________________
ગૌરવગાથા
[૧૦૧ ] મહિમા ફેલાવ્યું અને સાથોસાથ કળમોબાત પણ કર્યા. કર્મવશાત જેઓ તંગદશામાં આવી પડ્યા હતા તેમને ગુપ્ત રીતે સહાય પહોંચાડવામાં પાછી પાની નથી કરી. ટૂંકમાં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે-અછાવતવંશની ચડતી એ આસપાસના માણસ માટે કે સાથે રહેલાં પડોશીઓ માટે કિવા સમાજના સ્વામીભાઈઓ સારુ મહાન આશીર્વાદ સમાન નિવડી.
બછાવત વંશને અંતિમ પરાક્રમી પુરુષ કરમચંદ એ રાવ કલ્યાણસિંગજીના મંત્રી સંગ્રામનો પુત્ર થાય. જ્યારે (ઈ. સ. ૧૫૭૩ માં ) રાયસિંગ ગાદીએ આવ્યું ત્યારે એણે કરમચંદને પિતાનો દીવાન નીપે. કરમચંદમાં જેવી કાર્યદક્ષતા હતી તેવી જ દીર્ધદર્શિતા અને વિશાળ અનુભવ પણ હતાં. દેખાવમાં તે એટલે બધો સુંદર કે સામાન ઉપર છાપ પાડે તે નહોતો લાગતો. કુદરતે શારીરિક સૌન્દર્ય અર્પવામાં સાચે જ ઊણપ દાખવી હતી, પણ એને બદલે તે જે માનસિક શક્તિ ધરાવતો હતો તેમાં બરાબર વળી જતું હતું. મજબૂત મનના આ માનવીમાં રાજ્ય ચલાવવામાં જોઈતાં ડહાપણ અને બુદ્ધિભવ ભારોભાર ભર્યા હતાં. એ માટે કહેવાતું કે જે એ Prudent Statesman sal aai a Wise Administrator પણ હતા.
રાયસિંગના ગાદીનશીન થયા પછી અલ્પ સમયમાં જયપુરના રાજા અભયસિંગે બીકાનેર પર ચઢાઈ કરી. સમય ને સંયોગે એવાં હતાં કે એની સામે લડાઈનું જોખમ ખેડી શકાય નહિં. આ કપરી મુશ્કેલીમાં સલાહ લેવા ગ્ય સ્થાન રાજવી માટે મંત્રીશ્વર કરમચંદનું હતું. તરતજ. એને બોલાવી સારીયે પરિસ્થિતિને વિચાર કરવામાં આવ્યા. ગણત્રીબાજ ને ચાલાક મંત્રીની સલાહ સંધિ કરવાની મળી. રાજાને ગળે એ વાત