________________
ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર રહેવું તે
એક મહિલા મારી પાસે આવી કહે છે કે મારા પતિનું હું શું કરું? જો હું બોલું છું તો વિવાદ ઊભો થાય છે, જો નથી બોલતી તો પૂછે છે, શું થયું છે તને? નબોલું તો એમને એમ થાય છે કે હું નારાજ છું. જો હું બોલું તો થોડી વારમાં નારાજી પેદા થવાની જ છે. તો હું શું કરું? બોલું કે ન બોલું? એ મહિલાને હું શું સલાહ આપું? જેટલાં દુઃખતમને મળી રહ્યાં છે તેના નવાણું ટકાતમારી શોધનાં પરિણામ છે. જરા વિચાર કરો કે તમે દુઃખની શોધ કરવામાં કેવી કેવી તરકીબો કરો છો. કારણકે દુઃખી થયા વિના તમે રહી શક્તા નથી. માણસ સુખી હોય તો જીવી શકે છે, અથવા દુ:ખી હોય તો જીવી શકે છે. બન્ને વિના જીવી શકતો નથી. જીવવા માટે દુઃખ સારું બહાનું છે. દુઃખી માણસ પોતાની કથા, રસપૂર્વક, વધારી ચઢાવી મોટી કરે છે. એક સોયલાગી ગઈ હોય તો તલવારથી ઓછું દુઃખએને થતું નથી. તમે કોઈ ડૉક્ટર પાસે જવ અને એ તમને કહી દકે આજે તમે બિલકુલ બીમાર નથી, તો તમને દુઃખ થશે, તમને ડૉક્ટરની આવડત પર શંકા આવશે. કોઈ બીજા મોટા ડૉકટર ખોળવા પડશે. તમારા જેવા મોટા માણસને કોઈ બીમારી નથી એવું કેવી રીતે બને? અથવા કોઈ ડૉક્ટર તમને કહી દે કે ‘ખાસ કોઈ બીમારી નથી, તમે ઘેર જઈ માત્ર ગરમ પાણી પી લેજે તો એનાથી તમારા મનને સંતોષનહીં થાય. એટલા માટે જ ડૉક્ટરો એમની દવાઓનાં નામ લેટિન ભાષામાં લખે છે, ભલેને પછી તેનો અર્થ થતો હોય અજમાનું પાણી, પરંતુ લેટિન ભાષામાં લખેલી દવાનું લિસ્ટ લઈને દર્દીએક એંટથી ઘેર આવે છે. દુઃખન હોય તો જિવાયકેવી રીતે? જીવવાનું કારણ હોવું જોઈએ. જો આનંદન હોયતો દુઃખતો હોવું જોઈએ. માર્ક ટવેન એક ઘણી અનુભવી માણસ હતો. માનવી અને એના મનનાં ઊંડાણમાં ઉતરવાની એની એક આગવી દષ્ટિ અને શક્તિ હતી. એણે કહ્યું છે કે કાંતો તમે મારી પ્રશંસા કરો અથવા મારી ટીકાકરો કે મારું અપમાન કરો, પરંતુ તમે તટસ્થનરહેતા. તટસ્થ રહેશો તો મને દુઃખ થશે. જોઈએ તો મને ગાળ આપો. એનાથી ઓછામાં ઓછું મને એમ તો લાગે છે કે હું પણ કંઇક છું! પરંતુ તમે મારી સામે નજર પણ નકરો અને પસાર થઈ જાવ, તમે મને ગાળન આપો. મારું સન્માન ન કરો તો એનાથી મને તમે એવી ચોટ પહોંચાડો છો કે જેનો હું બદલો લીધા વિના નહીં રહું. આવી ઉપેક્ષાનો બદલો લોકો જેટલો લે છે તેટલો કોઈ દુ:ખી કરે તેનો લેતા નથી. તમે ખ્યાલ કરશો તો તમને સમજાશે કે જે માણસ તમારી ઉપેક્ષા કરે છે, તમારી સામે જોતો પણ નથી તે તમને વધારે દુઃખ પહોંચાડે છે. જિસસ અને મહાવીર જેવી વ્યક્તિઓની આપણે આટલી સતામણી એટલા માટે કરી કે એ લોકોએ આપણી પરવાનકરી, આપણા પ્રત્યે ધ્યાન ન આપ્યું. આપણે એમને પત્થર માર્યા તો એ લોકો એમ જ ઊભા રહ્યા, કે જાણે કાંઈ બન્યું જ નથી. તો એમના આવા વર્તનથી પણ આપણને પીડા થાય છે. નીત્સ નામે વિચારક થઈ ગયો. માનવઇતિહાસમાં એના જેવી બહુ થોડી વ્યક્તિઓ છે જે