SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શરણાગતિ ધર્મનો મૂળ આધાર કામ તમારું મન કરી શકે છે તે કામ આયંત્રમાં સંગ્રહ થયેલી શક્તિ કરી શકશે. પાંચ મિનિટ પહેલાં જે યંત્રમાં કાંઈ પ્રાણ નહતો, નિર્જીવ હતું તેમાં તમારી ધ્યાનઊર્જા દાખલ થઈ ગઈ. હવે એ યંત્રને તમારા પ્રેમીના હાથમાં આપશો, તો એયંત્રમાંથી બહાર નીકળતી તમારી ઊર્જાને એ પ્રેમીઓળખી શકશે. તમે જો ક્રોધ અને ધૃણાથી ભરેલા હશો અને એ યંત્ર તમારી તે સમયની ઊર્જાનો સંગ્રહ કર્યો હશે, તો તમારો પ્રેમી યંત્રને તુરત છોડી દેવાની ઈચ્છા કરશેતમારામાં પ્રેમ, દયાઅને સહાનુભૂતિ ભરેલાં હશે અને એ યંત્રમાં શક્તિ ભરશો તો તમારો પ્રેમી એ યંત્રને સંભાળીને રાખવાની ઈચ્છા કરશે. પાવલેટાએ તો એટલે સુધી કહ્યું છે કે કોઈ સ્થળેતોફાની ટોળું ભેગું થયું હોય તો તેને વિખેરવા માટે લાઠી ચલાવવાની કે ગોળી છોડવાની જરૂર નહીં પડે. આપણે એવાં યંત્ર બનાવી શકીશું કે જેમાં આવાં હિંસક, ઘણાથી ભરપૂર લોકોના ટોળાની શક્તિ, પંદર મિનિટમાં સંગ્રહ થશે અને તે હિંસક, ધૃણાથી ભરપૂર લોકોના ટોળાને વિખેરી નાખશે. એક નવું એવું યંત્ર પાવલેટાએ બનાવ્યું છે કે એની અમુક હદની અંદર પ્રવેશતાં એ તમને પકડી લેશે. કાર્લ ઓટોવિચ ઝીલીંગનામે એક વ્યક્તિ રશિયામાં થઈ ગઈ. એની કેટલીક અદ્દભૂત શક્તિઓને કારણે સ્ટાલિને એને ૧૯૩૭ માં મારી નખાવ્યો. પાવલોટાની જેમ, એ પણ પ્રયોગો કરતો હતો. ઝીલીંગ એવો માણસ હતો કે જે હાથમાં ઇંડુ પકડીને કહી શક્તો હતો કે એમાંથી મરધી પેદા થશે કે મરઘો. ક્યારેય એની ભૂલ નહોતી નથી. પરંતુ આ વાત કાંઈ બહુ મોટી નથી. સ્ત્રી અને પુરુષમાંથી નીકળતાં વિદ્યુતકિરણોમાં ફરક હોય છે, એ ફરક જ બન્ને વચ્ચેનું આકર્ષણ બને છે. કોઈ સંવેદનશીલ વ્યક્તિ ઇંડાં પર હાથ રાખે તો એમાંથી વિદ્યુતકિરણો નિકળે છે તેના પરથી, એ કિરણો નેગેટિવ છે કે પોઝિટિવ તેના પરથી એ સ્ત્રીશક્તિનાં કિરણો છે કે પુરુષશક્તિનાં છે, તે કહી શકાશે. પરંતુઝીલીંગ તો એથી આગળ વધીને ઢાંકેલા ચિત્ર પર હાથ મુકીને કહી શકતો કે એ ચિત્ર સ્ત્રીનું છે કે પુરુષનું છે. ઝીંલીંગ એમ કહેતો કે જેનું ચિત્ર-ફોટો લેવાય, તે કેમેરા-કોન્શિયસ થઈ જાય છે. ત્યારે એનું ધ્યાનકેમેરા તરફ કેન્દ્રિત થઈ જાય છે અને એનાં વિદ્યુત કિરણોનીધારા ચિત્રમાં પ્રવેશી જાય છે. કોઈની તરફ ધ્યાનપૂર્વક જોતાં, આપણી ઊર્જા, તેના તરફ વહેવા લાગે છે. એ જ રીતે કેમેરાની સંવેદનશીલ ફિલ્મ તરફ પણ આપણી ઊર્જા વહેવાથી એમાં તે અંકિત થઈ જાય છે. એ ઊર્જા સ્ત્રીની છે કે પુરુષની, તે સંવેદશીલ વ્યક્તિ પકડી શકે છે. એનાથી વધુ આશ્ચર્યકારક ઝીલીંગની વાત, જે વધારેમાં વધારે અભૂત હતી તે એ કે, ઝીલીંગ અરીસા પર હાથ મુકી કહી શકતો હતો કે એ અરીસા પાસેથી પસાર થનાર છેલ્લી વ્યક્તિ સ્ત્રી હતી કે પુરુષ. કારણ કે અરીસાની સામે પણ માણસ એવો એકાગ્ર અને સભાન (conscious) થઈ જાય છે કે કદાચ બીજે ક્યાંય એવો સભાન હોતો નથી. એવો સમય આવશે કે જ્યારે તમારી
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy