે તેની માહિતી આપો.” નસરૂદ્દીને કહ્યું, “મારા પિતા જેલમાં છે. શું અપરાધ કર્યો હતો તે ન પૂછશો, ઘણા બધા અપરાધ ક્ય હતા. મારી પત્ની કોઈ ની સાથે ભાગી ગઈ છે, કોની સાથે ભાગી છે તે કહેવું મુશ્કેલ છે. કારણકે એ કોઈકની સાથે પણ ભાગી શકે તેવી હતી. મારી મોટી દીકરી પાગલખાનામાં છે,એના દિમાગનો ઈલાજ થઈ રહ્યો છે, એ ન પૂછતા કે એને શી બીમારી છે. પરંતુ એને કઈ બીમારી નથી તે પૂછી શકો છો.’ અધિકારી આ બધું સાંભળી થોડો બેચેન થઈ ગયો. આ તો મુસીબત છે, અહીંથી કેવી રીતે ભાગું? કઈ રીતે થોડી સહાનુભૂતિ બતાવી નીકળી જાઉં ? ત્યાં નસરૂદ્દીને આગળ ચલાવ્યું.
Page #156
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ: મંત્ર
૧૫૧
મારો નાનો દીકરો બનારસ યુનિવર્સિટીમાં છે.” સાંભળી અધિકારી થોડો પ્રસન્ન થયો. એણે કહ્યું, ‘તો આ છોકરો પ્રતિભાશાળી હોવો જોઈએ, કયા વિષયમાં અધ્યયન કરે છે ?' નસરૂદીને કહ્યું, “ગેરસમજ ના કરશો. અમારા ઘરમાં કોઈ અધ્યયન કરી શકે? અમારા ઘરમાં કોઈ પ્રતિભા પેદા થઈ શકે ? એ દીકરો પ્રતિભાશાળીય નથી ને કાંઈ અધ્યયન પણ નથી કરતો. પરંતુ એનું અધ્યયન, બનારસ વિશ્વવિદ્યાલયના મનોવૈજ્ઞાનિક કરી રહ્યા છે.’ નસરૂદીને ' કહ્યું “અમારા પરિવારનો પૂરો ઢાંચો શું છે તે તો સમજો. બાકી રહી મારી વાત એ બાબત ન પૂછો તો સારું,’ આમ નસરૂદીન કહી રહ્યો હતો ત્યાં તો પેલો અધિકારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. એક ઢાંચામાં ચીજોનું અસ્તિત્વ હોય છે. હવે મનોવૈજ્ઞાનિકો કહે છે કે જો તમારા ઘરમાં એક માણસ પાગલ હોય તો તમારા પરિવારમાં કોઈને કોઈ રૂપે એને લગતો કાંઈ ઢાંચો હશે. મનોવૈજ્ઞાનિકો તો કહે છે કે પાગલની ચિકિત્સા ત્યાંસુધી બરાબર કરી શકાતી નથી જ્યાં સુધી એના પરિવારની પણ ચિકિત્સા ન થાય. હવે પારિવારિક ચિકિત્સા -family therapy- નો વિકાસ થઈ રહ્યો છે. પરંતુ જેઓ આ વિષે વધારે ઊંડો વિચાર કરે છે તેમને લાગે છે કે એક પરિવારની ચિકિત્સા કરવાથી શું ફરક પડવાનો છે? કારણકે એક પરિવાર બીજ ઘણાં પરિવારોના સામૂહિક ઢાંચામાં આવે છે. તો જ્યાં સુધી આખાય સમાજની ચિકિત્સા ન થાય, ત્યાંસુધી એક પાગલને ઠીક કરવો મુશ્કેલ છે! “ચુપ થેરેપી’ ની ચર્ચા ચાલે છે. લાંબો સમય એકબીજાની સાથે જીવતી વ્યક્તિઓનો સમૂહ પણ એક ઢાંચો છે. એ બધાની વચમાં એક માણસ પાગલ હોય છે. બધાંની સંયુક્ત અસરો કોઈ પરિણામ લાવે છે. એટલે એક વાત જરૂર સાચી છે કે જે ઘરમાં એક વ્યક્તિ પાગલ હોય, તો કોઈને કોઈ રૂપમાં એના પાગલપણાને વધારવામાં, ઘરના દરેક સભ્યોનો કાંઇ ને કાંઈ હિસ્સો છે. દરેકે કાંઈને કાંઈ એવું કર્યું છે જેથી એના પાગલપણાને સહયોગ મળ્યો છે. નહિ તો એ વ્યક્તિ પાગલ કેમ બની શકે ? એક પરિવાર તો મોટા સમૂહનો હિસ્સો છે અને આખા સમૂહનો આ પરિવારને પાગલ કરવામાં કાંઈને કાંઈ હાથ છે. જ્યાં સુધી પૂરો સમૂહ ઠીક ન થઈ જાય ત્યાં સુધી આવું બન્યા કરશે. પરંતુ આથી ઊલટું બની શકે છે. જો ઘરમાં એક વ્યક્તિ પૂરી રીતે સ્વસ્થ થઈ જાય તો આખા ઘરના પાગલપણાનો ઢાંચો તોડી શકે છે. આ વાત હજી આજના મનોવૈજ્ઞાનિકના ખ્યાલમાં આવી નથી. એ વાત એમના ખ્યાલમાં આવવી પણ મુશ્કેલ છે. પરંતુ ભારતના ખ્યાલમાં આ વાત સેંકડો વર્ષો પહેલાં આવી ગઈ હતી. એટલે એક વ્યક્તિનો ઢાંચો જે તૂટી જાય તો પૂરા સમૂહનો ઢાંચો તોડી શકાય છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૫ર
સંયમની વિધાયકદ્રષ્ટી
આ વાત હવે આપણી ઈન્દ્રીયોના સંદર્ભમાં સમજીએ. જે તમારી ભીતરમાં કોઈ એક ઈન્દ્રીય સાચી દિશા પકડી લે, તો તમારી બધી ઈન્દ્રીયોના જૂના ઢાંચા તૂટવાના શરૂ થશે. તમારી એક વૃત્તિ દૃઢતાથી સંયમ તરફ ગતિ શરૂ કરે તો તમારી બીજી વૃત્તિઓ અસંયમ તરફ આગળ વધવામાં અસમર્થ બની જાય છે. એક તસુભારનું રૂપાંતર થતાં, આખું રૂપ બદલાવાનું શરૂ થઈ જાય છે. ક્યાંયથી પણ શરૂ કરો, કોઈ પણ ઇન્દ્રીયનો ભીતરમાં સંયમ પ્રગટ થવા લાગશે, તો તમારામાંનું અસંયમનું અંધારુ દૂર થવા માંડશે. એ વાતનો હંમેશા ખ્યાલ રાખજે કે શ્રેષ્ઠતર હંમેશાં શક્તિશાળી હોય છે. જો ઘરમાં એક વ્યક્તિ સ્વસ્થ અને વ્યવસ્થિત થઈ જાય તો ઘરની બધી વ્યક્તિઓ પર એની અસર પડશે. કારણકે શ્રેષ્ઠ શક્તિશાળી છે. તમારામાં એક વિચાર કે વૃત્તિ ઠીક થઈ જાય, આખા સમૂહમાં એક વ્યક્તિ ઠીક થઈ જાય તો એની આસપાસના પૂરા સમૂહમાં અસર થશે, કારણકે શ્રેષ્ઠ શક્તિશાળી છે. તમારી બધી વૃત્તિઓના પુરાણા ઢાંચા બદલાવા લાગશે, તૂટવા લાગશે અને તમે ફરીથી જેવા હતા તેવા નહીં થઈ શકો. એટલે સંપૂર્ણ સંયમ સાધવાના પ્રયત્નમાં ન લાગી જશો. પૂરેપૂરો સંયમ સંભવ નથી. આજે એ સંભવ નથી, આ પળે એ સંભવ નથી, પરંતુ કોઈ પણ એક વૃત્તિને તો આજે જ, આ પળે તમે રૂપાંતરિત કરી શકો છો. એ ખ્યાલ રાખજોકે આ એક વૃત્તિનું રૂપાંતર થવું, તમારા આખા જીવનના રૂપાંતર માટેની દિશા નક્કી કરશે. તમારી જિંદગીમાં પ્રકાશનું એક કિરણ ઊતરી આવશે તો અંધારું ગમે તેટલું પુરાણું હશે, અંધારું ગમે તેટલું ધનઘોર હશે એ તરત દૂર થઈ જશે. અનંતગણા અંધારાથી પ્રકાશનું એક કિરણ વધારે શક્તિશાળી છે. સંયમનું એક નાનું સૂત્ર, અસંયમથી ભરેલી અનન્ત જિંદગીઓને નષ્ટ:પ્રાય કરી મૂકે છે. પરંતુ સંયમનું એકમાત્ર સૂત્ર અમલમાં મૂકવું હોય તોપણ વિધાયક દૃષ્ટિની અત્યંત આવશ્યકતા છે. જે ઈન્દ્રીય તમને વધારેમાં વધારે શક્તિશાળી લાગતી હોય, તે ઇન્દ્રિયના સંયમથી કામ શરૂ કરો. સંયમ શરૂ કરતાં, રસ્તો બદલવાની જરૂર નથી, તમારી ચાલવાની દિશા બદલવાની જરૂર છે. જે રસ્તે અસંયમમાં આગળ વધી ગયા હતાતે જ રસ્તે સંયમમાં પાછા અવાશે. જે રસ્તે બહાર ચાલી ગયા હતા તે જ રસ્તે ભીતરમાં પાછા ફરવાનું છે. જ્યારે પણ શરૂ કરીએ આપણે સંયમ સાધના, ત્યારે કોઈનું આંધળું અનુકરણ કરવાનું નથી. ક્યા કુટુંબમાં કે ધર્મમાં પેદા થયા છીએ તે મહત્ત્વનું નથી. દરેકે પોતપોતાના વ્યક્તિત્વને પ્રથમ સમજીને ધ્યાનમાં લેવાનું છે. પછી જેમજેમ માર્ગ મંળતો જાય, તેમતેમ આગળ વધવાનું છે. મહાવીર જ્યાં પહોંચે છે ત્યાં જ મહેમદ પણ પહોંચે છે.
જ્યાં બુધ્ધ પહોંચે છે ત્યાં કૃષ્ણ પણ પહોંચે છે, જ્યાં લાઓત્યે પહોંચે છે, ત્યાં ક્રાઈસ્ટ પણ પહોંચે છે. તમને ખબર નથી કે ક્યું દ્વાર તમારે માટે યોગ્ય છે. તમે માત્ર પહોંચવાની ફીકર રાખજો, અમુક જ
Page #158
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ: મંત્ર
૧૫૩
દ્વાર મારફત પ્રવેશ કરવાની જીદ ન કરશો. શક્ય છે કે તમને જે દરવાજો ગમ્યો હોય તે તમારે માટે દીવાલ બની જાય. આપણે બધા સંસ્કારની જડતાને કારણે જિદ્દી બની જઈએ છીએ. આપણે માની લીધુ છે, કે ધર્મમાં ગતિ કરીશું તો તે જિનેન્દ્રના માર્ગે જ કરીશું; વિષ્ણુને માનીએ છીએ માટે કૃષ્ણને માર્ગે, કે રામને માનીએ છીએ એટલે રામને માર્ગે જ આગળ વધીશું. ખરેખર તો તમે કોને માનો છો તે જ્યારે તમે પહોંચશો ત્યારે અને તે દિવસે સિદ્ધ થશે. એની પહેલાં નક્કી કરવું મુશ્કેલ છે. .
ક્યા દરવાજામાંથી પસાર થયા, તે જે દિવસે દરવાજો પાર કરી જશો ત્યારે ખ્યાલ આવશે. પરંતુ તમે તો જાણે હઠ પકડીને બેઠા છો કે આ દરવાજામાંથી જ પસાર થવું છે. એમ લાગે છે કે તમારે માટે દરવાજાનું મૂલ્ય વધારે ઊંચું છે, પહોંચવાનું મૂલ્ય ઓછું છે. આ જ સીડી પર ચઢવું છે એવી જીદ છે. ચઢવા સાથે મતલબ નથી, ન ચઢાય તો પણ વાંધો નહીં, પરંતુ ચડીશું તો આ જ સીડી પર ચડીશું એવી જીદ છે. આ એક પાગલપણું છે. આખી પૃથ્વી આવા પાગલ માણસોથી ભરેલી છે. ધર્મને નામે જે પાગલપણું ઉભુ થયું છે, તે એટલા માટે થયું છે કે આપણું ધ્યાન મંઝિલ પર છે જ નહીં. આપણું ધ્યાન સાધનોના આગ્રહ પર અટકી ગયું છે. સાધનો વિશે નિરાગ્રહી અને મુકત બનશો, તો સંયમની વિધાયક દૃષ્ટિ સમજવામાં જ નહીં, પરંતુ જીવવામાં પણ સમર્થ બની જશો. આવતી કાલે હવે તપ વિશે ચર્ચા કરીશું.
Page #159
--------------------------------------------------------------------------
________________
धम्म-सूत्र
धम्मो मंगलमुक्किठें, अहिंसा संजमो तवो। देवा वि तं नमंसन्ति, जस्स धम्मे सया मणो॥
ધર્મ સર્વશ્રેષ્ઠ મંગળ છે. (ક્યો ધર્મઅહિંસા, સંયમ, અને તપ રૂપી ધર્મ મંગળ છે. જે મનુષ્યનું મન આવા ધર્મમાં સદા સલંગ્ન રહે છે, તેને દેવતા પણ નમસ્કાર કરે છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
૮. તપ એટલે આપણી ઊર્જા(શકિત) ની દિશાનું પરિવર્તન
અહિંસા આત્મા છે, સંયમ પ્રાણ છે અને તપ શરીર છે. સ્વાભાવિક રીતે જ અહિંસા વિશે ઘણી ગેરસમજે થયેલી છે અને ખોટી વ્યાખ્યાઓ પણ થઈ છે. પરંતુ એ ગેરસમજ અને ભૂલો આપણા અપરિચયને કારણે છે. જે ચીજથી આપણે અપરિચિત હોઈએ તેની સાચી કે ખોટી વ્યાખ્યા કેવી રીતે કરી શકીએ ? પરંતુ થોડો ઘણો પરિચય હોય તો ખોટી વ્યાખ્યા થઈ જવાની શક્યતા છે. આપણો વધારેમાં વધારે પરિચય તપ સાથે છે કારણકે તપ બહારથી દેખાય છે. જેમ શરીર બહારથી દેખાય છે તેમ તપ પણ દેખાય છે. તપ શરીર છે, આત્માનું. વધારેમાં વધારે ગેરસમજો તપ વિશે થઈ છે. વધારેમાં વધારે ખોટી વ્યાખ્યાઓ પણ તપની થયેલી છે. એ ખોટી વ્યાખ્યાઓએ આપણું ઘણું અહિત કર્યું છે. પરંતુ તપ વિશે થયેલી ખોટી વ્યાખ્યાઓ, પરિચયની ભૂલને કારણે થઈ છે. તપ વિશે આપણે પરિચિત છીએ અને સહેલાઈથી એનો પરિચય થઈ શકે છે. આપણે તપ કરવા માટે, આપણી જાતને બદલવાની કાંઈ જરૂર નથી. આપણે જેવા છીએ, તેવા જ તપ કરવા બેસી શકીએ છીએ. તપ એક પ્રકારનું દ્વાર છે. આપણે કોઈ દ્વારમાં પ્રવેશ કરીએ છીએ તો જેમ દ્વારા આપણને બદલી શકતું નથી, તેમ આપણે તપમાં પ્રવેશ કરીએ તો તપ પણ આપણને બદલી શકતું નથી. એટલે સર્વપ્રથમ તપની જે નિરંતર ખોટી વ્યાખ્યા થતી રહી છે તે આપણે સમજી લેવી જોઈએ, તો જ સાચી વ્યાખ્યા શું છે તે તરફ આપણે પગલાં માંડી શકીશું. આપણે બધા ભોગથી પરિચિત છીએ. સુખ મળવાની આકાંક્ષામાંથી આપણે ભોગમાં ઊતરીએ છીએ. પરંતુ બધી સુખની આકાંક્ષાઓ છેવટે દુ:ખમાં લઈ જાય છે. આપણને ઉદાસ, ખિન્ન અને ઉખડી ગયા હોઈએ એવું આકાંક્ષાની પૂર્તિ પછી લાગ્યા કરે છે. એટલે સ્વાભાવિક રીતે એક
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૬
તપ એટલે આપણી ઊર્જા......
ભૂલ કે ગેરમસજ પેદા થાય છે. આપણને એમ લાગે છે કે જો સુખની માગણી કરીને દુઃખમાં પહોંચાતું હોય તો દુ:ખની માગણી કરીને સુખમાં કેમ ન પહોંચાય ? જો સુખની આકાંક્ષા કરવાથી અંતે દુ: ખ મળતું હોય તો શા માટે આપણે દુ:ખની આકાંક્ષા કરીને સુખ ન મેળવી લેઇએ ? એટલે તપની જે પહેલી ભૂલ છે તે આપણું ભોગી ચિત્ત કરે છે. ભોગી ચિત્તનો એ અનુભવ છે કે સુખ દુઃખમાં લઇ જાય છે. એટલે સીધો તર્ક છે કે એનાથી વિપરીત દુ:ખ ભોગવીએ છીએ તો સુખ મળવું જોઇએ. બધા લોકો પોતાને સુખ આપવાની જ કોશિશ કરે છે, તો આપણે પોતાની જાતને દુ:ખ આપવાની કોશિશ કરીએ. જો સુખની કોશિશ દુ:ખ લાવી શકે છે તો દુ: ખની કોશિશ સુખ લાવી શકશે, એવું સીધું ગણિત આપણને દેખાય છે. પરંતુ જિંદગી એટલી સીધી નથી. જિંદગીનું ગણિત એવું સીધુંસાદું નથી. જિંદગી એક સમસ્યા છે, કોયડો છે, એનો રસ્તો આટલો સીધો હોય તો આપણે ઘણું બધું કરી શકીએ. મેં સાંભળ્યું છે કે રશિયામાં એક માટે મનોવૈજ્ઞાનિક પાવલોવ થઇ ગયો. એણે `Conditioned Reflex' · અભિસંધિત પ્રક્ષેપણ કે પ્રતિક્રિયા' નો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો. એણે કહ્યું કે અનુભવો એક બીજા સાથે જોડાઇ જાય છે. એટલે એક અનુભવ થાય, તેની સાથેસાથે બીજો કોઇ અસંગત અનુભવ પણ થાય. એક વૃદ્ધ માણસને શરાબ પીવાની વર્ષોજૂની એવી આદત હતી કે એના ડોક્ટરે કહ્યું કે એના લોહીમાં શરાબ ફેલાઇ ગયો છે. એ હવે બચે એવી આશા નથી, સિવાય કે એને શરાબ પીવાનું સદંતર બંધ કરાવી શકાય. એટલી વર્ષોજૂની આદત છે, તેને તોડવાથી પણ મૃત્યુ થવાનો સંભવ હતો.એ માણસને પાવલોવ પાસે લાવવામાં આવ્યો. પાવલોવને પોતાના નવા સિદ્ધાંતને પુરવાર કરવાનો મોકો હતો. એના એક પટ્ટશિષ્યને એણે કહ્યું કે આ વૃદ્ધ માણસને શરાબનો પ્યાલો હાથમાં આપો અને એ જેવો પીવા જાય, કે એના શરીરને એક વીજળીનો શૉક આપો. વારંવાર એ રીતે કરતાં એ વીજળીના શૉકથી એને જે પીડા થશે તેનો અને શરાબના ઘૂંટનો બન્નેનો અનુભવ સાથે થશે. શરાબની સાથે શૉકની પીડા પણ જોડાઇ જશે, ‘કેન્ડિશનિંગ’ થઇ જશે. કોઇને પણ પીડા ભોગવવી ગમતી નથી. એટલે પીડા ન ભોગવવી હોય તો શરાબ પીવાનું એણે છોડી દેવું પડશે. એના મનમાં આ ભાવ એક વખત ઊંડે ઊંડે બેસી જાય કે શરાબ પીડા આપે છે. દુઃખ આપે છે તો એ માણસ શરાબ પીવાનું છોડી દેશે.
એક મહિના સુધી આ પ્રયોગ ચાલ્યો. પાવલોવની પ્રયોગશાળામાં જ એ વૃદ્ધને રાખવામાં આવ્યો હતો. એને આખોદિવસ શરાબ પીવડાવાતો જેવો શરાબનો પ્યાલો હાથમાં લે કે એની ખુરશીમાંથી વીજળીનો શૉક લાગે. સામે બેઠેલો વૈજ્ઞાનિક શિષ્ય બટન દબાવ્યા કરે. પરિણામે કેટલીય વાર એનો પ્યાલો છલકાઇ જાય, ક્યારેક પ્યાલો હાથમાંથી નીચે પડી પણ જાય. મહિના પછી પાવલોવે શિષ્યને પૂછ્યું કે ‘પ્રયોગનું શું પરિણામ આવ્યું ?’ એના શિષ્યે કહ્યું
Page #162
--------------------------------------------------------------------------
________________
નમો અતિાિયુમંડ-h
E
15
કે પરિણામ તો કાંઇ ઊલનું જ આવ્યું. માલોને પૂછ્યું, ઊલ, પરિયમ શિસેકસ ‘હા, હવે એ જયારે શરાબ પીવા જાય છે ત્યારે પીતા પહેલાં પોતાની આંગળી વીજળીના ડ સોકેટમાં નાખી,સાક લઇ લે છે અને પછી ચાલો જો ભરે છે હવે એ કવિના થઇ + પી શકતો નથી. હવે એની શરાબ છૂટે કે ન છૂટે, એને શૉક લેવાની આદતમાંથી છોડાવો. હવે શરાબ તી અને મારી પરંતુ તે પહેલા વીજળીના શાકથી મા જાય એવી શક્યતા વધારે છે JFJZKEGJ4jjjcp¢ ! G JE FJF jp&G G? GJZ4 F G !cj5 માણસની જિંદગી મોટી સમસ્યા છે. એનું ગણિત સાદું નથી, એ તર્ક પ્રમાણે ચાલતી નથી> આપણે જેવું વિચારીએ છીએ તેવું બનતું નથી એટલે દુઃખની આકાંક્ષા ખનહીં આપે,5 કેમ આવું બને છે ? ઊંડો વિચાર કરીએ તો મહેલીવાત એ છે કે તમે નાની કાંકરી છતાંસ મળ્યું. હવે તમે વિચારો છાની સાકાંક્ષા કરીશું તો સુ મુળો- પરંતુ એ બન્ને સ્થિતિમાં તમારી સાક્ષાતો સુખનીજ છે મરંતુ કોઇને એવતું નથી, અાંક્ષા હંમેશા સાની છે.સુખની કોઇ સાકાંક્ષા સુખ લાવતી નથી એ કહીકત છે માણસો પોતાની જાતને, શરીરને દુઃખ એટલા માટે આપી રહ્યો છે કે છેવટે એને મળે. આકા કોઇ પણ પ્રકારની હોય, છેવટે તે દુ ખમાં પરિણમે છે. કારણકે ભીતરમાં જે માણસ છે તે એનો એ જ રહે છે, બંધી તરકીબો અને ક્રિયાઓ ઉપર ઉપરથી થાય છે ==>> =JP^hpy & Use pay :The સાચી વાત એ છે કે દુઃખ ચાહી શકાતું નથી. એ સસંભવછે ચાહતો સુખનીજ હોય છે, ' કદાચ કોઇ ન ચાહતું હોય તો તે પણ સુખ સામે ચાહે છે. અંતે ચલમની જ છો તો એમ કહી કાય કે જે કાંઇ અડી શકાય છે તે સુખ છે અને જે અહતુંનથી તે છે માણસ દુખની સાથે સહ એડીટ એને તપ’તું સુંદર નામ આપે છે, તે ‘તપુ’ની ખોટી વ્યાખ્યા કરે છે. દુ:ખ+ચાહ-તપ એવું
p
shish
*
E
EK
એટલે દુઃખની સાથે ગ્રાહ સ્ટેડી શકાતી નથી છતાં
સમીકરણ ખોટું છે.
સા
એવી વ્યાખ્યા કરનાર તપ ને સમજી શક્યા જ નથી. Ujjjjjjjjc]jpg Jo]©jjb આકાંમા માત્ર સ્ક્રબની છેક ઉપાંગ ખનીજ છે. પરંતુ ધણી એવું બને કે દુખijy પણ લાવવો ભાર ખમણ માહીકેછે. ખમાં પણ સુખ ગામ છે કંડ્રિનિંગથી
નાકન પીડા
+]
નિંગથી એસોસીએશનથી જેશાબમાંથીમાને સાલતી નથી તેમ કાખમાં ભ્રમ થઇ શકે છે. jsoaJJF Js neF s;JJUS HE JEJ9 યુરોપમાં ઇા) ફકીરો એક સંત છે ફેલેન્સીસ્ટ Sanositis એ સંપ્રદાયમાં માનનારા પોતાની પીટ પહેરમાં ગાઉCGએની સભ્યસંહની કો યારે ગમ કામવાસના ઉઠે ત્યારે પોતાના શરીર પકો સામે સરંતુ જે જોોકરામારતા હતા) તેમને એક વિચિત્ર અનુભવ થયો આશા એવી હતી કે કોડ મારવાથી કામવાસનથી મુક્ત થવાશે પરંતુ એ લોકોને એવો અનભવ થયો કોઇ ખાવામાં જવાની મજા
JAG
TE
Fb
૧૫
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૮.
તપ એટલે આપણી ઊર્જ......
આવવા લાગી. છેવટે એમની હાલત એવી થઈ ગઈકે પોતાની જાતને કોરડા માર્યા વિના એ લોકો સંભોગ કરી શકતા નહોતા. પહેલાં પોતાની જાતને કોરડા મારે પછી સંભોગ કરે. જ્યાં સુધી કોરડા નવાગે ત્યાં સુધી કામવાસના પૂરી તીવ્રતાથી જાગતી નહોતી, માણસના મનની આવી જાળ છે. તો હવે જે માણસ રોજ સવારે પોતાની જાતને કોરડા મારે છે તેની પડોશમાં રહેતા લોકો એનો ત્યાગ જોઈ એને નમસ્કાર કરે છે, કેવો મહાનત્યાગી છે. મધ્યયુગમાં યુરોપમાં આ સંપ્રદાયમાં લાખો માણસો હતા. એ સંપ્રદાયના સાધુની મહાનતા તો કેટલા વધુ કોરડા પોતાને મારી શકે છે તેના પરથી અંકાતી. લોહીલુહાણ થઈ જતા એ સાધુ. શરીરથી લોહી વહેતુ હોય અને લોકો આશ્ચર્યચકિત અહોભાવમાં એમની મહાનતપશ્ચર્યાનાં ગુણગાન કરતા. પરંતુ નવાઈની વાત એ છે કે એમની એ મહાનતા એમના ચહેરા પર એવો મગ્નભાવ દેખાડતી જેવો સંભોગરતયુગલોના ચહેરા પર દેખાતો હોય લોકો એમનોચરણસ્પર્શ કરતા હતા. પરંતુ એ સાધુપૂરીકામવાસનામાં ઊતરી, પોતાના શરીર પર કોરડા મારવામાં રત હતો, કોરડા મારવાની ક્રિયા અને કામવાસના જોડાઈ ગયાં. કંડિશનિંગ થઈ ગયું. આમ આપણે દુઃખમાં સુખની કોઈ આભા જોડી શકીએ છીએ. દુઃખમાં સુખની આભા જોડાઈ જાય, તો દુઃખને પોતાની આસપાસ ઘણા લોકો એકઠું કરી શકે છે. પરંતુ તપ'નો અર્થનથી. “તપ” એ દુઃખવાદીની દષ્ટિથી દૂર છે. દુઃખવાદ ગહેરાઈથી જોતાં સુખની ચાહ જ છે. “તપ”ની આસપાસ જે જાળ ઊભી કરાઈ છે તે જાળ સમજાઈ જાય તો કહેવાતા તપસ્વીઓની ભીતરમાં કેવો અને કયો રસ વહી રહ્યો છે તે સમજાઈ જશે. જો કોઈ દુઃખચાહી રહ્યું હોય તો એના મનના કોઈને કોઈ ખૂણામાં સુખ અને દુઃખ જોડાઈ ગયેલાં દેખાયાં વિના રહેશે નહીં. ભૂખે મરવામાં પણ મજા આવી શકે. કાંટાની શય્યા પર સૂવાની પણ મજા આવે છે. ઉનાળાના તાપમાં ઊભા રહેવાની પણ મજા આવે. એક વાર તમારી ભીતરમાં વાસના સાથે દુઃખ જોડાઈ જાય તો જે વાસનાથી તમે મુક્ત થવા માગો છો તેની સાથે જ સુખ જોડાઈ જશે. આપણે પોતાનેદુઃખ એટલા માટે આપવા માગીએ છીએ કે એવાસનાથી મુક્ત થવાય પરંતુ પરિણામ ઊલટું આવે છે. એક માણસને પોતાનું શરીર શણગારવામાં સુખ મળે છે એને થાય છે કે શણગાર પણ એક વાસના છે. એટલે શણગારથી મુક્ત થવા માગે છે. એટલે બધાંવત્ર છોડીએનગ્ન થઈ જાય છે, પોતાના શરીર પર રાખચોળે છે અને પોતાના શરીરને બને તેટલુંકુરૂપ કરવા પ્રયત્ન કરે છે. પરંતુ એને એ સમજાતું નથી કે નગ્ન થવાનું, રાખ ચોળવાનું અને શરીરને કુરૂપ કરવાનું, એ બધું શરીર સાથે જ સંબંધિત છે. એ પણ એક પ્રકારનો શણગાર છે. તમે કદાચ કુંભમેળામાં ગયા હશો તો તમને ત્યાં કેટલાય સાધુરાખચોળી બેઠેલા દેખાશે. એ લોકો પણ એક નાનો અરીસો પોતાની ઝોળીમાં છુપાવી રાખે છે. સવારે સ્નાન કરીને જ્યારે રાખલગાડે
Page #164
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્રા
૧૫૯
છે ત્યારે એ અરીસામાં જોઈને લગાડે છે. માણસ જાત અદ્ભુત છે. રાખલગાડવા માટે અરીસાની શું જરૂર હોઈ શકે? અરીસાની જરૂર છે, કારણકે રાખ સજાવટ છે, શૃંગાર છે. શરીરને કુરૂપકરનાર પણ અરીસામાં જોઈને શરીર બરાબર કુરૂપ થઈ ગયું કે નહીં તેની ખાતરી કરી લે છે. આમ આ બધું ઊલટું દેખાય છે પણ ઊલટું છે નહીં. ભોગ શરીરનો લોલુપ મિત્ર છે, તો તપ પણ શરીરનું દુશ્મન નથી. પરંતુ તપસ્વી ભોગથી વિપરીત થઈ જાય છે, કારણકે એની વિપરીતતામાં ભોગ જોડાઈ જાય છે. શરીરને સુંદર બનાવવા માટે પણ અરીસાની જરૂર પડે છે. શરીરને સુંદર બનાવનાર બીજાની દષ્ટિ એના પર પડે તે માટે જેટલો ઉત્સુક હોય છે તેટલો જ શરીરને કરૂપ બનાવનાર પણ બીજાની દષ્ટિ માટે ઉત્સુક હોય છે. કોઈ મને જુએ એ પણ એક વાસના છે. સુંદર વસ્ત્ર પહેરીને રસ્તા પર નીકળનાર, એને કોણ જોઈ રહ્યું છે તેની પ્રતીક્ષા તો કરે છે. પરંતુ નગ્ન થઈને નીકળનાર પણ કોઈ જોઈ રહ્યું છે તેની પ્રતીક્ષા કરે છે. એક જ રોગની બે વિપરીત શાખાઓ જેવું હોય છે, એ સમજવાની જરૂર છે. શરીરના કોઈ અંગ દ્વારા, શરીરના તાપ પર જવાનું સહેલું છે. શરીરને સુખ આપવાની આકાંક્ષાનું, શરીરને દુઃખ આપવાની આકાંક્ષામાં બદલાઈ જવાનું પણ, એકદમ સુગમ અને સરળ છે. એક બીજી વાત ધ્યાનમાં રાખવા જેવી છે. જે માધ્યમથી સુખ મળશે એમ આપણે માનતા હોઈએ તે માધ્યમથી જો સુખન મળે તો આપણે તેના દુશ્મન થઈ જઈએ છીએ. તમે જે પેનકે કલમથી લખતા હો તે બરાબર ન ચાલે તો તે પેન પર ગુસ્સો કરી એને જમીન પર પછાડી તોડી નાખો છો. કલમ પર ગુસ્સો કરવો એ નરી મૂર્ખતા છે. પરંતુ કલમ તોડવાથી કલમનું કાંઈ તૂટવાનું નથી, આપણું જ કાંઈ તૂટે છે. નુકસાન આપણું જ થાય છે. એ જ રીતે પોતાના જોડાને ગાળ આમનાર, દરવાજાને જોરથી પછાડનાર, લોકો પણ હોય છે. આવા લોકો તપસ્વી બની જાય છે. શરીર સુખ નથી આપતું? તો શરીરને શિક્ષા કરો, શરીરને પીડા આપો, પરંતુ શરીરને પીડવા પાછળ એક નિરાશા અને વિષાદકામ કરે છે કે શરીરથી સુખ મળશે એમ માન્યું હતું, મળ્યું નહીં. જે માધ્યમ દ્વારા સુખ ચાહ્યું હતું અને ન મળ્યું તો એ માધ્યમને દુઃખ આપીને પાઠ ભણાવવો જોઈએ એવો આપણે તર્ક કરીએ છીએ. આવા અનુભવો થવા છતાં આપણે બદલાતા નથી. હજીય આપણી દષ્ટિ શરીર પર જ રોકાઈ છે. એના દ્વારા સુખ ચાહ્યું હોય કે હવે એને દુઃખ આપવા માગતા હોઈએ તોપણ આપણા ચિત્તની જે દશાછે તે શરીરની આસપાસ જ વર્તુળાકારે ઘુમ્યા કરે છે. આપણી ચેતના શરીર કેન્દ્રીત છે. શરીર પોતાની જગા પર ઊભું છે અને તમે પણ તેનાતે જ છો. જ્યાં સુધી શરીર સાથેના સંબંધને લાગેવળગે છે, ત્યાં સુધી ભોગી અને કહેવાતા તપસ્વી વચ્ચે કાંઈ ફરક નથી. બન્નેનો સંબંધ શરીર સાથે સરખો જ છે. તમે જો કોઈ ભોગીને કહો કે તારું શરીર છીનવી લઈએ તો તને શું થાય? ભોગી કહેશે કે હું બરબાદ થઈ જઈશ. કારણકે શરીર જ મારા ભોગનું એક માધ્યમ છે. એ જ પ્રમાણે કોઈ તપસ્વીને એ જ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૬૦:
તપ એટલે આપણી ઊર્જા]Rsjo
પ્રશ્ન પૂછીએ તો એ કહેશે કે મારું શરીર છીનવાઇ ધનાભાવી રીતે કરીશ ? ચર્ચાનું માધ્યમ પણ રીછે જે શીશમેં હેતકવાદીને થાબંદરો નિહોયનો ભોગવી રીતે ભોગવાય ? એટલે જ કહું છું કે ભોગ બને તપસ્વી બન્નેની ઈષ્ટ ખરા પર છે. બંને શરીરના માધ્યમથી છવીરહ્યા છે, જે તમારીરના માધ્યમથી જીવતુંહોયતે ભોગનું વિકૃપ છે જે તપ શરીરકેન્દ્રીત હોય તે ભોગનું જ બીજું નામ છે. ભોગમાં મેલ વિષાદની પ્રતિક્રિયા ખેત છે. એ તપ શરીર સાથે બદલો લેવાની આકાંક્ષા છે. JPPU $35 ;}}} 3 h She co આ વાત બરાબર સમજાઇ જાય તો પેની સાથી દિશા તરફ આપી કે બેશે! આજે આમપીડેન બની ગયું છે! જે પોતાની જાતને વધારે ધારેપીડ આપી રીકે સંધુએટર તપસ્યા બની ય છે. પરંતુ પાસ સાથે તપનો કો સબંધ નથી પોતાના શરીરને રિઝવકુંડ પીડા આપવી, શારીરકસે બે મોગવવું વગેરે સાથેતપર કોઈ સંબંધ નથી એકબી સમજો જેવું સત્ય એ છે કે જે માણસ પતિની જાતને પીંડા શંકે છે તે બીજોને પીડવામાંથી બચી તો નથી જ સામતેમ ભાષીશ છે કોઇને પણ સતાવી શકે છે એની અનાવવાની રીત અને ઢંગ જુદાં હોઇ શકે છે. ભોગીની-સતાવવાની રીત સીધી સાદી હોય છે પરંતુ ત્યાગી સત્તાવવાનો ઢંગ પોક્ષ હોય છે. indirect+ાયરે હોય છે. ભોગી તમને સતાવવા માગે છે. તો તે તમાર પર સીધો હુમલો છે. ત્યા સતાવવા સાથે તોતે એવો હુમલો કરે કે તમારા ખ્યાલમાં પણ ન આવે કહેવાતા ત્યાગી, તપસ્વી પાસે તમે બવ અને તમે જો સારાં કપડાં પહેર્યા હોય અને તે તપસ્વી રાખ ચોળી બેઠેલો હોય તો એ તમારાં કપડાંને એવી રીતે જોયે કે જાણે કોઇ દુશ્મન જોતો હોય એની આંખમાં નિન્દા હો, તમને એકીડી મકોડા જેલા સામે છાવમાં કપડાંમાં અટવાયા છો 30 તમને અક્કલ આવતી નથી! એમનો ઇશારો હશે કે તમે તો વર્કમાં ૪-૩ પવાના છો !);}} pos} ;}}}}, Ush} }}} »[y}}}SF મેં સાભળ્યું છે કે ચર્ચમાં એક પાદરી માનું પણની, ઓકની મુસીબતો અને દુઃખનકમાં ભોગવવા પડશે તે સમજવા, બધામારાવી રહ્યા હતા. પાદરીએ કહ્યું કે જ્યારે કયામતના દિવસ આધશ ત્યારે પાપી લોકોને એવા બંધકર ડીમારખારી- અમન દાસ કારથી ચકચાવવા પરી લ્લા નસરૂદીન એ સભામાં હોજર હતા. આ બીલી ઊઠયો કે મારી બંધો જાત તૂટીંગ્યો છે JTE BEICT Jb yJJJJB J Y !FE IT JUTH પાદરીએ કહ્યું કે તમે ગભરાતા નહીં, તમને ખોટા દાંતના ચોકઠાં આપવામાં આવશે, પરંતુ તમારે
૫*
G
237233phhpo BE jy & CP]]> sdE !P&jF ;}}}} સાધુઓ અને કહેવાતા તપસ્વીઓ તમને નર્કમાં મોલસાની યોજનાઓ ઘડે છે અને કેવા કેવાં કછુ ભોગવવાં ગવવાં પડશે એની કાલ્પનિક કથાઓને માટે એની કાલ્પનિક કથાઓ તમને સંભળાવે છે. કલાત તપસ્વીઓ જાણે છે કે તમે સંસારનાં સુખ ભોગવી રહ્યા છો. એ જાણે છે કે તમે સુખી છો અને પોતે આ જીવનમાં ખ
ST
Page #166
--------------------------------------------------------------------------
________________
નમો અજિતાણ{ Up
ભોગવી રહ્યા છે. આ વિષયમાં ક્યાંક તો સંતુલન કરવું પડે ને અહીં ઘણુંખંભોગવી લીધુંહોય તેને સ્વર્ગમાં સુખ મળવું જોઇએ. તમે અહીં સુખ ભોગવી રહ્યા છો તો તમારે નર્કમાં ખ ભોગવવાં - પડશે એવી દલીલ થાય છે. > > s JFJPUT 5 GIS IS jK7!$ વળી બીજીમાની વાત એ છે કે મિમણે પ્રેસ્વર્ગનાં મુખતા પૃથ્વી પરનાંસુખનાં જ }} વિસ્તૃત હોયછે. વધારે ગીન અને મોટી તપશ્રી પોતાની સ્થાપોસ આગ લગાવી પૃથ્વી પર બેઠો હોય છે; એ તમને નમાં આગમાં ધકેલો ભયં આગ્રહ, તેલની શેરમ પુર કડાઇ માં ફેંકવામાં આવશે, પરંતુ તમે બી નહીંકરે.કારણકે જો કરી તોત એમનીમજા સાક્ષી જ્યાં તમો નોર્કમાં (ભોગવવાના છે.ભરી વાતો ફોઇ રસ્તો નથી. તેમાં તમે 13 આત્મહમારી શક્તા નથી. કારણકે જો તમે ભરવી તમે દુઃખની બારડનીકળીગમા ! એટલે નર્કમાં મરવાની સુવિધા રાખવામાં આવી નથી.
૧૪૧
عررر .
:ઘતા દુકખી
શકે.
વર્ણન કર્યા છે.
આાબા ખ્યાલ મને આવી ગાતો કેલીકાનોમાંથીવાં વિશે તપસ્વીઓની હતાશા,નિરાશ અને દુ:ખી ચિામાંથી સમાતી કલ્પનાઓની $ સાથો વચ્ચે હોય તે બીમને મળે એવું છે કે પીન સકે કોઇનેયાષણ ઈર દુ: ખ મળે એવું અવિચારી ન શકે? 3s nius by se j ka' S >> S>30 lly by 23 ke bien be ss p]]} by ]s F*ZbFE JHEM તમે આખી દુનિયાના ધર્મોનાં શાસ્ત્રોનો અભ્યાસ કરો તો તમને સમજાશે કે કહેવાતા તપસ્વીઓએ - ભા લોકોને સજા આપવાની કેવી કેવી રીતો હોઈ શકે, તેનાં દિલ JPES એમની કલ્પનાઓ વિકૃત માનસને તું કરે છે. એ માનસ એમની માનસિક પરિસ્થિતિ વિશે ઘણું બધીન છે $ 137fpys ]s]]> % 8 13 j>j&k p 3s yJg 13 એક બીમાર પણ તથી ચાલમાં ભાવી કેસને ∞ સુમરેંગ B દેખી એ કહેવાતા તપસ્વી અત્યંત નિન્દા કરે છે. એટલું નહીં, મેદામાં ઊંડો આયે છે. ાત્સ્યાયને - પોતાનાકામસૂત્રમાં સ્ત્રીઓનાં અંગોનું એટલું સુંદર વર્ણન કર્યું નથી જેટલું આ સંઘ કહેવાતા : તપસ્વીઓએ, સ્ત્રીઓનાં અંગોની નિન્દા કરતી વાતે વર્ણનકર્યું છે.વાઢ્યાયનમાસે આટલો હું બધો નિર્ધારસ તો ન જ હોઇ શકે! કારણ કે નિન્દારસભેદા કરવા માટે વિપરીત ઉડાન કરવી પડે છે. ભૉગહિલોકો પાસે નમાં અપ્સરાઓ સચવાત્માવતીનથી,મસ્તુનયામાસોતપ્રીમોની ખસમાસ આવીને નાચે છે, તપસ્વીઓ વિચારે છે કે એમના તપનો ભંચકરવા માટે એ બનાઓ આવે છે. જેઓને મનોવિજ્ઞાનનો થોડો પણ અભ્યાસ હોય તેમણે છે કે એક જરાતમાં તપસ્વીઓને ભ્રષ્ટ કરવા માટે નગ્ન અપ્સરાઓનું આયોજન કરવામાં આવ્યું નથી. અસ્તિત્વ bets se je py Sub] 14 bby J7FK] તપસ્વીઓને ભ્રષ્ટ કરવાનું શા માટે ઇચ્છે? કોઇ કારણ નથી. ખરેખર જો પરમાત્મા હોય તો SUKHE CHEF OFFEE 53 GADI EITHE - એ પણ તપસ્વીઓને ભ્રષ્ટ કરવામાં શું કામ રસ લે? શું અપ્સરાઓનું શા ધૃત રૂપ તપસ્વીઓને Apple who desp by u s&d Phy
1
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૬૨
તપ એટલે આપણી ઊર્જા......
ભ્રષ્ટ કરવાના ધંધા માટે જ સર્જન કરાયું છે?
માનસશાસ્ત્રીઓ કહે છે કે તપસ્વી કામવાસના સાથે લડે છે, તે જ રસ પ્રગાઢ બનીને એના માનસમાં પ્રગટ થાય છે. તપસ્વી કામવાસના સાથે લડે તો એની આસપાસ કામવાસના એક રૂપ ધારણ કરી એને ઘેરી લે છે. જેની સાથે તપસ્વી લડે છે તેનું જ પ્રયોજન-પ્રક્ષેપણ એ કરી લે છે. અપ્સરાઓ સ્વર્ગમાંથી નથી ઊતરતી પરંતુ એના સંઘર્ષ કરી રહેલા મનમાંથી ઊતરે છે. જે એના મનમાં છુપાયું છે તે જ અપ્સરાઓ પ્રગટ કરે છે. જેનાથી એ બચવા માગે છે, તેનું જ સાકાર સ્વરૂપ અપ્સરા રૂપે પ્રગટ થાય છે. અપ્સરા એને ગમે પણ છે. તેમ જ એની સાથે એ લડે પણ છે અપ્સરાઓ એ તપસ્વીના વિકૃત ચિત્તની તૃપ્તિ બને છે. અપ્સરાઓ એમને ભ્રષ્ટ કરવા ક્યાંય બહારથી નથી આવતી, પરંતુ એમના દમિત ચિત્તમાંથી એ પેદા થાય છે.
દમન માણસને રોગી બનાવે છે, સ્વસ્થ નહીં, એટલે જ હું કહું છું કે મહાવીરના તપમાં દમન હોવાનું કોઇ કારણ નથી. મહાવીરે ક્યાંક ‘દમન’ શબ્દનો પ્રયોગ કર્યો છે, તો હું એ વિશે ચોખવટ કરી લઉ કે પચીસસો વર્ષ પહેલાં ‘દમન’ શબ્દનો અર્થ બહુ જુદો હતો. આજે અર્થ બદલાઇ ગયો છે. ‘દમ’ નો અર્થ હતો શાંત થઇ જવું તે. દમનનો અર્થ દબાવી દેવું એવો મહાવીરના સમયમાં ન હતો. દમનનો અર્થ હતો શાંત થઇ જવું તે. શાંત કરી દેવું એવો પણ નહીં, શાંત થઇ જવું તે. ભાષા હંમેશા બદલાયા કરે છે. શબ્દોના અર્થ રોજ બદલાતા રહે છે. એટલે મહાવીરની વાણીમાં દમન શબ્દ ક્યાંક આવી પણ જાય, તો ધ્યાન રાખજો કે એનો અર્થ ‘સપ્રેશન-suppression' નથી, એનો અર્થ દબાવવું એવો થતો નથી. એનો અર્થ શાંત થઇ જવું એવો થાય છે. જે ચીજથી આપણને દુઃખ પેદા થાય છે, તેનાથી વિપરીત જવાથી દમન પેદા થાય છે, જ્યારે એવી ચીજ સમજમાં પ્રતિષ્ઠિત થઇ જવાથી શાંતિ પેદા થાય છે. આ વાત બરાબર સમજવા જેવી છે.
કામવાસનાએ મને દુઃખ આપ્યું હોય તો એની સાથે લડવાનું અને એનાથી વિપરીત દિશામાં જાઉં તો દમન થશે. પરંતુ કામવાસનાએ મને દુ:ખ આપ્યું, એ વાત મારી સમજમાં, મારી પ્રજ્ઞામાં એવી રીતે ઊતરી જાય કે જેથી કામવાસના તો શાંત થઇ જ જાય, છતાં સાથે સાથે કામવાસનાથી વિપરીત કોઇ ભાવ પણ મનમાં પેદા ન થાય. કામવાસના સાથે વેર ન થવું જોઇએ. કામવાસનાની નૈસર્ગિકતા સમજાય એ જરૂરી છે. જ્યાં સુધી વિપરીત ભાવ ઊઠે ત્યાં સુધી શાંત નહીં થવાય.
એક મિત્રની પત્ની મને કહેતી હતી કે મારા પતિ પ્રત્યે મને હવે કોઇ પ્રેમ રહ્યો નથી, પરંતુ કલહ કંકાસ ચાલુ છે. મેં કહ્યું કે જો પ્રેમ સદંતર ન રહ્યો હોય તો કલહ પણ ન રહે. કલહ માટે પણ પ્રેમ જરૂરી છે. પ્રેમ વધારે ઓછો હોઇ શકે, પરંતુ વધારે કલહ હોય તો પ્રેમ પણ વધારે
Page #168
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્મંગ
૧૬૩
હોવો જોઈએ. એણે કહ્યું કે તમે કેવી ઊલટી વાતો કરો છો ? હું તો ડાઇવોર્સ-તલાકનો વિચાર કરી રહી છું. મેં કહ્યું, આપણે તલાક એને આપવો પડે જેની સાથે આપણું કોઈ બંધન હોય. જેની સાથે બંધન ન હોય એને તલાક આપવાનો પ્રશ્ન ઉભો થતો નથી. બંધન ન હોય તો વાત ત્યાં જ પૂરી થઈ જાય છે, તલાકનો સવાલ જ ઊઠતો નથી. બે વર્ષ પહેલાંની આ વાત છે. ફરીથી હમણાં એ મને મળી ત્યારે મેં પૂછ્યું, કેમ શું ખબર છે? એણે કહ્યું કે કદાચ તમે સાચું જ કહેતા હતા. હવે કોઈ કલહ નથી. અમારી વચ્ચે કોઈ સંબંધ જ નથી. મેં પૂછ્યું, તલાક વિશે શું વિચાર છે? એણે કહ્યું, સંબંધ જ નથી. શું લેવું ને શું દેવું? સંબંધ હોય તો તોડી શકાય. જો કોઈ વાસના સાથે લડી રહ્યા હોઈએ તો એ વાસનામાં આપણો રસ હજી કાયમ છે. જિંદગી એક સમસ્યા છે. ફ્રોઈડે પચાસ વર્ષના અનુભવ પછી કહ્યું કે જ્યાં સુધી પ્રેમ છે ત્યાં સુધી કલહ રહેશે. કદાચ આ વ્યક્તિ પૃથ્વી પર મનુષ્યના મન વિષે આટલા ઊંડા ઉતરવામાં, સર્વપ્રથમ હશે. એણે કહ્યું કે જે કલહમાંથી છૂટવું હોય તો પ્રેમમાંથી પણ છૂટવું પડશે. પતિ પત્ની વચ્ચે પ્રેમ હોય, તો તે એકાંતમાં પ્રગટ થતો હોય છે, એટલે એની તો આપણને ખબર પડતી નથી, પરંતુ બન્ને વચ્ચે ઝઘડો ચાલતો હોય તો તે ઘણી વાર જાહેરમાં પણ પ્રગટ થઈ જાય છે, એટલે એની ખબર પડી જવાની શક્યતા ખોટી છે. ઝઘડો કરવા માટે ખાસ કોઈ એકાંત શોધતું નથી; એને માટે કોઈ એકાંતની રાહ જોતું નથી. એટલે ફ્રોઇડકહે છે કે જે પતિ-પત્ની વચ્ચે ઝઘડો જાહેરમાં થતો હોય, તે ખાનગીમાં પ્રેમ જરૂર કરતાં હશે. દિવસે જે પતિ-પત્ની લડ્યાં હોય, તે રાત્રે જરૂર પ્રેમ કરશે. કારણકે જીવનમાં આ પ્રકારનું સંતુલન કરવું પડે છે, એવું સંતુલન થયા કરે છે. જે દિવસે ઝઘડો થયો હોય તો તે દિવસે સાંજે પતિ કોઈ ભેટ લઈને આવે છે. જે પતિ ફૂલનો ગજરો ઘેર લઈ જતો હોય તો એમ ન સમજતા કે આજે એની પત્નીનો જન્મદિવસ છે. કાંઈક એવું તે દિવસે સવારે બન્યું છે જેને સંતુલિત કરવાની જરૂર છે, પરંતુ ક્રોઇડતો એટલે સુધી આગળ વધીને કહે છે કે કામવાસના એક પ્રકારની લડાઇ છે. ફોઈડ કહે છે કે યુદ્ધ અને કામવાસના એક જ ચીજનાં બે રૂપ છે. જ્યાંસુધી મનમાં કામવાસના છે ત્યાં સુધી યુદ્ધ કરવાની વૃત્તિ મરતી નથી. આ બહુ ગહેરી અંતર્દષ્ટિ જો આપણે સમજી શકીએ તો મહાવીરને સમજવાનું સહેલું થઈ પડશે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૪
તપ એટલે શ્રઘણી ઊં6િ/o
.
jર
અહીથીë છે. જે કંઈ છે બુરે છે એવું પણ છે કરિહરકે બેતમમ્મલાઈ
પણ છે. જે બુરાઈથી મુક્ત થવું હોય તો ભલાઈથી પણ મુક્ત થવું પડે થી મુક્ત ijશ્વવું હોય તો પછી પાણી મુક્ત થવુંબિશી - ધૂચવ્હોરા સિબલું પઢશે. છે જેને અંબાસમઇ જાવાની છે નહીં હોવાઝો મMાને પ્રણા.અારીના કપુર ફરી લેવા પડશે, આ બધું મિઠું સ્કિમ છે પ્રરંતુઊલ છેઝીં. ઝારણકે જેના મનપ્રકામાં પ્રવેશ કરવાની આકાંક્ષા છે, તે વારંવાર અંધારામાં પ્રડતો રહેશે. જીવન એક તંદ્ર છે. અને જીવનનાં બધાં FJS 5 GJ388 8િ JUછે છે કે Éકે “ ધૃષ્ઠJv jJjJs):
રૂપ પોતાના વિપરીત સાથે બંધાયેલા હોયં છે. એર્નો અર્થ એ થયો કે માણસ જે ચીજ સાથે લડતો JE .SP !$# # GJ2s JJF; JS 525 ) J5:58 , A રહેશે એની સાથે એ બંધાયેલો રહેશે. એનાથી છુટકારો નહીં થાય. જો તમે ધન વિલડતા રહેશો JટÉ ]> S[P3 S SYS S SYS S SEB
તો તમારું ચિત્ત હંમેશાં ધનની વાતોથી ઘેરાયેલું રહેશે. જો તમે અહંકાર સાથે લડશે તેં અહંકાર
અત્યંત સૂક્ષ્મ સ્વરૂપે તમારામાં જીવતો રહેશે. માટે સમજવાનું એ છે કે કોઈ પણ ચીજ સાથે - Sણી મહાકરિણીંમાપણસાઈલોની બહોઇ શJE JEE RJટ ને
& Ess cate) તપસ્વી આવી ભૂલોમાં અટવાઈ જઈ રોગી બની ગયો છે. જેમને આપણે તપસ્વી માનીએ છીએ ઇક્વબંધાણુટેકકિતઓની માર્મિક ચિીિ અરૂરી શૈય છેએક આ વાતને ખમેજેની jઇબર્સફાધિસાચા સહિછ કરન્ક ધ સને પ્રાકૃષ્ટિ!jરંતુ અક્કરમધર્સનાછુિકાંકર્થિની સાથે બધા મિકસના સાથે માંઐસિક તરતિસાર!કારણકે કમ આપણે પ્રકૃતિ પંડઉં દૂર શિલી
છીએ અથવા એકલાગપુનયિઉસરીછીએ.15 5 ibpJs feek sp - hojjy nizjis GIZ HEJJU JF uose 12034 sve ihre Alpy Drugom stojis ; ત્રણ શબ્દો સમજી લગ્ન જેવા છે. એક છે પ્રતિ, જેને માટે આપણે કોઈ નથી એ આપણને ss -5]y
35 36 pe $]JFp3 Sj J EF . મળેલી છે. જે આપણે પ્રકૃતિ વિરુદ્ધ કાંઈ ખોટું કરીશું તો એનું નામ છે વિકૃતિ આપણે જે કાંઈ JS, IઝY -JU 533.Jધ5;દ K SUc5Jb 1558 ) 25% ટે . . કરીએ છીએ તે સમજપૂર્વક કરીએ. પ્રકૃતિ સાથે સાહજિક બની પ્રેમપૂર્વક વ્યવહાર કરીએ તો એનું 'છે. 2 pટFEE RJJ – 2ઇJ J
Ejy jy નામ છે સંસ્કૃતિ. પ્રકૃતિનીઉપર આપણે ઊભા છીએ એક નાનકડી ભૂલે થતા વિકૃતિમાં સરી પડાશે. સંસ્કૃતિમાં પ્રવેશ કરવાનું મુશ્કેલ છે. સંસ્કૃતિમાં પ્રવેશ માટે વિકૃતિ બચવું પડશે અને j-પ્રકૃતિની ઉપલ્લડો નક્કીdીસ લધાએ હાશ કી કૃિત્રિમ સરી .કૃમિધ્યમાછીમા કૉફયિકૃછિબા તરફ્યુતિઓ વિકૃત સંસ્કૃતિથી
કૃતિપદૂિર #સ્કૃસિથી પ્રસિધ્ધહીનથી સ્ટર્લીયતિપૂરે છે. પ્રકૃતિધ્યમાં છષિકૃતિપ્રકૃતિને મિચેતેશ્વેફિજીસ્કૃતિ પ્રકૃતિમપિ સરપ. પશુઓમાં એવી #gવીકૃતિદેધોમી ક્વોશમુશ્ચમ દિખાય છે કરિણકે પશુપ્રકૃતિ સાથેન્કંડોમથી એટલે ધીમાળાયિકૃતિઓથી વધીશુમારે ઘેસિંધીકિશ્મનોભાયણ કે શકીએws
Jટy Se Jews હમણાં થોડાં વર્ષ પહેલાં ન્યુયોર્ક અને વોશિંગ્ટનમાં, જાહેર ચાર રસ્તા પર હોમોસેકસુઅલસમલિંગી વ્યવહાર કરનાર માણસોએ સરઘસ કાઢયાં અને બૂમો પાડી માગણી કરી કે ‘સમલિંગી
Page #170
--------------------------------------------------------------------------
________________
નમો હિમાણ િU)
૧૫
.વહાર અમર જેસિઅધિકJછેjઆવી ગાવ ર્ષ કેવતસો બ્રધી સમલિંગી Jધ્યમિલિક્ઝાંઘી એકજુએબીપુલ્સાલઅકદને ધ્યેસ્ત્રીઠડિસ્કોથેeગ્ન કરે, એવી વાત આપણી કલ્પનામાં નથી આવતી. પરંતુ એમણે સોશtuોકanકરી આ અસાશે, અિધિકાર છે. અમે જેns, જીએમકરસાહીમે તેની સાથે કરીએ એમ ઇઝરકામા મારોફે?આવી યુક્તિઓન્ો દોહો કલબલા અમેરિકામાં
કે યુરોમાં રૂિ મલેિવી કુલ 9 જૂહી છે ઓછામાં ઓછાં હોદ્ધો સાસુકિ સમૃલિંક્તિો મજા છે, જે લોકો સ્રાએ
% સાયંત્ર છે અને પોતાની મઝાઝો વિઘ9,) 48 jમાએ જણને આશ્ચર્ય થશે કેલિફોર્નિયાબાબરભુકીએ પ્રાર્થ-જે અપણે સ્ત્રીઓની
સૌંદર્ય સ્પર્ધા “beauty contest ગોઠવીએ છીએ તેવું આયોજન થયું. એ પ્રદમિનાયાસ 1 9કોએ જાહેર કર્યું કે જેવું અને પુરુષોમાં દેક્ષા છેતેવું ઓj થી કોઈ Upો સમૃદ્ધિી વ્યવહારકુuહોય એવુંpોઝીટ્ટાકીએaહીં છું રેક્કુનાં ushbu jaustiz i eru Wedgehoge materih je sudbo našo Nossa Jઝમૅડમોરિએક પુસ્તક બ્રિાધાષ્ટieભાન જ્alfhHક્ષ આઈ.” કનુયશયભાઓમણેખ્યું છે ધ્રાણીસંગ્રહાલંધમાંગ્લોવહાર પશુઓચ્છાથથા છે, is તે વ્યવહાર સયં જ મનુષ્પો સાથે થાય છrfમી એક છે ખુષ્યોમાં T કોઈ પ્રાણીયોથેમ્બથી પરસુપ્રણિહિલવોમાસથી ર કોમ્પમલમાં ઉદાત્મયા ફરતું હજી આજસુધીષ્ઠાયું નથી. પરંતુ પ્રાણીસંગ્રહાલમાં ક્યારેક ાએઝમાન્યા અદાલા નોંધાયા છે. પ્રષિાતુંજથી, કારણકે એમતિમાં સ્થિર રહે છે,મઝા બે મિકાની કોશ્યિો કરે કાંતોએ પ્રકૃતિ સાથે લડવાણી દ્વોશિશ કરે છેમારા સહીતો wા એલિમિસરી અથવાı#સ્કૃતિનું રાશિફજ્ઞાની હોસિફ એ Uપરિણાકો સંસ્કૃતિમાં પ્રવેશ્ય ક્રર જJ -5 & a wwebsE) - fe,
અતિક્રમણનો શિરોધમમિધિ રહી રાંધર્ષમહેશ્વર અતિક્રમણtrasobhdece vબુ એક સુંઠ્ઠ કોચ છેડયુ છેઝરસિદ્ધકાણે કે કાપોgહીં આ ગ્રાહકની કિયા જાઇઝર ક્લોકિઝારે તમે તેની સાથે jaaષ્ઠ કારરૂાકે તો એકાિરyલું પનીyવું હોય જ Jા રહેવું જોની0%ડવંeોસેarશ્રી હૂભાઈ જqસાંસોટું જોમ જુનો સામે ઉંદૂક તાકીને ઊભેલા હોઠણે હિંnહસ્તાક ક્રિસ્તાની દર માસે સૈનિકાસુસજ શોકકરા છોકકુમનાથી દૂર જીવું નાક કુક્ષી સમેત બંદુકલાફતે જ ઊભા રહેવું પડે છે. એટલે બુદ્ધે કહ્યું, કે ભોગના કિનારા પર લડશો તો સામેના કિનારે કેવી રીતે
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૬
તપ એટલે આપણી ઊર્જા......
પહોંચશો? માટે લડો નહીં. સામેના કિનારે પહોંચવાનો પ્રયત્ન કરતાં, આ કિનારો છુટી જશે, ભુલાઇ જશે અને અદૃશ્ય પણ થઇ જશે, માટે તપશ્ચર્યા દ્વંદ્વ નથી, સંઘર્ષ નથી, પરંતુ અતિક્રમણ છે, transcendence છે.
હવે આ અતિક્રમણની વાતમાં થોડા ઊંડા ઊતરીએ. પહેલાં તો અતિક્રમણનો અર્થ બરાબર સમજવો જોઇએ. તમે એક ખીણમાં ઊભા છો, જ્યાં ઘણું અંધારું છે. એ અંધારા સાથે આપણે લડતા નથી, પરંતુ એ ખીણના શિખર તરફ ચઢવાનું શરૂ કરીએ છીએ. જેમજેમ આગળ વધીએ છીએ તેમતેમ સૂર્યના પ્રકાશમાં ઝગમગતાં શિખર નજીક જઇએ છીએ. હવે અંધારું ઘટી ગયું છે. કારણકે તમે ખીણમાં જ ઊભા નથી રહ્યા, તમે શિખર તરફ પ્રયાણ શરૂ કરી દીધું છે. જેવા શિખર પર પહોંચ્યા કે પૂર્ણ પ્રકાશમાં પહોંચી ગયા, અંધારાનું અતિક્રમણ થઇ ગયું. ક્યાંય સંઘર્ષ કરવો પડયો નથી.
જ્યાં તમે ઊભા છો ત્યાં બે ચીજ છે. એક તો તમે છો અને બીજું તમારી આસપાસ ખીણનું અંધારું પણ છે. જો ખીણના અંધારા સાથે લડશો તો ખીણમાં જ રોકાવું પડશે. તમે અંધારા સાથે લડતા નથી પરંતુ ભીતરમાં બિરાજમાન તમારી જાતને ઉપર ઉઠાવો છો, ઊર્ધ્વગમન કરો છો. અંધારા તરફ ધ્યાન આપવાની જરૂર નથી. જ્યાં આપણે ઊભા છીએ ત્યાં ચારે તરફ અત્યંત લલચામણી ભોગવૃત્તિઓ હાજર છે અને સાથેસાથે આપણે પણ ઊભા છીએ. કહેવાતા ત્યાગીઓનું ધ્યાન વૃત્તિઓ પર હોય છે. કઇ વૃત્તિનો કેવી રીતે નાશ કરું ? ધ્યાન વૃત્તિને વશ કરવા તરફ છે. પરંતુ એ ત્યાગીનું ધ્યાન જો એના સ્વયમ્ પર હોય, તો એ વિચારશે કે આ વૃત્તિથી ઉપર હું કેવી રીતે ઊઠું ?
આ વાતને ખૂબ ધ્યાનપૂર્વક સમજી લો. કારણકે બન્ને પ્રકારના ત્યાગીઓની યાત્ર અલગ અલગ દિશામાં છે. બન્નેના નિયમો જુદા હશે, બન્નેની સાધના જુદી હશે, બન્નેની દિશા અલગ હશે, બન્નેનું ધ્યાન અલગ પ્રકારનું હશે. જે વૃત્તિ સાથે લડે છે તેનું ધ્યાન વૃત્તિ પર રહેશે, જે સ્વયમ્ને ઉપર ઉઠાવવા પ્રયત્ન કરે છે, તેનું ધ્યાન સ્વયમ્ પર રહેશે. જે વૃત્તિ સાથે લડશે તેનું ધ્યાન બહિર્મુખ હશે. જે સ્વયમ્નું ઉર્ધ્વગમન કરી રહેલ છે, તેનું ધ્યાન અંતર્મુખ હશે. એક બીજી વાત સમજવા જેવી છે. ધ્યાન ભોજન છે. જે ચીજ પર તમે ધ્યાન આપો તેને તમે શક્તિ આપો છો.
એક ઝેકોસ્લોવેકિયન વૈજ્ઞાનિક અને વિચારક પાવલિટાની પાસે નાનાં નાનાં યંત્રો હતાં. એ યંત્ર । તરફ તમે પાંચ મિનિટ તમારી આંખને સ્થિર રાખી જોયા કરો, તો એ યંત્ર તમારી શક્તિનો સંગ્રહ કરી લે. અમેરિકામાં એક અદ્ભુત માણસ હતો જેનું નામ હતું વિલ્હેમ રેક. આ સદીમાં જે લોકોમાં અંતર્દ્રષ્ટિ હતા, તેમાંનો આ એક માણસ હતો. એને અમેરિકન સરકારે બે વર્ષ સુધી જેલમાં રાખી પછી એને પાગલખાનામાં મોકલી દીધો. એના પર કોર્ટમાં કાયદેસર કામ ચલાવવામાં આવ્યું. એણે એક આશ્ચર્ય ઊપજાવે એવી પેટી બનાવી હતી, જેને એ ‘આરગન-ARGON’ પેટી કહેતો
Page #172
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૧૬૭
હતો. એ પેટીમાં એ કોઇ વ્યક્તિને સૂવડાવી દે અને એ વ્યક્તિ થોડા વખત સુધી, એમાં સૂતાં સૂતાં કામવાસનાને લગતા વિચારો ર્યા જ કરે, તો એ પેટીમાં કામવાસનાની શક્તિ એકત્રિત થઇ જતી. પરંતુ એ કામવાસનાની શક્તિ એમાં સંગ્રહિત થઇ છે એનું વૈજ્ઞાનિક પ્રમાણ શું ? તો એ કહેતો એ પેટીમાં બીજા કોઇ માણસને તમે સુવડાવી દો, જેને એ પેટી વિશે કાંઇ માહિતી નથી, તો એક મિનિટ પછી એ માણસના મગજમાં કામવાસનાના વિચારો શરૂ થઇ જશે. આ એક જ પ્રમાણ છે, શક્તિ સંગ્રહિત થઇ શકે છે તેનું. પરંતુ બીજા વૈજ્ઞાનિકો આ બાબતને માનતા ન હતા. બીજા વૈજ્ઞાનિકો કહેતા કે જે માણસને તમે એ પેટીમાં સૂવડાવો છો તે માણસ કાંઇ ભ્રમમાં હોઇ શકે અથવા એ માણસની કામવાસનાના વિચારો કરવાની આદત પણ હોઇ શકે. પરંતુ વિલ્હેમ રેક કહેતો કે જે વિષય પર તમે વિચારો કરતા હો, જે વિષય તરફ તમારું સંપૂર્ણ ધ્યાન હોય તે વિચારોની શક્તિ એ પેટીમાં સંગ્રહિત થઇ જાય છે. કેટલાક લોકોને માનસિક રીતે એવો પાકો ખ્યાલ બંધાઇ ગયો હોય છે કે તેઓ નપુસંક થઇ ગયા છે, એમાંના એક માણસને અગાઉથી એ પેટીમાં જ્યાં કોઇ બીજી વ્યક્તિની કામવાસનાની શક્તિ સંગ્રહિત કરી રાખી હોય તેમાં સુવડાવવામાં આવે તો એ માણસના મનમાંથી નપુસંકતાનો ખ્યાલ ઓછો થઇ જાય, અને તે કામોપભોગમાં ઊતરી શકે. પોતે બનાવેલા યંત્રમાં, કોઇ પણ બાબતમાં, તમે આપેલા ધ્યાનની શક્તિ એકઠી થઇ શકે છે. એવો પાવલિટાનો દાવો હતો.
તમને કદાચ ખ્યાલ નહીં હોય કે જ્યારે તમારી તરફ લોકો ધ્યાન આપે છે, ત્યારે તમે સ્વસ્થતાનો અનુભવ કરો છો અને જ્યારે તમારી તરફ કોઇ ધ્યાન ન આપે ત્યારે તમે અસ્વસ્થ બની જાઓ છો. એટલે ઘણી વાર એવું બને છે કે જ્યારે લોકો તમારી તરફ ધ્યાન આપે એવી તમારી તીવ્ર ઇચ્છા થઇ જાય, ત્યારે તમે બીમાર પડી જાવ છો. બાળકો તો આવું વારંવાર કરતા હોય છે. તમારી ઘણી બીમારીઓ ધ્યાનની આકાંક્ષામાંથી પેદા થાય છે. કારણકે તમે બીમાર ન પડો ત્યાં સુધી તમારા તરફ કોઇ ધ્યાન આપતું નથી. પત્ની બીમાર પડે તો પતિ એના કપાળ પર હાથ મૂકે છે, નહિ તો એની સામે જોતો પણ નથી. આ રહસ્ય પત્નીના અચેતનમાં ઊંડે છુપાયેલું છે ? પોતાના તરફ ધ્યાન ખેંચવા માટે એ બિમાર હોવાની ફરિયાદ કરે છે. ખરેખર દેખાડે છે, એટલી કોઇ સ્ત્રી બીમાર હોતી નથી. પતિ એના ઓરડામાં હાજર હોય ત્યારે જેટલી ખાંસતી-કણસતી હોય છે, એટલી પતિ ઓરડામાં ન હોય ત્યારે ખાંસતીકણસતી નથી. શું કારણ હશે ? બાળકો આ યુક્તિ જલદી શીખી જાય છે. એ જ્યારે બીમાર હોય ત્યારે આખા કુટુંબનું ધ્યાન એમના પર હોય છે. એટલે ધ્યાન આકર્ષિત કરવા બીમાર થવું એમને ગમે છે. પરિણામે બાળકો બીમારીના ઢોંગ કરતાં શીખી જાય છે.
મનોવૈજ્ઞાનિકો કહે છે કે કોઇ બીમાર હોય ત્યારે જરૂરતથી વધારે ધ્યાન એના પર ન આપવામાં ઔચિત્ય છે. નહીં તો બીમારીનો ઢોંગ કરવા માટે તમે એમને ઉત્તેજન આપશો. બીમારની સેવા
Page #173
--------------------------------------------------------------------------
________________
€18€
તપ એટલે આપણીઊર્જા !o
İ કરવી ફરી છે. પરંતુ તેનઠસ્થ ભાવથી કરવી એઈએ. બીમારીમ મહત્ત્વ આપવું ખતરનાક છે. કારણકે એ મરવાથી ખેંચવા માટે બીમાર મંડવામાં આપણી યાછે. PFIT y{h is I F]Jok & SS E F G 5319 ]IET by bo પરંતુ ધ્યાનથી શક્તિ મળે છે. એટલે આખી દુનિયા તમારું ધ્યાન ખેંચવા કોશિશ કરે છે. રાજનેતાની IF !blu p]]SF\ J5 PDP EFFECTS Ibee ટીકાઓ થાય, ગાળો ખાય, એના પર જૂતા પડે, તીપણ જ્યારે એની સામે ભીડ એકઠી થઇ હોય, yo ŁE JE JK BE E]JFI] JEEDING F}} RE ત્યારે બધાની આંખો એના તરફ હોય છે. એ બધાની આંખોની શક્તિ એ નેતાનું ભોજન બને છે.
JBFIE PHjjF]][peed FP G ] Fel 3 JK
જો ચીને ભારત પર હુમલો ન કર્યો હોત, તો કદાચ નહેરું થોડો વધુ વખત જીવતા રહ્યા હોત. 31 JKKO ZULU FIBPSPE U KE JUK by B]repe અચાનક નેહ તરફથી લાકોનું ધ્યાન હટી ગયું. રાજનેતા સત્તા પર હોય છે ત્યા સુધી એ ભાગ્યે જ TE KE GUJOK HAJIPIJ[HI]p]]]]]P$j
મરતો હોય છે. એટલે કોઈ રાજનેતા પદ છોડે નહીં, નહિતર અને મૃત્યુ નજીક આવતું દેખાય છે. bil de jigE IF 5 ] Be US ] The fu 5 H EFF Zaghela આમ તો આખરે દરેકને મરવું પડે છે, પરંતુ કોશિશ એ જ ચાલું હોય છે કે જીવતા સુધી પદ
si] જળવાઇ રહે. કારણકે સત્તા છુટતાં ઊમર ટૂંકી થઇ જાય છે. લોકો નિવૃત્ત થયા પછી જલદી મરી c]SFGF JQUE IS BETH & FICUS R જાય છે. કારણકે એમના તરફ પછી કોઈ જોતું નથી, જે માન-મરતબો મળતાં હતાં તે બંધ થઇ JjJJe l_palj} Fle Jh] [F Je Je - જાય છે. એમને બીજાની શક્તિ મળતી બંધ થઇ જાય છે. જ્યાંસુધી માણસ રિટાયર ન થાય h he SIZE JE IFIêE: 33*#JEFJJF K[H PJ JFJFJLPE ત્યાંસુધી સ્વસ્થ હોય છે. પરંતુ રિટાયર થતાં જ બીમારીઓ આવવાની શરૂ થાય છે. પહેલાં જ્યારે
J
•VIEJ WbJKb] I J K PDF FIJLI> AICUFDTe
ઓફિસમાં જાય ત્યારે લોકો બધા ઊભા થઈ જતા, એને સલામ ભરતા. એમાંથી જે શક્તિ મળતી JbIPUR.ISE]JF PER YE BE BE FI હતી તે, જે ભોજન મળતું હતું તે બંધ થઇ જાય છે. રસ્તા પર ફરવા નીકળતા ત્યારે લોકો નમસ્કાર કિસ્સા હતા. ઘરના કુટુંબી પણ એમનથી કરતા હતાં કારણકે એ કમાણી કરતાહતા અને *દુર્ભાસ પણ એમનો ખુબજ હતો પરંતુ રિટાયર થયા પછી પત્ની પણ પહેલાં સુંદરતી 10 મંથા એ ખૂણામાં બૅકી થયેલો એમને શ્રેયાધિના પણ પસાર થઈ અપાસ છે, 91ીખારે છે; જણાવવા માટે રુબીંછું પરંતુ બંધાનું ધ્યાન એમમાં તફ ઓછું થતું જાયછે. HEJ IS 13, sjqju - Jio વાર ;Jh Gh Jhe જેમજેમ વૃદ્ધત્વ આવતું જા^y? A DEPERFE એ છે તેમતેમ માણસો થોડા વધારે જિદ્દી બનતા જાય છે. ઘણી બધી બાબતોમાં દખલ કરે છે, બીજાની વાતોમાં સાથે મારે છે. આ માત્ર ધ્યાન ખેંચવાના જ પ્રયત્ન
JFJF5VJE E JKG Jay Jb #iF& h bLE B $ SJ EK R JFKC ZJ]> JFJPJF S[K JE FJS BIRJbl & Ej K DE JbE
હોય છે. આ એક બહુ દયનીય અવસ્થા છે. બહુ દુ: ખદે છે અને રોગિષ્ટ પણ છે. દરેક બાબતમાં
સલાહ આપે છે. જોકે એમની સલાહ કોઇ માનતું નથી, એની એમને પણ જાણ છે. હંમેશા ફરિયાદ EP FACEAE AFFE D]SF bl!F!! 38,3 ટે . Ge કરે છે કે હવે મારી વાત કોઈ માનતું નથી અને સાંભળતું નથી. -bE TH FEBUbjp-by-Jbki ]>
j ગાંધીજીનતા હતા કે એ એકસો પચીસ વર્ષ છટાચ છવી પણ રક્ત, ભાતમાઝાદ રાનીથયુંહોત તો ભારતના આઝાદ ધ્વની, એમના મરણનો હિસ્સો બની ગયું કારણ પહેલ્સ જે એમની સલાઇ ના, એમને સાંભળતા તેણે માદી પછી નાતવાન થઇ ગયા હતા સંચા હોદ્દા પર પહોંચી ગયા હતા. ગાંધીજી કહેતા કે ‘હું હવે ખોટો સિક્કો થઇ ગયો છું, મારી વાત હવે કોઇ માનતું નથી, હું બોલ્યા કરું છું. મારી કોઈ ફિકર કરતું નથી એ સલાહ તો આપ્યા જ કરતા JPUT FEECH [IPG JGIFE 6EF.G[][ હતા, કોઈ ન સાંભળે તોપણ મરતાં પહેલા એમણે એમ કહેવાનું શરૂ કરી દીધું હતું કે “હવે મારી
[ 4
Page #174
--------------------------------------------------------------------------
________________
નમો અવિરંાિમામંડ6sfGU)
૧૬૯/f
એકંસે હંચીસંવર્ષ જીવવાથી કોઈ ઈંચછાઝથી મા મજલદી ઉકલે હા માટે અપવું. કહોઇe íરદ્ધએને તરjશ્ચર્થ ચક્રતીષ્કાહ કોટ્ટ એમની વાત હર ધ્યાન આપતું નથી. પહેલગાંધીજીનલતિ કોષાધ્ય બિનુ કહેરેનાઝ્માન સળવળું નેતામોત્તેર્યાનભેળવવાના અધિધરી છુઈગુલાહવે લોકો Bણો દાપુ સીધું ક્યalls આપવા લાગ્યા હતા. કોઈ નથી કહી શકતું કે ગોડસેની ગોળી ગાંધીજી સામે કાન, ગાંધી માં છે , પણ જો આવો જવાના સંદેશાવાહક
.& Jw !s & io 58]jp F u8 jy ja ધ્યાન બહુજૂમકાનું ભીર્જુનછાણજીએઠલ્લા ધયાની છશકે છે. એટલે જો ક્યારે કોઇ-પ્રેમમાં પડી જાય ત્યારે એને ભૂખ ઓછી લાગે છે ભૂકકેમૌછું થઈ જાય છે કારણ કેe]. તમને કોઇમ્બેમાર્કશી હ્યુિં છે. પ્રેમનો અર્થsgvએ છે કે કોઈ તમારું બા ક્લાજી રાખે છે. જ્યારે તwer પર કોઈ,ધ્રાજ્ઞઆપતું તચીત્યારે તમે વધારે ભોજujલાગશેં જ્યારે બ્રેણીદાન આપ્યું છે,s ત્યારે તમે ઓછુંભોજીનાક્રરો છો, કારુણકે ક્યાંક રાહેરામાં ઊડેબ્રિડેનોર્જનનું કામ કરતું હોય છે એટલે હું છું છું કે જેની પણ ખાપણ ધ્યાન આપીએ છીએ તે આપણી શક્તિ આમીએ છીએ જે એવું કહેવામાં વૈશ્વનિકું,આધાર પણ મળીયયો છે. ધ્યાનથીe] અલી કિતામાપકામ છેby pષ્ણ ર :1 ]] ]]Ple fe jøs અગાઉ મેં તમને બે રશિયન નિષ્ણાતો નિકોલિયવ અને કાર્નિચર્ય વિધાંત ઝેરી હસ! ટેલીથિકોમ્યુનિસાસંણામોહમૃથી પ્રર ધારેમાં વધારે નફરતા વ્યકિત છેનિકોલિયેષિાનું સંપૃષ્ણસંસારસ્કાર માઈલ દૂર ક્રામિનિબેe હોમલેની સાથે કરાવોટ વિચારનો વિકલિશ સંચારો તો કમિનિસેવા પકડતો હતો. વૈજ્ઞાનિએ નિકોલિદ્રામાયૅચંaોજોડી નિરીક્ષણે-કે જ્યારે વિોલિસેલર વિસારનો સંચાર કરે છે ત્યારે એનરૂક્તિની થતી જૂની યંગ લાયતી પતિ. બનતાં 1 જાહર સાલ દુર બેઠેલો કમિનિ એ સંચાર થયેલા વિચારણા કરતો હતો ત્યારે એની રૂધિત એવું તો નાના હતા, એફ / વિચારનું સંપ્રેષણ કરે છે ત્યારે શું કરે છે ? નિકોલિયે કહ્યું કે આંખ બંધફરી હું કમિનિવ, ધ્યાનમાં મારી સામે ઉપસ્થિત કરું છું. મારું બધું ધ્યાન કામિનિયર્વ પર કેન્દ્રિત કરું છું.” કામિન સવા એથે “હુપુયા છુંમાભિનય મારી પ્રત્યક્ષ એક
છે અને એને પરાસ્ત કરી દે ]} $ $á - ]]sjise jy _.js 53 } ] - JP 992]] - je ge.jpg Sા 50; હજsો છેલ્લનિકુલ પરિણા ક1િ8 ને સુ છે જે ચીજ ઝબુક ધ્યાન આપીએ છીએ ત્યાં શક્તિનો સંગ્રહ થાય છે, અને ધ્યાન આપનારની શક્તિ ઓછથાય છે, વિસર્જિત થાય છે. જે વૃત્તિ પર આપણે ધ્યાન આપીએ છીએ, તે વૃત્તિને શક્તિ મળતાં
Page #175
--------------------------------------------------------------------------
________________
તપ એટલે આપણી ઊર્જા......
બળવાન બને છે. જો આપણે કામવાસનાનો વિચાર કરીએ તો કામવાસનાનું જે કેન્દ્ર છે ત્યાં શક્તિ એકઠી થાય છે. એ રીતે દરેક વૃત્તિ, જેના પર પણ આપણું ધ્યાન કેન્દ્રિત થાય, તે શક્તિશાળી બને છે અને આપણે કમજોર બનીએ છીએ. એટલે જે કેન્દ્ર પરશક્તિ એકઠી થઈ ગઈ હોય તે, એ શક્તિના બોજાથી ભારેખમ બની જાય છે અને એ કેન્દ્રએ બોજથી મુક્ત થવા માગે છે. મનુષ્યના મનની આવી જંજાળ છે. કામવાસના પરબે રીતે ધ્યાન આપી શકાય છે. એક તો તમે કામવાસનામાં રસ લો, એના વિચારો કરો તો કામકેન્દ્રને શક્તિ મળે છે. આ પ્રાકૃતિક છે. તમારામાંનૈસર્ગિક કામવાસના એકઠી થઈ જાય, ઘનીભૂત થઈ જાય, તો એ નૈસર્ગિક કામવાસના પર ધ્યાન જતાં, નૈસર્ગિક રૂપે જ એ શક્તિ વિસર્જિત થઈ જાય છે. પરંતુ વિકૃત ધ્યાન પણ આપી શકાય છે. એક વ્યક્તિ એ રીતે કામવાસના પર ધ્યાન આપે છે, કે જાણે એ દુશ્મન હોય, જાણે એની સાથે લડવાનું હોય. કોઈ રીતે કામવાસના એની ભીતર પ્રવેશી ન જાય એનું એ ધ્યાન રાખે છે. એ પણ ધ્યાન આપે છે કામકેન્દ્ર પર, ત્યાં શક્તિ એકઠી થશે. પરંતુ એ વ્યક્તિ શક્તિને વિસર્જિત થવા દેવા માગતી નથી, છતાં ધ્યાન તો આપે જ છે. તો એનું શું થશે ? એ એકઠી થયેલી શક્તિ, વિકૃત રૂપ ધારણ કરશે. કારણકે એ વિસર્જિત થઈ શકતી નથી. એ શક્તિ શરીરનાં બીજાં અંગોમાં પ્રવેશ કરશે અને તે અંગોને વિકૃત કરશે. એ કામવાસના માનસિક કેન્દ્રો પર અસર કરશે. વ્યક્તિ ભીતરમાં લડતી રહેશે, પોતાની જ આપેલી શક્તિ સાથે લડ્યાકરશે. આએવું છે કે એક વૃક્ષને આપણે પાણી પાઈએ, પરંતુ ભીતરમાં પ્રાર્થના કરીએ કે આવૃક્ષ મોટું થાય. વૃક્ષ મોટું ન થાય એવી પ્રાર્થના કરીએ છીએ અને પાણી પણ પાયા કરીએ છીએ. વૃક્ષ તો મોટું થશે. જે વૃત્તિ તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, એ ધ્યાન પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય, પરંતુ એ વૃત્તિને ધ્યાનની શક્તિ તો મળે જ છે, એને ભોજન મળે છે. એટલેતપનું મૂળ સૂત્ર એ છે, કે ધ્યાન ક્યાંક બીજે આપો. જ્યાં તમે શક્તિ એકઠી કરવાનમાગતા હો, જે વૃત્તિને શક્તિશાળી ન બનવા દેવી હોય, તેના પર ધ્યાન જ ન આપો. ધ્યાનને ત્યાંથી હટાવી એનું ઊર્ધ્વગમન કરો. કામવાસનાથી મુક્ત થવું હોય તો કામવાસના પર ધ્યાન જ ન આપણે, એના પક્ષમાં પણ નહીં અને એની વિરુદ્ધમાં પણ નહીં. પરતું ધ્યાન શક્તિ છે, એને તમારે કામે લગાડવી જ પડશે, એને કામ જોઈએ છે. તપનું મૂળ સૂત્ર એ છે કે ધ્યાન માટે નવા કેન્દ્રને નિર્મિત કરો. મનુષ્યમાં બીજું કેન્દ્રો છે. કામકેન્દ્ર તો સૌથી નીચેનું કેન્દ્ર છે. એની ઉપર બીજાં કેન્દ્રો છે. જેવું ધ્યાનને નવું કેન્દ્રમળશે કે એ કેન્દ્રને શક્તિ મળવાની શરૂ થશે. જેવું એનવું કેન્દ્રશક્તિશાળી બનશે કે જૂના કેન્દ્ર પરથી એ મુક્ત થશે. જાણે પહાડ પર ચડવાનું શરૂ થયું. સૌથી નીચેનાકામકેન્દ્ર સાથે આપણે પ્રાકૃતિક રીતે જોડાયેલા
Page #176
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
૧૭૧
છીએ. સહસ્ત્રાર આપણું સૌથી ઊંચું કેન્દ્ર છે, ત્યાં આપણે પરમાત્મા સાથે જોડાયેલા છીએ. ત્યાં આપણને પરમાત્માની શક્તિ મળે છે. ત્યાં આપણે દિવ્યતા સાથે, ભવ્યતા સાથે, ભગવત્તા સાથે જોડાયેલા છીએ.
જ્યારે જ્યારે આપણા મગજમાં કામવાસનાનો વિચાર જાગે છે ત્યારે કામવાસનાના વિચારથી તત્કાલ તમારું કામકેન્દ્ર સક્રિય બને છે, એ ખ્યાલ આવ્યો છે તમને ? મગજમાં વિચાર ચાલે છે, પરંતુ કામકેન્દ્ર જે ઘણું દૂર છે, તે તત્કાલ સક્રિય બની જાય છે.
આ જ પ્રક્રિયા છે. તપસ્વી પોતાના ધ્યાનને સહસ્ત્રાર પર પાછું ફેરવે છે. જેવું ધ્યાન સહસ્રાર પર જાય છે, તેવું તત્કાલ સહસ્રાર સક્રિય બને છે. જ્યારે આ રીતે શક્તિ ઉપર તરફ વહેતી હોય ત્યારે એ નીચે વહેતી નથી. આ છે શક્તિનું દિશાપરિવર્તન. જ્યારે શક્તિને શિખર પર ચઢવાનો માર્ગ મળે છે ત્યારે એ શક્તિ ખીણનું અંધારું છોડવા માંડે છે અને શક્તિ પ્રકાશના જગતમાં પ્રવેશવા લાગે છે. અંધારાનું જગત ચૂપચાપ છૂટતું જાય છે. અંધારાની નિન્દા એના મનમાં હોતી નથી, અંધારાનો વિરોધ પણ એના મનમાં હોતો નથી, એના મનમાં અંધારાનો ખ્યાલ જ હોતો નથી, અંધારા પર એનું ધ્યાન જ નથી. આ પ્રમાણે ધ્યાનનું દિશાપરિવર્તન કરવું, રૂપાંતર કરવું, એનું નામ છે તપ.
આ વાત બરાબર સમજશો તો તમને તપનો બીજો અર્થ પણ બતાવી શકીશ. તપનો બીજો અર્થ થાય છે અગ્નિ. તપનો અર્થ છે ભીતરનો અગ્નિ. મનુષ્યની ભીતર જે જીવનનો અગ્નિ છે તેને ઊમ્બંગમન તરફ લઇ જવાનું કામ તપસ્વીનું છે. એને નીચે લઇ જવાનું કામ ભોગીનું છે. ભોગીનો અર્થ છે કે જે પોતાના અગ્નિને નીચે પ્રવાહિત થવા દે છે, અધોગમન તરફ. તપસ્વીનો અર્થ છે જે પોતાના અગ્નિને ઉપરની તરફ પ્રવાહિત કરી રહ્યો છે, પરમાત્મા તરફ, સિદ્ધાવસ્થા તરફ.
આ અગ્નિ બન્ને દિશામાં જઇ શકે છે. એક ખૂબ મજાની વાત એ છે કે અગ્નિ, ઉપરની તરફ સહેલાઇથી જાય છે, અગ્નિને નીચે વહેવામાં મુશ્કેલી પડે છે. કારણકે અગ્નિનો સ્વભાવ છે, ઉપર ઊઠવાનો. તમે નિરીક્ષણ કર્યું હશે કે જ્યારે તમે આગ પેદા કરો છો ત્યારે તેની ગરમી ચારે તરફ ફેલાય છે, પરંતુ એની જ્વાલા, જ્યોતિ, હંમેશાં ઉપર જાય છે. એટલા માટે ધ્યાનને તપ કહ્યું, અગ્નિકહ્યું. એને યજ્ઞનું નામ આપ્યું કે જેથી ખ્યાલ રહે કે અગ્નિનો સ્વભાવ તો ઉપર ઊઠવાનો જ છે. અગ્નિને નીચે લઇ જવો હોય તો ઘણી મહેનત અને પ્રયત્ન કરવા પડે છે.
પાણી હંમેશા નીચે વહે છે. જો એને ઉપર ચઢાવવું હોય તો ઘણી મહેનત કરવી પડે છે. જો પાણીને ઉપર ચઢાવવાનો પ્રયત્ન છોડી દઇએ, તો તત્કાલ પાણી નીચે વહેવા લાગશે. પંપિગ કરવાનું બંધ કરો તો પાણી નીચે વહેવા લાગશે. એને ઉપર ચઢાવવું હોય તો પંપ કરો, તાકાત વાપરો, નીચે વહેવા માટે પાણીને કોઇની મદદની જરૂર નથી, આપોઆપ વહે છે, એ એનો સ્વભાવ છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૭ર)
તપ એટલે પાણીઊદ્ધ6Io
અને નીચે જામહેનત કરવી પ્રહ, ભાલથી અઉિપરત્નાકુંજ જો એ ઊર્ધ્વગ્રામીક છે. અગ્નિને કહેલાતું કારએ છે કે અઢિજેyણી ભીતર છે ક્ષોિો ,સ્વભાવહ પણ ઊર્ધ્વગામી છે. એક વખત એના ઊર્ધ્વગમનનો અનુભવ થઈ જશે પછી એને ઉપર લઈ જH 6e માટે પ્રયાસ કરવાની જરૂર નહીં પડે. એક વાર અગ્નિ સહસ્ત્રાર તરફ વળી જાય, પછી તપસ્વીને JIBE] FIFJFJ Js je j] FIFE 5.8 JF\EF JJ; Jરે છે? ઊઠવાની મહેનત કરવી પડતી નથી. અગ્નિ આપોઆપ ઉપર વહે છે. ધીમેધીમે તપસ્વી,
>JĖ JIVFJ[ 5 ] GJ J e 25 5 $ JFKj8 JF 55 ઉપર અનના 9 ઉપર શું અને નીચે શું, એ પણ ભૂલી જાય છે. કારણકે પછી અગ્નિ સાહજિક રીતે ઉપર વહ્યા કરે છે.
SSAS SEE EJ RS છે એક વાર અગ્નિ પોતાની રાહ પર ચાલવા લાગે, પછીતો ઉપર જવાનો એનો સ્વભાવ છે. એને
કે તો મહિછે જથામણ ક
55s Jss JyJbjp lesy 5 .& Is A » Jyo 59 pal JJ, ક્a Jb55 w પરંતુ આપણો અગ્નિને નીચે લઈ જવાનો અભ્યાસ એટલો લાંબો છે, જન્મોજન્મનો છે કે એને
WJF JF5JF ;W FAJ J b>; VIJ) 5ZJj8, 8 J JeFb: - આપણે નીચે લઈ જઈએ છીએ. એટલે જેને નીચે તરફ લઈ જવાનું મુશ્કેલ છે, આપણને સહેલું
IPL JF5Jce JJUS JJFvs & DJ j3JGUJI52018 He 5 Pરjoy લાગે છે. ઉપર તરફ લઈ જવાનું સહેલું, તે આપણને મુશ્કેલ જણાયું છે. JSFJSj JV- JF5JFJ JESSs Rs 25
.& JA જે તુક્કીÉ તે આપણી આઉતરોકાયોધ્ધાશ્રીનાક્રાઇવશ્વાળી છે માખણોત્ક્રાહ આપણી આદત નથીસ્વભાવ આપણો વસ્તુનો ધર્મ છે એધર્મમર આદત એટલી બળytu થઈને ચઢી બેસે છે કે એ ધર્મને સ્વભાવને દબાવી દે છે. આપણાં બધાંનો સ્વભાવ આદતોથીદબાયેલો છે જેને મહાવીર કર્મોનો કસ કહે છે તે ખરેખર આપણી આદતોનો ક્રમ છે. આપણે = $ JF JW.JJ]]> Jv j3ye JFhE45E JJF JP BJP Us આદતો એવી બનાવી રાખી છે કે એનાથી આપણે પોતે દબાયેલા છીએ. એ આદર્તા ઘણા લાંબા
> ] JEE , DJ JEE COMe [ 5] 6} $છુ - FJe ૨૩ je સમયની, પરાણી. ઊંડી છે. એનાથી ઘટવાનું જે આજે જ, આ સમયે સંભવ નહીં બને તો J-3] [] 1 ) B EF
5 12 F]P 3 - 5 F હj) આપણે એની સાથે લડવાનું શરૂ કરી,-ઊલટી આદતો પાડીશું. પરંતુ અંત છેવટે આદત છે. .
$ JFJ0F 5 FFICJ SH 8 BJeje blJ sJFJFcSF] 2 3 iss કહેવાતો તyક્વીઝકીની એકાદૂદી છે પરંતુbgjભીવી શોધમાં છે,
S}}
છે કોઇપણ બાબતની આકૃત કડવાતોનથી. આદત અને સ્વભાવસે સમજવા જેવો..
છે. આપણે દરેક બાબતની આદત પાડીએ છીએ અને યાંત્રિક બની જઈએ છીએ. બાળકોને પણ. ( 4 BJ j e 81 851558 BJP BJEFF & ][S 5 કહીએ છીએ ક્રોધ ન કરવો જોઈએ, ક્રોધ બહુ ખરાબૂઆદત છે, એટલે ક્રોધ નર્ક થતો નથી. ક્રોધ
5) Se Je Je JS 338 SJ “5 5 3 15 HE IS BJE] F5JFJF5JE) ભીતરમાં ભભૂક્યા કરે છે. કામવાસના જાગે તો કહીએફ બ્રહ્મચર્ય પાળવાની આદત પાડો, પરંતુ તે
8િ/> Jર્ષે SJ JŠ છે ? - 31 JSeja ] = 5 ) કામવાસના તો જાગશે જ અને ભીતરમાં માનસિક રીતે સરકતી રહેશે. કામવાસના નીચે કામકેન્દ્ર
& JJD 9]> j> v] ] ]] ]] ]] WIFFle 3 - He તરફ વહતા : શે. એટલે આદત પાડવાથી સ્વભાવમાં કાંઈ ફરક પડતો નૈથી. સાચો તપસ્વી ,
3 ટે > > B e .)] 3 [> jj Sys]> Jv સ્વભાવના સૂત્રને, સ્વભાવના ધર્મને સમજવા પ્રયત્ન કરે છે. પોતાનો સ્વભાવ શું છે તે સમજવા પ્રશ્ન છે? પૌતમીગ્નેટ્વેિન્ટ-ઑદિત છૂહટાવી, મઈક સ્થભાવે દર્શકેફધાઈ . આ૪તહટાવંશની અર્કમાર્ગી છે એનો ધંર આધાણી)
6] BJPJJE vs j> jS g5 g Pj JP 35 - ji ચાર છ દ્વિસ પહેલાં એક મિત્ર મને મળવા આવ્યા. મને ! હ્યું, તમે કહો છો કે મુંબઈમાં રહીને પણ.
4િ Ê]=>> jy je & =JjJs: ]S]JF358 FJ]c]] SJF JBJP
Page #178
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
૧૦૩
ધ્યાન થઇ શકે ! કેમ થઇ શકે ? સડક પર એટલો ટ્રાફિક જઇ રહ્યો છે, હોર્ન વાગ્યા કરે છે, ટ્રેનો પસાર થઇ રહી છે, એની સીટી વાગી રહી છે, એ બધા અવાજ આવતા હોય, ત્યાં ધ્યાન કેવી રીતે થઇ શકે ?
મેં કહ્યું, ‘જે કાંઇ થતું હોય એના પર ધ્યાન ન આપો !’
એમણે કહ્યું, ‘એવું કેવી રીતે બને ? નીચે કોઇ હોર્ન વગાડી રહ્યું હોય તે સંભળાયા વગર કેમ રહે? એના પર ધ્યાન તો જાય જ ને?’
મેં કહ્યું, ‘એક પ્રયાસ કરો, જે કોઇ નીચે હોર્ન વગાડતું હોય એને વગાડવા દો. તમે શાંત બેસી રહો. હોર્ન વિષે માનસિક પ્રતિક્રિયા શરૂ ન કરો. હોર્ન વગાડે છે તે સારું છે કે ખરાબ, કે હોર્ન વગાડનાર દુશ્મન છે કે મિત્ર છે, કે જો હવે હોર્ન વગાડશે તો નીચે જઇને એનું માથું ભાંગી નાખીશ. એવી પ્રતિક્રિયા કર્યા વિના શાંત બેસી, એને માત્ર સાંભળ્યા કરો. થોડા વખત પછી એ હોર્ન વાગતું હશે, તોપણ તમારે માટે જાણે એ વાગતું બંધ થઇ જશે જે કાંઇ બની રહ્યું છે એનો સ્વીકાર
કરો.’
જે આદતને બદલવા માગતા હો તેનો સ્વીકાર કરો. એની સાથે લંડો નહીં. જેનો પણ આપણે સ્વીકાર કરી લઇએ છીએ તેના તરફ ધ્યાન જવાનું બંધ થઇ જાય છે. તમને કદાચ ખ્યાલ હશે કે કોઇ સ્ત્રી સાથે તમે પ્રેમમાં હો તો વારંવાર એની યાદ આવશે. એના તરફ ધ્યાન જશે. પરંતુ પ્રેયસીને પરણીને પત્ની બનાવી લો.એ પત્ની તરીકે જેવી સ્વીકૃત થઇ ગઇ કે એના તરફ ધ્યાન જવાનું બંધ થઇ જશે. એક સુંદર કાર, સડક પર ચમકારો મારતી પસાર થાય છે. એના તરફ તમારું ધ્યાન ખેંચાય છે. તમને થાય કે એવી ગાડી તમારી પાસે નથી. યોગાનુયોગ તમને એવી ગાડી મળી ગઇ, તમે એમાં બેઠા. એ તમારી થઇ ગઇ. એના તરફ થોડા દિવસ પછી ધ્યાન જવાનું બંધ થઇ જશે,. એવી જ બીજા કોઇની ગાડી જતી રહશે, તોપણ તમારું ધ્યાન એના તરફ નહી ખેંચાય. કારણકે એવી ગાડી તમારી પાસે છે.
જે ચીજ એક વાર સ્વીકૃત થઇ જાય છે, તેના તરફ ધ્યાન જવાનું બંધ થઇ જાય છે. તમારી ખરાબમાં ખરાબ આદતોને પણ સ્વીકારી લો. એના પર ધ્યાન ન આપો. એના વિષે વિચાર ન કરો. એનું મૂલ્યાંકન કરવાનું બંધ કરો. એ આદતને તમારું ધ્યાન ન મળવાથી, એને તમારી શક્તિ મળવાનું બંધ થઇ જશે. ધીમેધીમે એની શક્તિ ક્ષીણ થઇ જશે, એ આદત છૂટવા લાગશે. તમારી જે શક્તિ એના તરફ વહેતી હતી, તે બંધ થતાં એ શક્તિ તમારી ભીતરમાં વહેવા લાગશે.
જે કહેવાતા તપસ્વી હોય છે તેઓનું ધ્યાન એ જ ચીજો પર હોય છે, જેના પર ભોગીનું ધ્યાન પણ હોય છે. જ્યારે સાચા તપસ્વીનું ધ્યાન સ્વયમ્ના રૂપાંતર પર હોય છે. તપની પ્રક્રિયા ધ્યાનનું
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૪
તપ એટલે આપણી ઊર્જા.....
રૂપાંતર કરે છે. ભોગી કે તથાકથિત ત્યાગીનું જે ચીજો પર ધ્યાન હોય છે, ત્યાં સાચા તપસ્વીનું ધ્યાન જતું જ નથી. એ પોતાના ધ્યાનની દિશા જ બદલી નાખે છે, સ્વયમ તરફ લઈ જાય છે. આપણું ધ્યાન આપણા હાથમાં છે. આપણે જેના પર ધ્યાન આપવા માગીએ, તેના પર આપી શકીએ છીએ. હમણાં તમે અહીં બેઠા છો, મને સાંભળી રહ્યા છો. પરંતુ હમણાં આ મકાનમાં આગ લાગી જાય, તો તરત જ તમે મને સાંભળી રહ્યા છોતે ભુલાઈ જશે. તમારું ધ્યાન તરત મકાન બહાર દોડી જશે, તમે બહાર દોડી જશો. કાંઈ સાંભળી રહ્યા હતા એ વાત જ ભૂલાઈ જશે. સાંભળવાનો પ્રશ્ન જ રહેતો નથી. પોતાની જાતને બચાવવાની વધારે જરૂર છે, આગ લાગી ગઈ છે. આ રીતે ધ્યાન દરેક પળે બદલાઈ શકે છે. એને માત્ર કોઈ નવું બિંદુ મળવું જોઈએ.
જ્યારે તપની પ્રક્રિયા દરમિયાન તમારી ભીતરનાં નવાં કેન્દ્રો કે બિંદુઓ તરફ ધ્યાન ખેંચાય, ત્યારે તે કેન્દ્રોને તમારી શક્તિ મળશે. એમ થતાં સાચો તપસ્વી શક્તિશાળી બને છે. પરંતુ કહેવાતો તપસ્વી કમજોર થતો જાય છે, કારણકે એ જીતવાની ભાષામાં વિચારતો હોય છે. એને એમ થાય છે કે હું જિતેન્દ્ર બનીશ. એનામાં જીતવાની ભ્રાંતિ પેદા થાય છે. એક વ્યકિતને ત્રીસ દિવસ ભોજનન અપાય તો એની કામવાસના ક્ષીણ થઈ જશે. એ સ્વાભાવિક છે. એ વ્યક્તિમાંથી કામવાસના જતી રહેતી નથી, પરંતુ કામવાસના પેદા થવા માટે જરૂરી રસ, શરીરમાં પેદા થતો નથી. ફરીથી ત્રીસ દિવસ પૂરતું ભોજન અપાય, તો જે કામવાસના ક્ષીણ થઈ ગઈ હતી, જિતાઈ ગઈ હતી એમ લાગતું હતું, તે ફરીથી જાગ્રત થશે. ભોજન મળતાં જ શરીરમાં રસ પેદા થશે અને કામકેન્દ્રફરીથી સક્રિય બનશે. પાછુ ધ્યાન કામકેન્દ્ર તરફ દોડવા લાગશે. એટલે જેમણે ભૂખ્યા રહીને કામવાસના પર વિજય મેળવવાની કોશિશ કરી હોય છે તેઓ જીવનભર, ભૂખ્યા રહેવાની કોશિશક્ય કરશે, કારણકે એમને ડર રહે છે કે ભોજન કરીશું તો ફરીથી કામવાસના પેદા થશે. પરંતુ આ એક ગાંડપણ છે. એ રીતે વાસનાથી મુક્ત થવાતું નથી. માત્રકમજોરી થવાને કારણે વાસનાને શક્તિ મળતી નથી. ખરેખર તો માણસ ભોજનમાંથી જે શક્તિ પ્રાપ્ત કરે છે, તેમાંની અમુક શક્તિ તો રોજનાં જે કામ કરતા હોઈએ, તેમાં વપરાઈ જાય છે. રોજના દૈનિક વ્યવહારમાં ઊઠવા બેસવામાં, સ્નાન કરવામાં ખાવામાં, વ્યાવસાયિક કામકાજમાં મોટા ભાગની શક્તિ તો વપરાઈ જાય છે. જે કાંઈ શક્તિ છેલ્લે બચે છે, તે જેના પર તમારું ધ્યાન છે, આકર્ષકણ છે, તેને મળે છે. સમજો કે રોજ આપણને ભોજનમાંથી બે હજાર કેલેરી શક્તિ મળે છે. રોજબરોજના કામમાં જો એક હજાર કેલરી વપરાઈ જતી હોય, તો બાકીની એક હજાર કેલેરી શક્તિ, જે ચીજ પર તમારું ધ્યાન હશે તે તરફ દોડી જશે. તમારું ધ્યાન એકમાત્ર રસ્તો છે, એક તીર છે, જેની મારફત એ બાકીની શક્તિ વપરાઈ જશે.
Page #180
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ: મંત્ર
૧૭૫
શક્તિને ખબર નથી કે ક્યાં જવાનું છે. તમારું ધ્યાન એ શક્તિને દિશાસૂચન કરે છે. એ મુજબ શક્તિ તે દિશામાં ગતિ કરે છે. જે તમારે ખોટા તપમાં ઊતરવું હોય તો માત્ર એટલું જ ભોજન કરો કે જેમાંથી માત્ર હજાર કેલરી શક્તિ જ પેદા થાય. હજાર કેલરીથી વધારે શક્તિ જો પેદા જ નહીં થાય, તો તમને બ્રહ્મચર્ય સધાયું - છે એમ લાગશે. કારણકે તમારા કામકેન્દ્રને માટે જરૂરી વધારે શક્તિ પેદા થતી જ નથી. માટે એવા તપસ્વી, ભોજનનું પ્રમાણ ઓછું કરી નાખે છે, પગપાળા ચાલવાનું શરૂ કરે છે, જેથી વધારે શ્રમ થાય અને ધીમેધીમે શ્રમ કરવાથી શક્તિ વધારે ખર્ચાય. એ ઓછામાં ઓછી શક્તિથી જીવવા લાગે છે. શક્તિ વધારે પેદા થશે નહીં અને કામવાસના જાગશે નહીં. પરંતુ એ રીતે કામવાસનાથી મુક્ત નહીં થવાય. વાસના પોતાના સ્થાન પર કાયમ છે. વાસનાનું કેન્દ્ર જન્મોજન્મ પ્રતીક્ષા કરી શકે છે. શક્તિ વધારે પેદા થાય એની જાણે રાહ જુએ છે. આ તો ભયમાં જીવવાનું છે. એવી ભયભીત જિંદગીમાંથી કાંઇ ઉપજતું નથી. એ રીતે પ્રકૃતિને તો થાપ આપી શકાય છે, પરંતુ સંસ્કૃતિ પેદા થતી નથી. માત્ર વિકૃતિ પેદા થાય છે અને ભયભીત ચેતના કાયમ રહે છે. ના, આ રીત બરાબર નથી. સાચા વિધાયક તપ (Austerity) નો રસ્તો આનથી. શક્તિ પેદા કરો અને એને ધ્યાનમાં રૂપાંતરિત કરો. ધ્યાનમાં નવાં કેન્દ્રો તરફ લઈ જાઓ. શક્તિ અગ્નિ સ્વરૂપ છે. જેમજેમ ગહેરાઈથી ધ્યાનમાં ઊતરતા જશો તેમતેમસ્વયનાં રૂપાંતર-નિખાર થયાંકરશે. તેમતેમ આ પ્રક્રિયા પણ સમજાતી જશે. સૌથી પહેલાં એ વાત ખ્યાલમાં આવી જવી જોઈએ કે આપણી વધારાની શક્તિ ક્યાકેન્દ્રથી વ્યય થઈ રહી છે. જો પ્રાકૃતિક રીતે કે વિકૃતિ દ્વારા, શક્તિ અધોગમન તરફ વ્યય થતી હોય, તો ઊર્ધ્વગમન માટેનાં જે કેન્દ્રો છે, તેના તરફ ધ્યાન વાળવું જોઈએ. એક નાનકડી ઘટના સમજાવી, મારી આજની વાત પૂરી કરીશ. ધર્મગુરુઓનું એક સંમેલન ભરાયું હતું. મોટા મોટા ધર્મગુરુઓ એક દેશની એક નગરીમાં એકઠા થયા હતા. એ દેશમાં ચાર મોટા ધર્મ છે. એ ચાર ધર્મોના ધર્મગુરુ પોતપોતાની વાતોમાં મસ્ત હતા. સંમેલન પૂરું થવાનો સમય થયો. બધા પોતપોતાની બડાઈની વ્યર્થ વાતો કરતા હતા. ઊંચી ઊંચી ચર્ચાઓ થઈ, નકલી વાતો પૂરી થઈ ગઈ. છેવટે થોડા ધર્મગુરુ બેઠાબેઠા ગપશપ કરતા હતા એમાં એક પંચોતેર વર્ષના વૃદ્ધ ધર્મગુરુ બોલ્યા, જાતજાતની વાતો થઈ ગઈ. લોકો સાંભળીને ચાલ્યા ગયા. પણ હવે આપણે આપણી ખરી પરિસ્થિતિ શું છે, તે સમજવું જોઈએ. હું આશા રાખું છું કે તમે બધા નિખાલસતાથી તમારી અસલી પરિસ્થિતિ વિષે કાંઈ નહીં છુપાવો. મારે પણ હવે તમારાથી કાંઈ છુપાવવું નથી. મારી એવી પરિસ્થિતિ છે કે મને ધન બહુ આકર્ષે છે. દિવસ-રાત હું મારા અનુયાયીઓને ધન વિરુદ્ધની વાતો કરું છું. પરંતુ મારી પોતાની ધન પર ખૂબ પકડ છે. જો કોઈ મારો એક પૈસો ખોટો કરે તો મને
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૬
તપ એટલે આપણી ઊર્જા......
આખી રાત ઊંઘ આવતી નથી. વળી જો મને પૈસા મળી જાય તો એની ઉત્તેજના પણ રાતભર ટકી રહે છે અને ઊંઘ આવતી નથી. ધન મારી એક મોટી કમજોરી છે. એ કમજોરી કેમેય કરી મારાથી પાર કરાતી નથી. એને હું જીતી શકતો નથી. તમારામાંથી જો કોઇ આ કમજોરીને જીતી શક્યું હોય તો એનું રહસ્ય બતાવો.’
બીજા એક ધર્મગુરુએ કહ્યું, ‘એ કમજોરીને જીતી તો હું પણ નથી શક્યો. પરંતુ મારી વળી બીજી મુશ્કેલી છે. મારી મુશ્કેલી મારો અહંકાર છે. એના માટે જ જાણે હું જીવું છું ઊંડું છું, બેસું છું. હું અહંકારની વિરુદ્ધ મારા ચેલાઓને ઘણી વાતો કરું છું, પરંતુ હું જાતે એની પાર જઇ શક્યો નથી.’ ત્રીજાએ કહ્યું, ‘મારી કમજોરી કામવાસના છે. સ્ત્રી માત્ર મારી નબળાઇ છે. દિવસ-રાત બ્રહ્મચર્યની ચર્ચા કરું છું. એનાથી થતાં લાભ નુકસાનની વાત કરું છું. જે વ્યાખ્યાનમાં સ્ત્રીઓ હાજર હોય છે, તે દિવસે ચર્ચા કરવાની કાંઇ ઓર મજા આવે છે. તે દિવસે મારી અભિવ્યક્તિમાં એક જોશ આવી જાય છે. તે દિવસની વાતની રંગત જ કાંઈ જુદી હોય છે. હું બરાબર જાણું છું અને સમજું છું કે આ પણ એક કામવાસનાની કરામત છે. હું પણ કામવાસનાની પાર જઇ શકતો નથી.’
ચોથો માણસ મુલ્લા નસરૂદ્દીન હતો. એ તો ઊભો થઇ ગયો અને કહ્યું કે ‘હું હવે જાઊં છું. મને ક્ષમા કરો. બીજાઓએ કહ્યું કે તમે તમારી કમજોરીની કાંઈ વાત જ ન કરી.
મુલ્લાએ કહ્યું, ‘મારી એકમાત્ર કમજોરી છે અને તે છે લોકોની નિન્દા. હવે હું અહીં એક ક્ષણ પણ નહીં રોકાઇ શકું. મારા મિત્રો મારી રાહ જોઇ રહ્યા હશે. મેં અહીં જે સાંભળ્યું છે, તે મારે કહી દેવું પડશે. ક્ષમા કરો, મારી આ જ મોટી કમજોરી છે, અફવાઓ ફેલાવવાની. હવે હું નહીં રોકાઇ શકું.’
પેલા ત્રણે ધર્મગુરુઓ ઊભા થઇ ગયા. મુલ્લાને પકડવાની કોશિશ કરતાં પૂછ્યું, ‘ઊભો રહે ભાઇ, તારી આ કમજોરી તો બહુ ખતરનાક છે. તે અમને પહેલેથી આકેમ ના કહ્યું. તું તો ચુપચાપ બધું સાંભળી રહ્યો હતો !’
દરેક વ્યક્તિની કાંઇ ને કાંઇ કમજોરી હોય છે. એને બરાબર સમજી લેવી જોઇએ. એમાં જ આપણી બધી શક્તિ વપરાઇ જતી હોય છે.
મુલ્લાએ કહ્યું, ‘જ્યાં સુધી તમારી વાતો મેં સાંભળી લીધી ન હતી ત્યાં સુધી હું શાંત બેસી રહ્યો હતો. હવે મારી શક્તિ જાગી ગઇ છે. જ્યાં સુધી આ વાતો હું બીજાને કહી ન દઉં, ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે. મારી આ જ કમજોરી છે. મારી શક્તિ જાગી ગઇ અને તે નિન્દા પૂરી કર્યા પછી જ શાંત થશે. જાગી ગયેલી શક્તિનો નિકાસ ન થાય, એનો વ્યય ન થઇ જાય ત્યાં સુધી આરામ મળી શકતો નથી.’ મુલ્લાં અત્યાર સુધી સુસ્ત બેઠો હતો. તેનામાં એકાએક જાણે પ્રાણસંચાર થઇ ગયો, એક જ્યોતિ જાગી ગઇ. એની આંખોમાં ચમક પેદા થઇ ગઇ ! મુલ્લાને સ્વપ્નેય ખ્યાલ ન
Page #182
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
૧૭૭
હતો કે આ સંમેલનમાં આટલી મજા આવશે.
આપણી શક્તિનો વ્યય થવાનાં ખાસ કેન્દ્ર છે. ભોગ હોય કે ભોગની વિરુદ્ધ ત્યાગ કરવાનો હોય, શક્તિ વ્યય થવાનું કેન્દ્ર એ જ હોય છે. ધ્યાન આપણું ત્યાં જ કેન્દ્રિત થયેલું હોય છે અને શક્તિ પણ ત્યાંથી જ વિસર્જિત થાય છે.
એટલે ધ્યાન કે તપ, એ વિસર્જનના કેન્દ્રને સમજવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા પર લાંબી ચર્ચા થશે. કારણકે મહાવીરે તપના બાર વિભાગ સમજાવ્યા છે. એક એક વિભાગ અત્યંત વૈજ્ઞાનિક પ્રક્રિયાનો હિસ્સો છે, એના પર કાલથી ચર્ચા કરીશું.
Page #183
--------------------------------------------------------------------------
________________
धम्म-सूत्र
धम्मो मंगलमुक्किठें, अहिंसा संजमो तवो। देवा वि तं नमंसन्ति, जस्स धम्मे सया मणो॥
धर्भ सर्वश्रेष्ठ भंग छे. (यो धर्म?) अहिंसा, संयम, मने त५३पी धर्म भंग छे. મનુષ્યનું મન આવા ધર્મમાં સદા સલંગ્ન રહે છે, તેને દેવતા પણ નમસ્કાર કરે છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
૯. ત૫: ઊર્જા શ૨ી૨ના અનુભવ
મનુષ્યની પ્રાણઊર્જાનું રૂપાંતર કરવાની પ્રક્રિયાનું નામ તપ છે. એ વિષે થોડાં વૈજ્ઞાનિક સત્ય સમજી લેવાં જરૂરી છે. ધર્મ વિજ્ઞાન તો છે જ ! એમ કહી શકાય કે એ પરમ વિજ્ઞાન છે, ‘Superme Science.’ કારણકે જેને આપણે વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ તે તો માત્ર પદાર્થને જ સ્પર્શ કરે છે. જ્યારે ધર્મ તો ચેતનાનો સ્પર્શ કરી શકે છે, જે સમાન્ય રીતે, અસંભવ લાગે છે. વિજ્ઞાન તો માત્ર પદાર્થને બદલે છે, પદાર્થને નવાં રૂપ આપે છે. એ પદાર્થને આપણે સ્પર્શી શકીએ છીએ કે જોઇ શકીએ છીએ. પરંતુ ધર્મ તો ચેતનાને રૂપાંતરિત કરે છે, જે આપણે જોઇ પણ શકતા નથી એને સ્પર્શી પણ શકતા નથી. એટલા માટે ધર્મ પરમ વિજ્ઞાન છે. વિજ્ઞાન પદાર્થને બદલે છે, ધર્મ માનવીને બદલે છે.
વિજ્ઞાનનો અર્થ છે, ‘To know the how’ કોઇ ચીજ કેવી રીતે કરી શકાય છે એ જાણવું. વિજ્ઞાનનો અર્થ છે, એ પદ્ધતિ, એ પ્રક્રિયા, એ વ્યવસ્થાને જાણવી જેનાથી પદાર્થમાં કાંઇ ફેરફાર કરી શકાય. બુધ્ધ કહે છે, સત્યનો એ અર્થ છે. એવી પ્રક્રિયા કે જેનાથી માનવીનું રૂપાંતર થઇ શકે, માનવીમાં કોઇ ક્રાંતિ અને પરિવર્તન પેદા થઇ શકે. જે માત્ર સિદ્ધાંત છે એ સત્ય નપુંસક છે. વ્યર્થ છે. તેનાથી કાંઇ માનવીનું રૂપાંતર ન થઇ શકે. ધર્મ તો અમૂલ રૂપાંતર mutatin કરે છે માનવીનું. એટલે બધાં તપ, માનવીના રૂપાંતરની પ્રક્રિયાનાં પ્રાથમિક સૂત્રો છે. ધર્મનો આધાર શું છે અને કેવી પ્રક્રિયાઓથી એ માનવીને બદલે છે તે આપણે સમજીએ.
સૌથી પહેલી વાત એ સમજવાની છે કે જગતમાં આપણને જે કાંઇ દેખાય છે તે બધું, આપણને દેખાય છે તેવું, સ્થિર, સ્થાયી અને જામી ગયેલા કોઇ પદાર્થ જેવું નથી. હવે વિજ્ઞાન કહે છે કે જગતમાં કોઇ પણ ચીજ સ્થિર અને સ્થાયી નથી. સર્વ કાંઇ ગતિશીલ છે. DYNAMIC છે. જે ખુરસી પર આપણે બેઠા છીએ તે પણ સ્થિર કે સ્થાયી નથી. એ પણ નદીના પ્રવાહની જેમ
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૮૦
તપ: ઊર્જશરીરના અનુભવ
ગતિમાન છે. જે દીવાલો આપણી ચારે બાજુ દેખાય છે તે પણ નક્કર, ગતિશૂન્ય, સ્થાયી નથી. વિજ્ઞાન કહે છે, બધા પદાર્થોમાં સતત પરિવર્તન થયા કરે છે. દિવાલોમાં પણ સમય જતાં પરિવર્તન થાય છે, પરંતુ એ પરિવર્તન એટલું ઝડપી છેકે આપણી આંખો, એની ગતિને, એના પરિવર્તનને, એનામાં થતાં ફેરફારને પકડી શકતી નથી. જે આપણે વીજળીથી ચાલતા પંખાને એકદમ પૂરા વેગથી ચલાવીએ તો એની પાંખો આપણે ગણી ન શકીએ, એટલું જ નહીં, પણ એનો વેગ એકદમ જોરદાર હોય તો જાણે એક વર્તુળધૂમી રહ્યું હોય એવું લાગશે. પંખાની પાંખો વચ્ચે જે ખાલી જગ્યા છે તે આપણને નહીંખાય. વિજ્ઞાન તો કહે છે કે પંખાને એટલો જોરથી ફેરવી શકાય કે એને તમંચાથી ગોળી મારીએ તો એ ગોળી પંખાની બે પાંખોવચ્ચેથી પસાર થઈ શકે. ગોળી પાંખડીમાં કાણું કરીને નીકળી જશે. પંખો એટલા જોરથી ચલાવી શકાય, કે તમે એ ચાલતા પંખાની ઉપર બેસો તો એની બે પાંખો વચ્ચેથી નીચે પડીનાશકો, કારણકે તમને નીચે પડવામાં જેટલો સમય લાગે તે દરમિયાન બીજી પાંખતમારી નીચે આવી જાય છે. ત્યારે એ પંખો ફરતો હોય છતાં આપણને નક્કર, સ્થિર દેખાશે, જાણે એ ચાલતો જ નથી. એટલે ગતિ જો એકદમ વધી જાય તો બધા પદાર્થો સ્થિર અને સ્થાયી લાગશે. એ સ્થિરતા એની ઝડપને કારણે લાગે છે. ખરેખર સ્થિર કાંઈ જ નથી. જે ખુરસી પર તમે બેઠા છો, એના પ્રત્યેક પરમાણુની ગતિ એટલી ઝડપી છે, કે તે ગતિથી સૂર્યનાં કિરણ પૃથ્વી પર પહોંચે છે. પ્રકાશનો કિરણ એક સેકન્ડના એક લાખ છયાસી હજાર માઈલની ગતિથી આપણી પૃથ્વી પર પહોંચે છે. ખુરસીમાં પરમાણુ પણ એટલી જગતિથી ઘૂમી રહ્યાં છે માટે આપણે એના પરથી પડી જતા નથી. પરમાણુની તીવ્રગતિ આપણને ખુરસી પર ટકાવી રાખે છે. આ ગતિ પણ બહુઆયામી multi dimensioal છે. જે ખુરસી પર તમે બેઠા છો તેના પ્રત્યેક પરમાણુંelectron, પોતાના એકકેન્દ્રnucleus ની આસપાસ ઘૂમી રહ્યાં છે. ખુરસી જે પૃથ્વી પર રખાઈ છે, તે પૃથ્વી પણ પોતાની ધરી પર ઘૂમી રહી છે. પૃથ્વીના ધૂમવાને કારણે, ખુરસીમાં એક બીજી ગતિએ પ્રવેશ ર્યો. એક ગતિ ખુરશીની પોતાની આંતરિક છે, એના પરમાણુને કારણે. બીજ ગતિ છે, પૃથ્વીને કારણે, જે પોતાની ધરી પર ધૂમી રહી છે. ત્રીજી ગતિ પૃથ્વીની સૂર્યની આસપાસ - સૂર્યને કેન્દ્ર બનાવી ધૂમવાની છે. ખુરસી પર એ ગતિ પણ કામ કરે છે. ચોથી ગતિ સૂર્યની છે, પોતાની ધરી પર ધૂમી રહ્યો છે અને પોતાનાં ગ્રહમંડળને પોતાની આસપાસ ધૂમાવે છે. પાંચમી ગતિ માટે વૈજ્ઞાનિકો કહે છે કે સૂર્ય પણ કોઈ મહાસૂર્યની આસપાસ ચક્કર લગાવી રહ્યો છે. એ ચક્કર ૨૦કરોડ વર્ષમાં એકવાર પુરું થાય એટલું મોટું છે. આ પાંચમી ગતિ પણ ખુરસી કરી રહી છે. એથી વધુ આગળ વૈજ્ઞાનિકો કહે છે કે છઠ્ઠી ગતિએ માસૂર્યની છે. જે પણ પોતાની ધરી પર ફરી રહ્યો છે. એ માસૂર્યની આસપાસ પણ આપણો એકમાત્ર સૌર પરિવાર નથી. બીજા અનેક સૌર પરિવાર, એ મહાસૂર્યની આસપાસ ઘૂમી રહ્યા છે. છેલ્લી ગતિ અને સાતમી ગતિ એ
Page #186
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ઃ મંત્ર
૧૮૧
મહાસૂર્ય, આકાશગંગાઓના કોઇ મહાશૂન્ય તરફ ઇશારો કરે છે. જેને Black Hole કહેવાય છે. તો પદાર્થની આવી સાત ગતિ છે.
માનવીમાં આઠમી ગતિ પણ છે પ્રાણની, જીવનની. ખુરસી ચાલી નથી શકતી. જીવનની પોતાની સ્વયમ્ની ગતિ છે. એ આઠમી ગતિ છે. ધર્મ કહે છે કે માનવીમાં નવમી ગતિ પણ છે. જે માનવી ચાલી શકે છે તેની ભીતરમાં જે ઊર્જા છે, તે નીચે તરફ જઇ શકે છે અને ઉપર તરફ પણ જઇ શકે છે.
આ જે નવમી ગતિ છે તેની સાથે તપને સંબંધ છે. આઠ ગતિ સુધી વિજ્ઞાન કામ કરે છે અને નવમી ગતિ, જે પરમગતિ છે. ચેતાનાને ઉપર કે નીચે લઇ જનારી ગતિ છે, તેના પર ધર્મની બધી પ્રક્રિયાનાં મંડાણ છે.
મનુષ્યની જે ઊર્જા છે તે નીચે યા ઉપર તરફ જઇ શકે છે. જ્યારે તમે કામવાસનાથી ઘેરાયલા હો છો ત્યારે એ ઊર્જા નીચે તરફ વહે છે. જ્યારે તમે આત્માની શોધમાં આવિષ્ટ હો, ત્યારે એ જ ઊર્જા ઉપર તરફ વહે છે. જ્યારે તમે જીવનથી ભરપુર હો, ત્યારે એ ઉર્જા તમારા ભીતરમાં ઘૂમ્યા કરતી હોય છે. ધર્મની દૃષ્ટિએ, ભીતરમાં ઊર્જાનું વહેવું કે એનું ઉપર તરફ વહેવું, એક જ દિશાનાં બે નામ છે. જ્યારે તમે મૃત્યુની નજીક આવો છો ત્યારે એ ઊર્જા તમારા શરીરની બહાર વહેવા લાગે છે. મૃત્યુ સમય નજીક આવે ત્યારે માણસની આભા-aura-ઝાંખી પડે છે, માનવી ફિક્કો પડી જાય છે.તેનું એકમાત્ર કારણ, આ ઊર્જાનું બહાર વહન થવાનું શરૂ થાય છે એ છે.
દસ વર્ષ પહેલાં, મૃત્યુ સમયે ઊર્જા બહાર વહી જાય છે એ વાત માનવા વૈજ્ઞાનિકો તૈયાર ન હતા, પરંતુ રશિયામાં ડેવિડોવીચ કિરલિયાનની ફોટોગ્રાફીની શોધ પછી આખી ધારણા બદલાઇ ગઇ છે.
કિરલિયાનની વાત મેં પહેલાં તમને કરી હતી. એ વિષે આજની ચર્ચા માટે જે બાબત મહત્ત્વની છે તે મારે તમને કહેવી છે. કિરલિયાને પોતાના કેમેરાથી જીવન્ત વ્યક્તિઓનાં જે ચિત્રો લીધાં છે તેમાં દરેકમાં શરીરની આસપાસ ઊર્જાનું એક વર્તુળ energy field સ્પષ્ટ દેખાય છે. કિરલિયાનના કેમેરામાં જ આવાં ચિત્રો ઝડપાય છે. એ કેમેરાથી જો કોઇ તાજી મૃત્યુ પામેલી વ્યક્તિનું ચિત્ર લેવાય, તો એની આસપાસ ઊર્જાનું કોઇ વર્તુળ દેખાતું નથી, પરંતુ ઊર્જાનાં ગુચ્છ, એ મૃત શરીરમાંથી બહાર નીકળતાં દેખાય છે. મૃત્યુ પછી ત્રણ દિવસ સુધી આવા ઊર્જાનાં ગુચ્છ શરીરમાંથી બહાર નીકળ્યા કરે છે. પહેલે દિવસે વધારે, બીજા દિવસે ઓછા અને ત્રીજે દિવસે એકદમ ઓછા ઊર્જાનાં ગુચ્છ નીકળતાં રહે છે. ત્રીજા દિવસ પછી જ્યારે ઉર્જાનાં ગુચ્છ બહાર નીકળવાના બંધ થઇ જાય ત્યારે માણસ પૂરી રીતે મૃત્યુ પામે છે. જ્યાંસુધી આ રીતે ઊર્જા બહાર નીકળતી હોય,ત્યાં સુધીમાં માણસને ફરીથી જીવતો કરવાની કોઇ વિધિ કદાચ ભવિષ્યમાં વૈજ્ઞાનિકો ખોળી શકશે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૮૨
તપ : ઊર્જાશ૨ી૨ના અનુભવ
મુત્યુ સમયે આ રીતે ઊર્જા બહાર નીકળી રહી હોય છે ત્યારે માનવીનું વજન ઓછું થતું નથી. નિશ્ચિતપણે એમ કહી શકાય કે એ એક એવી ઊર્જા છે જેના પર ગુરુત્વાકર્ષણ gravitation ની કોઇ અસર નથી. કારણકે વજનનો અર્થ જ એ છે કે પૃથ્વીમાં જે ગુરુત્વાકર્ષણની શક્તિ છે તેના ખેંચાણનો પ્રભાવ. તમારું જે વજન છે તે તમારું વજન છે એમ તમે ભૂલચૂકે પણ ન સમજતા. એ વજન તમારા પર જમીનના ખેંચાણનું વજન છે. જમીન જે તાકાતથી તમને ખેંચી રહી છે તે તાકાતનું એ માપ છે. તમે જો ચંદ્ર પર જાઓ તો તમારું વજન સાઠ કિલો હોય તો ચંદ્ર પર માત્ર પંદર કિલો હશે. એનાથી તમે એ પણ સમજી શકો છો કે પૃથ્વી પર જો તમે છ ફૂટ ઊંચા કૂદી શકતા હો તો ચંદ્રપર તમે ચોવીસ ફૂટ ઊંચા કૂદી શકો. અંતરિક્ષમાં ચંદ્ર તરફ જે યાત્રી જાય છે, તેનુ વજન, એના યાનમાં, કેપ્સુલમાં space ship માં, કાંઇ હોતું નથી. કારણકે યાનમાં કોઇ ગુરુત્વાકર્ષણ હોતું નથી. એટલે યાત્રીને પટ્ટાથી એની ખુરસી સાથે બાંધી રાખવો પડે છે. જો એ પટ્ટો છૂટી જાય તો યાનની છત સાથે, ગેસ ભરેલા ફુગ્ગાની જેમ એ ટકરાય. કારણકે એનામાં વજન જ હોતું નથી, જે એને નીચે ખેંચે, એટલે વજન જે છે, તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે છે.
કિરલિયાન પ્રયોગથી એ સિદ્ધ થયું છે કે માનવીમાંથી મૃત્યુ સમયે ઊર્જા બહાર તો નીકળે છે. પરંતુ એનું વજન ઓછું થતું નથી. એટલે એનો એ અર્થ થયો કે એ ઊર્જા પર ગુરુત્વાકર્ષણનો કોઇ પ્રભાવ નથી. યોગના પ્રયોગમાં કેટલાક યોગીઓ, જમીનથી અદ્ધર જાય છે. તેમાં levitation માં, આ ઊર્જાનો જ ઉપયોગ છે.
થોડાં વર્ષો પહેલાં નિજિન્સ્કી નામે એક અદ્ભૂત નૃત્યકાર થઇ ગયો. એનું નૃત્ય અસાધારણ હતું, કદાચ પૃથ્વી પર એવા નૃત્યકાર પહેલાં નહીં જન્મ્યા હોય. એની અસાધારણતા એ હતી કે એ પોતાના નૃત્ય વખતે, જમીનથી એટલો ઊંચે જતો કે એવું ઉપર જવું સામાન્ય રીતે શક્ય નથી. એથી વધારે આશ્ચર્યજનક તો એ વાત હતી કે એ માણસ ઉપરથી, જમીન તરફ જ્યારે આવતો ત્યારે એટલો ધીમેથી ઊતરતો કે જાણે એના પર ગુરુત્વાકર્ષણની અસર જ નથી. સામાન્ય રીતે એટલા ધીમે, ગુરુત્વાકર્ષણની અસરને કારણે, ઉતરવાનું શક્ય નથી, આ નિજિન્સ્કીનો ચમત્કાર હતો. જ્યારે એનાં લગ્ન થયાં ત્યારે એની પત્ની પણ એનું આ નૃત્ય જોઇ આશ્ચર્યચકિત થઇ ગઇ. એની પત્ની પણ નર્તકી હતી.
નિજિન્સ્કીની પત્નીએ એની આત્મકથામાં લખ્યું છે કે મેં એક દિવસ મારા પતિને કહ્યું કે ‘તું તારી જાતને નાચતો જોઇ શકતો નથી એ અત્યંત શરમજનક છે !’ નિજિન્સ્કીએ જવાબ આપ્યો, ‘કોણ કહે છે કે મારી જાતને જોઇ શકતો નથી. હું બરાબર જોઇ શકું છું, કારણકે ત્યારે હું મારા શરીરની બહાર હોંઉ છું. હું મારા શરીરની બહાર રહીને, એને નૃત્ય કરાવું છું. હું નૃત્ય સમયે મારી જાતને, દર વખતે બરાબર જોતો હોઉં છું, કારણકે હું હંમેશાં બહાર હોઉં છું. જ્યારે હું બહાર નથી હોતો ત્યારે આટલો જમીનથી ઊંચે નથી જઇ શકતો. એટલું જ નહીં, ત્યારે આટલો ઘીમે જમીન
Page #188
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
૧૮૩
તરફ આવી પણ નથી શકતો. જ્યારે હું ભીતરમાં રહીને નૃત્ય કરું છું ત્યારે મારામાં વજન હોય છે. જ્યારે હું બહાર રહીને નૃત્ય કરું છું ત્યારે મારા શરીરનું વજન ઓછું થઇ જાય છે.’
યોગ કહે છે કે જ્યારે કોઇ વ્યક્તિનું અનાહત ચક્ર જાગ્રત થઇ જાય છે ત્યારે જમીનના ગુરુત્વાકર્ષણનો પ્રભાવ એના પર અત્યંત ઓછો થઇ જાય છે. વિશેષ પ્રકારનાં નૃત્યનો પ્રભાવ અનાહત ચક્ર પર પડે છે અને એમાં યોગીને કોઇ પ્રયાસ કરવો પડતો નથી. નિજિન્સ્કી નૃત્ય કરતાં કરતાં પોતાનું અનાહત ચક્ર સક્રિય કરી લેતો હતો. બીજી એક એવી ખૂબી છે કે જે વ્યક્તિનું અનાહત ચક્ર સક્રિય થઇ જાય તેને શરીરની બહારના અનુભવો out of body experience થવા લાગે છે. એ પોતે શરીરની બહાર ઊભો રહીને તે અનુભવે છે. પરંતુ જ્યારે તમે શરીરની બહાર હો છો ત્યારે જે શરીરની બહાર હોય છે તે પ્રાણઊર્જા છે. ખરેખર તમે પોતે એ ઊર્જા જ છો, એ ઉર્જાને મહાવીરે જીવનઅગ્નિ કહી. એ ઊર્જાને જગાડવાની પ્રક્રિયાને વૈદિક સંસ્કૃતિએ યજ્ઞ કહ્યો.
એ ઊર્જા જાગી જતાં જીવનમાં એક નવી જ ઉષ્મા પેદા થાય છે. એ ઉષ્મા અત્યંત શીતલ હોય છે. સમજવું ખૂબ મુશ્કેલ પડે છે. તપસ્વી એટલો શીતલ હોય છે કે એના જેવું કોઇ બીજું ન હોઇ શકે. છતાં એને આપણે તપસ્વી કહીએ છીએ કારણકે સાધારણ રીતે તપસ્વી એટલે તાપથી, ગરમીથી ભરેલો છે, એમ સમજીએ છીએ. પરંતુ એનો અગ્નિ જેટલો જાગે છે, એટલી જ એના કેન્દ્રમાં શીતલતા પેદા થાય છે.
વૈજ્ઞાનિકો પહેલાં એમ સમજતા હતા કે આપણો સૂર્ય છે તે ભડભડ બળતો અગ્નિ છે. પરંતુ હવે વૈજ્ઞાનિકો એમ કહે છે કે સૂર્યનું કેન્દ્ર એક અત્યંત શીતલ સ્થાન છે. ચારે તરફ ભભૂકતા અગ્નિનું વર્તુળ છે, પોતાના કેન્દ્રમાં સૂર્ય સર્વાધિક શીતલ બિંદુ છે. હવે એ વાત સમજાતી જાય છે કે જ્યાં એટલો અગ્નિ પ્રજ્વલિત થયો હોય ત્યાં એનાં સંતુલન માટે કેન્દ્ર શીતલ હોવું જોઇએ.
ઠીક આવી જ ઘટના તપસ્વીના જીવનમાં બને છે. તપસ્વીની ચારે તરફ ઉત્તમ થયેલી ઊર્જાને સંતુલિત કરવા, એનું કેન્દ્ર શીતલ થઇ જાય છે. ખરેખર એ શીતલતા અનિવાર્ય છે, એ ન હોય તો અસંતુલનને કારણે ગરમી વીખરાઇ જાય છે.
તમે ઉનાળાના દિવસોમાં, ધૂળનો વંટોળિયો ઊઠતો જોયો હશે. એ વંટોળિયો શમી જાય તે પછી તમે એ રેતી કે ધૂળના ઢગલા પાસે જશો તો ચારે તરફ વંટોળિયાએ સર્જેલો વિનાશ તમને દેખાશે, પરંતુ એમાં એક એવું બિન્દુ હશે, જ્યાં એ વિનાશનું નામ નિશાન નહી હોય. એ વંટોળિયો શૂન્યની ઘરી આસપાસ ઘૂમતો હતો. જ્યારે બળદનું ગાડું ચાલતું હોય છે ત્યારે એનાં પૈડાં ગોળ ગોળ ધૂમે છે, પરંતુ એ પૈડાંને ફરવા માટેનો આધાર બને છે. એ પૈડાંથી વિપરીત ચાલતી ધરી સંતુલન સાચવે છે. જીવનનો નિયમ છે કે સંતુલન હંમેશાં વિપરીતથી થાય છે.
એટલે સાચા તપસ્વીનો પ્રયત્ન એવો હોવો જોઇએ કે એ પોતાની આસપાસ એટલો અગ્નિ પેદા
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૪
તપ : ઊર્જાશ૨ી૨ના અનુભવ
કરી લેકે એ અગ્નિના પ્રમાણમાં એની ભીતર શીતલતાનું કેન્દ્રલંભ થાય. એ તપસ્વી પોતાનામાં એટલી ગતિશીલ dynamic શક્તિ પેદા કરી લેકે એનામાં એક શૂન્ય બિંદુ ઊભું થાય. એની આસપાસ ઊર્જાનું એવું તીવ્ર પરિભ્રમણ થાય કે એની ધરી સ્થિર થઇ જાય.
આ પ્રક્રિયા એવી ઊલટી દેખાય છે કે એને સમજવામાં મોટી ભૂલ થઇ જાય છે. એમ લાગે છે કે તપસ્વી માત્ર અગ્નિ પેદા કરવામાં જ ઉત્સુક છે. નહીં, તપસ્વી શીતલતા પ્રતિ ઉત્સુક છે. પરંતુ શીતલતા પેદા કરવાની પ્રક્રિયા એની ચારે તરફ અગ્નિ-તાપ પેદા કરશે. પરંતુ એ તાપ બહારનો નથી. એ તાપ એવો નથી કે જેવો આપણે આપણી આસપાસ સગડી સળગાવીને પેદા કરીએ છીએ. એ તાપ આંતરિક છે. એટલા માટે મહાવીરે, તપસ્વીને પોતાની આસપાસ સગડી સળગાવવાનો નિષેધ કર્યો છે. કારણકે સગડીનો તાપ બહારનો છે. એનાથી આંતરિક શીતલતા પેદા નહીં થાય. ધ્યાનમાં લેવાની વાત એ છે કે આંતરિક તાપ હશે, તો આંતરિક શીતલતા પેદા થશે; બહારનો તાપ હશે તો બહાર શીતલતા પેદા થશે. જો આપણે અંતર ભણી યાત્રા કરવાની હોય તો એની અવેજીમાં બહારનો તાપ પેદા કરવાનો પ્રયત્ન ખતરનાક છે.
શું એવો તાપ ભીતરમાં પેદા કરી શકાય ? કિરલિયાને પોતાના કેમેરામાં એવી વ્યક્તિઓના ફોટા લીધા છે, જેમની આંગળીઓમાંથી, ધ્યાનમાં ઊંડા ઊતર્યા પછી, વીજળીના ભડકા નીકળતા હોય. સ્વિડનમાં રહેનાર એક વ્યક્તિ ધ્યાનમાં ઊતર્યા પછી, પોતાના હાથમાં પાંચ કેન્ડલ પાવરનો બલ્બ સળગાવી શકતો હતો. એ જેવો ધ્યાનમાં ઊંડો ઊતરે કે એના હાથમાં રાખેલો બલ્બ, ધીમેધીમે પ્રકાશિત થવાનું શરૂ કરે છે.
પંદર વર્ષ પહેલાં હોલેન્ડની એક અદાલતમાં એક છૂટાછેડાનો કેસ દાખલ થયો, જેમાં એક પતિએ ફરિયાદ કરી કે એની પત્નીને એ અડવા જાય છે, ત્યારે એને વીજળીનો શૉક લાગે છે. એ સ્ત્રી અકસ્માતે એની ગાડીમાંથી બહાર પડી ગઇ હતી. તે પછી એને જે કોઇ અડે, તેને વીજળીનો શૉક લાગવાનું શરૂ થતું. એના પતિએ કહ્યું કે ‘મારે તાત્કાલિક ફારગતિ જોઇએ છે, કારણકે હું તો એને અડવાથી જ કદાચ મરી જઇશ.’ આવો છૂટાછેડાનો કેસ પહેલી વાર અદાલતમાં આવ્યો હતો. કાયદામાં આવા કારણે છૂટાછેડા અદાલતને મંજૂર કરવા પડયા. કારણકે એ સ્ત્રીના શરીરમાં વહેતી વીજળીમાં કોઇ છીદ્ર કે કાણું પેદા થઇ ગયું હતું.
તમારા શરીરમાં પણ ઋણ અને ધન-negative and positive-વીજળીનું એક વર્તુળ-cir
-
cuit- હોય છે. એમાં ક્યાંયથી છેદ પડી જાય તો તમારા શરીરની ઊર્જા-વીજળીનો, બીજાને શોક લાગવાનો શરૂ થઇ જશે. ક્યારેક અચાનક તમારા પોતાના કોઇ અંગમાં પણ ઝટકો લાગે છે, તે પણ આવા કોઇ આકસ્મિક leakage ને કારણે બને છે. તને રાત્રે સૂતા હો છો અને અચાનક તમને કાંઇ ઝટકો લાગે છે. એનું બીજું કોઇ કારણ નથી. સૂતી વખતે તમારી વીજળી-ઊર્જાને ઊંઘ સાથે શાંત થઇ જવું જોઇએ. પરંતુ એવું બનતું નથી, એટલે શરીરમાં એક પ્રકારની અડચણ
Page #190
--------------------------------------------------------------------------
________________
નમો અહિંતાણમ્: મંત્ર
૧૮૫
પેદા થાય છે. અને ત્યારે તમને શૉક લાગવાનો સંભવ છે.
આ આંતરિક ઊર્જાને સંમોહન hypnosis ના પ્રયોગો વડે વધારી કે ઘટાડી શકાય છે. મુસલમાન અને સૂફી ફકીરો અને યોગીઓ સળગતા અંગારા પર ચાલી બતાવે છે. એનું રહસ્ય એ છે કે એ પોતાની આંતરિક ઊર્જાને એટલી જગાડે છે, કે બહારના અંગારનો તાપ એને ઓછો લાગે છે, સાપેક્ષ રૂપમાં-relatively, એટલે એમને અંગારા ઠંડા લાગે છે. એમના શરીરની ગરમી, અંતર ઊર્જાનો પ્રવાહ, એટલો તીવ્ર હોય છે કે બહારની ગરમી ઓછી લાગે છે.
ગરમીનો અનુભવ સાપેક્ષ છે. તમારા એક હાથને બરફ પર રાખીને ઠંડો કરી લો અને બીજો હાથ સળગતી સગડી પર રાખી ગરમ કરી લો. પછી બન્ને હાથ, એક ઠંડા પાણીથી ભરેલી બાલદીમાં નાખશો, તો બન્ને હાથની ગરમી તમને અલગ અલગ ઉષ્ણતામાન બતાવશે. એક હાથ કહેશે કે પાણી ઠંડું છે અને બીજો હાથ કહેશે કે પાણી ગરમ છે. જે હાથ ઠંડો કરેલો છે તે કહેશે કે પાણી ગરમ છે અને જે હાથ ગરમ કરેલો છે તે કહેશે કે પાણી ઠંડું છે. તમે પોતે મૂંઝવણમાં પડી જશો. કદાચ અદાલતમાં કોઇ સાક્ષી આપવાનો પ્રસંગ ઊભો થાય કે બાલદીમાં અમુક સમયે પાણી ઠંડું હતું કે ગરમ ? તો સાધારણ રીતે તો આપણા શરીરનું તાપમાન બધે સરખું હોય છે એટલે આપણે સહેલાઇથી કહી શકીએ કે પાણી ગરમ છે કે ઠંડું પરંતુ એક હાથ ગરમ કરેલો હોય અને બીજો ઠંડો કરેલો હોય તો જ્યારે બાલદીમાં બન્ને હાથ નાખીએ ત્યારે જવાબ આપવાની મુશ્કેલી ઊભી થશે. ત્યારે તમારે મહાવીર જેવું વિધાન કરવું પડશે કે કદાચ પાણી ઠંડું પણ હોય, કદાચ પાણી ગરમ પણ હોય, ડાબો હાથ અને જમણો હાથ બન્ને અલગ અલગ જવાબ આપે છે, તો પાણી કેવું છે તે કેવી રીતે કહી શકીએ ? તમારું વક્તવ્ય સાપેક્ષ છે. તમે જે કહી રહ્યા છો તે પાણીના સંબંધમાં નહીં, પરંતુ તમારા હાથના સંબંધમાં કહો છો.
તમારી અંતરની ઊર્જા એક વખત જાગી જાય, પછી તમે અંગારા પર ચાલી શકો. એ અંગારાથી તમારા પગ પર ફોલ્લા નહીં ઊઠે. એનાથી ઊલટી ઘટના, સંમોહન-hypnosisમાં બને છે. જો હું તમને સંમોહિત કરી બેહોશ કરી દઉં, જે કરવાનું ઘણું સરળ છે અને તે પછી તમારા હાથમાં એક સાધારણ કાંકરો મૂકી તમને કહું કે તમારા હાથમાં સળગતો અંગારો છે, તો તમારો હાથ તરત બળવા લાગશે અને તમે એ કાંકરો ફેંકી દેશો. ત્યાં સુધી તો ઠીક, પરંતુ જો એનાથી તમારા હાથમાં ફોલ્લો પણ ઉઠે, તો તમે વિચાર કરતા થઇ જશો કે આવું કેવી રીતે બની શકે ? આમ કેવી રીતે બને છે ? જેવો હું તમને તમારી સંમોહિત અવસ્થામાં કહું કે હાથમાં સળગતો અંગારો મૂક્યો છે તમારા હાથની ઉર્જા ગભરાઇને ત્યાંથી હટી જાય છે. એક પ્રકારનો શક્તિનો અવકાશ-relative gap પેદા થાય છે. ખાલી જગ્યા પેદા થઇ જાય છે અને હાથ બળી જાય છે. એમાં એ હાથ અંગારાની આગથી નથી બળતો, પરંતુ ત્યાંથી તમારી ઊર્જાશક્તિ હટી જાય છે માટે આવું બને છે. તમારા હાથમાં સાચો સળગતો અંગારો મૂકીને તમને કહેવામાં આવે કે એક ઠંડો કાંકરો મૂક્યો છે તો
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૬
તપ : ઊર્જશરીરના અનુભવ
તમારો હાથ બળશે નહીં, કારણકે તમારી હાથની ઉર્જા ત્યાંથી હટતી નથી, પોતાના સ્થાને કાયમ રહે છે. આ તથ્યોનો અર્થ એ છે કે તમારી ઊર્જ, તમારા સંકલ્પના બળથી હટે છે, ઘટે છે, આગળ કે પાછળ ખસે છે. બીજાનાના મોટા પ્રયોગો કરીને આપણે આ અનુભવ કરી લઈશું, તો આ વાત સમજવી સહેલી થઈ પડશે. પહેલાં થર્મોમીટરથી તમારા શરીરનું તાપમાન માપી લો. પછી થર્મોમીટર બાજુએ રાખી, આંખ બંધ કરીને દસ મિનિટ, એક તીવ્ર ભાવ તમારામાં પેદા કરો કે તમારા શરીરમાં ગરમી વધી રહી છે. એકાગ્ર ચિત્તે ભાવકરો. દસ મિનિટ પછી ફરીથી થર્મોમીટરથી તમારું તાપમાન માપો. તમે ચક્તિ થઈ જશોકે થર્મોમીટનો પારો, તમારા તીવ્ર ભાવથી, થોડો ઉપર ચઢી ગયો. આમ જો અર્ધી ડિગ્રી કે એક ડિગ્રી ‘Degree” અંશ પારો ઉપર ચડી શકે તો વધારે કેમ ન ચઢી શકે? આપણા નિષ્ઠાપૂર્વકના પ્રયાસની, શ્રમની જ આ વાત છે. આ રીતે પારો જો ઉપર ચઢી શકતો હોય તો નીચે પણ ઊતરી શકે. તિબેટમાં હજારો વર્ષોથી સાધકો બરફની શિલાઓ પર બેસી કલાકો સુધી ધ્યાન કરે છે. એનું એકમાત્ર કારણ છે કે તે સાધકો પોતાની આસપાસ, એક જીવનઊર્જાનું વર્તુળ એવો ભાવ કરીને સજાગ કરી દે છે. ચીને તિબેટ પર આક્રમણ કર્યું તે પહેલાંની વાત છે. તિબેટની લ્હાસા યુનિવર્સિટી, પોતાના જે શિષ્યો, ઔષધિશાસ્ત્ર-Medicine નો અભ્યાસ કરી ચિકિત્સક થવા માગતા હોય, તેમની પરીક્ષા લેવાતી હતી. જ્યાં સુધી રાત્રે વરસતા બરફની રાતમાં માત્ર ભાવ દ્વારા ગરમી પેદા કરી શરીરમાંથી પરસેવો ન કાઢી શકે, ત્યાં સુધી યુનિવર્સિટી એ શિષ્યોને ચિકિત્સક તરીકેનું પ્રમાણપત્ર-Degree આપતી નહોતી. કારણકે જે ચિકિત્સાનો પોતાની જીવન ઊર્જા પર એટલો પ્રભાવનહોય, તે દર્દીની જીવન ઊર્જા પર પ્રભાવ કેવી રીતે પાડી શકે ? શિક્ષણ પૂરું થઈ જાય, પરંતુ પ્રમાણપત્ર તો આ કસોટીમાંથી જે પાર ઊતરે તેને જ મળે. એટલે જે લોકો તિબેટમાં ચિકિત્સક તરીકે કામ કરતા હતા તે બધા આ કસોટીમાંથી પાર ઊતરેલા હતા. આપણને આશ્ચર્યથી ભરી દે એવી વાત છે. કેટલાક શિષ્યોને છ મહિના લાગતા, કેટલાકને આખું વર્ષ લાગતું. જે શિષ્યો પ્રથમ આવતા, જેમને ઈનામમાં સુવર્ણચંદ્રક-Gold Medal મળતો, તેઓ આવી બરફ વરસતી રાતમાં, એક વખત નહીં પરંતુ દસકે વીસ વાર પરસેવો કાઢી શકતા હતા. તેઓ આવો પરસેવો કાઢતાતે પછી એમને ઠંડા પાણીથી નવરાવીફરીથી પરસેવો કાઢવા કહેવામાં આવતું. સમજવાની વાત છે કે આ માત્ર સંકલ્પને ભાવના બળથી બની શકતું હતું. કિરલિયન ફોટોગ્રાફીના અભ્યાસ પરથી એ સાબિત થઈ ચૂક્યું છે કે જે વ્યક્તિ સદ્ભાવથી સંકલ્પ કરે છે, એની ઊર્જાનું વર્તુળ એના ચિત્રમાં મોટું થઈ ગયેલું દેખાય છે. જે વ્યક્તિ ધૃણા અથવા ક્રોધથી ભરાયેલી હોય તેના ચિત્રમાં શરીરમાંથી ઊર્જાના ગુચ્છ બહાર નીકળતા હોય એવું દેખાય છે. જેવું મૃત્યુ સમયે બનતું હોય છે. જ્યારે તમે પ્રેમથી ભરેલા હો, જ્યારે તમે કરુણાથી
Page #192
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
૧૮૭
ભરેલા હો ત્યારે વિરાટ બ્રહ્મમાંથી તમારામાં ઊર્જના ગુચ્છ પ્રવેશ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે, કે પ્રેમમાં આપણે કાંઈ આપીએ છીએ અને ક્રોધમાં કાંઈ છીનવી લઈએ છીએ. પરંતુ સાચી વાત છે કે પ્રેમમાં તમે કાંઈ પામો છો, કરૂણામાં પણ કાંઈ પામો છો અને દયામાં પણ પામો છો, ત્યારે તમારી જીવનઊર્જા વધે છે. એટલે જ ક્રોધ કર્યા પછી તમે થાકી જાઓ છો અને કરુણાતમને સશક્ત, સ્વચ્છ અને તાજા બનાવે છે. એટલે જ કરૂણાવાનું ક્યારેય થાકતા નથી. ક્રોધી થાકેલો જ જીવે છે. કિરલિયાન ફોટોગ્રાફી મુજબ મૃત્યુ સમયે જે ઘટના બને છે, તેવી જ ક્રોધમાં નાના પાયા પર બને છે. મૃત્યુ સમયે મોટા પ્રમાણમાં ઊર્જાના ગુચ્છ શરીરની બહાર નીકળે છે. કિરલિયાન ફોટોગ્રાફીથી એક ફૂલનું ચિત્ર લીધું, જે ફૂલ હજી એની ડાળ પર લાગેલું છે. એ ફુલની આસપાસ એક ઊર્જાનું જીવંત વર્તુળદેખાય છે અને ચારે તરફ વિરાટમાંથી ઊર્જનાં કિરણ ફલમાં પ્રવેશતાં દેખાય છે. આ ચિત્રો હવે તો છપાઈ ચૂક્યાં છે અને તે જોવા મળી શકે છે. એક ફૂલને ડાળી પરથી તોડવામાં આવ્યું અને ફોટો લીધો તો તરત જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. જે કિરણો ફૂલમાં પ્રવેશી રહ્યાં હતાં તે પાછાં વળે છે. માત્ર એકસેકન્ડના અંતરે ડાળી પરથી ફૂલ તોડાય છે. ઊર્જા વિખેરાઈ જાય છે. ફૂલની પાંખડીઓ સુસ્ત થઈ ચીમળાઈ જાય છે ત્યારે એ ફૂલમાંથી બધી ઊર્જા નીકળીને શૂન્ય થઈ જાય છે. કિરલિયાને તો ફૂલ સાથે ઘણા અસામાન્ય પ્રયોગો ક્ય. એમાંથી આપણનેતપવિશે એક જુદી જ દૃષ્ટિ મળે છે. કિરલિયાને ફૂલને ડાળી પરથી ન તોડ્યું. પરંતુ એની છ પાંખડીમાંથી ત્રણ તોડી નાખી અને પછી પણ એ ફૂલની આસપાસ ઊર્જાનું જે વર્તુળ હતું તે એટલું જ કાયમ રહ્યું જેટલું છે પાંખડી વચ્ચે હતું. ફૂલનું જે આભામંડળ હતું તે પણ બીજી બે પાંખડી તોડી નાખીને એક જ રહી
ત્યાં સુધી પુરહયું. પરંતુ એ આભામંડળતીવ્રતાથી ઝાખું થવા લાગ્યું છતા પૂરુંકાયમ રહ્યું. એફૂલ ડાળી સાથે લાગેલું હતું ત્યાં સુધી. એટલે તમને સંમોહિત કરીને અથવાઅનેસ્થેસિયા આપીને બેહોશ કર્યા પછી, તમારો હાથ કાપી નાખવામાં આવે તો પણ તમને ખબર પડતી નથી, પીડા થતી નથી. એનું કારણ માત્ર એટલું જ હોય છે કે તમારો તમારા શરીર સાથેનો વાસ્તવિક અનુભવ, ઊર્જા શરીર દ્વારા જ હોય છે. તમારો હાથ કપાઈ ગયા પછી પણ તમને તે પૂરો મહેસૂસ થાય છે. જ્યારે તમે ભાનમાં આવો છો ત્યારે પીડા થાય છે અને તમે હાથ કપાયલો જુઓ છો ત્યારે તમને પીડા જણાય છે. ઘેરી નિદ્રામાં, સંમોહનમાંકે એનેસ્થેસિયા આપ્યા પછી તમારું તાદામ્ય, શરીરથી છૂટી જાય છે. પરંતુ ઊર્જા શરીર સાથે કાયમ રહે છે. તમારો અનુભવ પૂરો ઊર્જાશરીર સાથે જ રહે છે. તમે લંગડા થઈ જાવ તોપણ આંતરિક રીતે એમ લાગતું નથી કે કાંઈ ઓછું થઈ ગયું. બહાર તો ચાલી ન શકાય એટલી પીડા થાય છે, પરંતુ ભીતરમાં કાંઈ ઓછું થઈ ગયું હોય એવું લાગતું નથી. તમે ઘરડા થઈ જાવ તોપણ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૮
તપ: ઊર્જશરીરના અનુભવ
ભીતરમાં કાંઈ વૃદ્ધ થઈ ગયું હોય એવું લાગતું નથી. કારણકે જે ઊર્જા શરીર છે તે પહેલાંની જેમ કામ કર્યા કરે છે. એક અમેરીકન મનોવૈજ્ઞાનિક ડૉ.ગ્રીનનામે એક સર્જન હતો. તેણે માનવીના મગજના કેટલાક ભાગ કાપીને કાઢી લીધા. વૈજ્ઞાનિકો એ જાણીને આશ્ચર્ય પામ્યા કે કેટલાક મગજના હિસ્સા કાપ્યા પછી પણ, મનના કામમાં કોઈ બાધા કે અડચણ જણાયાં નહિ. મને પોતાનું કામ પહેલાંની જેમ ર્યા કરે. ડૉ. ગ્રીને કહ્યું કે આ ઉપરથી એટલું ચોક્કસ સિદ્ધ થાય છે કે મગજ એક ઉપકરણ સાધન માત્ર છે, એનો ખરો માલિક કોઈ, ક્યાંક પાછળ છુપાયો છે. બધું કામ એ જ કર્યા કરે છે. તમારા શરીરની આસપાસ જે આભામંડળ નિર્મિત થયેલું હોય છે, તે તમારા શરીરનું કિરણોત્સર્જન નથી, કે શરીરમાંથી નીકળતાં કોઈ કિરણોનો ફેલાવો નથી. પરંતુ ભીતરમાં જે ઊર્જશરીર છે તેનું જ આ ભૌતિક શરીર પ્રતિબિંબ છે. શરીર તમારા ભીતરના ઉર્જશરીરને દર્પણ રૂપે બહાર પ્રગટ કરે છે. આવું કિરલિયાનનું મંતવ્ય છે. બહાર દેખાતા આભામંડળનાં કિરણો, ભૌતિક શરીરનાં નથી, પરંતુ ભીતરનાં ઉર્જા શરીરનાં છે, એ માત્ર ભૌતિક શરીર મારફત બહાર પ્રગટ થાય છે. આપણે એક દીવો સળગાવ્યો હોય અને એની ચારે તરફ એક કાચનું આવરણ, હવારોકવા ઊભું કર્યું હોય તો એ પારદર્શક કાચની બહાર તેજનાં કિરણો પ્રસરે છે. પરંતુ એ કિરણો કાચનાં નથી, કાચમાંથી નીકળી રહ્યાં છે. કિરણો તો અંદરના દીવામાંથી બહાર આવી રહ્યા છે. એ જ રીતે આપણા શરીરમાંથી જે ઊર્જનીકળી છે. તે આ ભૌતિક શરીરની નથી, પરંતુ ભીતરના ઊર્જાશરીરની છે. કારણકે મરણ પામેલા માણસના શરીરનું પૂરું ભૌતિક તત્વતો એનું એ જ રહે છે, એમાંથી માત્ર ઉર્જાનાં વર્તુળ નીકળી ગયાં હોય છે. તપ માટે આ સૂક્ષ્મ શરીર પર જ કામ કરવાનું હોય છે. છતાં સામાન્ય રીતે આપણે જેમને તપસ્વીકહીએ છીએ તે લોકો આ ભૌતિક શરીરને સતાવવામાં સમયગુમાવે છે. ભૌતિક શરીર સાથે તપને કાંઈ લેવાદેવા નથી. ખરું કાર્યતો ભીતરમાં છુપાયેલા ઊર્જશરીર-energybody પર જ કરવાનું હોય છે. યોગમાં જે ચક્રોની વાત કરવામાં આવી છે તે ચક્રો ભૌતિક શરીરમાં ક્યાંય નથી, એ બધાં ઊર્જશરીરમાં છે. એટલે જ્યારે વૈજ્ઞાનિક આપણા શરીરને કાપીને એનો અભ્યાસ કરે છે ત્યારે એને એમાં કોઈ ચક્રો દેખાતાં નથી, એમાં કોઈ અનાહત, સ્વાધિષ્ઠાન કે મણિપુર ચક્રો મળતાં નથી. એ ચક્રો તો ઊર્જશરીરનાં બિંદુઓ છે. જોકે એ ઊર્જા શરીરનાં બિંદુઓ સાથે સુસંગત એવાં ભૌતિક શરીરમાં સ્થાન છે, પરંતુ એ સ્થાનો ચક્રો નથી.
જ્યારે તમે પ્રેમથી ભરેલા હો છો ત્યારે તમારા હૃદય પર તમે હાથ મૂકો છો તો જ્યાં આપણે હાથ * રાખીએ છીએ તે સ્થાન પર શસ્ત્રક્રિયા કરીને વૈજ્ઞાનિક જુએ તો ત્યાં ફેફસા અને હૃદય સિવાય
Page #194
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
૧૮૯
બીજું કાંઇ મળશે નહીં. એ તો હવા પંપ કરવાની યંત્રણા છે, એનાથી શરીરના ધબકારા ચાલુ રહે છે. હવે તો એ હૃદયને બદલીને પ્લાસ્ટીકનું બનાવેલું હૃદય પણ મૂકી શકાય છે. એ હૃદય વધુ સારું કામ આપી શકે છે, એ સડતુ નથી, તેમ ગળી જતું પણ નથી. પ્લાસ્ટિકના હૃદયને પણ heart attack આવી શકે છે. એ પ્લાસ્ટિકના હૃદયને અને હાર્ટએટકને શું સંબંધ છે ? એને તો એવો હૃદયનો હુમલો ન આવવો જોઇએ. એનો અર્થ છે કે એ હુમલો ક્યાંક બીજેથી આવી રહ્યો છે. પ્લાસ્ટીકના હૃદયને, પ્રેમી મરી જાય તો તેની કેમ ખબર પડે ? પ્રેમી મરી જાય તોપણ પ્લાસ્ટિક પર એનું શું પરિણામ આવી શકે ? પ્લાસ્ટિક પર કોઇ પરિણામ આવી શકતું નથી. પ્લાસ્ટિકનું હૃદય, કદાચ ધક્કો લાગ કે કાંઇ બીજો ધક્કો લાગે કે કાંઇ બીજા અકસ્માત થાય તો તૂટી શકે એમાં તડ પડી શકે, પરંતુ જે માનવીમાં એવું બનાવટી હૃદય ગોઠવાયું હોય, તેને એ માનવીનો કોઇ પ્રેમી મરી જાય તેની અસર ન થાય. પ્લાસ્ટિકનું હૃદય પ્રેમને કેવી રીતે ઓળખી શકે ? એ પ્લાસ્ટિકના હૃદય પર પ્રેમીના મરણની જરીકે અસર નહીં થાય. એ જ રીતે જે હૃદય, આપણા શરીરમાં ધબકી રહ્યુંછે, તેના પર પણ પ્રેમીના મરણની અસર થતી નથી. પરંતુ આ ભૌતિક હૃદયની નજીક, જે બિન્દુ પર ઊર્જાશરીરમાં હૃદયચક્ર છે, તેના પર પ્રેમીના મરણની અસર થાય છે. એ ચક્ર પર પ્રેમીના મરણનું પ્રતિબિંબ પડે છે અને પરિણામે ભૌતિક હૃદય ધબકતું બંધ થાય છે.
યોગી લોકોએ, ભોતિક હૃદયના ધબકાર બંધ કરવાના સફળ પ્રયોગો અનેક વાર કર્યા છે, પરતું એ યોગી લોકો મરી જતા નથી. કારણકે જીવનનો જે સ્રોત છે તે ઊંડાણમાં ક્યાંક બીજે છે, ભૌતિક હૃદયમાં નથી. એટલે એવા યોગીના હૃદયના ધબકારા બંધ થઇ જાય છે, છતાં તેઓ મરતા નથી. એમનું જીવન ચાલુ રહે છે. હજી સુધી એવું કોઇ યંત્ર શોધી શકાયું નથી, જે જીવન ક્યાં ધબકી રહ્યું છે તે પકડી શકે. આપણું ભૌતિક શરીર એક સાધનમાત્ર છે. આ શરીરની ભીતરમાં છુપાયેલું અને એની બહાર પણ એ શરીરને ઘેરીને એક આભામંડળ અસ્તિત્વ ધરાવે છે. એ જ ખરેખર આપણું જીવંત વાસ્તવિક શરીર છે. એ જ આપણું તપ શરીર છે. એ તપશરીરનાં કેન્દ્રો પર આપણા ધ્યાનની પ્રક્રિયાઓની અસર થાય છે.
અગાઉ જણાવ્યા મુજબ, ‘ચાઇનીઝ એક્યુપંક્ચરની’ જે ચિકિત્સાપદ્ધતિ છે, તેનો આધાર ઊર્જાશરીર પર જે સાતસો બિંદુઓ આવેલાં છે તેના પર થતી રોગની અસરને નાબૂદ કરવામાં છે. તમને આટલાં બધાં બિંદુ, ભૌતિક શરીરને સ્પર્શ કરી રહ્યાં છે એવો ખ્યાલ સહેલાઇથી આવી શકે તેમ નથી. એ સમજવા માટે તમારા શરીરને ખુલ્લું કરી પીઠ પાછળ, અલગ અલગ સ્થળે, કોઇને સોય ભોંકવાનું કહો. કેટલાંક એવાં બિંદુ શરીર પર છે, જેની સાથે શરીરનો સંપર્ક હોતો નથી. ત્યાં સોય ભોંકાશે તેની અસર નહી થાય. તમને આશ્ચર્ય થશે કે આવું કેમ બને છે ? તમારી પીઠ પર કેટલાક એવા સ્થાન છે, જેના પર સોયના ભોંકાવાની અસર થતી નથી. એવાં સંવેદનશીલ સ્થાન પણ છે, જેના પર સોયની અસર તત્કાલ થાય છે. જ્યાં જ્યાં તમારા ભૌતિક શરીર સાથે ઊર્જાશરીર
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૯૦
તપ : ઊર્જશરીરના અનુભવ
સ્પર્શનથી કરતું ત્યાં સોય ભોંકાવાની અસર થતી નથી. એ મૃત બિંદુઓ છે ત્યાં તમારું ભીતર તપ શરીર, જે સંવેદશીલ છે, તે સંબંધિત નથી થતું. જ્યારે તમને ઓપરેશન થિયટરમાં એનેસ્થેસિયા અપાય છે ત્યારે ભૌતિક શરીરનો ઊર્જાશરીર સાથેનો સંબંધ તોડી નાખવામાં આવે છે. જ્યારે શરીરના કોઈ ચોક્કસ હિસ્સાને એનેસ્થેસિયાથી મૃત કરી દેવામાં આવે છે. ત્યારે તમારા ભૌતિક શરીરના એ હિસ્સા સાથે જોડાયેલા ઊર્જશરીરનાં બિંદુઓનો સંબંધ તોડી નાખવામાં આવે છે. પછી એ શરીરના હિસ્સાને કાપી નાખવામાં આવે તો પણ આપણને ખબર પડતી નથી. કારણ કે જ્યાં જ્યાં મારા ઊર્જશરીર સાથેનો ભૌતિક શરીરનો સંબંધ જીવંત હોય, ત્યાં જ પીડા થાય છે. એનેસ્થેસિયાની અસર ઊતરી જાય પછી આપણને ખબર પડે છે, પીડા જાગે છે. આ કારણે જ્યારે કોઈ ઊંઘમાં જ, સૂતેલી હાલતમાં મરણ પામે છે ત્યારે એક આશ્ચર્યકારક ઘટના બને છે. ગાઢ ઊંઘ દરમિયાન ઊર્જાશરીરનો ભૌતિક શરીર સાથેનો સંબંધ અત્યંત શિથિલ થઈ જાય છે. એટલે ગાઢ ઊંઘ દરમિયાન કોઈ મરી જાય છે ત્યારે એ વ્યક્તિને મરી ગયાનો અનુભવ થતાં કેટલાક દિવસો લાગી જાય છે. માણસ મરી જાય છે, ત્યારે જેમ જેમ એના ભૌતિક શરીરના ઊર્જાશરીર સાથેનાં સંબંધ તૂટતા જાય છે તેમ તેમ એને ખબર પડે છે કે એ મરી રહ્યો છે. આખી દુનિયામાં મૃત્યુ પછી ભૌતિક શરીરને બાળી નાખવામાં કે દાટી દેવામાં આવે છે. આ કામ તત્કાલ હાથમાં લેવામાં આવે છે, જેથી ઊર્જશરીર અનુભવે કે ભૌતિક શરીર નાશ પામ્યું છે. જે શરીરને હું મારું માનતો હતો તે હવે નાશ પામ્યું છે. સ્મશાનમાં એ મૃત શરીરને બાળી નાખવાનોને કબ્રસ્તાનમાં દાટી દેવાનો જે પ્રબંધ કરવામાં આવે છે, તેનું મુખ્ય કારણ એની ચેતનાને અનુભવ કરાવવા માટે છે, કે એ ભૌતિક શરીર તારું હતું જ નહીં. વિનાકારણ અત્યાર સુધી એની ચેતના, એ શરીરને મારું માનતી હતી. જો આપણે એ મૃત ભૌતિક શરીરની સડી જવાની કે નાશ થવાની પ્રક્રિયાને અટકાવી શકીએ અને એને સુરક્ષિત રાખીએ તો ચેતનાએ શરીરની આસપાસ ભટક્યા કરે એવું બની શકે છે. એ ચેતનાને બીજે જન્મ લેવામાં આ વાત આડે આવી શકે. ઈજિસમાં પિરામિડ બનાવીને મૃત શરીર“MUMMIES'ને રાસાયણિક દ્રવ્યો વડે સુરક્ષિત કરી રાખવામાં આવતાં હતાં તેનાં કારણ હતાં. એમ મનાતું કે ક્યારેક એ મરી ગયેલા સમ્રાટને બીજું જીવન મળે તો એનું શરીર જે સુરક્ષિત રખાયું છે, તેમાં એ દાખલ થઈ શકે. આજે લગભગ સાત, સાડા સાત હજાર વર્ષો પુરાણા એ સમ્રાટોનાં શરીર પિરામિડોમાં સુરક્ષિત રખાયાં છે. માત્ર એ સમ્રાટના શરીરને જ નહીં, એની પત્ની કે પત્નીઓ, જે ત્યારે જીવતી હોય કે ન હોય એમના શરીરને પણ એ સમ્રાટના શરીર સાથે જ સુરક્ષિત રખાતાં. એ સમ્રાટને જે જે ચીજો ગમતી તે ચીજો પણ એ સમ્રાટના શરીર સાથે જ સુરક્ષિત રાખવામાં આવતી. એની પત્નીઓ, એના કપડાં, એનાં વાસણ, એની શય્યા, થાળી, પ્યાલા, બધું જ
Page #196
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૧૯૧
સચવાતું. એ સમ્રાટ ફરીથી પુનર્જીવન પામે તો બધો પુરાણો વૈભવ એને મળી જાય, એનો સંબંધ એ ચીજ સાથે ફરીથી સ્થાપી શકાય એવો પ્રબંધ કરાતો હતો. પરંતુ જેમનાં શરીર આ રીતે સચવાયાં છે. એમનો પુનર્જન્મ થવાનું તો અત્યંત મુશ્કેલ છે. કદાચ હજી પણ એમના આત્માઓ : આ પિરામિડોની આસપાસ ભટક્તા હોય તો એનું આશ્ચર્યન થવું જોઈએ. હિન્દુઓએ આ પૃથ્વી પરપ્રાણઊર્જા વિષે વધારેમાં વધારે ઊંડા અનુભવ કરેલા છે. એટલા માટે જ હિન્દુઓએ તો મૃત શરીરને તાત્કાલિક બાળી નાખવાનો જ પ્રબંધક્ય છે. દાટી દેવામાં આવે તો શરીરને પૂરેપૂરા ઓગળી જવામાં, માટીમાં મળી જવામાં, ઓછામાં ઓછા છ મહિના તો લાગી જાય. તો એ છ મહિના આત્માને ભટકવું પડે. માટે હિન્દુઓએ શરીરને તુરત જ બાળી નાખવાનો પ્રબંધર્યો, જેથી આત્માને ખાતરી થઈ જાય કે શરીર તો નાશ પામી ગયું છે અને હું મરી ગયો છું.
જ્યાં સુધી આવી ખાતરી ન થાય ત્યાં સુધી નવા શરીર માટેની શોધ આત્મા શરૂ કરતો નથી. એક્યુપંક્યર પદ્ધતિમાં જે સાતસો બિંદુઓની ચર્ચા કરવામાં આવી છે તે વાત હવે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ કરવામાં આવી છે. રશિયામાં એડામેંકોનામના વૈજ્ઞાનિકે એવું યંત્ર બનાવ્યું છે જેમાં તમને ઊભા કરી દેવામાં આવે તો એ યંત્રની ચારે બાજુ, જે નાના નાના બલ્બ લગાવવામાં આવ્યા છે તે, જ્યાં જ્યાં તમારા ભૌતિક શરીરને ઊર્જાશરીર સ્પર્શ કરતું હશે ત્યાં ત્યાં તે બલ્બમાં લાઈટ થશે. હજારો બલ્બ લગાવવામાં આવ્યા છે એ યંત્રમાં. પરંતુ માત્ર સાતસો બલ્બમાં જ લાઈટ થાય છે. એડામેંકોના યંત્રે, પ્રત્યેક માનવીના ઊર્જાશરીરમાં આવેલાં સંવેદનશીલ બિંદુઓનાં સ્થાન વિષે પૂરી માહિતી આપી દીધી છે. પરંતુ પતંજલિનાં યોગસૂત્રોએ સાતસો બિંદુઓની વાત કરી નથી. એ સૂત્રોમાં સાત ચક્રોની ચર્ચા કરવામાં આવી છે. યોગની પકડ એક્યુપંચર કરતાં વધારે ઊંડી છે. યોનીઓએ અનુભવ કર્યો કે બધાં બિંદુઓ પરિઘ પર છે, કેન્દ્રમાં નથી. સો સો બિંદુઓનાં જોડાણનું એક કેન્દ્ર હોય છે, એનું નામ ચક્ર છે. યોગી લોકોએ એટલા માટે બિંદુઓ જે પરિઘ પર આવેલાં છે, તેની ફિકર ના કરી. યોગીઓને સમજાયું કે જે કેન્દ્રોને સ્પર્શ કરી લેવાય તો એની સાથે જોડાયેલાં સો બિંદુઓ સાથે આપોઆપ સ્પર્શ થઈ જશે. એટલે યોગીઓએ સાત ચક્રોની જ ચર્ચા કરી. એક ઉદાહરણ લઈને સમજીએ, જે કેન્દ્ર આપણા અનુભવમાં વધારેમાં વધારે આવેલું છે તે મૂલાધારSEX CENTER-કામકેન્દ્ર છે. એ કામકેન્દ્ર સાથે, આખા શરીરમાં અલગ અલગ કામક્ષેત્રમાં આવેલાં બિન્દુઓ જોડાયેલાં છે. કદાચ તમારા ખ્યાલમાં નહીં આવ્યું હોય કે જ્યારે તમે કામભોગ કરવાનું શરૂ કરો છો ત્યારે પ્રેમિકાના શરીરનાં ખાસ અંગોને સ્પર્શ કરો છો. એ અંગો સાથે કામકેન્દ્ર જોડાયેલું છે. વિશેષરૂપે એ અંગોને સ્પર્શ કરવાથી કામવાસના જાગ્રત થાય છે. એવાં એવાં અંગો સાથે કામબિંદુઓ જોડાયેલાં છે કે જે અંગોનો તમને ખ્યાલ પણ નથી હોતો. અલગ અલગ
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૯૨
તપ : ઊર્જાશ૨ી૨ના અનુભવ
સંસ્કૃતિઓએ, અલગ અલગ કામબિંદુઓ વિષે માહિતી મેળવેલી હતી. હવે તો વિજ્ઞાને, બધાં જ કામબિંદુઓ અને સંબંધિત અંગો શરીરમાં ક્યાં કયાં છે તેની શોધ કરી લીધી છે. તમને કદાચ ખ્યાલમાં નહીં હોય કે આપણા કાનની બૂટની જે લંબાઇ છે, તે કામક્ષેત્ર છે. એ કામક્ષેત્ર અત્યંત સંવેદનશીલ છે. કેટલાંક બાળકો એ કાનની લબડતી બૂટને સ્પર્શ કરતાં કરતાં ઊંઘી જાય છે. એ કાનની બૂટ, સ્તન જેટલી સંવેદનશીલ છે.
તમે કદાચ કાનની બૂટ ફાટેલી હોય એવા સાધુ જોયા હશે. પરંતુ એ કાન ફાટવાનું કારણ શું હશે તે તમારા ખ્યાલમાં નહીં આવ્યું હોય ! કાન ફાડીને, એ સાધુઓ કામકેન્દ્રને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા હોય છે. એ ક્ષેત્ર અત્યંત સંવેદનશીલ છે. તમને કદાચ એ પણ ખ્યાલમાં નહીં હોય કે મહાવીરનાં ચિત્રોમાં અને પત્થરની પ્રતિમાઓમાં એમના કાન છેક ખભાને અડકતા બતાવ્યા છે. બુદ્ધની પ્રતિમાઓમાં પણ, એમના કાન ખભાને અડકતા હોય એવું લાગે છે. જૈનોના ચાવીસે તીર્થંકરોની પ્રતિમાઓમાં કાન ખભાને અડકતા દેખાડયા હોય છે. કાન ખભાને અડકતા હોવા એ તીર્થંકર હોવાનું લક્ષણ મનાતું. પરંતુ કાન આટલા લાંબા હોવાનો અર્થ શું છે ? એ કાનની લંબાઇ, કામઊર્જા વધારે પ્રગાઢ હોવાનું પ્રતીક છે. એમનામાં એટલી કામઊર્જા હતી કે જે રૂપાંતરિત થઇને તપ બનતી હતી. કુંડલિની ઊર્જાની જાગૃતિની સંભાવનાનું લંબાઇ એ પ્રતીક છે. એ કામક્ષેત્રની વિશાળતા બતાવે છે.
આપણા શરીરમાં એવાં બિંદુઓ છે કે જેને મસાજ-માલિસ કરવાથી આપણી બુદ્ધિને પ્રભાવિત કરી શકાય છે. એવાં બિંદુઓ છે કે જેની મારફત બીજાં ચક્રોને પ્રભાવિત કરી શકાય છે. બધાં યોગાસન અલગ અલગ ચક્રોને સક્રિય કરવા માટે યોજાયાં છે. જ્યાં જ્યાં દબાણ આવે તે તે ક્ષેત્ર પ્રભાવિત થાય.
એક્યુપંક્ચરે તો એકદમ સરળ ઉપાય શોધ્યો છે. નાની નાની સોય વડે તમારાં ખાસ બિંદુઓમાં છેદ પાડવાથી, ત્યાંની ઊર્જા સક્રિય બનીને આગળ વધે છે. કોઇ પણ બીમારીને એક્યુપંક્ચર ચિકિત્સાથી દૂર કરી શકાય છે. હીરોશિમા વિષે એક પુસ્તક લખાયું છે. એક અમેરિકન વૈજ્ઞાનિકે હીરોશિમા ક્ષેત્રમાં સંશોધન કરીને એ પુસ્તક લખ્યું છે. એણે એવું તારણ કાઢ્યું કે એટમ બોમ્બ ફાટટ્યા પછી એમાંથી જે RADIO ACTIVITY અણુ વિભાજનને કારણે પેદા થઇ, તેનાથી ઘણું નુકસાન થયું. અણુ વિભાજનમાંથી પેદા થયેલી ઊર્જા, માનવીના શરીરમાંની ઊર્જાને બહાર ખેંચી લઇ માનવીના તપસ્-શરીરને એકદમ નબળું પાડી દે છે. તમને એ દીનહીન બનાવી દે છે. જે જે અંગની ઊર્જા બહાર ખેંચાઇ જાય તેને કાયમી નુકસાન પહોંચે છે. એટમ બોમ્બથી એટલું મોટું ગુરુત્વાકર્ષણ પેદા થાય છે કે તમારું આખું ઊર્જાશરીર બહાર ખેંચાઇને નબળું પડતાં, તમારી સા થવાની શક્યતા રહેતી નથી. છતાં એક્યુપંક્ચર ચિકિત્સાથી, અણુબોમ્બને કારણે જેમના શરીરમાં ખામીઓ પેદા થઇ હતી એવા ઘણા માણસોને સાજા કરી શકાયા. એક્યુપંક્ચરની શોધ ઊર્જાશરીરને
Page #198
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
૧૯૩
સાજું કરવામાં મદદ કરે છે.
યોગાસન પણ આપણા શરીરનાં ખાસ બિંદુઓ પર પ્રભાવ પ્રયોગ છે. નિરંતર દબાણ આવ્યા કરવાથી અમુક ચક્રોની ઊર્જા જાગ્રત અને સક્રિય બને છે. વિપરીત દબાણ આવે તો બીજાં કેન્દ્રોની ઊર્જા ખેંચાઇ જાય છે દાખલા તરીકે શીર્ષાસનનું અનિવાર્ય પરિણામ કામવાસના પર પડે છે. જ્યારે કોઇ શીર્ષાસન કરે છે ત્યારે એની ઊર્જાનો પ્રવાહ એના માથા તરફ વહે છે. સામાન્ય રીતે આપણી ઊર્જા ગુરુત્વાકર્ષણને કારણે અથવા આપણી જન્મો જૂની આદતને કારણે નીચેની તરફ વહે છે. શીર્ષાસન કરતી વખતે એ જ આદતના જોરે એ ઊર્જા માથા તરફ વહે છે. શીર્ષાસનનું મૂલ્ય તપસ્વીઓ માટે, વધી જવાનું એકમાત્ર કારણ એ છે કે એમની કામઊર્જા શીર્ષાસન વખતે એમના માથા તરફ વહે. આદતના જોરે સામાન્ય રીતે એ ઊર્જા નીચેની તરફ જ વહેતી હોય છે. તેને શીર્ષાસનમાં ઊલટા થઇ જવાથી માથા તરફ વહેવડાવી શકાય છે. એટલે આપણામાં જે ઊર્જા છે તેને તપ દ્વારા જાગ્રત કરી, શક્તિશાળી બનાવી, નવા માર્ગો પર પ્રવાહિત કરવાથી નવા કેન્દ્રો એ ઊર્જાને સંગ્રહિત કરે છે.
બસો વર્ષ પહેલાં ઝેકોસ્લાવેકિયાના પ્રાગ શહેરમાં, અનેક વૈજ્ઞાનિકોની હાજરીમાં, રસ્તા પર એક બેટિસ્લાવ કાકા નામના માણસે અનોખા પ્રયોગ કર્યા.એ વ્યક્તિ આ પૃથ્વી પર કદાચ સૌથી વધારે સંમોહન વિષે જાણકાર થઇ ગઇ. એણે માણસો પર સંમોહનના પ્રયોગ કર્યાં. એણે બીજા કેટલાક માણસોને સંમોહન વિદ્યા શીખવી. એમાંનો એક શિષ્ય એવો હતો કે જે ઊડતા પક્ષીને આંખ ઉઠાવીને થોડો વખત જોઇને, જમીન પર પાડી નાખતો હતો. આકાશમાં ઊડતું પક્ષી કે ઝાડ પર બેઠેલાં અનેક પક્ષીમાંથી, ખાસ કોઇ એક શાખા પર બેઠેલા પક્ષીને જ, એ થોડી ક્ષણો નજર કરીને, નીચે પાડી દેતો. તમે એને એ પક્ષીને જીવતું જમીન પર પાડી નાખવા માટે કહો તો તે તેને જીવતું જમીન પર પાડે. આખા યુરોપમાંથી વૈજ્ઞાનિકોને બોલાવી એમની હાજરીમાં, સેંકડો પક્ષી એણે જમીન પર પાડી બતાવ્યાં. એણે પોતાની મરજીથી, એને જે ઠીક લાગે તે પક્ષીને નીચે પાડયું એવું પણ નહીં. તમે જે કહો તે પક્ષીને એ પાડી બતાવે. જીવતું કહો તો જીવતું, મરેલું કહો તો મરેલું પક્ષી પાડી બતાવે.
એ કાકાના શિષ્યને આ શક્તિનું રહસ્ય પૂછવામાં આવ્યું. એણે કહયું કે હું માત્ર ‘વેક્યુમ ક્લીનર’ જેવું કામ કરું છું. જે રીતે ‘વેક્યુમ ક્લીનર’ ઘરમાંની ધૂળને શોષીને પોતાનામાં ખેંચી લે છે તેમ હું એ પક્ષીની શક્તિને– ઊર્જાશક્તિને મારી તરફ શોષી લઉં છું. જેમ બાળક માતાના સ્તનમાંથી દૂધ ચૂસી લે છે તેમ હું એ પક્ષીની શક્તિને ચૂસી લઉં છું. ‘વેક્યુમ ક્લીનર’ ખાલી હોય છે તે હવાને પોતાની તરફ ખેંચે છે એની સાથે ધૂળ પણ ખેંચાઇને આવે છે. કોઇની પ્રાણઊર્જાને પોતાની તરફ ખેંચી લેવાની કળા જ એને શીખવવામાં આવી હોય છે. જે પક્ષી બેઠેલું હોય તેના તરફ ધ્યાન કરીને એ પક્ષીની પ્રાણઊર્જા પોતાની તરફ ખેચાઇ આવે એવો સંકલ્પ એ વ્યક્તિ કરે છે. જો એ
Page #199
--------------------------------------------------------------------------
________________
:
૧૯૪
તપ : ઊર્જાશ૨ી૨ના અનુભવ
પક્ષીની પૂરેપૂરી પ્રાણઊર્જા ખેચી લે તો એ પક્ષી મરીને પડે છે. એ પ્રક્રિયાનું ચિત્ર લેવામાં આવે તો એ પક્ષીમાંથી પ્રાણઊર્જાના ગુચ્છા એ વ્યક્તિ તરફ ખેંચાઇ આવતા દેખાય.
કાકાએ કહ્યું કે હવે એ પ્રાણઊર્જાને એકઠી પણ કરી શકાય છે. જેમ મરતા માણસને ઓક્સીજન પ્રાણવાયુ આપીને કમોરી ઓછી કરાય છે, તેમ એક સમય એવો આવશે કે જ્યારે હોસ્પિટલોમાં પ્રાણઊર્જા (પ્રાણવાયુ નહીં) ના સીલિન્ડર રાખીને મરતા માણસને પ્રાણઊર્જા જે બહાર નીકળી રહી છે એને બહારથી પ્રાણઊર્જા આપવામાં આવે તો એ થોડો વખત જીવી શકે છે.
અમેરિકામાં એક વૈજ્ઞાનિક વિલ્હેમ રેક થઇ ગયો. તમે ક્યારેક આકાશમાં સમુદ્રકિનારે બેસીને જોતા હો ત્યારે તમને કેટલીક ઊંચે નીચે આવતી આકૃતિઓ દેખાતી હોય છે. તમે એમ માનતા હો કે એ દિષ્ટિભ્રમ છે ‘illusion’ છે અથવા તમારી આંખમાં કોઇ રોગ કે વિકૃતિને કારણે એવું તમને દેખાય છે, એ વાત સાચી નથી. વિલહેમ રેકનાં સંશોધનોએ સિદ્ધ કર્યું કે એ આકૃતિઓ તમારી પોતાની પ્રાણઊર્જાની છે. એ આકૃતિઓ, આપણમાંથી જ બહાર નીકળી, ચારે બાજુ ફેલાઇ જતી ઊર્જાની છે, જેને રેક argon energ એવું નામ આપે છે. જે વ્યક્તિ આ બહાર નીકળતી પ્રાણઊર્જાને પાછી ચૂસી લેવાની કળા શીખી જાય તે વ્યક્તિ મહાપ્રાણવાન બની જાય.
પ્રાણાયામ, વસ્તુતઃ માત્ર પ્રાણવાયુને ભીતર ખેંચવાની ને બહાર કાઢવાની શક્તિ વધારવા માટે જ નથી. જે લોકો પ્રાણાયામ શીખતા હોય છે, તેઓ એમ માને છે કે પ્રાણાયામ કરવાથી વધારે ઓકસીજન-પ્રાણવાયુ મળે છે ને તેથી આપણી તંદુરસ્તી વધુ સારી બને છે. પરંતુ પ્રાણાયામ વિષે સાચી સમજ ધરાવતા માણસો બહુ ઓછા છે. મૂળ સવાલ વાયુને અંદર બહાર લઇ જવાનો નથી. મૂળ સવાલ, પ્રાણવાયુની સાથે ‘argon energy” ના ગુચ્છા, જે ચારે બાજુ જીવનમાં જે ફેલાયેલા છે તેને પાતાનામાં ચૂસીલેવાનો છે. જો એ રીતે પ્રાણઊર્જા (પ્રાણવાયુ માત્ર નહીં) પોતાનામાં ચૂસવાની પ્રક્રિયા આવડી જાય તો એ પ્રાણયોગ બને છે, નહીં તો એ વાયુયોગ છે. જો એ પ્રાણયોગના ગુચ્છા, ભીતર પાછા ન ખેંચી શકાય તો એ પ્રાણાયામ નથી. એ પ્રાણગુચ્છામાંથી આપણામાં વધેલી શક્તિનો ઉપયોગ, તપ માટે કરવામાં આવે છે. આપણી પોતાની જીવનશક્તિનો, તેમજ ચારે તરફ ફેલાયેલાં જીવ, જંતુ, વનસ્પતિ, પ્રાણીમાં રહેલી, તેમજ પદાર્થોમાં રહેલી, જીવનશક્તિ પ્રાણઊર્જાનો ઉપયોગ કરી શકાય છે.
એક બીજી મજાની વાત કહું. તમને જાણીને આશ્ચર્ય થશે કે કાફ્કા, કિરલિયાન, વિલ્હેમ રેક વ. અનેક વૈજ્ઞાનિકોનો અનુભવ છે કે સોનું જ એક એવી ધાતું છે કે જે સર્વાધિક રૂપે પ્રાણઊર્જાને પોતાની તરફ ખેંચે છે. સોનાનું આ જ સાચું મૂલ્ય છે, નહિ તો એનું બીજું કોઇ મૂલ્ય નથી. દસ
હજાર વર્ષ પુરાણા ઉલ્લેખો મળી આવ્યા છે, જેમાં કેટલાક સમ્રાટોએ પ્રજાને સોનું પહેરવાની
મનાઇ ફરમાવી હતી. કોઇ બીજા માણસ સોનું ન પહેરી શકે, માત્ર સમ્રાટ જ પહેરી શકે. એનું રહસ્ય
Page #200
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્ઃ મંત્ર
૧૯૫
એવું હતું કે બીજા લોકોને સોનું પહેરતાં રોકી અને પોતે ભરપૂર સોનું પહેરીને, સમ્રાટ વધારે લાંબુ જીવવાની આકાંક્ષા રાખતો હતો. લોકોની પ્રાણઊર્જા, અજાણતાં જ પોતા તરફ, વધારે સોનું પહેરીને આકર્ષી રહ્યો હતો. જ્યારે તમે સોનું જોઇને આકર્ષાઓ છો, ત્યારે તમારી પ્રાણઊર્જા સોના તરફ વહેવાની શરૂ થાય છે. એટલે તમે પણ સાથેસાથે આકર્ષાઓ છો. એટલે સમ્રાટોએ આ - તથ્યનો પોતાના લાભ માટે ઉપયોગ કર્યો.
સોનાનું મૂલ્ય એટલા માટે છે કે એ પ્રાણઊર્જા પોતાની તરફ ખેંચે છે. બીજું કોઇ રહસ્ય નથી, સોનાનું આટલું મૂલ્ય હોવા માટે ઝવેરાતના દાગીનામાં જે કીંમતી પત્થરો જડવામાં આવે છે તેનું પણ આવું જ કાંઇ મૂલ્ય હોવું જોઇએ. એ પત્થરો કાં તો પ્રાણઊર્જાને ખેંચતા હોય અથવા પ્રાણઊર્જા ન ખેંચાઇ જાય એ માટે કાંઇ અવરોધ ઊભો કરતા હોય. માણસનું જ્ઞાન હજી ઘણું અધૂરું છે. કેટલીક જાણકારી હતી તોઆપણે ગુમાવી દીધી છે.
લૂકમાન નામના હકીમે પોતાના એક શિષ્યને આયુર્વેદના શિક્ષણ માટે ભારત મોકલ્યો. એને કહેવામાં આવ્યું કે રસ્તામાં રાત પડે અને સૂઇ જાય, ત્યારે એણે હંમેશાં બાવળનીચે સૂવું. બીજા કોઇ વૃક્ષ નીચે નહી, બાવળ નીચે જ સૂવું, એવી તાકીદ કરવામાં આવી હતી. એ શિષ્ય ભારત પહોંચ્યો ત્યાં સુધીમાં એને ક્ષય રોગ લાગુ પડી ગયો હતો. કાશ્મીર પહોંચીને એણે એક ચિકિત્સકની સલાહ લીધી. એણે કહ્યું કે ‘હું મરી રહ્યો છું. હું આયુર્વેદ શીખવા માટે આવ્યો હતો. હવે મારે આયુર્વેદ શીખવું નથી. મને સાજો કરી દો એટલે હું પાછો ચાલ્યો જાઉં.’ એ ચિકિત્સક વૈદે એને પૂછ્યું કે ‘તું કોઇ ખાસ વૃક્ષ નીચે સૂતો અહીં પહોંચ્યો છે ?’
એણે કહ્યું કે મારા ગુરુની આજ્ઞા હતી કે મારે બાવળ નીચે સૂતાં સૂતાં ભારત પહોંચવું. પેલો વૈદ્ય હસ્યો. એણે કહ્યું, હવે તું લીમડાના ઝાડ નીચે સૂતો સૂતો પાછો જા. એણે એમ કર્યું અને એ જ્યારે સ્વસ્થ પાછો ર્યો ત્યારે એના ગુરુને ખાતરી થઇ કે એનો શિષ્ય જીવતો પાછો આવ્યો, એટલે આયુર્વેદ જરૂર રહસ્યમય શાસ્ત્ર છે. પેલા શિષ્યે એના ગુરુને કહ્યું કે ભારતમાં મારી કોઇ ચિકિત્સા કરવામાં આવી ન હતી. ગુરુએ કહ્યું, તુ પાછો ર્યો ત્યારે કોઇ બીજા વૃક્ષ નીચે સૂતાં સૂતાં આવ્યો હતો ? શિષ્યે કહ્યું, કે મને લીમડાના ઝાડ નીચે સૂતાં સૂતાં પાછા ફરવાની સલાહ અપાઇ હતી.
લુકમાનને ખાતરી થઇ કે ભારત પણ આરોગ્ય વિષે ઘણું જાણે છે. બાવળનું ઝાડ હંમેશાં તમારી ઊર્જાને શોષી લે છે. એટલે ભૂલેચૂકે પણ બાવળ નીચે ન સૂવું. બાવળનાં દાતણ કરી દાંત સાફ કરવાથી બાવળની શક્તિ દાંતને મળે છે. લીમડો તમારી ઊર્જા ચૂસતો નથી, પરંતુ પોતાની ઊર્જા
તમારામાં રેડે છે.
પીપળાના ઝાડ નીચે પણ ન સૂવું. કારણકે પીપળાના ઝાડમાં એટલી બધી શક્તિ છે કે વધારે પડતી શક્તિ તમારામાં દાખલ થાય તો પણ તમે બીમાર પડી જશો. પીપળાનું ઝાડ પણ સર્વાધિક
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૬
તપ : ઊર્જશરીરના અનુભવ
શક્તિ આપે છે. એટલે પીપળાનું ઝાડબોધિવૃક્ષ બની શક્યું. એની નીચે ઘણાં બુદ્ધના શિષ્યોને બુધત્વ પ્રાપ્ત થયું. કારણકે પીપળાનું ઝાડચારે તરફ તમારા પર શક્તિની વર્ષા કરે છે. પીપળો એક જ એવું વૃક્ષ છે બધી વનસ્પતિઓમાં, કે જે દિવસે અને રાતે પણ બધો સમય, શક્તિનો વરસાદ વરસાવે છે. એટલા માટે પીપળાના ઝાડની દેવતા તરીકે પૂજા થાય છે. જે ઝાડકાંઈ પણ લીધા વિના આપ્યા જ કરે એ દેવતા જ હોવું જોઈએ. એટલે તમારી ભીતર જે પ્રાણશરીર છે, જે પ્રાણઊર્જાનું બનેલું છે તે જ તમે છો. તપનું પહેલું સૂત્ર છે, ‘તમારા ભૌતિક શરીર સાથેનું તાદાભ્ય છોડો' જે ભૌતિક શરીર દેખાઈ રહ્યું છે એ જ તમે છો, એવું માનવાનું બંધ કરો. એ રીતે માનવાનું કારણ એ છે કે એ ભૌતિક શરીરમાં જ ભોજન જાય છે. એમાં જ જે પાણી પીઓ છો એ જાય છે, એ ભૌતિક શરીરને જ ભૂખ લાગે છે, ને રાત્રે એ જ સૂઈ જાય છે અને સવારે ઊઠે છે. એટલે હું આ શરીર છું એ ભ્રમને તોડો. એ સંબંધને તોડો, તો તપના જગતમાં પ્રવેશ થઈ શકશે. ભૌતિક શરીર સાથે આપણું તાદાત્મબંધાઈ જાય છે, માટે જ આપણે જ્યાં સુધી એ ભ્રાંતિમાંથી નહીં છૂટીએ ત્યાં સુધી એ શરીર આપણા જીવનનો ભોગ બનશે. એમાંથી જ બધા ભોગ પેદા થાય છે. જેણે સ્વયંને પોતાને ભૌતિક શરીર માન્યું, તે બીજા ભૌતિક શરીરને ભોગવવા આતુર બની જશે. એમાંથી જ તમામ કામવાસના પેદા થાય છે. જેણે પોતાને ભૌતિક શરીરમાન્યું તેને ભોજનમાં અત્યંત રસ પેદા થશે કારણકે ભૌતિક શરીર ભોજનમાંથી નિર્મિત થયું છે. જેણે પણ ભૌતિક શરીરને પોતાનું માન્યું તે વ્યક્તિ બધી ઈન્દ્રિયોનો ગુલામ બની જશે. કારણકે બધી ઇન્દ્રિયો ભૌતિક શરીરની પરિપોષક છે. પ્રથમ સૂત્ર તપનું ‘આ ભૌતિક શરીર હું નથી' એ છે. આ તાદાત્યને તોડવાની જરૂર છે. આ તાદાભ્યકેવી રીતે તૂટે તે વિષે હવે કાલથી આપણે ચર્ચા શરૂ કરીશું. મહાવીરે એ માટે અંતર તપના છ ઉપાય બતાવ્યા છે. એ વિષે આપણે દરેક તપ વિશે અલગ અલગ ચર્ચા કરીશું. પરંતુ ભૌતિક શરીર સાથેનું તાદાભ્ય તોડવાનો સંકલ્પ કરવો પડશે. એ સંકલ્પ વિના આગળ ગતિ નહીં થઈ શકે. તાદાભ્ય સંકલ્પથી જ નિર્મિત થાય છે, એને સંકલ્પથી જ તોડી શકાશે. આપણો જન્મોજન્મનો સંકલ્પ છે કે “આશરીર હું છું.” તમે પુરાણી વાર્તાઓ સાંભળી હશે. બાળકોની પુરાણી વાર્તાઓમાં વારંવાર ઉલ્લેખ આવે છે કે એક સમ્રાટ હતો. તેનો પ્રાણ કોઈ પોપટમાં કેદ થયો હતો. જ્યાં સુધી પોપટનેન મારીનાખો ત્યાં ‘સુધી સમ્રાટન મરે. એ પોપટને મારી નાખીએ તો સમ્રાટ પણ મરી જશે. હવે આજકાલની નવી બાળવાર્તાઓમાં આવી વાત આવતી નથી. બાળકો માટે તો ઠીક છે. પરંતુ આપણે તો સમજીએ છીએ કે એવું કેવી રીતે બને? પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આવું બની શકે છે. વૈજ્ઞાનિક રૂપે શક્ય છે. એક સમ્રાટને બચાવવાનો હોય, તો એને ઊંડાસંમોહનમાં લઈ જઈ એનામાં એવો ભાવઠસાવવામાં આવે, વારંવાર એવું સૂચન આપ્યા કરીએ, કે તારો પ્રાણ તારા શરીરમાં નથી,
Page #202
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણમ્: મંત્ર
૧૯૭
પરંતુ સામે પિંજરામાં રાખેલા પોપટમાં છે, તો એ ભાવ ભરોસો બની જાય, એ સંકલ્પ ઊંડો ઊતરી જાય. પરિણામે એ સમ્રાટ બેધડક યુદ્ધના મેદાનમાં નિર્ભય બનીને જાય. કારણકે એને ખાતરી થઇ ગઇ છે કે એને કોઇ મારી નહી શકે. એનો પ્રાણ તો પોપટમાં પુરાયેલો છે ! એ દૃઢ થઇ ગયેલો ભાવ એને આ પૃથ્વીપર એવો નિર્ભય બનાવી દેશે કે એને કોઇ નહીં મારી શકે. પરંતુ એ સમ્રાટની નજર સામે જો કોઇ એ પોપટની ગરદન મરડીને મારી નાખે તો એ સમ્રાટ પણ તરત જ, તે ક્ષણે મરી જશે. કારણકે ખ્યાલ એ જીવન છે, વિચાર જીવન છે, સંકલ્પ જીવન છે.
સંમોહન વિદ્યાના ઘણા પ્રયોગો થયા છે અને એ સિદ્ધ થઇ ચૂક્યું છે કે આ વાત સાચી છે. તમને સંમોહિત કરીને એક કાગળનો ટુકડો તમારી સામે રાખીને અવિરત સૂચન કર્યા કરવામાં આવે, કે આ કાગળના ટુકડાને ફાડી નાખીશું તો તું બીમાર પડી જઇશ અને પથારી પરથી પાછો નહીં ઉઠી શકે. આવું સુચન ત્રીસ દિવસ સુધી સતત પંદર મિનિટ સુધી રોજ તમને સંમોહિત કરીને કર્યા કરવામાં આવે, તો તમે માની લેશો કે તમારી પ્રાણઊર્જા એ કાગળમાં જ છે. જે દિવસે એ કાગળ તમારી સામે, તમે સંમોહિત ન હો ત્યારે ફાડી નાખવામાં આવે તે દિવસે તમે પથારીવશ થઇ જશો અને પાછા નહીં ઊઠો-જાણે તમારા શરીરને લકવા થઇ ગયો !
ન
શું થયું ? સંકલ્પ એકદમ ગહન બની ગયો. સંકલ્પ જ સત્ય બની જાય છે. આપણો જન્મોજન્મનો સંકલ્પ છે કે આ શરીર હું છું ! આ સંકલ્પ પણ, આપણો પ્રાણ કાગળમાં હોય કે પોપટમાં હોય, એવી દૃઢ માન્યતા જેવો જ છે. એમાં કાંઇ ફરક નથી. માટે આ શરીર હું નથી એ સંકલ્પ તોડયા વિના તપની યાત્રા શરૂ થઇ નહીં શકે. એ સંકલ્પ તૂટયા વિના ભોગની યાત્રા ચાલુ રહેશે. આપણે ભોગની યાત્રા પર નીકળવું છે, માટે જ આપણે આવો સંકલ્પ કર્યો હતો. એવો સંકલ્પ ન કર્યો હોત તો આપણે ભોગની યાત્રા પર નીકળી શક્યા ન હોત.
‘આ શરીર હું નથી ’એની જો મને ખાતરી હોય, તો મારા હાથથી સુંદર સ્ત્રીને સ્પર્શ કરવામાં મને રસ નહીં રહે. હું જો હાથ જ ન હોઉ અને હાથમાં લાકડી પકડીને એ લાકડીથી સુંદર સ્ત્રીનો સ્પર્શ કરું તો એમાં કાંઇ મજા આવશે ? લાકડી દ્વારા સ્પર્શ કરવામાં શું મજા આવે ? હાથ વડે સ્પર્શ કરવો જોઇએ. તપસ્વીનો હાથ તો લાકડી જેવો થઇ જવો જોઇએ. તપસ્વીએ પોતાનો પુરાણો સંકલ્પ પાછો ખેંચી લેવો જોઇએ. તપસ્વીએ સમજવું જોઇએ કે ‘આ હાથ હું નથી, હાથ માત્ર લાકડી છે.’ પછી એ હાથથી સ્ત્રીને સ્પર્શ કરો કે ન કરો, એ લાકડીથી સ્પર્શ કરવા જેવું છે. એનું કોઇ મૂલ્ય રહેતું નથી. એનો કોઇ અર્થ રહેતો નથી. આ સમજ આવ્યા પછી ભોગના સીમાડા સંકોચાઇ જશે ને તૂટી જશે.
ભોગનું સૂત્ર છે ‘આ શરીર હું છું’ તપનું સૂત્ર છે ‘આ શરીર હું નથી.’ ભોગનું સૂત્ર છે ‘આ શરીર હું છું’ તે વિધાયક સૂત્ર છે. તપનું સૂત્ર માત્ર એટલું જ હોય કે ‘આ શરીર હું નથી,’ તો તપ હારી જશે,
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૮
તપ : ઊર્જા શરીરના અનુભવ
ભોગ જીતી જશે. કારણકે તપનું સૂત્રનિષેધાત્મક થઈ ગયું. જ્યાંનકાર છે ત્યાં તમને ઊભા રહેવા માટે નક્કર ભૂમિ મળતી નથી. શૂન્યમાં કોઈ ઊભું રહી શકતું નથી. ઊભા રહેવા માટે જમીન જોઈએ, વિધેય જોઈએ. જ્યારે તમે કહો છો કે “શરીર છું ત્યારે તમારી પકડમાં કાંઈક આવે છે.
જ્યારે તમે કહો છો કે “હું શરીર નથી” ત્યારે તમારી પકડમાં કાંઈ આવતું નથી. માટે તપનું બીજું સૂત્ર છે. હું ઊર્જા શરીર છું.’ ‘હું ભૌતિક શરીરનથી.' એ સૂત્ર સાથે, તુરત જ બીજું સૂત્ર આવીને ઊભું રહેવું જોઈએ કે હું ઊર્જા શરીર છું, પ્રાણ શરીર છું.' આમ જો ન બનેતો તમે વિચાર્યા કરશો કે “હું આ શરીર નથી, એ તો પદાર્થ માત્ર છે.” છતાં આખો દિવસ વ્યવહારતો એ જ શરીર સાથે કરે છે.એટલે સમજવાની વાત એ છે કે કોઈ પણ વિધાયક સંકલ્પને, નકારાત્મક સંકલ્પથી તોડી શકાતો નથી. વિધાયક સંકલ્પવધારે બળવાન હોવો જોઈએ. હુંઆ શરીર નથી એ અડધો સંકલ્પ છે એ બરાબર છે. પરંતુ એની સાથે હું ઊર્જાશરીર છું એ બીજો અડધો વિધાયક સંકલ્પજોડાય ત્યારે એ સંપૂર્ણ સત્ય બનશે. તો હવેબેકામ કરવાનાં છે. આ શરીર સાથેનું તાદામ્ય છોડવાનું છે અને પ્રાણઊર્જા સાથે તાદાત્મ સ્થાપિત કરવાનું છે. હું ઊર્જા શરીર છું એ ભાવ પર જે વિધાયક છે તેના પર જોર હોવું જોઈએ. હું ભૌતિક શરીરનથી' એ ભાવ પર જોર હશે તો મોટી ભૂલ થઈ જશે. “હુંઊર્જા શરીર છું.” એ ભાવદૃઢ થતાં, “હું ભૌતિક શરીર નથી’ એ ભાવ છાયા બની જશે, પરિણામ માત્ર બની રહેશે. એટલે સંકલ્પ કરીએ ત્યારે જોર હું ઊર્જા શરીર છું એ સૂત્ર પર રહેવું જોઈએ. આમ થતાં તપની ભૂમિકાનું સર્જન થશે. મહાવીરતપનાબેરૂપનું વર્ણનર્યું છે, અન્તર-તપઅને બાહ્ય-તપ. અન્તર-તપના છ હિસ્સાનું વર્ણન કર્યું છે અને છ બાહ્ય-તપના હિસ્સાનું વર્ણન ક્યું છે. આ તપની પ્રક્રિયાઓ ખાલમાં આવી જાય, સંકલ્પમાં દૃઢ થઈ જાય તો જીવન અમૃતની યાત્રા પર નીકળી પડશે. આપણે જ્યાં છીએ ત્યાં વારંવાર મૃત્યુનો અનુભવ થશે, કારણકે આજ સુધી આપણે જે નથી, આપણે જે ભૌતિક શરીર નથી, તે ખ્યાલ સાથે આપણે આપણી ચેતનાને જોડી રાખી છે એના કારણે આપણે વારંવાર નષ્ટ થઈએ છીએ, મરીએ છીએ અને છતાં વારંવાર એ ખોટાખ્યાલ સાથે આપણી જાતને જોડ્યા કરીએ છીએ. જે હું નથી એની સાથે જોડાઈ જવાથી આપણે હંમેશા મૃત્યુનાં દ્વાર જ ખોલીએ છીએ.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૯૯
- પરિશિષ્ટ -
ઓશો એક પરિચય ઓશોના અંગ્રેજી પુસ્તકોની યાદી
ઉપનિષદનાં પ્રકાશનો આગામી પ્રકાશનો:
ઓશોની ઓરિજીનલ ઓડિયો સિરીઝ ઓશોના પુસ્તકોપ્રેક્ષકો સમક્ષ આપવામાં આવેલા પ્રવચનોનું લિપ્યાંતરણ છે. ઓશોના તમામ પ્રવચનો સમગ્ર પણે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યા છે અને તેનું મૂળ ઓડિયો રકોર્ડિંગ પણ પ્રાપ્ય છે. ઓડિયો રેકોર્ડિંગ અંગેની માહિતી અને સંપૂર્ણ લખાણનો અભિલેખ www.osho.com પર ઓશો પુસ્તકાલયમાં છે.
ઓશો - એક પરિચય સત્યની વ્યક્તિગત શોધથી માંડીને જ્વલંત સામાજિક અને રાજનૈતીક પ્રશ્નો ઉપર ઓશોની નવી વિચારધારા તેમને દરેક શૃંખલાથઈ અલગ એક વિશિષ્ટ સ્થાને પ્રતિષ્ઠિત કરે છે. એ આંતરિક રૂપાંતરણના વિજ્ઞાનમાં સહભાગી કાંતિકારી પર્યાય છે તથા ધ્યાનનો એવો અભિગમ છે જે સાંપ્રત જીવનની ગતિશીલતાને લક્ષ્યમાં રાખે છે.
ઓશો એક્ટિવ મેડિટેશનઝખ એવી રીતે બનાવાયાં છે કે શરીર તથા મનમાં એકત્રિત થયેલ તનાવ નિષ્કાસિત થઈ શકે જેને લીધે સ્થિરતા આવે તથા ધ્યાનની વિચાર રહિત દશાની અનુભૂતિ થાય.
ઓશોના મત પ્રમાણે એમનો ઉદ્દેશ એવી પરિસ્થિતિ નિષ્પન્ન કરવાનો છે જેમાં એક નવા - અભિનવ - મનુષ્યનો જન્મ થઈ શકે, જેને એમણે ‘ઝોર્બી ધ બુદ્ધ કહ્યો છે, જેના પગ જમીન પર હોય પરંતુ જેના હાથ તારાઓને સ્પર્શી શકે. ઓશોના પ્રત્યેક વિચારમાં એક ધારાની માફક વહેતું રહેતું એ જીવનદર્શન રહેલું છે, જે પૂર્વની કાલાતીત પ્રજ્ઞા તથા પશ્ચિમના વિજ્ઞાન અને ટેકનોલોજીની ઉચ્ચતમ સંભાવનાઓને સમન્વિત કરે છે. આ દ્રષ્ટિની સંભાવનાઓ એટલી વિશાળ છે કે જો તેને સમજી અને આપણાં જીવનમાં અમલી બનાવીએ તો માનસ જાતમાં ગુણાત્મક કાંતિ લાવી શકાય.
T
E+
A- ર
Page #205
--------------------------------------------------------------------------
________________
૨૦૦
એમનાં પુસ્તકો લખાયેલાં નથી પણ પાંત્રીસ વર્ષથી પણ વધારે સમય સુધી એમના દ્વારા અપાયેલાં તત્કાલ પ્રવચનોનાં ધ્વનિમુદ્રણથી અભિલિખિત છે. લંડનના ‘સન્ડે ટાઇમ્સે’ ઓશોને વીસમી સદીના એક હજાર નિર્માતાઓમાંના એક ગણાવ્યા છે. જ્યારે ભારતના ‘સન્ડે મિડ-ડે’એ એમને ગાંધી, નેહરુ તથા બુદ્ધ સહિતની દસ વિભૂતિઓમાં સ્થાન આપ્યું છે, જેમણે ભારતનું ભાગ્ય બદલી નાખ્યું.
ઓશો ઈન્ટરનેશનલ મેડિટેશન રિસૉર્ટ
ઓશો મેડિટેશન રિસૉર્ટનું નિર્માણ એટલા માટે કરવામાં આવ્યું કે લોકો જીવવાની નવી ક્લાનો સીધો અનુભવ લઇ શકે-વધારે સભાનતાપૂર્વક, હાસ્ય તથા આરામ સાથે. પ્રસ્તુત રિસૉર્ટ ભારતના મુંબઇ શહેરથી સો માઇલ દક્ષિણ-પૂર્વમાં પૂનાના કોરેગાંવ પાર્કમાં વૃક્ષોથી ભર્યા ભર્યા ચાલીસ એકર આવાસીય ક્ષેત્રમાં આવેલો છે. રિસૉર્ટ અનેક દેશોમાંથી દર વર્ષે આવતા હજારો લોકોને માટે ભિન્ન ભિન્ન પ્રકારના કાર્યક્રમો પ્રસ્તુત કરે છે.
મેડિટેશન રિસૉર્ટમાં મલ્ટિવર્સટી કાર્યક્રમ; પ્રસિદ્ધ ઝેન ઉદ્યાન, ઓશો તીર્થની બાજુના પિરામિડ પરિસરમાં યોજાય છે. આ કાર્યક્રમ વ્યક્તિગત રૂપાંતરણ માટે તેમજ લોકોને જીવવાની અભિનવ કલા શીખવવાના ઉદ્દેશથી તૈયાર કરાયા છે – એક એવી જાગ્રત અવસ્થા, જેને તેઓ પોતાના દૈનિક જીવનમાં ઉતારી શકે. આત્મખોજ સત્ર, સેશન, કોર્સ તેજમ બીજી ધ્યાન પ્રક્રિયાઓ આખું વર્ષ ચાલે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે, એક સુંદર વ્યવસ્થાની સગવડ છે જેમાં ઝેન પ્રક્રિયાની સાથે રમત તેમજ મનોરંજનનો અનુભવ લઇ શકાય છે.
મુખ્ય ધ્યાન સભાગારમાં સવારના છ વાગ્યાધથી રાત્રીના અગિયાર વાગ્યા સુધી દરરોજ ગતિશીલ તથા સક્રિય ધ્યાન વિધિઓ થાય છે જેમાં રોજ સંધ્યા ધ્યાન પણ સમાવિષ્ટ છે. રાત્રે રિસૉર્ટનું બહુ - સાંસ્કૃતિક જીવન પણ ખીલી ઊઠે છે – મિત્રોથી ભર્યા ખુલ્લા ગગનની નીચે ભોજન-સ્થળ અને પ્રાયઃસંગીત અને નૃત્યની સાથે. સ્વસ્થ અને શુદ્ધ પીવાના પાણી માટે રિસૉર્ટની પોતાની વ્યવસ્થા છે અને અહીં પીરસાયેલા ભોજનમાં રિસૉર્ટના પોતાના ફાર્મમાં ઉગાડેલાં શાકભાજીઓ ઉપયોગમાં લેવાય છે.
મેડિટેશન રિસૉર્ટની ઑન લાઇન ટૂર, યાત્રા તેમજ કાર્યક્રમોની જાણકારી www.osho.com ઉપરથી પ્રાપ્ત કરી શકાય છે. આ જુદી જુદી ભાષાઓમાં સવિસ્તર આપેલી વેબ સાઇટ છે, જેમાં છે-એક ઑન લાઇન પત્રિકા, ઑડિયો તથા વિડિયો વેલકાસ્ટિંગ, ઓડિયો બુક ક્લબ, ઓશો પ્રવચનોના સંપૂર્ણ અંગ્રેજી તથા હિન્દી અભિલેખ દ્વારા વિકસિત કરેલાં સક્રિય ધ્યાનોની જાણકારી જે મોટે ભાગે વિડિયો પ્રદર્શનની સાથે છે.
વિશેષ માહિતી માટે સંપર્ક કરો :
ઓશો કૉમ્યુન ઇન્ટરનેશનલ
૧૭, કોરેગાંવ પાર્ક, પુણે-૪૧૧૦૧૧ (મહારાષ્ટ્ર) ફોન : ૦૨૯-૪૦૧૯૯૯૯; ફેક્સ : ૦૨૦-૪૦૧૯૯૯૦
E-mail : visitor@osho.net / website : www.osho.com
Page #206
--------------------------------------------------------------------------
________________
૨૦૧
Books by Osho in English Language
Early Discourses and Writings A Cup of Tea Dimensions Beyond The Known From Sex to Super-Consciousness The Great Challenge Hidden Mysteries I Am The Gate The Inner Journey Psychology of the Esoteric Seeds of Wisdom Meditation The Voice of Silence And Now and Here (Vol 1 & 2) In Search of the Miraculous (Vol 1 & 2) Meditation: The Art of Ecstasy Meditation: The First and Last Freedom The Path of Meditation The Perfect Way Yaa-Hoo! The Mystic Rose Buddha and Buddhist Masters The Book of Wisdom The Dhammapad: The Way of the Buddha (Vol 1-12) The Diamond Sutra The Discipline of Transcendence (Vol 1-4) The Heart Sutra Indian Mystics Enlightenment: The Only Revolution (Ashtavakra) Showering Without Clouds (Sahajo) The Last Morning Star (Daya) The Song of Ecstasy (Adi Shankara) Baul Mystics The Beloved (Vol 1 & 2) Kabir The Divine Melody Ecstasy: The Forgotten Language The Fish in the Sea is Not Thirsty The Great Secret The Guest The Path of Love The Revolution Jesus and Christian Mystics Come Follow to You (Vol 1-4) 1 Say Unto You (Vol 1 & 2) The Mustard Seed Theologia Mystica Jewish Mystics The Art of Dying The True Sage
Western Mystics Guida Spirituale (Desiderate) The Hidden Harmony (Heraclitus) The Messiah (Vol 1 & 2) (Commentaries on Khalil Gibran's The Prophet) The New Alchemy: To Turn You On (Commentaries on Mabel Collins' Light on the Path) Philosophia Perennis (Vol 1 & 2) (The Golden Verses of Pythagoras) Zarathustra: A God That Can Dance Zarathustra: The Laughing Prophet (Commentaries on Nietzsche's Thus Spake Zarathustra) Sufism Just Like That Journey to the Heart The Perfect Master (Vol 1 & 2) The Secret Sufis: The People of the Path (Vol 1 & 2) Unio Mystica (Vol 1 & 2) The Wisdom of the Sands (Vol 1 & 2) Tantra Tantra: The Supreme Understanding The Tantra Experience The Royal Song of Saraha (same as Tantra Vision, Vol 1) The Tantric Transformation The Royal Song of Saraha (same as Tantra Vision, Vol 2) The Book of Secrets :Vigyan Bhairav Tantra The Upanishads Behind a Thousand Names (Nirvana Upanishad) Heartbeat of the Absolute (Ishavasya Upanishad) I Am That (Isa Upanishad) The Message Beyond Words (Kathopanishad) Philosophia Ultima (Mandukya Upanishad) The Supreme Doctrine (Kenopanishad) Finger Pointing to the Moon (Adhyatma Upanishad) That Art Thou :
Page #207
--------------------------------------------------------------------------
________________
૨૦૨
(Sarvasar Upanishad, Kaivalya Upanishad, Adhyatma Upanishad) The Ultimate Alchemy, Vol 1 & 2 (Atma Pooja Upanishad) Vedanta: Seven Steps to Samadhi (Akshaya Upanishad) Flight of the Alone to the Alone (Kaivalya Upanishad)
Tao
The Empty Boat The Secret of Secrets Tao: The Golden Gate (Vol 1 & 2) Tao: The Pathless Path (Vol 1 & 2) Tao: The three Treasures (Vol 1 - 4) When the show Fits Yoga The Path of Yoga (previously Yoga: The Alpha and the Omega (Vol 1) Yoga: The Alpha and the Omega (Vol 2 - 10) Zen and Zen Masters Ah, This! Ancient Music in the Pines And the Flowers Showered A Bird on the Wing Bodhidharma: The Greatest Zen Master Communism and Zen Fire, Zen Wind Dang Dang Doko Dang The First Principle God is Dead: Now Zen is the Only Living Truth The Grass Grows By Itself The Great Zen Master Ta Hui Hsin Hsin Ming: The Book of Nothing I Celebrate Myself: God of Zen Nirvana: The Last Nightmare No Mind: The Last Nightmare No Mind: The Flowers of Eternity No Water, No Moon One Seed Makes the Whole Earth Green Returning to the Source The Search: Talks on the 10 Bulls of Zen A Sudden Clash of Thunder The Sun Rises in the Evening Take it Easy (Vol 1 & 2) This Very Body the Buddha Walking in Zen, Sitting in Zen The White Lotus Yakusan: Straight to the point of Enlightenment Zen Manifesto: Freedom from oneself
Zen: The Mystery and the Poetry : of the Beyond
Zen: The Path of Paradox (Vol 1, 2 & 3) Zen: The Special Transmission
Zen Boxed Sets The World of Zen (5 Vol.) Live Zen This. This. A Thousand Times This Zen: The Diamond Thunderbolt Zen: The Quantum Leap from Mind to No-Mind Zen: The Solitary Bird, Cuckoo of the Forest Zen: All The Colors Of The Rainbow (5 vol.) The Buddha: The Emptiness of the Heart The Language of Existence The Miracle The Original Man Turning In Osho: On the Ancient Masters of Zen (7 volumes)* Dogen: The Zen Master Hyakujo: The Everest of ZenWith Basho's haikus Isan: No Footprints in the Blue Sky Joshu: The Lion's Roar Ma Tzu: The Empty Mirror Nansen: The point Of Departure . Rinzil: Master of the Irrational * Each volume is also available individually Responses to Questions Be still and know Come, Come, Yet Again Come The Goose is Out The Great Pilgrimage: From Here to Here The Invitation My Way: The Way of the White Clouds Nowhere to Go But In The Razor's Edge Walk Without Feet, Fly Without Wings and Think Without Mind The Wild Geese and the Water Zen: Zest, Zip, Zap and Zing Talks in America From Bondage To Freedom From Darkness to Light From Death To Deathlessness From the False to the Truth From Unconsciousness to Consciousness The Rajneesh Bible (Vol 2 - 4) The World Tour Beyond Enlightenment (Talks in Bombay) Beyond Psychology (Talks in Uruguay) Light on the Path
Page #208
--------------------------------------------------------------------------
________________
(Talks in the Himalayas) The Path of the Mystic (Talks in Uruguay) Sermons in Stones (Talks in Bombay)
Socrates Poisoned again After 25 Centuries (Talks in Greece)
The Sword and the Lotus (Talks in the Himalayas) The Transmission of the Lamp (Talks in Uruguay) Osho's Vision for the World
The Golden Future
The Hidden Splendor The New Dawn The Rebel
The rebellious Spirit
The Mantra Series
Hari Om Tat Sat Om Mani Padme Hum
Om Shantih Shantih Shantih Sat-Chit-Anand
Satyam-Shivam-Sundram
Personal Glimpses Books I Have Loved
Glimpses of a Golden Childhood
Notes of a Madman
Interviews with the World Press
The Last Testament (Vol 1)
Intimate Talks between Master and Disciple-Darshan Diaries
A Rose is a Rose is a Rose
Be Realistic: Plan for a Miracle Believing the Impossible Before Breakfast
Beloved of My Heart
Blessed are the Ignorant
Dance Your Way to God
Don't Just Do Something, Sit There
Far Beyond the stars
For Madmen Only
The Further Shore
Get Out of Your Own Way God's Got A Thing about You God is Not for Sale
The Great Nothing Hallelujah!
Let Go!
The 99 Names of Nothingness No Book, No Buddha,
No Teaching, No Disciple
Nothing to Lose but Your Head Only Losers Can Win in This Game Open Door
Open Secret
The Sound of the Whip
The Sound of One Hand Clapping
The Sun Behind the Sun Behind the sun The Tongue-Tip Taste of Tap This Is It
Turn On, Tune In and Drop the Lot What Is, Is, What Ain't, Ain't Won't You Join The Dance? Compilations
After Middle Age: A Limitless Sky At the Feet of the Master Bhagwan Shree Rajneesh: On Basic Human Rights
Jesus Crucified Again, This Time in Ronald Reagan's America Priests and Politicians: The Mafia of the Soul
Take it Really Seriously
Gift Books of Osho Quotations
A Must for Contemplation Before Sleep A Must for Morning Contemplation
India My Love Photobooks
Shree Rajneesh: A Man of Many Climates, Seasons and Rainbows
through the eye of the camera Impressions... Osho Commune International Photobook
Books about Osho
Bhagwan: The Buddha for the Future by Juliet Forman Bhagwan Shree Rajneesh: The Most Dangerous Man Since Jesus Christ by Sue Appleton Bhagwan: The Most Godless Yet the Most Godly Man
by Dr. George Meredith Bhagwan: One Man Against the Whole Ugly Past of Humanity by Juliet Forman
Bhagwan: Twelve Days That Shook the World by Juliet Forman Was Bhagwan Shree Rajneesh Poisoned by Ronald Reagan's America? by Sue Appleton. Diamond Days With Osho by Ma Prem Shunyo
૨૦૩
For any information about Osho Books & Audio / Video Tapes please contact : Sadhana Foundation
17, Koregaon Park, Pune-411001, MS, India.
Phone: +91-20-4019999 E-mail distrib@osho.net
Fax +91-20-4019990 Website: www.osho.com
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૪
સૂત્ર
( ૧ )
( ૨ )
( ૩ )
( ૪ )
( ૫ )
( ૬ )
( ૭ )
( ૮ )
( ૯ ) (૧૦)
ઉપનિષદ પ્રકાશનો
ધ્યાનસૂત્ર
નારી
હૃદયસૂત્ર
શોધ શોધ ... ભીતર શોધ
સમજણઃ શૂન્યતા
સમજણઃ કરૂણા
સમજણઃ પ્રેમવૃષ્ટિ
મુક્ત ગગનનું મસ્ત પંખી
યોગઃ માર્ગ
યોગઃ અભ્યાસ (૧૧) ઝલક : બાળપણની
(૧૨) ક્યા ઃ શાણપણની
(૧૩) કૃષ્ણ
(૧૪) સર્જનાત્મકતા
(૧૫) યોગઃ સમાધિ
(૧૬)
(૧૭) આત્મીયતા
સ્વવિકાસના છ સોપાન
(૧૯) પ્રજ્ઞા
(૧૯) નમો અરિહંતાણમ્-મંત્ર
અમારા આગામી પ્રકાશનો
નમો અરિહંતાણમ્-તપ
નમો અરિહંતાણમ્-ધર્મ
( ૧ )
( ૨ )
( ૩ )
મુક્તિ
( ૪ ) યોગઃ ચેતનાની હરણ ફાળ
૯૦/
૧૨૦/
૧૫૦/
૧૨૦/ -
૧૨૦/
૧૨૦/
૧૫૦/
૩૦૦/
૧૪૦ | -
૧૪૦/
૨૫૦/
૨૫૦/
૨૮૦/
૧૨૦/
૧૪૦/
૧૨૦/
૧૨૦/
૧૨૦/
૧૪૦/
ઉપનિષદચેરિટેબલ ટ્રસ્ટ
‘તથાતા’, ૩૩/બી, નંદિગ્રામ સોસાયટી–૨,સિંધવાઈમાતા રોડ, પ્રતાપનગર, વડોદરા-૩૯૦૦૦૪. ફોન : ૯૧-૨૬૫-૨૬૩૮૨૬૯/૨૫૮૦૩૩૬ E-mall : book@unpnishad.org Website : www.upnishad.org
Page #210
--------------------------------------------------------------------------
________________ એક અદ્દભૂત વાત એ છે કે “નમો અરિહંતાણં” મંત્રમાં કોઈ વ્યક્તિનું નામ નથી. મહાવીર, પાર્શ્વનાથકે કોઈ બીજા તીર્થકરનું નામ નથી-જૈન પરંપરાનું કોઈ નામ નથી. કારણકે જૈન પરંપરા એ સ્વીકારે છે કે ‘અરિહંત’ માત્ર જૈન | પરંપરામાં જ નથી થયા, બીજી પરંપરાઓમાં પણ અરિહંત થયા છે. તો આ નમોકાર કોઈ ખાસ અરિહંતને નહીં, બધા અરિહંતોને છે. આ એક વિરાટ નમસ્કાર છે, વિશ્વના બીજા કોઈ ધર્મમાં, આવો સર્વાગીણ, આવો સર્વસ્પર્શી મહામંત્ર વિકસિત થયો નથી. એનો જાણે કોઈ વ્યક્તિ કેન્દ્રિત ખ્યાલ નથી, શક્તિ તરફ ધ્યાન છે. આ મંત્રમાં રૂપ પર ધ્યાન નથી, જે અરૂપ સત્તા છે તેના તરફ ધ્યાન છે. અરિહંતોને નમસ્કાર ! - ઓશો ISBN 819041658-8 UPNISHAD ઉપનિષદ ચેરિટેબલ ટ્રસ્ટ www.upnishad.org E-mail: book@upnishad.org 9l788190I41658 II કિંમત - 140=00