Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 112
________________ ગૌરવગાથા [ ૧૦૦], મચંદ ગુન્હેગાર હોત તે આમ બનવું શકય ન હતું જ. રાયસિંગની વૈરવૃત્તિ બાદશાહનું આ વર્તન મૂકપણે ન સાંખી શકત. ન્યાયપ્રિયતા અને પ્રામાણિક્તા માટે જેની કીર્તિ જગમશહૂર છે એવા અકબર શાહને, પિતાના રાજય અંગે અણછાજતું કાર્ય કરવાના આરોપી કરમચંદને કયાં તે પોતાને સેંપી દેવાની કિંવા રાજ્યમાંથી હાંકી કાઢવાની રાયસિંગ હઠ પકડત એવું કંઈ જ બન્યું નથી અને એથી ઊલટું બાદશાહ અકબરે મંત્રીશ્વર કર્મચંદ ઉપર જે આરોપ મૂકવામાં આવ્યો હતો એમાં એની નિદેષતા જોઈ એને પોતાના શહેરમાં માનમરતબા સહિત રાખે. ટૂંકમાં એટલું કહી શકાય કે જેનેતર લેખકો તરફથી સાહિત્યક્ષેત્રમાં જૈન સમાજની ઉપેક્ષાભરી વલણને લઈ ઘણું અન્યાયે જાણતા-અજાણતાં થયા છે. અલબત્ત, એ પ્રશ્ન કરવામાં આવે કે-જે કરમચંદનું પોતાનું હૃદય શુદ્ધ હતું તે તે શા માટે નાસી ગયે?—એણે બીકાનેરમાં જ રહેવું હતું પણ આ વાત કથનમાં જેટલી સુલભ છે એટલી વર્તનમાં મૂકવી સુલભ નથી. મનુષ્યને જિંદગી વહાલી હોય છે અને એ નિયમ એકાદા શુદ્ધ કીટકથી માંડી ઊંચ કક્ષાના માનવી પર્યત એકધારો વતી રહેલો દષ્ટિગોચર થાય છે. જેમણે રાજસ્થાનનો ઇતિહાસ કાળજીપૂર્વક જે છે તેમની નજર સામે ઇંદ્રરાજ સીંગવી અને અમરચંદ સુરાણ સરખા નિમકહલાલ અને વફાદાર સેવકોનાં જીવન, માત્ર એકાદા સંશયને આગળ ધરી, કેવી રીતે હતાં ન હતાં કરી નાખવામાં આવ્યાં હતાં એ વાત દીવા જેવી રમતી હશે, એ બનાવે ઉપરથી હરકોઈ પ્રાજ્ઞ મનુષ્ય બધ મેળવે તે એટલે જ કે “રાજા, વાજા ને વાંદરા, વિફરે ત્યારે નહીં કામના” જ્યાં એવું બને ત્યાં પળ માટે પણુ ઊભા ન રહેવું એ ડરપોકતાનું લક્ષણ નથી પણ બુદ્ધિમત્તા યાને દીર્ધદર્શિતાનું છે. એ માપે માપતાં

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154