________________
ગૌરવગાથા
[ ૧૧૩ } પિતાના પિતા પાદશાહ અકબરને વેતાંબર જેનો સાથે સારો સંબંધ હતે. Akbar loved, and admired and respected his Jain Gurus.
સન ૧૫૯૨માં કરમચંદ બછાવતની સૂચનાથી થંભતીર્થમાં રહેલા શ્રી જિનચંદ્રસૂરિને અકબરશાહે પિતાની સભામાં પધારવાનું આમંત્રણ મોકલ્યું અને જ્યારે તેઓ પધાર્યા ત્યારે લાહોર મુકામે ઉચિત માનમરતબા સહિત તેમનું સ્વાગત કર્યું.
પાદશાહ જહાંગીરે પિતાના આત્મવૃત્તાન્તમાં લખ્યું છે તે પ્રમાણે શ્રી જિનચંદ્રસૂરિની સાથે એ વેળા માનસિંહ, શહર્ષ, પરમાનંદ અને સમયસુંદર નામના મુનિઓ હતા.
અકબરશાહના આગ્રહથી શ્રી જિનચંદ્રસૂરિએ પિતાની પાટે માનસિંહને સ્થાપ્યા. એ વેળા તેમનું શ્રી જિનસિંહસૂરિ એવું નામ સ્થાપન કર્યું અને એ અંગેનો વિધિ મોટા સમારોહથી ઉજવવામાં આવ્યું. ખુદ પાદશાહ અકબર એ ટાણે હાજર રહ્યો હતો અને એના પરચો બજે કરમચંદે ઉઠાવ્યા હતા.
જ્યારે શ્રી જિનચંદ્રસૂરિ અકબરશાહને સમજાવી પિતાના મુનિ ધર્મના આચાર પ્રમાણે વિહાર માટે તૈયાર થયા ત્યારે બાદશાહે તેમને “ યુગપ્રધાનના બિરુદથી નવાજ્યા અને તેઓશ્રીના સમાગમની સ્મૃતિમાં બે ફરમાન બહાર પાડયા–
(૧) થંભતીર્થ ઊર્ફે ખંભાતના અખાતમાં માછલા મારવાનું સદંતર બંધ કરવામાં આવ્યું.
(૨) અષાઢ માસના આઠ દિવસ (અષાઢ ચૌમાસી તરીકે ઓળખાતી અઠ્ઠાઈમાં) જીવવધ ન થઈ શકે.
સૂરિજી સાથેની બાદશાહની મુલાકાતને ઉલેખ કરતો એક