________________
ગૌરવગાથા
[ ૮૯ ] નરેશ તરફથી પ્રાપ્ત થયા જેમાંના ત્રણ આજ સુધી તેમના વંશજ શાહ સેસકરણજી પાસે મોજુદ છે.
સંવત ૧૮૯૪ માં સેખાવત જુહારસિંહ આદિ સીકરની ખાનાખરાબી કરી તળ બીકાનેર સંસ્થાનમાં દાખલ થઈ જુલમ ગુજારવા લાગ્યા ત્યારે સુરાણું માણિકચંદજીની આગેવાની હેઠળ સેના મોકલવામાં આવી. શાહે એવી યુક્તિથી કામ લીધું કે જુહારસિંહને પલાયન થઈ જવું પડયું.
કુંવર સરદારસિંહજીના નામથી વસાવેલ સરદાર શહેર આબાદ કરવામાં જે કોઈની પ્રજ્ઞાએ વધુ ભાગ ભજવ્યે હેય તો એ માણિકચંદજી સુરાણાની હતી. એ કારણે તેમને ગામ કાંગડ બક્ષીસ મળ્યું અને ત્યારપછી ટૂંક સમયમાં જ સુરસરા, વૈજાસર, મલસીસર, કીતાસર અને ચરકડો વિગેરે ગામોની ભેટ પ્રાપ્ત થઈ.
કેપ્ટન વિલિયમ ફેસ્ટર જેવાએ આ માણિકચંદજી સુરાણાની આવડતની પ્રશંસા કરેલી છે. પાછળથી દીવાન પદથી સુરાણાજીને વિભૂષિત કરવામાં આવ્યા. એમને એક પુત્ર હતું જેનું નામ ફિતેહચંદજી હતું. એ પણ પિતાની માફક શૂરવીર અને કુશળ રાજનીતિજ્ઞ હતે. એને પણ દીવાનપદવી પ્રાપ્ત થઈ હતી.
(૩) શાહ કેશરીચંદજી. ઉપર અમરચંદજીના મોટા પુત્ર સંબંધે ટૂંકમાં જોઈ ગયા. અહીં હવે એમના નાના પુત્ર અંગે થોડું જાણી લઈએ. કેશરીચંદજીને ઉલ્લેખ એક રણકુશલ સેનાપતિ તરીકે મળે છે. મહારાજા રત્નસિંહજીના રાજ્યકાળમાં કરેલી સેવાઓ સંસ્થાનના ઈતિહાસમાં નેધાયેલી દષ્ટિગોચર થાય છે. “શેરાં કે શેર હી પૈદા હેતે હૈ ” એ કહેવત શાહના જીવનચરિત્રથી સાચી ઠરે છે.