SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણમ: મંત્ર જાય છે, શરીર તરફડે છે ત્યારે પસ્તાવો કરવાથી કાંઈ વળતું નથી. મનોવૈજ્ઞાનિકો કહે છે કે આવેશની ક્ષણમાં આત્મહત્યા કરનારને કોઈ રીતે રોકી શકાય તો તે પછી એ આત્મહત્યા કરી શક્તો નથી. કારણકે પાગલપણાની જે તીવ્રતા હોય છે, તે એ ક્ષણ પછી પાતળી પડી જાય છે, નબળી પડી જાય છે. મહાવીર કહે છે કે અન્ન-પાણી છોડીને ધ્યાનપૂર્વક મરવાની હું આજ્ઞા આપું છું. ૯૦ દિવસ સુધી અન્ન પાણી છોડવાનાં છે. માનવીમાં થોડી પણ જીવેષણા બચી હશે તો તે પાછો વળશે. જીવેષણા સહેજે બચી નહોય તો જ તે ૯૦ દિવસ સુધી રોકાશે. ૯૦ દિવસ બહુ લાંબો સમય છે. એક જ અવસ્થામાં ૯૦ દિવસ ટકી રહેવું એ સહેલી વાત નથી. ૯૦ક્ષણ માણસ રોકી શકતો નથી. સવારે માણસ વિચારે છે કે મરી જઈશ અને સાંજે વિચારે છે બીજાને મારી નાખીશ. મન૯૦ દિવસ સુધી, સ્વસ્થ ચિત્ત સિવાય, એક વાત પર ટકી શકતું નથી. ફ્રોઈડમાં માનનાર કેટલાક લોકો એમ કહે છે કે મહાવીરમાં ક્યાંક આત્મહત્યાવાદી તત્વ છુપાયેલું હોવું જોઈએ. પરંતુ હું કહું છું કે મહાવીરમાં આત્મહત્યાવાદી તત્વ છે જ નહીં. મહાવીરમાં જીવેષણાનહોતી અને ભરવાની ઈચ્છા પણ નહોતી. મૃત્યુની ઈચ્છા પણ જીવેષણાનું જ બીજું પાસું છે. મૃત્યુ જીવેષણાની વિરોધની સ્થિતિ નથી, પરંતુ જીવેષણાનું અંગ છે, એટલે મહાવીરે મૃત્યુ માટે કોઈ પ્રયત્ન નથી કર્યો. જેને જીવવાની ચેષ્ટાન રહી હોય એને મૃત્યુની ચેષ્ટા પણ રહેતી નથી. મહાવીર કહે છે કે આપણે એક હિસ્સોકીદઈએ એટલે બીજો હિસ્સો પણ સાથે ફેંકાઈ જાય છે. સંથારાનો અર્થ મહાવીર એવો કરે છે કે જીવેષણા એટલી શૂન્ય થઈ ગઈ કે વ્યક્તિ શૂન્યમાં જ લીન થઈ જાય આત્મહત્યાની ઈચ્છા નથી. કારણકે જ્યાં સુધી ઇચ્છા છે, તો તે જીવવાની ઇચ્છા જ હોઈ શકે. આ બરાબર સમજી લેવા જેવું છે. ઈચ્છા હંમેશાં જીવવાની જ હોય છે મૃત્યુની કોઈ ઈચ્છા હોતી નથી. મૃત્યુની ઈચ્છામાં જીવવાની ઈચ્છા જ છુપાઈ હોય છે. આ બરાબર સમજી લેવા જેવું છે. ઈચ્છા હંમેશાં જીવવાની જ હોય છે મૃત્યુની કોઈ ઈચ્છા હોતી નથી. મૃત્યુની ઈચ્છામાં જીવવાની ઈચ્છા જ છુપાઈ હોય છે. મહાવીર જેવો કોઈ આત્મજ્ઞાનીનથી થયો. આત્મઘાતી હોવાનો સવાલ જ પેદા થતો નથી. હા, એક વાત સાચી છે કે મહાવીરની વાતોમાં ઘણા આત્મઘાતી માણસોને રસ પડ્યો. ઘણા આત્મઘાતી મહાવીરથી આકર્ષાયા. એમણે મહાવીર પાછળ એક પરંપરા ઊભી કરી, જેની સાથે મહાવીરને કાંઈ સંબંધ નથી, એવા લોકોને સંથારા માં રસ પડ્યો. એમને લાગ્યું કે મરવા માટે આવાં સુવિધા અને સગવડ બીજે ક્યાં મળે? એવા લોકોના ચિત્ત રોગી હતાં, એમને તો મરવું હતું. જીવનની આકાંક્ષા ખતમ થઈ ગઈ હોવાને કારણે નહીં, પરંતુ મરવાની આકાંક્ષાને કારણે એમને મરવું હતું. આવા લોકો મહાવીરની નજીક આવી ગયા.લક્ષણ બહારથી એક જ, પરંતુ ભીતરમાં વ્યક્તિ બહુ જુદી જ હતી. જે લોકો મરવાની ઈચ્છાથી આગળ આવ્યા, તે મહાવીરની
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy