Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 80
________________ ગૌરવગાથા [ ૭૫ ] શરતથી સુલેહ કરી. આ રીતે ભંડારી રતનસિંગના કારભારને ગુજરાતમાં અંત આવ્યો. સન ૧૯૪૫માં બીકાનેરનો રાજા જોરાવરસિંગ મૃત્યુ પામ્ય, ગાદી માટે બે હકદાર ઊભા થયા. એકનું નામ ગજસિંહ અને બીજાનું નામ અમરસિંહ ઠાકુર ખુશાલસિંગ અને મહેતા બન્તાવરસિંગની મદદથી ગજસિંહ ગાદીએ ચઢી બેઠે. અમરસિંહ અભયસિંગની મદદ મેળવવા દેડ્યો, અભયસિંહે અમરસિંહના હકને કબૂલ રાખી, એની કુમકે રતનસિંગ ભંડારીને સન્ય આપી ગજસિંહ સામે મોકલ્યા. કેટલાક સમય સુધી ઉભય વચ્ચે નાની નાની લડાઈઓ ચાલુ રહી. સન ૧૭૪૭માં ઉભય પક્ષનાં સૈન્ય સામસામે આખરી યુદ્ધ લડવાને એકત્ર થયાં. ઝનની લડાઈને આરંભ થયે. ઘણા પ્રયાસ ને સખ્ત લડાઈ પછી બીકાનેરનું સૈન્ય વિજયી નીવડયું. એણે ઘેરો ઘાલી બેઠેલા રતનસિંગના લશ્કરને પાછું હઠાવ્યું. રતનસિગ આ જોતાં જ આગળ વધ્યો. જાણે એકાદ ઝનન પર ચડેલે સિંહ ન ઘૂમી રહ્યો હોય તેમ શત્રુ સામે તરવાર ફેકતો ઘૂમવા લાગ્યો. જોતજોતામાં ગુમાવેલી કેટલી જગ્યા મેળવી પણ ખરી, ત્યાં તે ગજસિંહે ફેકેલા બાણથી એની આંખ ફટી. આમ છતાં એણે સૈનિકોને દોરવણ આપવી ચાલુ રાખી. પોતાને સખત ઘા લાગ્યા છતાં અને જાતે અશક્ત બન્યા છતાં તેણે નમતું ન તોળ્યું. દુશ્મન દળમાં નવી ભરતી થવા માંડી અને એનું જોર વધી પડયું. રતનસિંગને લાગ્યું કે આવા વિપુલ કટક સામે ઝૂઝવું નકામું છે એટલે એણે પાછા ફરવાનો હુકમ આપે. દરમિયાન એક બીકાનેરી ભાલાધારીએ એના પર પીઠેથી ઘા કર્યો. એ ઘા મરણાંત નિવડે અને એનાથી ભંડારી સરખો મુસદ્દી ને બહાદુર સરદાર કાયમની નિદ્રામાં પિઢયે. ધ જૈન હોવા છતાં ભંડારીના જીવનમાંથી સાહસ, પરાક્રમ અને બહાદુરીના પ્રસંગે જોઈતા પ્રમાણમાં મળે છે.

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154