________________
શરણાગતિ:ધર્મનો મૂળ આધાર
વિનિત્રિ કહે છે કે જમીન પરથી ઉપર ઉઠ્યા પછી, આકૃતિ બદલવાનો કોઈ ઉપાય નથી, મારું એમાં કાંઈ ચાલતું નથી. જમીન પર પાછો આવ્યા પછી જ આકૃતિ બદલી શકું છું. આશરણાગતિની પોતાની આકૃતિ છે. અહંકારની પણ પોતાની આકૃતિ છે. અહંકારને જમીન પર સૂઈ ગયેલો કોઈ કલ્પી શકે છે? અહંકારને હંમેશાં ઊભો હોય એવું જ વિચારીને કલ્પી શકાય. એ રીતે જ શરણના ભાવને ઉભો હોય એવું કલ્પી કે વિચારી શકાતું નથી. શરણનો ભાવ સૂઈ જવાનો જ ભાવ છે. કોઇ વિરાટ શક્તિ સામે પોતાને ધરી દેવાનો આ ભાવ છે. “હું નહીંતું એવી એમાં ગહન ભાવના છે. મેં કહ્યું કે જો આપણે પરમાત્માના નિયમો સાથે એકરૂપ થઈ જઈએ તો પ્રકૃતિના નિયમો કામ કરવાનું બંધ કરે છે. આ વિષે એક બે બીજી વાતો કહેવી જરૂરી છે. મહાવીર વિષે એમ કહેવાય છે કે મહાવીરે બાર વર્ષમાં માત્ર ૩૬૫ દિવસ ભોજન ક્યું. મહાવીરના અનુયાયીઓમાંથી, આ પચીસસો વર્ષમાં, કોઈ આ વાતનું રહસ્ય સમજાવી શક્યું નથી. એનો અર્થ એમ કે અગિયાર વર્ષ મહાવીરે ભોજનન ક્યું. ક્યારેક ત્રણ મહિનામાં એક દિવસ ભોજન ક્યું, ક્યારેક ક્યું મહિના પછી એક દિવસ. બાર વર્ષમાં, બધું થઈને માત્ર ૩૬૫ દિવસ ભોજન ક્યું. સરેરાશ બાર દિવસે એકવાર ભોજન ક્યુ, અગિયાર દિવસ ભૂખ્યા રહ્યા. છતાં મહાવીરથી વધારે સ્વસ્થ શરીર ખોળવું મુશ્કેલ છે. મહાવીર જેવું શક્તિશાળી શરીર પણ મળવું મુશ્કેલ છે. બુદ્ધ, કૃષ્ણ, ક્રાઈસ્ટ કે રામસ્વાથ્યની દષ્ટિએ, મહાવીર સાથે ઉભા રહી શકે. આ એક બહુ નવાઈની વાત છે મહાવીરે શરીરના કુદરતી નિયમોની વિરુદ્ધ કાર્યું છે. જે માણસ બાર વર્ષમાં માત્ર ૩૬૫ દિવસ ભોજન કરે, એનું શરીર તો મૃત થઈ જવું જોઈએ. પરંતુ એવું શું બન્યું જેથી મહાવીરનું શરીર ટકી રહ્યું? રોબર્ટ પાવલેટાવિષે અગાઉ વાત કરી. એની પ્રયોગશાળામાં ઘણા અનોખા પ્રયોગો થઈ રહયા છે. એમાં સંમોહનદ્વારા, ભોજનવિના જીવતા રહેવાનો એક પ્રયોગ છે. પાવલેટાની પ્રયોગશાળામાં કેટલાક લોકોને દસ દસ વર્ષ સુધી સંમોહિત દશામાં રાખવામાં આવ્યા છે. એવી સંમોહિત પરિસ્થિતિમાં જ તેઓ ઊઠે છે, બેસે છે, ખાય છે, પીએ છે, કામ કરે છે, પરંતુ એમનું સંમોહન તોડવામાં આવતું નથી. ઘેરી સંમોહનની અવસ્થા ચાલુ રહે છે. કેટલાક લોકોએ પોતાનું આખું જીવન એ રીતે સંમોહિત રહેવા માટે સોંપી દીધું છે. જીવનભર એમનું સંમોહન ચાલુ રહેશે, તોડવામાં નહી આવે. એ પ્રયોગશાળામાં એકબરફિલાવનામે વ્યક્તિ છે. એને ત્રણ અઠવાડિયા માટે સંમોહિત કરવામાં આવ્યો. એ સંમોહિત અવસ્થામાં એને વારંવાર દરરોજ જૂઠું ભોજન આપવામાં આવ્યું. એની અભાન અવસ્થામાં એને કહેવામાં આવ્યું કે તને એક બગીચામાં લઈ જઈ રહ્યા છીએ. જે આ બગીચામાં કેટલાં સુગંધી ફૂલ છે અને કેટલાં ફળ લાગેલાં છે એની સુગંધ આવી રહી છે. એણે એક