________________
૮૦
ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર રહેવું તે
માણસ પણ એમ કહે છે અને બાળક પણ એમ કહે છે. બાળકને પણ આશ્ચર્ય થાય છે કે જ્યારે ઘરમાં કોઈ મહેમાન નથી હોતા ત્યારે તો એને શાંત રહેવાનું કોઈ કહેતું નથી. તમે દોડાદોડી કરો, બૂમો પાડો તો પણ ત્યારે બાળકોને પિતા શાંત રહેવાનું કહેતા નથી. પરંતુ જ્યારે કોઈ મહેમાન આવે છે ત્યારે જ કેમ શાંત રહેવાનું કહેવામાં આવે છે? બાળકને થાય છે કે મહેમાન ઘરમાં આવે તો તેને તે પોતાની હાજરી કંઈ કરીને બતાવી શકે. બાળકને આગ્રહપૂર્વક મહેમાનને કંઇક જણાવવાનું મન છે, જેથી એ પોતે છે તેની નોંધ લે. એ ઘોષણા કરવા માગે છે કે “હું છું. ક્યારેક મહેમાનોની હાજરીમાં બાળકો એવી જીદ પકડે છે કે માબાપ પણ હેરાન થઈ જાય છે. કે કોઈ વાર નહીંને આજે કેમ આટલી જીદ એમનું બાળક પકડે છે! જાણે બાળક મહેમાનને બતાવી દેવા માગે છે કે આ ઘરમાં માલિક કોણ છે? કોનું ચાલે છે? છેવટે નિર્ણાયક કોણ છે? નાનાં બાળકો પણ રાજનીતિ શીખી જાય છે કારણકે આપણો આખો સમાજ, આપણું બધું આયોજન, આપણી આખી સંસ્કૃતિ, અહંકારની, અધર્મની સંસ્કૃતિ છે, આખી દુનિયામાં આવું છે. માનવી આજ સુધી ધર્મમય સંસ્કૃતિનો વિકાસ કરી શક્યો નથી. આજ સુધી આપણે આપણા અહંકારને કબૂલ નથી કરી શક્યા, આપણે મહાવીરની વાત સાંભળતા જ નથી. મહાવીર ધર્મની સંસ્કૃતિના એક સ્ત્રોત બની શક્યા હોત. મહાવીર તો કહે છે કે જેટલી તમારી ઉપસ્થિતિ ઓછી ખબર પડે, એટલું મંગળ છે. તમે છો જ નહીં એવાથઈ જશો, તમારું તેમ જ બીજાનું કલ્યાણ જ છે. ' મહાવીરને ઘર છોડીને જવું હતું. એમની માએ કહ્યું, ‘જશો નહી, જશો તો મને દુઃખ થશે.” મહાવીર ના ગયા. કારણકે જવા માટે પણ જીદ રાખવાથી, એમની થાતીનું બીજાને ભાન થતું હતું. મહાવીરને બદલે બીજું કોઈ હોત તો એનો ત્યાગ ફંફાડા મારત અને જોશમાં આવીને કહેત કોણ મા અને કોણ બાપ? બધા સંબંધ નકામા છે-આ તો સંસાર છે.’ જેટલું સમજાવવામાં આવત, એટલા વધુ જોશમાં આવી જાત. તમારા સમજાવવાના કારણે અધિક લોકો સન્યાસી અને ત્યાગી બની જાય છે. ભૂલેચૂકે સમજાવવાની કોશિશ ન કરશો. કોઈ કહે કે “હું જાઉં ,’ તો કહો ‘ભલે જઈ શકો છો, અમારા નમસ્કાર.’ તો એ માણસ જતા પહેલાં પચીસ વાર વિચાર કરશે. પરંતુ તમે એને રોકવાનો જેટલો પ્રયત્ન કરશો, એટલું વધારે ઘર છોડીને એનું જવું મહત્વનું બની જશે. આથી વ્યક્તિત્વની લડાઈ શરૂ થાય છે. આસપાસના લાગતા વળગતા લોકો, રોકવાનો આગ્રહ ન કરે તો ત્યાગી લોકોની સંખ્યા ઓછી થઈ જશે. નવાણું ટકા જતા રોકાઈ જશે. એમાં જ દુનિયાનું હિત છે. જે દસ ટકા લોકો ખરેખર ઘર છોડીને જશે, એમનો ત્યાગ ગરિમાપૂર્ણ બની રહેશે. મહાવીર રોકાઈ ગયા. માને પણ આશ્ચર્ય થયું. આ કેવો ત્યાગ ! મહાવીરે ફરી એક પણ વાર ન પૂછુયું. વાત જ છોડી દીધી. માનાં મરણ સુધી ફરીથી તેણે વાત ન ઉચ્ચારી, પછી જ્યારે એમની માતાનું મરણ થયું ત્યારે ઘેર પાછા ફરતાં એમના મોટા ભાઈને મહાવીરે પૂછ્યું, ‘હવે હું જઈ શકું