________________
નમો અરિહંતાણમ્: મંત્ર
૧૭૭
હતો કે આ સંમેલનમાં આટલી મજા આવશે.
આપણી શક્તિનો વ્યય થવાનાં ખાસ કેન્દ્ર છે. ભોગ હોય કે ભોગની વિરુદ્ધ ત્યાગ કરવાનો હોય, શક્તિ વ્યય થવાનું કેન્દ્ર એ જ હોય છે. ધ્યાન આપણું ત્યાં જ કેન્દ્રિત થયેલું હોય છે અને શક્તિ પણ ત્યાંથી જ વિસર્જિત થાય છે.
એટલે ધ્યાન કે તપ, એ વિસર્જનના કેન્દ્રને સમજવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા પર લાંબી ચર્ચા થશે. કારણકે મહાવીરે તપના બાર વિભાગ સમજાવ્યા છે. એક એક વિભાગ અત્યંત વૈજ્ઞાનિક પ્રક્રિયાનો હિસ્સો છે, એના પર કાલથી ચર્ચા કરીશું.