________________
-
5
-
ન
:
૧૬. અજમેરને સુબો ધનરાજ
• આ વ્યક્તિએ જીવનની આહુતિ આપીને પણ પિતાની ટેક જાળવી છે. જયપુરની નજિક ટોંગા (Tonga) આગળ સીન્ધીયાને હરાવીને મારવાડને નામીચા સરદાર ભીમરાજ સંઘવી, અજમેર ”ઉપર ચઢાઈ લઈ ગયો. એ વેળા ત્યાં મરાઠાને સૂબેદાર અનવર બેગ અધિકારપદે હતો. એની પાસેથી અજમેર ખુંચવી લઈ ત્યાં ધનરાજ સંઘવીને સૂબેદાર તરીકે સ્થાપન કરી ભીમરાજ પાછા ફર્યા. સન ૧૭૮૭.
આ સંઘવીઓ મૂળ (Nandavana Bohra Brahamans) નંદવાના બેહરા બ્રાહ્મણ હતા જેમાં પૂજ્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજના ઉપદેશથી જૈનધામ બન્યા હતા. આ કાર્ય શિરેહીમાં વિ. સં. ૧૪૬૫ માં બન્યું હતું. તેઓને વસવાટ જોધપુરમાં વિ. સં. ૧૫૩૩ ની સાલથી હતો એવી નોંધ પ્રાપ્ત થાય છે. | મરાઠાઓ આ રીતે અજમેર ગુમાવી ચૂપ ન બેઠા. તેઓએ પુન: પોતાનું બળ એકત્રિત કર્યું અને ચાર વર્ષ પછી ફરીથી મારવાડમાં પગલા પાડ્યાં. મારવાડી અને મરાઠા સૈન્ય વચ્ચે મેઇરટા ( Mainta) અને પાટણ (Patan) એ બે સ્થળે સખત યુદ્ધો ખેલાયા જેમાં મારવાડી સન્યને પરાજય મળે.
આ દરમીઆન મરાઠાના સેનાનાયકડી બાઈને (De Boigne) અજમેરને ઘેરો ઘાલ્યો.
અહીંના સૂબેદાર કથાનાયક ધનરાજે બહાદુરીથી શહેરને - બચાવ કર્યો અને જરા પણ નમતું તેવું નહીં.