________________
નમો અરિહંતાણમ્: મંત્રી
૭૭
માનવીના મનની ઊંડી ગહેરાઈમાં ઊતરી શકી. નીત્સએ કહ્યું છે કે કોઈ તમારા ગાલ પર તમાચો મારે અને તમે સામે બીજો ગાલ ધરી દો તો એનાથી બહુ મોટું અપમાન સામેની વ્યક્તિનું થાય છે. એણે જિસસ માટે કહ્યું કે જિસસે બીજો ગાલ ધરી દેવાની લોકોને સલાહ આપવામાં ભૂલ કરી છે. નીત્સએ કહ્યું કે જે તમને તમાચો મારે તેને સામે એક સમસમતો તમાચો તમે મારશો તો એને એક પ્રકારની ઇજ્જત મળશે.જ્યારે તમે બીજે ગાલ એની સામે ધરી દેશો તો એ માણસને તમે કીડામકોડાની કક્ષા પર ઉતારી દેશો. એનું મોટું અપમાન થઈ જશે. એ તે સહન નહી કરે, એ તમને ફાંસી પર લટકાવશે. આવી રીતે આપણે ક્યારેય વિચારતા નથી, પણ આ વાત સાચી છે. સત્ય એવું અજબ હોય છે, વિચિત્ર હોય છે કે એની આપણે કલ્પના કરી શકતા નથી. કોઈ તમારી ઉપેક્ષા કરે તો એ તમને શત્રુથી પણ વધારે ભયાનક લાગે કારણકે તમારો શત્રુ તમારી ઉપેક્ષા નથી કરતો. એ તમને શત્રુ બનાવવા જેટલી માન્યતા-યોગ્યતા બક્ષે છે. આપણે દુઃખ માટે પણ ઉત્સુક છીએ. છેવટે થોડું દુઃખતો આપો, સુખ ન આપી શકો તો? કાંઈ પણ આપો, દુઃખ આપશો તો પણ ચાલશે, પણ આપો.આપણે એટલા સંવેદનશીલ છીએ કે આપણી બધી ઈન્દ્રિયો સજાગપણે ક્યાંકથી દુ:ખ મળતું હોય તો તેને ચૂકી ન જવાય એવો અવસર ચાલીન જાય, એની કાળજી રાખીએ છીએ. દુઃખતો આપણા જીવનનું કારણ છે ! એટલે મહાવીરની અહિંસાનો અર્થ “બીજાને દુઃખન આપો એવો નથી, કારણ કે મહાવીર જાણે છે કે કોઈ કોઈને દુઃખ આપી શકતું નથી, તેમ કોઈ કોઈને સુખ આપી શકતું નથી. મહાવીરની અહિંસાનો એમ પણ અર્થ નથી કે કોઈને તમે મારશો નહીં કે મારી નાખશો નહીં. કારણકે મહાવીર બહુ સારી રીતે સમજતા હતા કે આ જગતમાં કોઈ કોઈને મારી નાખી શકતું નથી. મહાવીરથી વધુ કોણ જાણતું હશે કે મૃત્યુ અસંભવ છે, કે કોઈ મરતું નથી. મહાવીર તો આ વાત બહુ સારી રીતે સમજતા હતા. પરંતુ મહાવીરના અનુયાયીઓએ ‘અંહિસા શબ્દના બહુ સાધારણ અર્થક્ય, અહિંસાને સામાન્ય અર્થોમાં સમજાવવી. એમણે અર્થો કર્યા કે અહિંસા એટલે મોં પર પટ્ટી બાંધી રાખવી, કે સંભાળીને રસ્તા પર ચાલવું જેથી કોઈ જીવજંતુન મરી જાય, કે રાત્રે પાણી પીવું જેથી હિંસા થઈ જાય. આ બધી વાતો ઠીક છે. મોં પર પટ્ટી બાંધી રાખવાનું સારું છે. પાણી ગાળીને પીવાનો કાંઈ વાંધો નથી, સ્વચ્છ પાણી પીવા મળશે. જમીન પર પગ સંભાળીને મૂકવા તે પણ સારું છે, પણ એથી એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે તમે કોઈને મારી શકો છો. કોઇને દુ:ખન દેવું તે સારું છે, પરંતુ તમે કોઈને દુઃખ આપી શકો છો, એવું માનવું તે ભ્રમ છે. આ બાબતને બહુ બારીકાઈથી સમજવા જેવી છે. હું એમ નથી કહેતો કે કોઈને જઈને મારો કે ઈજા પહોંચાડો. કોઈ કોઈને મારી નાખી શકે તેમ તો છે જ નહીં. મહાવીરની અહિંસાનો અર્થ ઘણો