________________
નમો અરિહંતાણમ્ મંત્ર
‘હિંદુ ધર્મ મંગળ છે.’ એમ પણ કહેવાયું નથી. એમ કહેવાયું છે કે ‘કૈવલી પન્નતો ધમ્મો મંગલ,’ કેવલી દ્વારા પ્રરૂપિત ધર્મ ‘મંગળ છે.’ એ ‘કેવલી’ ક્યાંય પણ હોય, જેણે પણ શુદ્ધ જ્ઞાન, કેવળજ્ઞાન મેળવ્યું છે તેમણે જે કહ્યું છે, તે મંગળ છે. આ મંગળની ભાવના જેટલી ગહન બને, પ્રાણોના ઊંડાણમાં ઊતરી જાય તેટલી ‘અમંગળ’ની સંભાવના ઓછી થતી જાય છે. માણસ જેવી ભાવના કરે છે તેવો તે ધીરેધીરે બની જાય છે. જેવું આપણે વિચારીએ છીએ તેવા આપણે થઇએ છીએ. જે આપણે માગીએ છીએ તે આપણને મળી જાય છે.
૨૭
૪
આપણે હંમેશા ખોટું જ માગીએ છીએ એ આપણું દુર્ભાગ્ય છે. આપણે એની સામે જ આંખ માંડીને જોઇએ છીએ, જેવા આપણે બનવું હોય છે. જ્યારે આપણે કોઇ રાજનેતાની આસપાસ ચક્કર મારીએ છીએ ત્યારે આપણે પણ રાજનેતા થવું છે, એવા પદ પર પહોંચવું છે, એવી કોઇ ગહન ઇચ્છા છે એ જ વાતનું સૂચન છે. આપણે જેવા થવું હોય છે, એવા માણસને જ આપણે આદર આપીએ છીએ કારણકે એ આપણા ભવિષ્યનો આદર્શ, પ્રતિમા (Model) બની જાય છે. આપણને એમ થાય છે કે ‘ઇશ્વર કરે હું એવો થઇ જાઉં’ કોઇ અભિનેતા-કલાકારની પાછળ આપણે ફરતા હોઇએ તો આપણી એવા અભિનેતા-કલાકાર બનવાની આકાંક્ષાનું જ એ લક્ષણ છે.
એટલે મહાવીર કહે છે કે તમે અરિહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહુ મંગલ એમ કહેતા રહો. તમે આવું ત્યારે જ કહી શકશો જ્યારે તમારામાં અરિહંત બનવાની આકાંક્ષા જાગશે તમે એવું કહેવાનું શરૂ કરશો કે તરત અરિહંત બનવાની તમારી યાત્રા શરૂ થઇ જશે. મોટામાં મોટી યાત્રા પણ નાનાં નાનાં પગલાંથી જ શરૂ થાય છે. પહેલું પગલું છે મંગળની ધારણા.
તમે ક્યારેય વિચાર્યુ છે કે તમારે શું થવું છે? તમે સચેતનરૂપે એવું કાંઇ નહીં વિચાર્યું હોય, તોપણ અચેતનરૂપે તો તમારે જે બનવું છે તેના તરફ તમારી ગતિ ચાલુ હોય છે. જેવા તમારે થવું હોય છે તેવી વ્યક્તિઓ પ્રત્યે તમારા મનમાં ખૂબ આદર હોય છે. માત્ર આદર જ નહીં, જેવા થવા માગતા હોઇએ તેના સંબંધમાં આપણા મનમાં કાંઇને કાંઇ વિચાર વર્તુળ ચાલ્યા જ કરતાં હોય છે. એ જ તમારાં સ્વપ્નોમાં ઊતરે છે, એનું જ તમારા શ્વાસોશ્વાસમાં રટણ થતું હોય છે, એ જ તમારા લોહીમાં પ્રવેશી જાય છે. જ્યારે હું કે એ તમારા લોહીમાં પ્રવેશી જાય છે ત્યારે હું કોઈ સાહિત્યની ભાષા વાપરતો નથી, હું બીલકુલ શારીરિક તથ્યની વાત કરું છું.
ઓફસફર્ડ યુનિવર્સિટિની ડિલાવાર પ્રયોગશાળામાં, આપણા વિચારોનો આપણા લોહી પર કેવો પ્રભાવ પડે છે તેના પ્રયોગો થયા છે. આપણા વિચારોનો પ્રભાવ તો પડે છે જ. પરંતુ બીજાની ધારણાઓનો પણ કેવો પ્રભાવ આપણા લોહી પર પડે છે તે જાણવાના અખતરા થયા છે. આપણી અપ્રગટ ધારણાઓનો પણ પ્રભાવ આપણા લોહી પર પડે છે. કોઇ વ્યક્તિ તમારા પ્રતિ મંગળ અને શુભની ભાવનાથી ભરેલી હોય જે તમારા માટે શુભ અને મંગળ સિવાય બીજું કાંઇ