Book Title: Namo Arihantanam Mantra
Author(s): Osho
Publisher: Upnishad Charitable Trust

View full book text
Previous | Next

Page 160
________________ ૮. તપ એટલે આપણી ઊર્જા(શકિત) ની દિશાનું પરિવર્તન અહિંસા આત્મા છે, સંયમ પ્રાણ છે અને તપ શરીર છે. સ્વાભાવિક રીતે જ અહિંસા વિશે ઘણી ગેરસમજે થયેલી છે અને ખોટી વ્યાખ્યાઓ પણ થઈ છે. પરંતુ એ ગેરસમજ અને ભૂલો આપણા અપરિચયને કારણે છે. જે ચીજથી આપણે અપરિચિત હોઈએ તેની સાચી કે ખોટી વ્યાખ્યા કેવી રીતે કરી શકીએ ? પરંતુ થોડો ઘણો પરિચય હોય તો ખોટી વ્યાખ્યા થઈ જવાની શક્યતા છે. આપણો વધારેમાં વધારે પરિચય તપ સાથે છે કારણકે તપ બહારથી દેખાય છે. જેમ શરીર બહારથી દેખાય છે તેમ તપ પણ દેખાય છે. તપ શરીર છે, આત્માનું. વધારેમાં વધારે ગેરસમજો તપ વિશે થઈ છે. વધારેમાં વધારે ખોટી વ્યાખ્યાઓ પણ તપની થયેલી છે. એ ખોટી વ્યાખ્યાઓએ આપણું ઘણું અહિત કર્યું છે. પરંતુ તપ વિશે થયેલી ખોટી વ્યાખ્યાઓ, પરિચયની ભૂલને કારણે થઈ છે. તપ વિશે આપણે પરિચિત છીએ અને સહેલાઈથી એનો પરિચય થઈ શકે છે. આપણે તપ કરવા માટે, આપણી જાતને બદલવાની કાંઈ જરૂર નથી. આપણે જેવા છીએ, તેવા જ તપ કરવા બેસી શકીએ છીએ. તપ એક પ્રકારનું દ્વાર છે. આપણે કોઈ દ્વારમાં પ્રવેશ કરીએ છીએ તો જેમ દ્વારા આપણને બદલી શકતું નથી, તેમ આપણે તપમાં પ્રવેશ કરીએ તો તપ પણ આપણને બદલી શકતું નથી. એટલે સર્વપ્રથમ તપની જે નિરંતર ખોટી વ્યાખ્યા થતી રહી છે તે આપણે સમજી લેવી જોઈએ, તો જ સાચી વ્યાખ્યા શું છે તે તરફ આપણે પગલાં માંડી શકીશું. આપણે બધા ભોગથી પરિચિત છીએ. સુખ મળવાની આકાંક્ષામાંથી આપણે ભોગમાં ઊતરીએ છીએ. પરંતુ બધી સુખની આકાંક્ષાઓ છેવટે દુ:ખમાં લઈ જાય છે. આપણને ઉદાસ, ખિન્ન અને ઉખડી ગયા હોઈએ એવું આકાંક્ષાની પૂર્તિ પછી લાગ્યા કરે છે. એટલે સ્વાભાવિક રીતે એક

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210