SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ નવકા૨ મંત્ર વાસિલિયેવ એમ કહે છે કે મૂળ સૂત્ર ગ્રહણશીલતાનું છે. આપણું ચિત્ત જેટલું ગ્રહણશીલ રહેવું જોઇએ એટલું રહેતું નથી. પરંતુ એ ગ્રહણશીલતા અખંડ રહે તો એને જે કાંઇ કહેવામાં આવે તે એના ચિત્તના ઊંડાણમાં પ્રવેશી જાય. મોટી વાત વિશ્વાસની છે, શ્રદ્ધાની છે. મહાવીરે આ વિશે ભારતમાં ઘણાં પ્રયોગો કર્યા હતા. પરંતુ મહાવીરની દિશા અલગ હતી. મહાવીરે જાતિસ્મરણના પ્રયોગ ર્યા હતા. કોઇ વ્યક્તિએ આધ્યાત્મમાં આગળ ઝડપી પ્રગતિ કરવી હોય તો એના પાછલા જન્મોનું એને જ્ઞાન થવું જોઇએ. જો આ પાછલા જન્મોનું સ્મરણ (જાતિસ્મરણ) બરાબર થઇ જાય તો ભવિષ્યની યાત્રામાં ભૂતકાળમાં પાછલા જન્મોમાં કરેલી ભૂલો ફરીથી કરવામાં સમય વેડફાતો બંધ થઇ જાય, આગળની યાત્રા ઝડપી બને અને સહેલી બને. હવે આ નમોકાર મંત્રથી આપણે મહાવીરની વાણી પરની ચર્ચા શરૂ કરીશું. આ માર્ગ ખૂબ ગહન અને સૂક્ષ્મ છે. તમે જો ગ્રહણશીલ હશો, નમન અને શ્રદ્ધાથી ભરેલા હશો તો ઇ.ઇ.જી. જેવા કોઇ યંત્રની સહાયતા વિના પણ તમારામાં ‘આલ્ફ્રા વેવ્ઝ’ પેદા થશે. જ્યારે પણ કોઇ શ્રદ્ધાથી તરબતર હોય છે ત્યારે એનામાં જે ‘આલ્ફા વેવ્ઝ’ પેદા થાય છે તેનો ગ્રાફ (graph), ઇ.ઇ.જી. યંત્ર પર અંકિત થતાં, ગહન સંમોહનમાં પ્રગાઢ નિદ્રામાં તેમ જ ઊંડા ધ્યાનમાં અંકિત થતા ગ્રાફ જેવો જ હોય છે. શ્રદ્ધાથી ભરેલું ચિત્ત, ઊંડા ધ્યાન વેળાની અવસ્થા જેટલું જ, શાંત હોય છે. એવી જ શાંત અવસ્થા પ્રગાઢ નિદ્રામાં પણ હોય છે. વાસિલિયેવ એક ‘નિકોલિયેવ નામના યુવક પર પ્રયોગો કરતો હતો. એ યુવક પર એણે વર્ષો સુધી પ્રયોગ કર્યા. નિકોલિયેવમાં બે હજાર માઇલ દૂરથી મોકલાતા વિચારોને ગ્રહણ કરવાની ક્ષમતા આવી ગઇ હતી. સેંકડો પ્રયોગો કરવામાં આવ્યા, જેમાં નિકોલિયેવે બે હજાર માઇલ દૂરના વિચારો પકડયા, જ્યારે એને પૂછવામાં આવ્યું કે તું આ કેવી રીતે કરી શકે છે? ત્યારે એણે જવાબ આપ્યો કે એકમાત્ર તરકીબ છે. અર્ધો કલાક પહેલાં હું સંપૂર્ણ શાંત-શિથિલ અવસ્થામાં પડયો રહું છું. બહારની તેમ જ ભીતરની બધી સક્રિયતાને છોડી દઇ એકદમ નિષ્ક્રિય (passive) થઈ જાઉં છું. પુરૂષની જેમ નહીં, પણ સ્ત્રીની જેમ નિક્રિય બની જાઉં છું. કાંઇ કરતો નથી, પરંતુ કાંઈ આવતું હોય, તો તે ગ્રહણ કરવા તૈયાર રહું છું. અર્ધા કલાક પછી જ્યારે મારી સાથે જોડાયેલા ઇ.ઇ.જી. યંત્રમાં ‘આલ્ફ્રા વેવ્ઝ’ દેખાવાનાં શરૂ થાય છે ત્યારે બે હજાર માઇલ દૂરથી મોકલાતા વિચારો પકડવામાં હું સમર્થ થઇ જાઉં છું. પરંતુ જ્યાં સુધી પૂરેપૂરો ગ્રહણશીલ થઇ જતો નથી ત્યાં સુધી આ વિચારો મારાથી પકડી શકાતા નથી. વાસિલિયેવ બે પગલાં આગળ વધ્યો. અનેક રીતે વિકૃત થયેલા માનવીને બાજુએ રાખી એણે ઊંદર પર પ્રયોગ કર્યા. એને એમ થયું કે આવી ક્ષમતા પશુઓમાં વધારે શુદ્ધ હોઇ શકે છે. સદીનો એક અત્યંત અનૂઠો પ્રયોગ વાસિલિયેવે કર્યો. એક ઊંદરડીને દરિયાકિનારે રખાઇ અને એનાં આઠ બચ્ચાંને એક સબમરીનમાં દરિયામાં હજારો ફૂટ ઊડે લઇ જવામાં આવ્યાં. સબમરીનનો આ
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy