________________
૧૨. ઓસવાળ જ્ઞાતિના ભંડારીઓ.
ભંડારીની અટકથી ઓળખાતે વર્ગ ઓશવાળ જ્ઞાતિમાંનો એ વિભાગ છે કે જે ઘણુંખરૂં રાજ્યમાં અધિકારપદે રહ્યો હોય છે અર્થાત્ વેપારી નહિં પણ મુસદ્દી વિભાગ છે. મારવાડી સમાજમાં આ વર્ગનું સ્થાન અતિ આગળ પડતું ગણાય છે. જોધપુરમાં આ વર્ગના લગભગ ત્રણ કુટુંબ છે.
ભંડારીએ પિતાને અજમેરના ચૌહાણ રાજવીઓના વંશજ જણાવે છે. જો કે વર્તમાનમાં ભંડારી કુટુંબોમાંનાં કેટલાક જયપુર અને કાનપુરમાં વસેલ હોઈ ઝવેરાતનો ધંધો કરતાં દષ્ટિગોચર થાય છે.
રાવ લાખણશી ઊર્ફે લક્ષમણસિંહ કે જેને ભંડારીઓ પોતાના મૂળપુરુષ તરીકે લેખે છે, તેણે અજમેરની ગાદીથી છૂટા પડી નડાલમાં પોતાની આગવી ગાદી સ્થાપી હતી. શેધખોળખાતા તરફથી ટૂંકમાં જે વિગતે પ્રગટ કરવામાં આવી છે તે ઉપરથી ચાહમાવંશી રાજાઓએ અને તેમની રાણીઓએ જૈન દેવાલને જુદા જુદા પ્રસંગે આપેલી ભેટે અને અમુક પ્રકારની
ટે યા હક્કોની સારા પ્રમાણમાં નેધ મળી આવે છે. એ ઉપરથી એક સમયે મારવાડમાં રાજ્ય કરતા વંશ પર જૈનધર્મની કેટલી બધી મહત્વની લાગવગ હતી. તેને ખ્યાલ આવે છે. ચૌહાણ યાને ચાહમાણ વંશમાં સર્વશ્રેષ્ઠ ખ્યાતિ વરેલ અગ્રણી