________________
[ ૯૦]
ઐતિહાસિક પૂવ જેની વિક્રમ સંવત ૧૮૯૪ માં ચરલાને સરદાર કાનસિંહ જોધપુર અને જયપુર સરકારની મદદ લઈ બીકાનેર સંસ્થાનના પ્રદેશમાં લૂંટફાટ કરવા લાગ્યો અને પ્રજાને કષ્ટ આપવા માંડ્યો ત્યારે એને કેઈપણ રીતે પકડી લાવવાને સારુ રાજવીની નજર સેનાપતિ શાહ કેશરીચંદજી પર ઠરી. આદેશ થતાં જ આ વણિક વીર નિડરતાથી ચાલે અને અલપકાળમાં એ વિદ્રોહી સરદારને સુજાણગઢમાં જબરી હાર આપી પકડી લીધો. ત્યાંથી તરત જ એને બીકાનેર મોકલી દીધે.
માંડ કાનસિંહનું પતાવ્યું ત્યાં ખુમાણસિંહ, કરણસિંહ આદિ ઠાકરેએ બીકાનેરના સાધાસર-જસરાસર ગામે લૂંટ્યાના સમાચાર આવ્યા. “સૂર છુપે નહીં બાદલ છાયો ” કવિતની માફક કેશરીચંદ એ સાંભળી બેસી ન રહ્યા. તરતજ એ લૂંટારાને પીછો પકડ્યો અને એવા તે ભગાડી મૂક્યા કે ફરીથી એ આ તરફ પાછા ફરવા ન પામ્યા. સીવા તરફ છૂ થઈ ગયા.
આ વેળા જવારસિંહ, ડુંગજી આદિ લૂંટારાની ભારે હાક વાગતી હતી. પ્રજા એથી ત્રાસી ગઈ હતી. ખુદ અંગ્રેજ સરકાર તરફથી કેપ્ટન વિલિયમ ફેસ્ટર એની શેધમાં ભ્રમણ કરી રહ્યો હતો અને એ માટે બીકાનેર આવ્યો હતો. પેલાઓ એક કરતાં વધુ વાર ફેસ્ટરને હાથતાળી આપી અદ્રશ્ય થઈ ગયા હતા. ફેસ્ટર સાહેબની માંગણથી એ લૂંટારાઓને પકડવામાં મદદ કરવા માટે મહારાજા રતનસિંહે શાહ કેશરીચંદજીને નિયુક્ત કર્યા.
થોડા સમયમાં જ શાહે પોતાની તેજસ્વિતાના સાહેબને દર્શન કરાવ્યા અને લૂંટારાઓની પૂંઠ પકડી, એમાંનાં કેટલાકને ગીરફતાર કર્યો. ફેસ્ટર સાહેબ તે આ વણિક સરદારનું પરાક્રમ જોઈ આભે બની ગયા એટલું જ નહીં પણ એ દિવસથી ચુસ્ત પ્રશંસક બન્યો. કેપ્ટન વિલિયમ ફેસ્ટરે ભારતવર્ષના સન્માનનીય ગૃહસ્થામાં કેશરીચંદજી શાહનું નામ દાખલ કર્યું અને જાતે