________________
નમો અરિહંતાણમ: મંત્ર
૫૧
ઊંડો શ્વાસ ખેચીને કહ્યું, કે “અદભૂત સુગંધ છે. લાગે છે કે સફરજન પાકી ગયાં છે.” પાવલેટાએ એ ખોટાં કાલ્પનિક ફળ બગીચામાંથી તોડ્યાં અને તે બરફિલાવને આપતાં કહ્યું કે “લે ખા આ ફળ.બહુ સ્વાદિષ્ટ છે. બરફિલાવશૂન્યમાં (પોતાના અભાન) એ શૂન્યમાંથી લીધેલાંશૂન્યસફરજન ખાધાં. ખરેખરતો સફરજન હતું જનહિ. બરફલાવે તે ફળસ્વાદપૂર્વક ખાધાંઅને આનંદિત થયો. પંદર દિવસ સુધી એને આ રીતે ભોજન અપાયું-જૂઠું પાણી અને જૂઠું ભોજન. દરરોજ દસડોક્ટરો એનું અનેક રીતે અધ્યયન કરી રહ્યા હતા. ડોક્ટરોએ કહ્યું કે દિવસે દિવસે એનું શરીર વધારે સ્વસ્થ થતું ગયું. પાંચ દિવસ પછી બધી શારીરિક તકલીફો મટી ગઈ. રાત દિવસ પછી શરીર પોતાની પૂર્ણ તંદુરસ્તીમાં આવી ગયું. શરીરની સામાન્ય ક્રિયાઓ બંધ થઈ ગઈ. મળ-મૂત્ર વિસર્જનની જરૂર ન રહી. કારણકે શરીરમાં તો કાંઈ જતું ન હતું. ત્રણ અઠવાડિયાં પછી, જે સૌથી વધુ ચમત્કારની વાત હતી તે એ કે બરફલાવ પરિપૂર્ણ સ્વસ્થ, પોતાની બેહોશીની બહાર આવી ગયો, એનું સંમોહન દૂર કરાયું. એથી મોટા આશ્ચર્યની વાત એ બની કે આ ત્રણ અઠવાડિયામાં એનું વજન વધ્યું. આ તો અશક્ય વાત છે. ડૉ. રેજલિવ જે એનું અધ્યયન કરતો હતો તેણે કહ્યું કે “This is scientifically impossible આ વાત વૈજ્ઞાનિક સિદ્ધાંત મુજબ શક્ય નથી.” પરંતુ એ વાત હકીકત હતી. રેજલિવની હાજરીમાં આ બધું બન્યું. બધા દિવસો દરમિયાન બરફિલાવની આગળ પાછળ, ચોવીસે કલાક પહેરો રહેતો, જેથી એને કોઈ તરકીબથી કાંઈ ખવરાવી ન દે, કોઈ ઇંજેક્શનન આપી દે, કોઈ દવાન આપી દે કે એના શરીરમાં કાંઈ પણ કોઈ દાખલ ન કરી દે. આ વિષયમાં રેજલિવ એક વર્ષથી પ્રયોગ કરી રહ્યો હતો. એણે કહ્યું કે કોઈ અજાણી (અદીઠ) શક્તિ કામ કરી રહી છે એવું માનવું પડશે. કોઈ એસ ફોર્સ અજ્ઞાત શક્તિકામ કરી રહી છે. જે આપણે વૈજ્ઞાનિક રૂપે જાણીએ છીએ, તેમાંની કોઈ શક્તિઓ સિવાયની, કોઈ શક્તિ કામ કરી રહી છે. એ શક્તિને ભારતમાં આપણે “પ્રાણશક્તિ' કહીએ છીએ. આ પ્રયોગ પરથી મહાવીરને સમજવાનું સહેલું થઈ પડશે. હું એટલા માટે કહું છું કે જે લોકોને ઉપવાસ કરવા હોય તેઓ જૈન સાધુઓને સાંભળી સમજીને ઉપવાસ કરવાનું પાગલપણું ન બતાવે. એમને આ બાબતમાં કાંઈ ખબર નથી. એ લોકો માત્ર અનુયાયીઓને ભૂખે મારે છે. અનશનને (કાંઈ પણ ન ખાવું તેને) ઉપવાસ કહે છે ઉપવાસની તો પૂરી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જે મુજબ ઉપવાસ કરવાથી વજન ઘટતું નથી, ઊલટું વધી શકે છે. મહાવીરનાં રહસ્ય ખોવાઈ ગયાં છે. સંભવ છે કે રેજલિવ જેવી વ્યક્તિઓ ઝેકોસ્લોવાકિયામાં ફરીથી એનાં તથ્યો પુરવાર કરે. ભારતમાં પણ એ પ્રયોગો થઈ શકે છે, પરંતુ આપણે અભાગી છીએ. વ્યર્થ વાદવિવાદોમાં એટલો સમય નષ્ટ કરીએ છીએ અને કરાવીએ છીએ કે આપણી પાસે સાર્થક કરવા માટે સમય અને સુવિધા બચતાં નથી. આપણે એવી મૂઢતાઓને માની લઈએ છીએ