SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા એટલેછવેષણાનું મૃત્યુ પેલા મિત્રને પૂછ્યું, “સાચુ કહે વિચાર કરીને કહે, કે હવે બીજી સ્ત્રીઓનોતને ભયનથી લાગતો? એણે કહ્યું, “એ તને કેમ ખબર પડી? મારા મનમાં એ જ ભય પેસી ગયો છે કે મારી પત્નીનો હું વિશ્વાસઘાતનકરી બેસું. એટલે એની યાદચારે તરફ ઊભી કરીને બેઠો છું. કોઈ સ્ત્રીને મળતાં પણ હુંગભરાઉં છું.” માણસનું મન ખૂબ જટિલ છે. હવે એક હવા ગામમાં ચારે તરફ ફેલાઈ ગઈ કે એનો એની પત્ની પ્રત્યે ખૂબ પ્રેમ હતો. બે વર્ષ પહેલાં એની પત્ની મરી ગઈ હતી, એને એ પોતાના મકાનમાં ચિત્રો દ્વારા જીવતી રાખી રહ્યો હતો. આ જે હવા ફેલાઈ ગઈ તે એની સુરક્ષા બની ગઈ. એ હવા એને રોકશે. એની પ્રેમી તરીકેની પ્રતિષ્ઠા એને રોકશે. પરંતુએ મિત્રને મેં કહ્યું કે આવી સુરક્ષા વધુ લાંબી નહી ચાલે. ખરી પત્ની મરી ગઈ તો આ તસવીરો ક્યાં સુધી જીવશે? હમણાં થોડા દિવસ પહેલા જ એનું ફરીથી લગ્ન થવાનું હતું, તેમાં હાજર રહેવાનું નિમંત્રણ આવ્યું છે. આવો ભયભીત અસુરક્ષિત માણસ વધુ વખત લગ્ન વિના રહી શક્તો નથી. આપણે વસ્તુઓ પર અને વ્યક્તિઓ પરમારાપણાનો વ્યાપ વધારતા જઈએ છીએ. મહાવીર વિસ્તારને પરિગ્રહ કહે છે. પરિગ્રહ હિંસા છે. મહાવીરને વસ્તુઓનો કોઈ વિરોધ નથી. તમારી પાસે કોઈ વસ્તુ છે કે નહીંતેની સાથે મહાવીરને નિસ્બત નથી. પરંતુ એ વસ્તુઓ પ્રત્યે તમારો મોહ કેટલો છે તે સાથે મહાવીરને નિસ્બત છે. તમે એ વસ્તુઓને કેટલી પકડી છે, કેટલી એ વસ્તુઓ તમારી આત્મા બની ગઈ છે એની સાથે મહાવીરને નિસ્બત છે. મુલ્લા નસરૂદ્દીન એક ખૂબ પ્યારો માણસ છે, એના જીવનમાં એક ઘટના બની. એક હૉટલમાં એ ઊતર્યો હતો, એને હોટલ છોડવાનો સમય થયો ત્યારે એનો સરસામાન પેક કરી એણે ટેકસીમાં મૂકી દીધો. ત્યારે એને યાદ આવ્યું કે એ હોટલના રૂમમાં એની છત્રી રહી ગઈ છે. ચાર માળની હોટલ હતી. ચોથા માળ સુધી દાદર ચઢીને પહોંચ્યો. જોયું તો એનો રૂમતો કોઈ પ્રેમી યુગલને ભાડે અપાઈ ગયો હતો. દરવાજો બંધ હતો. અંદર વાર્તાલાપ ચાલી રહ્યો હતો, તે સાંભળતો હતો. હવે એ છત્રી વિના કેમ પાછો ફરે ? વળી વાર્તાલાપ સાંભળવા જેવો હતો. સાંભળ્યા વિના કેમ રહેવાય? એણે ચાવીનાકાણા પર કાનમાંડી સાંભળવા માંડ્યું. પેલો પ્રેમી યુવક પોતાની પત્નીને કહી રહ્યો હતો, ‘આવા સુંદર વાળ, આકાશમાં ઘેરાયેલી ઘટાઓ જેવા તારા વાળ કોના છે?” પત્નીએ કહ્યું, “તમારા જ બીજા કોના હોય?” “આતારી આંખો, માછલી જેવીચંચળ કોની છે, ઓ દેવી! આ આંખો કોની છે?' પેલા પ્રેમીએ પૂછ્યું. પત્નીએ કહ્યું, ‘તમારી જ બીજા કોની હોય?’ મુલ્લા સાંભળતો ગયો તેમ બેચેન થતી ગયો. એણે મનોમન કહ્યું કે દેવી જરા ઊભી રહે. મને ખબર નથી તું આ બધું કોને કહી રહી છે. પરંતુ જ્યારે મારી
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy