________________
ગૌરવગાથા
[૧૫] ભગવંત નેમનાથ અને વાસુદેવ શ્રી કૃષ્ણ પિતરાઈ ભાઈએ થાય એટલે એ સમયના બીજા પણ પ્રસંગમાં નિમિત્તરૂપ બનવાનું આ ગિરિનું સદ્દભાગ્ય. પાછળનો રાણકદેવી રા'ખેંગારને બનાવ તો અતિ નજીકન ને ઐતિહાસિક ગણાય. આવા કૈક પ્રસંગે આ ગિરિરાજની યશકલગીમાં ઉમેરાયેલા છે અને એ કારણે સ્થાન તીર્થરૂપ છે. ચઢવાની કઠણુશ ને કપરાશ ટાળવા, અને યાત્રિકે સુખે લાભ લઈ શકે એ હેતુએ પગથી બાંધવાનું કાર્ય સં. ૧૨૨૨-૨૩ માં આરંભાયેલ પણ એને સંપૂર્ણતારૂપી કળશ ચઢાવવાનું માન તે આપણે નાયક આંબડના ભાગ્યમાં સજા ચેલું.
શ્રીમાળી જ્ઞાતિમાં રાણિગ નામના વ્યવહારીને ત્યાં એને જન્મ થયેલ. “પુત્રના લક્ષણ પારણામાંથી જણાય” એ કહેતી અનુસાર વયમાં વૃદ્ધિ પામતા આ બાળકમાં સાહસ, હિંમત અને પ્રજ્ઞાના દર્શન થવા માંડયા. એના લક્ષણે વાક્પટુ વેપારી થવાના બદલે પરાક્રમશાળી અધિકારીની દિશામાં વધુ ઢળેલા જણાયા. એમાં કુદરતે યારી આપી. એ સમયના જાણીતા મહાકવિ શ્રીપાળ સાથે એને મિત્રતા બંધાઈ. કવિની નજરમાં આંબડની શક્તિમત્તાએ, અનેરું સ્થાન જમાવ્યું.
એક સમયની વાત છે. રાજવી કુમારપાળ સોરઠના પ્રવાસે આવેલા. રાજ્યચિંતાના કામનું દબાણ હોવા છતાં ભગવંત શ્રી નેમિનાથને ભેટવાની ભાવનાથી હાંશભેર તળાટીમાં આવી ચઢયા. કવિ શ્રીપાળ સાથમાં હતા, પણ ગિરિરાજ પર જવાની પગથી યાને પાજ વ્યવસ્થિત ન હોવાથી મનની મુરાદ બર ન આવી. દેવ દર્શન કર્યા વગર ઉતાવળ હોવાથી ખેદપૂર્વક પાછા ફરવું પડયું. તે અણહિલપુરમાં જ્યારે પાછા ફર્યા ત્યારે ગિરનારની યાત્રા ન થવા બદલ જે એક મનદુ:ખ ઉદ્દભવ્યું હતું તે અચાનક સભા સમક્ષ મુખદ્વારા બહાર પ્રગટ થયું. એવો કઈ વીરલે છે કે જે