________________
-
ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર ૨હેવું તે
ઊંચો છે, બુદ્ધની ‘તથાતા” ના અર્થ જેવો –‘તથાતા” નો અર્થ છે કે જે કાંઈ છે તેનો સંપૂર્ણ સ્વીકાર (total acceptability) જે જેવું છે તેનો સ્વીકાર છે. અમે એમાં કાંઈ પણ ફેરફાર કરવા માગતા નથી. એક કીડી રસ્તા પર ચાલી રહી છે. એના રસ્તામાં રુકાવટ ઊભી કરનાર આપણે કોણ છીએ? મારો એના પર પગ પણ પડી જાય, તો હું એના રસ્તામાં ફેરફાર કરનારું કારણ નિર્માણ કરું છું. રસ્તાઓ અનેક છે. કીડીહમણાં પોતાના બચ્ચાં માટે ભોજન એકઠું કરવા જઈ રહી હોય, આપણને ખબર નથી કે કીડીના જગતનું પણ એક આયોજન છે. હું એની વચ્ચે શા માટે આવું? એવું પણ નથી કે હું એના માર્ગમાં આવવાથી બચી જ શકીશ. પરંતુ મહાવીર કહે છે કે હું મારા તરફથી એટલી કાળજી રાખું કે હું કોઈના માર્ગની વચમાં ન આવું. જરૂરી નથી કે એવી કાળજી રાખી જ શકીશ. જરૂરી નથી કે હું કીડી પર પગ મૂકું, તો એ મરી જ જાય. કીડી પોતે પણ હું ચાલતો હોઉ ત્યારે મારા પગ નીચે જાતે દોડી આવીને પણ કરી શકે છે. એ કીડી પોતે જાણે, એનું આયોજન શું છે તે ? મહાવીર જાણે છે કે આ જીવનના માર્ગ પર બધા પોતપોતાની યોજનામાં વ્યસ્ત છે. એ આયોજન પણ કાંઈ નાનું નથી, બહુ મોટું છે, જન્મોજન્મથી ચાલ્યું આવે છે. કર્મોનો બહુ મોટો વિસ્તાર છે. એનાં પોતાનાં કર્મોની, ફળોની લાંબી યાત્રા છે. હું કોઈની યાત્રાના માર્ગમાં, કોઈ પણ કારણસર બાધારૂપનનીવડું. હું મારી પગદંડી પરમારી મેળે ચૂપચાપ ચાલતો રહું. મારા કારણે કોઈના માર્ગ પર કાંઈ પણ અડચણ ઊભી ન થાય. હું એવો થઈ જાઉં કે જાણે છું જ નહીં. એટલે “અહિંસા'નો મહાવીરનો અર્થ છે કે હું એવો થઈ જાઉકે જાણે છું જ નહીં. આકડી આરસ્તે એવી રીતે પસાર થઈ જાય કે જાણે હું એના માર્ગ પર ક્યારેય ચાલ્યો જ નહોતો.આ પક્ષીઓ આ વૃક્ષો પર એમ જ બેઠાં રહે, તે જાણે હુંએ વૃક્ષનીચે ક્યારેય બેઠોનહતો. આગામના લોકો એમ જ જીવ્યા કરે કે જાણે હું એમના ગામમાંથી પસાર જ ન થયો હોઉ. જાણે મારું કોઈ અસ્તિત્વ નથી. મહાવીરની અહિંસાનો ઊંડામાં ઊંડો અર્થ છે મારી અનુપસ્થિતિ, મારી ગેરહાજરી. મારી ઉપસ્થિતિ ક્યાંય પણ એટલી પ્રગાઢ ન બની જાય, કે જેથી મારી ક્યાતી કોઈ માટે જરાસરખી અડચણ ઊભી કરે કે બાધારૂપ નીવડે. હું એવું જીવું કે જાણે છું જ નહીં, મારા જીવવા છતાં હું મારી જાઉં. આથી ઊલટું આપણે કેવી રીતે જીવીએ છીએ? આ વાત અનેક દિશાઓથી સમજવી પડશે. આપણો પ્રયત્ન શું છે? આપણો પ્રયત્ન હંમેશા એવો છે કે આપણે છીએ તેની બધાને ખબર હોવી જોઈએ. આપણી જીવનપદ્ધતિ એવી હોય છે કે આપણી હયાતીનો બધાને અનુભવ થાય. એટલા માટે જ રાજનીતિ આપણા પર આટલો પ્રભાવ પાડે છે. રાજનૈતિક ઢંગથી આપણી હયાતીની જેટલી જાણ આપણે બીજાને કરાવી શકીએ છીએ તેટલી બીજી કોઈ રીતે શક્ય નથી. માટે જ આખા જીવન પર રાજનીતિ છવાઈ જાય છે. રાજનીતિનો ખરો અર્થ કરીએ તો તે એટલો જ કે બધાને આપણી હાજરીની જાણ થવી જોઈએ. હું કાંઈક છું. લોકોને હું ડંખું, મારા કાંટાનો દરેક સ્થળે અનુભવ થાય, મારી હાજરીનો બધાને ખ્યાલ આવે. કોઈ મારી નોંધ લીધા વિના પસારના