________________
છે. પરંતુ તે બધા પ્રકારમાં નિત્ય શાસ્ત્રોકત વિધિપૂર્વક શ્રી અરિહંત પરમાત્માનું દર્શન-પૂજન કરવું એ ભવ્ય જી માટે સૌથી પ્રાથમિક અને મુખ્ય પ્રકાર છે. આબાલ-વૃદ્ધ સૌ કઈ વડે સહેલાઈથી આચરી શકાય તેવું પવિત્ર ધર્મકૃત્ય છે. આત્મા ઉપર લાગેલા કર્મમલને ધોવા માટે તે એક પ્રકારનું આંતરિક નાન છે.
પરમાર્થદષ્ટિ મહાપુરૂષો ભાવપૂર્વક ફરમાવે છે કે – શ્રી અરિહંત પરમાત્માની ભક્તિથી પાપરજ નાશ પામે છે અને કુશલાનુબંધી પુણ્યસમૂહ એકત્રિત થાય છે તેથી તે ક્રિયા શ્રી જૈન સંઘ અને ઉપલક્ષણથી સમસ્ત વિશ્વને એકાંત કલ્યાણુકારિણી છે.
આત્મકલ્યાણકારી માર્ગમાં પ્રયાણ કરવાની ઈચ્છાવાળા મુમુક્ષુ દરેક આમાને આશય શુભ હોવા છતાં ભિન્નજિન ભૂમિકામાં રહેલા દરેક જીવને ક્ષોપશમ પણ ભિન્ન ભિન્ન પ્રકારને હેય છે. તે પ્રત્યેક ભૂમિકામાં રહેલા ઉત્તમ છ અરિહંત પરમાત્માની સન્મુખ બને અને તેમના હાયમાં શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ પ્રગટ થાય અને જેમને પ્રગટ થઈ હોય તેઓ શ્રી અરિહંત પરમાત્માની ભક્તિમાં વધુ સુસ્થિર બને એ દષ્ટિને લક્ષ્યમાં રાખીને જિજ્ઞાસુ મહાનુભાવોની માંગણીથી અરિહંત ભક્તિ નામના આ પુસ્તકમાં વિવિધ વિષયક હકીકતેને સંગ્રહ કરવામાં આવ્યું છે.
અનેક પ્રસંગે પૂજ્ય ગુરુ પાસેથી વાચનાદિ દ્વારા પ્રસાદીરૂપે પ્રાપ્ત થયેલ ભક્તિવિષયક હિતશિક્ષાના પ્રભાવે તથા પ્રાચીન અર્વાચીન ગ્રન્થાદિના વાંચન-પરિશીલન આદિથી