SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ તપ એટલે આપણી ઊર્જા...... બળવાન બને છે. જો આપણે કામવાસનાનો વિચાર કરીએ તો કામવાસનાનું જે કેન્દ્ર છે ત્યાં શક્તિ એકઠી થાય છે. એ રીતે દરેક વૃત્તિ, જેના પર પણ આપણું ધ્યાન કેન્દ્રિત થાય, તે શક્તિશાળી બને છે અને આપણે કમજોર બનીએ છીએ. એટલે જે કેન્દ્ર પરશક્તિ એકઠી થઈ ગઈ હોય તે, એ શક્તિના બોજાથી ભારેખમ બની જાય છે અને એ કેન્દ્રએ બોજથી મુક્ત થવા માગે છે. મનુષ્યના મનની આવી જંજાળ છે. કામવાસના પરબે રીતે ધ્યાન આપી શકાય છે. એક તો તમે કામવાસનામાં રસ લો, એના વિચારો કરો તો કામકેન્દ્રને શક્તિ મળે છે. આ પ્રાકૃતિક છે. તમારામાંનૈસર્ગિક કામવાસના એકઠી થઈ જાય, ઘનીભૂત થઈ જાય, તો એ નૈસર્ગિક કામવાસના પર ધ્યાન જતાં, નૈસર્ગિક રૂપે જ એ શક્તિ વિસર્જિત થઈ જાય છે. પરંતુ વિકૃત ધ્યાન પણ આપી શકાય છે. એક વ્યક્તિ એ રીતે કામવાસના પર ધ્યાન આપે છે, કે જાણે એ દુશ્મન હોય, જાણે એની સાથે લડવાનું હોય. કોઈ રીતે કામવાસના એની ભીતર પ્રવેશી ન જાય એનું એ ધ્યાન રાખે છે. એ પણ ધ્યાન આપે છે કામકેન્દ્ર પર, ત્યાં શક્તિ એકઠી થશે. પરંતુ એ વ્યક્તિ શક્તિને વિસર્જિત થવા દેવા માગતી નથી, છતાં ધ્યાન તો આપે જ છે. તો એનું શું થશે ? એ એકઠી થયેલી શક્તિ, વિકૃત રૂપ ધારણ કરશે. કારણકે એ વિસર્જિત થઈ શકતી નથી. એ શક્તિ શરીરનાં બીજાં અંગોમાં પ્રવેશ કરશે અને તે અંગોને વિકૃત કરશે. એ કામવાસના માનસિક કેન્દ્રો પર અસર કરશે. વ્યક્તિ ભીતરમાં લડતી રહેશે, પોતાની જ આપેલી શક્તિ સાથે લડ્યાકરશે. આએવું છે કે એક વૃક્ષને આપણે પાણી પાઈએ, પરંતુ ભીતરમાં પ્રાર્થના કરીએ કે આવૃક્ષ મોટું થાય. વૃક્ષ મોટું ન થાય એવી પ્રાર્થના કરીએ છીએ અને પાણી પણ પાયા કરીએ છીએ. વૃક્ષ તો મોટું થશે. જે વૃત્તિ તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, એ ધ્યાન પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય, પરંતુ એ વૃત્તિને ધ્યાનની શક્તિ તો મળે જ છે, એને ભોજન મળે છે. એટલેતપનું મૂળ સૂત્ર એ છે, કે ધ્યાન ક્યાંક બીજે આપો. જ્યાં તમે શક્તિ એકઠી કરવાનમાગતા હો, જે વૃત્તિને શક્તિશાળી ન બનવા દેવી હોય, તેના પર ધ્યાન જ ન આપો. ધ્યાનને ત્યાંથી હટાવી એનું ઊર્ધ્વગમન કરો. કામવાસનાથી મુક્ત થવું હોય તો કામવાસના પર ધ્યાન જ ન આપણે, એના પક્ષમાં પણ નહીં અને એની વિરુદ્ધમાં પણ નહીં. પરતું ધ્યાન શક્તિ છે, એને તમારે કામે લગાડવી જ પડશે, એને કામ જોઈએ છે. તપનું મૂળ સૂત્ર એ છે કે ધ્યાન માટે નવા કેન્દ્રને નિર્મિત કરો. મનુષ્યમાં બીજું કેન્દ્રો છે. કામકેન્દ્ર તો સૌથી નીચેનું કેન્દ્ર છે. એની ઉપર બીજાં કેન્દ્રો છે. જેવું ધ્યાનને નવું કેન્દ્રમળશે કે એ કેન્દ્રને શક્તિ મળવાની શરૂ થશે. જેવું એનવું કેન્દ્રશક્તિશાળી બનશે કે જૂના કેન્દ્ર પરથી એ મુક્ત થશે. જાણે પહાડ પર ચડવાનું શરૂ થયું. સૌથી નીચેનાકામકેન્દ્ર સાથે આપણે પ્રાકૃતિક રીતે જોડાયેલા
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy