SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા એટલે જીવેષણાનું મૃત્યુ રીતે માણસને જીવવામાં જ મજા આવી રહી છે. શા માટે જીવવું છે અને જીવન શું છે તે વિચારવાનો સમય મળતો નથી. ૯૪ મહાવીર કહે છે, જીવનની વાસ્તવિક તલાશ કરવાનું, જીવેષણાને કારણે ચૂકી જવાય છે. જીવેષણા માત્ર મરવામાંથી બચવાની વ્યવસ્થા બની જાય છે. આપણે હંમેશાં સ્વબચાવ કરવાની ઉપાધિમાં જ ચોવીસ કલાક વ્યસ્ત રહીએ છીએ. અમૃતને જાણવા-સમજવાનો સમય નથી. મરીન જવાય એની જ કોશિશ સતત ચાલી રહી છે, પરંતુ જીવીને શું કરવું છે તે જાણતા નથી. જીવનના વાસ્તવિક રૂપને, પદ્મ રૂપને, જાણવામાં આ જીવન બચાવવાની કોશિશ અડચણ બને છે. માટે મહાવીર જીવેષણાની દોડ રોકવા માગે છે. જેથી પરમ જીવનને જાણી શકાય. પરમ જીવન તો અમર છે, બચેલું જ છે, એને કોઇ મારી શકતું નથી, એને જાણીને માણસ અભય બની જાય છે. જે માણસ અભય બની જાય છે તે બીજાને ભયભીત કરતો નથી. હિંસા બીજાને ભયભીત કરે છે. તમે બીજાઓમાં ભય પેદા કરીને તમારી જાતને બચાવો છો. બીજાઓને તમે દૂર, એક અંતર પર રાખો છો. તમારી અને બીજાની વચ્ચે તમે જાણે તલવારો લટકાવી રાખી છે. જરા જેટલું કોઇ તમારી સીમાનું ઉલ્લંઘન કરે, કે તમારી તલવાર એની છાતીમાં ઘૂસી જાય છે. કોઇએ તમારી સીમાનું ઉલ્લંઘન ન પણ કર્યું હોય છતાં એવું કર્યું હોવાની શંકા આવે, તો ય તમારી તલવાર એની છાતીમાં ઘૂસી શકે છે. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર બધાં, આ રીતે જ જીવે છે. એટલે જ આખું જગત હિંસામાં, ભયમાં જીવે છે. એટલે મહાવીર કહે છે કે માત્ર અહિંસક માણસ જ ‘અભય’ પ્રાપ્ત કરે છે. જેણે અભયને જાણ્યો નથી તે અમૃતને કેવી રીતે જાણશે? ભયમાં જીવનાર માણસ મૃત્યુમાં જીવી રહ્યો છે. એટલે મહાવીરની અહિંસાનો આધાર છે, જીવેષણાથી મુક્તિ. જીવેષણાથી મુક્તિ એ એષણાની પણ મુક્તિ બને છે. આમ થતાં જેકાંઇ જીવનમાં બને છે તેને આપણે મૂલ્યવાન માન્યું છે. મહાવીર એક કીડી પર પણ પગ ન પડે તેની સંભાળ રાખે છે. કીડી પર પગ ન મૂકવાનું કારણ એ નથી કે કીડીને બચાવવા મહાવીર ખૂબ ઉત્સુક છે. કોઇને પણ બચાવવાનું આપણા હાથમાં નથી. વળી એ તો કીડી પર, સાપ પર, વીછીં પર કોઇના પર પણ-પગ મૂકતા નથી, કારણકે મહાવીર જાણીજોઇને કોઇને સ્વબચાવ માટે પણ મારવા માગતા નથી. મહાવીર પોતાને બચાવવા પણ બહુ ઉત્સુક નથી. એનો અર્થ એમ કે મહાવીરનો કોઇની સાથે સંઘર્ષ નથી, કોઇની સાથે શત્રુતા નથી. જીવનમાં પોતાની જાતને બચાવવી હોય તો સંઘર્ષ કરવો પડે છે. મહાવીર તૈયાર છે, જીવન, મૃત્યુ, અંધકાર, પ્રકાશ, જે પણ જીવનમાં આવે તે માટે તૈયાર છે. મહાવીરની સ્વીકૃતિ પરમ છે. જે ૪ એટલે જ મેં કહ્યું કે બુધ્ધે જે પરિસ્થિતિને ‘તથાતા ‘કહી, તેને જ મહાવીરે ‘અહિંસા’ કહી. લાઓત્સે જે પરિસ્થિતિને સર્વસ્વનો સંપૂર્ણ સ્વીકાર કહે છે તે પરિસ્થિતિને મહાવીર ‘અહિંસા’ કહે છે. જેને બધું સ્વીકાર્ય છે, તે હિંસક કેવી રીતે હોઇ શકે? હિંસક ન હોવામાં કોઇ નિષેધ
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy