________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૧૧૭
નથી. અહિંસાનું દર્શન કરવું મુશ્કેલ છે. મહાવીર ભીતરથી બહારની તરફ આવે છે. આપણે બહારથી ભીતર તરફ જઈએ છીએ. એટલે આપણે તપસ્વીની જેટલી પૂજા કરીએ છીએ એટલી અહિંસકની કરી શકતા નથી. કારણકે તપતો આપણને દેખાય છે. એ તો દેહની જે બહાર છે. અહિંસા ઊડે છે, અદ્રશ્ય છે. સંયમનું આપણે અનુમાન કરી શકીએ છીએ. કોઈ વ્યક્તિ તપસ્વી હોય તો આપણને લાગે છે કે એ સંયમી હશે. જે - સંયમી ન હોય તો તપ કેવી રીતે કરે! જ્યારે કોઈ ભોગીને જોઈએ તો એમ લાગે કે એ અસંયમી હશે. કારણકે સંયમી હોય તો ભોગ કેવી રીતે કરી શકે, પરંતુ જો ઊંડાણથી વિચારીએ તો સમજાશે કે તપસ્વી પણ અસંયમી હોઈ શકે અને ભોગી સંયમી પણ હોઈ શકે છે. સંયમ વિષે આપણે માત્ર અનુમાન કરીએ છીએ. કોનો સંયમ કેવો છે, કેટલો છે, એ સદંતર અંગત બાબત છે. એના વિષે ચોક્કસ નક્કી કરવું મુશ્કેલ છે. આપણે રસ્તા ભીના હોય તે જોઇને અનુમાન કરીએ કે વરસાદ પડ્યો હશે. પરંતુ આજકાલ તો મ્યુનિસિપાલિટીની મોટર પણ રસ્તા પર પાણી છાંટી જાય છે. પહેલાના જમાનામાં મ્યુનિસિપાલિટી હતી જ નહીં, ત્યારે પુસ્તકોમાં લખાયેલું, વર્ષા વિષેનું અનુમાન સાચું પડતું હતું. પરંતુ આજે એવું નિશ્ચિતપણે કહી શકાતું નથી. એટલે આપણે તપસ્વીને જોઈને અનુમાન કરીએ કે એ સંયમી પણ છે તો એ અનુમાન સાચું હોવું જરૂરી નથી. તપ કરનાર અસંયમી પણ હોઈ શકે, સંયમનું હોવું જરૂરી નથી. એટલે મહાવીર ભીરતથી આગળ વધે છે. અહિંસાને પ્રથમ મૂકે છે. ભીતરમાં જ્યાં પ્રાણ છે ત્યાંથી આગળ વધવું વધારે યોગ્ય છે. સુદ્રથી વિરાટ તરફ આગળ વધવામાં ભૂલ થઈ જવાનો ભય છે. પરંતુ વિરાટથી શુદ્ર તરફ જવામાં ક્યારેય ભૂલ થતી નથી. શુદ્રથી વિરાટ તરફજતાં, સુદ્રની ધારણાને વિરાટ તરફ લઈ જતાં ભૂલ થાય છે. કારણકે સુદ્રની દષ્ટિ સંકિર્ણ હોય છે. એને ખેંચીને મોટી કરવા જતાં ભૂલ થઈ જાય છે. એટલે સર્વપ્રથમ સંયમનો અર્થ સમજી લઈએ. સામાન્ય રીતે સંયમનો આપણે જે અર્થ કરીએ છીએ તેમાં નિરોધ, વિરોધ, દમન, નિયંત્રણ, કંટ્રોલ વગેરે ભાવ આવી જાય છે. કોઈ માણસ પોતાની જાતને રોકે છે, વૃત્તિઓને દબાવે છે, બાંધે છે. એમના પર નિયંત્રણ રાખે છે એને આપણે સંયમી કહીએ છીએ, એટલે આપણી સંયમ શબ્દની વ્યાખ્યા નિષેધાત્મક છે, નેગેટિવ છે. સંયમનું કોઇ વિધાયક રૂપ આપણા ખ્યાલમાં નથી. કોઈ માણસ ઓછું ખાય છે તો આપણે કહીએ છીએ કે એ સંયમી છે. કોઈ ઓછું ઊંધે તો આપણે કહીએ છીએ કે સંયમી છે. કોઈ માણસ લગ્ન નથી કરતો તો આપણે કહીએ કે સંયમી છે. કોઈ ઓછાં કપડાં પહેરે તો કહીએ છીએ કે સંયમી છે. આમ કોઈ પણ બાબતમાં મર્યાદા નક્કી કરે તેને સંયમી કહીએ છીએ. જેટલો વધારે નિષેધ, જેટલી વધુ મર્યાદા, જેટલું વધું નિયંત્રણ, જેટલી બાધાઓ લઈએ ને આપણી જાતને બાંધીએ એટલા વધુ સંયમી ગણાઈએ. પરંતુ હું બેધડક કહું છું કે મહાવીર જેવી વ્યક્તિ, જીવનને નિષેધ ની પરિભાષા નહીં આપે. જીવન નિષેધથી ચાલતું નથી. જીવન હંમેશા વિધાયકતામાં-પોઝિટિવમાં જિવાય છે. જીવનની સમગ્ર