________________
[ ૭૪ ]
ઐતિહાસિક પૂર્વજોની રંગોજીને અમદાવાદની આસપાસને મુલક તથા ખંભાત છોડીને જે ચેથની આવક થાય છે તેને અર્ધો ભાગ તમને આપવાની કબુલાત આપી છે જ્યારે હું જે તમે મારી સાથે જોડાતા હો તે તમને એ સર્વ સાથેની એથમાંથી અર્ધો ભાગ આપવા કબૂલ થાઉં છું. આ શરતની અવેજીમાં મારા મોટા જમીનદારેને તમારા તંબુમાં મોકલવા તૈયાર છું. આ શરત દામાજીએ
મીનખાનને વંચાવી અને તે શું કરવા માંગે છે એમ પૂછયું. | મેમીનખાને ભંડારીવાળી શરત કબૂલી લીધી. એમાં ખંભાતની ઉપજને બદલે વિરમગામ જિલે આપી દેવારૂપ ફેરફાર કર્યો. આ લાભ મળતાં મરાઠા નાયકે રતનસિંગ ભંડારી સાથેના સંદેશા બંધ કર્યા પિતે દુધેશ્વરની યાત્રાએ ગયે અને ત્યાંથી પાછા ફરીને સાથમાં ૨જીને રાખીને સન ૧૭૩૮માં અમદાવાદ સર કરવા ઉગ્ર પગલાં ભર્યા. તેઓએ એવી ખરાબ રીતે મારો ચલાવ્યો કે જેથી શહેરને ઘણું નુકશાન પહોંચ્યું. ખુદ મોમીનખાનને લાગ્યું કે આ રીતે હલે કરી દાખલ થતાં મરાઠા સૈન્યની પાસેથી ભવિષ્યમાં પોતે શહેરનો કબજે કેવી રીતે લઈ શકશે? એથી તેણે મીરા-તે-અહમદીના કત્તને રતનસીંગ પાસે મેક અને સુલેહભરી રીતે શહેર સેપી દેવાની માંગણી કરી. પણ ભંડારીએ જરા પણ નમતું તેવું નહીં. દરમીયાન કાઝીમ અલી ખાનની સરદારી નીચેના મુસલમાન સેન્ચે અને બાબુરાવ મરાઠાની સરદારી હેઠળના મરાઠા સૈન્ય શહેર કબજે લેવાનાં જોશભેર હુમલા કર્યા. પણ એમાં ઉભયને પાછા ફરવું પડયું. બીજે દિવસે રતનસિંગને લાગ્યું કે સંયુક્ત બળને સામનો કરી શહેરને બચાવ કરે શક્ય નથી એટલે મેમીનખાન જોડે સંધિના સંદેશા શરૂ કર્યા. અને પોતાના સૈન્યના નિભાવ માટે અમુક રકમ લેવાની, તેમજ લડાયક સમોવડીયાને છાજે તેવા મેભા સહિત શહેર છેડી જવાની