________________
નમો અરિહંતાણમ્ મંત્ર
સત્યની ધારણાઓ પણ છોડવી પડશે. રહી જશે માત્ર સમર્પણ, શરણાગતિ, શ્રદ્ધા, અહંકાર વિસર્જન. ત્યાંનમોકાર પૂર્ણ થાય છે. કાલથી આપણે મહાવીરની વાણીમાં પ્રવેશ કરીશું. પરંતુ એ લોકો જ એમાં પ્રવેશ કરી શકશે જેમની પોતાની ભીતરમાં શરણની આકૃતિ નિર્મિત થઈ શકી છે. જ્યારે પણ ખ્યાલ આવે ત્યારે નમોકારનું રટણ ચાલુ રાખવાનું છે. સૂતી વખતે, સવારે ઊઠતી વખતે, કાલે અહીં આવતી વખતે, આ મંત્રનું વારંવાર રટણ કરતા રહેજો. એનાથી શરણની એવી આકૃતિ ભીતરમાં આકાર લેશે કે જેના કારણે, મહાવીરની વાણીમાં આપણે કોઈ અલગ ઢંગથી પ્રવેશ કરી શકીશું કે જેવું છેલ્લાં ૨૫૦૦ વર્ષમાં સંભવ નથી બન્યું. આજે આટલું જ.