SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ મંગળ અનેલોકોત્તમની ભાવના બોલાયા નથી, સંભળાયા છે. એમની બાજુમાં મૌન બેઠા હશે તેમણે એ શબ્દો સાંભળ્યા હશે. એટલે જે એવી ટેલીપથિક ભાષા સમજી શક્તા હતા, તેમણે એ ભાષામાં સાંભળ્યું. એમાં એક વાત બીજી સમજવા જેવી છે. આપણે જે ભાષાન સમજતા હોઈએ તેમાં કેવી રીતે સાંભળીએ? જે ભાષા સમજી શકીએ તેમાં સાંભળી શકીએ. મહાવીરે જ્યારે પ્રથમ મૌનમાં સંભાષણ ક્યું ત્યારે જાનવર હાજર હતાં, પક્ષી હાજર હતાં, વનસ્પતિ હાજર હતી-કથા કહે છે એ સૌએ પણ સંભાષણ સાંભળ્યું. એટલે બેકસ્ટર કહે છે કે છોડવાઓને પણ ભાવ હોય છે. તેઓ આપણાં ભાવ અને લાગણીઓ સમજે છે. છોડને પ્રેમ કરનાર જ્યારે દુઃખી થાય છે ત્યારે છોડ પણ દુઃખી થાય છે. જ્યારે પ્રેમીના ઘરમાં ઉત્સવ હોય ત્યારે છોડ પણ પ્રફુલ્લિત બને છે. એમની પાસે ઊભા રહેતા એમનામાં આનંદની ધારા વહેવા લાગે છે. જ્યારે એ જ ઘરમાં કોઈ મૃત્યુ પામે છે ત્યારે છોડ પણ શોક મનાવે છે. હવે જ્યારે આ બધી બાબતોનાં વૈજ્ઞાનિક પ્રમાણ મળ્યાં છે ત્યારે મહાવીરનો હૃદયનો સંદેશો છોડવાઓની સ્મૃતિ સુધી પહોંચ્યો હશે એમ માનવામાં શું મુશ્કેલી છે? હવે આખી દુનિયામાં પ્રયોગો થઈ રહ્યા છે, જે પુરવાર કરે છે કે આપણા અચેતન (Unconscious) માં આપણે કોઈ પણ ભાષા સમજી શકીએ છીએ. તમને જો સંમોહન (hypnotism) દ્વારા બેહોશ કરવામાં આવે અને તમને તમારી હસ્તીનું ભાનન રહે ત્યારે કોઈ પણ ભાષામાં તમારી સાથે વાતચીત કરાય તો તે તમે સમજી શકશો. એકઝેકોસ્લોવાકિયાનો વૈજ્ઞાનિક ડૉ. રાજ ડેક ભાષા અને અચેતન પર પ્રયોગ કરતો હતો. એક મહિલા જે ઝેક જાણતી ન હતી તેને બેહોશ કરીને ઘણા દિવસો સુધી એણે ઝેક ભાષામાં વાતો કરી. મહિલા એ સમજતી હતી. એ બેહોશ હોય ત્યારે ઝેક ભાષામાં એને કહેવામાં આવે કે “એક ગ્લાસ પાણી આપો તો એ ઉઠીને પાણી લઈ આવતી. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે એ હોશમાં આવતી ત્યારે એ જ વાક્ય ‘એક ગ્લાસ પાણી આપો એ સાંભળતી પણ સમજતી નહોતી. વૈજ્ઞાનિકે એ મહિલાને પૂછ્યું કે આમ કેમ થાય છે? તું બેહોશ હોય છે ત્યારે ઝેક ભાષા સમજે છે અને હોશમાં આવે છે, ત્યારે નથી સમજતી મહિલાએ જવાબ આપ્યો, મને બેહોશીમાં થોડો ખ્યાલ આવતો હતો કે હુંઝેક ભાષા સમજુ છું, પરંતુ જેમજેમ હોશમાં આવતી જાઉં છું, તેમ તેમ તમારા એ ઝેક ભાષાના શબ્દો, ચાચા ચાચા જેવા અર્થહીન માલુમ પડે છે. પરંતુ બેહોશીમાં મને પણ થોડી સ્મૃતિ રહે છે કે હું તમારી વાત સમજું છું. આ અભ્યાસ ઉપરથી માનવીની ભાષા વિષે એના અચેતનના અભ્યાસ પછી રાજ ડેક એવા નિર્ણય પર આવ્યો કે આપણે બધા મહાસાગરમાંથી નીકળેલા નાના નાના બેટ જેવા છીએ, ઉપરથી દેખાઈએ છીએ અલગ અલગ, પરંતુ ભીતરમાં જમીનથી જોડાયેલા. ઉપર આપણી ભાષાઓ અલગ અલગ પરંતુ જેટલા અચેતનમાં ઊંડા ઉતરીએ એટલી ભાષાઓ એક બનતી
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy