SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણમ્: મંત્ર ૧૮૯ બીજું કાંઇ મળશે નહીં. એ તો હવા પંપ કરવાની યંત્રણા છે, એનાથી શરીરના ધબકારા ચાલુ રહે છે. હવે તો એ હૃદયને બદલીને પ્લાસ્ટીકનું બનાવેલું હૃદય પણ મૂકી શકાય છે. એ હૃદય વધુ સારું કામ આપી શકે છે, એ સડતુ નથી, તેમ ગળી જતું પણ નથી. પ્લાસ્ટિકના હૃદયને પણ heart attack આવી શકે છે. એ પ્લાસ્ટિકના હૃદયને અને હાર્ટએટકને શું સંબંધ છે ? એને તો એવો હૃદયનો હુમલો ન આવવો જોઇએ. એનો અર્થ છે કે એ હુમલો ક્યાંક બીજેથી આવી રહ્યો છે. પ્લાસ્ટીકના હૃદયને, પ્રેમી મરી જાય તો તેની કેમ ખબર પડે ? પ્રેમી મરી જાય તોપણ પ્લાસ્ટિક પર એનું શું પરિણામ આવી શકે ? પ્લાસ્ટિક પર કોઇ પરિણામ આવી શકતું નથી. પ્લાસ્ટિકનું હૃદય, કદાચ ધક્કો લાગ કે કાંઇ બીજો ધક્કો લાગે કે કાંઇ બીજા અકસ્માત થાય તો તૂટી શકે એમાં તડ પડી શકે, પરંતુ જે માનવીમાં એવું બનાવટી હૃદય ગોઠવાયું હોય, તેને એ માનવીનો કોઇ પ્રેમી મરી જાય તેની અસર ન થાય. પ્લાસ્ટિકનું હૃદય પ્રેમને કેવી રીતે ઓળખી શકે ? એ પ્લાસ્ટિકના હૃદય પર પ્રેમીના મરણની જરીકે અસર નહીં થાય. એ જ રીતે જે હૃદય, આપણા શરીરમાં ધબકી રહ્યુંછે, તેના પર પણ પ્રેમીના મરણની અસર થતી નથી. પરંતુ આ ભૌતિક હૃદયની નજીક, જે બિન્દુ પર ઊર્જાશરીરમાં હૃદયચક્ર છે, તેના પર પ્રેમીના મરણની અસર થાય છે. એ ચક્ર પર પ્રેમીના મરણનું પ્રતિબિંબ પડે છે અને પરિણામે ભૌતિક હૃદય ધબકતું બંધ થાય છે. યોગી લોકોએ, ભોતિક હૃદયના ધબકાર બંધ કરવાના સફળ પ્રયોગો અનેક વાર કર્યા છે, પરતું એ યોગી લોકો મરી જતા નથી. કારણકે જીવનનો જે સ્રોત છે તે ઊંડાણમાં ક્યાંક બીજે છે, ભૌતિક હૃદયમાં નથી. એટલે એવા યોગીના હૃદયના ધબકારા બંધ થઇ જાય છે, છતાં તેઓ મરતા નથી. એમનું જીવન ચાલુ રહે છે. હજી સુધી એવું કોઇ યંત્ર શોધી શકાયું નથી, જે જીવન ક્યાં ધબકી રહ્યું છે તે પકડી શકે. આપણું ભૌતિક શરીર એક સાધનમાત્ર છે. આ શરીરની ભીતરમાં છુપાયેલું અને એની બહાર પણ એ શરીરને ઘેરીને એક આભામંડળ અસ્તિત્વ ધરાવે છે. એ જ ખરેખર આપણું જીવંત વાસ્તવિક શરીર છે. એ જ આપણું તપ શરીર છે. એ તપશરીરનાં કેન્દ્રો પર આપણા ધ્યાનની પ્રક્રિયાઓની અસર થાય છે. અગાઉ જણાવ્યા મુજબ, ‘ચાઇનીઝ એક્યુપંક્ચરની’ જે ચિકિત્સાપદ્ધતિ છે, તેનો આધાર ઊર્જાશરીર પર જે સાતસો બિંદુઓ આવેલાં છે તેના પર થતી રોગની અસરને નાબૂદ કરવામાં છે. તમને આટલાં બધાં બિંદુ, ભૌતિક શરીરને સ્પર્શ કરી રહ્યાં છે એવો ખ્યાલ સહેલાઇથી આવી શકે તેમ નથી. એ સમજવા માટે તમારા શરીરને ખુલ્લું કરી પીઠ પાછળ, અલગ અલગ સ્થળે, કોઇને સોય ભોંકવાનું કહો. કેટલાંક એવાં બિંદુ શરીર પર છે, જેની સાથે શરીરનો સંપર્ક હોતો નથી. ત્યાં સોય ભોંકાશે તેની અસર નહી થાય. તમને આશ્ચર્ય થશે કે આવું કેમ બને છે ? તમારી પીઠ પર કેટલાક એવા સ્થાન છે, જેના પર સોયના ભોંકાવાની અસર થતી નથી. એવાં સંવેદનશીલ સ્થાન પણ છે, જેના પર સોયની અસર તત્કાલ થાય છે. જ્યાં જ્યાં તમારા ભૌતિક શરીર સાથે ઊર્જાશરીર
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy