________________
સુપાત્ર આત્મા-પછી ભલે તે ઓછું ભણેલ હશે કે વધારે ભણેલ હશે પણ આ પુસ્તકમાંથી તે પ્રભુભક્તિવિષયક કંઈ ને કંઈ પ્રેરણા જરૂર મેળવી શકશે એવી અમને આશા છે. એક જ પુસ્તકમાં ભકિતવિષયક વિવિધ સામગ્રીને વિપુલ પ્રમાણમાં સમાવેશ થયેલ હોવાથી આ પુસ્તક વિવિધ ભૂમિકાવાળા અનેક જીવને પિતાની ભૂમિકા અનુસાર ઉપયોગી નીવડશે એમાં શંકા નથી.
આપણું હૃદયમાં પ્રભુજીને કેવી રીતે પધરાવવા અને આપણું હૃદય પ્રભુભક્તિથી કેવી રીતે વાસિત કરવું એ અંગેની વિવિધ રીતે બહુ જ સરળ રીતે આ પુસ્તકમાં દાખલ કરવામાં આવી છે.
પ્રભુભક્તિનો મહિમા કેટલે અદભૂત અને અચિંત્ય છે તે વાત જૈનશાસન પામેલ કેઈપણ સુજ્ઞ આત્માથી અજાણ નથી અને તેથી જ પ્રભુભક્તિને મુક્તિની દૂતિ તરીકે બિરદાવવામાં આવી છે અને પ્રભુભક્તિ એ શાશ્વત સુખનું સાચું લેહચુંબક છે એમ પણ કહેવામાં આવ્યું છે.
ગિસમ્રાટ કલિકાળસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા શ્રીવીતરાગ તેત્રના નવમા પ્રકાશમાં ફરમાવે છે કે “હે પ્રભુ! જે તમારી ભક્તિ મલે તે કલિકાળ પણ મારા માટે નમસ્કાર કરવા ગ્ય છે અને આપની ભક્તિ ન મલે તે સત્યયુગનું પણ મારે કામ નથી કારણ કે અનેકવાર સત્યયુગ મળવા છતાં તારી ભક્તિ ન મળવાથી તે નકામે ગયે, જયારે કલિકાળમાં તારી અલ્પ પણ ભક્તિ ભકતને