SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણમ્ મંત્ર લોકોની ભીડ એકઠી થઈ ગઈ. મહાવીરની સમગ્ર પરંપરામાં એમણે ઝેર ઘોળી દીધું. મહાવીરે કહ્યું કે આપણે આપણા જીવન પ્રત્યે આસક્ત છીએ ત્યાં સુધી એક પ્રકારનું આંધળાપણું આપણાંમાં હોય છે. આપણને ખબર નથી રહેતી કે આપણે કઈ રીતે બીજાનાં જીવનને નષ્ટ કરવા માટે આતુર થઈ જઈએ છીએ. પોતાના જીવન માટે પાગલ થઈ જવું નિરર્થક છે. કારણકે જીવનને બચાવી શકાતું નથી. જન્મ સાથે જ મૃત્યુ જોડાયેલું છે. એટલે જેને બચાવી શકાય એમ નથી, તે જીવન પાછળ પાગલ થવાથી તેને બચાવવાના પ્રયત્નમાંથી જ, હિંસાનો જન્મ થાય છે. આટલું જો સમજાય જાય તો જીવેષણા શૂન્ય બનવા લાગે છે. ત્યારે મૃત્યુ માટેની ઇચ્છા પેદા થતી નથી. પરંતુ મૃત્યુ પ્રત્યે સ્વીકારનો ભાવ પેદા થાય છે. આ ભેદ સમજવા જેવો છે. જવેષણાને ધક્કો પહોંચે ત્યારે મૃત્યુ માટેની ઈચ્છા પેદા થાય છે. પરંતુ જીવેષણાક્ષીણ થઈ જાય, શાંત થઈ જાય ત્યારે મૃત્યુનો સ્વીકાર ઉદ્ભવે છે. મહાવીરમૃત્યુનો સ્વીકાર કરે છે. મૃત્યુનો સ્વીકાર કરવામાં અહિંસા છે. મૃત્યુનો અસ્વીકાર કરવામાં હિંસા છે. હું મારા મૃત્યુનો અસ્વીકાર કરું છું ત્યારે બીજાના મૃત્યુનો પણ કરું છું. મારા મૃત્યુનો સ્વીકાર કરું છું. ત્યારે પણ બીજાના જીવનનો સ્વીકાર કરું છું. આ સીધું ગણિત છે. જ્યારે હું મારા મૃત્યુનો ભાવથી સ્વીકાર કરું છું કે ઠીક છે, આ નિર્માણ થઈ ચુકેલું છે, ત્યારે હું બીજા કોઈના જીવનને નુકસાન પહોંચાડવા માટે ઉત્સુક રહેતો નથી. એટલું જ નહીં, જે મારા જીવનને ધક્કો પહોંચાડે છે, તેના જીવનને ધક્કો પહોંચાડવાની ઉત્સુક્તા પણ રહેતી નથી. કારણકે મારા જીવનને ધક્કો પહોંચાડીને બહુ બહુ તો તે મારું મુત્યુ જ લાવી શકે છે. પરંતુ મૃત્યુ તો એક દિવસ આવવાનું જ છે. એ મારા મૃત્યુ માટે નિમિત્ત માત્ર બની શકે છે, મૃત્યુનું કારણ બની શક્તો નથી. મહાવીર એ જ વાત કહે છે કે કોઈ તમારી હત્યા કરે તો એ નિમિત્તમાત્ર છે, એ મૃત્યુનું કારણ નથી. કારણ તો જીવન પાછળ છુપાયેલું મૃત્યુ જ છે. એટલે કોઈ પરનારાજ થવાનું કારણ નથી. મૃત્યુનું નિમિત્ત બનનારને ધન્યવાદ આપવા જોઈએ કે જે થવાનું હતું, તે માટે એનો સહ્યોગ મળી ગયો. મૃત્યુ તો થવાનું જ હતું, એ વાત ખ્યાલમાં આવી જાય તો પછી આપણે કોઈની ઉપર પણ નારાજ થઈ ન શકીએ. મૃત્યુનો સ્વીકાર કે અંગીકાર એટલા માટે નથી કરતાકે મૃત્યુકંઈક મહત્ત્વની ચીજ છે. એક અત્યંત મહત્ત્વની ચીજ છે. જીવન જ્યાં મહત્ત્વપૂર્ણ નથી, ત્યાં મૃત્યુ મહત્ત્વપૂર્ણ કેવી રીતે હોઈ શકે? જેટલું આપણા મનમાં મૃત્યુનું મૂલ્ય હશે, તેટલું જ જીવનનું મૂલ્ય રહેશે. મૃત્યુનું જે મૂલ્ય આપણે આંકીએ છીએ તે ખરેખર તો જીવનના મૂલ્યનું પ્રતિબિંબ છે, reflected value છે. જેટલું મૂલ્ય તમે જીવનને આપશો, તેટલું મૂલ્ય મૃત્યુને મળશે. તમે જ્યારે કહેશો કે કોઈ પણ ભોગે મારે જીવવું છે ત્યારે સાથે સાથે એ પણ કહેવું પડશે કે કોઈ પણ ભોગે મારે મરવું નથી. ગમે તેવી આક્ત આવેતોપણ જીવવું છે, એમ કહેવાની સાથે જ ગમે તેવી આત આવે તો મરવું નથી, એ સ્પષ્ટ થઈ જાય છે. જેટલું મૂલ્ય તમે મૃત્યુને આપશો, તેટલું મૂલ્ય જીવનને મળી જશે. જેટલું વધારે મૂલ્ય મૃત્યુને મળી જશે, તેટલી મુશ્કેલી વધી જશે. જીવનનું કોઈ
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy