________________
ગૌરવગાથા
[ ૮૭ ] પોતે આમાં નિર્દોષ છે એટલું જ નહીં પણ એ સાબિત કરી આપવા તૈયાર છે અને જ્યાં સુધી એમ સાબિત ન કરી આપું ત્યાં સુધી મારીવતી ખેતડીના મહારાજ ત્રણ લાખ રૂપીઆ ભરી જમાન થવા તૈયાર છે.
દીવાનનું આ કહેણ બહેરા કાન પર અથડાયું. નિશામાં ચકચૂર બનેલ આદમી ખરા ટાને વિવેક ન કરી શકે તેમ સુરતસિંહ એ પાછળ ભાવ સમજી ન શક્યા અને કતલ કરવાનો આદેશ આપી અંતઃપુરમાં ચાલયે ગયે.
એ વેળા વરધર્મના ઉપાસક અમરચંદજીને મરણનું દુઃખ , ખાસ સાલ્યું નહીં, પણ પિતે રાજવીને તાપ બેસાડવા વધુ પડતું દાખવેલ ઘાતકીપણું યાદ આવ્યું. એ માટે અતિશય પસ્તાવો થયો. એ વેળા જ જીવનમાં સત્તા, વૈભવ કે અધિકાર કેવા અસ્થિર છે તેનું ભાન થયું અને માનવજીવન પામ્યાની સફળતા પોપકાર અને ભલમનસાઈમાં રહેલી છે એનું સ્પષ્ટ દર્શન થયું. સમતાપૂર્વક, સર્વ જીવોને ખમાવી, મૃત્યુની ભેટ એક વીર દ્ધાને છાજે તેવી રીતે કરી. (સં. ૧૮૭૨)
સમયનું ચક્ર અખલિત ગતિએ વહ્યું જાય છે. સુરાણાજીની કરપીણ મૃત્યુઘટના જૂની બની. અચાનક જયંત્ર પર પડદો ઉચકાયે. બીજી તરફ ગુરૂના ઠાકોર પૃથ્વીસિંહે ઉત્પાત જમાવ્યે. સેના મોકલવા છતાં કેમે કરી એ વિદ્રોહ દબાવી ન શકા. એ વેળા સુરતસિંહને અમરચંદજીની યાદ આવી. પતે રસવૃત્તિઓ કરી નાંખેલી ભૂલ માટે અતિશય દુ:ખ થયું. ભારી પચાત્તાપ થયે પણ દૂધ ઢળાઈ ચૂકયું હોવાથી એને અર્થ કંઈ જ નહોતે. અમરચંદને આત્મા પોતાની પાછળ અમર સુવાસ મૂકી ચાલ્યો ગયો હતો એ કંઈ પાછો આવે તેમ હતું જ નહીં. એની ખોટ મહારાજને જીવનના અંત સુધી ખટક્યા કરી અને તે અન્યથી ન પૂરાઈ.