________________
ભક્તિ વિષયક જે જે વસ્તુ અતિપ્રિય અને હિતર જણાઈ તેને સ્વલ્પ ક્ષાપશમ મુજબ અહી” રજુ કરવામાં આવેલ છે. જેએ ભાવનાપ્રધાન છે તેમને પેાતાની ભાવના અભિવ્યક્ત કરવા માટેની સામગ્રી આમાંથી મળી શકશે. અને એવા ભાવુક જીવાને આ સંગ્રહ વધુ રુચિકર ખનશે એવી આશા છે.
ખાસ કરીને મારા પરમેાપકારી, પરમકૃપાળુ પરમપૂજ્ય ગુરુમહારાજ પંન્યાસજી પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરજીના પરમ આશીર્વાદથી, તેએશ્રીની પરમ કૃપાથી તથા પરમ વાત્સલ્યમય કરુણાષ્ટિના પ્રભાવે આ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થયું છે. આમાં જે કાંઇ સારૂ છે તે બધુ' તેઓશ્રી પાસેથી મળેલું છે—તેઓશ્રીની કૃપાનું ફળ છે. ઉપરાંત આ પુસ્તકમાં બીજા પણ અનેક ગ્રન્થા અને લેખકેાના વચનાના આધાર લેવામાં આવ્યા છે, તે તમામ મહાનુમાવા પ્રત્યે કૃતજ્ઞભાવ દર્શાવીએ છીએ.
શ્રી અહિંત પરમાત્માની ભક્તિમાં પૂરક તવાને પણ આ પુસ્તકના સ્વાધ્યાય વિભાગમાં પાછળ દાખલ કરવામાં આવેલ છે.
મતિમદતા આદિના કારણે આમાં જે કાંઈપ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તે બદલ મિચ્છામિ દુક્કડ યાચીએ છીએ.
'તમાં સૌ કાઇ આ પુસ્તકને વાંચી, વિચારી હૃદયમાં ઉતારી શ્રી અરિહ‘ત પરમાત્માની ભક્તિમાં એકતાર ખની આત્મકલ્યાણ સાધનારા બનેા એજ શુભેચ્છા.
—સુનિ ૬ વિજય