SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણમ્ મંત્ર ૧૦૩ શિષ્ટતા, ધીરજ રાખવા માટે મજબૂર કરે છે. એમ થાય છે કે ઓછામાં ઓછું કોઈને સાંભળવું તો જોઈને ? એ ખોટો છે એ તો આપણને ખબર છે, મુલ્લા નસરૂદીન એક રીતે આપણાથી વધારે ઈમાનદાર માણસ છે. એ કહી જ દે છે પહેલેથી કે સાંભળવામાં શા માટે સમય બગાડવો. મને ખબર છે જ કે તમે ખોટા છો. કારણકે, હું એકમાત્ર સાચો છું, બાકી બધા ખોટા છે. જગતના બધા વિવાદ આવા છે. રાજા મુલ્લાની વાત સાંભળી રાજી થયો અને કહ્યું કે તમે હવે મારા દરબારમાં જ રહી જાઓ. જે દિવસથી મુલ્લાને રાજા તરફથી પગાર મળવાનો શરૂ થયો તે દિવસથી રાજા પણ હેરાન થઈ ગયો. હવે રાજા જે પણ કહે તો તે વિષે મુલ્લા કહેતાકે બરાબર છે, તમારી વાત એકદમ સાચી છે. એક દિવસ મુલ્લા રાજા સાથે જમવા બેઠો હતો. કોઈ શાક પીરસાયું. રાજાએ કહ્યું, મુલ્લા, આજે શાક બહુ સ્વાદિષ્ટ છે. મુલ્લાએ કહ્યું, અરે, અમૃત છે, સ્વાદિષ્ટ હોય જ, મુલ્લાએ એ જ શાક્ના છૂટેમોએ વખાણ કર્યા, એટલા વખાણ કર્યા કે રાજાએ બીજે દિવસે પણ એજ શાક બનાવરાવ્યું, પરંતુ શાક એટલું સારું બન્યું નહોતું. મુલ્લાએ ફરી વખાણ કર્યા. રસોઈયાને ખબર પડીકે શાકના ખૂબવખાણ થયાં છે, એટલે ત્રીજે દિવસે પણ એ જ અમૃત જેવું શાક ફરી બનાવ્યું. રાજાએ શાકની થાળીને ધક્કો મારી નીચે પાડી નાખી ને કહ્યું કે આ તે કેવી અસભ્યતા ? રોજરોજ એકનું એક શાક બનાવાય છે? જરીકે રાહ જોયા વિના મુલ્લાએ તરત કહ્યું, આશાકઝેર જેવું છે. રાજાએ પૂછ્યું અરે મુલ્લા!ત્રણ દિવસ પહેલાં તો આ શાક અમૃત જેવું છે એમ કહેતા હતા? મુલ્લાએ કહ્યું, હું તમારોનોકર છું, આ શાકનોનોકરનથી. પગાર તમે આપો છો, આશાકનથી આપતું? રાજાએ કહ્યું, થોડા દિવસ પહેલાં જ્યારે તમે પહેલી વાર મળ્યા ત્યારે કહેતા કે દરેક બાબતમાં તમે પોતે જ સાચા છો ? આજે કેમ મારી હો માં હા ભણો છો ? મુલ્લાએ કહ્યું, ત્યારે હજી હું વેચાયો નહોતો. મને ત્યાં સુધી કોઈ પગાર આપતું નહોતું પરંતુ ખ્યાલ રાખજો, જે દિવસથી તમે મને પગાર નહીં આપો, તે દિવસથી સાચો તો જ છું. આ તો તમે પગાર આપો છો એટલે તમારા વિચાર મુજબ ચાલું છું. આપણે બધાનું એક અભિમાન છે. આપણે બીજાને સાચા માનવા તૈયાર નથી. મહાવીર કહે છે, બીજે પણ સાચો હોઈ શકે છે. તમારો વિરોધી પણ સત્યને સાથે લઈને ચાલે છે, માટે કોઈ પણ જાતનો આગ્રહ ન રાખો. અનાગ્રહી બની જાઓ. એટલે મહાવીરે પોતાના કોઈ સિદ્ધાંતો માટે આગ્રહ રાખ્યો. મહાવીરે જેવી અનિશ્ચિત અને પ્રવાહી વાતો કરી એવી બીજી કોઈ વ્યક્તિએ કરી નથી. પોતાનાં બધાં વિધાનો સાથે “ચા” શબ્દ લગાવતા હતા ‘સ્યાત” એટલે કદાચ તમારા
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy