Book Title: Namo Arihantanam Mantra
Author(s): Osho
Publisher: Upnishad Charitable Trust

View full book text
Previous | Next

Page 196
________________ નમો અરિહંતાણમ્ મંત્ર ૧૯૧ સચવાતું. એ સમ્રાટ ફરીથી પુનર્જીવન પામે તો બધો પુરાણો વૈભવ એને મળી જાય, એનો સંબંધ એ ચીજ સાથે ફરીથી સ્થાપી શકાય એવો પ્રબંધ કરાતો હતો. પરંતુ જેમનાં શરીર આ રીતે સચવાયાં છે. એમનો પુનર્જન્મ થવાનું તો અત્યંત મુશ્કેલ છે. કદાચ હજી પણ એમના આત્માઓ : આ પિરામિડોની આસપાસ ભટક્તા હોય તો એનું આશ્ચર્યન થવું જોઈએ. હિન્દુઓએ આ પૃથ્વી પરપ્રાણઊર્જા વિષે વધારેમાં વધારે ઊંડા અનુભવ કરેલા છે. એટલા માટે જ હિન્દુઓએ તો મૃત શરીરને તાત્કાલિક બાળી નાખવાનો જ પ્રબંધક્ય છે. દાટી દેવામાં આવે તો શરીરને પૂરેપૂરા ઓગળી જવામાં, માટીમાં મળી જવામાં, ઓછામાં ઓછા છ મહિના તો લાગી જાય. તો એ છ મહિના આત્માને ભટકવું પડે. માટે હિન્દુઓએ શરીરને તુરત જ બાળી નાખવાનો પ્રબંધર્યો, જેથી આત્માને ખાતરી થઈ જાય કે શરીર તો નાશ પામી ગયું છે અને હું મરી ગયો છું. જ્યાં સુધી આવી ખાતરી ન થાય ત્યાં સુધી નવા શરીર માટેની શોધ આત્મા શરૂ કરતો નથી. એક્યુપંક્યર પદ્ધતિમાં જે સાતસો બિંદુઓની ચર્ચા કરવામાં આવી છે તે વાત હવે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ કરવામાં આવી છે. રશિયામાં એડામેંકોનામના વૈજ્ઞાનિકે એવું યંત્ર બનાવ્યું છે જેમાં તમને ઊભા કરી દેવામાં આવે તો એ યંત્રની ચારે બાજુ, જે નાના નાના બલ્બ લગાવવામાં આવ્યા છે તે, જ્યાં જ્યાં તમારા ભૌતિક શરીરને ઊર્જાશરીર સ્પર્શ કરતું હશે ત્યાં ત્યાં તે બલ્બમાં લાઈટ થશે. હજારો બલ્બ લગાવવામાં આવ્યા છે એ યંત્રમાં. પરંતુ માત્ર સાતસો બલ્બમાં જ લાઈટ થાય છે. એડામેંકોના યંત્રે, પ્રત્યેક માનવીના ઊર્જાશરીરમાં આવેલાં સંવેદનશીલ બિંદુઓનાં સ્થાન વિષે પૂરી માહિતી આપી દીધી છે. પરંતુ પતંજલિનાં યોગસૂત્રોએ સાતસો બિંદુઓની વાત કરી નથી. એ સૂત્રોમાં સાત ચક્રોની ચર્ચા કરવામાં આવી છે. યોગની પકડ એક્યુપંચર કરતાં વધારે ઊંડી છે. યોનીઓએ અનુભવ કર્યો કે બધાં બિંદુઓ પરિઘ પર છે, કેન્દ્રમાં નથી. સો સો બિંદુઓનાં જોડાણનું એક કેન્દ્ર હોય છે, એનું નામ ચક્ર છે. યોગી લોકોએ એટલા માટે બિંદુઓ જે પરિઘ પર આવેલાં છે, તેની ફિકર ના કરી. યોગીઓને સમજાયું કે જે કેન્દ્રોને સ્પર્શ કરી લેવાય તો એની સાથે જોડાયેલાં સો બિંદુઓ સાથે આપોઆપ સ્પર્શ થઈ જશે. એટલે યોગીઓએ સાત ચક્રોની જ ચર્ચા કરી. એક ઉદાહરણ લઈને સમજીએ, જે કેન્દ્ર આપણા અનુભવમાં વધારેમાં વધારે આવેલું છે તે મૂલાધારSEX CENTER-કામકેન્દ્ર છે. એ કામકેન્દ્ર સાથે, આખા શરીરમાં અલગ અલગ કામક્ષેત્રમાં આવેલાં બિન્દુઓ જોડાયેલાં છે. કદાચ તમારા ખ્યાલમાં નહીં આવ્યું હોય કે જ્યારે તમે કામભોગ કરવાનું શરૂ કરો છો ત્યારે પ્રેમિકાના શરીરનાં ખાસ અંગોને સ્પર્શ કરો છો. એ અંગો સાથે કામકેન્દ્ર જોડાયેલું છે. વિશેષરૂપે એ અંગોને સ્પર્શ કરવાથી કામવાસના જાગ્રત થાય છે. એવાં એવાં અંગો સાથે કામબિંદુઓ જોડાયેલાં છે કે જે અંગોનો તમને ખ્યાલ પણ નથી હોતો. અલગ અલગ

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210