Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 121
________________ [ ૧૧૬ ] ઐતિહાસિક પૂર્વજોની પટકાઇ પડ્યો અને એ માંદગી જીવલેણ નીવડી. શ્વાનપૂંછડી જેમ વાંક ન છેડે કિવા વીંછીની ડંખીલી વૃત્તિ મરતાં પણ ન છૂટે તેમ રાયસિંગે પોતાના અવસાન સમયે પ્રિય પુત્ર સુરસિગને આલાન્યા અને કહ્યું કે મ્હારા વ્હાલા માલુડા! હું મારું વૈર ન લઇ શકયા એથી નિરાશ હૃદયે મરું છું, છતાં મારી મરતીવેળાની સૂચના તને એ જ છે કે—કરમચંદ ખચ્છાવતના છેાકરાએને બીકાનેરમાં કોઇપણ રીતે સમજાવી-પટાવી તેડી લાવજો અને તેમના પિતાએ મારી સત્તા સામે જે મળવા પાકાર્યો છે એને ઉચિત શિક્ષા કરી,–કપરી નશિયત દઇ, વેર વાળજો. આ શબ્દોના ઉચ્ચાર સાથે રાયસિંગના જીવનદીપ બુઝાઇગયા. રાયસિંહના મૃત્યુ પછી બીકાનેરની ગાદી પર દલપતસિંહ આબ્યા, પણ એનેા રાજ્યકાળ લગભગ બે વર્ષ સુધી જ ચાલ્યેા. રાજખટપટના આંદોલના ચાલુ રહ્યાં અને સન ૧૬૧૩ માં સુરસિંગ રાજગાદી પર ચઢી બેઠે. મરણકાળે પિતાએ જે અભિલાષા અણુપૂરી બતાવી હતી એ એના મનમાં રમતી જ હતી, એ માટે કેવળ તક મળે એટલી જ ઢીલ હતી. લાગ મળતાં જ ઘેાડા દખાવે એવી તૈયારી અંદરખાનેથી ચાલુ હતી. રાજા તરીકે જાહેર થયા પછી એ સૌ પ્રથમ દિલ્હી ગયા. એ પાછળ તેના મનમાં ‘ એક કાંકરે બે પક્ષી મારવા ના ઇરાદેા હતેા. એક તે બાદશાહને નવા રાજવી તરીકે સલામી ભરવાના અને બીજો અચ્છાવતાના વારસેાને સમજાવી ખીકાનેરમાં પાછા લાવવાના. " આ વેળા કાળે યારી આપી અને સુરસિંહ પેાતાના ઇરાદામાં ફાવ્યા. · વિધિની ગતિ ન્યારી છે’ એ નીતિકારનુ અનુભવસિદ્ધ વચન છે. દગલબાજ દુના નમે' એ ઉકિત અનુસાર રાજા પેાતાનુ પ્રથમ કાર્ય પતાવી અચ્છાવતના રહેઠાણે પહોંચ્યા मधु तिष्ठति

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154