SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણમ્ મંત્ર તૂટી પડતું હતું. આ માણસ ચાલાકી કે ફરેબીથી માર્કસના આખા ચિંતનનો પાયો તોડી પાડે એ બની શકે તેમ હતું. સ્ટાલિન એનાથી પ્રભાવિત જરૂર થયો, પરંતુ એણે એક ત્રીજો પ્રયોગ કરવા માટે સંમતિ માગી. સ્ટાલિને ફરીથી કહ્યું કે, કાલે રાત્રે બાર વાગે મારા ઓરડામાં આવીને તું હાજર થઈ જા, મારી રજાચિઠ્ઠી વિના. આ વાત અત્યંત મુશ્કેલ હતી. સ્ટાલિન જાણતો હતો કે એ શક્ય નથી. સ્ટાલિન પોતે એટલા જબરજસ્ત પહેરામાં રહેતો હતો, કે દુનિયામાં કોઈ પણ માણસ નહિ રહ્યો હોય. કેમલિનનાક્યા ઓરડામાં એ હશે તેની કોઈને ખબર ન રહેતી. એનો ઓરડો રોજ બદલાતો, જેથી કોઈ જોખમ ન રહે, કોઈ બોમ્બન ફેકે, કોઈ હમલો ન કરે, સૈનિકોની પહેલી હરોળને ખબર હોય કે એ પાંચ નંબરના ઓરડામાં છે. બીજી હરોળ જાણે કે એ છ નંબરના આરેડામાં છે અને ત્રીજી હરોળ જાણતી હતી કે એ આઇનંબરના ઓરડામાં છે. પોતાના સૈનિકોથી પણ સાવધાન રહેવાની એને જરૂર હતી. એની પત્નીને પણ એ ક્યા ઓરડામાં છે તેની ખબર ન રહેતી. ક્રેમલિનના બધા ઓરડા, જેમાં સ્ટાલિન રહેતો હતો તે બધા એકસરખી સજાવટના હતા. સ્ટાલિન પણ અલગ અલગ ઓરડામાં કોઈને ખબર ન પડે તેમ જઈ શકતો. બધી જાતની વ્યવસ્થા દરેક ઓરડામાં હતી. બરાબર બાર વાગે, બધા પહેરેદાર સૈનિકો પહેરો ભરતા રહ્યાને ઐસિંગ, સ્ટાલિન બેઠો હતો તેમજ સામે આવીને ઊભો રહ્યો. સ્ટાલિન એને જોઈને ધ્રુજી ઊઠ્યો. એણે મૈસિંગને પૂછ્યું તે આકેવી રીતે કર્યું? આ અસંભવ છે.” મૈસિંગે કહ્યું કે હું બીજું કાંઈ જાણતો નથી. હું દરવાજા પાસે આવ્યો ને મે કહ્યું બેરિયા છું.' બેરિયા રશિયન જાસૂસનો સૌથી મોટો અધિકારી હતો. સ્ટાલિન પછી એનો બીજો નંબર હતો. “મેં માત્ર એવો ભાવ ક્યોં કે હું બેરિયો છું, ને તમારા સૈનિકે મને સલામ ભરી અને કોઈ રોકટોક વિના હું તમારી સામે આવી ગયો.” સ્ટાલિને માત્ર આ એક વ્યક્તિને આખા રશિયામાં ક્યાંય પણ રોકટોક વિના ફરવાની પરવાનગી આપી. સ્ટાલિને કહ્યું. ‘આ માણસ પ્રામાણિક છે.” ૧૯૪૦ પછી આવા લોકોની હત્યાનકરાઈ હોય તો તે માત્ર ઐસિંગને કારણે. ૧૯૪૦ સુધી આવા દાવા જે લોકોએ કર્યા હતા, તે બધાને સ્ટાલિને મરાવી નાખ્યા હતા. કાર્લ ઓટોવિસનામના એક આવા માણસની સ્ટાલિનના કહેવાથી હત્યા કરવામાં આવી હતી. કારણકે એમાણસ એવો હતો કે એને કારણે કોમ્યુનિઝમની ભૌતિકવાદી (materialist) ધારણા તૂટી પડે એમ હતી. ધારણા આટલી મહત્વની છે એમ સાબિત થતાં સ્ટાલિને તે પછી પોતાના વૈજ્ઞાનિકોને મૈસિંગની વાતને સમજવાની પૂરી કોશિશ કરવાનો આદેશ આપ્યો. કારણકે હવે આ શક્તિનો ઉપયોગ યુદ્ધમાં પણ કરી શકાય તેમ હતો. નામોવ નામનો વૈજ્ઞાનિક, જે ઐસિંગનો તે પછી અભ્યાસ કરતો
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy