SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા એટલે જીવેષણાનું મૃત્યુ પરંપરાના આગેવાન બની ગયા. સ્વભાવિક છે કે જે મરવા તૈયાર હોય, તેમને નેતા બનતાં વાર નથી લાગતી. એમને કોઈ અગવડ પણ નથી દેખાતી. એવા માણસો મરવા તૈયાર છે. લાઈનમાં સૌથી આગળ ઊભા રહે છે. જે લોકો સ્વપીડન માટે તૈયાર હોય છે, તેઓ મોટા ત્યાગી જેવા દેખાય છે. એટલે આ વાત ખાસ સમજવા જેવી છે કે આવા લોકોને કારણે જ, મહાવીરના વિચારોનો આજની દુનિયામાં પ્રચાર અને પસાર કરવામાં મોટી અડચણ ઊભી થઈ ગઈ છે. કારણકે મહાવીરના વિચારો, મેસોચસ્ટ’, પોતાને સતાવનાર, આત્મપીડક લોકોના વિચાર જેવા જણાય છે. મહાવીરનો સુદઢદેહ અને એની પ્રફુલ્લતા જોતાં એમનલાગે કે આત્મપીડન કરનારનો એ દેહ છે, મહાવીરનો દેહ ઊઘડેલા કમળ જેવો હતો. એ જોઈને મહાવીરે પોતાના મૂળસાથે કોઈ અત્યાચાર કર્યા હોય એવું માની શકાય નહિ. મહાવીર એક રતિભાર પણ આત્મપીડક નથી. પરંતુ એમની પાછળ આત્મપીડક લોકોની મોટી પરંપરા એકઠી થઈ ગઈ છે. એ હકીકત છે. એવા લોકો માત્ર પોતાને જ નહીં, પણ બીજાને પણ સતાવવામાં રસ લેનારા હોય છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ. આ જગતમાં બે પ્રકારની હિંસાઓ છે. પોતાને સતાવવામાં પણ કેટલાકને એટલી મજા આવે છે, જેટલી બીજાને સતાવવામાં આવતી હોય છે. સાચું પૂછો તો બીજાને સતાવવાનો આપણો કોઈ અધિકાર હોતો નથી. પોતાને સતાવવામાં માણસને ઘણાં સુવિધા અને સ્વતંત્રતા હોય છે. કોઈ વિરોધ કરનાર હોતું જ નથી. તમે કોઈ બીજાનેકાંટા પર સૂવડાવી દો તો તમારા પરકચેરીમાં દાવો દાખલ કરી શકાય, પરંતુ તમે પોતાની જાતને કાંટા પર સુવડાવી દેશો તો, કોઈ કચેરીમાં ફરિયાદ નહી કરે, બલકે એમ કરવાથી તમને મોટું સન્માન મળે એવી સંભાવના ખરી. તમે બીજાને ભૂખ્યો રાખો તો તમે મુશ્કેલીમાં મુકાશો. પરંતુ તમે જાતે ભૂખ્યા રહેશો તો તમારી શોભાયાત્રા અને સરઘસ નીકળી શકે. ધ્યાનમાં રાખવા જેવી એક વાત છે કે સતાવવાનો જે રસ છે તે એક જ છે. જે પોતાને સતાવી રહ્યો છે, તે બીજાને પણ સતાવી રહ્યો છે, કારણ કે એ પોતાની જાતને બે હિસ્સામાં વહેંચી દે છે. આ શરીર, જે મારાથી દૂર છે, તે પારકું છે. એમાં ભેદનથી. મારું શરીર મારી નજીક છે, એટલે તે માર નથી બની જતું. તમારું શરીર મારાથી દૂર છે, એટલે તે તમારું થઈ ગયું? હું તમારા શરીરમાં કાંટો ભોકું તો હું દુષ્ટ ગણાઉ હું મારા શરીરમાં કાંટો ભોકું તો લોકો કહેશે કે આ માણસ મહાત્યાગી છે પરંતુ શરીર બન્ને પરિસ્થિતિમાં પારકાં છે. મારું શરીર એટલું જ પારકું છે જેટલું તમારું પારકું છે. ફરક માત્ર એટલો કે મારા શરીરને સતાવવામાં કોઈ કાયદો આડો આવતો નથી, તેમનીતિનો કોઈ ભંગ થતો નથી. એટલે જે લોકો ચતુર છે અને કુશળ છે, તેઓ સતાવવાની મજા પોતાના નજીકના શરીર દ્વારા લે છે. પરંતુ સતાવવાની જે મજા છે તે એક જ છે. શું મજા છે એમાં? જેને આપણે સતાવીએ છીએ, તેના જાણે આપણે સ્વામી થઈ ગયા! એટલે મહાવીરની પાછળ આત્મપડક
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy