SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણમ્ મંત્ર ૩૭ જાય છે, પ્રગટ થઈ જાય છે. ખિલી હદ છે તે ભગવત્તા છે. એટલે મહાવીરની અરિહંતની, સિદ્ધની, ભગવાનની ભગવત્તાની ધારણા એ ચેતનાનું પુરું ખિલી ઊઠવું તે, ચેતનાનું પ્રફુલ્લનું છે. એવાં ખિલી ઊઠલાલમાંથી ઝરતી જે સુવાસ છે, તે છે કેવલી પન્નતો ધમ્મો, કેવલીએ ઉપદેશેલો ધર્મ. એને જ મહાવીર લોકોમાં ઉત્તમ કહે છે. જે ફૂલની જેમ અંતમાં ખિલે છે, એ શિખર છે. શાસ્ત્રોમાં લખેલો ધર્મ ઉત્તમ છે એમ મહાવીર કહેતા નથી. નહિ તો એ એમ જ કહેત, ‘શાસ્ત્ર પ્રરૂપિત ધર્મ.” વેદમાં માનવાવાળા કહે છે, કે વેદમાં પ્રરૂપિત ધર્મ છે તે લોકોમાં ઉત્તમ છે. બાઈબલને માનવાવાળા કહે છે, બાઈબલમાં પ્રરૂપિત ધર્મ ઉત્તમ છે. કુરાનને માનવાવાળા કહે છે કે કુરાનમાં પ્રરૂપિત ધર્મ ઉત્તમ છે, ગીતાને માનવાવાળા કહે છે કે ગીતામાં વર્ણવેલો ધર્મ ઉત્તમ છે. પરંતુ મહાવીર કહે છે, “કેવલી પન્નતો ધમ્મો, કેવળજ્ઞાનની ક્ષણોમાં, જે ઝરી રહ્યો છે તે જીવંત ધર્મ ઉત્તમ છે. લખેલાનું શું મૂલ્ય છે? લખાયેલું બધું શબ્દોમાં બંધાતાં મર્યાદિત બને છે, સંકોચાઈ જાય છે. જીવંત ધર્મ-એના હવે ઘણા અર્થથઈ ગયા છે. હવે કેવલી પ્રરૂપિત ધર્મશાસ્ત્રોમાં લખાઈ ચૂક્યો છે. તો જૈનો એ શાસ્ત્રને માથા પર લઈને ધૂમે છે, જેમ કોઈ કુરાનને, ગીતાને કે બાઈબલને લઈને ધૂમતો હોય છે. પરંતુ આ મહાવીરને આપણે કરેલો અન્યાય છે. અન્યાય એટલા માટે કે મહાવીર શાસ્ત્ર પ્રરૂપિત ધર્મ એવું કહ્યું નથી. એમણે એમ પણ નથી કહ્યું કે મારા શાસ્ત્રમાં કહેલો ધર્મ. ખૂબ મોટી મુશ્કેલી છે. મહાવીરે તો કોઈ શાસ્ત્ર નિર્મિત કર્યું જ નથી. મહાવીરે કાંઈ લખ્યું નથી કે કાંઈ લખાવ્યું નથી. મહાવીરનાં દેહાંતનાં સેંકડો વર્ષો પછી, મહાવીરનાં વચન શિષ્યોની સ્મૃતિમાંથી લખાયાં છે. એક બીજી પણ મુશ્કેલી છે. મહાવીરે કહ્યું નથી, એમ કહેવું ઘણું મુશ્કેલ છે. મહાવીર તો મૌન રહ્યા હતા. મહાવીર તો કાંઈ બોલ્યા નથી. તો મહાવીરની જે વાણી છે તે કહેવાયેલી નથી, પરંતુ સંભળાયેલી છે. મહાવીરનું જે ધર્મ પરૂપણ છે તે, દૂરસંવેદી સંપ્રેષણ (Telepathjic Transmis sion) છે. એટલે એક પૌરાણિક કથા જેવી લાગતી વાત છે, જેને હવે વૈજ્ઞાનિક સમર્થન મળી રહ્યું છે તે મુજબ મહાવીર જ્યારે બોલતા ત્યારે બોલતા નહોતા. એ બેસતાશાંતિપૂર્વક ત્યારે એમના અંતર આકાશમાં એક ધ્વનિનું ગૂજન થતું-હોઠનો પણ એ ઉપયોગ નહોતા કરતા, કંઠનો પણ ઉપયોગ નહોતા કરતા. મૈસિંગ જેવો માણસ જે એક સાધારણ વ્યક્તિ છે, કોઈ અરિહંત નથી તે એક કાગળના ટુકડાને પોતાની અંતર્વાણી દ્વારા કહી શકે છે ‘આ ટિકિટ છે.” એ કાંઈ બોલ્યો નથી, માનસિક ભાવ કર્યો છે. પરંતુ ટિકિટચેકર તો સમજો અને સાંભળ્યું કે “આ ટિકીટ છે. માત્ર એક કોરા કાગળ પર લાખ લાખ બલ મેળવી શકાય છે. જે લખાયું નથી તે વંચાય છે. ટ્રેઝરરે વાંચ્યું કે લાખ રૂબલ આપવાના છે. તો આવો જ કોઇ પ્રયોગ – Telepathic પ્રયોગ મહાવીરે કર્યો હશે. એમના શબ્દો
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy