SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર રહેવું તે દુનિયામાં બહુ ઓછા માણસો છે જે સ્વયંને ચાહતા હોય છે, એ નવાઈની વાત છે. કદાચ આપણે એ વિચાર્યું જ નથી કે આપણે હંમેશા કોઈ વ્યક્તિ કે કોઈ બીજી વસ્તુને કેમ ચાહી છે? આપણે આપણી જાતને ક્યારેય ચાહી નથી. એ કોઈ અન્ય વ્યક્તિ, વસ્તુ, પદકે સ્થિતિ હોઈ શકે જેને આપણે ચાહીએ છીએ. હંમેશાં એ કોઈ બીજું જ હોય છે. સ્વયંને આપણે ક્યારેય ચાહતા નથી. પરંતુ આ જગતમાં આપણે માત્ર સ્વયંને પ્રાપ્ત કરી શકીએ એવી સંભાવના છે, એ સિવાય બીજું કાંઈ મળે તેમ નથી. આપણે ભલે દોડી લઈએ, પણ બીજું કાંઈ મળશે નહીં એનાથી આપણો ભ્રમતૂટશે, દુઃખ મળશે અને પાનાંનો મહેલ વિખરાઈ જશે. ક્યારેક તો એનાયડૂબશે જ, કારણકે એ કાગળની હતી. ક્યારેક સ્વપ્નો વીખરાઈ આંસુ બની જશે, કારણકે એ સ્વપ્ન જ હતાં. સત્ય માત્ર એક જ છે કે હું સ્વયંસિવાય બીજું કાઈ મેળવી શકે તેમ નથી, મેળવવાની કોશિશ કરું, મહેનત કરું, આશાના મિનારા ચણું, સ્વપ્નો જોઉ અને ભ્રમમાં રહું કે હું લગભગ મેળવી ચૂક્યો છું, પહોંચી ગયો છું. પરંતુ એ રીતે કોઈ કયારેય પહોંચી શક્યું નથી. સ્વયંને છોડીને બીજાને મેળવવાનો પ્રયાસ કરવો એમાં અધર્મ છે. બીજા પર દ્રષ્ટી રાખવામાં જ અધર્મ છે. આપણે બધા પરલક્ષી, પરાભિમુખ (the other oriented) છીએ. આપણે આપણું મોં પણ અરીસામાં એટલા માટે જોઈએ છીએ કે કોઈ બીજાને સારા દેખાઈશું કે નહીં ? જે કોઈ આપણને જોવાનું હોય તેના માટે આપણે તૈયારી કરીએ છીએ. સ્વયંને આપણે સીધા ક્યારેય ચાહતા નથી. જ્યારે ધર્મ તો પોતાની જાતને સીધી ચાહવામાંથી જ પેદા થાય છે. ધર્મનો અર્થ છે, આખરીસ્વભાવ (ultimate nature) જે અંતતઃ મારું હોવાપણું છે. સાસ્ત્રનું એક કીમતી સૂત્ર છે, જે બીજું છે તે નર્ક છે. the other is hell) સાર્ચે આ વાક્ય એક અર્થમાં કહ્યું છે, મહાવીર પણ એક બીજા અર્થમાં રાજ છે. મહાવીરનું જોર ધ અધર ઈઝ હેલ' પર નથી, પરંતુ મહાવીરનું જોર વનસેલ્ફ ઈઝ હેવન (onceself is heaven)' પર છે. બીજું બધું નર્ક છે.’ એમ કહેવામાં પણ બીજાને ચાહવાની આકાંક્ષા અને બીજામાંથી મળેલી વિફલતા છુપાઈ છે. મહાવીર એટલે જ કહે છે. કે “સ્વયંમાં રહેવું તે મોક્ષ છે. ધર્મ મંગળ છે.” સાસ્ત્રના આ સૂત્રને બરાબર સમજવા જેવું છે. સાસ્ત્રનું જોર છે બીજુ નર્ક છે.” એમ કહેવા પર. પરંતુ શા માટે બીજે નર્ક જણાય છે, તે કદાચ સાર્વે પણ વિચાર્યું નહીં હોય. આપણે બીજાને સ્વર્ગ માનીને એની શોધ આદરી, માટે આપણને એ નર્મદેખાયું. ભલે તે બીજું હોય, પત્ની હોય, પતિ હોય, દીકરો હોય કે દીકરી હોય, મિત્ર હોય, ધન હોય કે પ્રતિષ્ઠા હોય પરંતુ અંતે તે નર્ક સિદ્ધ થાય છે. સ્વર્ગ માનીને એની પાછળ દોડ્યા પછી એ અંતમાં નર્કમાલુમ પડે છે. એટલે મહાવીર બીજુ બધું નર્ક છે એમ કહેતા નથી, પરંતુ ધમ્મો મંગલ મુઠિ ' ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. એમ કહે છે. એ કહે છે કે સ્વયંમાં રહેવું તે મંગળ છે, મોક્ષ છે, પ્રેયસ છે.
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy