SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ તપ: ઊર્જશરીરના અનુભવ ભીતરમાં કાંઈ વૃદ્ધ થઈ ગયું હોય એવું લાગતું નથી. કારણકે જે ઊર્જા શરીર છે તે પહેલાંની જેમ કામ કર્યા કરે છે. એક અમેરીકન મનોવૈજ્ઞાનિક ડૉ.ગ્રીનનામે એક સર્જન હતો. તેણે માનવીના મગજના કેટલાક ભાગ કાપીને કાઢી લીધા. વૈજ્ઞાનિકો એ જાણીને આશ્ચર્ય પામ્યા કે કેટલાક મગજના હિસ્સા કાપ્યા પછી પણ, મનના કામમાં કોઈ બાધા કે અડચણ જણાયાં નહિ. મને પોતાનું કામ પહેલાંની જેમ ર્યા કરે. ડૉ. ગ્રીને કહ્યું કે આ ઉપરથી એટલું ચોક્કસ સિદ્ધ થાય છે કે મગજ એક ઉપકરણ સાધન માત્ર છે, એનો ખરો માલિક કોઈ, ક્યાંક પાછળ છુપાયો છે. બધું કામ એ જ કર્યા કરે છે. તમારા શરીરની આસપાસ જે આભામંડળ નિર્મિત થયેલું હોય છે, તે તમારા શરીરનું કિરણોત્સર્જન નથી, કે શરીરમાંથી નીકળતાં કોઈ કિરણોનો ફેલાવો નથી. પરંતુ ભીતરમાં જે ઊર્જશરીર છે તેનું જ આ ભૌતિક શરીર પ્રતિબિંબ છે. શરીર તમારા ભીતરના ઉર્જશરીરને દર્પણ રૂપે બહાર પ્રગટ કરે છે. આવું કિરલિયાનનું મંતવ્ય છે. બહાર દેખાતા આભામંડળનાં કિરણો, ભૌતિક શરીરનાં નથી, પરંતુ ભીતરનાં ઉર્જા શરીરનાં છે, એ માત્ર ભૌતિક શરીર મારફત બહાર પ્રગટ થાય છે. આપણે એક દીવો સળગાવ્યો હોય અને એની ચારે તરફ એક કાચનું આવરણ, હવારોકવા ઊભું કર્યું હોય તો એ પારદર્શક કાચની બહાર તેજનાં કિરણો પ્રસરે છે. પરંતુ એ કિરણો કાચનાં નથી, કાચમાંથી નીકળી રહ્યાં છે. કિરણો તો અંદરના દીવામાંથી બહાર આવી રહ્યા છે. એ જ રીતે આપણા શરીરમાંથી જે ઊર્જનીકળી છે. તે આ ભૌતિક શરીરની નથી, પરંતુ ભીતરના ઊર્જાશરીરની છે. કારણકે મરણ પામેલા માણસના શરીરનું પૂરું ભૌતિક તત્વતો એનું એ જ રહે છે, એમાંથી માત્ર ઉર્જાનાં વર્તુળ નીકળી ગયાં હોય છે. તપ માટે આ સૂક્ષ્મ શરીર પર જ કામ કરવાનું હોય છે. છતાં સામાન્ય રીતે આપણે જેમને તપસ્વીકહીએ છીએ તે લોકો આ ભૌતિક શરીરને સતાવવામાં સમયગુમાવે છે. ભૌતિક શરીર સાથે તપને કાંઈ લેવાદેવા નથી. ખરું કાર્યતો ભીતરમાં છુપાયેલા ઊર્જશરીર-energybody પર જ કરવાનું હોય છે. યોગમાં જે ચક્રોની વાત કરવામાં આવી છે તે ચક્રો ભૌતિક શરીરમાં ક્યાંય નથી, એ બધાં ઊર્જશરીરમાં છે. એટલે જ્યારે વૈજ્ઞાનિક આપણા શરીરને કાપીને એનો અભ્યાસ કરે છે ત્યારે એને એમાં કોઈ ચક્રો દેખાતાં નથી, એમાં કોઈ અનાહત, સ્વાધિષ્ઠાન કે મણિપુર ચક્રો મળતાં નથી. એ ચક્રો તો ઊર્જશરીરનાં બિંદુઓ છે. જોકે એ ઊર્જા શરીરનાં બિંદુઓ સાથે સુસંગત એવાં ભૌતિક શરીરમાં સ્થાન છે, પરંતુ એ સ્થાનો ચક્રો નથી. જ્યારે તમે પ્રેમથી ભરેલા હો છો ત્યારે તમારા હૃદય પર તમે હાથ મૂકો છો તો જ્યાં આપણે હાથ * રાખીએ છીએ તે સ્થાન પર શસ્ત્રક્રિયા કરીને વૈજ્ઞાનિક જુએ તો ત્યાં ફેફસા અને હૃદય સિવાય
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy