SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ “સંયમ' એટલે મધ્યમાં રહેવું તે પ્રકાશ, હવા, વરસાદ, સૂર્ય, ચંદ્ર, તારા કેવાં હશે એના પર નિર્ભર છે. આ પાંદડા માત્ર વૃક્ષમાંથી નહીં, પરંતુ આસપાસની પ્રકૃત્તિની સમતામાંથી જન્મ લેશે. મહાવીર જેવા લોકો એક પ્રાકૃતિક સમગ્રતામાં આવે છે. એ શું કરશે તે કહીનશકાય. એમ પણ બને કે જે બળાત્કાર કરતું હોય તેને મહાવીર ધમકી પણ આપે. કાંઈ કહી શકાય નહીં. મુલ્લા નસરૂદ્દીન એક ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં એણે જોયું કે એક નાના માણસને, એક મોટો જાડો તગડો માણસ મારી રહ્યો છે. એ જડો માણસ પેલા નાના માણસ પર બેસી ગયો હતો.મુલ્લાને ગુસ્સો આવ્યો. દોડીને મુલ્લા પેલા જાડા માણસ પર તૂટી પડ્યો. મુલ્લા કાંઈ પાછો પડે તેમ ન હતો. ખૂબ મહેનત પછી એ જાડા માણસને નીચે પાડી શક્યો. પછી તો પેલો નાનો માણસ પણ મારવા લાગ્યો. જાડા માણસને સારો એવો માર પડ્યો. પેલો નાનો માણસ જેવો છૂટ્યોકે ભાગી ગયો. પેલો જાડો માણસ મુલ્લાને કહે કે “ભાઈ મારી વાત તો સાંભળો, પરંતુ મુલ્લા પુષ્કળગુસ્સામાં હતો; એ કેવી રીતે સાંભળે! જ્યારે પેલોનાનો માણસ ભાગી ગયો ત્યારે મુલ્લાએ પૂછ્યું, તું શું કહેવા માગે છે, બોલ?' જાડા માણસે કહ્યું: ‘પેલો મારું ખિસું કાપીને ભાગી ગયો છે. એ મારું ખિસું કાપતો હતો એટલે તો ઝપાઝપી થઈ. પેલાને પકડવાને બદલે તે તો મને જ પીટીનાખ્યો. પેલાને તો તેં જવા દીધો!' મુલ્લાએ કહ્યું આ તો ખોટું થયું, તેમને પહેલેથીનકીધું ?' જડા માણસે કહ્યું, “તું મારી વાત સાંભળે તોને? મેં કેટલી વાર કહ્યું કે ભાઈ મારી વાત સાંભળ, તેંતો મને મારવા જ માંડ્યો! જિંદગી બહુ જટિલ છે. અહીં કોણ પીટી રહ્યું છે, કોણ પિટાઈ રહ્યું છે અને જે પિટાઈ રહ્યું છે તે ખરેખર પીટવા યોગ્ય છે કે નહીં, તેની દરકાર કરવાનો સમય નથી હોતો. મુલ્લાએ કહ્યું કે હું પેલા નાના માણસને ખોળી કાઢીશ અને ખરેખર એણે ખોળી કાઢયો. જેવો મુલ્લાને જોયો કે પેલા નાના માણસે જે પાકીટ ચોર્યું હતું તે મુલ્લાને આપી દીધું ને કહ્યું કે “લઈ લો, આ પાકીટના અસલી માલિક તમે જ છો. કારણકે તમે જો ન આવ્યા હોત તો હું તો મરાઈ જ જાત! જિંદગી જટીલ છે. મહાવીર જેવા માણસો જિંદગીની જટિલતાને એની પૂર્ણતામાં જુએ છે. એ રીતે જોયા પછી મહાવીર શું કરશે તે કહેવું સહેલું નથી. પ્રત્યેક ઘટનામાં હકીકતની જટિલતા અલગ અલગ હોય છે. પ્રત્યેક ઘટનાગતિમાન પ્રવાહની જેમ વહ્યા કરે છે. હવે સંયમ વિષે સમજી લઈએ. કારણકે મહાવીર અહિંસા પછી સમયને બીજું મહત્ત્વનું સૂત્ર ગણે છે. અહિંસા, સંયમ અને તપ. સંયમ શ્વાસ છે અને તપ શરીર છે. મહાવીરે સૌપ્રથમ અહિંસાને મૂકી. અહિંસા, સંયમ અને ત૫. સંયમવચમાં રાખ્યો. તપને સૌથી છેલ્લે રાખ્યું. પરંતુ જે છેલ્લે ' રાખ્યું છે, તે આપણને પહેલું દેખાય છે. પછી સંયમ દેખાય છે. અહિંસા તો કદાચ દેખાતી જ
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy