________________
જ
નિ વે દ ન
જ
પરમોપકારી પરમ પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રકર વિજયજી ગણિવશ્રીના શિષ્ય પૂ. મુનિરાજશ્રી કુંદકુંદવિજયજી. મહારાજ પાસે શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ વિષયક એક મારે સંગ્રહ અમને જોવા મળે. અવારનવાર ૫૦ પૂ. પંન્યાસજી મ. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવશ્રી પાસે દર્શન-વનદનાથે જવાનું થતાં તે ભક્તિવિષયક સામગ્રીનું મુનિશ્રી કુંદકુંદવિ૦ મ૦ પાસે શ્રવણ, વાંચન મનન કરવાની તક મળી. અને એ રીતે એ બધું અવગાહન થતાં વિચાર આવ્યો કે શ્રી અરિહંત-ભક્તિ-વિષયક આ બધે સંગ્રહ જે એક જ પુસ્તકમાં એક જ સ્થળે પ્રગટ થાય તે અનેક ભક્તહૃદય આત્માઓને એમાંથી પ્રેરણા મળે અને તેમના દિલમાં પ્રભુ ભકિત જાગૃત થવામાં અને સમગૂ દર્શનની નિર્મળતામાં આ લખાણ નિમિત્તભૂત બને. એમ ધારી અમે પૂ. મુનિરાજ શ્રી કુંદકુંદવિજયજી મહારાજશ્રીને એ લખાણને વ્યવસ્થિત ગોઠવી આપવા વિનંતિ કરી.
અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે ભક્તિ વિષયક અનેક અપેક્ષાઓથી ભરપુર એવું આ લખાણ આજે. વ્યવસ્થિત રીતે છપાઈને બહાર પડેલું આપણે આ પુસ્તકમાં જોઈ શકવા ભાગ્યશાળી થયા છીએ.