SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણમ્: મંત્રી જાય છે. માત્ર માનવીની જ નહીં, પરંતુ અચેતનમાં ઊંડા ઊતરતાં પશુની પણ એક; એથી વધુ ઊંડા વનસ્પતિની પણ એક; એથી વધુ ઊંડે પત્થરની પણ એક જ ભાષા રહે છે. જેટલા વધુને વધુ ઊંડા ઊતરતા જઈએ, એટલાં આપણે બધાં, જોડાયેલાં છીએ. આપણે એક મહાદ્વીપcontinent ના જીવન સાથે જોડાયેલાં છીએ ત્યાં આપણે બધું સમજીએ છીએ. એટલે મહાવીરનો આ નિઃશબ્દ-વિચાર-સંચરણ (telepathy) નો પ્રયોગ, આવતા થોડાં વર્ષોમાં વૈજ્ઞાનિકો સાચો સાબિત કરશે. આ વિષય પર બહુ તીવ્ર ગતિથી કાર્ય ચાલી રહ્યું છે અને ઘણી બધી અંધારી ગલીઓમાં પ્રકાશ પથરાઈ રહ્યો છે. એનો અર્થ એ થયો કે જે કોઈને બીજી ભાષા શીખવવી હોય તો રાજ ડેક ના કહેવા મુજબ, તો ચેતન રૂપથી શીખવવાની, આપણે નકામી મહેનત કરીએ છીએ. રાજડેકે એક સંસ્થા ખોલી છે જેનું નામ છે Institute of Suggestology. એનો જો ઠીક અનુવાદ કરીએ તો તે મંત્ર મહાવિદ્યાલય થાય.Suggestolog નો અર્થ છે મંત્રશાસ્ત્ર. તમે જાણતા હશો કે આપણને સલાહ આપનારને આપણે ‘મંત્રી કહેએ છીએ. મંત્રનો અર્થ છે સુઝાવ, suggéstion-રાજડેક સાથે જોડાયેલા છે ડૉ. લૌજનોવ. બન્નેની આ સંસ્થાને બબ્બેરિયન સરકાર, જે સામ્યવાદી છે તે મદદ કરે છે. એમાં લૌજાનો સાથેત્રીસ વૈજ્ઞાનિકો કામ કરે છે. લૌજાનોવ કહે છે કે બે વર્ષ ચાલે એટલો પાઠયક્રમ અમે માત્ર વીસ દિવસમાં પૂરો કરીએ છીએ. જે ભાષા ચેતનરૂપે શીખતાં બે વર્ષ લાગે, તે લોનોવ તમને સંમોહિત કરીને માત્ર વીસ દિવસમાં શીખવી દે છે. લૌજેનોવ એક નવી શિક્ષણ પદ્ધતિ વિકસાવી રહ્યા છે. આજની શિક્ષણ પદ્ધતિથી સાવ ઊલટી એ પદ્ધતિ છે. મને લાગે છે કે આવતાં થોડા વર્ષોમાં એ શિક્ષણપદ્ધતિ આખી દુનિયા અપનાવી લેશે. મને પણ એ પદ્ધતિ ઠીક લાગે છે. લેજોનો એક શાળા ખોલી છે. એમાં બાળકોને બેસવા માટે ખુરસી નહીં, પણ આરામ ખુરસીઓ છે. હવાઈજહાજમાં જેવી આરામદાયક ખુરસી હોય છે તેવી ખુરસીઓમાં બાળકો સૂઈ જાય છે. વિમાન ઊપર ઊડવા માંડે પછી પ્રકાશને આછોકરી દેવાય છે, તેવો આ ઓરડામાં પણ પ્રકાશ એકદમ આછો કરી દેવાય છે. એમાં એક ખાસ પ્રકારનું સંગીત ચાલ્યા કરે છે. આ તે કાંઈ સ્કૂલ કહેવાય? બધું ઊલટું જ થઈ રહ્યું છે. આખો વખત ધીમું સંગીત સંભળાયા કરે છે. વિદ્યાર્થીઓને કહેવાય છે કે એમણે આંખો પૂરી કે અર્ધી બંધ કરી દેવી, માત્ર સંગીત પર જ ધ્યાન આપવું. શિક્ષક જે ભણાવી રહ્યા છે તેના તરફ ધ્યાન આપવાનું નહિ. તમે માત્ર સંગીત જ સાંભળ્યા કરો. શિક્ષકને સાંભળવાની જરૂર નથી. આમાં તો બિલકુલ ઊલટું બની રહ્યું છે. આપણે તો સ્કૂલમાં શિક્ષક જે બોલતા હોય તેના પર જ પૂરું ધ્યાન આપવાનું હોય છે બાળક બારીની બહાર જતું હોય, પક્ષીના અવાજ સાંભળતું હોય કે કાંઈ બીજું કરતું હોય તો શિક્ષક બૂમ મારીને કહે છે મારા તરફ ધ્યાન રાખો અને સાંભળો. તો
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy