________________
[ ૧૦૦ ]
ઐતિહાસિક પૂર્વજોની ચાલી આવી, બછરાજના વંશમાં પુરુષો પણ એવા પાક્યા કે જેમણે માત્ર બાપીકે વારસે ન સાચવી રાખતાં “બાપ કરતાં બેટા સવાયા ની ઉક્તિ સાચી કરી બતાવી. પિતાના વિશાળ અનુભવ અને વિસ્તૃત સંસકારથી રાજ્યના વહીવટી પ્રશ્નો ઉકેલી સંતોષ ન માનતાં પોતામાં રહેલી ચતુરાઈ અને મુસદ્દીપણાની શક્તિથી સંગ્રામ ખેડવામાં પણ ભાગ લીધો અને રણમેદાનમાં અપૂર્વ કૌશલ્ય દાખવ્યું. લેખકના શબ્દોમાં કહીએ તો “They handled the sword as well as the pen,” અર્થાત્ તેમણે કલમ પકડી જાણી અને તલવાર પણ ફેરવી જાણી. સીવીલ અને મીલીટરીરૂપ રાજ્યની મુખ્ય લાઈનમાં નિષ્ણાત ગણાયા. વહીવટી તંત્રની માફક જ યુદ્ધતંત્રની લગામ પણ પકડી જાણી.
વરસીંગ અને નાગરાજ એ વંશમાં મહારથીઓ તરીકે પ્રસિદ્ધિને પામ્યા. વરસીંગે પિતાને જાન હાજીખાન લેદી સાથેની લડાઈ વેળા ગુમાવ્યું અને નાગરાજે લુણકરણના રાજ્યકાળે જે બંડ ઊઠયું હતું તે દાબી દેવામાં અને પુનઃ શાંતિ સ્થાપવામાં પોતાનું પાણી બતાવ્યું. આ પ્રકારનાં રાજકારણમાં જેમને સમય ખરચાતો હતો એવા આ બછાવતાએ ધર્મનાં કાર્યો કરવામાં કે પ્રજાકલ્યાણનાં જાહેર કામો આરંભવામાં રજ માત્ર પ્રમાદ ન કર્યો.
તેઓએ જૈન ધર્મના કાર્યોમાં ઉલટ અને શ્રદ્ધા દાખવવામાં કચાશ નથી રાખી. આચાર્યપદે આવનાર મહાત્માઓનાં સૂરિ. મહોત્સવમાં શું કે જુદાં જુદાં તીર્થોના સંઘ લઈ જવામાં શું ? કોઈ પણ કાર્ય માટે તેઓ લક્ષમીને વ્યય ઉદાર હાથે કરવામાં ખડે પગે રહ્યા છે - પૂજન નિમિત્તે રમણુય દેવાલનાં સર્જન કરવામાં પણ તેમણે ન્યૂનતા નથી દાખવી. વિદ્વાનોને આશ્રય આપી જ્ઞાનને