Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 122
________________ ગૌરવગાથા [૧૧૭] કિાહારે દુ તુ દૃઢામ્” જેવી વૃત્તિ ધારણ કરી એણે ભાગચંદ અને લક્ષ્મીચંદ સમક્ષ એક ચુનંદા બાજીગર તરીકે એવો તે ભાગ ભજવ્યો કે, ભેળું માછલું જાળમાં ફસાય તેમ, તે ઉભય રાજાના આવા વર્તનથી મહાઈ ગયા અને મરણપથારી પરથી પિતાએ આપેલ શિક્ષા વિસરી ગયા. ઉભય બંધુઓને પિતાની શતરંજના ખ્યાદા બનતાં જોઈ, સુરસિંગ મનમાં મલકાવા લાગ્યો અને તેઓએ જે જાતનાં વચન માંગ્યાં તે આપવામાં પાછી પાની ન કરી. એ ઉભયના દિલમાં વસવસાનું ટીપું પણ રહેવા ન પામે તેવી દરેક ખાતરી આપી, પોતાની સાથે બીકાનેર પાછા ફરવાનું ચેકડું ગોઠવી દીધું. આ ઉપરથી જ ભવિતવ્યતાનું બળવાનપણું પુરવાર થાય છે. તેમ ન હોય તે કરમચંદ્ર મંત્રીની સૂચના આટલી જલદી ભૂલી જવાત ખરી ? પોતાના વંશને માન-મરતબે પૂર્વવત્ જળવાશે એવા ભરોસાથી લેભાયેલા, અને પ્રધાન તરીકે અધિકાર પહેલાંની માફક પોતાના હાથમાં સેંપવામાં આવશે એવા ઉજજવળ ભાવિથી આકર્ષાયેલા, ઉભય બંધુઓ પિતાના વિશાળ કુટુંબને અને સર્વ અસબાબને લઈ માતૃભૂમિના પંથે વળ્યા. એ વેળા તેમને જેમ પોતાના માદરેવતનને વર્ષો પછી નિરખવાના કોડ હતા તેમ વંશની પ્રતિષ્ઠા જાળવી માનપુરસ્સર પુનઃ ઠરીઠામ થવાની ઊંડી અભિલાષા હતી. લાંબા કાળના પરદેશ વસવાટને આ રીતે અંત આવવાથી તેમને આનંદ સમાતો નહોતો. પોતાના નેહીજન વચ્ચે પાછા ફરવાથી થનારા આનંદનાં તેઓ સેણલાં સેવી રહ્યાં હતાં. તેઓના હૃદયમાં આ રીતે પોતાના તરફ નેહભાવ દર્શાવનાર અને પિતાનું ભલું કરનાર રાજવી પ્રતિ આભારની લાગણુઓ સાગરનાં મોજાં સમી ઉછળી રહી હતી !

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154